________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧]. સર્ષને બાધ થયો કહેવાય. તેવી જ રીતે સિદ્ધાંતમાં અધિષ્ઠાનતત્ત્વનું યથાર્થ જ્ઞાન થતાં જ ભૂત-ભૌતિક સમસ્ત પ્રપંચ છે જ નહિ
એવું જે જ્ઞાન થવું તેનું નામ બાધ. બાલસામાનાધિકરણ્ય : બે એકતાવાળા પદાર્થો
માંથી એકને બાધ કર્યાથી જે એકતા થાય તે; જે વસ્તુને બાધ થઈ જેની સાથે અભેદ થાય તે વસ્તુનું તેની સાથે બાધામાનાધિકરણ્ય કહેવાય. જેમ કે જીવ અને બ્રહ્મની એકતામાં જીવના જીવપણાને બાધ કરી અધિષ્ઠાન સાક્ષી ફટસ્થ સાથે એકતા કરવી તેમાં જીવનું બ્રહ્મ સાથે બાધસામાનાધિકરણ્ય કહેવાય. તેવી રીતે પ્રતિબિંબનું મુખ સાથે અને ઝાડના પૂંઠાનું
પુરુષ સાથે. વગેરે જગ્યાએ સમજવું. બાહ્યપ્રપંચ : પંચભૂતોથી ઉત્પન્ન થયેલું બ્રહ્માંડ,
ચૌદ ભુવન અને તેમાંના ચાર પ્રકારનાં પ્રાણીમાત્ર એ સર્વે મળીને બાહ્યપ્રપંચ
કહેવાય છે. બુદ્ધિ: અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક જે સાર
અસાર સ્વરૂપનો નિશ્ચય કરવાવાળી છે તે. બુદ્ધિવૃત્તિઃ જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ.
For Private and Personal Use Only