Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 446
________________ મનની થતી ક્રિયા અને તેની વિરતિ ૩૯૩ બતાવાની સ્થિતિમાંથી મુક્ત થવા માટે, કર્મના ઉત્તમ નિયમ ઉપર આશ્રય રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષ વૃત્તિ હૃદયમાં સ્થાપન કરવી કે, કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે, અકસ્માત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે, તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. આપણું ભાગ્યમાં નથી, કર્મમાં નથી, તેવી હાનિ આપણને કોઈ કરી શકે નહિ. જે દુખ કે પીડા પૂર્વકૃતકર્મથી આપણી સન્મુખ આવે તે ભગવાવાને સજજ થવું. શાંતિથી તેને સ્વીકાર કરવો. તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થશે. જે કર્મો આપણને બંધનમાં રાખનાર છે તે કર્મો બળાત્કારે તેના નિયમ પ્રમાણે આપણને પ્રવર્તાવે છે, જો કે તેથી આપણને દુઃખ થશે, તે પણ તે દુઃખ સુખના માર્ગ રૂપ છે. આપણું બંધને ઓછાં કરનાર છે, છેવટમાં તેથી સુખ જ થશે. જન્મ, મરણનાં પરિભ્રમણને સંબંધ ઓછો થશે. માટે જે થાય તે સારા માટે અથવા કમના નિયમને અનુસરીને થાય છે. આવા વિચારોને નિત્ય નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર જાય છે. કેમકે સંતેષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.. મનની થતી ક્રિયા અને તેની વિરતિ આત્મ (પોતાની) ઈરછાએ મનન કરવું. અને તેમ કરતાં આત્મ ઈચ્છાએ વિરમવું. આ ઉભય શિખ્યાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતા હોઈએ ત્યારે આપણે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ. તથા સારામાં સારા વિચારો કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરો, પણ મેટા ખડકે ની સાથે અથડાતા નાવ (નૌકા )ની માફક એકવાર મનને સ્પર્શ કરે અને બીજી ૨૬

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462