________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૧ ] નિવૃત્તિ કરી સક્ષમ કરવું તે. જ્ઞાનની ત્રીજી
ભૂમિકા.
તપ : દેવ, દ્વિજ, ગુરુ આદિની પૂજાથી માંડી
શરીર, વાણી, મન થકી અમુક નિયમ લઈ કષ્ટ કરવું તે. ગનાં આઠ અંગમાંના નિયમનો એક પ્રકાર, મનની એકાગ્રતા એ
ઉત્તમ તપ છે. તમગુણઃ પ્રકૃતિના ત્રણ ગુણમાંનો એક અજ્ઞાન,
આળસ, નિદ્રા, પ્રમાદ એ એનાં લક્ષણ છે. તકશાસ્ત્રઃ ન્યાય અને વિશેષક દશન તર્કશાસ્ત્ર
કહેવાય છે. આ બંને દર્શનના પ્રણેતા અનુક્રમે
ગૌતમ અને કણાદ ઋષિ છે. તાત્પર્ય : વક્તાની ઈચછાનું જ્ઞાન. વક્તાની ઈચ્છા
જાણ્યા વિના શબ્દને ખરે અર્થ સમજાય નહિ. સંધવના મીઠું અને ઘેડે એવા બે અર્થ થાય છે. મુસાફરીએ નીકળતી વખતે કહેવામાં આવે: “સૈધવ લાવ” અહીં સૈધવનો અર્થ ઘોડો જ કરે જોઈએ, મીઠું નહિ અને જમતી વખતે “સંધવ લાવ” એમ કહેવામાં આવે ત્યારે વક્તાની ઈચ્છા “મીઠું લાવ એમ કહેવાની છે તેથી મીઠું જ લાવવું જોઈએ, ઘડો નહિ.
For Private and Personal Use Only