Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 405
________________ અધ્યયન-૧૨ ૩૫૩ ] १० केइ णिमित्ता तहिया भवंति, केसिंचि तं विप्पडिएइ णाणं । ते विज्जभावं अणहिज्जमाणा, आहेसु विज्जापलिमोक्खमेव ॥ શબ્દાર્થ – હિમવંતિ- સત્ય હોય છે, જેલિવિત્ત વિMડ = કોઈ કોઈ નિમિત્તવાદીનું તે જ્ઞાનવિપરીત અસત્ય)થઈ જાય છે, તે વિજ્ઞાનં અહિmTMT = એ જોઈને વિદ્યાનું અધ્યયન ન કરનારા અક્રિયાવાદી, વિનાપતિ મોજમેવ માહસુ = વિધાના ત્યાગને જ કલ્યાણકારક કહે છે. ભાવાર્થ :- કેટલાક નિમિત્ત તો સત્ય(તથ્ય) હોય છે અને કોઈ કોઈ નિમિત્તવાદીઓનું તે જ્ઞાન વિપરીત (અયથાર્થ હોય છે. એ જોઈને વિદ્યાનું અધ્યયન નહીં કરનારા અક્રિયાવાદી વિદ્યાના ત્યાગને જ કલ્યાણકારક કહે છે. વિવેચન : આ સાત ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે એકાન્ત અક્રિયાવાદીઓ દ્વારા માન્ય અક્રિયાવાદના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અકિયાવાદઃ- સ્વરૂપ અને ભેદ:- અક્રિયાવાદી એકાન્તરૂપે જીવાદી પદાર્થોનો નિષેધ કરે છે. ક્રિયા, આત્મા, કર્મબંધ, કર્મફળ આદિને માનતા નથી. અક્રિયાવાદના ૮૪ ભેદો થાય છે, તે આ પ્રમાણે છે- જીવાદિ સાત પદાર્થોને ક્રમશઃ લખીને તેમની નીચે (૧) સ્વતઃ અને (૨) પરતઃ આ બે ભેદ સ્થાપિત કરવા. પછી તે ૭૪૨ = ૧૪ પદોની નીચે (૧) કાળ (૨)યદચ્છા (૩) નિયતિ (૪) સ્વભાવ (૫) ઈશ્વર અને (૬) આત્મા આ છ પદોને રાખવા જોઈએ- જેમ કે જીવ સ્વતઃ કાળથી નથી, જીવ પરતઃ કાળથી નથી, જીવસ્વતઃ યદચ્છાથી નથી, જીવ પરતઃ યદચ્છાથી નથી, આ રીતે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્માની સાથે પણ પ્રત્યેકના બબ્બે ભેદ થાય છે. આ રીતે જીવાદિ સાતેય પદાર્થોના સાત સ્વતઃ પરતઃ ના દરેકના બે અને કાળ આદિના ૬ ભેદ મેળવીને કુલ ૭૪૨ = ૧૪૪૬ =૮૪ ભેદ થયા. અહિયાવાદ મીમાંસાઃ- લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય આ ત્રણે એકાન્ત અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લોકાયતિકના મતમાં આત્મા જ નથી તેથી ક્રિયા કે ક્રિયાથી થતાં કર્મબંધ પણ શક્ય નથી. તેથી લોકવ્યવહારમાં જેવી રીતે મુઠ્ઠી વાળવી અને ખોલવી ઉપચારમાત્રથી માનવામાં આવે છે, તેવી જ રીતે લોકાયતિક મતમાં ઉપચારમાત્રથી આત્મામાં બદ્ધ અને મુક્તનો વ્યવહાર માનવામાં આવે છે. અકિયાવાદી બૌદ્ધ:- તેઓ સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, ક્ષણિક પદાર્થોમાં ક્રિયાનું હોવું સંભવિત નથી, તેથી તેઓ પણ અક્રિયાવાદી છે. તેઓ જે પાંચ સ્કંધો માને છે, તે પણ આરોપમાત્રથી જ છે, પરમાર્થરૂપે નહીં. તેઓનું મંતવ્ય એ છે કે બધા પદાર્થ ક્ષણિક છે, ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે, તેથી અવયવ કે અવયવી કાંઈ પણ ટકતું નથી. ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્ય સાથે વર્તમાન ક્ષણનો કાંઈ સંબંધ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471