Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- કેટલાક લોકો પ્રાણીઓનો વધ કરવા માટે તલવાર આદિ શસ્ત્રવિદ્યા અથવા ધનુર્વિદ્યા આદિ શાસ્ત્ર શીખે છે. કેટલાક અજ્ઞાની જીવો પ્રાણીઓ અને ભૂતોના ઘાતક(કષ્ટદાયક)મંત્રો ભણે છે.
माइणो कटु मायाओ, कामभोगे समारभे ।
हंता छेत्ता पकत्तित्ता, आयसायाणुगामिणो । શબ્દાર્થ :- માફો માથાનો વર્લ્ડ = માયાવી, માયા એટલે કે છળકપટ કરીને, જામોને સમાએ = કામભોગનું સેવન કરે છે, આથાવાળુ ળિો = પોતાના સુખની ઈચ્છા કરનારા તેઓ, હતા છત્તા પવરિતા = પ્રાણીઓનું હનન, છેદન અને કર્તન કરે છે. ભાવાર્થ :- માયાવી વ્યક્તિઓ માયા(છળ-કપટ) કરીને કામભોગોમાં પ્રવૃત્ત થાય છે, પોતાના સુખના ઈચ્છુક તે લોકો પ્રાણીઓને મારે છે, કાપે છે, કર્તન કરે છે.
मणसा वयसा चेव, कायसा चेव अंतसो ।
आरओ परओ यावि, दुहा वि य असंजया ॥ શબ્દાર્થ :- અાંગ = અસંયમી પુરુષ, સંતસો = તેમજ કાયાની શક્તિ ન હોય ત્યારે મનથી, આરો પર યાવિ = આ લોક અને પરલોક બન્નેને માટે, કુહ વિ = કરવું અને કરાવવું, આ બન્ને રીતે જીવોની હિંસા કરાવે છે.
૭
ભાવાર્થ :- અસંયમી વ્યક્તિ મન, વચન અને કાયાથી, અસમર્થ હોય ત્યારે મનથી આ લોક અને પરલોક માટે સ્વયં પ્રાણીવધ કરે છે અને બીજા પાસે પ્રાણીવધ કરાવે છે.
वेराई कुव्वइ वेरी, तओ वेरेहिं रज्जइ ।
पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ॥ શબ્દાર્થ – વે? વેરાડું વસુષ્ય જીવ હિંસા કરનાર પુરુષ, અનેક જન્મોજન્મ ચાલે તેવું વેર બાંધે છે, તોવેદિં રક્= ફરી તે નવું વેર બાંધે છે, પરંભ ય પાવાવ = જીવહિંસા પાપને ઉત્પન્ન કરે છે, અંતસો ફુલવાસા = અંતે દુઃખ આપે છે. ભાવાર્થ - પ્રાણીઘાતક તે જીવનો શત્રુ બની અનેક જન્મો સુધી ચાલે તેવું વેર બાંધે છે. બીજા જન્મમાં તે જીવ તેને મારે છે અને પછીના જન્મમાં પુનઃ આ તેને મારે છે. આ રીતે જીવહિંસા રૂપ પાપની પરંપરા ચલાવે છે અને તે પાપકાર્યો અંતે (વિપાક–ફલભોગવવાના કાળમાં) અનેક દુઃખોનો અનુભવ કરાવે છે.
संपरायं णियच्छंति, अत्तदुक्कडकारिणो । राग दोसस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org