SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેનોના ગચ્છનો ઈતિહાસ વિભાગ - ૧ મહાજન સંઘનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે વીરાતું. ૫ મા વર્ષમાં પ્રાય: વિદ્યાધર ગચ્છ કુલભૂષણ આચાર્ય સ્વયં પ્રભસૂરીએ મહાજનસંઘની સ્થાપના કરી હતી. ઉશ, ઉકેશ, ઉપકેશ ઓસવંશ તથા ઓસવાળ એ મહાજન સંઘના પર્યાયવાચી નામો છે. પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ ૩૭૩ વર્ષે ઉપકેશમાં એક દુર્ઘટના બની. પ્રભુ વીર ભગવાનની મૂર્તિના વક્ષ:સ્થલ ઉપ૨ ઉપસાવેલ ગ્રંથિઓને કેટલાક નવયુવકોએ એક સુથારને બોલાવી તેને નષ્ટ કરવાનું દુઃસાહસ કર્યું. આ કાર્યથી દેવીનો કોપ થયો અને આખા નગરમાં હાહાકાર મચી ગયો. તે વખતે પૂ. આ દેવશ્રી કક્કસૂરિજીએ શાંતિ કરાવી, હવે આ વખતે ઉપકેશપુરના કેટલાક જેનો આ નગરનો ત્યાગ કરી હિજરત કરી ગયા અને તેઓ ત્યાંથી નીકળી બીજાં ગામોમાં જઈ વસ્યા. હવે તેઓ જે ગામ કે નગરમાં વસ્યા ત્યાંના લોકો આ લોકોને ઉપકેશી તરીકે ઓળખવા લાગ્યા કારણ કે તેઓ “ઉપકેશ પુર” નગરમાંથી આવેલા હતા. આગળ ઉપર આ લોકો ઉપકેશવંશ તરીકે પ્રખ્યાત બન્યા. આ એક સામાન્ય બાબત છે કે ગામના નામ ઉપરથી કોઈ એક જાતિ બની જાય છે. દાખલા તરીકે મહેશ્વરી નગરી ઉપરથી મહેશ્વરી, ખંડવા ઉપરથી ખડેલવાલ, અગ્રહથી અગ્રવાલ, પાળીથી પાલીવાલ વિ. વિ. આ કારણથી જ ઉપકેશનગર ઉપરથી ઉપકેશવંશ પડ્યો. હવે આ ઉપકેશવંશના પ્રતિબોધક આચાર્યોના વધુ પડતા વિહારો ઉપકેશપુરની આસપાસના પ્રદેશોમાં વધુ રહેવાના કારણથી આ સાધુ - ભગવંતોનો સમૂહ ઉપકેશગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો જે આજદિન સુધી વિદ્યમાન છે. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy