Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
અને આવા જ મોહ ઉત્પન્ન કરનારા ભિન્ન ભિન્ન આકર્ષક ઉપાયોથી સાધકને ફરીથી ગૃહસ્થ જીવનમાં ખેંચી લેવામાં આવે છે. સંયમી જીવનમાં આવા પ્રકારના પ્રલોભનો એ અનુકૂળ ઉપસર્ગ છે, અપરિપક્વ સાધક સ્વજનોના મોહ સંબંધમાં પડીને સંયમમાર્ગથી વ્યુત થઈ જાય છે.
૧૫૮
આ બધી ગાથાઓ સાધુને આવા પ્રકારના અનુકૂળ ઉપસર્ગોના સમયે સાવધાન રહેવાની તથા સંયમ છોડીને ફરીને સંસાર અવસ્થામાં જવાનો વિચાર ન કરવાની પ્રેરણા કરે છે.
સંા :- પાઠાંતર સવા છે તેની સંસ્કૃત સ્વા, શ્રવાઃ બે છાયા છે. તેમાં સ્વા: એટલે સ્વકીય–પોતાના શ્રવ નો અર્થ છે તમારા વચન કે આજ્ઞાને સાંભળનાર.
જીવા નત્ય ય ીસત્તિ :- બે પાઠાંતર છે. જીવા નાવીëત્તિ અલ્પ સત્વશીલ ઉપસર્ગ આવે ત્યારે મોક્ષગુણ કે ધર્મથી દૂર થઈ જાય છે. જીવાનસ્થ વિસળેલી = કાયર સાધક જ્યાં
વિષાદને પ્રાપ્ત કરે છે અથવા ઉદાસીન થઈ જાય છે.
ભોગ નિમંત્રણ રૂપ ઉપસર્ગ :
१५
रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया । णिमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ॥
શબ્દાર્થ:- રાયમગ્ન્યા ય = અને રાજમંત્રી, સાદુળીવિળ - ઉત્તમ આચારથી જીવન નિર્વાહ
કરનારા.
ભાવાર્થ:- ધર્મથી અનભિજ્ઞ રાજા–મહારાજા અને રાજમંત્રીગણ, બ્રાહ્મણ અને ક્ષત્રિય સાધ્વાચાર જીવી સાધુને વિવિધ ભોગ ભોગવવા માટે નિમ્ન પ્રકારે નિમંત્રણ આપે છે.
१६
હત્યઽક્ષ-રહ-નાળેહિં, વિહામનેહિ ય ।
भुंज भोगे इमे सग्घे, महरिसी पूजयामु तं ॥
શબ્દાર્થ :• સભ્યે = ઉત્તમ, હત્થઽસ્સર ગાળેરૢિ = હાથી, ઘોડા, રથ અને પાલખી આદિ પર બેસો, વિજ્ઞાનમળેહિ ય = તથા ચિત્તવિનોદને માટે બાગ બગીચાઓમાં ફર્યા કરો, વિહાર કરો.
Jain Education International
ભાવાર્થ :– હે મહર્ષિ ! આ હાથી, ઘોડા, રથ અને પાલખી આદિ સવારીઓ પર તમે બેસો અને મનોવિનોદ માટે બાગબગીચામાં હરો ફરો ! આ ઉત્તમોત્તમ ભોગોનો ઉપભોગ કરો ! અમે આપની પૂજા–પ્રતિષ્ઠા કરીએ છીએ.
| १७
वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । भुंजाहिमाइं भोगाई, आउसो पूजयामु तं ॥
For Private Personal Use Only
www.jainelibrary.org