Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૪ .
૧૮૯ |
પુરુષ ત્યાં સુધી સન્માર્ગ પર ટકે છે જ્યાં સુધી ઈન્દ્રિયોને વશમાં રાખી શકે છે, લજ્જા પણ ત્યાં સુધી રાખે છે, તેમજ વિનય પણ ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી સ્ત્રીઓ દ્વારા ઘેર્યને નષ્ટ કરનારા ભૃકુટિ રૂપી ધનુષ્યને કાન સુધી ખેંચીને છોડેલાં કાળી કીકીઓવાળા દષ્ટિબાણ તેના પર પડતા નથી, અસર કરતા નથી.
fહં નાખ..સપના :- ભિક્ષાચરી, ઉપાશ્રયમાં નિવાસ, પ્રવચન આદિ પ્રસંગે સ્ત્રીસંપર્ક થાય છે, પરંતુ જે સાધક સાવધાન તેમજ મોક્ષમાર્ગની સાધનામાં દઢ રહે છે, તે સ્ત્રીસંપર્ક થવા છતાં પણ સ્ત્રીઓ પ્રત્યે મોહ, આસક્તિ, મનમાં કામલાલસા, કામોત્તેજનાથી દૂર રહે છે. તે સ્ત્રીસંગરૂપ ઉપસર્ગથી ચલિત થતા નથી પરંતુ વિજય મેળવે છે અને બીજા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે.
ઉપસર્ગ વિજેતા સાધુ :- एते ओघं तरिस्संति, समुदं व ववहारिणो ।
जत्थ पाणा विसण्णासी, किच्चंति सयकम्मुणा ॥ શબ્દાર્થ – પતે = આ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતનારા પૂર્વોક્ત પુરુષો, કં = સંસારને, તરસંતિ = પાર કરશે, સમુદ્ર = જેમ સમુદ્રને, વવળિો = વ્યાપાર કરનારા વણિકો પાર કરે છે, ગલ્થ = જે સંસારમાં, વિસUખાલી = પડેલા, પાપા = પ્રાણીઓ, પર્યાવરમુખ = પોતાના કર્મોથી, જિવંતિ = પીડિત થાય છે.
ભાવાર્થ :- જે સંસાર સમુદ્રમાં રહેલા પ્રાણીઓ પોત પોતાના કર્મોથી પીડાય છે તે દુસ્તર સંસાર પ્રવાહને પરીષહ વિજેતા મોક્ષાર્થી સાધક પાર પામી જાય છે, જેમ કે સમુદ્રના આશ્રયે વ્યાપાર કરનારા વણિક અથાગ સમુદ્રને પણ પાર કરી લે છે.
तं च भिक्खू परिण्णाय, सुव्वए समिए चरे ।
मुसावायं विवज्जेज्जा अदिण्णादाणं च वोसिरे ॥ શબ્દાર્થ :- નં ર પરણાવ = પૂર્વોક્ત વાતો ને જાણીને. ભાવાર્થ :- સાધુ તે પૂર્વોક્ત અનુકુળ પ્રતિકુળ ઉપસર્ગને જાણીને જ્ઞ પરિણાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનાથી મુક્ત થઈ ઉત્તમ વ્રતોથી યુક્ત તથા પાંચ સમિતિઓથી સહિત વિચરણ કરે, મૃષાવાદને છોડી દે અને અદત્તાદાનનો વ્યુત્સર્ગ કરે અર્થાત્ મન, વચન, કાયાથી ત્યાગ કરે.
उड्डमहे तिरियं वा, जे केई तस थावरा । सव्वत्थ विरई कुज्जा, संति णिव्वाणमाहियं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org