Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન—ઉદ્દેશકન
કદાચ, બિશિને વિશે પડે - નગ્ન અને કૃશ થઈ વિચરે,
ભાવાર્થ :- જે વ્યક્તિ આ સંસારમાં માયા કષાય યુક્ત હોય તે કદાચ નગ્ન રહે, ઘોર તપથી શરીરને કૃષ કરે, કદાચિત્ માસખમણના પારણે માસખમણ પણ કરે તોપણ તે અનંત કાળ સુધી ગર્ભાવાસને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
ને રૂહ માયાર્ મિત્ત્ત ્ :- આ ગાથામાં કર્મક્ષયને માટે સ્વીકારેલી, માયાયુક્ત વ્યક્તિની નગ્નતા, કૃશતા । તેમજ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા પણ કર્મ બંધનનું કારણ અને પરંપરાએ જન્મ-મરણરૂપ સંસાર છે. જે સાધક અકિંચન, નિર્વસ્ત્ર હોય; કઠોર ક્રિયાઓ તેમજ પંચાગ્નિ તપ આદિથી શરીરને કૃશ કરતા હોય, ઉત્કૃષ્ટ દીર્ઘ તપસ્યા કરતા હોય પરંતુ જો તે માયા (કપટ) દંભ, વંચના, અજ્ઞાન તેમજ ક્રોધ, અહંકાર, લોભ, મોહ આદિથી યુક્ત હોય તો તેનાથી મોક્ષ દૂર છે. તે અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ગાથામાં માયા એ એક કષાયનો જ પ્રયોગ છે પરંતુ ઉપલક્ષણથી બધા કષાયો અને આત્યંતર પરિગ્રહોનું ગ્રહણ કરી લેવું જોઈએ. કષાયોથી મુક્ત થયા વિના મુક્તિ થઈ શકતી નથી. વ્યક્તિ ભલે ગમે તેટલી કઠોર સાધના કરે પરંતુ જ્યાં સુધી તેના અંતરમાંથી રાગ, દ્વેષ, મોહ, માયા આદિ છૂટતા નથી, ત્યાં સુધી તે ચારગતિ રૂપી સંસારમાંજ પરિભ્રમણ કરતા રહે છે. જોકે તપ સાધના કર્મ મુક્તિનું કારણ અવશ્ય છે, પરંતુ તે તપ રાગ, દ્વેષ, કામ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન આદિથી યુક્ત હોય તો જ સંસારનું કારણ બની રહે
૩
ઉત્તરાધ્યયનસૂત્ર, ઋષિભાષિત સૂત્ર તેમજ ધર્મપદ આદિમાં બતાવવામાં આવ્યું છે કે જે અજ્ઞાની એક મહિનાના ઉપવાસના અંતે પારણામાં કુશની અણીપર રહી શકે એટલું જ ભોજન કરે તોપણ તે જિનેશ્વર કથિત, રત્નત્રયરૂપી ધર્મની સોળમી કળાને પણ મેળવી શકતો નથી.
આ લોકમાં જે માયા આદિથી પરિપૂર્ણ છે, કપાયોથી યુક્ત છે, તે વારંવાર ગર્ભમાં આવ્યા કરે છે, અપરિમિત કાળ સુધી જન્મ મરણ કરતા રહે છે. ચૂર્ણિકાર ખૂદ વિદ માયાર નિમ્નત્તિ... એવો પાઠાંતર માનીને વ્યાખ્યા કરે છે. માયા એટલે જેમાં નિર્દેશ(કથન) અનિર્દિષ્ટ-અપ્રગટ રાખવામાં આવે છે. માયા આદિ કષાયોથી યુક્ત વ્યક્તિ અનંત જન્મ-મરણને પ્રાપ્ત થાય છે.
પાપ વિરતિ ઉપદેશ :
Jain Education International
पुरिसोरम पावकम्मुणा, पलियंत मणुयाण जीवियं । सण्णा इह काममुच्छिया, मोहं जंति णरा असंवुडा ॥
|१०|
શબ્દાર્થ :- પુરિસો - હે પુરુષ ! પાવમુળા = જે પાપકર્મથી, રમ = નિવૃત્ત થઈ જા !, પલિયત
=
= નાશવંત છે, સફ્ળ = જેઓ સંસારમાં ફસાય છે, આસક્ત બને છે, વામમુ∞િયા = કામભોગોમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org