SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કે પિતાજી આપ તો જ્ઞાની છે. આપ તો જાણે જ છે કે સર્વ જીવો કર્માધીન છે, જે જે જ્ઞાનીઓએ જોયું છે અથતુ જેવી ભવિતવ્યતા હશે એમ જ થશે. આપ આપના દિલમાં શાંતિ રાખો. જૈન ધર્મનો એ જ સાર છે. મારા તરફથી આપ ખાતરી રાખો કે મારી નસોમાં આપનું જ્યાં સુધી ખૂન હશે ત્યાં સુધી હું તન-મન-ધનથી જૈન ધર્મની સેવા કરીશ. આ સાંભળી રાજા જયસેનને પરમ સંતોષ થયો. અદ્યપિ પોતાની અંતિમ અવસ્થામાં મંત્રીઓ તથા ઉમરાવોને ખાનગીમાં આ સૂચન કરી દીધું કે મારા પછી રાજગાદી ચંદ્રસેનને આપજો. કારણકે તે રાજ કે સર્વ કાર્યોમાં યોગ્ય છે વગેરે સૂચન કરી દીધું. અન્તમાં રાજા તો અરિહન્તાદિ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવાપૂર્વક આ મૃત્યુલોક અને નાશવંત એવા શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં પ્રસ્થાન કરી દીધું. રાજાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ નગરમાં શોકનાં વાદળો છવાઈ ગયાં. હાહાકાર મચી ગયો. ત્યાર બાદ બધા લોકો મળીને રાજાની અંતિમ ક્રિયા મોટા મહોત્સવપૂર્વક કરી. બાદ રાજગાદીના વિષયમાં બે મત થઈ ગયા. એક મતનું કહેવું હતું કે ભીમસેન મોટો છે એટલે રાજ્યનો અધિકારી ભીમસેન છે. જ્યારે બીજો મત કહી રહ્યો હતો કે મહારાજા જયસેનનું અંતિમ કહેવું હતું કે રાજ્ય ચંદ્રસેનને આપવું અને ચન્દ્રસેન રાજગુણ ધૈર્ય-ગાંભીર્ય વીરતા ધીરતા-પરાક્રમ અને રાજતંત્ર ચલાવવામાં હોશિયાર છે, આ બન્ને પક્ષોને વાદવિવાદ એટલો બધો વધી ગયો કે જેનો નિર્ણય કરવો ભૂજાબળ ઉપર આવી ગયો. પરંતુ ચન્દ્રસેને પોતાના પક્ષકારોને સમજાવી દીધા કે મારી તો રાજ્યગાદીની ઈચ્છા નથી, આપ આપની હઠ છોડી દો, કારણ ઘર લેશમાં ભવિષ્યમાં ભારે હાનિ થશે વગેરે સમજાવવાથી તેનો સ્વીકાર કરી લીધો. બસ, હવે તો બ્રાહ્મણો વગેરે શિવોપાસકોનું પાણી નવ ગજ ચઢી ગયું. સર્વ પ્રથમ જ ભીમસેન રાજાએ પોતાની રાજસત્તાનો જોર-જુલમ જેનો ઉપ૨ જ જમાવવો શરૂ કરી દીધો. ક્યારે ક્યારેક તો રાજસભામાં પણ ચન્દ્રસેનની સાથે ધર્મયુદ્ધ થવા લાગ્યું, ત્યારે ચન્દ્રસેને કહ્યું કે મહારાજ હવે આપ જ્યારે રાજગાદી ઉપ ન્યાય કરવા બેસો ત્યારે આપનું કર્તવ્ય છે કે જેનોને અને શિવોને એક જ દૃષ્ટિથી જુઓ. જેમ મહારાજ જયસેન પરમ ૧૧૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy