Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 455
________________ અધ્યયન-૧૬ ૪૦૩. સોળમું અધ્યયન ગાથા 090080808080808080808080808086306060606060606 અધ્યયન પ્રારંભ :| १ अहाह भगवं- एवं से दंते दविए वोसट्ठकाए त्ति वच्चे- माहणे त्ति वा, समणे त्ति वा, भिक्खू त्ति वा, णिग्गंथे त्ति वा । पडिआह- भंते ! कहं णु दंते दविए वोसट्ठकाए त्ति वच्चे- माहणे त्ति वा समणे त्ति वा भिक्खू त्ति वा णिग्गंथे त्ति वा ? तं णो बूहि महामुणी ! શબ્દાર્થ :- ગદ ભાવ ૬ = પંદર અધ્યયનો કહ્યાં પછી ભગવાને કહ્યું કે, પર્વ = પંદર અધ્યયનોમાં કહેલા અર્થોથી યુક્ત જે પુરુષ, તે ઈન્દ્રિય અને મનને વશ કરે, વ = સંયમવાન બને તથા, વોશિ૬Tણ વન્થ = શરીરનો વ્યુત્સર્ગ કરે, પડિબાદ = શિષ્ય પૂછ્યું, હvy = તે શા માટે, તં ો કૂદિ મહામુળ = હે મહામુનિ ! તે મને આપ સ્પષ્ટ બતાવો ! ભાવાર્થ :- પૂર્વોક્ત પંદર અધ્યયનો કહ્યા પછી ભગવાને કહ્યું, આ રીતે પંદર અધ્યયનોમાં કહેલા અર્થગુણોથી યુક્ત જે સાધક ઈન્દ્રિયો અને મનને વશ કરે છે, સંયમવાન છે, શરીર પ્રત્યેનું મમત્વ ત્યાગે છે, તેને માહણ, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવા જોઈએ. શિષ્ય પ્રતિપ્રશ્ન કર્યો...હે ભંતે ! પૂર્વોક્ત પંદર અધ્યયનોમાં કહેલા અર્થો-ગુણોથી યુક્ત જે સાધક દાત્ત છે, ભવ્ય છે–સંયમવાન છે, શરીર પ્રત્યે જેણે મમત્વભાવનો વ્યુત્સર્ગ(ત્યાગ)કર્યો છે, તેને માહણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ શા માટે કહેવા જોઈએ? હે મહામુનિ ! તે કપાકરીને અમને કહો. વિવેચન : આ ગાથામાં સુધર્માસ્વામીએ પોતાના શિષ્યોની સમક્ષ પૂર્વોક્ત ૧૫ અધ્યયનોમાં કહેલા સાધુ ગુણોથી યુક્ત સાધકને ભગવાન દ્વારા માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ કહેવાનો ઉલ્લેખ કર્યો છે. તો શિષ્યોએ જિજ્ઞાસાવશ પ્રતિપ્રશ્નકર્યો કે તેઓને શા માટે અને કઈ અપેક્ષાએ માહણ આદિ કહેવાય? આ પ્રશ્નનું સમાધાન આગળના સૂત્રોમાં કર્યું છે. દાત્ત :- જે સાધક ઈન્દ્રિયો અને મનનું દમન કરે છે, પાપાચરણ અથવા સાવધકાર્યમાં પ્રવૃત્ત થતાં રોકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471