Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૪] ના છે : આત્માશ્રય, અન્યાશ્રય, ચક્રિકા, અનવસ્થા, વિનિગમનાવિરહ અને પ્રાગ્લપ. પશાસ્ત્ર: દર્શન-ન્યાય, વૈશેષિક, સાંખ્ય, ગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાંત એ ષશાસ્ત્ર અથવા પદર્શન છે. પસંપત્તિઃ સાધનચતુટ્યમાંનું ત્રીજું સાધન શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, એ છે સંપત્તિ કહેવાય છે. ષડૂભગ(ઈશ્વરના): ૧ સમગ્ર ઐશ્વર્ય, ૨ સમગ્ર ધર્મ, ૩ સમગ્ર યશ, ૪ સમગ્ર શ્રી, ૫ સમગ્ર જ્ઞાન અને ૬ સમગ્ર વૈરાગ્ય. પભાવઃ પદાર્થોની છ અવસ્થાઃ હવું, ઉત્પન્ન થવું, વધવું, પરિણામ પામવું, ઘટવું અને નાશ પામવું. એ છ ભાવવિકાર છે. પલિંગ: વેદાઈ નિર્ણય કરવાની છ યુક્તિઃ ઉપકમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ અથવાદ અને ઉપપત્તિ. સકામકર્મ : ફલેચ્છા સહિત કર્મ. સખ્યભકિતઃ પિતાના ઈષ્ટદેવની સાથે પવિત્ર મિત્રની પેઠે વિવેકપૂર્વક વર્તવું તે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130