Book Title: Bharatma Jain Dharmna Mahattvana Tirtho
Author(s): Manibhai G Shah
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ મળી રહે અને તેનામાં સ્થળો વિશે કુતૂહલ જાગે તેવી લેખનશૈલી તેમણે અપનાવી છે. હું માનું છું કે આ પ્રકારના લખાણ માટે તેમણે ઉપયોગમાં લીધેલ ભાષા અને શૈલી પૂરેપૂરા કાર્યવાહક બની રહે છે કેમકે એ ભાષા અને એ શૈલી સાદાસીધાં હોવા છતાં રસભર્યા બન્યાં છે. એમને એવા રસ ભર્યા, બનાવી દેવામાં લેખકનું લેખન ઉપરનું પ્રભુત્વ દેખાઈ આવે છે અને એથી એમને હાથમાં લીધેલું કાર્ય સિદ્ધ થાય છે. આ જાતના માહિતીપૂર્ણ ગ્રંથોનું મહત્ત્વ ઓછું નથી. એથી મહત્ત્વની માહિતી મેળવવા વિશેની વાચકની તરસ તો છીપે જ છે, પણ સાથે સાથે અભ્યાસી લેખકની ઊંડી અને મર્મગ્રાહી દ્રષ્ટિનો પણ તેને લાભ મળે છે. આપણે ઈચ્છીએ કે શ્રી મણિભાઈ શાહનો આ ગ્રંથ યોગ્ય સફળતા પ્રાપ્ત કરે અને આ પછી પણ તેમનો અભ્યાસ અને નિરીક્ષણ પરીક્ષણનો વાચક જનતાને લાભ આપતા તેમના અનેક ગ્રંથો આપણને મળી રહે. વિલેપાર્લે (પશ્ચિમ) તા. ૮-૪-૧૯૯૩ ગુલાબદાસ બ્રોકર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 378