________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] અસંભવદેાષ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ
આને અર્થ અશક્યના અર્થમાં થાય અસંભાવના : બ્રહ્મ છે અથવા નથી; જીવ અને
બ્રહ્મ એક છે કે ભિન્ન છે; એવા સંશયને અસંભાવના કહે છે. તે બે પ્રકારની છે : ૧. પ્રમાણુગત અસંભાવના. ૨, પ્રમેયગત અસંભાવના. તેમાંની પ્રમેયગત ઉપર બતાવવામાં આવી છે. પ્રમાણુગત અસંભાવના એને કહે
છે કે જે પ્રમાણના વિષયમાં સંશય હાય. અસંસતિ : જ્ઞાનીની સાત ભૂમિકામાંની આ
પાંચમી ભૂમિકા છે; સવિકલ્પ સમાધિ વડે ચિત્તવૃત્તિને સંધી નિર્વિકલ્પ સમાધિમાં જવું તે. અસ્તેય અષ્ટાંગયેગમાંનુ પહેલું અંગ “યમ”,
તેને એક પ્રકાર; ચોરી ન કરવી તે. અહંકાર : અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક છે
“હું” એવું અભિમાન કરે છે તે. આ અહંકારના પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. શુદ્ધ અહંકાર : સ્વસ્વરૂપને અહંકાર,
જેમ કે હું બ્રહ્મસ્વરૂપ છું. ૨. અશુદ્ધ અહંકારઃ દેહાદિ અનાત્માને અહં
કાર; જેમ કે હું શરીર છું, મનુષ્ય છું, વગેરે.
For Private and Personal Use Only