________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 6 ]
અહંકાર (મહત્તત્ત્વથી શુદ્ધ અહંકારના કારણ
અજ્ઞાનરૂપ મૂળ પ્રકૃતિ). પ્રકૃતિ-વિકૃતિઃ (સાંખ્યમત પ્રમાણે) મહત્તત્ત્વ,
અહંકાર અને શબ્દાદિ પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિ-વિકૃતિ કહેવાય છે, કેમ કે તે અનુક્રમે પિતાની પછીનાનાં કારણો હોવાથી પ્રકૃતિરૂપ છે અને પિતાની પૂર્વનાનાં કાર્ય હોવાથી વિકૃતિરૂપ છે. જેમ કે-મહત્તત્ત્વ અહકારની પ્રકૃતિ કહેવાય; પણ અજ્ઞાનનું કાર્ય હાવાથી વિકૃતિ કહેવાય. અહંકાર એ શબ્દાદ તન્માત્રાઓનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય; પણ મહત્તત્ત્વનું કાર્ય હોવાથી વિકૃતિ કહેવાય. પંચતન્માત્રાઓ શબ્દાદિ વિષયનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય અને અહંકારનું કાર્ય
હોવાથી વિકૃતિ. પ્રક્રિયા ગ્રંથ : સ્વમતનું સ્થાપન કરનારા ગ્રંથ
તે પ્રકિયા ગ્રંથ કહેવાય છે. જેમ કે વેદાંતમતનું સ્થાપન કરનારા ગ્રંથ પંચીકરણ, વિચારચંદ્રોદય, વિચારસાગર, પંચદશી, વેદાંતસાર
વગેરે ગ્રંથ પ્રકિયા ગ્રંથ છે. પ્રજ્ઞાઃ બુદ્ધિ. સ્થિતપ્રજ્ઞા અને અસ્થિરપ્રજ્ઞા.
For Private and Personal Use Only