________________
૧૪૭
ગૃહસ્થોએ શું શું કરવું જોઈએ ? કહેવામાં આવ્યું છે, તે મેળવેલ યા હૈયાત પૈસાના સદવ્યય કરવાનું કહેવામાં આવ્યું છે. પણ ધર્મને માટે આરંભ કરી પૈસે મેળવે છે તેઓ ઉજજવળ વાને કાદવમાં બાળી પછી દેવાના જેવું કરે છે, અથવા માથે ફેડીને શીર ખાવા જેવું કરે છે. તે કરતાં બહેતર છે કે પ્રથમથી જ ધમ નિમિત્તે આરંભ ન કરો જેથી તે પાપ ધવાના પ્રયાસમાં ઉતરવું ન પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
कंचणमणिसोवाणं थंभसहस्सोसियं भुवणतलं । जो कारिज्जइ जिणहरं तओवि तवसंयमो अहिओ ॥
સુવર્ણના પગંથિયાંવાળું અને મણિના હજાર સ્તંભેથી ઉંચા ભુવનના તળીયાવાળું જે જિનમંદિર કરાવે તેનાથી પણ તપ અને સંયમ અધિક છે. (કહેવાનેં આશય એવો છે કે પૈસાથી જે ધર્મ થાય છે તેના કરતાં પોતાના આત્માથી ઈચ્છાના નિરોધરૂપ તપ તથા સંયમ કરવાથી અધિક લાભ મેળવાય છે, કેમકે પસારૂપ પુદ્ગલથી કરાયેલ ધર્મ તે પુદ્ગલિક સુખ આપે છે અને આમાથી કરાયેલા ધર્મ તે આત્મિક સુખ આપે છે.)
-संगाद् भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । મુનિ વચેતો નાખ્યોઝિતામન ને ૨૦૨ /
પરિગ્રહથી-ધનથી અછતા પણ રાગદ્વેષાદિ શત્રુઓ પ્રકટ થાય છે, કેમકે તે પરિગ્રહથી આંદોલિત આત્માવાળા-પ્રેરાયેલા મુનિઓનાં પણ ચિત્ત ચપળ થઈ જાય છે તે ગૃહસ્થોની તે વાત જ શી કરવી?
| ગૃહસ્થાએ શું શું કરવું જોઈએ? संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११० ॥
સંસારનું મૂળ કારણ આરંભે છે અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ છે. માટે શ્રાવકેએ-ગૃહસ્થોએ જેમ બને તેમ પરિગ્રહ ઓછો કર-એછો રાખવે.