SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તમારે સંપૂર્ણ રીતે બ્રાહ્મણોની આજ્ઞામાં રહેવું. તમને પ્રવીણને ઘરભાર સોંપીને બ્રાહ્મણો વેદ ભણશે, યજ્ઞ કરશે અને સમાધિ વડે (પરબ્રહ્મનું) પૂજન કરશે. જે જેન જે બ્રાહ્મણનું દાનાદિથી પોષણ કરતા થયા તે બ્રાહ્મણનું ગોત્ર તે તે જેનનું ગૌત્ર ગણાયું. આ પ્રમાણે શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી સોની અને શ્રીમાળી જૈન થયા. શ્રીમાળી પુરાણીને આ કથામાં બ્રાહ્મણ એ જ જાણે માણસ હોય અને તેમના સુખના માટે જ બીજાં બધાં માણસો સરજાયાં હોય તેવું છે. ખરું જોઈએ તો કોઈ કોઈન માટે નહિ પણ મોટામાં મોટા હરકોઈ માણસની પેઠે પોતાને અને જગતને માટે જીવવાને હકદાર છે. અસ્તુ આ કથા ઉપરથી આપણે એ જોઈ શકીએ છીએ કે શ્રીમાળી સોનીઓ બ્રાહ્મણો સાથે સંબંધ ધરાવે છે. અર્થાતુ એમની ઉત્પત્તિ બ્રાહ્મણો સાથે સંબંધ ધરાવે છે. શ્રીમાળી સોનીઓમાં અત્યારે ઘણા ભેદ પડી ગયા છે અને તેમની જુદી જુદી જ્ઞાતિઓ બંધાઈ છે. તેમનામાં ઘરશઓજનોઈ રહિત રહી ગયા છે. જેઓ જનોઈ પહેરે છે તેઓ ત્રાગડ સોની એ નામે ઓળખાય. (તરાગડો) એ નામે જનોઈન ઓળખવામાં આવતી હતી. સંવત ૧૪૬રમાં રચાયેલા પૃથ્વીધર ચરિત્રમાં બ્રાહ્મણોનું વર્ણન કરતાં લખે છે. "શ્રી વચ્છ, પદ્મનાભ, પુરષોત્તમ, પ્રમુખ બ્રાહ્મણ મલ્યા, શાંતિક કીવા તણિઈ કારણિ કલકલ્યા. ગલે ત્રાગા, વેદધ્વનિ ઉચરવા લાગા”. સંવત્ ૧૬૮૩માં હાથે લખેલા એક પુસ્તકમાં હરિયાલી (સમશ્યા) તરીકે એક કુંડળીઓ છંદ લખ્યો છે, તેમાં ત્રાગડ" શબ્દ વપરાયો છે. એ છંદ આ પ્રમાણે છે - જીજે ઉદયો ન ચંદ્રમા, દસર નહીં અસુરેશ, હરીવસે જ્યાદવ નહીં, લંબોદર, ન ગણેશ. લંબોદર ન ગણેદ વસે કેદારન શંકર, ધારાશો નહીં ખડગ અ છે ત્રાગડ નહીં દ્વિજવર. પાક શ્યાક નહીં અંદ્ર, ડિજ કાલ લોધી નહીં, વધાયો વગડ વરાહ નહી, તે બીજે દિયો ન ચંદ્રમા. (ધીસોડાં) ४७ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy