________________
યજ્ઞ માટે એકત્ર કરવા અસંખ્ય પ્રાણીઓનું બલિદાન આપી એનું માંસ ખાવાનું સારું સમજો છો? ભલે, તમે જ તમારા દિલમાં વિચારો કે આપનો ભાઈ જ આપને નરમેઘ યજ્ઞ કરી તેમાં આપને બલિ કરી દે તો આપને દુઃખ થાય ત્યા સુખ ? જટાધારીઓ આનો કોઈ પણ જવાબ આપી શક્યા નહીં ! સૂરિજીએ કહ્યું મહાનુભાવો ! પ્રાણીઓની ઘોર હિંસારૂપ યજ્ઞનો ત્યાગ કરી શાસ્ત્રના આદેશ મુજબ ભાવ યજ્ઞ કરો !
"सत्ययूपं तपोभग्निः कर्मणा समाधीमम् ! अहिंसा मुहुतिदद्या ! देवं यज्ञ सतांमतः" ॥१॥
અર્થાત્ સત્યનો સ્તુપ, તપની અગ્નિ, કર્મોની સમાધિ અને અહિંસારૂપ આહુતિ દ્વારા આત્માની સાથે અનાદિકાલથી લાગેલાં કર્મોનો નાશ કરી આત્માને પવિત્ર બનાવવો એ બ્રાહ્મણોનું પરમ કર્તવ્ય છે અર્થાત્ આને ભાવ યજ્ઞ પણ કહેવાય છે. આ ભાવયજ્ઞથી જીવ સ્વર્ગ અને મોક્ષને અધિકારી બની શકે છે, પરંતુ માંસ-મદિરાના લોલુપી લોકો પશુ હિંસા રૂપી યજ્ઞ કરી ખુદ નરકમાં જાય છે અને બિચારા ભદ્રિક જીવોને નરકમાં મોકલવાનો ઘોર અધર્મ કરે છે. જો વરાહાવતારે માંસ ભક્ષણ કરવાવાળાને અઢારમો દોષી માન્યો છે.
"यस्तु मात्स्यानि मांसानि भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च कल्पयामि वसुन्धरा" “રેવાપહાર ચાન, યજ્ઞ ચાન થવા ! नन्ति जन्तून गतधृणा घोरं तेयांति 'दुर्गतिम् ॥"
અર્થાત્ દેવની પૂજાના નિમિત્તે અથવા યજ્ઞ કર્મ હેતુથી જે નિર્દય પુરુષ પ્રાણીઓને મારે છે તે ઘોર દુર્ગતિમાં જાય છે, અને વાળી સાંભળો વેદાંતિઓના વચનોને.
“તમતિ મામડ, પશુfમર્થનામા हिंसा नाम भवेद् धर्मो, न भूतो न भविष्यति ॥"
અર્થાત્ જે લોકો યજ્ઞ કરે છે તેઓ અંધકારમય સ્થાનમાં (નરકમાં) ડૂબે છે. કેમકે હિંસાથી ન ક્યારે ઘર્મ થયો છે ન થશે.
૧૦૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org