________________
પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા
૧૪૩ પિતે સ્વામીનું કલંક દૂર ન થાય ત્યાં સુધી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થપણે રહી.
સુદર્શનને શહેર બહાર લઈ ગયા. થળી ઉપર ચડાવવાની તૈયારી કરે છે. સત્ય તે સત્ય જ. એ છૂપું રહે જ નહિ. સતી મનેરમાની લાગણી અને સુદર્શનની સત્યતા પ્રકટ કરવા શાસનાધિષ્ઠાતુ દેવીએ શૂળીનું સિંહાસન કરી દીધું અને સત્યને જયજયકાર થયા. રાજા ત્યાં આવ્યો. સુદર્શન પાસે પિતાના અજાણપણાના અપરાધની માફી માગી અને હાથી ઉપર બેસાડી રાજ સભામાં લઈ ગયા.
અભયારે ખબર પડવાથી ગળે ફાંસો ખાઈ તે મરી ગઈ અને ધાવ માતા નાસી ગઈ. શેઠે ઘેર આવી દુખદાઈ સંસારવાસથી વિરક્ત થઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને એકલ વિહારી થઈ વેરાન વને, જંગલે, પહાડ, ગુફાઓ અને રામાં ધ્યાનસ્થ રહી આત્મ સાધનામાં સાવધાન થયા. પંડિતા ત્યાંથી નાસી, પાટલીપુત્ર શહેરમાં દેવદત્તા વેશ્યાને ત્યાં રહી. તેની આગળ સુદર્શનને રૂપ, ગુણ અને ધૈર્યતા વિગેરેનું વર્ણન કર્યું. એક દિવસે સુદર્શન મુનિ ફરતા ફરતા પાટલીપુત્રના વનમાં ધ્યાનસ્થ રહ્યા હતા. કાર્ય પ્રસંગે આવી ચડેલી પંડિતાએ તેને જોઈ, ઓળખી, પિતાની સ્વામીની વાત કહી. તેણે તેને પિતાને ત્યાં લાવવા કહ્યું. મુનિ પણ ધ્યાન પૂર્ણ કરી આહાર અથે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા વેશ્યાના ઘરની ખબર ન હોવાથી તેઓ અંદર ગયા. વેશ્યાએ આ દિવસ હાવભાવ કરી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યા પણ તે નિરર્થક ગયા. સાંજે થાકીને વેશ્યાએ જવા દીધા. તે ત્યાંથી નીકળી વનમાં કાસગે રહ્યા.
અભથા રાણુ આર્તધ્યાને મરીને વ્યંતરીપણે થયેલી તે ફરતી ફરતી ત્યાં આવી. તેણે સુદર્શનને જોયા. પૂર્વનું વેર સાંભરી આવ્યું. તેણે ઘણું ઉપસર્ગો કર્યા. મુનિ પણ મનને દઢ કરી આત્મધ્યાનની શ્રેણિ ઉપર આગળ વધ્યા અને પરિણામની વિશુદ્ધતાથી કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ભવ્ય જીને બેધ આપીને તે સુદનમુનિ મેક્ષે ગયા. આ પ્રમાણે પરસ્ત્રીથી વિરક્ત રહેનાર મહા પુરૂષ