________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] તે વિષયના ગ્રહણની અરુચિ, જેમ કે કોઈ વિષયનો ત્યાગ કર્યા પછી તે વિષયની સન્નિધિમાં
પણ વિષય ગ્રહણ કરવાની ઈચ્છા ન થવી તે. ઉપાદાન : જેને કાર્યના સ્વરૂપમાં પ્રવેશ હોય
અને જેના વિના કાર્યની સ્થિતિ રહી શકે નહિ તે પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે એવું કારણ આદિકારણ, જેમ કે માટી એ ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે; ન્યાયવાળા આ ઉપાદાનકારણને સમવાયી કારણ કહે છે. આ ઉપાદાનકારણ ત્રણ પ્રકારનું છે એમ ન્યાયદર્શનના પ્રવર્તક શ્રીગૌતમ માને છે. અનેક પરમાણુથી આ જગતને આરંભ થયે છે એમ કણાદ કહે છે. સાંખ્ય પ્રણેતા શ્રીકપિલમુનિ માને છે કે, આ જગત પ્રકૃતિનું પરિણામ છે; આ રીતે તે પરિણામવાદી છે; અને વેદાંતનિર્દેશક શ્રીવ્યાસ ભગવાન માને છે કે પરમ શુદ્ધ ચિતન્ય જ આ જગતરૂપે વિવર્ત પામે છે; વિવર્ત એટલે વસ્તુનું અન્યથા ભાન માત્ર. જેમ કે, દેરડીમાં દેરડીને બદલે ભૂલથી સર્પ
દેખાય તે. ઉપાધિ: જે વસ્તુને સ્વરૂપ વિષે પ્રવેશ હેય નહિ.
સ. સા.
For Private and Personal Use Only