Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_.
[ ૧૦૩]
વચન, જવાબ, ૩ ાદર = ન બોલે, ન સમુચ્છ = તે મકાનનો કચરો ન કાઢે, તi = તૃણ (ઘાસ) પણ, નો સંથ = પાથરે નહિ. ભાવાર્થ :- એકલા વિચરતા અભિગ્રહધારી તે સંયમી સાધુ સુના ઘરનું દ્વાર ખોલે નહીં અને બંધ કરે નહિ. કોઈ પૂછે ત્યારે કાંઈ બોલે નહીં. તે સ્થાનનો કચરો કાઢે નહીં અને ઘાસ પણ બિછાવે નહીં.
जत्थऽत्थमिए अणाउले, सम-विसमाणि मुणीऽहियासए ।
चरगा अदुवा वि भेरवा, अदुवा तत्थ सिरीसिवा सिया ॥ શબ્દાર્થ :- ગળા ૩ને = વ્યાકુળ થયા વિના રહી જાય, ૨૨T = ત્યાં જો મચ્છર, મેરવા = ભયાનક પ્રાણી, રિસિવા = સર્પ આદિ હોય તોપણ, તલ્થ = ત્યાં, સિયા = હોય. ભાવાર્થ :- જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં તે મુનિ વ્યાકુળ થયા વિના રહી જાય. કાર્યોત્સર્ગ, આસન તેમજ શયન આદિનાં સમ-વિષમ, અનુકૂળ અથવા પ્રતિકૂળ સ્થાન હોય તો તેને સહન કરે. ત્યાં જો ડાંસ, મચ્છર આદિ હોય, ભંયકર પ્રાણી અથવા સાપ આદિ હોય તો પણ મુનિ આ પરીષહોને સમ્યક રૂપે સહન કરે.
तिरिया मणुया य दिव्वगा, उवसग्गा तिविहाऽहियासिया ।
लोमादीयं पि ण हरिसे, सुण्णागारगए महामुणी ॥ શબ્દાર્થ :- સોનાલીકં = ભયથી પોતાનાં રોમ આદિને પણ, રિતે = હર્ષિત ન કરે, રોમાંચિત ન કરે. ભાવાર્થ :- શૂન્યઘરમાં સ્થિત મહામુનિ તિર્યચકૃત, મનુષ્યકૃત તેમજ દેવકૃત ત્રિવિધ ઉપસર્ગોને સહન કરે. ભયથી સંવાડા પણ ઊભા થવા ન દે અર્થાત્ અંશમાત્ર પણ ભયભીત ન થાય. ૧૬)
णो अभिकंखेज्ज जीवियं, णो वि य पूयणपत्थए सिया । ___ अब्भत्थमुर्वेति भेरवा, सुण्णागारगयस्स भिक्खुणो ॥ શબ્દાર્થ :- નાવિયં = અસંયમ જીવનની, નો અમ9% = ઈચ્છા ન કરે, જો વિ ચ પૂણપત્થર લિયા = પૂજાનો પ્રાર્થી ન બને, પૂજાનો ઈચ્છુક ન બને, અમ€ = અભ્યસ્ત, ૩તિ = થઈ જાય છે. ભાવાર્થ :- પૂર્વોક્ત–ઉપસર્ગોથી પીડિત સાધુ અસંયમ જીવનની ઈચ્છા ન કરે, પૂજા સત્કારના પ્રાર્થ ન બને. શૂન્યગૃહમાં સ્થિત તે સાધુ ભૈરવ-ભયંકર પ્રાણીકૃત ઉપસર્ગથી અભ્યસ્ત થઈ જાય છે.
उवणीयतरस्स ताइणो, भयमाणस्स विवित्तमासणं । सामाइयमाहु तस्स जं, जो अप्पाणं भए ण दसए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org