SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ "वैरिणोsपि विमुच्यन्ते, प्राणान्ते नृणभक्षणात् । तृणाहराः सदैवैते हन्यन्ते पशवः कथम् " || 9 || પ્રાણાન્તે મુખમાં ઘાસ લેવાવાળો મહાન શત્રુને પણ અવધ ગણાય છે. તો હંમેશાં ઘાસ ભક્ષણ કરનાર પશુને મારવું કેટલો અન્યાય કહેવાય ? “ये चक्रः कृर कर्माणः शास्त्र हिंसोपदेशकम् । ते यास्यन्ति नरके नास्तिके भ्योऽपि नास्तिकाः ||" અર્થાત્ જે ક્રૂરકર્મીઓએ હિંસોપદેશક શાસ્ત્રોની રચના કરી છે તેઓ નાસ્તિકોથી પણ નાસ્તિક હોવાથી નરકના ભાગી થશે. એટલું જ નહીં પરંતુ એવા શાસ્ત્રો ઉપર જેઓ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાવાળાઓને પણ નરકમાં સાથે લઈ જશે ! જેમ “विश्वस्तो मुग्धीलोकः पात्यते नारकावनौ । अहो नृशंसैर्लोभान्धे हिंसा शास्त्रोपदेश कैः ॥" ભાવાર્થ - ખિચારા વિશ્વાસુ ભદ્રિક લોકો પણ નિર્દય લોભાંન્ધ અને હિંસામય શાસ્ત્રોના પ્રભાવથી પ્રભાવિત થઈને નરકમાં જાય છે, અર્થાત્ નિર્દય એવા તેઓ પોતાના ભક્તોને પણ નરકમાં સાથે લઈ જાય છે. વગેરે ધર્મોપદેશ સાંભળીને રાજા અને સભાજનો ખૂબ જ ઉલ્લાસથી આનંદમાં આવીને ખોલ્યા કે ભગવાન અમે તો આવા ઉત્તમ શબ્દો આજે જ અમારા કાન દ્વારા સાંભળ્યા અને આપશ્રીનું કહેવું પણ સત્ય જ છે. પ્રાણીઓની હિંસા કરવી તો ઘોર ન૨કનું જ કારણ છે. અને તે સર્વથા ત્યાજ્ય છે. હું આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે મારા નગ૨માં જ નહીં પરંતુ આખા રાજ્યમાં કોઈ પણ નિરપરાધી જીવોને મારવું તો દૂર રહ્યું પરંતુ તેઓને તકલીફ પણ નહીં આપવામાં આવે. હે કૃપાનિધિ ! જગતમાં ધર્મના અનેક ભેદો સાંભળવામાં આવે છે. અર્થાત્ મતમતાંતર છે તેની પરીક્ષા કઈ કસોટીથી કરી શકાય તે કૃપા કરીને બતાવો. હું એ ધર્મનો સ્વીકાર કરવા ચાહું છું. જેથી આત્મકલ્યાણ થઈ શકે. એટલે સૂરીશ્વરજીએ કહ્યું કે હે ધરાધિપ! Jain Educationa International ૧૦૪ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy