________________
સગ ૬ ડ્રો
પ્રણામાંજલિ છે અને અમે તેમની ઉપાસના કરીએ છીએ. જેમના મસ્તક ઉપર તમારા ચરણનખના કિરણે ચિરકાળ ચુડામણિ થઈ રહે છે, તે ભૂમિને પણ નમસ્કાર છે, એથી બીજું શું કહીએ. હું ધન્ય છું, સફળ જન્મવાળો છું અને કૃતાર્થ થયે છું કે જે તમારા ગુણગ્રામની રમણીયતામાં લંપટ રહ્યો છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રેણિક રાજા વિરામ પામ્યા પછી શ્રી વીરપ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમકિતને આશ્રય કર્યો અને અભયકુમાર વગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશનાને અંતે પ્રભુને પ્રણામ કરી તેમની વાણીથી પ્રસન્ન થયેલા પુત્રની સાથે શ્રેણિકરાજા સ્વસ્થાનકે ગયા.
શ્રેણિક રાજા રાજભવનમાં ગયા પછી તેમના મેઘકુમાર નામના પુત્રે તેમને અને ધારિણીદેવીને ભક્તિથી અંજલિ જોડી ઉદાર વચને વિજ્ઞપ્તિ કરી કે-“તમે એ ચિરકાળ મારૂં લાલનપાલન કર્યું છે, હું કેવળ તમોને શ્રમ આપનાર થયે છું, તથાપિ આટલી વિશેષ પ્રાર્થના કરું છું કે, હું આ અનંત દુઃખદાયી સંસારથી ચકિત થઈ ગયો છું, અને તે સંસારના તા૨ક શ્રી વીરપ્રભુ સ્વયમેવ અહીં પધાર્યા છે, તો તમે મને આજ્ઞા આપી કે, જેથી હું સંસારભરૂના શરણરૂપ શ્રી વીરપ્રભુના ચરણમાં જઈને દીક્ષા લઉં.” શ્રેણિક અને ધારિણી પુત્રનાં આવાં વચન સાંભળીને બોલ્યા કે “પુત્ર ! આ વ્રત કાંઈ સહેલું નથી, તો તુ કે મલાંગ થઈને તેને શી રીતે પાળી શકીશ ?” મેઘકુમાર બોલ્યા “હે પૂજ્ય ! હું સુકુમાર છું છતાં સંસારથી ભય પામેલો હોવાથી તે દુષ્કર વ્રતને આદરીશ; માટે મારા પર પ્રસન્ન થાઓ. હે માતપિતા ! જે મૃત્યુ માતપિતાના ઉસંગમાંથી પણ પત્રાદિકને ખેંચી લે છે, તે મૃત્યુને પ્રભુના ચરણને અનુસરવાથી હું છળ કરી છેતરીશ.” શ્રેણિક બેલ્યાવસ ! જે કે તું સંસારથી ઉદ્વિગ્ન થયે છું, તથાપિ મારા રાજ્યને એક વાર ગ્રહણ કર અને મારી દ્રષ્ટિને શાંતિ આપ.” મેઘકુમારે તેમ કરવાને સ્વીકાર્યું એટલે રાજાએ મોટા મહોત્સવથી તેને રાજ્યપર બેસાર્યો. પછી રાજાએ હર્ષના આવેશથી પૂછયું કે, “હવે હું તને બીજું શું કરી આપું?” મેઘકુમાર બે-પિતાજી ! જે મારા પર પ્રસન્ન થયા હો તે દીક્ષા ગ્રહણની ઇચ્છાવાળા મને કુત્રિકની દુકાનેથી રજોહરણ અને પાત્રાદિક મંગાવી આપ.” રાજા પિતાના વચનથી બંધાઈ ગયા હતા તેથી તેને કચવાતે મને પણ તેમ કરવું પડયું. પછી મેઘકુમારે પ્રભુની પાસે જઈને દીક્ષા લીધી.
પહેલી જ રાત્રે મેઘકુમાર મુનિ નાના મેટાના ક્રમથી છેવટના સંથારા ઉપર સુતા હતા, તેથી બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર તેના શરીર સાથે અથડાતા હતા. તેથી તેને વિચાર થયો કે, “હું વૈભવ વગરને હવાથી જ આ મુનિઓ મને પગથી સંઘટ કરતા જાય છે. કેમકે “સર્વ ઠેકાણે વૈભવ જ પૂજાય છે. માટે પ્રાત:કાળે પ્રભુની આજ્ઞા લઈને વ્રતને છોડી દઈશ.” આ વિચાર કરતાં કરતાં તેણે માંડમાંડ રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે વ્રતને છોડવાની ઈરછાથી તે પ્રભુની પાસે ગયા. સર્વજ્ઞપ્રભુ કેવળજ્ઞાનવડે તેને ભાવ જાણીને બોલ્યા કે, “અરે મેઘકુમાર ! સંયમના ભારથી ભગ્ન ચિત્તવાળો થઈ તું તારા પૂર્વભવને કેમ સંભારતે નથી? સાંભળ! આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢયગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતા. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થઈને તું સરોવરમાં પાણી પીવાને ગયો, ત્યાં કાદવમાં ખેંચી ગયો; તેથી નિર્બળ થઈ ગયેલા તને તારા શત્ર હસ્તીએ આવીને દંતાદિના બહુ પ્રહાર કર્યા. તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તેજ ૧ આ દેવાધિષ્ઠિત દુકાન હતી અને ત્યાંથી જે ચીજ માગે તે મળતી હતી.