________________
૧૯૬
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પવરાધન.. ૪. શ્રી સૂર્યપ્રાપ્તિવૃત્તિ આદિ શાસ્ત્રો બીજ આદિન ક્ષયે પણ એકમ આદિને ઔદયિકી માને છે અને તે દિવસને એકમ આદિ તરીકે ચપદેશ કરે છે તેમ જ શ્રી આચારપ્રકલ્પચૂર્ણિ તથા શ્રી આચારદશાચૂર્ણિના પાઠો ક્ષીણ એવી પણ આષાઢ પૂર્ણિમાને વ્યપદેશ કરે છે, આથી સિદ્ધ થાય છે કે-જૈન શાસ્ત્રો પણ એક દિવસે બે તિથિઓનું નિધન હોય, તે તે એક દિવસે બે તિથિએને માને પણ છે અને તે તે તિથિને પ્રસંગનુસાર વ્યપદેશ પણ કરે છે. પંચાંગકારે શું માને છે ?
૧. અસ્તુ. આ રીતિએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના બીજા અને ત્રીજા મુદ્દામાં સૂચવેલ વાતને ખૂલાસે થઈ જાય છે. હવે અમે તેમણે સૂચવેલ પંચાંગકારની વાતને ખૂલાસે કરીએ છીએ. - ૨. જે તિથિ સૂર્યોદયસ્પર્શને પામ્યા પહેલાં જ, એટલે કે-સૂર્યોદયસ્પર્શને પામ્યા વિના જ સમાપ્તિને પામી હોય, તે તિથિને ક્ષયતિથિ કહેવાય, એ એક સર્વમાન્ય સિદ્ધાન્ત છે અને એથી પંચાંગકારોને પણ એ વાત માન્ય હોય તે સ્વાભાવિક જ છે. પરંતુ, પંચાંગમાં ક્ષીણતિથિની સામે નક્ષત્રાદિના ખાનામાં મૂકાતાં મીડાં તિથિક્ષયને સૂચવવાને માટે મૂકાય છે, એવી કલ્પના કરતાં પહેલાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જેને પંચાંગ જોતાં આવડતું હોય, એવા કેઈકને પૂછીને ખૂલાસો મેળવી લેવાની જરૂર હતી. પંચાંગમાં જે ક્ષીણતિથિની સામે મીંડાં મૂકાય છે, તે એકની એક વાત ફરીથી નહિ કહેવા માટે જ મૂકાય છે. ક્ષીણતિથિના પ્રસંગમાં એક દિવસે બે તિથિઓ હોય છે કારણ કે-એક દિવસે બે તિથિઓની સમાપ્તિ હોય છે. બે તિથિઓનો ભગવટો હોય, પણ જે સમાપ્તિ એક જ તિથિની હોય, તે તે દિવસે બે તિથિઓ ગણાતી નથી. આમ, એક દિવસે બે તિથિઓ હોવાથી, તે બેમાંની પહેલી તિથિની લીટીમાં નક્ષત્રાદિનાં ખાનાંમાં નક્ષત્રાદિની સમાપ્તિના સમયને સૂચવનારી ઘડી-પળ આદિ મૂકાઈ જાય છે, એથી પછીની તિથિ-કે જે ક્ષીણતિથિ છે-તેની લીટીમાં તે તિથિની સંજ્ઞા, તે તિથિને વાર અને તે તિથિની સમાપ્તિના સમયને સૂચવનારી ઘડી-પળ મૂકાય છે. તે દિવસે નક્ષત્રાદિની સમાપ્તિના સમયને સૂચવનારી ઘડી-પળ પહેલી તિથિની લીટીમાં જણાવી દીધેલ હોવાના કારણે જ, ક્ષીણતિથિની લીટીમાં તેનું પુનરાલેખન નહિ કરતાં, માત્ર મીંડાં જ મૂકી દેવામાં આવે છે; આથી તે મીંડાં તે ક્ષીણતિથિને ગણના બહાર જણાવનારાં નથી જ. વધુમાં, ક્ષીણ એવી પણ તિથિની સંજ્ઞા, તેને વાર અને તેની સમાપ્તિના સમયની સૂચક ઘડી–પળ પંચાંગમાં મૂકવામાં આવે છે, તે સૂચવે છે કે-પંચાંગકારે પણ તેવી તિથિઓને ઉડાવી દેતા નથી, એટલે પંચાંગકારેના નામે ક્ષીણુતિથિને કે ક્ષીણતિથિના બદલામાં અન્ય કેઈ પણ તિથિને ઉડાવી દેવાની ભાંજગડમાં પડેલા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને, પંચાંગકારો પણ સહાયક બનતા નથી; એટલું જ નહિ, પણ પંચાંગકારોની નીતિ-રીતિથી પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય ખોટું જ કરે છે.
૩. “પંચાંગકારે આખા અહોરાત્રને સૂર્યોદયને સ્પર્શવાવાળી તિથિ સંબંધીને જ ગણે છે” એવું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે કહ્યું છે, તે પણ બેઠું છે. પહેલી વાત તો એ કે-પંચાંગકારે જે આખા અહેરાત્રને સૂર્યોદયને સ્પર્શનારી તિથિ સંબંધીને જ ગણતા હોય, તો તેઓ ક્ષીણ તિથિની સંજ્ઞાને જણાવીને, તેના વારને જે જણાવે છે, તે જણાવત જ નહિ. વળી મુહૂર્નાદિ કાર્યોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org