________________
સર્ગ ૪ થે
શ્રી મહાવીર સ્વામીને બીજા છ વર્ષને છસ્થ વિહાર ગોશાળે સેવેલા શ્રી વીરભગવંતે ત્યાર પછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. પછી આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં ચાર માસક્ષપણ કરીને ચોમાસું ઉલ્લંઘન કર્યું. જેમાસું પૂર્ણ થયા પછી તે નગરીની બહાર પારણું કરીને પ્રભુ ગોશાળા સહિત કંડક નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરના એક ખુણામાં જાણે રત્નમય પ્રતિમા બેસાડી હોય તેમ પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. પ્રકૃતિથી નિર્લજજ અને ઘણા વખતથી કરેલી સંલીનતાથી આતર થયેલ ગોશાળ વાસુદેવની પ્રતિમાના મુખ પાસે પુરૂષ ચિન્હ ધરીને ઉભું રહ્યું. તેવામાં તેને પૂજારી આવે, તે ગોશાળાને એવી રીતે રહેલે જોઈને વિચારવા લાગ્યું કે, “આ કોઈ પિશાચગ્રસ્ત અથવા ગાંડે માણસ જણાય છે. એવું વિચારતે તે અંદર પેઠે અને તેને બરાબર છે એટલે તેને નગ્ન જોઈને તેણે ધાર્યું કે, “આ કેઈ નગ્ન જૈન સાધુ જણાય છે. વળી વિચાર્યું કે, જો આને મારીશ તે લકે કહેશે કે, આ દુષ્ટ નિર્દોષ એવા સાધુને વિનાકારણ માર્યા છે, માટે આનું ગામને જે યંગ્ય લાગે તે કરે; તેથી હું આ વાત ગામના લોકોને જઈને કહું' એમ વિચારીને તે ગામના લોકોને તેને બતાવવા તેડી લાવ્યા. તત્કાળ ગામના બાળકેએ તેને લપડાકેથી અને મુષ્ટિઓથી કુટવા માંડ્યો. પછી એ ગાંડે છે, માટે એને મારવાથી સયું” એમ કહીને વૃદ્ધ લેકોએ તેને છોડાવ્યું.
કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરીને મર્દન નામના ગામ પાસે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ પૂર્વની જેમ બળદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ગોશાળે ઊભે રહ્યો. તેથી પૂર્વની જેમ ગામના લે કે એ કુટડ્યો અને પૂર્વની જેમ વૃદ્ધાએ છોડાવ્યું. ત્યાંથી વિહાર કરીને તપવી પ્રભુ બહુશાળ નામના ગામે ગયા. ત્યાં શાળવી નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં શાલાર્યા નામે એક વ્યંતરી હતી, તેણે કાંઈ પણ કારણ વગર કોધ પામીને પ્રભુની ઉપર કર્મને ઘાત કરનારા કેટલાક ઉપસર્ગો કર્યા. ઉપસર્ગ કરતાં કરતાં જ્યારે તે શ્રાંત થઈ ત્યારે તેણે પ્રભુની પૂજા કરી. પછી ત્યાંથી વિહાર કરીને વીરપ્રભુ લોહાલ નામના ગામે આવ્યા. ત્યાં જીતશત્રુ નામે રાજા હતા. તે રાજાને કઈ રાજા સાથે વિરોધ ચાલતો હતો; તેથી રાજપુરૂષોએ માર્ગમાં પ્રભુને ગોશાળા સહિત આવતા જોયા. એટલે “તમે કોણ છો?” એમ તેઓએ પૂછ્યું, પણ મૌનધારી પ્રભુ કાંઈ બેલ્યા નહીં. તેથી “આ કેઈ શત્રુના હેવું છે. એવું ધારી તેમને પકડીને જીતશત્રુ રાજાને ઍપ્યા. ત્યાં અસ્થિક ગામથી ઉત્પલ નિમિત્તીઓ આવેલું હતું. તેણે પ્રભુને ઓળખ્યા, એટલે વંદના કરી અને જીતશત્રુ રાજાને બધી વાર્તા કહી. પછી રાજાએ પણ ભક્તિથી પ્રભુને વંદના કરી. ૧ કાવધિ.