Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧,
રાહો કુત્તો મૂછ જ પરિગ્રહ છે અથવા જે જીવને ચારે બાજુથી જકડી રાખે છે તે પરિગ્રહ છે. મહાભારતમાં 'મમ' અને 'નિર્મમ' શબ્દ દ્વારા આ જ વાતને સૂચિત કરી છે. 'મમ' એટલે મમત્વ ભાવ, મારાપણાનો ભાવ આવે ત્યારે જીવ કર્મબંધનથી બંધાય છે અને નિર્મમ' મારું કાંઈ જ નથી, તેવો ભાવ આવે ત્યારે જીવ બંધનથી મુક્ત થાય છે. પરિગ્રહના પ્રકાર :- શાસ્ત્રકાર પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે. બાહ્ય પરિગ્રહ અને આત્યંતર પરિગ્રહ. વિતમતમવિત ગાથાપદ દ્વારા સૂત્રકારે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહનું સૂચન કર્યું છે. ખેતર, મકાન-દુકાન, સોનું, ચાંદી, ધન, ધાન્ય, નોકરાદિ ક્રિપદ, પશુ આદિ ચતુષ્પદ, ઘરવખરીનો સમાન. આ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં સચિત્ત અચિત્ત બંને પ્રકારનો સમાવેશ થાય છે. વિતાસંત પદ દ્વારા મનુષ્ય, નોકર, પશુ, પક્ષી, વનસ્પતિ, ફળ-ધાન્ય, પૃથ્વી વગેરે સમસ્ત સચિત્ત પરિગ્રહનું ગ્રહણ થાય છે.
પિત્ત પદ દ્વારા મકાન, સોનું, ચાંદી, ઘરવખરીનો સામાન, ધન વગેરે સમસ્ત અચેત પરિગ્રહનું ગ્રહણ થાય છે.
ગાથાપદમાં બાહ્ય પરિગ્રહનો ઉલ્લેખ છે. ઉપલક્ષણથી આત્યંતર પરિગ્રહને સમજી લેવો જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્યાદિ નવ નોકષાય અને મિથ્યાત્વ તે ૧૪ પ્રકારનો આત્યંતર પરિગ્રહ છે. જિલ્લાવિ:- વૃત્તિકારે આ પદનાં બે 'કિસામવિ' અને 'કસમપિ' રૂપ કરી ત્રણ અર્થ સૂચિત કર્યા છે. વિસામવિ (કુશમપિ) થોડો પણ પરિગ્રહ અથવા ઘાસ, ફોતરા વગેરે તુચ્છ પદાર્થનો પણ પરિગ્રહ તથા સવ (કસમપિ) જીવ અને વસ્તુને મમત્વ બુદ્ધિથી ગ્રહણ કરવા રૂપ પરિગ્રહ. િિા અપ વા અણુનાગ:- સ્વયં પરિગ્રહ રાખે. પરિગ્રહ રાખનારનું અનુમોદન કરે. આદિ અંતના બે કરણના ગ્રહણથી પરિગ્રહ રખાવવા રૂપ મધ્ય કરણનું ગ્રહણ થઈ જાય છે અર્થાત્ પરિગ્રહ રાખે, રખાવે કે રાખનારનું અનુમોદન કરે તે દુઃખથી મુક્ત થતા નથી તેમ સમજવું.
વં કુર્જર જ મુશ્વ - પરિગ્રહ દુઃખથી મુક્ત થતા નથી. પરિગ્રહ દુઃખરૂપ છે. સામાન્ય રૂપે મનુષ્યોને અપ્રાપ્ત પરિગ્રહને પ્રાપ્ત કરવાની ઇચ્છા કાયમ રહે છે. પરિગ્રહ નાશ પામે ત્યારે શોક થાય છે, પ્રાપ્ત પરિગ્રહની રક્ષામાં કષ્ટ થાય છે અને પરિગ્રહના ઉપભોગથી અતૃપ્તિ રહે છે. પરિગ્રહના કારણે વેર, દ્વેષ, ઇર્ષ્યા, છળકપટ, ચિત્તવિક્ષેપ, મદ–અહંકાર, અધીરતા, આર્ત-રૌદ્રધ્યાન તથા વિવિધ પાપકર્મ વધી જાય છે. પરિગ્રહ પોતે દુઃખ કારક છે અને પરિગ્રહ કર્મબંધનું કારણ હોવાથી તેના ફળ સ્વરૂપ આશાતાવેદનીય કર્મના ઉદયથી દુઃખરૂપ કડવાં ફળ પ્રાપ્ત થાય છે. સિવાય પ:- પ્રાણીઓના પ્રાણોનો અતિપાત કરે છે. ત્રીજી ગાથામાં કર્મબંધનાં મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ મુખ્ય કારણોમાં અવિરતિ રૂપ કારણની અંતર્ગત હિંસા [પ્રાણાતિપાતને પણ કર્મબંધનું પ્રબળ કારણ બતાવ્યું છે.
જૈનશાસ્ત્રમાં 'હિંસા' માટે 'પ્રાણાતિપાત' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. સામાન્ય રીતે હિંસાનો અર્થ 'ધૂલ પ્રાણીઓનો વધ થાય છે. કાંઈક વિશેષ અર્થ સૂચવવા જ પ્રાણાતિપાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ રીતે કુલ દસ પ્રાણ છે. તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org