________________
૧૮
nisation નામની એક સંસ્થા રચાયેલી છે કે જેમાં ૧૦૦ જેટલી મહિલાઓ જોડાયેલી છે. તેનું મંત્રીપદ પણ તેઓ શોભાવે છે. ફેમીલી પ્લાનીંગ મુંબઈ–શાખાનાં પણ તેઓ સક્રિય મંત્રી છે. આ રીતે મહિલાઓના ઉદ્ધાર માટે ચાલતી સંસ્થાઓમાં તેમણે ઘણે રસ લીધેલ છે અને તન-મન-ધનનો ભેગ આપે છે.
સને ૧૯૬૫માં ઓસ્ટ્રીયા–વિયેનામાં Children's International Summer Camp જાય, તેમાં તેમણે કેમ્પ લીડર તરીકે હાજરી આપી હતી અને ત્યાર બાદ બીજા જ વર્ષે લંડનમાં International Alliance of Women નામની પરિષદ
જાઈ તેમાં તેમણે પ્રતિનિધિ તરીકે હાજરી આપી પોતાના મનનીય વિચારે દર્શાવ્યા હતા.
ધોળકા એજ્યુકેશન સેસાયટીની કાર્યવાહક સમિતિમાં પણ તેઓ સભ્ય તરીકેની સેવા આપે છે.
ગૃહસ્થ જીવનમાં રહીને એક આદર્શ ગૃહિણીની ફરજો બજાવવા ઉપરાંત તેઓ આ બધી પ્રવૃત્તિઓમાં રસ લે છે, તે પરથી તેમની સેવાપરાયણવૃત્તિને ખ્યાલ આવી શકશે.
પતિ અને પત્ની બંને સુશિક્ષિત અને સેવાભાવી હોય, એવો મેળ ભાગ્યે જ મળે છે, પણ કુદરતે એવો મેળ મેળવી આપે છે અને તેનાં મધુર ફલે સમાજને મળી રહ્યાં છે.
શ્રી ચિત્તરંજનભાઈની જેમ શ્રીમતી સરલાબહેન પણ અમારી સાહિત્યપ્રવૃત્તિમાં ઊંડે રસ લઈ રહેલ છે. તેઓ આજે સામાયિકવિજ્ઞાન–સમર્પણ-સમારેહના અતિથિવિશેષ તરીકે પધારી રહ્યાં છે, તેથી અમે આનંદવિભેર બન્યા છીએ.