________________
માટે છે.) જે પૂર્વે અનંતા તીર્થકરે થયા તથા થવાના છે, અને વર્તમાનમાં કેટલાક છે, તેઓ કર્મશત્રને વિદારવામાં સમર્થ હેવાથી વીસ છે, સમિતિથી યુક્ત તથા. જ્ઞાનાદિથી સહિત છે. સારા સંયમથી યત્નાવાળા છે. સંઘ ળિોતિ શુભ અશુભને નિરંતર સંપૂર્ણદશી (દેખનાર) છે. પાપકર્મરૂપ-આત્માથી પરત છે. તેઓ જેવીરીતે લેક ચિદરાજ પ્રમાણ છે, તેને અથવા, કમલેક જે બધી દિશા પૂર્વ વિગેરેમાં રહેલ છે, તેની જીવ-અવની વ્યવસ્થાને દેખનારા છે. તેઓ સત્ય સંયમત૫માં સ્થિર રહેલા છે. અર્થાત્ તેમને ત્રિકાળ-વિષય સંબંધી સંપૂર્ણ દેખાય છે. પૂર્વે અનંતા થયા; તે સંયમમાં રહ્યા. પંદર કર્મભૂમિમાં સંખ્યાતા તીર્થંકર-સંયમમાં રહેલા છે, તથા ભવિધ્યમાં અનંતા થવાના છે. તેઓ સંયમમાં સ્થિત રહેશે તેઓને ત્રણે કાળને જ અભિપ્રાય (બે) છે, તે હું તમને કહીશ; એવું સુધર્માસ્વામી શિષ્યને કહે છે –તમે સાંભળે. પૂર્વે કહેલાં ઉત્તમ વિશેષણોવાળાનું જ્ઞાન (અભિપ્રાય) આ છે કે, જે કર્મ જનિત ઉપાધિ છે, તે નારક વિગેરે ચાર ચેનિમાં જન્મ લે; સુખીદુઃખી, સુભગ, દુર્ભગ, પર્યાપ્ત-અપર્યાપ્ત, વિગેરે નવાં નવાં મળે છે કે નહિ ? તે સંબંધી. પરમતવાળાને શંકા છે કે? ફરી મળી શકે? તેથી, તે તીર્થક સાક્ષાત્ જોઈને કહે છે કે તેના સાક્ષાત્