Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૦ સર્ગ ૧૧ માં ત્યાંથી પાછા ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કેટવાળ અને તેના સીપાઈઓએ મને સપડા, એટલે તેનાથી ભય પામીને હું કિલ્લે ઓળંગી ભાગવા ગયે. આપ જાણો છો કે, પ્રાણીને સર્વથી મોટામાં મોટે ભય પ્રાણન છે,” મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછો બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યા. માટે હે નતિમાન રાજા ! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરૂષે મોકલ્યા. પરંતુ તે ચરે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો; કેમકે કેટલાક ચરલોકના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરૂષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે “હા, અહીં એક દુર્ગચંડ નામે કુટુંબી રહે છે, પણ તે હમણાં અહીંથી બીજે ગામ ગયેલ છે. રાજપુરૂએ રાજાને તેવા ખબર આપ્યા એટલે, અભયકુમાર વિચારમાં પડ્યા કે; “અહો ! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જેવો મહા મૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળને એક મહેલ તેને રહેવા આપે. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલો અમરાવતીને એક ખંડ હોય તે જણાતો હતો. તેમાં ગંધર્વો સંગીતને મહત્સવ કરતા હતા, તેથી તે અકસ્માત ઉત્પન્ન થયેલા ગંધર્વનગરની શોભાને સૂચવતા હતા. અભયકુમારે તે ચોરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાડ. જ્યારે તેને નીસે ઉતરી ગયે ત્યારે તે ચારે બાજુ જેવા લાગે, તો અકસ્માત વિસ્મય. કારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નર નારીઓના સમૂહે “જય પામે, જગતમાં આનંદ કરો” એવા મંગળ વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર ! તમે આ મેટા વિમાનમાં દેવતા થયા છો, તમે અમારા સ્વામી છો અને અમે તમારા કિંકર છીએ, તેથી આ અસરાઓની સાથે ઇંદ્રની જેમ ક્રીડા કરે.” આવી રીતે ઘણું ખુશામતનાં વચને ચતુરાઈ યુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી શું હું દેવતા થયે?” એમ રેહિણીએ વિચારવા લાગ્યા. તેવામાં ગંધર્વોએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવર્ણની છડી લઈ કઈ પુરૂષ આ બે, તેણે ગંધર્વોને કહ્યું કે, “અરે ! એકદમ આ શું આવ્યું ?' ગંધર્વોએ ઉત્તર આપે કે-“અરે પ્રતિહાર ! અમે અમારા સ્વામી પાસે અમારું વિજ્ઞાનકૌશલ બતાવવાનો આરંભ કર્યો છે. પ્રતિહાર બોલ્યા કે બહુ સારૂં, તમે તમારૂં કૌશલ્ય સ્વામીને બતાવે પણ ત્યારે અગાઉ પ્રથમ દેવકના આચાર તેમની પાસે કરાવે.” ગંધર્વ બોલ્યા કે, “શું શું આચાર કરાવવાના છે ?” પ્રતિહાર આક્ષેપપૂર્વક બેલ્યો કે, “અરે ! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે? સાંભળે, પ્રથમ તો અહીં જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પોતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વર્ગના સુખભેગને અનુભવ કરે.” ગંધર્વોએ કહ્યું કે-“હે દેવ ! અમે તો નવા સ્વામીને લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધી દેવકની સ્થિતિ કરાવે.” આ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે તે પુરૂષે રૌહિણેય ચોરને કહ્યું, “હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહો, પછી સ્વર્ગને ભેગ ભેગ.” તે સાંભળી હિણીઓ વિચારમાં પડ્યો કે, “શું આ સત્ય હશે ? અથવા શું મને મારી કબુલતવડે પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલો હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટે કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યા, શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યું છે, તે

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232