Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧૧
નરકાદિ દુઃખરૂપ મહાભય પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આ સાત ગાથાઓમાં અન્યતીર્થિકો શુદ્ધભાવ(નિર્વાણ) માર્ગથી દૂર છે તે સિદ્ધ કરતાં કેટલાક કારણો દર્શાવ્યા છે. (૧) તેઓ ધર્મ અને મોક્ષના વાસ્તવિક બોધથી દૂર છે, તોપણ પોતાની જાતને તેઓ તત્ત્વજ્ઞ માને છે (૨) તેઓ સચેતબીજ, કાચું પાણી અથવા ઔદ્દેશિક આહારનું સેવન કરે છે. તેથી તેઓ જીવોની પીડાથી અજાણ અથવા ધર્મજ્ઞાનમાં અનિપુણ છે તેમ સિદ્ધ થાય છે. (૩) પોતા માટે અને પોતાના સમુદાય માટે આહાર બનાવવા તથા તેને પ્રાપ્ત કરવા માટે અહર્નિશ ચિંતિત, આર્તધ્યાન યુક્ત રહે છે. તેઓ આ લોકના સુખની કામના કરે છે, ધન ધાન્યાદિ પરિગ્રહ રાખે છે તથા મનોજ્ઞ આહાર, શય્યા, આસન આદિ રાગવર્ધક વસ્તુઓનો ઉપભોગ કરે છે તેથી ધર્મધ્યાનરૂપ સમાધિમાર્ગથી તેઓ દૂર છે (૪) જલચર માંસાહારી પક્ષીઓના દુર્ધ્યાનની જેમ તેઓ હિંસાદિ હેય વાતોથી દૂર ન હોવાથી અનાર્ય છે. તેઓ સમ્યગ્દર્શન રહિત હોવાથી વિષય પ્રાપ્તિનું જ દુર્ધ્યાન કરે છે (૫) સમ્યગ્દર્શનાદિ ધર્મરૂપ જે નિર્દોષ મોક્ષમાર્ગ છે, તેનાથી ભિન્ન કુમાર્ગની પ્રરૂપણા કરવાથી તથા સાંસારિક રાગના કારણે બુદ્ધિ કલુષિત અને મોહદૂષિત હોવાથી સન્માર્ગની વિરાધના કરીને કુમાર્ગનું આચરણ કરવાના કારણે તેઓ શુદ્ધ ભાવમાર્ગથી દૂર છે (૬) છિદ્રવાળી નૌકામાં બેઠેલી જન્માંધ વ્યક્તિ નદી પાર કર્યા વિના મઝધારમાં જ ડૂબી જાય છે, તેવી રીતે આશ્રવ રૂપી છિદ્રોથી યુક્ત કુદર્શનાદિ યુક્ત કુધર્મરૂપી નૌકામાં બેઠેલા હોવાને કારણે તેઓ પણ સંસારસાગરને પાર ન કરતાં સંસારમાં જ ડૂબેલા રહે છે.
ભાવમાર્ગની સાધના :
|३२|
શબ્દાર્થ :- આાય = પ્રાપ્ત કરીને, મહાયોર્ = મહાઘોર, સોય્ – સંસારસાગરને, અત્તત્તાપ્ પરિબ્બર્ = આત્મરક્ષા માટે સંયમનું પાલન કરે.
इमं च धम्ममादाय, कासवेण पवेइयं । तरे सोयं महाघोरं, अत्तत्ताए परिव्व ॥
Jain Education International
ભાવાર્થ :- કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મનો સ્વીકાર કરી સાધક મહાઘોર
એવા સંસારસાગરને પાર કરે તથા આત્મરક્ષાને માટે સંયમમાં પરાક્રમ કરે.
૩૪૩
विरए गामधम्मेहिं, जे केइ जगई जगा ।
तेसिं अत्तुवमायाए, थामं कुव्वं परिव्व ॥
३३
શબ્દાર્થ :-ગામધર્મોહિં વિદ્= સાધુ શબ્દાદિ વિષયોથી નિવૃત્ત થઈને, નારૂં ને જેર્ડ ના = જગતમાં જે કોઈ પ્રાણી છે, તેત્તિ અનુવમાયાર્ = તેઓને પોતાના સમાન સમજતો, થામ જુવ્વ પવ્વિર્ = બળ સાથે સંયમનું પાલન કરે.
For Private Personal Use Only
www.jainelibrary.org