Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
३०८
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આદિ શાસ્ત્રોમાં અત્રતત્ર ઉલ્લેખ થયો છે.
आसूर्णि :- વૃત્તિ અને ચૂર્ણિમાં તેની બે વ્યાખ્યાઓ મળે છે. (૧) જે ઘી આદિ પૌષ્ટિક કે શક્તિવર્ધક આહારિવશેષથી અથવા ભસ્મ, પારા આદિ રસાયણ વિશેષના સેવનથી શરીર રુષ્ટપુષ્ટ થતું હોય (૨) કૂતરા જેવી તુચ્છ પ્રકૃતિવાળો સાધક થોડી માત્ર આત્મશ્લાધા અથવા પ્રશંસાથી ફૂલાઈ જતો હોય, ગર્વથી ફૂલાતો હોય.
જ્યુજિરિ :- પ્રત્યુપકાર અર્થે ગૃહસ્થના કાર્ય કરવા. ગૃહનિર્માણ આદિ આ ઘણું સુંદર કાર્ય કર્યું છે અથવા અસંયતોની સાથે વિવાહ—સગાઈ, કામભોગ સંબંધી વાસના તેમજ મોહમાં વૃદ્ધિ કરનારી વાતો કરવી અથવા આ પ્રકારના અસંયમકાર્યની પ્રાંસા કરવી.
પશ્ચિમયતાખિ :- બે વ્યાખ્યાઓ છે– (૧) જ્યોતિષ સંબંધી પ્રશ્નાદિના ઉત્તર, આયતન એટલે પ્રગટ કરવા, બતાવવા (૨) સંસારી લોકોના પરસ્પર વ્યવહારો, મિથ્યાશાસ્ત્ર અથવા પ્રશ્નના સંબંધમાં યથાર્થ વાતો બતાવીને નિર્ણય આપવો.
સારિય પિંક :- ત્રણ અર્થ-સાન્તિ = શય્યાતરનો પિંડ(આહાર) અથવા (૨) સાગારિક પિંડ એટલે કે સૂતકગૃહ પિંડ અથવા (૩) નિંધ “ જગુપ્તિત– દુરાચારીનો આહાર.
-
અઠ્ઠાવયં ણ સિલેના :- ત્રણ વ્યાખ્યાઓ છે—– (૧) જે પદ—શાસ્ત્રથી ધન, ધાન્ય, સોનું આદિ પ્રાપ્ત કરી શકાય તેવા શાસ્ત્રોનું અધ્યયન ન કરે (૨) દ્યુતક્રીડા વિશેષ ન શીખે (૩) અર્થ એટલે કે ધર્મ અથવા મોક્ષમાં આપકર- પ્રાણીહિંસાની શિક્ષા દેનારા શાસ્ત્ર ન શીખે અને બીજાને શિખવાડે નહીં અને પૂર્વે શીખેલા એવા શાસ્ત્રની આવૃત્તિ અથવા અભ્યાસ ન કરે.
વાવ :- ત્રણ અર્થ છે– (૧) વેધનો અર્થ છે—સદ્ધર્મનું અનુકૂળપણું અને અતીતનો અર્થ છે—તેનાથી રહિત એટલે કે સદ્ધર્મ વિરુદ્ધ, (ર) અધર્મપ્રધાન (૩) વૈધનો અર્થ વસ્ત્રવેધ–જુગાર, સટ્ટો, આંકડા આદિ જેવા કે કોઈ દ્યુત વિશેષથી સંબંધિત વાતો ન કહે.
પરમત્તે અળ પાપં ૬ :- પર (ગૃહસ્થ)ના પાત્રમાં અન્નપાણીનું સેવન ન કરે. વિર–કપી સાધુને માટે ગૃહસ્થનું પાત્ર પરપાત્ર છે, તેમાં આહાર કરતા પૂર્વે અઘવા પછી ગૃહસ્થ દ્વારા સચિત્ત પાણીથી ધોવાની, કદાચ ચોરાઈ જવાની અથવા પડીને તૂટી જવાની આશંકા રહે છે. આ સાધ્વાચાર વિરુદ્ધ છે. સ્થવિર–કલ્પી સાધુને માટે હાથની અંજલિમાં ખાવું પીવું પણ પર પાત્રમાં ખાવા પીવા બરાબર છે, તે પણ નિષિદ્ધ છે. સ્થવિરકલ્પી સાધુ સાધ્વીઓની અંજલિ છિદ્રયુક્ત હોય છે, તે છિદ્ર દ્વારા આહાર-પાણી આદિ નીચે પડી જવાથી અયત્ના થવાની સંભાવના છે. જિનકલ્પીને માટે હાથની અંજલિ સ્વપાત્ર છે, લાકડા આદિના પાત્ર અથવા ગૃહસ્થના પાત્રમાં ખાવું પીવું તે પરપાત્ર ભોજન છે.
Jain Education International
–
પવત્થમવેતો વિ :- સ્થવિરકલ્પી સાધુને માટે ગૃહસ્થના વસ્ત્ર પરવસ્ત્ર છે અને જિનકલ્પી માટે દિશાઓ જ વસ્ત્ર છે, સૂત(સૂતર) આદિથી બનેલાં બધાં વસ્ત્ર તેઓ માટે પરવસ્ત્ર છે. પરવસ્ત્રનો ઉપયોગ
For Private & Personal Use Only
www.jainelibrary.org