Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 442
________________ વિચાર કરનારને સૂચના ૩૮૯ એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે. તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા; તે કામ તે મન પછી પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તે તેને આવી ટેવ પડાવવી જ પડશે. વળી ખરાબ વિચાર મનમાં આવે ત્યારે તે વિચારોની સાથે પ્રત્યક્ષ યુદ્ધ ન કરવું. જેમકે “તું ચાલ્યો જા, મારે ખપ નથી, શા માટે આવ્યા ? તું પર છે; વિગેરે.” આવા વિચારો કરવા તે યોગ્ય નથી, પણ આ અવસરે તે ખરાબ વિચારોને સારા વિચારો કરવાના રૂપમાં તત્કાળ બદલાવી નાખવા. તેમ કરવાથી ખરાબ વિચારો પિતાની મેળે દૂર થઈ જશે. કોઈ પણ વિચારેની સાથે ઉત્તમ પ્રત્યુત્તરરૂપ યુદ્ધ કરવામાં આપણું બળ આપણે બહાર કાઢીએ છીએ. તેથી તે અનુસાર સામા વિચારો તરફથી પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આપણને પરિશ્રમ વધારે થાય છે. આનાથી ઉલટી જે રીતે તે વિચારની જુદી દિશા તરફ મનનું પરાવર્તન કરવાથી વિચાર દૃષ્ટિમાંથી તે ખરાબ આકૃતિ વિનાં પ્રયત્ન વિલય થઈ જાય છે. અશુદ્ધ વિચાર સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યોને અનેક વર્ષો વ્યતીત કરવાં પડે છે. પરંતુ શુદ્ધ વિચારેને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારોને અવકાશ રહેતા નથી, તેમજ અશુદ્ધ વિચારોને પ્રત્યુત્તર નહિ આપનાર મન પિતા તરફ આકર્ષાતું જાય છે, તેમ તેમ મનુષ્ય ખરાબ વિચારોને નહિ સ્વીકારવાને ચૅગ્ય થતો જાય છે. સારા વિચારો કરવાને અભ્યાસ રાખવાથી ખરાબ વિચારો ન કરવાની દઢતા અને સારા વિચારોને સ્વીકાર કરવાની સામર્થ્યતાવાળા આપણે બનીએ છીએ. અસદ વિચારોને સ્થાને સદ્દવિચારે આ પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે તમને કેઈ મનુષ્યના સંબંધમાં અપ્રિય વિચાર આવ્યો તે તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં જુદો જ સદગુણ

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462