________________
પ્રાણાયામનું ફળ
૨૫૭ વિવેચન–અહીં એ શંકા થાય છે કે રેચકાદિમાં પ્રાણાયામ કેવી રીતે સંભવે? કેમકે પ્રાણાયામને અર્થ એ થાય છે કે શ્વાસ પ્રશ્વાસની ગતિને નિરોધ કરે છે, તે રેચકાદિમાં બની શકતે નથી. તેને ઉત્તર આ પ્રમાણે છે કે રેચક કર્યા પછી પ્રાણને નાસિકાના દ્વાર આગળ બહાર જ રોક. અંદર આકર્ષવે નહિ તેમ મૂકવાને તે છે જ નહિ. એટલે તે શ્વાસ પ્રશ્વાસની ગતિ વિચ્છેદરૂપ પ્રાણાયામ કહી શકાય. તેમજ પૂરકમાં બહારના વાયુને હળવે હળવે આકર્ષીને કે ઠામાં રેકો. ત્યાંથી રેચ નહિ અને પૂરે પણ નહિ એટલે ત્યાં ગતિવિચ્છેદરૂપ પ્રાણાયામ થયો. એવી રીતે સર્વ પ્રાણાયામમાં શ્વાસ પ્રશ્વાસની ગતિને રોકવાનું બની શકે છે. ૯.
પ્રાણાયામનું ફળ रेचनादुदरख्याधेः, कफस्य च परिक्षयः । पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते ॥ १० ॥
રેચક પ્રાણાયામથી ઉદર (પેટ)ની વ્યાધિ અને કફને નાશ થાય છે અને પૂરક પ્રાણાયામના ગે શરીરને પુષ્ટિ મળે છે. તથા વ્યાધિ (રોગ)ની શાંતિ થાય છે. ૧૦.
विकसत्याशु हृत्पद्म ग्रंथिरंतर्विभिद्यते । • बलस्थैर्य विवृद्धिश्च कुंभकाद् भवति स्फुटम् ॥ ११॥
હૃદયકમળ તત્કાળ વિકસ્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં બળની વૃદ્ધિ થાય છે અને વાયુ સ્થિર રહી શકે છે. કુંભક કરવાથી ઉપર પ્રમાણે પ્રગટ રીતે બની શકે છે. ૧૧.
प्रत्याहाराद् बलं कांतिर्दोषशांतिश्च शांततः ।
उत्तराधरसेवातः, स्थिरता कुंभकस्य तु ॥ १२ ॥ - પ્રત્યાહાર નામના પ્રાણાયામથી શરીરમાં બળ અને કાંતિ આવે છે, શાંત નામના પ્રાણાયામથી વાત, પિત્ત અને કફ અથવા ત્રિદોષ