Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨ઉદ્દેશક-૧
_
[ ૮૯ ]
પોતાને આધીન કરી શકતા નથી. - जइ कालुणियाणि कासिया, जइ रोयंति व पुत्तकारणा ।
दवियं भिक्खुं समुट्ठियं, णो लब्भंति ण संठवित्तए ॥ શબ્દાર્થ :- IMળ = કરુણામય વચન બોલે અથવા કરુણાજનક કાર્ય, વરિયા = કરે, વિર્ય = પ્રાપ્ત કરી શકતા નથી, મોક્ષાર્થી, સમુટ્રિય = સંયમપાલન કરવામાં તત્પર, fમજવું = સાધુને, ગો નભતિ = તેઓ પ્રાપ્ત કરી શકતા નથી, પ્રવ્રજ્યાથી ભ્રષ્ટ કરી શકતા નથી, વિણ = તેને ગૃહસ્થપણામાં સ્થાપિત કરી શકતા નથી. ભાવાર્થ :- જો સાધુના માતાપિતા આદિ સ્વજનો કરુણતા ભરેલા શબ્દો બોલે અથવા કરુણા ઊપજે તેવાં કાર્ય કરે, પુત્રને માટે રડે–વિલાપ કરે, તોપણ મોક્ષ માટે સાધના કરતાં અને સાધુ ધર્મના પાલનમાં તત્પર તથા પરિપક્વ તે સાધુને સંયમભ્રષ્ટ કરી શકતા નથી અને ફરીથી તેને ગૃહસ્થાશ્રમમાં સ્થાપિત કરી શકતા નથી.
जइ वि य कामेहिं लाविया, जइ णेज्जाहि णं बंधिउं घरं ।
जइ जीवियं णावकंखए, णो लब्भंति ण संठवित्तए । શબ્દાર્થ :- નટ્ટ વિ = કદાચ કુટુંબીજનો, વહિં તાવિ = સાધુને કામભોગનું પ્રલોભન આપે, વિર્ય પાવવા = સાધુ અસંયમ જીવનને જો ઈચ્છતો ન હોય તો. ભાવાર્થ :- કદાચ સાધુના કુટુંબીજનો તેને કામભોગોનું પ્રલોભન આપે, તેઓ તેને બાંધીને ઘરે લઈ જાય પરંતુ તે સાધુ જો અસંયમી જીવન ઈચ્છતા ન હોય તો, તેઓ તેને વશમાં કરી શકતા નથી અને તેને ગૃહવાસમાં રાખી શકતા નથી.
सेहति य णं ममाइणो, माया पिया य सुया य भारिया ।
पोसाहि णे पासओ तुम, लोयं परं पि जहाहि पोस णे ॥ શબ્દાર્થ :- સેતિ ય = સાધુને શિખામણ પણ આપે છે કે, તુ પાન તું સૂક્ષ્મદર્શી છો, તું સમજદાર છો, જાણકાર છો, પોલાદિ= અમારું પોષણ કર, પર જ તોયે- તું પરલોકને પણ , નહાદિ = બગાડી રહ્યો છે તેથી, પોપ = તું અમારું પોષણ કર. ભાવાર્થ :- "આ સાધુ મારો છે એવું કહેતા સાધુ પ્રત્યે મમત્વ રાખનારા તેના માતા-પિતા, પત્ની, પુત્ર આદિ સાધુને શિખામણ પણ આપે છે કે તમે તો પ્રત્યક્ષદર્શી છો અથવા સમજુ છો, અમારુંભરણપોષણ કરો! આવું નથી કરતા એટલે તમે આ લોક અને પરલોક બન્નેના કર્તવ્યને છોડી રહ્યા છો. કોઈપણ રીતે અમારું પાલન-પોષણ કરો.
१९/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org