Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કરવામાં આવ્યું છે.
ચોથા ઉદ્દેશકમાં પરવાદીઓની અસંયમી ગૃહસ્થોના આચાર સાથેની સમાનતા બતાવી, અવિરતિરૂપ કર્મબંધનથી દૂર રહેવા અહિંસા, સમતા, કષાયવિજય આદિ સ્વસિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
સંક્ષેપમાં આ અધ્યયનમાં સ્વસમય પ્રસિદ્ધ કર્મબંધનના પાંચ હેતુઓ–મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગની દષ્ટિએ પરસમય (અન્ય દર્શનો, વાદો અને મતોના આચાર વિચાર)ને બંધનકારક બતાવીને, તે બંધનથી છૂટવાનો સ્વસમય પ્રસિદ્ધ ઉપાય વર્ણવાયો છે.
ઉદ્દેશક–૧માં ૨૭ ગાથા, ઉદ્દેશક–રમાં ૩ર ગાથા, ઉદ્દેશક–૩માં ૧૬ ગાથા, ઉદ્દેશક-૪માં ૧૩ ગાથાઓ છે. કુલ મળી આ અધ્યયનમાં ૮૮ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org