Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બ્રાહ્મણો દેવ છે, કૂતરા યક્ષ છે. લોકવાદની આવી ઉક્તિઓ પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી.
અહિંસા ધર્મ :
९
શબ્દાર્થ:- અશો - જીવ જગતની, ખોળ - અવસ્થા વિશેષ, કરાણું - સ્થૂલ છે, ય = અને તે, વિવજ્ઞાસું = વિપર્યાયને, પલૈંતિ ય = પ્રાપ્ત થાય છે.
उरालं जगओ जोगं, विवज्जासं पर्लेति य ।
सव्वे अक्कंत दुक्खा य, अओ सव्वे अहिंसिया ॥
ભાવાર્થ :- ત્રસ સ્થાવર જીવોના ઔદારિક શરીરની બાહ્ય-યૌવન–વૃદ્ધ વગેરે અવસ્થાઓ ઉદાર એટલે કે સ્યૂલ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. આ શરીર વિપર્યયને અન્ય પર્યાયને પણ પ્રાપ્ત થાય છે. સર્વ પ્રાણીઓને દુ:ખ અકાંત, અપ્રિય છે માટે સર્વ પ્રાણી અહિંસ્ય છે.
| १० |
શબ્દાર્થ:- આસિસમયે ચેપ – અસિાના કારણે સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખવાનો છે, તાવત = તેને પણ એટલું જ, વિવાળિયા – જાણવું જોઈએ.
एवं खुणाणिणो सारं, जं ण हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एतावतं वियाणिया ॥
ભાવાર્થ :- વિશિષ્ટ વિવેકી પુરુષને માટે આ જ સાર– ન્યાયસંગત(નિષ્કર્ષ) છે કે તે કોઈપણ જીવની હિંસા ન કરે. અહિંસાના કારણે બધા જીવો પર સમતા રાખવી આટલું જાણવું જ જોઈએ અથવા અહિંસાનો આ સિદ્ધાંત સમજવો જોઈએ.
વિવેચન :
આ બે ગાઘામાં સ્વ સમયના સંદર્ભમાં અહિંસાનો સિદ્ધાંત તેમજ આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેવો આ ભવ છે તેવો જ પરભવ હોય તેવી લોકવાદીની માન્યતાનું નિરાસન પણ આ ગાથા તારા થઈ જાય છે.
Jain Education International
કરાલ નો નોનં:- સમસ્ત પ્રાણી જગતની વિવિધ ચેષ્ટાઓ તથા બાલ્યાદિ અવસ્થાઓ સ્થૂલ છે અર્થાત્ પ્રત્યક્ષ છે. આ અવસ્થાઓ (પર્યાયો) પણ હંમેશાં એક સરખી નથી રહેતી. આ અવસ્થાઓ પલટાતી રહે છે. વિપરિણામી છે તે વાત શાસ્ત્રકારે વિવબ્બાસ પત્તિ યઆ ગાથાપદ દ્વારા બતાવી છે. પ્રાણી માત્ર મરણધાં છે. તે એક શરીર નષ્ટ થતાં જ પોતાના કર્મપ્રમાણે મનુષ્ય, તિર્યંચ, નરક આદિ ગતિને પ્રાપ્ત થાય છે. આ રીતે જીવ મનુષ્ય, દેવ આદિ રૂપ પર્યાયોમાં પર્યટન કરતો રહે છે. ગતિ કે યોનિ પર્યાય પલટાય તે સમયે જીવ જન્મ, જરા, મૃત્યુ, શારીરિક, માનસિક ચિંતા, સંતાપ વગેરે વિવિધ પ્રકારનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org