________________
૨૫૮
યોગશાસ્ત્ર ભાષાંતર–પ’ચમ પ્રકાશ
( સન્નિપાત )ની શાંતિ થાય છે અને ઉત્તર તથા અધર પ્રાણાયામની સેવાથી કુંભકની સ્થિરતા થાય છે. ૧૨.
અત્યાર સુધીનું વિવેચન પ્રાણવાયુને માટે આવ્યુ છે. આ પ્રાણાયામથી એકલા પ્રાણવાયુના જય થાય છે તેમ નથી, પણ પાંચે જાતના વાયુના જય થાય છે તેજ બતાવે છે.
વાયુનાં સ્થાનાદિ અને તેના જય કરવાના ઉપાય प्राणमपानसमानावुदानं व्यानमेव च । प्राणायामैर्जयेत् स्थानवर्णक्रियार्थवीजवित् ॥ १३ ॥
પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન આ પાંચ વાયુના તે વાયુનાં સ્થાન, વર્ણ, ક્રિયા, મથ અને ખીજને જાણનાર ચેનગીએ પ્રાણાયામે કરી જય કરવા. ૧૩.
વિવેચન—૧. શ્વાસ, નિશ્વાસાદિ ઘણા વ્યાપાર કરે તે ૧ પ્રાણવાયુ, ૨. મૂત્ર, વિષ્ટા અને ગર્ભાદિકને શરીરની બહાર લાવે તે અપાનવાયુ, ૩. અનાજ અને પાણી આદિ પદાર્થીની પરિપક્વતાથી ઉત્પન્ન થતા રસાને યથાર્યેાગ્ય સ્થાનકે પહેાંચાડે તે સમાનવાયુ, ૪. રસાદિને ઉંચે લઈ જનાર તે ઉદાનવાયુ, અને ૫. સઘળા શરીરને વ્યાપીને રહે તે વ્યાનવાયુ. આ પાંચે વાયુનાં સ્થાન, વ, ક્રિયા, અર્થ અને ખીજ અનુક્રમે ખતાવવામાં આવશે. ૧૩.
**
પ્રાણવાયુના સ્થાનાદિક કહે છે
प्राणो नासाग्रन्नाभिपादांगुष्ठांतगो हरित् । गमागमप्रयोगेण तज्जयो धारणेन वा ॥ १४ ॥
પ્રાણવાયુ નાસિકાના અગ્ર ભાગ ઉપર, હૃદયમાં, નાભિમાં અને પગના અંગુઠા પ"ત પ્રસરેલા છે. તેના વણુ લીલેા, નવાં ઉગેલાં તૃણુના જેવા છે અને ગમાગમના પ્રયાગે કરીને તથા ધારણા વડે કરીને તેના જય કરવા. ૧૪.