________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[+]. (ઉદાહરણ છે. અહીં પણ એમ જ છે (ઉપનય).
તેથી એ પણ તેવું જ છે (નિગમન). પંચીકરણ: આકાશાદિ પંચભૂતના એકેકના
પાંચ ભાગ કરી તે પચીસ ભાગનું અમુક પ્રમાણમાં મિશ્રણ કરવું તે. પાંચે ભૂતોનું પંચ
ભૂતાત્મક કરવું તે પંચીકરણ, પંચીકતઃ પંચીકરણની રીતે થયેલું સ્થૂલ, સૂકમ;
ભૂતનું પંચીકરણ કરવાથી સ્થૂલતાને પ્રાપ્ત
થાય છે. પદાર્થ: (ન્યાય) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ,
સમવાય અને અભાવ, એ સાત પદાર્થ છે. પદાર્થોભાવની. બ્રહ્મ વિના બીજા કોઈ પણ પદાર્થ
ની પોતાની મેળે પ્રતીતિ ન થાય એવી ચિત્તની
અવસ્થા જ્ઞાનની છઠ્ઠી ભૂમિકા. પર: સૂક્ષ્મ; શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ, પરમહંસ : જનોઈ તથા શિખાનો ત્યાગ કરી તથા
એક દંડ રાખી માત્ર વેદાનતનાં શ્રવણાદિ માટે
જેણે સંન્યાસ ગ્રહણ કરે છે એ. પરમાણુ જાળીમાંથી પ્રવેશતા સૂર્યપ્રકાશમાં જે
ઝીણા રજકણે ઊડતા દેખાય છે તે ત્રણ કહેવાય છે. તેને છઠ્ઠો ભાગ પરમાણુ છે.
For Private and Personal Use Only