________________
૧૮૪
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... આદિને ભાદરવા સુદ ચેાથ આદિમાં કરાય છે તેવી પરાવૃત્તિને સૂચવેલ છે. વાત પણ એમ જ આવે છે કે—‘યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ ભાદરવા સુદ ચેાથ પ્રવર્તાવી.’ આ રીતિએ જયાં તિથિઓની જ પરાવૃત્તિ કરાઈ હોય, પણ તે તે તિથિઓને સાંવત્સરિકાદિની તિથિઓ તરીકે કાયમ રાખીને તે તે તિથિઓના દિવસની પરાવૃત્તિ ન કરાઇ હોય, ત્યાં સાંવરિકને અંગે ભાદરવા સુદ પાંચમને અને ચાતુર્માસીને અંગે આષાઢાદિની પૂનમને સૂર્યયસ્પર્શ, તે તે તિથિના ભાગ કે તે તે તિથિની સમાપ્તિ જોવાને અવકાશ જ રહેતા નથી. આમ છતાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, ભાદરવા સુદ ચેાથ આદિના આચરણમાં ભાદરવા સુદ પાંચમ આદિના સૂૌંદયસ્પર્શ આદિની વાત કરી છે, તે તેમણે શ્રી ધર્મરત્ન પ્રકરણના મજકુર પાને અસંગત, અસંખદ્ધ અને એથી જુઠ્ઠો અર્થ કર્યા છે—એમ જ મનાવનારી છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જ્યારે જ્યારે ભાદરવા સુદ પહેલી પાંચમે સંવત્સરી કરે છે અને પહેલી પૂનમ કે પહેલી અમાસે જ્યારે જ્યારે પાક્ષિક કે ચામાસી કરે છે, ત્યારે ત્યારે તેઓ ‘ ભા. સુ. ૫ ના સંવત્સરી કરી અને પૂનમ કે અમાસે પાક્ષિક અગર પૂનમે ચામાસી કરી–એવું માનતા હોય, તા જુદી વાત છે! પૂજ્ય શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે કરેલી પરાવૃત્તિ શું સૂચવે છે?
૧. પ્રસ્તુત પ્રસંગે એ વાત પણ જણાવવા યાગ્ય છે કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ, જે દિવસે જે તિથિના ભાગવટાના અંશ પણ ન હોય તે દિવસે પણ તે તિથિને માની શકાય–એ જો વ્યાજબી જ હોત, તેા યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજા તિથિઓનું પરાવર્ત્તન કરત જ નહિ. તેએશ્રી ભાદરવા સુદ ચેાથના દિવસને જ ભાદરવા સુદ પાંચમના દિવસ તરીકે ગ્રહણ કરી લેત. ભાદરવા સુદ ચેાથના દિવસે ભાદરવા સુદ પાંચમના ભાગવટા નથી જ હોતા, એમ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એ વિષયનું અજ્ઞાન પણ શ્રી ધર્મરત્નપ્રકરણકારશ્રીના નામે વાત કરતાં પ્રગટ કરી દીધું છે. ભાદરવા સુદ ૫ ઉદયગતા હોય તેવા પ્રસંગમાં ભા. સુ. ૪ ના દિવસે ભા. સુ. ૫ ના ભાગ પ્રાય: હોય જ છે અને ભાદરવા સુદ પાંચમના ક્ષયપ્રસંગે તા ભાદરવા સુદ ૪ ના દિવસે ભા. સુ. ૫ ની ય સમાપ્તિ પણ હોય છે. એવું જ ચાદાના દિવસે પૂર્ણિમા કે અમાવાસ્યાના ભાગને અંગે તથા સમાપ્તિને અંગે સમજવાનું છે. ત્યારે ભા. સુ. ૪ ના દિવસે ભા. સુ. ૫ ના ભાગ હાવા છતાં પણ, યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ, ભા. સુ. ૪ના દિવસને ભા. સુ. ૫ ના દિવસ તરીકે કેમ ગ્રહણ કર્યાં નહિ ? કારણ એ જ હતું કે જ્યાં સુધી ભા. સુ. ૫ સૂર્યોદયસ્પર્શની તરીકે પ્રાપ્ત હોય, ત્યાં સુધી ભાદરવા સુ. ૪ ના દિવસે ભા. સુ. ૫ ને ભાગવટા હોય તેા પણ, ભા. સુ. ૪ ના દિવસને ભાદરવા સુદ્ર ૫ ના દિવસ તરીકે ગ્રહણ કરી શકાય જ નહિ. ભા. સુ. ૪ ના દિવસને ભા. સુ. ૫ ના દિવસ તરીકે પણ ગ્રહણ કરી શકાય, પણ તે ત્યારે જ કે જ્યારે ભા. સુ. ૪ ના દિવસે ભા. સુ, પ ની પણ સમાપ્તિ હોય. તે વખતે ભા. સુ. ૫ ની સમાપ્તિ ભા. સુ. ૪ ના દિવસે નહિ હતી અને એ કારણથી જ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ ભાદરવા સુદ ૪ ના દિવસને ભાદરવા સુદ્ઘ પાંચમના દિવસ તરીકે ગ્રહણ નહિ કરતાં, સાંવત્સરિક પર્વને માટે ભાદરવા સુદ ચેાથને ચેાથ તરીકે જ ગ્રહણ કરીને પ્રવર્તાવી. ભાદરવા સુદ ચેાથ પ્રવર્તાવવાથી, ચતુર્માસી પૂર્ણિમામાં હતી તેને ચતુર્દશીમાં સ્થાપવી પડી અને એના પરિણામે વર્ષમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org