________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] વ્યક્તિ અનેકમાં અનુગત રહેનાર એક ધમ જાતિને - જે આશ્રય તે વ્યક્તિ છે. વ્યતિરેક અભાવ; ત્યાગ. વ્યભિચારઃ (ન્યાય) વિયેગ; અપવાદ. વ્યભિચારીઃ (ન્યાય) સર્વદા એકરૂપે નહિ રહે
નાર; જે વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય તે સર્વમાં વ્યાપક નહિ એવું; અવસ્થા
તરધર્માન્તરવાળું. વ્યષ્ટિ: એક, જીવ. વ્યષ્ટિ અજ્ઞાનઃ જીવની ઉપાધિ અવિદ્યા; કારણશરીર; આનંદમય કોશ, સુષુપ્ત અવસ્થા;
સ્થૂલસૂફમ શરીરનું લયસ્થાન. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઃ તૈજસની ઉપાધિ, એક
સૂક્ષ્મ શરીર. વ્યસન ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં ચિત્તનું લાગી
રહેવું તે વ્યસન છે. વ્યાપ્તિઃ (ન્યાય) સાહચર્યને વિષય, ધુમાડો
અને અગ્નિ સાથે રહે તે સાહચર્ય–સ્વાભાવિક સંબંધ; જ્યાં ધુમાડે હોય ત્યાં અગ્નિ હોય એ નિયમ તે વ્યાપ્તિ. વૃત્તિવ્યામિ, ફલવ્યાપ્તિ એ બે પ્રકાર છે.
For Private and Personal Use Only