Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
આચાય દેવ સાથેના મારે પરિચય
આ સામે જેના ફાટા આપવામાં આવ્યા છે. તે જશક આચાર્ય દેવને હું મારા પરમ ઉપકારી ગુરુ તરીકે દર્શાવું તે તે તદ્દન વ્યાજબી ગણાશે. વિ. સં. ૧૯૪૭ માં મુંબઈમાં મારા જન્મ થયા હતા. ત્યારબાદ ૧૯૫૨ થી લગભગ મારી ઉંમર ૨૫ વર્ષની થઇ ત્યાં સુધીમાં આ મહાપુરુષે મને સંસ્કારી બનાવવામાં મુંબઈના તેમના ચાતુર્માસ દરમિયાન પૂરતા સાથ આપ્યા છે. કાળચક્રની ગતિના ફેરામાં મહારાજા વિક્રમ જેવાને પણ ઘાંચીની ઘાણીએ બેસવું પડયુ હતું એ હકીકત પ્રસિદ્ધ છે, તે જ માફક ગશ્રીમંતાઈમાં જન્મી, એક સાહસિક વેપારી તરીકે લગભગ ૪૫ વર્ષનું આયુષ્ય થતાં સુધી જન્માંતરના અંતરાય કર્મોના ચેાગે મારે વ્યાપારિક ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવી પડી. આ સમયે મારા આ ઉપકારી આચાર્ય દેવ મુંબઇમાં જ બિરાજમાન હતા. તેમણે મને શુદ્ધ ચારિત્રવાન, આત્મસંતાષી અને ધાર્મિક ક્ષેત્રમાં સેવાભાવી જીવન ગુજારી, આ ભવ સાથે પરભવનુ ઉચ્ચ કોટીનું ભાથું બાંધવાની અણુમાલ સલાહ આપી. પરિણામે પૂર્વ સંસ્કારી સત્યેાગાના કારણે આ ઉપકારી ગુરુદેવની સાનેરી શિખામણની મને અસર થઈ અને મેં જીવન સતાષી અને સેવાભાવી નાખ્યું.
સંવત્ ૧૯૯૨ માં મુંબઈમાં શ્રી આદીશ્વરજી દહેરાસરના એડીટ ખાતામાં લગભગ એક વર્ષ દહેરાસરના વહીવટની સમજ મેળવવા ખાતર મેં જગ્યા મેળવી, જેમાં દહેરાસરજીના ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફને મારાં એક વર્ષના કામકાજથી સતાષ થયા. આ સમયે મારા હસ્તક જે કાર્ય હતું તે પૂર્ણ થવા આવ્યુ હતુ. દરમ્યાન શ્રી આદીશ્વરજીના દહેરાસરે દાદર દહેરાસરજીને વહીવટ સભાળવા મુનીમની જરૂર છે એવી માંગણી થઇ, એટલે શ્રી આદીશ્વરજીના દહેરાસરજી તરફથી મને સુનીમ તરીકે દાદર મેાકલવામાં આવ્યેા. ત્યાં લગભગ બે વર્ષ મેં મુનીમ તરીકે સેવા બજાવી. ત્યાં મારી યથાશક્તિ મહેનતદ્વારા પાષધશાળા બંધાવી અપૂર્વ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રભાવશાળી રીતે ઉજવાયા, તેમજ મિત્ર