Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી Hિપુષ્ટિ શલાકાપET )
R TEદા પ્રકાII.
શરિહંતપ્રકાશa
TALELCLIE
આ કમળ
છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૧૦
મું
જ
શ્રી આદીશ્વરજી અને ભરતચક્રીનું ચરિત્ર
તથા
શ્રી અજિતનાથજી અને સગરચક્રીનું ચરિત્ર.
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત
સંસ્કૃત પદ્યાત્મકનું ગુજરાતી ભાષાંતર,
પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના સૌજન્યથી
અરિહંત પ્રકાશન
અમદાવાદ
નવી આવૃત્તિ
ચૈત્ર સુદ-૧૫
સંવત ૨૦૪૧ કિંમત–રૂા. ૨૦૦=૦૦ (સેટના)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : અરિહંત પ્રકાશન ૭૧૧, જેન ચાલી, ખમાસા ગેટ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧
મુખ્ય વિકતા : સરસ્વતી પુસ્તક ભંડાર
શ્રી પાર્શ્વ પ્રકાશન હાથીખાના, રતનપોળ,
નીશાપોળ, ઝવેરીવાડ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
અમદાવાદ-૩૮૦૦૦૧ રેન નં. ૩૩૬૬૨૯
અન્ય પ્રાપ્તિસ્થાન સોમચંદ ડી. શાહ જેન પ્રકાશન મંદિર
મેઘરાજ જૈન પુસ્તક ભંડાર જીવન નિવાસ સામે, દોશીવાડાની પિાળ,
ગાડીની ચાલ, પાયધુની પાલીતાણા
અમદાવાદ-૧
મુંબઈ-૨
સેવંતીલાલ વી. જૈન શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર,
૨૦, મહાજનગલી, ફુવારા સામે, તળેટી રોડ
ઝવેરી બજાર પાલીતાણા
મુંબઈ-૨ स्वर्गस्तस्य गृहांगणं सहचरी साम्राज्यलक्ष्मी: शुभा । सौभाग्यादिगुणावलिविलसति स्वैरं घपुर्वे श्मनि ॥ संसारः सुतरः शिषं करतलक्रोडे लुठत्यंजसा । यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जमः ॥१॥
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्रना दश पर्वमा समावेला चरित्रोनु यंत्र. પર્વ તીર્થકર ચક્રવર્તા. વાસુદેવ બળદેવ પ્રતિવાસુદેવ કુલ ચરિત્ર
૦
૨ ૩
૧ ૮
૧ ૦
૦ ૦
૦
P
- 6
- = = ૮૯. ૮૨ ૮૩
-
- 4
- - -
૪
૫ મું
૧
૦
જ
ન
-
6
-
- ce. 8. ઇ. =
-
૨ - ૮
ક
૦
- | * - - -
૧
૦
|
२४
૧૨.
મુદ્રક- પી. જે. શાહ
ડીલક્ષ પ્રિન્ટર્સ, ઘીકાંટા રોડ-નગરશેઠન વડે અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
નવી આવૃતિની પ્રસ્તાવના
પ્રત્યેક ધર્મો–સસ્કૃતિને તેને આગવા ઇતિહાસ હોય છે, એ ઈતિહાસને ઘડનારા ધીર–વીર–ગ’ભાર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષા હોય છે અને એ ઇતિહાસપુરુષાના જીવનને જીવત રીતે વવનારા પ્રથા પણ હોય છે. આ ત્રણ તત્ત્વ એ કાઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્ત્વની પણ ન્યૂનતા એ સ`સ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે.
આજે તે આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાĆત્રિક ધારણે પ્રવર્તે છે કે ધાર્મિક પ્રથામાં લખાયેલી વાતે એ એક જાતનાં ‘મિથ' (Myths) એટલે કે કલ્પિત રૂપા જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષા પણુ કાઈ સમ કવિની માનસિક કલ્પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુત: તેવા કાઈ મહાપુરુષા થયા જ છે એમ માનવું તે અનૈતિહાસિક અને અતિશયાક્તિભયુ છે. પૌરાણિક ધર્મપ્રથામાં જે પાત્રા, તેમના જીવનમાં બનેલી ઘટનાએ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે. તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ.
જે નરી આંખે દેખાય તેને જ સ્વીકાર કરવા’– એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂપ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પોતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વૈજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કચાંય મળી હોય તેા તે એ ક્ષેત્રામાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રચ્છન્ન રીતે, તેણે માનવજાતના નિકદનની તમામ શકયતા સર્જી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાનિક અને સાંસ્કારિક આસ્થાએને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણેા લાગી ગયા છે! એ સિવાય આપણી આčવત્તની સ`સ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથાને અને એમાંના ઇતિહાસને ‘મિથ’ કહેવાની હિ'મત કેમ ચાલે ?
આ પરિબળેાને પ્રતિકાર અને પ્રતિવાદ કરવાના-પૂરેપૂરી તાકાતથી એ પરિબળા સામે ઝઝૂમવાને અવસર હવે આવી લાગ્યા છે. આ પ્રતિકાર કરવાનુ` સામર્થ્ય મેળવવાના એકમાત્ર અને પ્રબળ શક્તિશાળી સ્ત્રોત છે આસ્થા. જો આપણામાં દૃઢ આસ્થા હાય, તેતા આપણી બુદ્ધિ-પ્રખર મુદ્ધિ-મન-નયનને અગેાચર એવા દેશાતીત અને કાલાતીત પદાર્થાં, પાત્રો અને પ્રસંગેાની પણ યથાતાને પ્રીછ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષા અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે, અંશે કે સર્વાં`શે, શંકા જાગ્યા કરે છે; તેમાં વિશ્વાસ નથી જામતા, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનું કારણ આપણા ચિત્તમાં ઘર કરી ગયેલા કારા -સમજણ કે વિવેક વિહોણા, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવુ...–કેટલું નુકસાન કર્યુ છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમ કવિ (અને ઊંચા ગજાના ભક્ત સાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસંગિક અવતરણ જોઈએ:
“એક ખાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હારા ભાવિકો છે તેા બીજી બાજુ આને સમયના દુરુપયોગ ગણનારા મુદ્ધિવાદી વગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર ‘મિથ’ છે;
Page #5
--------------------------------------------------------------------------
________________
દેવદેવતા, ઋષિમુનિ અને રાજા-મહારાજાઓના નામે ઉપજાવી કાઢેલી દંતકથાઓને એ શંભુમેળે છે. જે વસ્તુ સામાન્ય સમજમાં ન આવે તેને હજારો સમજ માણો કેવી રીતે સાંભળી રહેતા હોય છે એ જ તેમને સમજાતું નથી હોતું. ‘મિથ’ને, પુરાણકથાને તેઓ માત્ર શાબ્દિક અર્થમાં જ લેતા હોય છે અથવા તે રૂપક ગણી કાઢતા હોય છે. પણ દંતકથારૂપે રજુ કરવામાં આવતી આ કથાવસ્તુ ચેતનાના અમુક સ્તરે નકકર હકીકત હોય છે, એ બાબત એ ભૂમિકાના અનુભવ વિના જાણી શકાતી નથી.”
(“ભાગવતી સાધના” ૫.૨)-મકરંદ દવે જેઓ સુજ્ઞ અને મર્મજ્ઞ છે, તેઓ ઉપર્યુક્ત અવતરણમાં થયેલી ટકેરનો ભમે પામી શકશે, અને બુદ્ધિવાદે કેટલું નુકસાન કર્યું છે ને કર્યો જાય છે તે પણ સમજી શકશે.
બુદ્ધિવાદ અને બુદ્ધિનિષ્ઠા એ બંને અલાયદાં તો છે, એ હવે આપણે સવેળા સમજી લેવું ઘટે. બુદ્ધિવાદમાં તજડતા અને તેથી પેદા થયેલી આસ્થાહીનતાનું પ્રમાણ વિશેષ હોય છે અને તેથી જ ત્યાં વૈજ્ઞાનિકતાનો છેદ ઊડી જતો હોય છે. એથી ઊલટું, બુદ્ધિનિકાનો આસ્થા અને વૈજ્ઞાનિકતા સાથે વધુમાં વધુ નિકટનો નાતો છે. બુદ્ધિવાદ અસારમાં સાર જોવાની કેશીશ કરશે અને સારો સમૂળે ત્યાગ કરવા પ્રેરશે. જ્યારે બુદ્ધિનિષ્ઠા એ અસારની અસારતા તરફ ધ્યાન દોરશે, એને ત્યજતાં શીખવશે, અને સાર પ્રતિ આસ્થા/આશા જન્માવી એનો આદર કરવા પ્રેરશે, અને આજ છે સાચી વૈજ્ઞાનિકતાની બુનિયાદ. બુદ્ધિનિષ્ઠા અને આસ્થાનો સહયોગ જીવનમાં સહજભાવે વૈજ્ઞાનિકતા પ્રગટાવે છે અને ટકાવે પણ છે.
આ બુદ્ધિનિષ્ઠા, આ આસ્થા અને આ વૈજ્ઞાનિકતા આપણામાં જન્મ અને વિકસે અને થિર થાય, અને તર્ક જડ બુદ્ધિવાદ આપણામાંથી નામશેષ બને – એ માટેનું શ્રેષ્ઠતમ સાધન છે : સદુવાંચન. જે સાહિત્ય માત્ર મનોરંજન ખાતર કે બૌદ્ધિક કસરતને ખાતર નથી નિર્માયું; પણ જેના સર્જન પાછળ, પ્રત્યુપકારની લેશ પણ અપેક્ષા વિનાની લોકકલ્યાણની જ માત્ર ગણતરી છે, લોકજીવન ઉદાત્ત સંસ્કારો અને નૈતિકતા તથા ધાર્મિકતાના નિર્ભેળ એપ થકી સુવાસિત અને દીપ્તિમાન બને એ જ જે સર્જનનો એકમાત્ર આશય છે, તેવું કોઈપણ સાહિત્ય વાંચવું તે છે સવાંચન.
પ્રસ્તુત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' તે આવું જ સત્સાહિત્ય છે. કલિકાલસર્વજ્ઞ” બિરૂદ ધરાવતા અને ગૂર્જરી ગિરાની આ ગંગોત્રી સમા જનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની નિર્ભુજ લોકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથનિર્માણરૂપે કર્યો છે, એમ કહી શકાય.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઈતિહાસ. જૈન ધર્મની પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઈતિહાસપુરુષનાં સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાર્યું કર્યું છે. Mythology ના સંશોધકે આ ગ્રંથને પુરાણ-ગ્રંથ તરીકે ઓળખાવે છે, અને એમાં વર્ણવાયેલા મોટા ભાગનાં જીવનચરિત્રોને તથા તે ચરિત્રોના નાયકને કાલ્પનિક માને છે; ઐતિહાસિક હેવાનું નથી સ્વીકારતા. ચાર્વાક દર્શનને તર્ક જડ બુદ્ધિવાદ એમને આવું માનવા પ્રેરતો હોય એવું બને. પણ બુદ્ધિનિષ્ઠાના આ પે ઓપતી આસ્થા જેને મળી છે તેવી દષ્ટિ તો, આ સમગ્ર ચરિત્રકથાઓ અને તેના
ની જીવંતતાને અને અસ્તિતાને કશાય આયાસ કે કષ્ટ વિના, સહજપણે જ, પોતાની સામે નિહાળી શકે છે અનુભવી શકે છે–માણી શકે છે. પારદર્શી કાચ જેવી આ નવી દષ્ટિ, દેશકાળની અપેક્ષાએ લાખો-કરોડો-અબજો વર્ષો પૂર્વે થયેલા મહાનુભાવોને અને ઘટી ગયેલી ઘટનાઓને પણ, દેશકાળનાં એ પડળને, પેલી નિર્મળ આસ્થાની સહાયથી, ભેદી શકે છે, અને એ મહાનુભાવોને તથા એ ઘટનાઓને, પોતાની ચેતનાના ક” અણદીઠ સ્તરે સાક્ષાત અનુભવી લે છે, અને આ અનુભૂતિ તે
Page #6
--------------------------------------------------------------------------
________________
જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતે આપણું પરનો પહેલો તેમ જ અજોડ ઉપકારક અને માટે જ આ ગ્રંથનું વાંચન તે સવાંચન.
શલાકાપુરુષ’ ૬૩ હોય છે. જેના સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં આ ૬૩ શલાકાપુરુષે થતાં હોય છે.
શલાકા પુષ' એટલે ઉત્તમપુરુષો (પૂનમદાપુરિસજિં ) અથવા “શલાકા” એટલે સમ્યક્ત્વ. જે પુણ્યાત્માઓ નિયમ સમ્યફવરૂપી શલાકા ધરાવે છે તેમને “શલાકાપુરુષ' કહેવામાં આવે છે. શaછી). શ્રી હેમચંદ્રાચાર્યે જ પોતાના અમિષાનચિત્તામળિ–શબ્દકોશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષોમાં-સૃષ્ટિમાં પેદા થતાં–થયેલાં ને થનાર પુરુષોમાં – જે સર્વશ્રેષ્ઠ હેય-થાય –ગણાય, તે કહેવાય “શલાકાપુરુષ'.
આવા ૬૩ શલાકા પુરુષો આ કાળખંડમાં પણ થયો છે, અને તેમનું સાંગોપાંગ ચરિત્રવર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લોકમાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથના અક્ષરશઃ અને વળી લોકભાગ્ય અનુવાદ પ્રસ્તુત પુસ્તંકે(૪) દ્વારા જનતા સમક્ષ રજ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયો હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનો થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લોકપ્રીયતાને સહેજે જ ખ્યાલ મળે છે. લોકોની સવાંચનની આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદાઈ છે.
શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા
પાંજરાપોળ અમદાવાદ–૧.
–શીલચંદ્રવિજય
૨૨-૧-૮૫ મહાશદિ ૧
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ઘણા સમયથી કોઈ મોટા જૈન ગ્રંથનું પ્રકાશન કરવાની અમારી ઈચ્છા હતી. સાથે સાથે એવી ભાવના પણ હતી કે તે ગુજરાતી ભાષામાં હોય તો વાચક વર્ગ તેને વધુ લાભ લઈ શકે.
કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશણી શલાકા પુરૂષ ચરિત્ર ની ગુજરાતી આવૃતિ, ઘણા સમયથી અપ્રાપ્ય હતી. અને તેની માંગ પણ નિરંતર રહ્યા કરતી હતી. તેથી છેવટે તેનું પુનઃમુદ્રણ કરવાનું અમે એ વિચાર્યું. અને તેના મૂળ પ્રકાશક જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર પાસેથી તે અંગે અનુમતી માંગી. સભાના ટ્રસ્ટી ગણે–પ્રસ્તુત ગ્રંથ છાપવા માટે સહર્ષ રજા આપી. તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ.
ગ્રંથની શરૂઆતમાં તેની આગળની આવૃતિની વિસ્તૃત પ્રસ્તાવના આપી છે. તે ઉપરથી તેની ઉપયોગિતા સમજાશે.
દસ પર્વમાં વહેંચાયેલે આ ગ્રંથ ચાર ખંડમાં પ્રકાશિત કર્યો છે. તેથી તે વાંચવામાં સરળ રહે. - અમારે આ પ્રયાસ જૈન સમાજને ઉપયોગી નિવડશે. તે અમારું સાહસ સાર્થક થયેલું માણીશું.
ટૂંકી પ્રસ્તાવના લખી આપીને પૂજ્ય મુનિરાજ શ્રી. શિલચંદ્ર-વિજયજી મ. સાહેબે અમને ઉપકૃત કર્યા છે.
પુસ્તક બજારમાં જલદી મૂકી શકાય તે હેતુથી છાપવામાં શકય એટલી ઉતાવળ કરી છે. તેથી કઈક મુદ્રણ દોષ રહી જવાની સંભાવના છે. તે તે ક્ષમ્ય ગણવા વિનંતી.
પુસ્તકનું ઝડપથી અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ. ડીલક્ષ પ્રિન્ટર્સ ના માલિક શ્રીમતિ, પી. જે. શાહના અમે આભારી છીએ.
જૈન સમાજને આ ગ્રંથ વધુને વધુ ઉપયોગી થાય તેવી અભ્યર્થના સાથે.
પ્રકાશક
સંવત ૨૦૪૧ ચૈત્ર સુદ-૧૫
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(નોંધ : અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો, તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-)
જેના પુસ્તકમાં જે જ્ઞાનનો ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, પદ્દવ્ય સબ ધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટુકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેના તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ યોજ્યા છે. આ અનુગમાં અતીન્દ્રિય વિષયેનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરેલા છે. ચોથા અનુયાગમાં ચરણસી તરી અને કરણસીત્તરીનું વર્ણન અને સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાને નાશ થયો છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથ વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે.
અમે અને પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનગને છે. ચરિતાનયોગથી લાભ એ છે કે-તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુગ જેવા ગહન વિષયમાં તો તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ સ્થાના વિષય પર સર્વાને એક સરખો આનંદ આવે છે; એટલું જ નહિ પણ તે જ કથા ઘણું રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીર્ઘ અવલોકન કરનારા શાસ્ત્રકારો મનુષ્યસ્વભાવની આ કૂચી પામી ગયા અને તેનો લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો. તેઓને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દોરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તાનના ઊચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશે જોડી દીધા. આ તે સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે કે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લોકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, કે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછી થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જોડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંત મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુગથી અનેક જીવો પર ઉપકાર થયે અને થાય છે. બેકને તત્ત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકેનું ધ્યાન એાછું ખેં'ચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુયોગમાં કલ્પનાશક્તિને બહુ ઉપયોગ કરવો પડે છે; તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે
Page #9
--------------------------------------------------------------------------
________________
કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનુયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જેનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે.
હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બોધ આપી, જનધની બનાવી, આખા દેશમાં જનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલે બધે છે કે અત્યારે કોઈ પણ જેને તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમાર પાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દુર્ગમ દેશને પિતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન
ચૌલુકયના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગણોને મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચાવડે સુશોભિત કરી દીધી છે તો સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયે છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લેકેને માટે દ્વયાશ્રયકાવ્ય, દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલા છે. હે સ્વામિન ! તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવા માટે
સઠ શલાકા પુરુષનાં ચરિત્ર પ્રકાશ કરે.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત
". આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માનો લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બંધ થવાના ઉદેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિનો અને કથાવિષયને નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી.
આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તે સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. થાનોનાં વર્ણને અને લકરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણના મહોત્સવ, ચક્રીને દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાને, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લેકે ચોથા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઈન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચામાં ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે,
Page #10
--------------------------------------------------------------------------
________________
કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેનું ચિત્ર તદ્દન દેશરહિત હોઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે.
કવિ તરીકે તેઓની ફત્તેહ પશ્ચિમાત્ય વિદ્વાનો પણ સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે – “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કોષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથો રચનારની વિદ્વત્તા કઈ પણ પ્રકારની ભૂલો દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે...Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension, (આટલુ છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલે છે અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા ફત્તેહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્રથો હેવાનો સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકોની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે)”
અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલ શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે.
રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વત્તતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથે બનાવ્યા છે તે ખરેખર જેન કેમનો મોટો વારસે છે અને તે વારસો જાળવી રાખવા માટે જૈન કોમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ.
આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ ગ્રંથના દશ પમાં ત્રેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યકતા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરત ચક્રી મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે.
બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્રો છે.
ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા ને સનતકુમાર એ બે ચક્રીનાં ભળી ૨૨
મહાપુરુષોનાં ચરિત્રો છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથેનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચક્રી
એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. ૬ છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને
બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચક્રીમાં બે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા
હોવાથી તેમને ગણેલા છે. ૭ સાતમા પર્વમાં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમાં ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ
અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રો છે. આ પર્વને મોટે ભાગ રામચંદ્રાદિનાં ચારિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો નેમિનાથજીના સમકાલીન હોવાથી
તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. [ ક નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમાં ચક્રીના મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે.
જ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગોપાંત શ્રેણિક, અભય
કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ ગ્રંથમાં
ઉપલબ્ધ નથી.
આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેનું યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે.
આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ” એટલા માટે કહેવાય છે કે તેમના મોક્ષગમનનો ચોકકસ નિર્ણય થયેલ છે. ચોવીશ તીર્થ કરે તે તદ્દભવમોક્ષગામો હોય છે, ચક્રવર્તામાં જે તે ભાવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચોવીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનારા છે વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખૂચેલા હોય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી તેઓ જરૂર મોક્ષે જનારાં છે, નવ બળદેવ ઉત્તમ છવો હોવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને વર્ગો અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવ આગામી ભવે મોક્ષે જાય છે. - શ્રી કાળસિત્તરી પ્રકરણમાં 11 રૂદ્ર તથા ૯ નારદનો પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચોવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ’ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે.
' આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષોમાં જીવ ૫૯ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીનો જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હોવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ જીવ થાય છે. * છો અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તો અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યાર પછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુગળપરાવતનની અંદર તો સમકિત પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થકરને જે સમતિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનો જીવ ક્રોડાક્રોડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સંસારમાં રહ્યો છે, બીજા તીર્થ કરના જીવો તે બહુ થોડા કાળમાં થોડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારબીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે.
'દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે ( નિકાચીત કરે છે ) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકેના આરાધનથી બંધાય છે. એ વીશ સ્થાનકેનું વર્ણન પહેલા સંગમાં છેવટના ભાગમાં આપેલું છે.
આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાયેલી છે. છએ ઋતુનું વર્ણન, નાયક નાયિકાના રૂ૫ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પર્વમાં પૃથ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થોડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્રાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવાં હોવાથી આ ગ્રંથમાં કઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદા પ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
I
!'
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું આ છેલ્લું અથવા દશમું પર્વો છે. બધાં પ કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. આ પર્વમાં મુખ્ય શ્રી મહાવીરસ્વામીનું ચરિત્ર ઘણું વિસ્તરે છે. છત્મસ્થપણુના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે. ગણધરવાદ પણ બહુ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક અનેક ઉત્તમ પુરૂષોના ચરિત્રો ને પ્રબંધે છે,
શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજ, હલ્લવિહલ, મેઘકુમાર, નંદીષેણ, ચલણ, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, શતાનિક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસા સાસા, આનંદાદિ દશ શ્રાવકે ગોશાળે, હાળીક, પ્રસન્નચંદ્ર, દદ્રાંકદેવ, ગૌતમસ્વામી, પુડરોક, કંડરીક, અબડ, દશાર્ણભદ્ર, ધના શાળીભદ્ર, રોહિણેય, ઉદાયન (શતાનિક પુત્ર), છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલ કેવળી, કુમારનંદી સોની, ઉદાયિ (મણીક પુત્ર), કુળવાવુક અને કુમારપાળરાજા વિગેરેના ચરિત્રો ને પ્રબધે ઘણા અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક, કેણિક, અભયકુમાર, આદ્રકુમાર, દદ્રાંકદેવ, છેલા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વિગેરેના વૃત્તાંત તે ઘણા જ વિસ્તારવાળાં છે. જેમાંથી કેટલાક વિભાગ તે અન્ય ગ્રંથાદિકમાં અલભ્ય છે. પાંચમ અને છઠ્ઠા આરાનું તથા ઉત્સર્પિણી કાળનું ભાવિ વૃત્તાંત પણ ઘણુ વિસ્તારથી છે, ઇત્યાદિક અનેક હકીકતથી પરિપૂર્ણ આ ચરિત્ર છે. તેનું વિશેષ વર્ણન અહીં લખવા કરતાં વાંચક વર્ગોને સાવંત વાંચવાનીજ ખાસ ભલામણ કરવી યોગ્ય ધારીએ છીએ,
આ પર્વમાં પ્રાસંગિક ઉપદેશ-દેશના-અને પ્રભુની ન્યાયગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારના હદય આનંદ, વૈરાગ્ય તેમજ ધર્મશ્રદ્ધાથી પરિપૂર્ણ કરે છે.
આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર કળિકાળ સવંત શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલું સંસ્કૃત પદ્યાત્મક છે. કલોક તમામ અનુ૫ છે. કલકલોક સંખ્યા ૩૬૦૦૦ પ્રમાણ છે. આ આખા ચરિત્રનું ભાષાંતર કરાવી, તપાસી, શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય પરમોપકારી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપા તેમજ પ્રેરણુ વડે અમે સુમારે દશ વર્ષ અગાઉ શરૂ કરેલું તે પરમાત્માની કૃપાથી આજે પૂર્ણ થઈ શકર્યું છે. આ ચરિત્રના દશ પર્વ અથવા વિભાગ છે. તેને અમે સાત વિભાગમાં છપાવીને બહાર પાડેલ છે. ૩જુ ને ૪થું, ૫મું ને હું અને ૮મું ને ૯મું પર્વ ભેળું બહાર પાડેલ છે. સાત વિભાગના મળીને કુલ ૧૮૨૬ પૃષ્ઠ થયાં છે. એટલે રોયલ આઠ પેજ ૨૨૮ ફારમે થયેલા છે. આવું મહાન કાર્ય પરમાત્માની કૃપા વિના પાર પડી શકતું નથી. ભાષાંતર યથાર્થ પ્રસિદ્ધ કરવા માટે અમે બનતા પ્રયાસ કરેલો છે. તો પણ તેની અંદર દૃષ્ટિ દોષથી યા મતિષથી જે કાંઈ ભૂલ થયેલી હોય તે સુજ્ઞજનોએ ક્ષમા કરવી, અને અમારી તરફ ભૂલે મેલવી કે જેથી પ્રથમના પાંચ વિભાગ ( પર્વ)ની ટૂંકા વખતમાં બીજી આવૃત્તિ બહાર પાડવાની છે તેમાં સુધારી શકાય.
આ ગ્રંથના કર્તા શ્રીમાન હેમચંદ્રાચાર્યનું વિસ્તાર યુક્ત ચરિત્ર તથા આખા ગ્રંથની પ્રસ્તાવના આ ચરિત્રના પ્રથમ પર્વની બીજી આવૃત્તિ થોડા વખતમાં બહાર પાડવાની છે તેમાં દાખલ કરશે, કે જે વાંચકવર્ગને ઘણી ઉપયોગી થઈ પડશે. - આ ચરિત્ર જનવર્ગમાં એટલું બધું પ્રખ્યાતિ પામેલું છે કે જેને માટે કાંઈ પણ પ્રશંસા લખવી પડે એમ નથી. આ ચરિત્ર અને તેના કર્તા જનવર્ગમાં પ્રથમ પંક્તિ ધરાવતા હોવાથી અત્ર કાંઈ પણ વિશેષ ન લખતાં સારગ્રાહી બુદ્ધિપૂર્વક સાર્ધત વાંચવાની ભલામણ કરી લેખિનીને વિરામ આપીએ છીએ.
જેન-ધર્મ-પ્રસારક સભા
ભાવનગર
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
સ ૧ લેા. (મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન)—નયસારના ભવમાં કરેલી સમકિતની પ્રાપ્તિ–મરિચિના ભવ–ઉપાર્જન કરેલુ. નીચ ગાત્ર-વિશ્વભૂતિના ભવ–વાસુદેવપણાનું કરેલુ. નિયાણુ ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ-ત્રણ ખંડના અધિપતિ–પ્રિયમિત્ર ચક્રવતીના ભવ—છ ખંડતું. સાધવું–નંદન મુનિના ભવ–ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મી—નંદન મુનિએ કરેલી આરાધના-પ્રાત દેવલાકે પુષ્પા ત્તર વિમાનમાં દેવ થવું. (પૃ, ૧ થી ૧૨)
· સ ર્ જશે. (મહાવીર જન્મ અને દીક્ષામહાત્સવ)-ગ હરણુનું વૃત્તાંત-જન્માત્સવ–૪ ની શકા-તેનું નિવારણ-ઇંદ્રે કરેલી સ્તુતિ-આમલકી ક્રીડા—મહાવીર નામ સ્થાપન, મહાવીરપ્રભુના વિવાહ— દીક્ષા મહેાત્સવ. (પૃ. ૧૩ થી ૨૦)
સગ ૩ જશે, (પ્રથમના છ વર્ષોંના વિહાર) ઉપસગેર્માંની શરૂઆત-શૂળપાણી યક્ષે કરેલ ઉપસર્ગ – પ્રભુને આવેલા દશ સ્વપ્ના—તેનું ફળ-અષ્ટ દક નિમિત્તિયાનું વૃત્તાંત-ચ ડકૌશિક સપના ઉપસગ –તેને પ્રતિઆધ–સુદ દ્ર દેવે કરેલ ઉપસ−ક ખળ સબળ દેવે કરેલ નિવારણ—તેનું વૃત્તાંત-પુષ્પ નિમિત્તિયાનુ વૃત્તાંતગોશાળાનું મળવું ને શિષ્ય થવુ –ગશાળાની ચેષ્ટાએ—વ્યંતરીને કરેલા શીત ઉપસ'. (પૃ.૨૧ થી ૪૬)
સગ` ૪ થા.—(બીજા છ વર્ષના વિહાર)–ગેાશાળાની ચેષ્ટાઓ–વૈશિકાયન તાપસનું વૃત્તાંતપ્રભુએ ગાશાળાને બતાવેલા તેજોલેશ્યાને વિધિ–ગાશાળાએ સાધેલી તેોલેશ્યા-ઈદ્રે કરેલી પ્રભુની પ્રશ'સા–સગમ દેવે કરેલા અસહ્ય ઉપગે–સંગમનુ` થાકીને પાછા જવુ -સૌધમેન્દ્રે સ`ગમને કાઢી મૂકવેા–પ્રભુને સાતા પૂછવા ઈંદ્રોનું આવવું-છ કોષ્ટીનુંવૃત્તાંત–પૂરણ તાપસનું વૃત્તાંત–તેનું ચમરેદ્ર થવુ. ચમરેદ્રના ઉત્પાત-પ્રભુએ કરેલા અપૂર્વ અભિગ્રહ–ચંદનબાળાનું વૃત્તાંત-તેણે કરાવેલું પારણુ – ગાવાળે કરેલા છેલ્લા ઉપસ`–પ્રભુના કાનમાં ખીલા નાખવા—ખરક વૈદ્ય કાઢવા–પ્રભુને થયેલ અસહ્ય પીડા. (પૃ. ૪૭ થી ૭૨)
સ` ૫ મી. (ભગવંતને કેવળજ્ઞાન, સંસ્થાપના)—ભગવંતને થયેલ કેવળજ્ઞાન−ઈંદ્રે કરેલી સ્તુતિ–ભગવંતે આપેલી દેશનાશ્ચંદ્રભૂતિ વિગેરેનું વૃત્તાંત-દ્રભૂતિ વિગેરેનું પ્રભુ પાસે આવવું-ગણધરવાદ—સંશયનું નિવારણ–તેમણે લીધેલી દીક્ષા-ચતુવિધ સ ંઘની સ્થાપના, ગણધરાએ કરેલી દ્વાદશાંગી —ચૌદપુવ ની રચના, પૃ. (૭૩ થી ૮૦)
સગ ૬ ઠે. (કોણિક, મેઘકુમાર, નંદીષેનુ વૃત્તાંત)–શ્રેણિક ને કૂણિકના પૂર્વ ભવ— નાગસારથી ને સુલસાનું વૃત્તાંત-કોણિક રાજાનું ચરિત્ર-અભયકુમારના જન્મ—અલયકુમારનું શ્રશ્ચિયના મંત્રી થવુ”—ચેડા રાજાની સાત પુત્રીઓ–સુજ્યેષ્ટા ને ચિલણાનું વૃત્તાંત-કૃણિકનું ચિલ્લણાની કુક્ષિમાં ઉત્પન્ન થવુ –જન્મ-મેઘકુમાર તે નદીષેણને જન્મ—સેચનક હાથીનું વૃત્તાંત-પ્રભુનું રાજગૃહી પધારવુ શ્રેણિકે કરેલી સ્તુતિ–મેઘકુમારને થયેલ પ્રતિધ-તેણે લીધેલી દીક્ષા-મેઘકુમારને થયેલ ઉદ્વિગ્નતા પ્રભુએ કરાવેલી સ્થિરતા–નદીષેણુને થયેલ પ્રતિમાધ—તેણે લીધેલી દીક્ષા-નંદીષેણુનું ગૃહસ્થ થવું તે પાછા દીક્ષિત થવુ'. (પૃ. ૮૧ થી ૯૮)
સ` ૭ મા. (ચિલ્લણા, કોણિક, આકુમારનું વૃત્તાંત).--શ્રેણિક રાજાને ચિલણા ઉપર આવેલ રાક, પ્રભુએ કરેલુ. તેનુ નિવારણુ-ચિલ્લા માટે કરાવેલ એકસ્થંભ મહેલ–ચડાળે વિદ્યા વડે
Page #14
--------------------------------------------------------------------------
________________
લીધેલ તેને લાભ-તેની પાસેથી લીધેલ વિદ્યા-દુર્ગધાની હકીકત-તેનું શ્રેણિકની રાણી થવું–આ. કુમારનું વૃત્તાંત-તેને થયેલ પ્રતિબંધ-આદ્રકુમારે લીધેલી દીક્ષા-પાછું સંસારી થવું-ફરીને લીધેલી દીક્ષા તેને વિહાર-પ્રાંતે મેક્ષે જવું. (પૃ. ૮૯ થી ૧૧૩) - સગ ૮ મિ. (ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, ગોશાળા વિગેરેનું વૃત્તાંત)-પ્રભુનું બ્રાહ્મણકુંડ ગામે પધારવું-પ્રભુની દેશના-ઋષભદત્ત ને દેવાનંદાએ લીધેલી દીક્ષા-એક્ષ-જમાળિએ લીધેલ દીક્ષા–તેનું નિહવપાણું–પ્રિયદર્શનાનું પાછું વળવું–જમાળિનું મરને કીવીષ દેવ થવું–ચિત્રકારનું વૃત્તાંત–ચંડપ્રદ્યોત ને શતાનિક રાજ વચ્ચે વિગ્રહ-મૃગાવતીએ લીધેલ દીક્ષા-વાસા સાસાનું વૃત્તાંત–આનંદ શ્રાવકને અધિકાર-તેણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત-કામદેવ વિગેરે ૯ શ્રાવકેના અધિકાર–મૃગાવતી ને ચંદનબાળા-બંનેને પરસ્પર ખમાવતાં થયેલ કેવળજ્ઞાન-દશ આછેરાનાં નામ-ગોશાળાનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-ગોશાળાએ પ્રભુ ઉપર મૂકેલ તેજલેયા–ગોશાળાને થયેલ પશ્ચાત્તાપ ને તેનું મરણ– ગોશાળાના આગામી ભવ-પ્રભુએ વાપરેલ ખીરાપાક-વ્યાધિનું શમન. (પૃ. ૧૧૪ થી ૧૩૬)
સંગ ૯ મો (હાલિક, પ્રસન્નચર, દદ્રાંકદેવ વિગેરેનાં વૃત્તાંત) એક હાળિકે (ખેડુત) ગૌતમસ્વામી પાસે લીધેલ દીક્ષા–પ્રભુને જોઈને પાછો ભાગી જવું-પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુભ અધ્યવસાયથી થયેલ અશુભબંધ ને શુભ અધ્યવસાયથી થયેલ કેવળજ્ઞાન-દરાંક દેવનું કુષ્ટિપણે પ્રભુ પાસે આવવુંતેણે કરેલી ભક્તિ-પ્રભુએ કહેલું તેનું પૂર્વ વૃત્તાંત-શ્રેણિક રાજાએ કપિલા દાસીને કાળ શૌકરિક માટે કરી જોયેલા પ્રયાસ–સાલ મહાસાલને દીક્ષા ને તેમને થયેલ કેવળજ્ઞાન-અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરનારને તદ્ભવ મેક્ષ આવી પ્રરૂપણાથી ગૌતમસ્વામીનું ત્યાં જવું-વૈશ્રમણુની પાસે ગૌતમસ્વામીએ કહેલ પુંડરીક કંડરીકની કથા–પંદરસે તાપસને આપેલી દીક્ષા–તેમને થયેલ કેવળજ્ઞાન–અંબડ પરિવ્રાજકનું પ્રભુ પાસે આવવું-તેણે કરેલી સ્વતિ–અંબડની સાથે પ્રભુએ સૂસાનેકહેવરાવેલ ધર્મલાભ– અંબડે સુસાની કરેલો પરીક્ષા–જુલસ્તનું પાસ થવું. (પૃ. ૧૩૭ થી ૧૪૯)
સગ ૧૦ મિ. (દશાણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર)–પ્રભુનું વિહાર કરતાં દશાર્ણપુર પધારવું–દશાર્ણભદ્રનું બહુ ભક્તિ વડે ધામધુમથી વાંદવા આવવું—દશાર્ણભદ્રને ગર્વ ઉતરી જ તેણે લીધેલ ચારિત્ર-શાળિભદ્રને પૂર્વ ભવ-તેનું ગભદ્ર શેઠને ત્યાં જન્મવું–શાલિભદ્રને અપૂર્વ સુખગશ્રેણિકરાજાનું તેને ત્યાં આવવું -“માથે સ્વામી છે તે જાણવાથી શાળિભદ્રને થયેલ વૈરાગ્ય-ધર્મષ મુનિનું ત્યાં પધારવું–શાલિભદ્રનું વાંદવા જવું–તેમની દેશનાથી ભોગ તજવાની શાળિભદ્ર કરેલી શરૂઆતધન્યકુમારને પડેલી ખબર-પ્રભુનું ત્યાં પધારવું-ધન્ય ને શાળિભદ્ર બંનેએ લીધેલી દીક્ષા–બંનેએ કરેલ અનશન-સર્વાર્થ-સિદ્ધ દેવ થવું. (પૃ. ૧૫૦ થી ૧૫૭).
સર્ગ ૧૧ મો (રહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડપ્રોત વિગેરે)–રહણીઓ ચેર–તેણે સાંભળેલ પ્રભુનું એક વાક્ય–રોહણીઆનું પકડાઈ જવું–તેને મનાવવા માટે અભયકુમારે કરેલ પ્રપંચપ્રભુ પાસેથી સાંભળેલા એક વચનથી તેનું છૂટી જવું–રોહણીઆને થયેલ પ્રતિબોધ-તેણે લીધેલી દીક્ષાસ્વર્ગગમન-ચંડપ્રદ્યોતનું રાજગૃહી પર ચડી આવવું ને પાછા જવું–અભયકુમારને પકડી લાવવા ચંપ્રદ્યોતે રચેલે પ્રપ ચ–બે વેશ્યાનું શ્રાવિકા થઈને આવવું –અભયકુમારને લઈ જવા અભયકુમારને ચંડપ્રદ્યોતે આપેલ પ્રથમ વરદાન–વાસવદત્તાને ભણાવવા પ્રપંચથી ઉદાયનને લઈ આવવા-વાસવદત્તાને લઈને ઉદાયનનું નાસી જવું-અનલગિરિ હાથીના ને અગ્નિશમનના પ્રસંગે આપેલ બે વરદાન–મરકી નિવારણને પ્રસંગ ચોથું વરદાન–તે વરદાન માંગતાં અભયકુમારનું છુટી જવું–અભયકુમારે ચડપ્રદ્યોતને જાહેરમાં પકડી લાવવાનો કરેલી પ્રતિજ્ઞા–તેને માટે કરેલ પ્રપંચ–ચંડપ્રદ્યોતને પકડી લાવવા ને છોડી મૂકાવવા–એક કઠી આરાએ લીધેલ દીક્ષા–અભયકુમારે બતાવેલું ચારિત્રનું અમૂલ્યપણું-અભયકુમારનું પ્રભુને વાંદવા આવવું–તેણે કરેલી સ્તુતિ-છેલ્લા રાજષિ ઉદાયન રાજાનું પ્રભુએ કહેલ વૃત્તાંત-અંતર્ગત
Page #15
--------------------------------------------------------------------------
________________
કુમારનંદી સાનીનું ચરિત્ર– અંતગ`ત પ્રભાવતી રાણીનું ચરિત્ર-અંતગત કુબ્જા (સુવÇગુળિકા) નું ચરિત્ર–અંતગત કપિલ કેવળીનું ચરિત્ર-ઉદાયનને ચંપ્રદ્યોત સાથે થયેલ યુદ્ધ-ચડપ્રદ્યોતનુ હારવુ—ઉદાયન રાજાએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા (પૃ. ૧૫૮ થી ૧૮૩)
સર્ગ ૧૨ મા. (વીતભયપત્તન, અભયકુમાર, કૂણિક, ચેડારાજા, ઉદાયી રાજા વિગેરેના ચરિત્ર)ઉદાયન રાજષિને તેના ભાણેજે કરેલા વિષપ્રયોગ-દેવે કરેલુ નિવારણુ—તેણે કરેલ અનશન–મેાક્ષગમનદેવે વતભયપત્તનને દાટી દેવુ.-અભિચિનુ સ્વ`ગમન-ભગવતે કહેલી આગામી હકીકત–કુમારપાળ રાજા થશે–કુમારપાળ ને હેમચદ્રસૂરિાસયોગ થશે-તેનું ફળ-વીતભયમાં દટાયેલ પ્રતિમાને કાઢશે– મંદિરમાં પધરાવશે-અભયકુમારનું ચારિત્ર ગ્રહણુ-કૂણિકે શ્રેણિકને 'દીખાને નાખવા ઉપરાંત આપેલુ દુઃખ કૂણિકને પ્રાપ્ત થયેત્ર સદ્ભાવ-શ્રેણિકને છેડવા માટે દોડવું–શ્રેણિકનુ અપમૃત્યુ-નગમન-કૂણિકે વસાવેલ ચંપાપુરી—ત્યાં જઈને વસવુ—હલ્લવિહલ્લ પાસે હાર વિગેરેની માગણી-તેનું ચેડારાજ પાસે જવું. કૂણિકે તેમની પાસે કરેલી હલ્લ વિઠ્ઠલ્લની માગણી-કૂણિકની ચેડા રાજા પર ચડાઈ—પરસ્પર યુદ્ધ-તુલ• વિહલે લીધેલ ચારિત્ર—કૂણિકતા વેશ્યા દ્વારા પ્રપંચ-કુળવાળુકનું ચરિત્ર–કુળવાળુકનુ` પડી જવુ' (ભ્રષ્ટ થવું)–વિશાળાના વિનાશ–વિશાળાની પ્રજાને નીલવ ંત પર્યંત ઉપર લઈ જવી-ચેટક રાજાનુ સ્વ`ગમનચ’પાપતિનું ચંપાએ પાછા આવવુ કૂણિકના ચક્રવતી થવાના પ્રયત્ન—તેનું અપમૃત્યુ—નગમન–પ્રભુને પરિવાર (તેની સખ્યા) (પૃ. ૧૮૪ થી ૨૦૧)
સ ૧૩ મા. (ભગવંતની છેલ્લી દેશના, નિર્વાણ વગેરે)—ભગવંતનુ અપાપાપૂરી પધારવુ’– ઈંદ્રે કરેલી સ્તુતિહસ્તિપાલ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુની છેલ્લી દેશના—હસ્તિપાળ રાજએ દીઠેલાં સ્વપ્ન-પ્રભુએ કહેલું તેનુ' ફળ-પ્રભુએ કહેલા પાંચમા આરાના ભાવ-પ્રભુએ કહેલા છઠ્ઠા આરાના ભાવ–ઉત્સર્પિણીના પહેલા બીજા આરાના ભાવ–અનામત ચાવીશીમાં થનારા ૨૪ પ્રભુના તે તેના પુ`ભવના જીવાના નામ-બારચક્રી, નવ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં નામ સુધર્માંસ્વામીએ કરેલ પ્રશ્ન તે ઉત્તર-ગૌતમસ્વામીને દેવશર્માને પ્રતિખેાધ કરવા મેાકલવા-ભગવ ́તનું નિર્વાણુ-ભગવંતના નિર્વાણ મહાત્સવ–ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ને તેમનું નિર્વાણુ, (પૃ. ૨૦૨ થી ૨૧૩)
ગ્રંથકર્તાની પ્રશસ્તિ, (પૃ. ૨૧૪–૨૧૫)
Page #16
--------------------------------------------------------------------------
________________
श्री त्रिपष्टि शलाका पुरुष चरित्र
पर्व दसमु
સ ૧ લા
શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન
દુઃખે વારી શકાય તેવા રાગાદિ શત્રુઓને નિવારવામાં વીર જેવા, પૂજનિક અને ચેાગીનાથ શ્રી મહાવીર સ્વામીને મા। નમસ્કાર છે. સુર અસુરાએ પૂજેલુ' અને પુણ્ય-જલના સરોવરરૂપ એ દેવાધિદેવ પ્રભુના ચરિત્રનુ હવે અમે વર્ણન કરીશું.
આ જશ્રૃદ્વીપને વિષે પશ્ચિમ વિદેહક્ષેત્રના આભૂષણુરૂપ મહાવપ્ર નામના વિજચમાં જયતી નામે નગરી છે. તે નગરીમાં ભુજાના વીર્ય થી જાણે નવીન વાસુદેવ ઉત્પન્ન થયેલ હોય તેવા મહાસમૃદ્ધિમાન્ શત્રુમન નામે રાજા હતા. તેના પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામીભક્ત ગ્રામચિ ંતક (ગામેતી) હતા. તે સાધુજનના સંબધ વિનાના હતા, તથાપિ અપકૃત્યથી પરા·મુખ, બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણગ્રહણમાં તત્પર હતા. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાષ્ઠો લેવા માટે પાથેય (ભાત') લઈ કેટલાક ગાડાં સાથે એક મહાટવીમાં ગયા. ત્યાં વૃક્ષેા છેદતાં તેને મધ્યાહ્ન સમય થયે, એટલે ઉત્તરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યા. તે વખતે તે નયસારના સમય જાણનારા સેવકે મ`ડપાકાર વૃક્ષની નીચે તેને માટે ઉત્તમ રસવતી લાવ્યા. પોતે ક્ષુધા તૃષાથી આતુર હતા છતાં પણ ‘કોઈ અતિથિ આવે તે હું તેને ભેજન કરાવીને પછી જમુ’ એમ ધારી નયસાર આમતેમ જોવા લાગ્યા. તેવામાં ક્ષુધાતુર, તૃષાતુર, શ્રાંત, પેાતાના સાને શેાધવામાં તત્પર અને પસીનાથી જેમના સર્વ અગ વ્યાપ્ત થઈ ગયા છે. એવા કેટલાક મુનિએ તે તરફ આવી ચડયા. ‘આ સાધુએ મારા અતિથિ થયા તે બહુ સારુ થયુ'' એમ ચિ'તવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, ‘ હે ભગવંત ! આવી માટી અટવીમાં તમે કયાંથી આવી ચડા ? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ અટવીમાં ફરી શકે તેમ નથી.’ તેઓ મેલ્યા--‘અમે પૂર્વે અમારા સ્થાનથી સાની સાથે ચાલ્યા હતા પણ મા માં કોઇ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાથ ચાર્લ્સે ગયા; અમને ભિક્ષા કઈ મળી નહીં, તેથી અમે તે સાથની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાથે તેા મળ્યા નહી' અને આ અટવીમાં આવી ચડયા.' નયસાર આલ્યા-અહા ! એ સાથ કેવા નિ ય ! કેવા પાપથી પણ અભીરૂ ! કેવા વિશ્વાસઘાતી ! કે તેની આશાએ સાધુઓ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પોતાના સ્વામાંજ નિહૂર બનીને ચાલ્યા ગયા; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યા તે બહુ ઠીક થયું.' આ
૧
Page #17
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે પ્રમાણે કહીને નયસોર તે મહામુનિઓને જ્યાં પિતાનું ભજનસ્થાન હતું ત્યાં લઈ ગયો, પછી પિતાને માટે તયાર કરી લાવેલા અનપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યા. એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિવડે તેને આહાર કર્યો. ભજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો. પ્રણામ કરી કહ્યું કે, “હે ભગવંત ! ચાલ હું તમને નગરનો માર્ગ બતાવું. પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ધર્મ સંભળાવ્યું. તે સાંભળીને આત્મા ને ધન્ય માનતા નયસારે તેજ વખતે સમકિત પ્રાપ્ત કર્યું. પછી તેમને વાંદીને તે પાછો વળે અને બધા કાષ્ઠો રાજાને મોકલાવીને પોતે પિતાના ગામમાં આવ્યો.
પછી મેટા મનવાળે નયસાર સદા ધર્મનો અભ્યાસ કરતો. સાત તત્વને ચિંતવતે અને સમકિતને પાળતો કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયે.
આ ભરતક્ષેત્રમાં વિનીતા નામે શ્રેષ્ઠ નગરી છે. જે નગરીને યુગાદિ પ્રભુને માટે દેવતાઓએ પૂર્વે વસાવેલી હતી. તેમાં શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરત, નવ નિધિ અને ચોદ રનના સ્વામી ચક્રવતી થયા હતા. તેને ઘેર આ ગ્રામચિંતક નયસારને જીવ પુત્રપણે અવતર્યો. તે આસપાસ મરિચિ (કિરણો)ને ફેલાવતો હતો તેથી તેનું મરિચિ એવું નામ પાડયું હતું. એક વખતે શ્રી કૃષભસ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે મરિચિ પણ ગમે ત્યાં દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જેઈને અને ધર્મ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. સારી રીતે યતિધર્મને જાણીને પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ થયેલા ત્રિગુપ્તિ તથા પંચ સમિતિને ધરતા અને કષાયને વજેતા એ મહાવ્રતી મરિચિ મુનિ સ્થવિર સાધુઓની પાસે એકાદશ અંગને ભણતા શ્રી ઋષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા.
એ પ્રમાણે ઘણા કાળ પર્યત વિહાર કરતાં અન્યદા ગ્રીષ્મઋતુ આવી. તે સમયે અતિ દારૂણ સૂર્યના કિરણો પડવાથી તપેલી પૃથ્વીની રજ વટેમાર્ગના ચરણના નખને રાંધી નાંખવા લાગી. તે વખતે જેના સર્વ અંગ સ્વેદથી આ થઈ ગયા છે અને પહેરેલાં બે વસ્ત્રો મળવડે લિપ્ત બની ગયા છે એવા તે મરિચિ મુનિ તૃષાથી પીડિત થયા છતા તત્કાળ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહીં તેવા આ સાધુપણાના ગુણોને વહન કરવાને હવે હું સમર્થ નથી; કારણ કે હું તે નિર્ગુણી અને ભવની આકાંક્ષાવાળો છું. પણ હવે વ્રતનૉ ત્યાગ પણ શી રીતે થાય? કેમકે ત્યાગ કરવાથી તે લેકમાં લજજા પ્રાપ્ત થાય તેમ છે. પણ એ એક ઉપાય છે કે જેથી વ્રત પણ કાંઈક રહે અને આવો શ્રમ પડે નહીં. આ શ્રમણ ભગવંતે ત્રિદંડથી વિરક્ત છે અને હું તે દંડથી જીતાયેલો છું. તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. આ સાધુઓ કેશના લોચથી મુંડ છે અને હું તે શસ્ત્રવડે કેશને મુંડાવવાવાળા તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુઓ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિએ નિષ્કિચન છે અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મોહરહિત છે અને હું મોહવડે આચ્છાદિત હોવાથી છત્રવાળો થાઉં. આ મહર્ષિઓ ઉપનિહરાહત ૧ મનદંડ, વચનદડ, કાયદડ.
Page #18
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૩
થઈ વિચરે છે પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાનહ રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શીળવડે સુગંધી નથી તેથી મારે સુગંધને માટે શ્રીખંડ ચંદનના તિલકે થાઓ. આ મહર્ષિએ કષાયરહિત હોવાથી શુકલ અને જીર્ણ વસ્ત્રધારી છે તે કષાયવાળા એવા મારે કષાય (રંગેલા) વસ્ત્રો છે. આ મુનિઓએ તો ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્ત જળને આરંભ ત્યજ્ય છે. પણ મારે મિત જળથી નાનપાન થાઓ.” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરીને કષ્ટથી કાયર એવા મરિચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો.
મરિચિનો આવો નવીન વેષ જોઈને બધા લે કે તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તે શ્રી જિનેએ કહેલા સાધુધર્મને કહેતો હતો. પછી લો કે તેને પુનઃ પૂછતા કે “તમે તેવા સાધુધર્મને કેમ આચરતા નથી ?” ત્યારે તે કહેતા કે “તે મેરૂના ભાર જેવા સાધુધર્મને વહન કરવાને હું સમર્થ નથી.” પોતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામી જે ભવ્યજને સાધુ થવા ઈચ્છતા તેને મરિચિ શ્રી ઋષભદેવ પ્રભુને સોંપી દેતે હતો. આવા આચારવાળે મરિચિ પ્રભુની સાથે વિહાર કરતો હતો.
એક વખતે પ્રભુ ફરીવાર વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરતચકીએ પ્રભુ પાસે આવી ભાવી અરિહંતાદિ સંબંધી પૂછ્યું, એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહંત, ચક્રવતી, વાસુદેવ અને બલદેવ કહી બતાવ્યા. પછી ભરતે ફરીવાર પૂછયું કે –“હે નાથ ! આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં આ વીશમાં તીર્થકર થનાર કોઈ ભવ્ય જન છે?” તે વખતે પ્રભુ મરિચિને બતાવીને બેલ્યા કે-આ તારે પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલલા તીર્થકર થશે. વળી પિતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ અને વિદેહ ક્ષેત્રને વિષે મૂકાપુરીમાં પ્રિયમિવ નામે ચક્રવતી થશે.” તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે “શ્રી ઋષભપ્રભના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશો. પિતનપુરમાં ત્રિપુટ નામે પહેલી વાસુદેવ થશે અને વિદેહક્ષેત્રની મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે. તમે સંન્યાસી છે તેથી હું તમને વાંદત નથી, પણ ભાવી તીર્થકર છે તેથી તમને વંદન કરું છું' આ પ્રમાણે કહી વિનયવાનું ભરતકી પ્રભુને ફરીવાર વંદના કરીને હર્ષ પામતા વિનીતાનગરીમાં આવ્યા.
મરિચિ ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી હર્ષથી ત્રણવાર ત્રિપદી વગાડીને નાચવા લાગે, અને ઉંચે સ્વરે કહેવા લાગ્યું કે, “પતનપુરમાં હું પહેલે વાસુદેવ થઈશ, મૂકાનગરીમાં ચક્રવતી થઈશ અને પછી ચરમ તીર્થંકર થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે? હું વાસુદેવામાં પહેલે, મારા પિતા ચક્રવતીઓમાં પહેલા અને મારા પિતામહ તીર્થકરોમાં પ્રથમ. અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે ?” એવી રીતે વારંવાર ભુજાસ્કેટ કરી જાતિમદ કરતાં મરિચિએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું.
શ્રી કષભસ્વામીના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતા મરિચિ ભવ્ય જનને બોધ કરી કરીને સાધુઓની પાસે મોકલતે હતે. એક વખતે મરિચિ વ્યાધિગ્રસ્ત છે. તે વખતે આ સંયમી નથી, એવું ધારીને બીજા સાધુઓએ તેની આશ્વાસના કરી નહીં, તેથી ગ્લાનિ પામીને મરિચિએ મનમાં વિચાર્યું કે, “અહો ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થ માંજ ઉદ્યમવંત અને લેકવ્યવહારથી વિમુખ છે તેમને
Page #19
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળો અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તો દૂર રહ્યું પણ તેઓ સામું પણ જોતા નથી, પરંતુ મારે આવું ખરાબ ચિંતન ન કરવું જોઈએ. કારણ કે આ સાધુઓ પોતાના શરીરની પણ પરિચર્યા કરતા નથી તો મારી જેવા બ્રણની પરિચર્યા તે કેમ કરે ? માટે હવે જે હું આ વ્યાધિમાંથી મુક્ત થાઉં તે પછી કોઈ મારી સેવા કરે તેવો એક શિષ્ય કરું કે જે આવું જ લિંગ ધારણ કરે.” આ પ્રમાણે ચિતવત મિરિચિ દેવગે સાજો થયે. એક વખતે તેને કપિલ નામે કુલપુત્ર મળ્યો. તે ધમને અથી હતું, તેથી તેણે કપિલને આહંત ધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યું કે “તમે પોતે એ ધમ કેમ આચરતા નથી ? મરિચિ બે કે હું તે ધર્મ પાળવાને સમર્થ નથી. કપિલે કહ્યું કે “ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી?’ આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણુ શિષ્યને ઈચ્છતો મરિચિ બોલ્યો કે જેના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” પછી કપિલ તેને શિષ્ય છે. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કટાકેટી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. તે પાપની કાંઈ પણ આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુ પામીને મરિચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે. કપિલ પણ આસૂર્ય વિગેરેને પિતાના શિષ્યો કરી તેમને પિતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો, અને તેણે આસૂર્ય વિગેરેને પોતાને સાંખ્ય મત જણાવ્યું. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવત્યું. કેમકે લે કે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં જ પ્રવો છે.
મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાંથી રવીને કલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળ કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં સૂગ વગરના તે બ્રાહ્મણે ઘણા કાળ નિર્ગમન કર્યો. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામી ઘણું ભવમાં ભમીને તે સ્થણા નામના સ્થાનમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયું. ત્યાં પણ ત્રિદંડી થઈ બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય નિગમી સૌધર્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી ચત્ય નામના સ્થાનમાં તે ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અન્યોત નામે બ્રાહ્મણ થયે. ત્યાં પૂર્વની જેમ ત્રિદંડી થયો. પછી મૃત્યુ પામી ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળે દેવતા થશે. ત્યાંથી ચ્યવી મદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લા બે પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી સનતકુમાર દેવકમાં મધ્યમાયુ દેવતા થશે. ત્યાંથી ચ્યવીને વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થશે. તે ભવમાં પણ ત્રિદંડી થઈ ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને માહે ક૯૫માં મધ્યમ સ્થિતિએ દેવતા થયે. ત્યાંથી ચવીને ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં ત્રિદંડી થઈ ચેત્રીશ લાખ પૂવનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં મધ્યમાયુષ્યવાળે દેવતા થયા. ત્યાંથી રવીને તેણે ઘણા ભવમાં પરિભ્રમણ કર્યું. કારણ કે “પોતાના કર્મના પરિણામથી પ્રાણી અનંત ભવમાં બ્રમણ કરનારે થાય છે.'
રાજગૃહ નગરમાં વિશ્વનંદી નામે રાજા હતો. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખનંદી નામે એક પુત્ર થયે. તે રાજાને વિશાખભૂતિ નામે એક નાનો ભાઈ યુવરાજ હિતે. તે યુવરાજને ધારિણી નામે સ્ત્રી હતી. મરિચિને જીવ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા
Page #20
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
શુભ કમ થી તે વિશાખભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યાં. તે વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા. એક વખતે નંદન વનમાં દેવકુમારની જેમ તે વિશ્વભૂતિ અંતઃપુર સહિત પુષ્પકર ડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે ક્રીડા કરતા હતા તેવામાં રાજાના પુત્ર વિશાખનંદી ક્રીડા કરવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. પણ વિધ્ધભૂતિ અંદર હાવાથી તે બહાર રહ્યો. તે સમયે પુષ્પ લેવાને તેની માતાની દાસીએ આવી, તેમણે તે વિશ્વભૂતિ અને વિશાખનદીને અંદર ને બહાર રહેલા જોયા. દાસીએ પાસેથી એ ખખર સાંભળી પ્રિયંગુ રાણી કાપ પામી રીસાઈને બેસવાના ઘરમાં જઇને બેઠી. રાજાએ રાણીની ઇચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાની ભેરી વગડાવી; અને કપટવડે સભામાં કહ્યું કે ‘આપણા પુરૂષસહુ નામના સામત. ઉદ્ધૃત થઈ ગયા છે, માટે તેને વિજય કરવાને હું જઈશ.' તે ખબર સાંભળી સરલ સ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજસભામાં આવ્યા અને ભક્તિવડે રાજાને નિવારી પાતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરૂષસહુ સામંતની પાસે ગયા, ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પાતે પાછા વળ્યા. માગ માં પુષ્પકર ડક વન પાસે આવ્યે; ત્યાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખની કુમાર છે, તે સાંભળી તે ચિંતવવા લાગ્યા કે ‘મને કપટવડે પુષ્પકર ડક વનમાંથી કાઢવ્યો.’ પછી તેણે કેાધ પામી મુષ્ટિવડે એક કાઠાના વૃક્ષપર પ્રહાર કર્યાં. જેથી તેના સર્વાં ફળો તૂટી પડવાથી પૃથ્વી બધી આચ્છાદિત થઈ ગઈ. તે બતાવીને વિશ્વભૂતિ દ્વારપાળ પ્રત્યે ખેલ્યા કે–‘જો વડિલ પિતાશ્રી ઉપર મારી ભક્તિન હેાત તો હું આ કાઠાનાં ફળની જેમ તમારા સના મસ્તકો ભૂમિપર પાડી નાંખત, પણ તેમના પરની ભક્તિથી હું એમ કરી શકતા નથી. પરંતુ આ વચનાયુક્ત ભાગની મારે જરૂર જ નથી.’ એમ એલ તે સ ંભૂતિ મુનિની પાસે ગયા અને ચારિત્ર ગ્રહણ કર્યું'. તેને દીક્ષિત થયેલા સાંભળી વિશ્વનન્દીરાજા અનુજબંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમી ખમાવીને રાજ્ય લેવાને માટે પ્રાર્થના કરી, પરંતુ વિધ્ધભૂતિને રાજયની ઇચ્છા વગરના જાણી રાજા પેાતાને ઘેર ગયા અને વિશ્વભૂતિ મુનિએ ગુરૂની સાથે ખીજે વિહાર કર્યા.
તપસ્યાથી અતિ કૃશ થયેલા અને ગુરૂની આજ્ઞાવડે એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ અન્યદા મથુરાપુરીએ આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવાને માટે વિશાખનંદી રાજપુત્ર પણ મથુરામાં આવ્યા હતા. વિશ્વભૂતિ મુનિ માસખમણને અંતે પારણું કરવા માટે નગરીમાં વહેારવા પેઠા. જ્યાં વિશાખનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસેાએ આ વિશ્ર્વભૂતિ કુમાર જાય' એમ કહી વિશાખન દીને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતાંજ વિશાખન ંદીને કાપ ચડયા. તેવામાં વિશ્વભૂતિ મુનિ કોઇક ગાયની સાથે અથડાવાથી પૃથ્વીપર પડી ગયા. તે જોઇને ‘કાઠાંના ફળાને પાડવાનુ તારુ બળ કથાં ગળ્યુ' ?’ એમ કહી વિશાખનંદી હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિએ ક્રેાધવડે તે ગાયને શી ગડાવતી પકડીને આકાશમાં ભમાવી. પછી એવું નિયાણું કર્યુ” કે. “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણા પરાક્રમવાળા થઈ આ વિશાખનંદીના મૃત્યુને માટે થાઉં,” પછી કેાટી વર્ષનુ' આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલેાચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલાકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયો.
આ ભરતક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં રિપુપ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નાથી સૂચિત થયેલા અચલ નામે એક ખલભદ્ર પુત્ર થયા, અને મૃગાવતી નામે મૃગલાચના પુત્રી થઇ. એક વખતે યૌવનવતી
Page #21
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
અને રૂપવતી એવી તે બાળા જ્યારે પિતાને પ્રણામ કરવાને ગઈ ત્યારે તેણીને પિતાના ઉલ્લંગમાં બેસાડી. પછી તેણીની સાથે પોતે પાણિગ્રહણ કરવાને ઉપાય વિચારીને તેને વિદાય કરી. "
રિપુપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધ જનોને બોલાવીને પૂછયું કે, “આપણું સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય? તેનો નિર્ણય બતાવો.' તેઓએ કહ્યું કે, “તે રન તમારું કહેવાય.” એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લે કે લજજા પામ્યા. રાજા ગાંધર્વ વિધિથી મૃગાવતી પુત્રીને સ્વયમેવ પરણ્યો. તે જોઈ લજજા અને ક્રોધથી આકુલ થયેલી ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલકુમારને સાથે લઈને નગર બહાર નીકળી દક્ષિણ તરફ ચાલી. અચલ કુમારે ત્યાં માહેશ્વરી નામે નવી નગરી વસાવી. તેમાં પોતાની માતાને રાખી, અને પેતે પિતાની પાસે ગયો, તેનો પિતા હરિપુપ્રતિશત્રુ) પિતાની પુત્રીરૂપ પ્રજાને પતિ થયે તેથી બધા લોકે તેને પ્રજાપતિ એવે નામે બોલાવવા લાગ્યા. “કર્મની ગતિ બલવાનું છે.”
હવે વિશ્વભૂતિને જીવ મહાશુક દેવલોકમાંથી ત્ર્યવી સાતે સ્વપ્નોએ જેનું વાસુદેવપણું સૂચવ્યું છે એ તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સમય આવતાં મૃગાવતીએ પ્રથમ વાસુદેવને જન્મ આપ્યો. તેના પૃષ્ટ ભાગમાં ત્રણ પાંસળીઓ હતી, તેથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ પાડયું. તે એંશી ધનુષ્યની કાયાવાળા થઈ અચલની સાથે રમવા લાગ્યા. પછી સર્વ કળાઓનું અધ્યયન કરી અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. - વિશાખનંદીને જીવ અનેક ભવમાં પરિભ્રમણ કરી તુંગગિરિમાં કેશરીસિંહ થશે. તે શંખપુરના પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યું. તે સમયે અશ્વગ્રીવ નામનું પ્રતિવાસુદેવે એક નિમિત્તિઓને પૂછ્યું કે, મારું મૃત્યુ કેનાથી થશે?” એટલે નિમિત્તિઓએ કહ્યું કે, જે તારા ચડવેગ નામના દૂત ઉપર ધસારો કરશે અને તું ગિરિ પર રહેલા કેશરીસિંહને જે એક લીલા માત્રમાં હણી નાખશે, તે તને મારનાર થશે.” પછી અશ્વીવ રાજાએ શખપુરમાં શાળીના ક્ષેત્ર વવરાવ્યા અને તેની રક્ષાને માટે પિતાના તાબાના રાજાઓને વારા પ્રમાણે રહેવાની આજ્ઞા કરી. એકદા તેના સાંભળવામાં આવ્યું કે, “પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પત્ર છે.” તેથી કોઈ પ્રકારના સ્વાર્થને માટે તેની પાસે તેણે પિતાના ચંડવેગ દૂતને મોકલ્યા. રાજા પ્રજાપતિ પોતાની સભામાં બેસીને સંગીત કરાવતો હતો, ત્યાં પોતાના સ્વામીના બળથી ઉમત્ત થયેલા ચંડવેગ (ત એકમાતું આવી પહોંચ્યા. જેમ આગમનું અધ્યયન કરતાં અકાળે વિજળી થાય અને વિદન આવી પડે તેમ તે સંગીતમાં વિદન રૂપ થયે અને તત્કાળ રાજા ઊભે થયે. બે કુમારોએ મંત્રીને પૂછયું કે, “આ કોણ છે?” એટલે મંત્રી છે, “આ દૂત મહા પરાક્રમી અશ્વગ્રીવ રાજાના પ્રધાનરૂપ છે.” પછી અચલ અને ત્રિપુષ્ટ પિતાના પુરુષોને આજ્ઞા કરી કે, “જયારે આ હૂત અહીંથી જાય ત્યારે અમોને જણાવજો.” પ્રજાપતિ રાજાએ તે દૂતને કેટલાક દિવસ રોકી સંસ્કાર કરીને વિદાય કર્યો, એટલે તે ત્યાંથી ચાલ્યું. તેના ખબર કુમારના માણસે એ આવીને કુમારને આપ્યા. કુમારે તેને અધે માર્ગે આડા ફર્યા અને પિતાના સુભટ પાસે તેને સારી પેઠે માર મરાવ્યું. તે વખતે તેના સહાય. કારી સુભટો સાથે હતા તે કાકપક્ષીની જેમ ત્યાંથી તત્કાળ પલાયન કરી ગયા. તે ખબર પ્રજાપતિ રાજાને પડ્યા એટલે તેણે ચંડવેગને પાછો પોતાની પાસે બોલાવ્યો અને અધિક સત્કાર કરીને કહ્યું કે, હે ચંડવેગ ! આ મારા કુમારનો અવિનય આપણું સ્વામી અશ્વ
૧ આ વીશીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા નવ વાસુદેવામાં પહેલે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પવ ૧૦ મુ
ગ્રીવને કહેશે નહીં. કારણ કે અજ્ઞાનથી થયેલા દુવિનયવડે મહાશય પુરુષો કાપ કરતા નથી.’દ્ભુત ‘અહુ સારુ'' એમ કહી ત્યાંથી ચાલ્યા. પણ જે તેની સાથે સુભદ્રા હતા, તેએએ આગળથી જઇને અશ્વત્રીવ રાજાને આ સર્વ વૃત્તાંત જણાવી દીધા. ‘અશ્વીને તે વાર્તા જાણી છે’ એમ સમજવામાં આવવાથી અસત્ય બેલવાથી ભય પામેલા ચડવેગે પણ પેાતાની ઉપર જે ઉપદ્રવ થયા હતા, તેની વાર્તા યથાર્થ રીતે કહી બતાવી.
७
પછી અશ્વત્રીને બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, ‘તમે તુંગિરિ જઈને સિંહથી શાળીના ક્ષેત્રની રક્ષા કરે. આવી અશ્વત્રીવ રાજાની આજ્ઞા છે.’ તે સાંભળી પ્રજાપતિ રાજાએ પેાતાના કુમારાને કહ્યું કે, ‘તમે આપણા સ્વામી અશ્વપ્રીવને કાપાગ્યેા તેથી તેણે વારા વગર પણ સિંહથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની આજ્ઞા કરી,’ આ પ્રમાણે કહીને પ્રજાપતિરાજાએ ત્યાં જવા તૈયારી કરી, એટલે બને કુમાર તેને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંખપુર તરફ ચાલ્યા. ત્રિપૃષ્ઠે ત્યાં પહેાંચ્યા પછી તે શાળીક્ષેત્રના રક્ષક ગેલેાકેાને પૂછ્યું કે, ‘બીજા રાજાઓ અહી આવે છે તે આ સિદ્ધથી કેવી રીતે રક્ષા કરે છે ? અને તેટલીવાર સુધી કયાં રહે છે ?” ગાપલોકા ખેલ્યાબીજા રાજાએ પ્રત્યેક વર્ષે વારેવારે આવે છે તે જયાં સુધી આ શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુર'ગ સેનાના શાળીક્ષેત્ર ફરતા કિલ્લા કરીને તેની રક્ષા કરે છે.’ ત્રિપૃષ્ટ કહ્યું કે, ‘એટલીવાર સુધી-અહીં કાણુ ખાટી થાય, માટે મને તે સિંહ બતાવા કે જેથી હુ એકલા જ તેને મારી નાખું.’ પછી તેઓએ તુ`ગિરિની ગુહામાં રહેલા સિંહને ખતાબ્યા. રામ અને વાસુદેવ અશ્વરથમાં બેસીને તે ગુડ્ડા પાસે આવ્યા. એટલે તે ગુહાની પાસે લાકાએ કાલાહલ કર્યાં. તે સાંભળી બગાસાંથી મુખને ફાડતો કેશરીસિંહ બહાર નીકળ્યો. તેને જોઈ ‘આ સિંહ પેદલ છે અને હું થી છું, માટે અમારા બ ંનેનું યુદ્ધ સમાન કહેવાય નહી’’ એમ ધારી ત્રિપૃષ્ટ હાથમાં હૉલ તલવાર લઈને રથમાંથી નીચે ઉતરી પડયો. વળી ક્રીવાર વિચાયું... કે, ‘આ સિ’હને દાઢ અને નખ માત્રજ શસ્ર રૂપ છે અને મારી પાસે તા ઢાલ તલવાર છે, તેથી એ પણ ઉચિત નથી.’ એવુ ધારી ત્રિપૃષ્ણે ઢાલ તલવાર પણ છેડી દીધા. તે જોઈને તે કેશરીને જાતિમરણ થયું. તેથી તેણે ચિંતવ્યું કે, પ્રથમ તે આ પુરુષ એકલા મારી ગુહા પાસે આવ્યા તે ધ્રીપણુ, બીજુ રથમાંથી નીચે ઉતર્યા તે ધીપણું અને ત્રીજું શસ્ત્ર છેાડી દીધાં તે ધીપણું, માટે મદાંધ હાથીની જેમ અતિ દુઃ એવા આ ત્રિપુષ્ટને હું મારી નાંખું.' આમ વિચારી મુખ ફાડીને એ સિંહ ફાળ ભરી ત્રિપૃષ્ટ ઉપર કૂદી પડયા. એટલે ત્રિપુષ્ટ એક હાથે ઉપરના અને ખીજે હાથે નીચેના હોઠ પકડીને જીણુ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યા. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણુ અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. લાકો વિસ્મય પામી સાધુ, એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે ‘અહા ! આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ માર્યા ?’ એવા અમથી તે સિ ંહ એ ભાગે થયા છતા પણ ધ્રૂજવા લાગ્યા. એટલે ચરમ તીર્થંકરના જીવ તે વાસુદેવના સારથિ ગૌતમ ગણધરના જીવ હતા તેણે સ્ફુરણાયમાન થતા સિ ંહ પ્રત્યે કહ્યુ અરે સિંહ ! જેમ તું પશુઓમાં સિંહ છું, તેમ આ ત્રિપૃષ્ટ મનુષ્યમાં સિંહ છે, તેણે તને માર્યા છે તેથી તું વૃથા અપમાન શો માટે માને છે ? કેમકે કોઈ હીન પુરુષે તને માર્યા નથી.’ આ પ્રમાણે અમૃત જેવી તે સારથિની વાણી સાંભળી પ્રસન્ન થઈ ને તે સિંહ મૃત્યુ પામ્યા અને ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. તેનું ચર્મ લઇ બંને કુમાર પોતાના નગર તરફ ચાલ્યા અને પેલા ગામડીઆ લોકોને કહ્યું કે “તમે આ ખખર અશ્વત્રીવને આપે અને
Page #23
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
કહે કે, હવે તું ઈચ્છા પ્રમાણે શાળી ખા અને વિશ્વાસ ધરીને રહે. કારણ કે, તારા હદયમાં શલ્યરૂપ જે કેશરી હતો તેને મારી નાંખે છે. આ પ્રમાણે કહી તે બંને કુમારે પોતનપુર ગયા અને પેલા ગ્રામ્ય લોકોએ તે વૃત્તાંત અધિગ્રીવને જણાવ્યું.
અશ્વગ્રીવ રાજા હવે ત્રિપૃષ્ટથી શંકા પામવા લાગે. એટલે કપટ વડે તેઓને મારી નાંખવાની ઈચ્છાથી તેણે એક વ્રતને સમજાવીને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. તે દૂત ત્યાં જઈને બોલ્યો કે, રાજન્ ! તમારા બે પુત્રોને અગ્રીવ પાસે મોકલો. અમારા સ્વામી તે બંનેને જુદું જુદું રાજ આપશે.” પ્રજાપતિ બોલ્યો-“હે સુંદર દ્રત ! મારા કુમારની શી જરૂર છે? હું પોતે જ સ્વામી પાસે આવીશ. દૂતે પુનઃ કહ્યું કે, “જે. તમે કુમારોને ન મોકલે, તો યુદ્ધ કરવાને સજજ થજો, પછી કહ્યું નહોતું એમ કહેશે નહિ.” આ પ્રમાણે કહેતા તે દ્વત ઉપર કુમારે એ ક્રોધવડે ધસારો કરીને તેને ક્ષણવારમાં નગરની બહાર કાઢી મૂક્યો. ફતે આવીને તે વાર્તા અગ્રીવને કહી સંભળાવી. એટલે અગ્રીવ કોપથી અગ્નિની જેમ પ્રજ્વલિત થયો.
હયગ્રીવ રાજા અને ત્રિપૃષ્ટ તથા અચલ યુદ્ધની ઈચ્છાથી પોતપોતાના સૈન્યને લઈને રથાવત્તગિરિ પાસે આવ્યા. સંવર્નમેઘની જેમ પરસ્પર અથડાતા બંને પક્ષના સૈનિકે માંહોમાંહી યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે સૈનિકોનો ક્ષય થવા આવ્યું ત્યારે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ણ બંને સૈન્યના યુદ્ધને અટકાવીને પોતેજ રથી થઈ યુદ્ધ કરવા લાગ્યા. અવીવના સર્વ અસ્ત્રો નિષ્ફલ થતાં તેણે શત્રુની ગ્રીવાને છેદવામાં લંપટ એવું ચક્ર ત્રિપૃષ્ટની ઉપર મૂકયું. તે વખતે લો કે એ હાહાકાર કર્યો. તે ચક્ર જેમ અષ્ટાપદ જનાવર પર્વતના શિખર ઉપર પડે તેમ તંબ ભાગથી ત્રિપૃથ્યના ઉરસ્થળ પર પડયું. પછી વીરશ્રેષ્ઠ ત્રિપૃષ્ણે તે ચક્ર હાથમાં લઈ તેના વડે કમળનાળની જેમ લીલામાત્રમાં અશ્વગ્રીવના કંઠને છેદી નાખે.
તે વખતે “આ અચલ અને ત્રિપૃષ્ટ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે' એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિપૂર્વક આઘે.ષણા કરી. તત્કાળ સર્વ રાજાઓ એ આવીને તેમને પ્રણામ કર્યો. પછી તે બંને વીરેએ પોતાના પરાક્રમથી દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. તે પ્રથમ વાસદેવે પિતાની ભૂજાવડે કટીશિલાને ઉપાડીને છત્રની જેમ લીલામાત્રમાં મસ્તક સુધી ઊંચી કરી. પછી સર્વ ભૂચકને પરાક્રમથી દબાવીને તે પોતનપુર ગયા. ત્યાં દેવતાઓ એ અને રાજાઓએ તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. જે જે રત્નવસ્તુ તેનાથી દૂર હતી, તે સર્વ ત્રિપૃષ્ટ પાસે આવીને તેને આશ્રિત થઈ. તેમાં ગોયકોમાં રત્નરૂપ કેટલાક મધુર સ્વરવાળા ગાયકો પણ ત્રિપૃષ્ઠની પાસે આવ્યા. એક વખતે તે ગાયકો ગાતા હતા અને વાસુદેવ શયન કરતા હતા, તે વખતે તેમણે પોતાના શય્યાપાળને આજ્ઞા કરી કે, “આ ગાયકો ગાય છે તેઓને મારા ઊંઘી ગયા પછી રજા આપવી.” શવ્યાપાળે “બહુ સારું , એમ કહ્યું. પછી ત્રિપૃષ્ટને તે નિદ્રા આવી ગઈ, પણ તે ગાયના મધુર ગાયનમાં લુબ્ધ થયેલા શવ્યાપાળે તે ગાયકને વિદાય કર્યા નહિ. એમ કરતાં પ્રાત:કાળ થવા આવ્યા એટલે વાસુદેવ ઊઠયા. તેમણે ગાયકોને ગાતાં જોઈ શવ્યાપાળને કહ્યું કે, “તેં આ ગાયકોને કેમ વિદાય કર્યા નહીં?” તે બે -“સ્વામી ! ગાયનના લોભથી, આ ઉત્તર સાંભળી, વાસુદેવને કેપ ચડે. તેથી પ્રાત:કાળે તેને કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. તેથી તે શય્યાપાળ મરણ પા. તે કૃત્યથી ત્રિપુટે અશાતા વેદનીય કમ નિકાચિત બાંધ્યું તે સિવાય તે ભવમાં પ્રભુપણાને લીધે તેણે બીજું પણ ઘણું મહા માઠા પરિણામવાળું ઉગ્ર કર્મ બાંધ્યું. એ પ્રજાપતિ
Page #24
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું રાજાના પુત્ર ત્રિપૃષ્ણ હિંસાદિકમાં અવિરતપણે અને મહા આરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે
રાશી લાખ વર્ષ નિર્ગમન કર્યા. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નરકમાં નારકી થયે અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈ મૃત્યુ પામીને મોક્ષે ગયા.
ત્રિપૃષ્ણનો જીવ નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયે. તે મૃત્યુ પામી ચોથી નરકે ગયે. તેવી રીતે તે તિર્યંચ અને મનુષ્યાદિ ગતિમાં ઘણું ભવ ભમ્યો. પછી મનુષ્યજન્મ પામીને તેણે શુભ કર્મ ઉપાર્જન કર્યું, તેથી તે અપરવિદેહમાં મૂકાનગરીને વિષે ધનંજય રાજાની ધારિણી નામની રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ચૌદ સ્વએ જેની ચક્રવત્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ ગ્ય સમયે જન્મ આપ્યો. માતાપિતાએ તેનું પ્રિય મિત્ર એવું નામ પાડયું. માતાપિતાના મને રથની સાથે તે અનુક્રમે મોટો થયો. સંસારથી નિર્વેદ પામેલા ધનંજય રાજાએ પ્રિય મિત્રને રાજ્યપર બેસાડીને દીક્ષા લીધી. પ્રિયાની જેમ ભૂમિને પાળતા પ્રિય મિત્ર રાજાને અનુક્રમે ચૌદ મહારત્નનો ઉત્પન્ન થયા. પછી ચક્રના માર્ગને અનુસરીને પખંડ વિજય કરવા ચાલ્યા.
પ્રથમ પૂર્વાભિમુખ ચાલી માગધતીથે આવ્યા. ત્યાં અષ્ટમ તપ કરી ચતુરંગ સેના સહિત પડાવ કર્યો. અષ્ટમને અંતે રથારૂઢ થઈ, થોડે દૂર જઈને તેણે ધનુષ્ય હાથમાં લીધું. પછી એ મહાભુજે માગધતીર્થકુમાર દેવને ઉદ્દેશીને પિતાના નામથી અંકિત ગરૂડના જેવું એક બાણ તેના તરફ ફેંકયુંતે બાણ આકાશમાં બાર યોજન પર્યત જઈને માગધદેવની આગળ ઉત્પાત વજીની જેમ પડયું. તે વખતે મરવાને ઇચ્છતા એવા કોણે આ બાણ નાંખ્યું ? એમ ચિંતવતા માગધદેવે કોપથી ઊઠીને તે બાણ હાથમાં લીધું. એટલે તેની ઉપર ચક્રવર્તીના નામના અક્ષરની શ્રેણી જોઈને તે ક્ષણવારમાં શાંત થઈ ગયો. પછી કેટલીક ભેટે લઈને તે પ્રિયમિત્ર ચકીની પાસે આવ્યો. અને “હું તમારે આજ્ઞાધારી છું” એમ બોલતો આકાશમાં ઊભે રહ્યો. ઉપાય જાણનારા તેણે વિવિધ ભેટોથી ચક્રવતીની પૂજા કરી. ચક્રવતીએ તેનો સત્કાર કરીને વિદાય કર્યો અને પોતે પાછા વળીને પારણું કર્યું. તેમજ તે માગધદેવને નિમિત્તે ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી કર્ક રાશિના સૂર્યની જેમ ચક્રવતી દક્ષિણ દિશા તરફ ગયા. ત્યાં વરદામ નામના દેવને પૂર્વની જેમ સાધી લીધે. ત્યાંથી પશ્ચિમ તરફ જઈ પ્રભાસપતિને સાધ્યો. પછી સિંધુ નદી સમિપે ગયા. ત્યાં જેમણે અષ્ઠમતપ કર્યું છે એવા ચક્રવતી પાસે સિંધુદેવીએ પ્રત્યક્ષ થઈને બે દિવ્ય રત્નમય ભદ્રાસને અને દિવ્ય આભૂષણે આપ્યા. તે દેવીને વિદાય કરીને ચક્રના માર્ગને અનુસરતા ચક્રી વૈતાથગિરિ પાસે આવ્યા. ત્યાં અષ્ટમ કરીને વૈતાઢયાદ્રીકુમાર નામના દેવને સાધી લીધે. પછી તમિસ્રા ગુહા સમીપે જઈ અષ્ટમ તપ કર્યું. એટલે ત્યાં રહેલા કૃતમાળ દેવે સ્ત્રીરત્નને એગ્ય એવાં બીજા આભૂષણ આપ્યાં. સેનાપતિએ ચક્રીની આજ્ઞાથી ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરીને લીલા માત્રમાં તેનું પ્રથમ નિષ્ફટ સાધી લીધું. ત્યાંથી પાછા આવી ચક્રીની આજ્ઞાથી અષ્ટમતપ કરીને દંડરત્નની ઘાત વડે તેણે તમસાનું દ્વાર ઊઘાડયું. પછી ચક્રવતી ગજરનપર આરૂઢ થઈ, તેના દક્ષિણ કુંભસ્થળ ઉપર પ્રકાશને અર્થે મણિરત્ન મૂકીને તમિસા ગુહામાં પેઠા. ત્યાં કાકણ રનથી ગુહાની બંને બાજુએ પ્રકાશને માટે સૂર્યમંડલ જેવા માંડલા કરતા ચક્રવતી ચક્રને અનુસરતા ચાલ્યા. પછી ઉન્મશ્રા અને નિમગ્ના નદીપર પાજ બંધાવી. તેના વડે તે નદી ઉતરીને પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુફાના ઉત્તરદ્વારથી ચક્રી બહાર નીકળ્યા. ત્યાં ચક્રવતીએ આપાત જાતિના કિરાત લોકોને જીતી લીધા અને સેનાપતિ પાસે ગંગા નદીનું પ્રથમ
Page #25
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે નિષ્ફટ સધાવ્યું. પિતે અષ્ટમભક્ત કરીને ગંગાદેવીને સાધી. પછી ગુફાના અધિષ્ઠાયક દેવને સાધીને સેનાપતિ પાસે સિંધુનું બીજુ નિષ્ફટ સધાવી ચક્રને અનુસરી ત્યાંથી પાછા ફરી વૈતાઢયગિરિ પાસે આવ્યા. ત્યાં વૈતાઢય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરને વશ કરી લીધા. પછી ખંડપ્રપાતા ગુફાના અધિષ્ઠાયક દેવને સાધી સેના પતિ પાસે ગુહાના કમાડ ઉઘડાવીને ચક્રી રમૈન્ય સહિત વતાઢયગિરિની બહાર નીકળ્યા. પછી પ્રિય મિત્ર ચક્રવતીએ અષ્ટમ તપ કર્યો, જેથી નૈસર્પ વિગેરે નવનિધિ તેને વશ થયા. પછી સેનાપતિ પાસે ગંગાનું બીજું નિષ્ફટ સધાવી છ ખંડન વિજય કરી પ્રિય મિત્ર ચક્રવતી મૂકા નગરીએ આવ્યા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ મળી બાર વર્ષના મહોત્સવ પૂર્વક તેમના ચક્રવત્તી પણાનો અભિષેક કર્યો. પછી એ રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
* એક વખત મૂકાનગરીના ઉદ્યાનમાં પોકિલ નામના આચાર્ય સમેસર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પુત્રને રાજ્યપર બેસાડીને તેમણે દીક્ષા લીધી, અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. પછી એકંદર રાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને મહાશુક્ર દેવલોકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થયા.
મહાશુક્ર દેવલોકથી રચવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયે. તે યૌવનવાનું થતાં રાજ્યપર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદનરાજા સમૃદ્ધિથી ઈદ્રના જે થઈ યથાવિધિ પૃથ્વીપર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચિવશ લાખ વર્ષ વ્યતિક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોકિલાચાર્ય પાસે દીક્ષા લીધી.નિરંતર માસોપવાસ કરવા વડે પિતાના શ્રમણ્યને ઉત્કૃષ્ટસ્થિતિએ પહોંચાડતા નંદનમુનિ ગુરૂની સાથે ગ્રામ, આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારના અપધ્યાન (આર્ત, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ ષ)થી વર્જિત હતા; ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાય), ત્રણ પ્રકારના ગૌરવ (ઋદ્ધિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શિલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા, ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેને ઉદ્યમ અખલિત હત; પંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઈદ્રિના વિષય)ના સદા દ્રષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈદ્રિને જીતનારા હતા; ષડૂ જવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યફ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની યતિપ્રતિમાને વહન કરવાની રૂચિવાળા હતા; દુસહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદના મુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. એ મહા તપસ્વી મુનિએ અહંત ભક્તિ વિગેરે વીશ સ્થાનકના આરાધનથી દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથીજ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી. *
કાળ અને વિનય વિગેરે જે આઠ પ્રકારને જ્ઞાનાચાર કહે છે, તેમાં મને જે કોઈ પણ અતિચાર લા હોય તો તેને મન, વચન, કાયાથી હું નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારને દર્શનાચાર કહ્યો છે, તેમાં જે કંઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી સરાવું છું. લોભથી કે મોહથી મેં પ્રાણુઓની સૂક્ષ્મ કે બાદર
Page #26
--------------------------------------------------------------------------
________________
પવો ૧૦ મુ
૧૧ જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી વસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લાભ વિગેરથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત્ત આચરૂં છું. રાગ દ્વેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને સરાવું છું. પs : તિર્યંચ સંબંધી. મનષ્ય સંબંધી કે દેવ સબંધી મૈથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લોભના દેષથી ધન, ધાન્ય અને પશુ વિગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વિસરાવું છું. ઈદ્રિયેથી પરાભવ પામીને મેં રાત્રે ચતુવિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા ૧, પરનિંદા, અભ્યાખ્યાન અને બીજુ જે કાંઈ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું' મન, વચન, કાયાથી વાસરાવું છું. બાહ્ય કે અત્યંત૨ તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ નિંદુ છું. ધર્મને અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય ગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારાપર ક્ષમા કરજે. જે કઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સવમાં સમાન બદ્વિવાળે છે. તિર્યચપણમાં જે તિર્યંચો, નારકીપણામાં જે નારકીઓ, દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુખી કર્યા હોય તેઓ સર્વ મને ક્ષમા કરજે, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ-એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને શ્રી જિનદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કઈ શરણ નથી. સર્વે જી સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તો તેમાં કોણ કિંચિત્ પણ પ્રતિબંધ કરે? પ્રાણી એકલે જ જમે છે, એટલે જ મૃત્યુ પામે છે, એટલે જ સુખને અનુભવે છે અને એકલેજ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદ) છે, છતાં તેમાં મૂખ જન વૃથા મેહ રાખે છે. ચરબી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા અને મૂત્રથી પૂરાયેલા આ અશુચિના સ્થાનરૂપ શરીરમાં કયો બુદ્ધિમાન પુરૂષ મેહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત તેનું ગમે તેટલું હાલન પાલન કર્યું હોય તે પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય મરવાનું તે છે જ, પરંતુ બુદ્ધિમાનું પુરૂષે એવી રીતે મરવું કે જેથી પુન: મરવું પડે નહીં. મારે અહંત પ્રભુનું શરણ હજો, સિદ્ધ ભગવંતનું શરણ હજ, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધમનું શરણ હજો. મારે માતા શ્રી જિનધર્મ, પિતા ગુરૂ, સહોદર સાધુઓ અને સાધમ મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તીર્થકરેને અને બીજા ભરત, અરવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહં તેને હું નમું છું. તીર્થકરોને કરેલ નમસ્કાર પ્રાણુઓને સંસારના છેદને અર્થે અને બધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવંતને નમસ્કાર કરું છું, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજારે ભવને કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જેઓ સદા ભવછેદમાં ઉદ્યત થઈ
૧ ચાડી ખાવી. ૨ અછતું આળ દેવું.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
સર્ગ ૧ લે પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયીને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું, સાવદ્ય યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપધિને હું યાજજીવ મન, વચન, કાયાથી સરાવું છું. હું ચાવજછવ ચતુવિધ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉશ્વાસ સમયે દેહને પણ વિસરાવું છું.” * દુષ્કર્મની ગહેણા, પ્રાણીઓની ક્ષામણ, શુભ ભાવના, ચતુદશરણ, નમસ્કાર મરણ, અને અનેશન આ પ્રમાણે છે પ્રકારની આરાધના કરીને તે નંદને મુને પોતાના ધમોચા સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપદ શયામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પિતાની ઉપર રહેલા દેવદુષ્ય વસ્ત્રને દૂર કરી શયામાં બેસીને જોયું તે અકસ્માત્ પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા અને વિચારમાં પડ્યા કે, “આ બધું ક્યા તપથી મને પ્રાપ્ત થયું છે?” પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાને પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યા. તેથી તેમણે ચિત્તમાં ચિંતવ્યું કે, “અહો ! અદ્ધમને કે પ્રભાવ છે?” એ વખતે તેના સેવકભૂત સર્વ દેવતાઓ એકઠા થઈને ત્યાં આવ્યા અને અંજલિ જેડી હર્ષથી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા“હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામે, ચિરકાલ સુખે રહે, તમે અમારા સ્વામી છો, રક્ષક છે અને યશસ્વી છે. તમે વિજય પામો. આ તમારું વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ, આ સુંદર ઉપવને છે, આ સ્નાન કરવાની વાપિકાએ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરે કે જેથી અમે તમને અભિષેક કરીએ.” આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલવડે તેમને અભિષેક કર્યો. પછી કિંકર દેવતાએ તેમને અલંકારગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેખ્ય વસ્ત્રો, અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભૂષણ ધારણ કર્યા. પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા, ત્યાં પોતાના કપનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસે ને આઠ અ“તની પ્રતિમાઓને સનાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પોતાની સુધર્મા સભા માં આવો સંગીત કરાવ્યું અને પિતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભોગ ભેગવવા લાગ્યા.
સમકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અહં તેના કલ્યાણકને સમયે મહાવિદેહાદિ ક્ષેત્રમાં ગયા અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અંત સમયે તે ઉલટા દરેક બાબતમાં વિશેષ શેશિત થયેલા એવા તે દેવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે, પરંતુ તીર્થકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલ હોવાથી બીલકુલ મેહ પામતા નથી. 图88必忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍&&&
॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर चरितपूर्वभव
વનો નામ યમ સ
૧ જૈનશાસન. ૨. બાહ્ય ઉપધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે અને અત્યંતર ઉપધિ વિષય કપાયાદિ
Page #28
--------------------------------------------------------------------------
________________
સગર જો
શ્રી મહાવીર જન્મ અને દીક્ષા મહોત્સવ
આ જાંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લેકાનું ગામ હતુ. ત્યાં કાંડાલસ નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્તા નામે એક બ્રાહ્મણ રહેતા હતા, તેને દેવાના નામે એક જાલધર કુળની ભાર્યા હતી. આષાઢ માસની શુકલ ષષ્ઠીએ ચંદ્ર હસ્તેાત્તર (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં આવતાં નંદન મુનિના જીવ દશમા દેવલાકમાંથી ચવીને દેવાન દાની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્ન અવલેાકળ્યા. પ્રાત:કાળે તેણીએ તે પેાતાના સ્વામીને જણાવ્યા. ઋષભદત્તે તે સ'બ`ધી વિચાર કરીને કહ્યું કે, આ સ્વપ્ના જોવાથી તમારે ચાર વેદના પારગામી અને પરમ નિષ્ઠાવાળેા પુત્ર થશે, તેમાં જરા પણ સંશય નથી.’ જાણે કલ્પવૃક્ષ આવ્યુ હોય તેમ પ્રભુ જયારે દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મેાટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી ખ્યાશી દિવસ વ્યતિત થયા એટલે સોધમ દેવલાકના ઈંદ્રનું સિંહાસન કપાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવાનંદાના ગર્ભમાં આવેલા જાણી શકઈ ન્દ્ર સિહાસનથી ઊભા થઇ નમસ્કાર કરીને આ પ્રમાણે ચિતવવા લાગ્યા કે- ત્રણ જગતના ગુરૂ અર્હ 'ત કદિ પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ પુરુષમાં સિ ંહ સમાન તેઓ તે છીપમાં મેાતીની જેમ ઈક્ષ્વાકુ વિગેરે ક્ષત્રીય વશમાંજ ઉત્પન્ન થાય છે, આ પ્રભુ નીચ કુળમાં ઉત્પન્ન થયા તે તે અસંગત થયું છે; પરંતુ પ્રાચીન કને અન્યથા કરવા અર્હત પ્રભુ પણ સમથ નથી. એ પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યા હતા તેથી જે નીચ ગેાત્ર કર્યું ઉપાર્જન કર્યું હતું તે હજી પણ ઉપસ્થિત છે. પણ કર્મને વશ થઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા અહંતાને કાઇ મહાકુળમાં લઈ જવા એ સદા અમારો અધિકાર છે. ત્યારે હાલ ભરતક્ષેત્રમાં મોટા વશમાં ઉત્પન્ન થયેલ રાજા અને રાણી કોણ છે ? કે જેને ત્યાં-ડોલરના પુષ્પમાંથી કમલપુષ્પમાં ભ્રમરને લઈ જાય તેમ હું તેમને સંચાર કરાવુ', અહા ! મારા જાણવામાં આવ્યુ, આ ભરતક્ષેત્રમાં મહીમંડલના મડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર છે, જે મારા નગરના જેવું સુંદર છે. તે વિવિધ ચૈત્યાનુ સ્થળ છે, ધર્માંતુ તે એક કારણ છે, અન્યાયથી રહિત છે અને સાધુએથી પવિત્ર છે. ત્યાંના રહેવાસી લેાકેા મૃગયા અને મદ્યપાન વગેરે વ્યસનાથી અસ્પૃષ્ટ છે. તેથી તે શહેર તીની જેમ ભરતક્ષેત્રમાં જીવાને પવિત્ર કરનારૂ' છે. તે નગરમાં ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે ધમ થી જ પેાતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. તે જીવાજીવાદિ તત્ત્વાને જાણનારા છે, ન્યાયમાર્ગ ના માટો વટેમાર્ગુ છે, પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર છે, પિતાની જેમ પ્રજાના હિતકામી છે, દિન, અનાથ વિગેરે લેાકેાના ઉદ્ધાર કરવામાં ખરૂપ છે, શરણની ઇચ્છાવાળાને શરણ કરવા લાયક છે અને ક્ષત્રીયામાં શિરામણ છે. તેને સતીજનમાં શ્રેષ્ઠ, અને જેના ગુણ અને આકૃતિ સ્તુતિ કરવા ચાગ્ય છે એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે. સ્વભાવથી જ નિર્મળ અને ગુણુરૂપ તરંગેાવાળી તે દેવી સાંપ્રતકાળે ગગા નદીની જેમ પૃથ્વીને પવિત્ર
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
સગ ૨ જો
કરે છે. સ્ત્રીજન્મની સાથે જ રહેનારી માયાથી પણ અકલંકિત અને સ્વભાવે સરલા એવી તે રામા પૃથ્વીપર કૃતાર્થ નામવાળી છે. તે દેવી હાલ દૈવયેાગે ગર્ભિણી પણ છે, તેથી મારે તેના અને દેવાન દાના ગર્ભને અદલબદલ કરવા યાગ્ય છે.’'
આ પ્રમાણે વિચાર કરી ઇ પેાતાના પાયદળ સેનાપતિ નૈગમેષી દેવને ખેલાવી તેમ કરવાને સત્વર આજ્ઞા આપી. નૈગમેષી દેવે પણ તરતજ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભ ને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સુતેલી દેવાના બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા ચૌદ મહા સ્વને પેાતાના મુખમાંથી પાછા નીકળતા દીઠા, તેથી તે તરત બેઠી થઈ, પણ શરીરે નિળ અને જવરથી જર્જરિત થઈ ગઈ અને છાતી કુટતી કોઈએ મારો ગર્ભ હરી લીધા, એમ વારવાર પેાકાર કરવા લાગી. આશ્વિન માસની કૃષ્ણ વયે દશીએ ચંદ્ર હસ્તેાત્તરા નક્ષત્રમાં આવતાં તે વે પ્રભુને ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા, તે વખતે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લક્ષ્મી, માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરેાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિમ અગ્નિ-એ ચૌદ સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતા જોયા. પછી ઈ કે, તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના કહેનારા નિમિત્તિઆઓએ તે સ્વપ્નાનુ' ફળ તીથંકરના જન્મરૂપ કહ્યું. તે સાંભળી દેવી ઘણા હ પામ્યા. હર્ષ પામેલા દેવીએ અદ્ભુત ગભ ધારણ કર્યાં, પછી ક્રીડાગૃહની ભૂમિમાં પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી.
પ્રભુ ગર્ભમાં આવતાં શક્ર ઇંદ્રની આજ્ઞાથી 'ભક દેવતાએ એ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં વાર'વાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યાં. ગર્ભ માં અવતરેલા ભગવંતના પ્રભાવથી તેનું આખું કુળ ધન, ધાન્યની સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. જે રાજાએ ગવથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહાતા, તેએ હાથમાં ભેટો લઇ પાતાની મેળે ત્યાં આવી આવીને નમવા લાગ્યા.
એકદા ‘મારા ફરકવાથી (હાલવા ચાલવાથી) મારી માતાને વેદના ન થાઓ' એવું ધારીને પ્રભુ ગર્ભ વાસમાં પણ ચગીની જેમ નિશ્ચળ રહ્યા, તે વખતે પ્રભુ માતાના ઉદરમાં સર્વ અ'ગના વ્યાપારને સ‘કાચીને એવી રીતે રહ્યા કે જેથી માતા ઉદરમાં ગર્ભ છે કે નહી તે સમજી શકયા નહીં. તેથી ત્રિશલાને ચિંતા થઈ કે, 'શુ' મારો ગભ ગળી ગયા, કે શું કોઈએ હરી લીધા, કે શું નાશ પામ્યા, કે સ્થભિત થયા ? જો એમાંથી કાંઈ પણ થયું હોય તે મારે હવે જીવવાનુ` કાંઈ કામ નથી. કારણ કે મૃત્યુનું દુઃખ સહન કરી શકાય તેમ છે, પણ આવા ગર્ભના વિયાગનું દુઃખ સહન કરી શકાય તેમ નથી.’ આ પ્રમાણે આર્ત્ત ધ્યાન કરતા દેવી કેશ છુટા મૂકી, અગરાગ છેડી દઈ અને કર ઉપર મુખકમલ રાખી રૂદન કરવા લાગ્યા. તેમ જ બધા આભૂષણા છેડી દીધા, નિ:શ્વાસથી અધરને વિધુર કરી દીધા, સખીઓ સાથે પણ મૌન ધરી રહ્યા અને સુવુ` કે જમવુ' તજી દીધું. આ ખબર જાણી સિદ્ધાર્થ રાજા ખેદ પામ્યા. તેમજ તેમના મોટા પુત્ર નવિન અને પુત્રી સુદ ના પણ ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાનવડે આ પ્રમાણે પેાતાના માતાપિતાને દુ:ખ ઉત્પન્ન થયેલ જાણીને ગજ્ઞાપન કરાવવાને માટે એક અ`ગુલિ ચલાયમાન કરી. જેથી તરત ‘મારા ગર્ભ હજુ અક્ષત છે' એમ જાણી દેવી હ પામ્યા અને ગભ સ્ફુરણની વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ઘણા ખુશી થયા. તે વખતે પ્રભુએ ચિંત છ્યું કે, ‘અહા ! હું હજી અદૃષ્ટ છું, તે છતાં મારા માતાપિતાના મારા પર કેટલા સ્નેહ છે ? તેથી જો તેએના જીવતાં હું દીક્ષા લઈશ તેા જરૂર સ્નેહના માહથી આર્ત્ત ધ્યાનવડે ઘણુ
Page #30
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ સુ
૧૫
અશુભ કર્મ ઉપાર્જન કરશે, માટે માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં.’ આ પ્રમાણે પ્રભુએ સાતમે માસે અભિગ્રહ લીધે.
અનુક્રમે ગર્ભ સ્થિતિ પૂર્ણ થયે જે વખતે સ` દિશાએ પ્રસન્ન થઈ હતી, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાને આવ્યા હતા, પવન પૃથ્વીપર પ્રસરીને પ્રદક્ષિણ અને અનુકૂલ વાતા હતા, જગત બધુ હથી પૂર્ણ થયું હતુ અને જયકારી શુભ શરૂના થતા હતા; તે સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં ચૈત્ર માસની શુકલ ત્રયેાદશીએ ચંદ્ર હસ્તેાત્તરા નક્ષત્રમાં આવતાં ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યા. તે અવસરે ભાગ'કરા વિગેરે છપ્પન દિકુમારીએએ આવીને પ્રભુનું અને માતાનુ સૂતિકા કર્મ કર્યું.૧
સૌધમ ઈદ્ર પણ આસનક પથી પ્રભુના જન્મ જાણી તત્કાળ પરિવાર સહિત સૂતિકાગૃહમાં આવ્યા. અર્હંતને અને તેમની માતાને દૂરથી પ્રણામ કરી નજીક આવીને તેણે દેવીપર અવસ્થાપનિકા નિદ્રા મૂકી. પછી દેવીની પડખે ભગવ ંતનું પ્રતિબિંબ મૂકી ભક્તિકર્મોમાં અતૃપ્ત એવા ઇન્દ્રે પેાતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેણે પ્રભુને પેાતાના હાથમાં ઉપાડયા, ખીજે રૂપે પ્રભુને માથે છત્ર ધર્યું', બે રૂપે પ્રભુની બંને બાજુ સુ ંદર ચામર ધારણ કર્યાં. અને એક રૂપે વા ઉછાળતા અને નૃત્ય કરતા પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂગિરિપર જઇ અતિપાંડુક ખલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને સિંહાસનપર બેઠા. તે વખતે બીજા ત્રેસઠ ઈંદ્રો પણ પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયાગિક દેવતાએ સ્નાત્રને માટે તીનું જલ લઈ આવ્યા. તે અવસરે ભક્તિથી કામળ ચિત્તવાળા શક્રને ‘આટલેા બધા જલના સંભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે’ એમ શકા ઉત્પન્ન થઈ. એટલે ઇંદ્રની આશંકા દૂર કરવા સારૂ પ્રભુએ લીલામાત્રે વામ ચરણના અંગુઠાથી મેગિરિને ખાવ્યા. તેથી તત્કાળ જાણે પ્રભુને નમવાને માટે જ હાય તેમ મેરૂ પર્યંતના શિખરો નમી ગયા, કુલિગિરઆ જાણે તેની નજીક આવતા હોય તેમ ચલાયમાન થયા, સમુદ્રો જાણે પ્રભુને સ્નાત્ર કરવાને ઇચ્છતા હોય તેમ ઘણું ઉછળવા લાગ્યા અને પૃથ્વી જાણે પ્રભુ પાસે નૃત્ય કરવાને ઉન્મુખ થઇ હોય તેમ સત્વર કંપવા લાગી. આ પ્રમાણે ઉત્પાત જોઇને ‘આ શુ થયુ ?” એમ ચિંતા કરતા ઇન્દ્રે અવિધજ્ઞાને જોયુ' એટલે તે વધી પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇંદ્રે કહ્યું, 'હે નાથ ! અસામાન્ય એવું તમારૂ' માહાત્મ્ય મારા જેવા સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ? માટે મે' જે આવુ' વિપરીત ચિંતવ્યું, તે મારૂં દુષ્કૃત્ય મિથ્યા હજો.' આ પ્રમાણે કહી ઈ', પ્રભુને પ્રણામ કર્યા. પછી આનદ સહિત અનેક પ્રકારના વાજિંત્રા વાગતે છતે ઇદ્રોએ તીના સુગધી અને પવિત્ર જલવડે અભિષેક મહાત્સવ કર્યા. તે અભિષેકના જલને સુર, અસુર, મનુષ્યા અને નાગકુમારા વંદન કરવા લાગ્યા અને વારવાર સર્વ પ્રાણીઓના અંગાપર છાંટવા લાગ્યા. પ્રભુના સ્નાત્રજળ સાથે મળેલી મૃત્તિકા પણ વંદન કરવા ચેાગ્ય થઈ પડી. કેમકે ગુરૂના સ`સથી લઘુની પણ ગૌરવતા થાય છે.” પછી સૌધમે દ્ર પ્રભુને ઈશાન ઈંદ્રના ઉત્સંગમાં આપી સ્નાન, અર્ચન અને આરાત્રિક કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા
૧ દિકુમારિકાઓએ કરેલ મહેાત્સવનુ વર્ણન પ્રથમ પર્વમાં ઋષભદેના અધિકારમાં સવિસ્તર આપેલુ હાવાથી અહીં આપ્યું નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું “અહ“ત, ભગવંત, સ્વયં બુદ્ધ, વિધાતા અને પુરૂષોમાં ઉત્તમ એવા આદિકાર તીર્થકર રૂપ તમને હું નમસ્કાર કરું છું. લેકમાં પ્રદીપરૂપ, લેકને પ્રદ્યોતના કરનારા, લોકમાં ઉત્તમ, લોકના અધીશ અને લોકના હિતકારી એવા તમને હું નમું છું. પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ રૂપ, સુખના આપવાવાળા, પુરૂષોમાં સિંહ સમાન અને પુરૂષોમાં મદાંધી ગજેન્દ્ર રૂપ એવા તમને નમસ્કાર છે. ચક્ષુને અને અભયને આપનારા, બોધિદાયક, માર્ગદેશક, ધર્મદાયક, ધર્મદેશક અને શરણદાયક એવા તમને હું નમું છું. ધર્મના ચક્રવતી, છદ્મસ્થપણાને નિવૃત્ત કરનાર અને સમ્યગદર્શનધારી એવા તમને નમસ્કાર છે. જિન અને જાપક', તરેલા અને તારનાર, કર્મથી મુક્ત અને મુકાવનાર, તથા બુદ્ધ અને બોધ કરનાર એવા તમને હું નમું છું. સર્વજ્ઞ, સર્વેદશી, સર્વ અતિશયના પાત્ર અને આઠ કર્મને નાશ કરનાર એવા હે સ્વામી! તમને નમસ્કાર છે. ક્ષેત્ર, પાત્ર, તીર્થ, પરમાત્મા, સ્યાદ્વાદવાદી, વીતરાગ અને મુનિ એવા તમને નમસ્કાર છે. પૂજ્યના પણ પૂજ્ય, મોટાથી પણ મોટા, આચાર્યોના પણ આચાર્ય અને યેષ્ઠના પણ યેષ્ઠ એવા તમને નમસ્કાર છે. વિશ્વને ઉપન્ન કરનાર, યોગીઓના નાથ અને યેગી, પવિત્ર કરનાર અને પવિત્ર, અનુત્તર અને ઉત્તર એવા તમને નમસ્કાર છે. પાપનું પ્રક્ષાલન કરનાર, ગાચાર્ય, જેનાથી કોઈ બીજુ વિશેષ ઉત્તમ નથી એવા, અગ્ર, વાચસ્પતિ અને મંગળરૂપ તમને નમસ્કાર છે. સર્વ તરફથી ઉદિત થયેલા, એક વીર, સૂર્યરૂપ અને “૩૪ મૂકુંવઃ સ્વઃ' એ વાણીથી સ્તુતિ કરવા ગ્ય એવા તમને નમસ્કાર છે. સર્વ જનના હિતકારી, સર્વ અર્થન સાધનાર, અમૃતરૂપ, બ્રહ્મચર્યને ઊંદિત કરના૨, આપ્ત અને પારંગત એવા તમને નમસ્કાર છે. દક્ષિણીય, નિકા૨, દયાળ અને વાષભનારા શરીરના ધારણ કરનાર એવા તમને નમસ્કાર છે. ત્રિકાળના જાણનાર, જિનેંદ્ર, સ્વયંભૂ, જ્ઞાન, બળ, વીર્ય, તેજ, શક્તિ અને એશ્વર્યમય એવા તમને નમસ્કાર છે. આદિ પુરૂષ, પરમેષ્ઠી, મહેશ અને જ્યોતિષ્મસ્વરૂપ એવા તમને નમસ્કાર છે. સિદ્ધાર્થ રાજાના કુળ રૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર જેવા, મહાવીર, ધીર અને ત્રણ જગતના સ્વામી એવા તમને નમસ્કાર છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ માતાની પાસે મૂક્યા અને તેમનું પ્રતિબિંબ અને અવસ્થા પનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશીષે સૌમવસ્ત્ર તથા બે કુંડળ અને પ્રભુની શય્યા ઉપર શ્રીદા મગંડક મૂકી ઈદ્ર પિતાના સ્થાનકે ગયા. તે સમયે ઈદ્રની આજ્ઞાથી કુબેરેલા જભક દેવતાઓ એ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ, માણિજ્ય અને વસુધારાની વૃષ્ટિ છે. - પ્રભાતકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુના જન્મોત્સવમાં પ્રથમ તે કારાગૃહમાંથી સર્વ કેદીઓને છેડી મૂક્યા. “અહંતને જન્મ ભવિ પ્રાણીઓને ભવમાંથી પણ છોડાવે છે.” ત્રીજે દિવસે માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રને સૂર્ય ચંદ્રના બિંબના દર્શન કરાવ્યા. છ દિવસે મધુર સ્વરે મંગળ ગીત ગાનારી, કુંકુમના અંગરાગને ધરનારી, ઘણું આભૂષણોથી શૃંગારેલી અને કંઠમાં લટકતી માળાઓ પહેરનારી અનેક કુલીન સૌભાગ્યવતી સ્ત્રીઓની સાથે રાજા રાણીએ રાત્રિજાગરણોત્સવ કર્યો. જ્યારે અગ્યારમો દિવસ પ્રાપ્ત થયા એટલે સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલા દેવીએ પુત્રને જાતકર્મમહોત્સવ પૂર્ણ કર્યો. જેની ઈચ્છા માત્ર સિદ્ધ થઈ છે એવા સિદ્ધાર્થ રાજાએ બારમે દિવસે પોતાના સર્વ જ્ઞાતિ, સંબંધી અને બાંધવોને બેલાવ્યા. તેઓ હાથમાં અનેક પ્રકારની માંગલ્ય ભેટ લઈને આવ્યા. એગ્ય પ્રતિદાનના વ્યવહારમાં ૧. રાગદ્વેષ જીતેલા અને બીજાને જીતાવનારા.
Page #32
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું તત્પર એવા રાજાએ તેમનો સત્કાર કર્યો. પછી સિદ્ધાર્થ રાજાએ તેઓને કહ્યું કે, “આ પુત્ર ગર્ભમાં આવતાં અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વદ્ધમાન એવું નામ છે. આ પ્રમાણે સાંભળી તે બંધુઓએ પણ હર્ષ પામીને કહ્યું કે, “એમ જ થાઓ” પછી “પ્રભુ મેટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહીં એવું ધારી ઈદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડયું. ભક્તિવંત એવા સુર અને અસુરેથી આગળ પડી પડીને સેવાતા, અમૃતવર્ષિણ દષ્ટિથી પૃથ્વીનું સિંચન કરતા અને એક હજાર ને આઠ લક્ષણથી ઉપલક્ષિત એવા પ્રભુ છે કે સ્વભાવથી ગુણવૃદ્ધ તો હતા જ, પરંતુ અનુક્રમે વયે કરીને પણ વધવા લાગ્યા.
એક વખતે આઠ વર્ષમાં કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે વયને યેગ્ય એવી ક્રીડા કરવા ગયા. તે સમયે અવધિજ્ઞાનવડે તે જાણીને ઈ દેવતાઓની સભામાં ધીરપણામાં મહાવીર એવા વીર ભગવંતની પ્રશંસા કરી. તે સાંભળી કઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું” એવું ધારીને જ્યાં પ્રભુ કીડા કરતા હતા
ત્યાં આવ્યું, તે વખતે પ્રભુ રાજપુત્રોની સાથે આમલકી કીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. તેને જોઈ તત્કાળ સર્વ રાજપુત્રો ત્રાસ પામી દશ દિશામાં નાસવા લાગ્યા; એટલે પ્રભુએ હસતા હસતા દેરીની જેમ તેને ઉંચે કરીને દૂર પૃથ્વી પર ફેંકી દીધો. રાજકુમારે તે જોઈ લજજા પામીને પાછા ક્રીડા કરવા માટે એકઠા થયા. એટલે તે દેવ પણ રાજકુમાર થઈને ત્યાં આવ્યો. સર્વ કુમારે એક વૃક્ષ ચડયા. પ્રભુ સર્વ કુમારેથી પહેલાં વૃક્ષના અગ્ર ભાગ ઉપર ચડી ગયા. અથવા “જે લોકારે જવાના છે તેને આ વૃક્ષના અગ્રપર જવું કોણ માત્ર છે.” ત્યાં રહેલા પ્રભુ મેરૂના શિખર પર સૂર્યની જેમ શેભવા લાગ્યા અને શાખાઓમાં લટકતા બીજા કુમારો વાનરેની જેવા દેખાવા લાગ્યા. તે રમતમાં ભગવાન જીત્યા. એ રમતમાં એવું પણ હતું કે, જે હાસ જાય તે બીજાઓને પિતાના પૃષ્ટ ઉપર ચડાવીને વહન કરે એટલે રાજપુત્ર અશ્વની જેમ વીર પ્રભુને પિતાના પૃષ્ટપર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે મહા પરાક્રમીઓમાં શ્રેષ્ઠ એવા પ્રભુ પેલા દેવના પૃષ્ટ ઉપર પણ આરૂઢ થયા. તત્કાળ એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ વિકરાળરૂપ કરી પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગ્યા, તેના પાતાળ જેવા મુખમાં રહેલી જિવા તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઉંચા પર્વત જેવા મસ્તક પર આવેલા પીળા કેશ દાવાનળ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢે કરવતના જેવી થઈ ગઈ તેના લેચન અંગારાની સગડીની જેવા જાજ્વલ્યમાન જણાવા લાગ્યા, તેના નસકેરા પર્વતની ગુહાની જેમ અતિ ઘેર દેખાવા લાગ્યા અને ભ્રકુટીવડે ભંગુર એવી ભમર જાણે બે મેટી સર્પિણી હોય તેવી જણાવા લાગી. આ પ્રમાણે તે દેવ વધવાથી વિરામ પામ્યું નહીં. તેટલામાં તો તેનું સ્વરૂપ જાણુંને મહા પરાક્રમી પ્રભુએ તેના પૃષ્ટ ભાગ ઉપર એક મુષ્ટિ મારીને તેને વામન કરી નાંખ્યું. પછી તે દેવ ઈદ્ર વર્ણન કરેલા ભગવંતના બૈર્યને પ્રત્યક્ષ જોઈને પિતાનું સ્વરૂપે પ્રગટ કરી પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયો.
પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે નિશાળે મૂકવાનો આરંભ કર્યો. તે વખતે ઈદ્રનું સિંહાસન કંપાયમાન થયું. એટલે ઈ અવધિ. જ્ઞાનથી પ્રભુના માતાપિતાની અદ્દભુત સરલતા જાણી, અને “અરે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય ? એમ વિચારી તત્કાળ ત્યાં આવ્યું. પ્રભુને નિશાળે લઈ જવામાં આવ્યા, ત્યાં ઈ પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાડ્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી, એટલે પ્રભુએ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
સગ ૨ જે
શબ્દપારાયણ (વ્યાકરણ) કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઈદ્રને કહ્યું, તે સાંભળી ઉપાધ્યાયે લેકમાં એંદ્ર વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું.
સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવન પ્રાપ્ત થયા. એટલે વનના હાથીની જેમ લીલાથી ગમન કરવા લાગ્યા. કૈલેશ્વમાં ઉત્કૃષ્ટ એવું રૂપ, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન યૌવન પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયે નહીં. રાજા સમરવીરે યશોદા નામની પિતાની કન્યાને વદ્ધમાન સ્વામીને આપવા માટે મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓએ ક્ષત્રીયડ નગરે આવી સિદ્ધાર્થ રાજાને નમીને કહ્યું કે, “અમારા સ્વામીએ પોતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે મોકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ તમારા દાસ છે, તે આ સંબંધવડે વિશેષ થાઓ અને અમારા ઉપર પ્રસન્ન થઈને તેને અનુગ્રહ કરે. સિદ્ધાર્થ રાજા બોલ્યા કે-“મને અને ત્રિશલાને કુમારને વિવાહેત્સવ જેવાને ઘણે મરથ છે, પણ એ કુમાર જન્મથી જ સંસારથી વિરક્ત છે, તેથી તેની પાસે વિવાહાદિક પ્રજનની વાત પણ અમે કહી શકતા નથી, તથાપિ તમારા આગ્રહથી અનેક વચનની યુક્તિઓથી તેના મિત્ર દ્વારા વિવાહની વાર્તા અમે આજે તેને કહેવરાવીશું.” આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાર્થ ત્રિશલાદેવીને પૂછી પ્રભુના બુદ્ધિમાન મિત્રોને વિવાહ કબુલ કરાવવા માટે પ્રભુની પાસે મોકલ્યા. તેઓ એ પ્રભુ પાસે જઈ સવિનય નમસ્કાર કરીને તેમને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા કહી સંભળાવી. પ્રભુ બો૯યા-‘તમે નિરંતર મારી પાસે રહેનારા છે, તેથી ગ્રહવાસથી પરા મુખ એવા મારા ભાવને જાણે છે.” તેઓ બોલ્યા- હે કુમાર! તમને અમે સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ “તમારે માતાપિતાની આજ્ઞા અલંડ્યું છે એમ પણ અમારું માનવું છે. વળી તમે અમારી પ્રણય યાચનાની પણ કદી અવમાનના કરતા નથી, તે આજે એક સાથે સૌની અવમાનના કેમ કરો છો. ભગવંત બોલ્યા- “અરે મેહગ્રસ્ત મિત્રો ! તમારે આ શો આગ્રહ છે કારણ કે સ્ત્રી વિગેરેનું પરિગ્રહ તે ભવભ્રમણનું જ કારણ છે. વળી “મારા માતાપિતા જીવતાં તેમને મારા વિયેગનું દુઃખ ન થાઓ.” એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણાં દીક્ષા લેતા નથી.” આ પ્રમાણે પ્રભુ કહેતા હતા. તેવામાં વિવાહને માટે રાજાની આજ્ઞાથી ત્રિશલાદેવી પિતે ત્યાં આવ્યા. પ્રભુ તરત ઊભા થયા અને ગૌરવથી માતાને ઉંચા રત્નસિંહાસન પર બેસાડી આ પ્રમાણે બોલ્યા કે, “હે માતા ! તમે આવ્યા તે સારું થયું, પણ તમારે અહીં આવવાનું શું કારણ હતું ? મને બોલાવ્યા હતા તે તમારી આજ્ઞાથી હું તરતજ આપની પાસે આવત.” ત્રિશલાદેવી બોલ્યા-“હે વત્સ ! અનેક પ્રકારના ઉદયનાં કારણભૂત તમે જે અમારા ઘરમાં આવ્યા છે, તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી, તમને અવલોકન કરતાં ત્રણ જગતને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શનરૂપ મહા દ્રવ્યવડેજ ધનિક એવા અમોને કેમ તૃપ્તિ થાય ? હે પુત્ર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારવાસથી વિરક્ત છે, તે છતાં અમારાપર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો. હે વિનયને સ્થાનરૂપ! તમે જે કે પિતાની મનોવૃત્તિને બાધા પમાડીને એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમે તૃપ્તિ પામતા નથી, માટે તમને અમે વધૂ સહિત જોઈ તૃપ્તિ પામીએ-એમ કરવા માટે આ સામે આવેલી યદા નામની રાજપુત્રીની સાથે ઉદ્વાહ કરે. તમારા પિતા પણ તમારે વિવાહોત્સવ જેવાને ઉત્કંઠિત છે. માટે અમારા બંનેના આગ્રહથી આ દુષ્કર કાર્ય કરો.” આ પ્રમાણે માતાનાં વચન સાંભળી પ્રભુ વિચારમાં પડયા કે, “આજે આ મારે શું આવી પડયું, એક તરફ માતાને આગ્રહ છે અને બીજી તરફ સંસારપરિભ્રમણને ભય છે. માતાને દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકેચીને રહ્યો હતો, તો હવે
Page #34
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગૃહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે ભેગફલકમ પણ બાકી છે અને માતાપિતા પણ માન્ય છે. આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય કર્યું.
પછી ત્રિશલાદેવી સિદ્ધાર્થ રાજાની પાસે આવ્યા અને વિવાહના સંબંધમાં પુત્રે આપેલી સંમતિ હર્ષપૂર્વક જણાવી. પવિત્ર દિવસે સિદ્ધાર્થ રાજાએ મહાવીર કુમાર અને યશોદાને વિવાહત્સવ જન્મોત્સવના જે કર્યો. ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજા વધુવરને જોઈને પિતાના આત્માને ધન્ય માનતા જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા. માતાપિતાના નેત્રને ચંદ્રરૂપ પ્રભુ યશદાદેવીની સાથે વિષયસુખને આસક્તિ વગર ભોગવવા લાગ્યા. કેટલોક કાળ જતાં પ્રભુ થકી યશદાદેવીને નામ અને રૂપથી પ્રિયદર્શના નામે એક દુહિતા થઈ. મહા કુળવાન અને સમૃદ્ધિવાન જમાલિ નામે યુવાન રાજપુત્ર એ યૌવનવતી પ્રિયદર્શનને પરણ્ય.
પ્રભુને જન્મથી અઠયાવીશ વર્ષ થયા એટલે તેમના માતાપિતા અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવ થયા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં જીવ અશ્રુત દેવલોકમાંથી ચ્યવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ પામી અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાને અંગસંસ્કાર કર્યા બાદ કેટલાક દિવસ વીતી ગયા પછી શેકમય થયેલાં અંતઃપુર સહિત નંદિવર્ધન પ્રત્યે પ્રભુ બેલ્યા “હે બંધુ! જીવને મૃત્યું હમેશાં પાસે જ રહેલું છે, અને આ જીવિત નાશવંત છે, તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણીએ તેને શોક કરે એ કાંઈ તેને પ્રતિકાર નથી. તેથી હે ભાઈ! આ વખતે તે દૌર્યનું અવલંબન કરી ધર્મનું આચરણ કરવું તેજ ઘટે છે. શેક કરવો એ તે કયર પુરુષને યોગ્ય છે. આ પ્રમાણે પ્રભુએ બેધ કર્યો, એટલે નંદિવર્દન સ્વસ્થ થયા. પછી પિતાનું રાજ્ય અલંકૃત કરવાને તેણે પ્રાર્થના કરી, પરંતુ સંસારથી ઉદ્વેગ પામેલા વીરે જ્યારે પિતાનું રાજ્ય સ્વીકાર્યું. નહીં ત્યારે મંત્રીઓએ મળીને આગ્રહથી નંદિવર્ધ્વનને રાજ્યાભિષેક કર્યો.
તે અન્યદા ચિરકાળ થયા ઈઝેલી દીક્ષા લેવાને માટે તેમાં આદરવાળા મહાવીર પિતાના ભાઈ નંદિવર્ધ્વનની રજા માગી, એટલે નંદિવર્ધ્વન શકેથી ગદ્દગદિત વાણીએ બાલ્યા કે હે ભ્રાતા ! અદ્યપિ મને માતાપિતાના વિયેગનું વિસ્મરણ થયું નથી, હજુ સર્વ સ્વજન પણ શોકથી વિમુક્ત થયેલ નથી, તેવામાં તમે મને વિયેગ આપી શ્વત ઉપર ક્ષાર નાંખવાનું કેમ કરે છે?” આવા જ્યેષ્ટ બંધુના આગ્રહથી પ્રભુએ ભાવતિના અલંકારોએ અલંકૃત થઈ, નિત્ય કાયોત્સર્ગ ધરતાં, બ્રહ્મચર્યમાં તત્પર રહેતાં, સ્નાન તથા અંગરાગે રહિત, વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે, એષણીય અને પ્રાસુક અન્નથી પ્રાણવૃત્તિ કરતાં માંડમાંડે ગ્રહવાસમાં એક વર્ષ નિગમન કર્યું. પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે, “તીર્થ પ્રવર્તાવે.” એટલે પ્રભુએ યાચકેને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. પછી ઈંદ્રાદિક દેએ અને નંદિવદ્ધન વિગેરે રાજાઓએ શ્રી વીરપ્રભુને યથાવિધિ દીક્ષાભિષેક કર્યો. રાહુવડે ચંદ્રની જેમ ભ્રાતાના વિરહદુઃખથી આકુલ થયેલા નંદિવર્ધને માંડમાંડ પિતાના સેવક પુરૂષને આજ્ઞા કરી કે, “દેવસભાની જેમ સુવર્ણની વેદિકા અને સુવર્ણના સ્તંભેવાળી, સૂર્યસહિત મેરૂગિરિના તટની જેમ સુવર્ણમય સિંહાસનથી મંડિત, પાલક વિમાનની જાણે નાની બહેન હોય તેમ ઘુઘરીઓની માળીના નાદવાળી, મોટા ઉમવાળી ગંગાનદીની જેમ ઉડતી દવાઓવાળી, પચાસ ધનુષ લાંબી, છત્રીશ ધનુષ ઉંચી અને પચીશ ધનુષ પહોળી, વીર કુમારને બેસવાને લાયક ચંદ્રપ્રભા નામે એક શિબિકા તૌયાર કરે.” તત્કાળ તેઓએ તેવી શિબિકા તૈયાર કરી. “જેમ દેવતાઓને મનથી કાર્ય સધાય છે તેમ
Page #35
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે રાજાઓને વચનથી સધાય છે.” પછી શુક્ર ઈ કે પણ તેવી જ શિબિકા કરાવી. બંને તુલ્ય શોભાવાળી હોવાથી જાણે જોડલે ઉત્પન્ન થઈ હોય તેવી શોભવા લાગી. પછી દેવશક્તિથી નદીમાં નદીની જેમ બીજી શિબિકા પહેલી શિબિકામાં અંતીિંત થઈ ગઈ. પછી જગતપ્રભુએ પ્રર્દીક્ષિણા દઈ શિબિકા૫ર ચડીને તેમાં રહેલા ચરણપીઠ યુક્ત સિંહાસનને અલંકૃત કર્યું. માંગલિક શ્વેત વસ્ત્રોથી ચંદ્રિકા સહિત ચંદ્રની જેમ અને સર્વ અંગે ધારણ કરેલા આભૂષણોથી બીજા કલ્પવૃક્ષની જેમ પ્રભુ શેભવા લાગ્યા. પ્રભુ પૂર્વાભિમુખે બેઠા એટલે કુળમહત્તા સ્ત્રી પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, વિચિત્ર રત્નાલંકાર ધારણ કરી, શાખાવડે વૃક્ષની જેમ હાથમાં રાખેલા વસ્ત્રવડે શેભતી, પ્રભુની દક્ષિણ તરફ મન સ્થિર કરીને બેઠી. મોતીના અલંકાર અને નિર્મળ વસ્ત્રો પહેરી એક સ્ત્રી પ્રભુના મસ્તક પર ચાંદની જેમ ચંદ્રને ધરે તેમ છત્ર ધરીને ઊભી રહી. બે સ્ત્રીઓ સર્વ અંગમાં સુવણભરણ પહેરી મેરૂ પર્વતના તટમાં બે ચંદ્રની જેમ પ્રભુને બંને પડખે સુંદર ચામર ધરીને ઊભી રહી. એક બાળા રૂપાની ઝારી હાથમાં લઈને વાયવ્ય દિશામાં ઊભી રહી. એક સ્ત્રી તાળવૃત હાથમાં રાખીને અગ્નિ દિશામાં ઊભી રહી. શિબિકાના પૃષ્ટ ભાગે વૈડૂર્ય રત્નના દંડવાળા અને એક હજાર ને આઠ સુવર્ણની શલાકાવાળા પાંડુ છત્રને લઈને રાજા ઊભા રહ્યા. શિબિકાને બંને પડખે સૌધર્મ અને ઈશાન ઈદ્ર તરણના સ્થંભની જેમ ચામર લઈને ઊભા રહ્યા. પછી સહસ પુરૂષોથી ઉપાડી શકાય એવી તે શિબિકા પ્રથમ સેવકપુરૂષોએ ઉપાડી, પછી શર્ક, ઈશાન, બલિ અને ચમર પ્રમુખ ઈ દ્રોએ તથા દેવતાઓએ ઉપાડી. તેમાં દક્ષિણના ઉપરના ભાગથી શક ઈદ્ર ઉપાડી. ઉત્તરના ભાગથી ઈશાનપતિએ ઉપાડી, અને દક્ષિણ તથા ઉત્તર બાજુના અધ ભાગે ચમરેંદ્ર તથા બળાઈ કે ધારણ કરી. તેમજ બીજા ભુવનપતિ વિગેરે દેવતાઓએ પોતપોતાની યેગ્યતા પ્રમાણે વહન કરી. તે સમયે અત્યંત ઉતાવળા જતા ને આવતા અનેક દેવતાઓથી તે સ્થાન સાયંકાળે પક્ષીઓથી આકાશની જેમ સાંકડું થઈ ગયું. દેવતાઓએ વહન કરેલી તે શિબિકાવડે અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉત્તમ ઉપવન સમીપે પધાર્યા.
તે ઉપવન, પ્રિયની જેમ હિમઋતુના આવવાથી જાણે રોમાંચિત થઈ હોય તેવી ચારે ળીની લતાએથી મનહર જણાતું હતું અને જાણે વનલકમીએ આપેલા કસુંબાના રાતા વસ્ત્ર પહેર્યા હોય તેવા પાકેલા નારગીના વનવડે અંકિત હતુ. કૃષ્ણ ઈક્ષુદંડમાં પરસ્પર પાત્રપણે ઓલેષ કરતા ભ્રમરો એના અવાજથી જણે મુસાફરોને બોલાવતું હોય એવું જણાતું હતું. તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યા પછી પ્રભુએ શિબિકામાંથી ઉતરીને સર્વ આભૂષણ તજી દીધાં. તે વખતે કે પ્રભુના અંધઉપર એક દેવદુષ્ય વસ્ત્ર નાંખ્યું. પછી ત્રિજગ...ભુએ પંચમુષ્ટિવડે સર્વ કેશને લેચ કર્યો. શકે ઈજે તે કેશ દૂષ્ય વસ્ત્રમાં લઈને ક્ષીરસાગરમાં ક્ષેપન કર્યા. પછી તેણે પાછા આવીને સર્વ કોલાહલ અટકાવ્યા એટલે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતાં મોર્ગશીર્ષ માસની કૃષ્ણ દશમીએ ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવતાં દિવસના છેલ્લા પહોરે છ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ચારિત્રની સાથે જ મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. 8888郎忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍因
॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___ महाकाव्ये दशमपर्वणि श्री महावीर जन्म प्रवृज्या
વળનો નામ દ્વિતીયઃ સ. ૨ 8888888888888888888888888888
Page #36
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે.
શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષનો વિહાર. દીક્ષા લીધા પછી ત્રણ જગતના પતિ મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે પિતાના સહોદર બંધુ નંદિવર્ધ્વનની અને બીજા પણ જ્ઞાતવંશના પુરૂષોની રજા લીધી, પ્રભુ જ્યારે ચારિત્રરૂપી રથમાં આરૂઢ થઈ વિહાર કરવાને ચાલ્યા, તે વખતે તેમના પિતાને મિત્ર સમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવી પ્રભુને નમીને બે કે “હે સ્વામી ! આપે પિતાની અને પારકાની અપેક્ષા વગર સાંવત્સરિક દાન આપ્યું, તેથી બધું જગત્ દારિદ્રય વગરનું થઈ ગયું, પણ હું એક મંદભાગ્ય દરિદ્રી રહી ગયો છું. હે નાથ ! હું જન્મથીજ મહા દરિદ્રી છું અને બીજાઓની પ્રાર્થના કરવાને માટે અહર્નિશ ગામે ગામ ભટક્યા કરું છું. કેઈ ઠેકાણે નિર્ભ સ્નેને થાય છે, કેઈ ઠેકાણે ઉત્તર પણ મળતું નથી અને કોઈ ઠેકાણે મુખ મરડે છે; પણ એ બધું હું સહન કરું છું. તમે દાન આપ્યું તે સમયે હું ધનની આશાથી બહાર ભમતો હતો, તેથી મને તમારા વાર્ષિક દાનની ખબર પડી નહીં અને તમારું દાન મારે નિષ્ફળ થયું. માટે હે પ્રભુ ! હવે પણ મારા પર કૃપા કરીને મને દાન આપે. કેમકે મારી પત્નીએ તિરસ્કાર કરીને મને તમારી પાસે મોકલ્યા છે. પ્રભુ કરૂણ લાવીને બેલ્યા–“હે વિપ્ર ! હવે તે હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેને અર્ધ ભાગ તું લઈ લે.” તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતે પિતાને ઘેર આવ્યો. પછી છેડા બંધાવવાને તુણનાર વણકારને બતાવ્યું. તે વસ્ત્રને જોઈ તુણનારે પૂછયું કે આ વસ્ત્ર તને કયાંથી મળ્યું ?” બ્રાહ્મણે કહ્યું કે, “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.” તુણનાર બે કે, “હે વિપ્ર ! તું પાછો જા, અને આને બીજો અધ ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે તેમની છવાડે ફર. તે મુનિને અટન કરતાં કરતાં કંઈ ઠેકાણે કાંટા વિગેરેમાં ભરાઈને તે અર્ધ વસ્ત્ર પડી જશે, પછી તે નિઃસ્પૃહ મુનિ તેને ગ્રહણ કરશે નહીં. એટલે તું તે લઈને અહીં આવતે રહેજે. પછી તેના બે ભાગને જીને હું તે વસ્ત્ર શુકલ પક્ષના ચંદ્રની જેમ એક સંપૂર્ણ કરી આપીશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજશે. તે આપણે સહેદર બંધુની . જેમ અર્થે અર્ધ વહેંચી લેશું.” “બહુ સારું.' એમ કહીને તે બ્રાહ્મણ પાછો પ્રભુની પાસે આવ્યો.
ઈર્યાસમિતિ શોધવા પૂર્વક ચાલતા પ્રભુ ક્રૂર ગ્રામે આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્ર આપી બે ભુજા લાંબી કરીને પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે કઈ ગોવાળ આખે દિવસ વૃષભને હાંકી ગામની સીમ પાસે જ્યાં પ્રભુ કાયેત્સર્ગ ઊભા હતા ત્યાં આવ્યું. તેણે વિચાર્યું કે, “આ મારા વૃષભ અહીં ગામના સીમાડા પર ભલે ચરે, હું ગામમાં જઈ ગાયને દોહીને પાછો આવીશ.” આવું ચિંતવી તે ગામમાં ગયા. પછી વૃષભ ચરતા ચરતા કાઈ અટવીમાં પેસી ગયા. કારણ કે ગોપ વિના તેઓ એક સ્થાનકે રહી શકતા નથી. પછી તે ગોપાલ ગામમાંથી ત્યાં આવ્યું, અને પ્રભુને પૂછયું કે, “મારા વૃષભ ક્યાં છે ?” પ્રતિમાધારી પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. પ્રભુ જ્યારે
લ્યા નહીં ત્યારે ગોપે વિચાર્યું કે, “આ કાંઈ જાણતા નથી.” પછી તે પિતાના વૃષભાને
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨
સર્ગ ૩ જે શોધવા ગયો. શોધતાં શોધતાં આખી રાત્રિ નિગમન થઈ ગઈ. તે બેલે ફરતા ફરતા પાછા પ્રભુ હતા ત્યાં આવ્યા, અને સ્વસ્થ ચિરો વાગોળતા વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલે ગોપ ભમી ભમીને પાછે ત્યાં આવ્યો. એટલે ત્યાં વૃષને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “આ મુનિએ પ્રભાતમાં મારા વૃષભને લઈ જવાની ઈચ્છાથી તે વખત સંતાડી રાખ્યા હશે.” આવે વિચાર કરી તે અધમ ગેપ વેગથી બળદની રાશ ઉપાડીને પ્રભુને મારવા દેડક્યો. તે સમયે શકે ઈદ્રને વિચાર થયો કે, પ્રભુ “પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. એમ વિચારી જ્ઞાનવડે જેવા લાગ્યું. ત્યાં તે તે ગોપને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલ છે. એટલે સ્થભિત કરી, પ્રભુ પાસે આવી તિરસ્કારપૂર્વક તે ગોપને કહ્યું કે, “અરે પાપી ! આ સિદ્ધાર્થ રાજાના પુત્રને તું શું નથી જાણત?” પછી ઈદ્ર ત્રણ પ્રદક્ષિણા પૂર્વક મસ્તકવડે પ્રણામ કરી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થશે, માટે તેને નિષેધ કરવા સારું હું તમારે પારિપાર્શ્વક થવા ઈચ્છું છું. પ્રભુ સમાધિ પારીને ઇંદ્રપ્રત્યે બોલ્યા કે “અહં તે કદિ પણ પરસહાયની અપેક્ષા રાખતા નથી, વળી અહંત પ્રભુ બીજાથી સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પિતાના વીર્યથીજ કેવળજ્ઞાન પામે છે અને પિતાના વીર્યથી જ મેક્ષે જાય છે. પ્રભુનાં આવાં વચન સાંભળી ઈંદ્ર બોલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે, “તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાને ઉપસર્ગ કરે, તેને તારે અટકાવ.” આ પ્રમાણે કહી ઈદ્ર સ્વસ્થાનકે ગયા, અને સિદ્ધાર્થ તેમની આજ્ઞા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો.
વીર પ્રભુ છઠ્ઠનું પારણું કરવાને માટે કેટલાક ગામમાં ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર પ્રભુએ સાકર વિગેરેથી મિશ્રિત પરમાનથી પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા.
પછી ચંદ્રની જેવા શીતળ લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઈ શકાય તેવા, ગજેદ્રની જેવા બલવાન, મેરૂની જેવા નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન કરનારા, સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા નિર્ભય, ધૃતાદિ હોમેલા અગ્નિની જેમ મિથ્યાષ્ટિઓને અદશ્ય, ગેંડાના શૃંગની જેમ એકાકી, મેટા સાંઢની જેમ મહા બલવાન, કમરની જેમ ઇંદ્રિયોને ગુપ્ત રાખનાર, સર્ષની જેમ એકાંત દષ્ટિ સ્થાપનાર, શંખની પેઠે નિરંજન, સુવર્ણની જેમ જાતરૂપ (નિલેપ), પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ, અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલિની જેમ લેપ રહિત તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણુ, મણિ અને કૃતિકા, આલોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મોક્ષમાં સમાન હૃદયવાળા, નિષ્કારણ કરૂણાળુ મનને લીધે ભવસાગરમાં ડુબી જતા મુગ્ધ જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા એવા પ્રભુ સાગર મેખલાવાળી અને વિવિધ ગ્રામ, પુર તથા અરણ્યવાળી આ પૃથ્વી ઉપર પવનની જેમ અપ્રતિબંધપણે વિહાર કરવા લાગ્યા.
દીક્ષાને સમયે દેવતાઓએ પ્રભુના શરીર પર જે સુગંધી દ્રવ્યનું વિલેપન કર્યું હતું તેની સુગંધથી ખેંચાઈ આવીને ભ્રમરાઓ પ્રભુને ઉપદ્રવ કરવા લાગ્યા, ગામના તરૂણ પુરૂષે પ્રભુની પાસે તે સુગંધની યુક્તિ માગવા લાગ્યા અને તરૂણ સ્ત્રીઓ કામવરના ૧ સાથે રહેનાર- સેવક. ૨ સાડાબાર કેટી દ્રવ્યને વરસાદ.
Page #38
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૨૩ ઔષધરૂપ તેમના અંગના સંગને યાચવા લાગી. એ પ્રમાણે દીક્ષાના દિવસથી માંડીને ચાર માસ સુધી પ્રભુએ પર્વતની જેમ સ્થિર રહીને તે સંબંધી ઉપસર્ગો સહન કર્યા.
અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા રાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં દુઈજજતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસીનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતા. તે પ્રભુની પાસે આવ્યા. પૂર્વના અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યો. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાર્થના કરી, એટલે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર એકરાત્રિકી પ્રતિમાઓ ત્યાં તે રાત્રિ રહ્યા. પ્રાત:કાળે વિહાર કરવાની ઈચ્છા કરતા પ્રભુને કુલપતિએ વિજ્ઞપ્તિ કરી કે, “આ એકાંત સ્થાનમાં તમે વર્ષાકાળ નિર્ગમન કરજે.” કે પ્રભુ વીતરાગ હતા પણ તેના આગ્રહથી તેનું વચન સ્વીકારી શંખની જેમ નિરંજનપણે ત્યાંથી બીજે વિહાર કરવાને ચાલ્યા. વાયુની જેમ પ્રતિબંધ રહિત અને કમલપત્રની જેવા નિર્લેપ પ્રભુએ સર્વત્ર વિહાર કરતાં ગ્રીષ્મકાળ નિર્ગમન કર્યો. પછી પિતાના પિતાના મિત્ર પેલા કુળપતિને આપેલું વચન સંભારી ચાતુર્માસ્ય કરવાને માટે મેરાક ગામે પાછા પધાર્યા. વર્ષાઋતુમાં મેઘ ગર્જના કરી ધારાગૃહની જેમ અખંડ ધારાએ વર્ષવા લાગ્યો, અને હંસની જેમ મુસાફરે પોતપોતાને સ્થાને જવા લાગ્યા. એ સમયે પૂર્વોક્ત કુલપતિએ પ્રભુની સાથે ભત્રીજાપણાને સ્નેહ સંબંધ હૃદયમાં ચિંતવીને તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટવૃક્ષની જેમ જાનુપર્યત લાંબી ભુજાવાળા મનને નિયંત્રિત કરીને પ્રતિમા ધારીપણે રહ્યા. તે વખતે ભયંકર ગ્રીષ્મઋતુના માહાસ્યથી જેમાં બધા તૃણ સુકાઈ ગયા છે એવા વનમાં નવીન વર્ષાઋતુથી હજુ નવા તૃણ ઉગી નીકળ્યા નહોતા તેથી ગામની ગાય તાપસીના ઝુંપડાના તૃણને ખાવા માટે દેડવા લાગી, એટલે નિર્દય તાપસો યષ્ટિએવડે ગાયને મારવા લાગ્યા. તેઓએ જ્યારે ગાયને મારીને હાંકી કાઢી ત્યારે તે ગાયે જેમાં પ્રભુ રહેતા હતા, તે ઝુંપડીને ખાવા લાગી. “પ્રભુ સ્તંભની જેમ સ્થિર રહેતા હતા તેથી ત્યાં તેમને કોનો ભય લાગે?” તે જોઈ તાપસી પ્રભુની ઉપર ક્રોધે ભરાયા છતા અંદર અંદર બોલવા લાગ્યા કે-“જેમ અમે અમારી ઝુંપડીએનું રક્ષણ કરીએ છીએ તેમ આ મુનિ તે તેની ઝુંપડીનું રક્ષણ કરતું નથી. અહો ! આ તે આ કુલપતિને અતિથિ કેણુ છે કે જેના જોતા છતાં આ ગાય તેની ઝુંપડીને ખાઈ જાય છે. અહો ! કેવું અસ્વાર્થનિષ્ટપણું છે? શું કરીએ ! આ અતિથિ કુલપતિને આત્માની જેવો પ્રિય છે, તેના ભયથી અમે કાંઈ પણ કઠોર વચન બોલી શકતા નથી.” આવું ધારી એક વખતે તે તાપસી પ્રભુની ઉપર મનમાં ઘણો મસર લાવી કુલપતિની પાસે ગયા અને ઉપાલંભ આપીને આ પ્રમાણે બોલ્યા કે, “હે કુલપતિ ! તમે આપણુ આશ્રમમાં આવા તે કેણ મમતા રહિત મુનિને અતિથિ તરીકે લાવ્યા છે કે જેને અંદર રહેવા છતાં આ પણ તે ઝુંપડાને નાશ થઇ ગયે. તે અતિથિ એ તો અકૃતજ્ઞ, ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, જે ગાયોથી ખવાઈ જતાં પિતાના આશ્રમનું રક્ષણ કરતું નથી. હે મુનિ ! કદિ પિતાના આત્માને મુનિ માનનાર એ અતિથિ સમતા ધારણ કરીને ગાયને હાંકતો નહીં હોય તો શું ગુરૂદેવનું અર્ચન કરનારા અમે મુનિઓ નથી ?” તાપસોના આવાં વચન સાંભળી કુલપતિ પ્રભુની પાસે આવ્યો. અને જોયું તે પાંખો આવેલા પક્ષીની જેમ તે આશ્રમ આચ્છાદન રહિત જોવામાં આવ્યું. એટલે આ તાપસી ઈર્ષ્યા વગરના અને સત્ય બોલનારા છે, એમ ચિંતવી તેણે પ્રભુને કહ્યું “હે તાત! તમે ઝુંપડાની રક્ષા કેમ ન કરી? તમારા પિતાએ યાજજીવ સર્વ આશ્રમોની રક્ષા કરી છે. દુષ્ટોને શિક્ષા કરવી,
Page #39
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે
એ તમારું યોગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પિતાના માળાનું આત્માની જેમ રક્ષણ કરે છે તે તમે વિવેકી થઈને આશ્રમની કેમ ઉપેક્ષા કરી?” આ પ્રમાણે પિતાના વિવેકને યોગ્ય એવી શિક્ષા આપી એ વૃદ્ધ તાપસ સિદ્ધાર્થની મિત્રતા સંભારત પુનઃ પિતાને આશ્રમમાં ગયે. પ્રભુએ વિચાર્યું કે, “મારે નિમિત્તે આ સર્વને અપ્રીતિ થશે, તેથી સર્વનું હિત ઇચ્છનારા એવા માટે અહીં રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે ચિતવતા અને અધિક વૈરાગ્યને ધારણ કરતા દયાનિધિ પ્રભુએ તે વખતે આ પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યા. ૧ કદિ પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘરે વસવું નહીં. ૨ જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોસર્ગ કરીને જ રહેવું, ૩ પ્રાય: મૌનજ ધારણ કરવું. ૪ કરપાત્ર વડે ભજન કરવું અને ૫ ગૃહસ્થનો વિનય કરો નહીં. આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુને અર્ધમાસ વ્યતિત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામમાં આવ્યા.
પ્રભુએ ત્યાં વસવાને માટે ગામના લોકોને વિજ્ઞપ્તિ કરી, એટલે ગામના લોકે બોલ્યા કે, “અહીં એક યક્ષ છે, તે કોઈને વસવા દેતું નથી, તે યક્ષની મોટી કથા છે, તે સાંભળ-અહીં આ પૂર્વે વદ્ધિમાન નામે શહેર હતું. અહીં બંને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી છે. એક વખતે ધનદેવ નામે કઈ વાણિક કરીયાણાને પાંચસો ગાડાં ભરીને અહીં આવ્યો હતો. તેની પાસે એક મેટ વૃષભ હતે. તે મોટા વૃષભને આગળ કરીને તેણે બધા ગાડાંઓ એ વિષમ નદી ઉતારી દીધા. અતિ ભાર ખેંચવાથી એ વૃષભ મુખમાંથી રૂધિર વમતો જીર્ણ થયેલા સાત્વિક અધની જેમ પૃથ્વી પર પડી ગયો. પછી તે વણિકે તે ગામના બધા લોકોને એકઠા કરીને તે વૃષભની સાક્ષીએ કહ્યું કે હું મારા જીવિત જેવા આ વૃષભને અહીં થાપણની જેમ મૂકી જાઉં છું, તેનું તમારે સારી રીતે પાલન પિષણ કરવું. આ પ્રમાણે કહીને તે વૃષભના ઘાસચારાને માટે તે ગ્રામ્ય લોકોને ઘણું ધન આપ્યું. “સ્વામીને એ ધર્મજ છે.” આ પ્રમાણે એ વણિક ઘાસચારા માટે દ્રવ્ય આપવાવડે તથા તેની પાસે પુષ્કળ ઘાસ પાણી મૂકવાવડે એ વૃષભનું પ્રિય કરી નેત્રમાં અશ્રુ લાવીને અન્યત્ર ચાલ્યા ગયે. તે પાપી ગ્રામ્યલોકોએ ઘાસચારાને માટે ધન લીધું પણ કુવૈદ્ય જેમ દ્રવ્ય લીધાં છતાં રોગીની સંભાળ ન લે તેમ તેઓ એ તે વૃષભની ઘાસચારા વિગેરેની સંભાળ જ લીધી નહીં. જેનું હૃદય તૂટી ગયેલ છે એવા અને ક્ષુધા તૃષાથી પીડિત થયેલા તે વૃષભનાં અંગમાં માત્ર અસ્થિ અને ચમ રહ્યા. તેણે વિચાર્યું કે, “અહો ! આ ગ્રામજ બધું નિદય, પાપીષ્ટ, નિર્ટુર ઓશવાળું, બરાબર ચાડીલ જેવું અને ઘણું ઠગારુ છે. તેઓ એ કરુણ લાવીને મારી જેવા દીનનું પાલન કરવું તે દૂર રહ્યું પણ મારા સ્વામીએ જે મારા ઘાસચારા માટે ધન આપ્યું હતું, તે પણ આ ગામના લોકો ખાઈ ગયા.” આ પ્રમાણે આ ગામના રહેનારા ઉપર કોધવાળો વૃષભ અકામનિર્જરા કરી મૃત્યુ પામીને શૂલપાણિ નામે વ્યં. તર થયેલ છે. તેણે વિલંગ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મની કથા જાણી અને પોતાનું વૃષભરૂપ શરીર પણ દીઠું, તેથી તેને આ ગામના લોકો ઉપર ઘણે ક્રોધ ચડડ્યો. એટલે જાણે મહામારા અધિકારી દેવ હોય તેમ તેણે આ ગામમાં મહા મારીને રોગ વિફર્થે. તેથી મૃત્ય પામતા ગ્રામ્યલકેવડે અહિં આ અસ્થિના ઢગલા થઈ ગયા. ગામના આતુર લો કે વારંવાર
જ્યોતિષી વિગેરેને મરકીની શાંતિના ઉપાયે પૂછવા લાગ્યા અને વૈદ્યની આજ્ઞા જેમ રેગી ઉઠાવે તેમ તેમની આજ્ઞા ઉઠાવીને મહામારીની શાંતિ માટે અનેક ઉપાય કરવા લાગ્યા. તેઓએ વારંવાર ગૃહદેવીઓની પણ નાત્ર પૂજા કરી, તથાપિ જરા પણ મહામારીની શાંતિ થઈ નહીં. એટલે આ ગામના લોકો આ ગામ તજીને બીજા ગામોમાં ચાલ્યા ગયા, પણ યમરાજના યુવરાજ જે તે ક્રોધી વ્યંતર તેમને ત્યાં પણ મારવા લાગ્યો. પછી સર્વ
Page #40
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું ગ્રામલેકએ વિચાર્યું કે, “આપણે કોઈ દેવ, દૈત્ય, યક્ષ કે ક્ષેત્રપાળને કપાળે છે, માટે પાછા તે જ ગામમાં જઈએ અને તેને પ્રસન્ન કરવાના ઉપાય લઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ એકઠા થઈને અહીં પાછા આવ્યા. પછી તેઓ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, ઉત્તરાસંગ ધરી છુટા કેશ મૂકી, ચત્વર ત્રિક વિગેરેમાં, ઉદ્યાનની ભૂમિમાં તથા ભૂતગૃહોમાં તેમ જ બીજે સર્વ સ્થાનકે બળિ ઉડાડતા દીન વદને મુખ ઉંચા રાખી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“હે દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસે અને કિન્નરે ! અમાએ પ્રમાદથી જે કાંઈ તમારે અપરાધ કર્યો હોય તે સર્વથા ક્ષમા કરજે. મહાન પુરૂષને કેપ કદિ મોટો હોય તો પણ તે પ્રણામ સુધી જ રહે છે, માટે જે કંઈ અમારાથી વિરાધિત થયેલ હોય તે પ્રસન્ન થાઓ.” આવી ગામના લોકેની દીનવાણી સાંભળી તે તર આકાશમાં રહીને બે કે-“અરે ! લુબ્ધકની જેવા દુરાશયવાળા લો કે ! તમે હવે મને ખમાવવા આવે છે, પણ તે વખતે પેલા સુધા તૃષાથી પીડિત એવા વૃષભને માટે વણિકે જે ઘાસચારાનું ધન આપ્યું હતું તે વડે પણ તમે તેને ઘાસ કે પાણું કાંઈ આપ્યું નહોતું તે વૃષભ મૃત્યુ પામીને હું આ શૂલપાણિ નામે યક્ષ થયો છું. તે બૈરથી હું તમને મારી નાખવાનો છું. માટે તે વાત સંભારે !' આવાં વચન સાંભળી તેઓ પુનઃ ધૂપાદિક કરી પૃથ્વી પર આલોટી દીન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા...હે દેવ ! અમે તમારે અપરાધ કર્યો છે, તથાપિ હવે ક્ષમા કરે. બીજા કેઈન પણ શરણ વગરના અમે તમારે શરણે આવ્યા છીએ.” તેમનાં આવાં વચન સાંભળી તે વ્યંતર જરા શાંત થઈને બેત્યે કે-“આ જે મનુષ્યના અસ્થિઓ પડ્યા છે તેને સંચય કરો અને તેની ઉપર એક ઉંચું મારું દેવાલય કરાવે, તેમાં વૃષભરૂપે મારી મૂર્તિ કરીને સ્થાપ. આ પ્રમાણે કરવાથી હું તમને જીવિત આપીશ, અન્યથા નહી આપું.” પછી સર્વ ગ્રામલોકોએ એકઠા થઈને તે યક્ષના વચન પ્રમાણે સર્વ કર્યું. ઈદ્રશર્મા નામના એક બ્રાહ્મણને મોટો પગાર ઠરાવીને તેથલપાણિનો પૂજારી નીમ્યો. અહીં અસ્થિને સંચય છે તેથી આ ગામનું નામ છે કે વદ્ધમાન છે. તે પણ ત્યારથી લોકમાં અથિક એવે નામે પ્રખ્યાત થયું. જે કોઈ કાર્પટીક વિશ્રાંત થઈને આ સ્થાનમાં રાત્રિવાસ કરે છે, તેને તે શૂલપાણિ યમરાજની જેમ મારી નાખે છે. અહીંના લકે અને તેને પૂજારી ઈદ્રશર્મા પણ દિવસે અહીં રહી, સાયંકાલે પોતપોતાને ઘેર ચાલ્યા જાય છે, તેથી તમારે પણ અહીં રહેવું એગ્ય નથી.”
આ પ્રમાણે કહીને તે ગામના લોકોએ વીર પ્રભુને બીજું સ્થાન રહેવા માટે બતાવ્યું. પણ પ્રભુએ તે ન સ્વીકારતાં તે યક્ષના સ્થાનની જ માગણી કરી. એટલે ગામના લોકોએ આજ્ઞા આપી. બંધ કરવાને ગ્ય એવા તે વ્યંતરને જાણતા પ્રભુ તે યક્ષના સ્થાનમાં એક ખૂણે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ઈંદ્રશર્મા પૂજારીએ સાયંકાળે ધૂપ કરી બીજા મુસાફરને ત્યાંથી કાઢી મૂકી ભગવંતને પણ કહ્યું કે- હે દેવ ! તમે પણ આ સ્થાનમાંથી બહાર નીકળે, કેમકે આ વ્યંતર ફૂર હોવાથી રાત્રે તમને મૃત્યુ પમાડશે.” તથાપિ પ્રભુ મૌન ધરીને ત્યાંજ સ્થિત રહ્યા. તે વ્યંતરે વિચાર્યું કે, અહો ! આ કોઈ મરવાની ઈચ્છાએજ મારા સ્થાનમાં આવ્યા જણાય છે; કેમકે ગ્રામલોકેએ અને મારા પૂજારીએ વારંવાર વાર્યો તે પણ આ ગર્વિષ્ઠ મુનિ અહીંજ રાત્રિવાસ રહ્યો છે, તે હવે હું તેના ગર્વને હરી
૧ આ વહેં માન ગામ હાલ કાઠિવાડમાં આવેલા વઢવાણને કહે છે, ત્યાં શૂલપાણિ દેવું અને તેની પ્રતિમા પણ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
લઉં.” પછી વખત થવાથી પૂજારી ચાલ્યો ગયો અને સૂર્ય અસ્ત પામે; એટલે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા હતા ત્યાં તે વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું. ચોતરફ પ્રસરતા અતિ રૌદ્ર અટ્ટહાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય અને નક્ષત્રમંડલ તૂટી પડયું હોય તેમ દેખાયું. તે સાંભળી ગામના લોકે પરસ્પર કહેવા લાગ્યા કે, “જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે. તે વખતે પાર્શ્વનાથના સાધુઓમાં ફરનાર ઉત્પલ નામે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત એ એક પરિવ્રાજક ત્યાં આવ્યો હતો. તેણે લોકો પાસેથી તે દેવાર્ય મહાવીરનું વૃત્તાંત સાંભળ્યું. તેથી “ખે તે છેલલા તીર્થકર હોય !” એમ વિચારતાં તેના હૃદયમાં ધીરજ રહી નહીં અર્થાત્ તેને બહુ ચિંતા થવા લાગી. અહીં પિલા યક્ષે મહાભયંકર અટ્ટહાસ્ય કર્યું તેથી પ્રભુને કિંચિત પણ ક્ષોભ થયો નહીં, એટલે તે વ્યંતરે મહાઘેર હાથીનું રૂપ વિકુવ્યું. પ્રભુએ તે હાથીના રૂપને પણ ગમ્યું નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદડ જેવું પિશાચનું રૂપ વિકવ્યું, તેથી પણ પ્રભુ ભ પામ્યા નહી. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સપનું રૂપ વિકુવ્યું, અમેઘ વિષના ઝરા જેવા તે સર્વે પ્રભુના શરીરને દઢ રીતે ભરડો લીધે અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યો. જ્યારે સર્ષ પણ નિષ્ફળ થયો ત્યારે તે યક્ષે પ્રભુને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ઠ અને નખ એમ સાત સ્થાનકે અસહ્ય વેદના પ્રગટ કરી. એમાંની એક વેદના પણ સામાન્ય માણસને મૃત્યુ પમાડે તેવી સાતે વેદના એક સાથે ઉત્પન્ન કરી તે પ્રણ પ્રભુએ તે સહન કરી. આ પ્રમાણે ઉપસર્ગ કરી કરીને તે વ્યંતર જ્યારે થાકી ગમે ત્યારે વિસ્મય પામી પ્રભુને નમી અંજલી જોડીને કહેવા લાગે-હે દયાનિધિ ! તમારી શક્તિને નહીં જાણતા એવા મેં દુરાત્માએ તમારા અત્યંત અપરાધ કર્યા છે તે ક્ષમા કરો. તે વખતે પેલે સિદ્ધાર્થ દેવ કે જેનું મન આટલીવાર પિતાના કાર્યોમાં વ્યગ્ર હતું. તેને હવે પ્રભુ પાસે રહેવાની ઈદ્રની આજ્ઞા સાંભરી. તત્કાળ ત્યાં આવી મોટા આટેપથી બોલ્યા કે, “અરે દેવાધમ શૂલપાણિ! નહીં પ્રાર્થના કરવા ગ્ય જે મૃત્યુ તેની પ્રાર્થના કરનારની જેમ તે આ શું કર્યું ! હે દુર્મતિ ! આ સિદ્ધાર્થે રાજાના પુત્ર તીર્થકર ભગવંત વીરપ્રભુ છે કે જે ત્રણ લેકને પણ પૂજવા ગ્ય છે, તેને શું તું નથી જાણતો? જો આ તારું ચરિત્ર પ્રભુને ભક્ત શકઈ % જાણશે તે તું તેના વજની ધારાને ભેગા થઈ પડીશ.” સિદ્ધાર્થના આવાં વચન સાંભળીને શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળ વ્યાકુળ થઈ ગયો. તેથી તેણે પ્રભુને ફરીવાર ખમાવ્યા. કેમકે તે વખતે બીજો કોઈ ઉપાય નહતું. તેને પ્રશાંત થયેલ જાણીને દયાળુ સિદ્ધાર્થે કહ્યું કે “અરે ! તું હજુ તત્વને જાણતા નથી, માટે જે યથાર્થ તત્વ છે તે સાંભળ-વીતરાગમાં દેવબુદ્ધિ, સાધુઓમાં ગુરબુદ્ધિ અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિ-એ પ્રમાણે આત્મા સાથે નિર્ણય કર. હવેથી પોતાના આત્માની જેમ કેઈપણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સર્વ દુષ્કૃત્યની નિંદા કર. પ્રાણ એકવાર પણ આચરેલા તીવ્ર કર્મનું ફળ કોટાનકોટી ગણુ પામે છે.” આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણિ યક્ષ પ્રથમ કરેલા અનેક પ્રાણીઓના ઘાતને સાંભળીને વારંવાર પિતાના આત્માને નિંદવા લાગ્યા અને ઘણા પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સંસારથી ઉદ્વેગ પામેલા તે યક્ષે પ્રભુના ચરણની પૂજા કરી અને પિતાના અપરાધરૂપ મળને છેવામાં જલ જેવું સંગીત પ્રભુની આગળ કરવા લાગ્યું. તે સંગીતના શબ્દને સાંભળીને ગામના લેક ચિંતવવા લાગ્યા કે, “તે મુનિને મારીને હવે યક્ષ ક્રીડા કરતો હશે.”
પ્રભુને કાંઈક ઉણા ચા૨ પહોર સુધી શૂલપાણિએ કદથિત કર્યા હતા, તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં તેમણે આ પ્રમાણે દશ સ્વપ્ન જોયા-પ્રથમ સ્વપ્ન વૃદ્ધિ
Page #42
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મુ
૨
.
પામતા તાળપિશાચને પિતે હણે એમ દીઠું. બીજે સ્વપ્ન ત કેકિલ અને ત્રીજે સ્વપ્ન
કરતા જોવામાં આવ્યા. ચોથે સ્વને બે સુગંધી માળા દીઠી. પાંચમે સ્વને પિતાની સેવા કરવામાં ઉદ્યત થયેલે ગવગ જોયો. છઠઠે સ્વપ્ન પડ્યોથી ભરપૂર પદ્મ સરોવર દીઠું. સાતમે સ્વપ્ન પિતે બે ભુજાથી સાગર તરી ગયા. આઠમે સ્વપ્ન કારણેને પ્રસારતું સૂર્યબિંબ જોયું. નવમે સ્વને પિતાના આંતરડાથી વીંટાએલે માનષોત્તર ગિરિ જે અને દશમે સ્વને પિતાને મેરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જયા, આ પ્રમાણે દશ સ્વપ્ન જોઈ પ્રભુ જાગ્રત થયા. તેવામાં જાણે તેમને વંદન કરવાને ઈચ્છતો હોય તેમ સૂર્ય ઉદય પામ્યો. તે વખતે ગામના સર્વ લોકે, ઈદ્રશર્મા પૂજારી અને ઉ૫લ નિમિત્તિઓ ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈ સર્વ હર્ષ પામ્યા. પછી આશ્ચર્યથી પુષ્પાદિકવડે પ્રભુને પૂછ રણમાં જીત પામેલા વીરની જેમ તેઓએ માટે સિંહનાદ કર્યો. પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે ભાગ્ય ગેજ આ દેવાર્ય પ્રભુને દુષ્ટ વ્યંતરના ઉપદ્રવમાંથી કુશળ રહેલા દીઠા છે.”
ઉત્પલ નિમિત્તિઓએ પ્રભુને ઓળખીને વંદના કરી અને લઘુશિષ્યની જેમ તે પ્રભુના ચરણકમળ પાસે બેઠે. ભગવંતે કાયોત્સર્ગ પાર્યા પછી ઉ૫લ પ્રભુને ફરીને નમ્યો અને પિતાના જ્ઞાનના સામર્થ્યથી પ્રભુને આવેલા દશ સ્વપ્નને જાણીને તે બોલ્યો કે, “હું સ્વામી ! તમેએ રાત્રિને અંતે જે દશ સ્વને જોયા છે તેનું ફળ તમે પોતે તો જાણે છે, તથાપિ હું ભક્તિવશ થઈને કહું છું-હે નાથ! પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હ, તેથી તમે મોહને હણી નાખશે, બીજે સ્વપ્ન જે શુકલ કેકિલ છે, તેથી તમે શુકલ દેધ્યાનપર આરુઢ થશે, ત્રીજે સ્વને જે વિચિત્ર કેકિલ છે, તેથી તમે દ્વાદશાંગીને વિસ્તારશે, પાંચમે સ્વને જે ગવગ જોયો તેથી તમારે ચતુર્વિધ સંધ થશે. છઠે સ્વપ્ન જે પદ્મસરેવર જોયું તેથી દેવનો સમૂહ તમારા સેવકભૂત થશે, સાતમે સ્વને જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવસમુદ્રને તરી જશે, આઠમે સ્વને જે સૂર્ય જોયો તેથી તમને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે, નવમે સ્વપ્ન જે આંતરડાથી વીંટાએલ માનુષોત્તર પર્વત જેયો તેથી તમારે પ્રતાપયુક્ત યશ વિસ્તૃત થશે અને દશમે સ્વને જે મેરૂગિરિના શિખર ઉપર ચડ્યા તેથી તમે સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ કરશે. આ પ્રમાણે નવ સ્વપ્નનું ફળ હું જાણું છું, પણ ચેથા સ્વપ્નમાં તમે જે બે માળાઓ જોઈ તેનું ફળ હ જાણતા નથી.” તે સમયે ભગવંત બોલ્યા-“એ બે માળાનુ ફળ એવું છે કે, હું ગૃહસ્થનો અને યતિને-એમ બે પ્રકારે ધર્મ કહીશ.” પછી ઉત્પલ પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયો અને બીજાએ પણ મનમાં વિસ્મય પામી પિતાપિતાને સ્થાનકે ગયા.
ત્યાં આઠ અર્ધ માસક્ષપણ કરવાવડે ચાતુર્માસ્ય નિગમન કરીને પ્રભુએ તે અસ્થિક ગામથી અન્યત્ર વિહાર કર્યો. તે વખતે શૂલપાણિ યક્ષ પ્રભુની પછવાડે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે “હે નાથ ! તમે પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહીં આવ્યા હતા, પરંતુ મારા જે કઈ પાપી નહીં કે, જે તમારે વિષે આવો અપકાર કર્યો અને તમારા જે કઈ સ્વામી નહીં, કે જે તેમ છતાં પણ મારે વિષે ઉપકારી થયા. હે વિશ્વના ઉપકારી ! જે તમે અહી આવીને મને બાધ ન કર્યો હોત તો આજે મેં જરૂર નરકભૂમિ મેળવી હત.” આ પ્રમાણે કહીને તે યક્ષ ભક્તિપૂર્વક ભગવંતને પ્રણામ કરી મદરહિત હસ્તિની જેમ શાંત થઈ પાછો વન્યા.
Page #43
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે
દીક્ષાના દિવસથી એક વર્ષ વીત્યા પછી પાછા પેલા મોરાક ગ્રામમાં આવીને પ્રભુ બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે તે ગ્રામમાં અછદક નામે એક પાખંડી રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પોતાની આજીવિકા ચલાવતો હતો. તેના માહાસ્યને સિદ્ધાર્થ વ્યંતર સહન કરી શક્યા નહી, તેથી અને વીર પ્રભુની પૂજાની અભિલાષાથી તે સિદ્ધાર્થે પ્રભુના શરીરમાં પ્રવેશ કર્યો. પછી કઈ ગોપાલ જતો હતો તેને બેલાવીને કહ્યું કે, “તે સૌવીર સહિત કંગકૂરનું ભોજન કર્યું છે અને તું બળદનું રક્ષણ કરવાને જાય છે. અહીં આવતાં આવતાં તે એક સપને જે હતા, અને આજે તું સ્વપ્નામાં ભરપૂર રે હતે. અરે ગેપ ! ખરેખરું કહે, આ બધું મારું કહેવું બરાબર છે?” ગોપાલે કહ્યું બધું સત્ય છે.” પછી સિદ્ધાર્થે તેને વિશેષ પ્રતીતિ ઉપજાવવાને માટે બીજું ઘણું કહ્યું. તે સાંભળી ગોવાળ વિરમય પામી ગયો. તેણે ગામમાં જઈને કહ્યું કે “અહો ! આપણું ગામની બહાર વનમાં એક ત્રિકાલવેત્તા દેવા આવેલા છે, તેઓએ મને પ્રતીતિ થાય તેમ બધું બરાબર કહ્યું છે.” તે સાંભળી બધા ગામના લોકો કૌતુકથી પુષ્પ અક્ષત વિગેરે પૂજાને સામાન લઈ પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થ પ્રજીના શરીરમાં સંક્રમીને બોલ્યો કે, “તમે સર્વે શું મારે અતિશય જેવાને આવ્યા છે ? ગામના લોકોએ “હા” કહી, એટલે સિદ્ધાર્થે પૂર્વે તેઓએ જે જોયેલું, કરેલું, સાંભળેલું અને કહેલું હતું તે બધું બરાબર કહી આપ્યું. સિદ્ધાર્થે કેટલુંક ભવિષ્ય કહ્યું, તે સાંભળી લોકેએ મોટા મહિમાથી પ્રભુની પૂજા અને વંદના કરી. એવી રીતે લેકે પ્રતિદિન ઉપરા ઉપર આવી આવીને પડવા લાગ્યા, તેથી સિદ્ધાર્થના મનમાં ઘણું પ્રીતિ ઉત્પન્ન થઈ.
એક વખતે ગામના લોકોએ ત્યાં આવીને કહ્યું, “સ્વામી ! અમારા ગામમાં એક અચ્છેદક નામે તિષી વસે છે, તે પણ તમારી જેમ બધું જાણે છે. સિદ્ધાર્થ બેલ્યો કે, તે પાખંડી કાંઈ પણ જાણતું નથી. તે તે તમારા જેવા ભેળા માણસોને છેતરીને પિતાની ઉદરપૂરણ કરે છે.' તે લોકો એ આવીને અચ્છેદકને કહ્યું કે, “અરે ! તું તે કાંઈ પણું જાણતો નથી, સર્વ ભૂત, ભવિષ્ય ને વર્તમાન તે નગર બહાર રહેલા દેવાય જાણે છે.” તે સાંભળી પિતાની પ્રતિષ્ઠાને નાશ થવાના ભયથી અછંદક બે-“અરે લકે ! ખરેખર પરમાર્થને નહીં જાણનારા એવા તમારી આગળ તે જાણનારમાં ખપે છે, પણ જે તે મારી આગળ આવે તો જાણું કે, તે ખરેખર જ્ઞાતા છે. ચાલો, આજે તમારા દેખતાં હું તેની અજ્ઞતા ખુલ્લી કરી આપીશ.” આ પ્રમાણે કહીને તે અચ્છેદક કોધ કરતે ગામના કૌતુકી લેકેની સાથે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા હતા, ત્યાં સત્વર આવ્યું. પછી બે હાથની આંગળીમાં એક ઘાસનું તરણું બંને બાજુથી પકડીને પ્રભુ પ્રત્યે બેલ્યો કે, “કહો, આ તરણું મારાથી છેદાશે કે નહીં ?” તેના મનમાં એવું હતું કે, “આ દેવાર્ય જે કહેશે તેથી હું વિપરીત કરીશ, એટલે તેની વાણી અમૃત થઈ જશે. સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને કહ્યું કે, “એ તૃણ છેદાશે નહીં. એટલે અચ્છેદક આંગળી સજજ કરીને તે તરણું દવા તત્પર થયે. તે વખતે ઇ પિતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણા વીરપ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપગ આપી જોયું, તે પ્રભુની સાથે તે અચ્છદકની ચેષ્ટા તેમના જોવામાં આવી. તત્કાળ તેણે ધાર્યું કે, “પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ. એવું ધારી તેણે અછંદકની દશે આંગળી વજથી છેદી નાખી. તૃણને છેદતાં તેને આવી રીતે દુઃખી થયેલ જોઈને બધા લોકો તેને હસવા લાગ્યા. તેથી મૂઢ બુદ્ધિવાળો અચ્છેદક ૧. એક જાતની કાંજી. ૨ કાગ જાતિનું ધાન્ય.
Page #44
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું ઉન્મત્તની જેમ ત્યાંથી બીજે ચાલ્યો ગયો. પછી સિદ્ધાર્થે ગ્રામ્યજનને કહ્યું કે, “આ અચ્છેદકે
૨ છે.” ત્યારે લોકેએ પૂછયું “સ્વામી ! તેણે શું અને તેનું ચેકયું છે ?? સિદ્ધાર્થે કહ્યું આ ગામમાં એક વીરઘોષ નામે સેવક છે.” તે સાંભળતાં જ વીરોષે ઊભા થઈને પ્રણામ કર્યો. કહ્યું કે, “શું આજ્ઞા છે ?? એટલે ફરીવાર સિદ્ધાર્થ બોલ્યા-‘પૂર્વે દશપળ પ્રમાણુનું એક પાત્ર તારા ઘરમાંથી ખેવાયું છે ?? વરઘોષે કહ્યું, હા. પછી સિદ્ધાર્થ બોલ્યો કે, “તે પાત્ર આ પાખંડી અછંદકે હરી લીધું છે, તેની ખાત્રી કરી . તારા ઘરની પાછળ પૂર્વ દિશામાં સરગવાનું વૃક્ષ છે, તેની નીચે એક હાથ ખેદીને દાટેલું છે, માટે જા, તે લઈ લે.” વરઘોષ ઉત્કંઠિત થઈ તે લેવાને માટે પોતાને ઘેર ગયો અને જે ઠેકાણે કહ્યું હતું તે ઠેકાણેથી તે લઈને પાછો આવ્યો. તે જોઈ કે લાહલ કરી રહેલા ગામના લોકોને સિદ્ધાર્થે પુન: કહ્યું, સાંભળે, અહીં કોઈ ઈદ્રશર્મા નામે ગૃહસ્થ છે ? લોકો એ હા પાડી, ત્યાં તો ઈદ્રશર્મા આવીને હાજર થયો અને અંજલિ જેડીને બોલ્યો કે, “ઈદ્રશર્મા હું, શી આજ્ઞા છે ?” સિદ્ધાર્થે કહ્યું, “ભદ્ર ! પ્રથમ તારે એક મેં ખોવાયો છે ?” ઈ દ્રશર્મા વિસ્મય પામીને બેલ્યો-હા. સિદ્ધાર્થ બેલ્યો-તે મેંઢાને આ અદક ભિક્ષુક મારીને ખાઈ ગયો છે અને તેના અસ્થિ બોરડીના વૃક્ષની દક્ષિણ બાજુએ દાટી દીધા છે. લોકો એ કૌતુકથી ત્યાં જઈ તેના અસ્થિ જોયા, અને ત્યાં છે' એમ આવીને તેઓએ કહ્યું. સિદ્ધાર્થ બોલ્યા-તે પાખંડીનું એક ત્રીજુ પણ દુશ્ચરિત છે, પણ હવે હું તે કહીશ નહી.” ગામના લોકો આગ્રહથી વારંવાર બેલ્યા કે, “ભગવદ્ ! પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહો. તમારી કહેલી અર્ધ કથા પણ ઘણી રમણીક લાગશે.” સિદ્ધાર્થ બોલ્યો કે, “હ તે તે કહીશ જ નહિ. પણ જે તમારે કુતુહલ હોય તો તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછે, તે કહેશે. એટલે લે કે તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પિતાની સ્ત્રીને મારેલી હતી, તેથી તે રોષવતી થઈ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અછદકની આંગળીઓ છેદાણી અને બધા લોકો એ તેને તિરસ્કાર કર્યો તે બહુ સારું થયું, હવે જે લોકો હમણું મારી પાસે આવે તો હું તેનું સર્વ દુરિત ખુલ્લું કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પૂરેપૂરું મેળવે. તેવામાં તે ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના ટુરિત વિષે પૂછયું, એટલે તે બેલી કે, “એ પાપીનું નામ પણ કોણ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષયસુખ ભેગવે છે અને કદિ પણ મારી ઈચ્છા કરતો નથી.” આ વાત સાંભળી કળકળાટ કરતા ગામના લો કે અચ્છદકની નિંદા કરતા કરતા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ ઠેકાણે “પાપી, પાપી’ એમ કહેવાતો તિરસ્કાર પામ્ય અને કેઈઠેકાણેથી તેને ભિક્ષા પણ મળી નહીં. “પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.”
પછી અચ્છેદક એકાંતે શ્રી વિરપ્રભુ પાસે જઈ દીનપણે નમીને બોલ્યો કે “હે ભગવન! આપ અહીંથી બીજે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તે બધે પૂજાય છે. હું તો માત્ર અહીં જ જાણીતો છું, બીજે તો મારું નામ પણ કઈ જાણતું નથી ! “શ ગાળનું શિૌર્ય તેની ગુફામાંજ હોય છે, બહાર હોતું નથી.” હે નાથ ! મેં તમારો અજાણે પણ જે અવિનય ર્યો તેનું ફળ મને હમણાં જ પ્રાપ્ત થયેલું છે, માટે હવે તમે મારા ઉપર કૃપા કરે.” આવા તેના વચન સાંભળીને અપ્રીતિવાળા સ્થાનને પરિહાર કરવાના અભિગ્રહવાળા પ્રભુ ત્યાંથી ઉત્તરે ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા.
દક્ષિણ અને ઉત્તરે એમ ચાવાલ નામના બે ગામ હતા અને તેની વચમાં સુવર્ણવાળકા તથા રૂમવાળુકા નામે બે નદીઓ હતી. પ્રભુ દક્ષિણ બાજુના ચાવાલ ગામથી ઉત્તર બાજના
Page #45
--------------------------------------------------------------------------
________________
ગર્ગ ૩ જે ચાવાલ ગામ તરફ જતા હતા, ત્યાં સુવર્ણવાળુકાના તટ ઉપર તેમનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ રહ્યું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે, “આ વસ્ત્ર અયોગ્ય સ્થડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” એમ વિચારી જરા પાછું જેમાં પ્રભુ આગળ ચાલતા થયા.
હવે પેલે બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતે. તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈ પ્રભુને વાંદીને પિતાના ગામ તરફ ચાલ્યો. હર્ષિત ચિત્તે પિતાને ગામે પહોંચી તે અર્ધ વસ્ત્ર લઈને પેલા વણકરની પાસે ગયો અને તેને તે વસ્ત્ર આપ્યું. તુણનારે તેના બે ખંડને ન જણાય તેવાં સાંધી લીધા. પછી તે વેચતાં તેના એક લાખ દીનાર ઉપજ્યા. તે બંને જણાએ બંધુની જેમ અર્ધ અર્ધ વેંચી લીધા.
અહીં ભગવાન વીરપ્રભુ પવનની જેમ અખલિતપણે વિહાર કરતા તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળોના પુત્રએ કહ્યું કે, “હે દેવાર્ય ! આ માર્ગ વેતાંબીએ પાંશરે જાય છે, તેની વચમાં કનકખળ નામે તાપસોને આશ્રમ આવે છે, ત્યાં હમણાં એક ટિવિષ સર્ષ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દઈ બીજા આ વક્ર માર્ગે ચાલો, કેમકે જેનાથી કાન ત્રુટી જાય તેવું સુવર્ણનું કર્ણાભૂષણ પણ શા કામનું ? પ્રભુએ જ્ઞાનવડે તે સર્પને ઓળખ્યો.
એ સર્ષ પૂર્વ જન્મમાં તપસ્વી સાધુ હતો. એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયો. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. તે જોઈને તેની આલોચના કરવા માટે એક ક્ષુલ્લકે તેને દેડકી બતાવી, તે જોઈ ઉલટ તે લેકે એ મારી નાખેલી બીજી દેડકીઓ બતાવવા લાગ્યો અને બોલ્યા કે-“અરે ક્ષુલ્લક ! શું આ દેડકીઓ પણ મેં મારી નાંખી ?' તે સાંભળી ક્ષુલ્લક મૌન ધરી રહ્યા. શુદ્ધબુદ્ધિએ તેણે વિચાર્યું કે, “આ મહાનું ભાવ છે, તેથી સાયંકાળે તેની આલોચના કરશે.” પછી આવશ્યક ( પ્રતિક્રમણ) કરતાં પણ
જ્યારે તેની આલોચના કર્યા વગર તે સાધુ બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે ચિંતવ્યું કે, “એ દેડકાની વિરાધના મલી ગયા હશે, તેથી તેણે સંભારી આપ્યું કે, “આર્ય! કેમ તમે પેલી દેડકીની આલોચના કરતા નથી ?' તે સાંભળીને લપક કેધ કરી ઊભા થઈ તે ક્ષુલ્લકને મારવા દોડવા. ધાંધ થઈને ચાલતાં વચમાં એક સ્તંભ સાથે મસ્તક અફળાઈ જવાથી તે સાધુ મૃત્યુ પામી ગયા, સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યોતિષ્ક દેવતામાં ઉત્પન્ન થયા. ત્યાંથી રવી કનકખલ નામના સ્થાનમાં. પાંચસે તપસ્વીઓના કુલપતિની પત્નીથી કૌશિક નામે પુત્ર થયે. ત્યાં કૌશિકોત્રપણાને લીધે બીજા પણ કૌશિક તાપસે જ હતા. તેઓમાં આ તાપસ વિશેષ ક્રોધી હોવાથી તે ચંડકૌશિક નામે પ્રખ્યાત થયે. પૂર્વ કુલપતિ યમરાજને અતિથિ થતાં એ ચંડકૌશિક તાપસને કુલપતિ થયો. તેને પોતાના વનખંડ ઉપર ઘણી મૂછ હતી. જેથી તે રાત દિવસ ભમ્યા કરતે અને કેઈને તે વનમાંથી પુષ્પ, ફલ, મૂલ કે પત્ર લેવા દેતું નહોતું. કદિ જે કઈ તે વનમાંથી સડેલું પણ ફળ કે પત્રાદિક ગ્રહણ કરતું તે તે કુહાડે, યષ્ટિ કે ઢેખાળું લઈ તેને મારવા દોડતો હતો. ત્યાંના રહેનાર તાપને પણ ફળાદિક લેવા દેતું ન હોવાથી સીદાતા એવા બધા તાપસે, લાકડી પડતાં કાક પક્ષી ભાગી જાય તેમ દશે દિશામાં જતા રહ્યા. એક દિવસે ચંડકૌશિક તે વાટિકાસંબંધી કામને માટે બહાર ગયે, તેવામાં કેટલાએક રાજકુમાર શ્વેતાંબી નગરીથી સત્વર ત્યાં આવીને તે વનને ભાંગવા લાગ્યા. જ્યારે કૌશિક પાછો આવ્યો ત્યારે ગોપાલોએ તેને જણાવ્યું કે, “જુઓ, આ કોઈક તમારા વનને ભાંગી નાખે છે. તે સાંભળી હુતદ્રવ્યથી અગ્નિની જેમ કૌશિક ધથી પ્રજવલિત થયે. તત્કાળ અકુંઠ ધારાવાળે કુહાડોલઈને દોડ્યો.
Page #46
--------------------------------------------------------------------------
________________
ની જેમ સ્થિર થઇ
ના ખું. આ પ્રમાણે
પર્વ ૧૦ મું તેને આવતો જોઈને બાજ પક્ષીથી બીજા પક્ષીઓની જેમ સઘળા રાજપુત્રો નાસી ગયા. અને તે કૌશિક પગ વડે ખલના પામતાં યમરાજનાં મુખ જેવા કેઈ ખાડામાં પડી ગયો. પડતાં જ તેણે ફેંકેલે તીણ કુહાડે તેની ઉપર પડ્યો, જેથી તેના મસ્તકના બે ભાગ થઈ ગયા. “કુકર્મને વિપાક આવોજ હોય છે. તેનાથી મૃત્યુ પામી તે ચંડકૌશિક આ વનમાં દષ્ટિવિષ સર્પ થયેલ છે. “તીત્રાનુબંધી કોઇ ભવાંતરમાં પણ સાથે જ જાય છે.”
આ પ્રમાણે તેને પૂર્વભવ વિચારી એ દષ્ટિવિષ સર્પ અવશ્ય પ્રતિબંધ કરવાને ગ્ય છે એમ ધારીને જગત્પ્રભુ વીર પિતાની પીડાને અવગણી સરલ માર્ગે ચાલ્યા. પ્રભુએ જ્યારે એ જીર્ણ અરણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમાં ચરણસંચાર નહીં હોવાથી વાલુકા જેમની તેમ રહેલી હતી, જલાશયમાંથી વહેતી નીકે પાણી વિનાની હતી, જીર્ણ થયેલા વૃક્ષા સુકાઈ ગયા હતા, જીણું ૫ત્રાના સમૂહથી બધા ભાગ પથરાઇ ગયા હતા, રા ઘણો ભાગ વ્યાસ થઈ ગયો હતો અને ઝુંપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવામાં અરમાં આવીને પ્રભુ યક્ષમંડપમાં નાસિકાપર નેત્રને સ્થિર કરીને કાયોત્સર્ગે રહ્યા. થોડી વારે પેલે દષ્ટિવિષ સર્પ મુખમાંથી કાળરાત્રિ જેવી જિવાને બહાર કાઢતે અભિમાન યુક્ત થઈને ફરવા નીકળ્યો. વનમાં આજ્ઞારેખાની જેમ પોતાના શરીરની રેખા પડતે ચાલ્યો - જાય છે, તેવામાં તેણે વીર પ્રભુને જોયા. એટલે “અરે! મારી અવજ્ઞા કરવા માટે આ કેણુ મને જાણ્યા વગર અહીં નિ:શંક થઈને પેસી ગયો છે ? અને શંકુની જેમ સ્થિર થઈને ઊભો રહ્યો છે, માટે હું તેને ભસ્મ કરી નાખું.” આ પ્રમાણે વિચારીને કેપે ધમધમતો તે સ૫ પિતાના ફણાટોપને વિસ્તારવા લાગ્યો. જવાળામાળાને વમન કરતી, લતા વૃક્ષોને દહન કરતી, તેમજ ફાર કુત્કારોથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યો. તેથી પ્રજ્વલિત એવી તેની દષ્ટિવાળાઓ આકાશમાંથી ઉકા જેમ પર્વત પર પડે તેમ પ્રભુના શરીર ઉપર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુની ઉપર તે કાંઈ પણ અસર કરી શકી નહીં. કેમકે “મહાન્ પવન પણ મેરૂને કંપાવવાને સમર્થ થાય ?” પિતાની તીવ્ર દષ્ટિવડે પણ
જ્યારે પ્રભુને કાંઈ થયું નહીં ત્યારે હજુ કેમ આ કાષ્ટની જેમ દગ્ધ થયો નહીં.” એવું વિચારી વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દૃષ્ટિવાળા છોડવા માંડી, તથાપિ એ જવાળાઓ પણ પ્રભુની ઉપર તો જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પગ વગરને થઈને પ્રભુના ચરણકમળપર ડસ્યો. પોતાના વિષની ઉગ્રતાથી દુર્મદ એ તે “મારા તીવ્ર વિષવડે આકાંત થઈને આ હમણું પડશે તે રખે મને દાબી ન નાખે.” એવા ઈરાદાથી ડશી ડશીને દૂર ખસતો હતે. પ્રભુના અંગપર જે સ્થાનકે તે ડસને ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહીં, માત્ર ગાયના દુધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી. ઘણીવાર તેમ થવાથી “આ શું ! એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ ઉભો રહ્યો. અને વિલખો થઈને પ્રભુની સામે જોવા લાગ્યો. પછી પ્રભુના અતુલ રૂપને નીરખતાં પ્રભુના કાંત અને સૌમ્ય રૂપને લીધે તેના નેત્રો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે તે કાંઈક ઉપશાંત થાય ત્યારે પ્રભુ બેલ્યા કે- “અરે ચંડકૌશિક ! બુઝ ! બુઝ ! મેહ પામ નહીં.' ભગવંતનું આ વચન સાંભળી ઉહાપોહ કરતાં તે સર્પને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અનશન કરવાવડે સર્વ ક્રિયાથી રહિત થયેલા અને ઉપશાંતપણાને પામેલા તે સર્પને પ્રભુએ પિતાની દૃષ્ટિવડે તેનું સિંચન કર્યું. પછી વિષવડે ભયંકરે એવી મારી દષ્ટિ કેઈના ઉપર પણ ન પડે એમ ધારીને પોતાના રાફડામાં
ફણપને વિસ્તાર
Page #47
--------------------------------------------------------------------------
________________
કર
સગ ૩ જો
માઢું રાખી તે સર્પ સમતા રૂપ અમૃતને પીવા લાગ્યો. પ્રભુ પણ તેની અનુકપાવડે ત્યાં જ સ્થિતિ કરીને રહ્યા. “મહાન્ પુરુષાની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટે જ હોય છે.” ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગેાવાળા અને વત્સપાળેા વિસ્મય પામીને સત્વર ત્યાં આવ્યા. અને પેાતાની ખાત્રી કરવા માટે વૃક્ષને અંતરે સ`તાઈ રહીને તે મહાત્મા સર્પને નિશ્ચલ રહેલ જોઇ તેએને વિશ્વાસ આવ્યા, એટલે તેની નજીક આવી તે સર્પના શરીરને લાકડીએથી અડવા લાગ્યા. તે પણ તેને સ્થિર રહેલ જોઇ ગાવાળાએ એ વાર્તા લેાકેાને કહી એટલે લોકો ત્યાં આવ્યા, અને વીરપ્રભુને તથા મરણેાન્મુખ એવા સપને વંદના કરવા લાગ્યા ગાવાળાની કેટલીક સ્ત્રીએ તે માગે થઇને ઘી વેચવા જતી હતી, તેઓએ તે સ`ના શરીરપર ઘી ચાપડયુ. તે ગંધથી ત્યાં તીક્ષ્ણ મુખવાળી કીડીઓ આવી, તે સર્પના કલેવરને ચારણી જેવુ કરી દીધું. ‘મારા પાપકમ પાસે આ પીડા શી ગણત્રીની છે.’ એમ વિચાર કરતા તે સર્પરાજ તે દુ:સહ વેદનાને પણ સહન કરવા લાગ્યો. અને ‘આ ખિચારી અલ્પબલવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાએ નહી.' એવુ ધારી એ મહાશય સ` પેાતાનુ અંગ જરા પણ હલાવ્યુ' નહી. આ પ્રમાણેના કરૂણા પરિણામવાળા અને ભગવંતની દયામૃત દૃષ્ટિથી સિ`ચન થતા તે સપ` એક પખવાડીએ મૃત્યુ પામીને સહસ્રાર દેવલાકમાં દેવતા થયા.
કૌશિક સપની ઉપર આવા મહા ઉપકાર કરી ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉત્તર્વાચાળ નામના ગામ સમીપે આવ્યા. પક્ષાપવાસને અંતે પારણાને માટે ગોચરીએ ફરતા પ્રભુ નાગસેન નામના ગૃહસ્થને ઘેર ગયા. તે દિવસે તે ગૃહસ્થના એકના એક પુત્ર જે ખાર વર્ષ થયાં પરદેશ ગયા હતા તે વાઢેળા વગરની વૃષ્ટિની જેમ અકસ્માત્ ઘેર આવ્યા હતા, તેથી નાગસેને પાતાને ઘેર ઉત્સવ કર્યા હતા અને પેાતાના સર્વાં સ્વજન વર્ગને ભાજન આપ્યું હતું. તેવે સમયે પ્રભુ ત્યાં વહેારવા પધાર્યા. વીરપ્રભુને દૂરથી આવતા જોઈ નાગસેનને ઘણા હ થયા. તેથી તેણે ભક્તિપૂર્વક પયવડે પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે અùાદાન, અહાદાન” એમ ખેલતા દેવતાઓએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી પ્રભુ પારણું કરીને શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. તે નગરી જિનભક્ત એવા પ્રદેશી રાજાથી વિભૂષિત હતી, પ્રભુના ખબર સાંભળી પ્રદેશી રાજા જાણે ખીજો ઈંદ્ર હાય તેમ નગરજનેા, અમાત્યા અને અનેક રાજાઓના પરિવાર લઈ પ્રભુની સામે આવ્યા અને ભક્તિથી વીરપ્રભુને વંદના કરી, પછી રાજા . પેાતાના નગરમાં ગયા અને તપથી શ્રેષ્ઠ એવા પ્રભુ અનુક્રમે વિહાર કરતા કરતા સુરભિપુર સમીપે આવ્યા. ત્યાંથી જાણે પૃથ્વીની ઓઢણી હોય, અને સમુદ્રનુ' જાણે પ્રતિમાન હેાય તેવી ઊં ંચા તરંગવાળી ગંગાનદી પાસે આવ્યા. પ્રભુ ગંગા ઉતરવાને ઇચ્છતા હતા, તેથી સિદ્ધદત નામના કાઇ નાવિકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠા. પછી નાવિકે એ બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે એ પાંખાવડે પક્ષિણીની જેમ તે નાવિકા ત્વરાથી ચાલવા લાગી. તે સમયે કાંઠા ઉપર રહેલ' ઘુવડપક્ષી ખેલ્યું, તે સાંભળી નાવમાં બેઠેલા શકુનશાસ્ત્રના જાણુ ક્ષેમિલ નામના નિમિત્તિએ કહ્યું કે, ‘આ વખતે આપણે કુશળક્ષેમે પાર ઉતરવાના નથી. થાડા સમયમાં આપણ સર્વાંને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહિમાથી આપણે ખચી જશુ.’ તેઆમ ખેલતો હતો તેવામાં નાવ અગાધ જળમાં આવ્યું. ત્યાં સુદ્રષ્ટ્ર નામે એક નાગકુમાર દેવ રહેતો હતો, તેણે પ્રભુને જોયા. પૂર્વ જન્મનુ' `વર સભારી તેણે ક્રેધથી ચિંતવ્યુ કે, ‘જ્યારે આ ત્રિપૃષ્ટ હતો, ત્યારે હું સિંહ હતો. તેણે મને માર્યા હતો, તે વખતે હું તેના
Page #48
--------------------------------------------------------------------------
________________
પવો ૧૦ મુ
દેશથી ઘણે દૂર રહેતો હતે, મેં કાંઈ તેનો અપરાધ કર્યો નહતો અને હું એક ગુહામાં સંતાઈ રહ્યો હતો, ત્યાં પોતાની ભુજાના વીર્યને ગર્વથી અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી એણે આવીને મને મારી નાખ્યો હતો. તે આજે મારી નજરે પડ્યો તે બહુ સારું થયું, હવે હું મારું બૈર લઉં. “ઋણની જેમ ૌર પ્રાણીને સેંકડો જન્મ સુધી અનુસરે છે.” પૂર્વનું ગૈર લેવાથી જેને જન્મ કૃતાર્થ થયેલે છે એવા મારું પછી કદી તરતમાંજ મૃત્યુ થાય તો પણ તેથી મને ખેદ નહીં થાય.” આ પ્રમાણે વિચારીને એ સુદંદ્રદેવ ક્રોધથી ભયંકર નેત્ર કરતો વીર. પ્રભુની પાસે આવ્યા અને આકાશમાં રહીને તેણે માટે કિલકિલાવ કર્યો. પછી બોલ્યો કે -“અરે ! તું ક્યાં જાય છે?” એમ કહી પ્રલયકાળના દાવાનળ જે ભયંકર સંવર્તક જાતિને મહાવાયુ તેણે વિકુવ્યું. તેનાથી વૃક્ષો પડી ગયા, પર્વતો કંપાયમાન થયા અને જેના ઉમિ આકાશ પર્યત ઉડી રહ્યા છે એવું ગંગાનું જળ ઉછળવા લાગ્યું. ઉંચે ઉછળતા અને પાછા બેસી જતા ગંગાના તરંગોથી ગજેકે ઉપાડેલા કઈ વૃક્ષની જેમ તે નાવ ઉંચે નીચે હાલકલોલક થવા લાગ્યું. તેનો કુવાતંભ ભાંગી ગયો, સઢ ફાટી ગયો અને નાવને આત્મા હોય તે કર્ણધાર ભયભીત થઈ ગયો. નાવમાં બેઠેલા સર્વજને જાણે યમરાજની જિહુવા આગળ આવ્યા હોય તેમ મરણોન્મુખ થઈને વ્યાકુળપણે પિતા પોતાના ઈષ્ટદેવને સંભારવા લાગ્યા. તે વખતે કંબળ ને સંબળ નામના બે દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું. તેના પૂર્વ ભવને વૃત્તાંત આ પ્રમાણે– , મથુરાપુરીમાં જિનદાસ નામે એક વણિક રહેતો હતો, તે શ્રાવક ધર્મ પાળતો હતે. તેને સાદુદાસી નામે સ્ત્રી હતી. તે બંને દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢોર રાખવાના પચ્ચખાણ લીધા હતા, તેથી હમેશાં તેઓ આહીર લોકોની સ્ત્રીઓ પાસેથી દહીં દુધ વિગેરે લેતા હતા. એક વખતે કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદ કરી પ્રસન્ન થઈને સાધુદાસીએ તેને કહ્યું કે, “તારે જે દુધ દહીં વિગેરે થાય તે તું વેચવા જઈશ નહીં, અહીંજ લાવજે, અમે તે લેશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપશું.' ત્યારથી તે આહિરી પણ ખુશ થઈને હંમેશાં તેમજ કરતી અને સાધુદાસી પણ તેને વસ્ત્ર વિગેરે વસ્તુ આપીને ખુશી કરતી. તેમ કરતાં તો તે બંનેને સગી બેનેની જેવો સ્નેહ થયે. એક વખતે તે આહીરની સ્ત્રીને ઘેર વિવાહને પ્રસંગ આવ્યો. એટલે તેણીએ તે પ્રસંગે આ શેઠ શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ભદ્ર! અમે વણિક છીએ તેથી તારે ઘેર આવી શકીશું નહીં, પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વ અમારે ઘેરથી લઈ જજે.' એમ કહીને તેમણે વસ્ત્ર, ધાન્ય, અલંકાર વિગેરે તેણીને આપ્યા. તેમની આપેલી વસ્તુઓથી તેને વિવાહત્સવ ઘણો સુંદર થયો. જે તેના સગા ગોવાળ લોકમાં તેની શેભાનું કારણ થઈ પડયો, તેથી તે ગે વાળ અને ગોવાળણી પ્રસન્ન થઈને ત્રણ વર્ષની વયના તેમજ શોભીતા કંબલ અને સબલ નામના બે બળદ શેઠને દેવા માટે લાવ્યા, શેઠે તે ગ્રહણ કર્યા નહીં, તે પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. ગોવાળને નેહ એજ હોય છે.' જિનદાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભેને છોડી મૂકીશ તો બીજા સાધારણ પુરૂષે તેને હળ વિગેરેમાં જડશે ને દુઃખી કરશે અને મારે ઘેર તેના ઉપગ વગર તેને પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું ? મૂર્ખ સાથેના નેહથી હું સંકટમાં પડી ગયો છું.’ આ વિચાર કરીને તે દયાળુ જિનદાસ શેઠ તે બંને વૃષભનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુ
૧ નાવને ચલાવનાર.
Page #49
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે
દેશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરી પૌષધ વ્રત લઈને તે બળદે સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશાં ધર્મ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા. પછી જે દિવસે શેઠ ભોજન કરે નહીં તે દિવસે તેઓ પણ ઘાસ પાણી વાપરે નહીં. તે દિવસે તેમને ઘાસ વિગેરે નીરે પણ જ્યારે તેઓ ખાય નહી ત્યારે શેઠે વિચાર્યું કે, આટલા વખત સુધી તો માત્ર દયાને લીધે આ બળદને પિષ્યા પણ હવે તો આ મારા સાધમી બંધુ છે, એવી બુદ્ધિથી મારે તેમનું પોષણ કરવું જોઈએ.' આ પ્રમાણે વિચારીને શેઠ પ્રતિદિન તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા. કારણ કે પછી શેઠની બુદ્ધિમાં તે પશુ તરીકે નહોતા.
અન્યદા ભંડીરવણ નામના યક્ષને યાત્રોત્સવ આવ્યો. એટલે તે દિવસે ગામના યુવાન બાળકોએ વાહનેની વહનક્રીડા કરવા માંડી. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર હતો, તે શ્રેષ્ટિને પૂછ્યા વગર તે દિવસે તે બંને વૃષભને પિતાને વાહને જોડવા લઈ ગયે. “ જ્યાં સ્નેહ હોય છે ત્યા જુદાઈ ન હોવાથી પૂછવાની જરૂર હોતી નથી, જે તેનું હોય તે પિતાનું મનાય છે.” કુકડાનાં ઇંડાં જેવા વેત, જાણે જોડલેજ જમ્યા હોય તેમ એક સરખા, દડાની જેવા વર્તન અંગવાળા, ચામર જેવા પુછવાળા, જાણે ઉંચે ચડતા હોય તેમ ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા, તે બંને બળદને તે શેઠના મિત્રે પિતાની ગાડીમાં જોડડ્યા. તેમની સુકુમારતા જાણ્યા વગર એ નિર્દય મિત્ર લોકોને આશ્ચર્ય પમાડવાને માટે ચાબુક અને પાણીની આરથી મારી મારીને તેમને હાંકવા લાગ્યો. અનુપમ વેગવાળા તે વૃષભવડે તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનોને એક ક્ષણમાં જીતી લીધા. આરથી પડેલા છીદ્રામાંથી નીકળતા રૂધિરવડે જેમના અંગ આદ્ધ થઈ ગયા છે અને જેઓના સાંધાઓ તુટી ગયા છે એવા વૃષોને કામ પતી જવાથી તે મિત્ર શેઠને ઘેર પાછા બાંધી આવ્યું. ભજનને અવસર થતાં શેઠ હાથમાં જવને પળે લઈ પુત્રની જેમ તે વૃષભેની પાસે આવ્યા. ત્યાં તો તે વૃષભના મુખ પહોળાં રહી ગયા હતા, નેત્રમાંથી અશ્રુ પડતા હતા, ધાસ ચડયેા હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપારે છુટતે હતું અને આવડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાઓ નીકળતી હતી. તેમની આવી સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, “આ બળદ કે જે મને પ્રાણથી પણ વહાલા છે, તેઓને પૂછવા વગર લઈ જઈને કયા પાપીએ આવી દશાને પમાડયાં ?” પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી, એટલે પિતાના સહોદરને વિપત્તિ આવવાથી થાય તેમ તેમને ઘણે ખેદ થયે
એ વૃષભોને પણ અનશન કરવાની ઈચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા ઘાસ કે પાણી જરા સુંધ્યા પણ નહીં. પણ શેઠે પૌષ્ટિક અન્નથી ભરપૂર એક થાળ લાવીને તેની પાસે મકો. તેને તેઓએ દષ્ટિથી પણ સંભવિત કર્યો નહીં. પછી તેમને ભાવ જાણીને શેઠે તેમને ચારે આહારના પચ્ચખાણ કરાવ્યા, તે તેઓએ અભિલાષાપૂર્વક સમાધિપણે ગ્રહણ કર્યા. તેમની પર દયા લાવી બીજા સર્વ કામ છોડી દઈને શેઠ પિતે તેમને નવકાર મંત્ર સંભળાવતા અને ભાવસ્થિતિને બોધ કરતા તેની પાસે જ બેસી રહ્યા. નવકાર મંત્રને સાંભળતા અને ભવસ્થિતિને ભાવતા, તેઓ સમાધિથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા. ' તે કંબલ અને સબલે અવધિજ્ઞાનથી જોયું તો સુંદષ્ટ્ર નાગકુમારે પ્રભુ ઉપર કરેલ નાવ બુડાડી દેવારૂપ ઉપદ્રવ તેમના જોવામાં આવ્યો. એટલે-“આપણે હમણું બીજુ કાંઈ
Page #50
--------------------------------------------------------------------------
________________
- ૩૫
પર્વ ૧૦. મુ પણું કામ કરવાની જરૂર નથી, હમણું તો ચાલે, અહંતની ઉપર થતાં ઉપદ્રવને એકદમ અટકાવીએ.” આ પ્રમાણે વિચારી તેઓ પ્રભુની પાસે આવ્યા. તેમાંથી એક જણ સુદંષ્ટ્ર નાગકુમારની સાથે યુદ્ધ કરવા પ્રવર્તે અને બીજા હાથે કરીને તે નાવને ગંગાને સામે તીરે મૂકી દીધું. પિલે સુદંષ્ટ્ર દેવ છે કે મોટી ડદ્ધિવાળો હતો, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બંનેને ન દેવપણાને વૈભવ હતો, તેથી તે બંનેએ તેને જીતી લીધો. પછી સુદં ત્યાંથી નાસી ગયે, એટલે કંબલ શબલ નાગકુમારોએ પ્રભુને નમીને હર્ષથી પ્રભુની ઉપર પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. ‘તમારા પ્રભાવથી આ નદીને આપત્તિની જેમ અમે ઉતરી ગયા,” એમ બોલતા નાવમાં બેઠેલા બીજા લોકો ભક્તિથી વીરપ્રભુને વંદના કરવા લાગ્યા. બંને નાગકુમાર પ્રભુને નમીને પિતાના સ્થાનકે ગયા. પ્રભુ નાવમાંથી ઉતરી વિધિપૂર્વક ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી દિશા તરફ ચાલ્યા.
જેમાં સૂક્ષમ અને અદ્રિ રેતી છે એવી ગંગાનદીના તટ ઉપર ચક્રાદિકના લાંછનવાળી પ્રભુના પગલાની પંક્તિ પૃથ્વીને આભૂષણ રૂપે સ્પષ્ટપણે પડતી હતી. તેવામાં સામુદ્રિક લક્ષણને જાણનાર પુ૫ નામનો કોઈ પુરૂષ તે પગલાની પંક્તિ જોઈને વિચારવા લાગ્યો કે, “આ - રસ્તે થઈને કઈ ચક્રવત્તી એકલા ગયેલા લાગે છે. અદ્યાપિ તેને રાજ્ય મળ્યું નહીં હોય અથવા કેઈએ છળ કરીને તેનું રાજ્ય લઈ લીધું હશે. હું ધારું છું કે તે હમણાજ અહીંથી ચાલ્યા જાય છે, માટે હું જઈને તેની સેવા કરૂં, કેમકે તે સેવકને ઈચ્છતા હશે, આવી અવસ્થા માં સેવેલા તે ચક્રવત્તી જરૂર ફળ આપશે. સેવ્ય પુરૂષની સેવા કરવાનો અવસર પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારી તે પગલે પગલે ચાલ્યા, આગળ જતાં
સ્થણાક નામના ગામ પાસે અશોક વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહેલા પ્રભુને તેણે જોયા, તેમના હૃદયમાં શ્રીવત્સનું લાંછન હતું, મસ્તક પર મુગટનું ચિહ્ન હતું, બંને ભુજા ઉપર ચક્રાદિકના લાંછન હતા. બંને હાથ શેષનાગની જેવા લાંબા હતા અને નાભિમંડળ દક્ષિણાવર્તવાળું, ગંભીર તેમજ વિસ્તીર્ણ હતું. પ્રભુના શરીર ઉપર આવા લોકોત્તર ચિહ્નો તેના જેવામાં આવ્યા. તે જોઈ પુપે વિચાર્યું કે, “જેમ ચરણના લક્ષણોથી આ લો કેત્તર પુરૂષ છે એમ જણાય છે તેમ બીજા લક્ષણોથી પણ ચક્રવતી હોય એમ સૂચવાય છે. આવા લક્ષણે છતાં પણ આ તે ભિક્ષુક છે, તેથી મને આશ્ચર્ય થાય છે; માટે આવા ભિક્ષુક ઉપર સારી આશા રાખનાર મને અને મારા શાસ્ત્રને શ્રમને ધિક્કાર છે. વિશ્વને ઠગવાને માટે અને પિતાના કૌતુક પૂરવાને માટે કોઈ અનાપ્ત (અહિતકારી) પુરુષે જ આ શાસ્ત્ર રચ્યાં હોય એમ લાગે છે. મરૂભૂમિમાં ઝાંઝવાના જળ જઈને મૃગ દેડે તેમ તેમનાં વચન ઉપર આશા રાખીને હું વૃથા દેડી આ જો.” આ પ્રમાણે વિચારતાં તે પુષ્પનો હદયમાં ઘણે ખેદ થયે. તે સમયે શક્રઈને સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર થયો કે, “મહાવીર પ્રભુ અત્યારે કયાં વિચરતા હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે સ્થણાક ગામમાં પ્રભુને રહેલા જોયા અને પુષ્ય નૈમિત્તિકને ખેદથી પિતાને શાસ્ત્રોને દૂષણ આપતે યો; એટલે ઈદ્ર સત્વર ત્યાં આવ્યા અને તે પુષ્પ નિમિત્તિઓના દેખતાં પ્રતિમા ધરી રહેલા પ્રભુને મોટી સમૃદ્ધિથી તેણે વંદના કરી. પછી પુષ્પને કહ્યું કે, “અરે મુખે ! તું શાસ્ત્રની નિંદા કેમ કરે છે ? શાસ્ત્રકારોએ કાંઈ પણ મૃષા ભાષણ કરેલું નથી. તું તે હજુ આ પ્રભુના બહારનાજ લક્ષણે જાણે છે, અંતરના જાણતા નથી, પણ આ પ્રભુના માંસ અને રૂધિર દુધની જેવા ઉજજવળ છે, તેમના મુખકમળનો શ્વાસ કમળની ખુશબે જે સુગધી છે, તેમનું શરીર તદ્દન નિરોગી અને મળ તથા પસીનાથી રહિત છે. આ ત્રણ જગતના સ્વામી, ધર્મચકી, જગતહિતકારી
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
સ ૩ જો
અને વિશ્વને અભય આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર વીરપ્રભુ છે. ચાસઢ ઇંદ્રો પણ આમના સેવક છે, તેા તેની પાસે ચક્રવત્તી શા હિસાબમાં છે કે જેનાથી તું ફળની ઈચ્છા કરે છે. આ પ્રભુ વાર્ષિક દાન આપીને ભવસાગર તરવાની ઇચ્છાથી રાજય છોડી દીક્ષા લઈ ને અશ્રાંતપણે વિહાર કરે છે. શાસ્રોમાં કહેલાં લક્ષણેા ખરાખરજ છે. માટે તું જરા પણ ખેદ ન કર. હું તને ઇચ્છિત ફળ આપીશ, કેમકે આ પ્રભુનું દન નિષ્ફળ હાય જ નહી, '' આ પ્રમાણે કહી તે પુષ્પ નિમિત્તિઆને ઇચ્છિત ફળ આપી પ્રભુને નમીને ઇંદ્ર પુનઃ પેાતાને સ્થાનકે ગયા.
વીરપ્રભુ કાર્યાત્સગ પારીને ચરણન્યાસવડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા. તે નગરની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિભાગમાં કાઇ વણકરી વિશાળ શાળામાં પ્રભુ પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિમન કરવા માટે તે વણકરની પ્રભુએ રજા લીધી. પછી માસક્ષપણ કરતા તે શાળાના એક ભાગમાં પ્રભુ રહ્યા.
આ સમયમાં મખલી નામે કાઈ મખ્ય હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તે બંને ચિત્રપટ લઈને પૃથ્વી પર ફરતા હતા. તે સરવણુ ગામમાં આવ્યા. ત્યાં ભદ્રાએ એક ઘણી ગાયાવાળ બ્રાહ્મણની ગેાશાળામાં પુત્રને જન્મ આપ્યા. તે ગેાશાળામાં પ્રસબ્યા, તેથી તેનુ નામ ગેાશાળ એવું પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામ્યા, એટલે તેણે પેાતાના પિતાના ધા શીખી લીધા. આ ગેાશાળક સ્વભાવથી જ કલહ કરતો હતા, માતાપિતાને વશ રહેતા નહાતા, જન્મથી જ લક્ષહીન હતા અને ઉત્કટ વિચક્ષણ હતા. એક વખતે તે માતાપિતાની સાથે કલહ કરી, ચિત્રપટ લઈ ને ભિક્ષાને માટે નીકળી પડચા. ફરતો ફરતો તે રાજગૃહ નગરે આવ્યા. જે પ્રદેશ પ્રભુએ અલંકૃત કર્યા હતા, તે શાળામાં જ તે ગેાશાળા સિહની પાસે શૃગલિની જેમ એક ખુણે આવીને વસ્યા. પ્રભુ માસક્ષપણનું પારણુ કરવાની ઈચ્છાએ વિજય શ્રેષ્ઠીને ઘેર કરપાત્રવડે વહેારવા આવ્યા. શ્રેષ્ઠ બુદ્ધિવાળા વિજયશ્રેષ્ઠીએ પેાતે માટી ભક્તિથી સમ્યક્ પ્રકારની ભાજનવિધિપૂર્વક પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે આકાશમાં ‘અહા દાન’ એમ આઘાષણા કરીને દેવતાઓએ તેના ઘરે રત્નવૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગાશાળે ચિંતવ્યુ` કે, આ મુનિ કોઇ સામાન્ય નથી. કારણ તેને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે હું તેા આ ચિત્રપટતું પાખંડ છેાડી દઇને આ મુનિને જ શિષ્ય થાઉં, કારણ કે આ ગુરૂ નિષ્ફળ નહી થાય.’
ગોશાળા આમ ચિતવતા હતા, તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયાત્સગ કરીને રહ્યા. ગશાળા પ્રભુને નમીને માલ્યા—હે ભગવન્ ! હું સુજ્ઞ છતાં પણ પ્રમાદથી તમારા જેવા મહામુનિના પ્રભાવ અદ્યાપિ જાણી શકયો નહી, પણ હવે હું તમારા શિષ્ય થઈશ. આજથી તમે એકજ મારું શરણુ છે.' આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું, તાપણ પ્રભુ તે મૌન ધરીને જ રહ્યા. ગેશાળા ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતા છતા પોતાની બુદ્ધિથી પ્રભુના શિષ્ય થઈને પ્રભુનું પડખુ` રાત દિવસ છેાડતા નહાતા. બીજે માસક્ષપણે પ્રભુ વહારવા નીકળ્યા, ત્યારે આનંદ નામના એક ગૃહસ્થે ખાદ્ય વસ્તુવડે પ્રતિલાભિત કર્યા. ત્રીજે માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થે સર્વ કામગુણ નામના આહારથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. ગોશાળા પણ ભિક્ષાના અન્નથી ઉત્તરપાષણ કરી ભગવત શ્રી મહાવીર પ્રભુને અનિશ સેવવા લાગ્યા.
૧ ચિત્રકળા જાણનાર ભિક્ષાચર વિશેષ.
Page #52
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મુ
૩૭ એક વખતે કાત્તિક માસની પૂર્ણિમાએ ગોશાળ હૃદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે એમ સાંભળું છું, તો આજે હું તેમના જ્ઞાનની પરીક્ષા કરું.' પછી તેણે પૂછયું, “હે સ્વામી ! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહેત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહો.” તે વખતે પેલો સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પેસીને બોલ્યો કે–રે ભદ્ર ! ખાટું થઈ ગયેલું કેદ્રક ને કૂરનું ધાન્ય અને દક્ષિણમાં એક ખોટે રૂપીઓ મળશે.” તે સાંભળી ગશાળે દિવસના પ્રારંભથીજ ઉત્તમ ભોજનને માટે શ્વાનની જેમ ઘેર ઘેર ભમવા લાગ્યા, તથાપિ તેને કોઈ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહીં. જ્યારે સાયંકાળ થયે ત્યારે કઈ સેવક તેને પોતાને ઘેર લઈ ગયે અને ખાટાં થઈ ગયેલ કેદરા ને કૂર આપ્યાં. અતિ સુધાને લીધે તે એવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષિણામાં એક રૂપીએ આપે. તે રૂપીઆની પરીક્ષા કરાવી તો તે પણ છેટે નીકળ્યો; એટલે તે લજજા પામી ગયે. પછી જે ભાવી હોય છે તે થાય છે' એવા નિચતિવાદને તેણે ગ્રહણ કર્યો.
દીક્ષા લીધા પછી આ બીજુ ચોમાસું નાલંદાપાડામાં નિર્ગમન કરી ત્યાંછી નીકળીને પ્રભુ કેલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બહુલ નામે એક શ્રા
છે હતો. તે મોટા આદરથી બ્રાહ્મણને પિતાને ઘેર જમાડતું હતું. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે ઘી સાકર સહિત ખીર પ્રભુને વહેરાવી; એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુએ અહીં ચોથા માસક્ષપણનું પારણું કર્યું, જે પારણું શ્રદ્ધાથી વહોરાવનારા દાતાર પ્રાણીને સંસારથી તારનારું છે.
અહીં પેલે ગોશાળો સાયંકાળે લજજા પામતે પામતો છાનોમાનો આવીને પેલી શાળામાં પેઠે. ત્યાં તેણે પ્રભુને જોયા નહીં, “એટલે સ્વામી કયાં છે” એમ તે લોકોને પૂછવા લાગ્યા; પણ કોઈએ પ્રભુના ખબર આપ્યા નહીં, તેથી તે દીન થઈને શોધવા માટે આખો દિવસ ચારે બાજુ ફર્યો. પછી હું તે પાછો એકાકી થઈ રહ્યો' એમ વિચારી મસ્તક મુંડાવી, વસ્ત્ર છોડીને તે ત્યાંથી નીકળી પડે. તે કલ્લાક ગામે આવે, ત્યાં તેણે લે કે માં વાત થતી સાંભળી કે “આ બહુલ બ્રાહ્મણને ધન્ય છે કે મુનિને દાન કરવાથી જેના ઘરમાં દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી.” આ વાત સાંભળી ગોશાળે વિચાર્યું કે, આવો પ્રભાવ મારા ગુરૂનેજ છે; તેથી જરૂર તે અહીં જ હશે.” આમ વિચારીને તે પ્રભુને શેાધવા માટે ભમવા લાગે. નિપુણ દષ્ટિએ શેાધતાં એક સ્થાનકે કાર્યોત્સર્ગે રહેલા પ્રભુને તેણે દીઠા. તે પ્રભુને પ્રણામ કરી બોલ્યા કે, “હે પ્રભુ ! પૂર્વે હું દીક્ષાને ગ્ય નહોતે, હવે આ વસ્ત્રાદિકનો સંગ છોડી દેવાથી ખરેખર નિઃસંગ થયો છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરે અને તમે મારા યાજજીવ ગુરૂ થાઓ; તમારા વિના હું ક્ષણવાર પણ રહી શકતું નથી. હે સ્વામી! તમે રાગ રહિત છે તેથી તમારા સાથે સનેહ કેમ થાય ? કારણ કે એક હાથે તાળી પડતી નથી; પણ શું કરું? મારું મન બળાત્કારે તમારી તરફ દોડે છે. તેમજ હું મારા આત્માને તમે સ્વીકારેલો છે એમજ માનું છુંકારણ કે તમે વિકસિત કમળ જેવી દષ્ટિથી મારી સામું જુઓ છો.” તેનાં આવાં વચન સાંભળી છે કે પ્રભુ વિતરાગ હતા તે પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું. “મહાન પુરૂ કયાં વત્સલ નથી થતા ?
પછી પ્રભુ તે ગે શાળાને સાથે લઈ યુગમાત્ર દષ્ટિ કરતાં સ્વર્ણખલ નામના સ્થાન તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગોવાળીઆઓ ક્ષીર રાંધતા હતા, તે જોઈ ગોશાળે કહ્યું,
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
સગ ૩ જો
‘સ્વામી ! હું ક્ષુધાતુર થયા છું, માટે ચાલા આપણે આ પાચસાન્નનુ ભાજન કરીએ.' સિદ્ધાર્થે કહ્યું કે, ‘એ ક્ષીર ખનશે જ નહીં,' તે સાંભળી દુષ્ટ બુદ્ધિવાળા ગશાળે તે ગાવાળો પાસે જઇને કહ્યું કે, આ દૈવાય ત્રિકાલજ્ઞ છે, તે કહે છે કે આ ક્ષીર અધી ચડતાં જ તેનું પાત્ર કાચા પાત્રની જેમ ફૂટી જશે.' તે સાંભળી ભય પામેલા ગેાવાળોએ તે હાંડીને વાંસની ખપાટાથી બાંધી લીધી; પરંતુ તેમાં ચાખા પ્રમાણથી વધારે નાખેલા હાવાથી તે ફુલ્યા એટલે હાંડી ફુટી ગઇ, પછી ગોવાળીઆએ ઠીબામાં રહેલ ક્ષીરને ખુશી થતા થતા ખાઇ ગયા. ગેાશાળાને તેમાંથી કાંઈ પણ મળી નહી, તેથી તેણે વિશેષે નિયતિવાદ ગ્રહણ કર્યા.
ત્યાં વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામમાં ગયા. તે ગામમાં મુખ્ય બે પાડા હતા. તેના નંદ અને ઉપનંદ નામે એ ભાઈએ માલિક હતા. છઠ્ઠને પારણે પ્રભુ નંદના પાડામાં ગોચરી કરવા ગયા. નંદે પ્રભુને દહી સહિત કૂર (કર') વહેારાબ્યા, ગાશાળો ઉપનંદના પાડામાં તેનું ઘર માટુ' જોઈ આદરથી ભિક્ષા માટે ગયા. ઉપનંદની આજ્ઞાથી એક દાસીએ તેને વાસી ચાખા આપ્યા. તે નહિ ગમવાથી દુષ્ટ બુદ્ધિવાળા તેણે ઉપનંદના તિરસ્કાર કર્યાં. ઉપનંદ દાસી પ્રત્યે ખેલ્યા કે જો તે અન્ન ન લેતા હોય તો તેના માથાપર નાખી દે.' દાસીએ પણુ તેમજ કર્યું; એટલે ગેાશાળે કાપ કરીને કહ્યું કે ‘જો મારા ગુરૂનુ તપતેજ હાય તેા આ ઉપનંદનું ઘર મળી ભસ્મ થાઓ.' પ્રભુનુ નામ લઇને આપેલા શાપ પણ નિષ્ફળ ન થવા જોઇએ' એમ વિચારી નજીકમાં રહેલા વ્યંતરાએ ઉપનંદનુ ઘર ઘાસના પુજની જેમ બાળી નાંખ્યું, ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચ'પાનગરીએ પધાર્યા. ત્યાં એ એ આસક્ષપણ કરવાની પ્રતિજ્ઞા લઇને ત્રીજું ચામાસુ` રહ્યા. સમ્યક્ સમાધિને ધારણ કરતા પ્રભુ ઉત્કટિક વિગેરે આસનાવડે કાર્યાત્સગ કરતા મુક્તની જેમ ત્યાં રહ્યા. નગરીની બહાર ખીજા બે માસક્ષપણુનુ પારણું કરી ગોશાળા સહિત પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા. ગેાશાળા વાનરની જેમ ચપળતા કરતા કરતા તેના દ્વાર આગળ બેઠા.
તે ગામના સ્વામીને સિહુ નામે એક પુત્ર હતા. તે અભિનવ યૌવનવાળો હોવાથી વિદ્યત્ત્પતિ નામની તેની દાસીની સાથે રતિક્રીડા કરવાની ઈચ્છાએ તે શૂન્યગૃહમાં પેઠો. તેણે ઉંચે સ્વરે કહ્યું કે, ‘આ ગૃહમાં જો કાઇ સાધુ, બ્રાહ્મણ કે મુસાફર હાય તો ખાલો કે જેથી અમે અહી'થી બીજે સ્થાને જઇએ.' પ્રભુતા કાયાત્સગ માં રહેલા હતા, તેથી તે તેા મૌન રહ્યા; પરંતુ ગોશાળો આ વચન સાંભળ્યા છતાં પણ કપટથી ખેલ્યા નહી. જ્યારે કોઈના પ્રત્યુત્તર મળ્યા નહી ત્યારે તે સિહે દાસીની સાથે ઘણીવાર સુધી ત્યાં ક્રીડા કરી. પછી તે ઘરમાંથી નીકળવા ગયા એટલે પ્રકૃતિથી ચપળ અને દુતિ એવા ગાશાળો જે દ્વાર પાસે બેઠા હતા તેણે ત્યાંથી નીકળતી વિદ્યુન્મતિ દાસીને કરવડે સ્પર્શ કર્યા; એટલે તેણીએ રાડ પાડીને કહ્યું કે, સ્વામી ! કોઇ પુરૂષે મને સ્પર્શ કર્યા.' તત્કાળ સિંહું પાછા વળી ગોશાળાને પકડીને મેલ્યા કે–અરે કપટી ! તેં છાના રહીને અમારા અનાચાર જોયા. તે વખતે મે બેલાબ્યા તેા પણ ઉત્તર આપ્યો નહીં.’ આ પ્રમાણે કહીને તેને ઘણા કુટીને સિંહ પેાતાને સ્થાનકે ગયા. પછી ગાશાળે પ્રભુને કહ્યું કે, ‘હે સ્વામી ! તમારા દેખતાં આણે મને માર્યા,’ સિદ્ધાર્થ ખેલ્યા કે, ‘તું અમારી જેવા શીલ (આચાર) કેમ રાખતા નથી? દ્વારે રહીને આવી ચપળતા કરે છે તેા તને માર કેમ ન મળે ?”
Page #54
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મુ
૩૯ પછી ત્યાંથી નીકળીને પ્રભુ પત્રકાળ નામના ગામમાં આવ્યા. ત્યાં પણ પૂર્વની જેમ પ્રભુ કોઈ શુન્યગૃહમાં પ્રતિમા ધરીને રહ્યા. શાળો ભય પામીને તે ઘરના એક ખુણામાં બેસી રહ્યો. તે ગામના સ્વામીને પુત્ર સ્કંદ પણ દંતિલા નામની દાસીની સાથે રતિક્રીડા કરવાને માટે ત્યાં આવ્યું. તેણે પણ સિંહની જેમજ પૂછયું પણ કોઈએ ઉત્તર આપે નહીં. પછી તે ક્રીડા કરીને નીકળ્યો ત્યારે ગોશાળ ઉંચે સ્વરે હસી પડયો. એટલે “અહીં પિશાચની જેમ ગુપ્ત રહીને કણ હસે છે?” એમ બેલતા તે સ્કુદે આવીને તેને ઘણે માર માર્યો. પછી સ્કંદ પિતાને ઘેર ચાલ્યા ગયે. ગોશાળે પ્રભુને કહ્યું કે, “હે નાથ! શું સ્વામીને ધર્મ આ હોય ? નિર્દોષ એવા મને મારતા તમે મારું રક્ષણ કેમ કરતા નથી ?” સિદ્ધાર્થ બે –અરે મૂર્ખ ! તેતર પક્ષીની જેમ મુખદેષથી તું આમ અનેકવાર અનર્થ ભોગવે છે.”
પછી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કુમાર સંનિવેશે આવ્યા. ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં ધન ધાન્યની સમૃદ્ધિવાળો કુપન નામે એક કુંભાર રહેતો હતો, મદિરાના કીડાની જેમ તેને મદિરા ઉપર ઘણી પ્રીતિ હતી. તે સમયે તેની શાળામાં મુનિચંદ્રાચાર્ય નામે એક પાર્શ્વનાથ પ્રભુના બહુશ્રુત શિષ્ય ઘણા શિષ્યવની સાથે રહેલા હતા. તે પિતાના શિષ્ય વિદ્ધન નામના સૂરિને ગચ્છમાં મુપ્પણે સ્થાપીને જિનક૯૫નું અતિ દુષ્કર પ્રતિકર્મ કરતા હતા. તપ, સત્વ, શ્રત, એકત્વ અને બળ એમ પાંચ પ્રકારની તુલના કરવા માટે તે સમાધિપૂર્વક ઉપસ્થિત થયેલા હતા. અહીં ગે શાળે પ્રભુને કહ્યું કે હે નાથ ! અત્યારે મધ્યાહ્નને સમય છે, માટે ચાલે, ગામમાં ભિક્ષા લેવા જઈએ સિદ્ધાર્થે કહ્યું કે “આજે અમારે ઉપવાસ છે.” પછી ક્ષુધાતુર થયેલે ગશાળે ગામમાં ભિક્ષાને માટે ગયે. ત્યાં ચિત્રવિચિત્ર વસ્ત્રને ધારણ કરનારા અને પાત્રાદિકને રાખનારા પાર્શ્વનાથના પૂર્વોક્ત શિષ્યને તેણે જોયા; એટલે પૂછયું કે, તમે કોણ છો ?” તેઓ બેલ્યા કે “અમે શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ શિષ્ય છીએ ગશાળે હસતાં હસતાં કહ્યું કે, “મિથ્યા ભાષણ કરનારા તમને ધિકાર છે. તમે વસ્ત્રાદિક ગ્રંથીને ધારણ કરનારા છો, તે છતાં નિગ્રંથ શેના ? કેવળ આજીવિકાને માટે જ આ પાખંડની કલ્પના કરી જણાય છે. વસ્ત્રાદિક સંગથી રહિત અને શરીરમાં પણ અપેક્ષા વગરના જેવા મારા ધર્માચાર્ય છે તેવા નિગ્રંથ તો હોવા જોઈએ.” તેઓ જિનંદ્રને જાણતા નહતા, તેથી ગોશાળાનાં આવાં વચન સાંભળીને બોલ્યા કે, “જે તું છું, તેવા તારા ધર્માચાર્ય પણ હશે, કેમકે તેઓ પિતાની મેળે લિંગ ગ્રહણ કરનારા જણાય છે. ક્ષુધાતુર થયેલા ગોશાળે તેમનાં આવાં વચનથી શાપ આપે કે, “જો મારા ગુરૂનું તપતેજ હોય તો આ તમારે ઉપાશ્રય બળી જાઓ.” તેઓ બોલ્યા કે'તારા વચનથી અમે બળીશું નહીં.” ગોશાળ વિલખ થઈ પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યું કે આજે મેં તમારા તપસ્વીપણાની નિંદા કરનારા સગ્રંથ સાધુઓને જોયા, તમારી નિંદા સાંભળીને મેં ક્રોધથી તેમને શાપ આપ્યો કે, તમારે ઉપાશ્રય બળી જાઓ; તથાપિ તેમનો ઉપાશ્રય જરા પણ બળે નહીં, માટે હે સ્વામિનું તેનું શું કારણ હશે તે કહે.” સિદ્ધાર્થ બોલ્યો-“અરે મૂઢ! તેઓ શ્રી પાર્શ્વનાથના શિષ્ય છે, તેમને ઉપાશ્રય તારા શાપથી કેમ બળે?” એવામાં રાત્રિ પડી, એટલે તે મુનિચંદ્રસૂરિ ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલે કુપનય કુંભાર મદિરાપાન કરી ઉન્મત્ત બનીને ઘુમતે ઘુમતે ત્યાં આવ્યો, તેણે આચાર્યને જોયા; એટલે એ દુષ્ટ કુંભારે ચોર૧ જિનપીપણું કરવાની તુલના,
Page #55
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે
બુદ્ધિથી આચાર્યને ગળેથી પકડીને શ્વાસ વગરના કરી દીધા, પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહીં. તે વેદનાને સહન કરતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને મૃત્યુ પામી દેવલોકે ગયા. તે સ્થાનની નજીકમાં રહેલા વ્યંતરેએ પ્રાતઃકાળના પવનની જેમ તેમની ઉપર પુષ્પ વર્ષાવીને તેમને મહિમા કર્યો.
અહીં ગોશાળાએ આકાશમાં વિજળીની પેઠે પ્રકાશતી દેવશ્રેણીને જોઈને પ્રભુને પૂછયું કે, “સ્વામી ! શું આ તમારા શત્રુઓને ઉપાશ્રય સળગી ઉઠ્યો? આ આકાશમાં જણાતા અત્યંત ઉદ્યોતથી મને એવું અનુમાન થાય છે. સિદ્ધાર્થે કહ્યું કે, “અરે એમ કહે નહીં, આ તે તે સૂરિ શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા; કેમકે “શુભ ધ્યાન કામધેનુની જેમ સર્વ મનોરથ પૂરનારું છે. તેમને મહિમા કરવાને આ તેજોમય દેવતાઓ આવે છે, જેથી તારા જેવા અલ્પ બુદ્ધિવાળા માણસને અગ્નિની બ્રાંતિ ઉત્પન્ન થઈ.” કૌતુકથી તે જોવાને માટે ગોશાળ સત્વર ત્યાં ગયે; એટલામાં તે દેવતાઓ પિતાને સ્થાને ચાલ્યા ગયા, કેમકે એવા દુષ્ટને દેવ દર્શન ક્યાંથી હોય?” પણ ત્યાં પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ જોઈને તે હર્ષ પામ્યો. પછી તેમના શિષ્યો જે ઉપાશ્રયમાં સુતા હતા, તેઓની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું કે, “અરે મુંડાઓ ! તમે દુષ્ટ શિષ્ય છો; કારણ કે દિવસે ઈચ્છા પ્રમાણે ભેજન કરીને આખી રાત્રિ અજગરની જેમ સુઈ રહો છો. તમે પણ જાણતા નથી કે, તમારા સૂરિ મૃત્યુ પામી ગયા. અહો ! ઉત્તમ કુળમાં જન્મ લેનારા તમારા જેવાને ગુરૂને વિષે પણ આટલે પ્રતિબંધ નથી?” પછી તે શિખે બેઠા થયા અને “આ પિશા ચની જેમ કેણ બોલે છે?” એમ ચિંતવન કરવા લાગ્યા. પછી તેઓ ઉપાશ્રયની બહાર આવ્યા. ત્યાં આચાર્યને મરણ પામેલા જાણી તેઓ કુલીન પુત્રની જેમ અત્યંત ખેદ પામીને ઘણીવાર સુધી પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ગોશાળો પણ તેમને તિરસ્કાર કરી સ્વેચ્છાથી જેમ તેમ બેલત પ્રભુ પાસે આવ્યો.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને રાક ગામે આવ્યા. ત્યાં પરચક્રના ભયથી ચેરને શોધનારા આરક્ષક પુરૂએ ગોશાળા સહિત પ્રભુને કાસગે રહેલા જોયા. તેમને પૂછયું કે “તમે કોણ છો ?” પરંતુ મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. મુનિઓ બધિર જેવાજ હોય છે. ઉત્તર ન મળવાથી તેમણે ધાર્યું કે, “જરૂર આ કોઈ હેરૂ છે, તેથી મૌન ધરીને રહેલ છે. આમ ધારીને તે ફર બુદ્ધિવાળા પુરુષએ ગોશાળા સહિત પ્રભુને પકડવા અને બંનેને ડાકિણીની જેમ બાંધીને કૂવામાં નાખ્યા અને વારંવાર ઘડાની જેમ ઉચા નીચા કરવા લાગ્યા. તે અવસરે સોમા અને જયતિ નામે ઉત્પલ નિમિત્તિઓની બે બહેને કે જેઓ પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા (ઉત્તમ સાધ્વીઓ) થઈ હતી, તેઓ તે ગામમાં આવેલી હતી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું કે, “અમુક સ્વરૂપવાળા કોઈ બે પુરૂષને આરક્ષક લે કે કુવામાં રાખી ઉંચા નીચા કરીને પાણીમાં નાખવા કાઢવાવડે પડે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, “રેખે એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી હોય!” આવું ધારીને તેઓ તત્કાળ ત્યાં આવી, તે ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. એટલે તેમણે આરક્ષકોને કહ્યું કે, “અરે મૂર્ખ ! તમે શું મરવાને ઈચ્છો છો? તમે શું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે એમ નથી જાણતા ? સા વીનાં આવાં વચન સાંભળીને તેઓએ ભય પામીને પ્રભુને મૂકી દીધા અને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ “મહાન પુરૂષે કે૫ કરતા જ નથી, તેઓ તે પિતાને આત્મા રખે મલીન ન થાય એવી શંકાથી ક્ષમા જ કરે છે.”
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મ
૧
પ્રભુ કેટલાક દિવસ ત્યાં નિમન કરીને ચેાથું ચામાસું કરવા માટે પૃષ્ઠશ્ર પા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણ કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતા પ્રભુ ચાતુર્માસ્ય રહ્યા. ચામાસાને છેલ્લે દિવસે કાાત્સગ પારી ત્યાંથી નીકળીને કૃતમંગળ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્ર સ્થવિરપણે એળખાતા, આરંભી, પરિગ્રહધારી અને સ્ત્રી સંતાન— વાળા કેટલાક પાખ’ડીએ વસતા હતા. તેમના પાડાની વચમાં એક માટુ' દેવાલય હતુ', તેમાં તેના કુળક્રમથી આવેલી કેાઈ દેવતાની પ્રતિમા હતી. તે દેવાલયના એક ખુણામાં જાણે તેના સ્ત'ભ હાય તેમ નિષ્કપ થઈને વીરપ્રભુ કાર્યાત્સગ ધરીને રહ્યા. તે સમયે માઘ માસ હતા અને ટાઢ ઘણી દુઃસહુ પડતી હતી. પ્રભુ આવ્યા તે દિવસે તે પાખડીઆને તે દેવાલયમાં રાત્રે મહાત્સવ હતા. એટલે પુત્ર પરિવાર લઈ તેઓ હર્ષ થી દેવાલયમાં એકઠા થયા, પછી નૃત્ય ગીત કરીને જાગરણ કરવા લાગ્યા. તે જોઈ ગેાશાળા હાસ્ય કરીને ઓલ્યા અરે ! આ પાખડીઓ કાણુ હશે ? કે જેની સ્ત્રીઓ મદ્યપાન કરીને આમ નૃત્ય ગીત કરે છે.' તે સાંભળી તેઓએ કોપાયમાન થઇને તેને ઘરમાંથી કાઢી મૂકયા. ગેશાળા ટાઢથી હકારની જેમ ખ'ગસ કેચ કરતા અને ગાયક જેમ વીણા વગાડે તેમ દંત વીણાને વગાડતા બહાર ઉભા રહ્યો. થાડીવારે અનુક‘પા લાવી તેઓએ પાછા ગેાશાળાને અંદર દાખલ કર્યો. થોડીવારે તેની ટાઢ દૂર થઇ, એટલે પાછા ફરીવાર તે પ્રથમની જેમ ખેલ્યા. પાછેા તેને કાઢી મૂકયેા, વળી યા લાવીને પ્રવેશ કરાવ્યેા. એવી રીતે કાપ અને કૃપા કરીને તેઓએ ગેાશાળાને ત્રણ વાર કાઢયા અને પેસાડયા. જ્યારે ચાથી વાર ગાશાળો પેઠા ત્યારે તે ઓલ્યા કે, ‘અરે પાખડીએ ! અલ્પ બુદ્ધિવાળા એવા તમાને સાચું કહેતાં કેમ કાપ થાય છે ? તમારા આવા દુષ્ટ ચારિત્ર ઉપર કેમ કાપ કરતા નથી ? અને હું જે સ્પષ્ટ ખેલનારા છું, તેની ઉપર આમ વાર વાર કાપ કરે છે?' આ સાંભળી તેનું કુટ્ટન કરવાને યુવાન પાખડીએ તૈયાર થયા, એટલે તેમના વૃદ્ધો તેમને વારીને કહેવા લાગ્યા- આ મહાતપસ્વી મહાત્મા દેવાય ના કાઇ પીઠધારી કે ઉપાસક જણાય છે, માટે એના ખેલવાને ગણકારવું નહી, તે ભલે સ્વેચ્છાએ ખેલ્યા કરે, જો તમે તે સાંભળી ન શકતા હો તા વાદ્ય વગાડવા કરો. તેઓએ ‘તેમ કર્યું' અને અનુક્રમે સૂર્યોદય થયા એટલે વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ આવ્યા, અને નગર બહાર કાયાત્સગ ધરીને રહ્યા.
ભાજનના અવસર થતાં ગેાશાળે પ્રભુને કહ્યું કે,’ ભગવન્ ! ભિક્ષા લેવા ચાલા, મનુષ્ય જન્મમાં સારરૂપ એક ભાજન જ છે.' સિધ્ધાર્થે પૂર્વની જેમ કહ્યું, ‘અરે ભદ્ર! અમારે ઉપવાસ છે.' ગાશાળે પૂછ્યું' કે, સ્વામી ! ત્યારે મારે આજ કેવા આહાર થશે ?? સિદ્ધા આલ્યા-આજે તે તારે નરમાંસની ભિક્ષા થશે.’ ગોશાળા ખેલ્યા-‘જયાં માંસના ગધ પણ ન હોય તેવે સ્થાનકે હું ભિક્ષા કરીશ.' આવા નિશ્ચય કરીને તે શ્રાવસ્તીપુરીમાં ભિા લેવા પેઠા.
66
એ નગરીમાં પિતૃદ્ધત્ત નામે એક ગૃહસ્થ હતા, તેને શ્રીભદ્રા નામે પ્રિયા હતી. તેને મૃતક પુત્ર આવતા હતા. એક વખતે તેણીએ શિૠત્ત નામના નિમિત્તિને આદરથી પૂછ્યું કે, ‘મારે સંતાન શી રીતે જીવે ?” તેણે કહ્યું, “ ભદ્રે ! જયારે તારે મરેલ સંતાન જન્મે, ત્યારે તેના રૂધિરયુક્ત માંસની દુધ, ઘી અને મધ સાથે મેળવીને ક્ષીર કરવી, પછી પો ધુળવાળા કોઇ સારા ભિક્ષુક આવે તેને આપી દેવી. તેમ કરવાથી જરૂર તારાં સ તાન જીવશે અને તારી પ્રસૂતિ નાશ નહીં પામે; પણ તે ભિક્ષુક જ્યારે ભાજન કરીને જાય
૬
Page #57
--------------------------------------------------------------------------
________________
४२
સર્ગ ૩ જે ત્યારે તમારે તત્કાળ ઘરનું દ્વાર ફેરવી નાખવું, કેમકે કદી પાછળથી તે જાણે તો પણ કોપથી તમારા ઘરને બાળી શકે નહીં.” સંતાનના અર્થવાળી તે સ્ત્રીએ ગોશાળ ભિક્ષા કરવા ગયો તે દિવસે જ બાળક આવેલ હોવાથી પૂર્વોક્ત રીતે ક્ષીર બનાવી, અને જ્યારે ગશાળે તેને ઘેર આવ્યા ત્યારે તેણીએ ભક્તિથી તે પાયસાન તેને આપ્યું. ગોશાળો તે જમીને પ્રભુની પાસે આવ્યો અને તે વાર્તા કહી બતાવી. સિદ્ધાર્થ ક્ષીર સબંધી જે મૂળ વાર્તા હતી તે કહી બતાવી, એટલે તત્કાળ ગોશાળે મુખમાં આંગળી નાંખીને વમન કર્યું. તેમાં બાળકના નખ વિગેરે ઝીણા અવયવે જોઈને તેને ઘણે ક્રોધ ચઢયે; તેથી તે પેલી સ્ત્રીનું ગૃહ શોધવા નીકળ્યો; પણ તેણીએ ગૃહનું દ્વાર ફેરવી નાખેલું હોવાથી ગવાળની જેમ ગોશાળે તેના ઘરને ઓળખી શકે નહીં. પછી ગોશાળે છે કે, જે મારા ગુરૂનું તપતેજ હોય તે આ બધે પ્રદેશ બળી જાઓ. સાન્નિધ્ય રહેલા વ્યંતરે એ વિચાર્યું કે, “પ્રભુનું માહાસ્ય અન્યથા ન થાઓ.” એમ વિચારી તેઓ એ તે બધે પ્રદેશ બાળી નાખે.
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિ નામના ગામે ગયા, ત્યાં ગામની બહાર રહેલા હરિ વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે પત્રની છાયારૂપ છત્રવાળી તેજ વૃક્ષની નીચે શ્રાવસ્તી નગરીએ જતો કઈ માટે સાથે ઉતર્યો. વાઘથી ભય પામેલાંની જેમ તે સાથે ટાઢથી ભય પામીને ત્યાં રાત્રે અગ્નિને પ્રજ્વલિત કર્યો. પછી પ્રાત:કાળે ઉઠીને સાથે ચાલતે થયે; પણ પ્રમાદથી તે અગ્નિને બુઝાવ્યું નહીં. તેથી તે અગ્નિ વ્યાધિની જેમ પ્રસરતે પ્રસરત સમુદ્રમાં વડવાનલની જેમ મહાવીર પ્રભુની પાસે આવ્યા. તે વખતે “ભગવન! આ અગ્નિ નજીક આવ્યો માટે અહીંથી નાશી જાઓ.” એમ બેલતે ગોશાળ તરત કાકપક્ષીની જેમ બીજે નાશી ગયો. પ્રભુએ તેનું વચન સાંભળ્યું હતું પણ કર્મરૂપ ઈધનને બાળવાને માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભા રહ્યા. ' હેમંતના તુષાર (ઝાકળ)થી કમળના બે કેશની જેમ તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળા સહિત લાંગલ નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકો ત્યાં કીડા કરતા હતા, તેઓને ગોશાળ પ્રેતની જેમ વિકૃતરૂપ કરીને ચિતરફથી બીવરાવવા લાગ્યું. તેના ભયથી કોઈના વસ્ત્રો પડી ગયા, કેદની નાસિકાઓ કુટી, કેઇ ચાલતા ચાલતા પડી ગયા. તેવી રીતે સર્વ બાળક ગામ તરફ નાશી ગયા; એટલે તે બાળકના પિતા ત્યાં આવ્યા, અને ગોશાળાને વિકૃત રૂપધારી જોઈને “અરે અમારા બાળકોને કેમ બીવરાવે છે? ” એમ કહી તેઓ તેને પુષ્કળ માર મારવા લાગ્યા. તે વખતે ગામના વૃદ્ધા ત્યાં આવ્યા, તેઓ પ્રભુને જોઈને બોલ્યા કે–“અરે ! મુર્ખ ! એને છોડી દે, એ તે આ દેવાર્યનિ સેવક છે એમ જણાય છે. તેઓ એ વૃદ્ધાના કહેવાથી તેને છોડી મૂક્યો, એટલે ગશાળે પ્રભુને કહ્યું
હા , એ તે આ દેવાયને સેવક હોય કે “સ્વામી! અન્ય જન મને મારે છે, તે પણ તમે અદ્યાપિ મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે તે વજની જેવા નિષ્ઠુર જણાઓ છે !' સિદ્ધાર્થે કહ્યું કે, “તું જે માર ખાય છે, તે વ્યાધિની જેમ અંગમાંથી ઉઠેલા તારા સ્વભાવથી જ ખાય છે. પછી કાર્યોત્સર્ગ પારી ત્યાંથી વિહાર કરીને પ્રભુ આવર્ત નામના ગામે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળા ત્યાં પણ પ્રથમની જેમ ગામના બાળકોને બીવરાવવા લાગ્યો. તે બાળકના પિતાએ ત્યાં આવીને દુર્મદ સાંઢીઆની જેમ તેને કુટી નાખ્યું. તેમના ગયા પછી ફરીવાર પણ તે બાળકને બીવડાવવા લાગ્યા. “પ્રાણીઓથી પ્રાણાંત સુધી પણ પ્રકૃતિ છોડાતી નથી.” કાધ પામી તે બાળકના પિતાએ ત્યાં આવી પરસ્પર કહેવા લાગ્યા કે,
Page #58
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું “આ બીચારા બળકુટકને મારવો તે કાંઈ ઠીક નહીં, તેના સ્વામીને જ મારે, કારણ કે તે તેને નિષેધ કેમ કરતો નથી. સેવકે અપરાધ કરે તો તેના સ્વામીને દંડ કરે, એવી મર્યાદા છે.” પછી અપરાધ છતાં ધાનની જેમ શાળાને છેડી દઈને તે દુર્બદ્ધિઓ દંડ ઉગામતા વીરપ્રભુની પાસે આવ્યા. તેવામાં ત્યાં રહેલો અહંતને ભક્ત કઈ વ્યંતર ક્રોધથી બળદેવની પ્રતિમામાં અધિણિત થયે; તેથી જાણે પ્રત્યક્ષ બળદેવ હોય તેમ તે બળદેવની પ્રતિમા હળ લઈને તેમની સામે મારવા આવી. તે જોઈને આશંકા અને વિસ્મય પામી સર્વ ગ્રામ્યજનો પ્રભુના ચરણકમળમાં પડી ખમાવવા લાગ્યા અને પિતાને નિંદવા લાગ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચોરાક ગામે આવ્યા, અને કોઈ એકાંત સ્થળે પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે કહ્યું કે, “સ્વામી ! ગોચરી જવું છે કે નહીં?” સિદ્ધાર્થે કહ્યું, “આજે અમારે ઉપવાસ છે.” પછી ક્ષુધાતુર થયેલે ગે શાળે એકલો ઉત્સુકપણે ભિક્ષાને માટે ગામમાં ગયે. ત્યાં કોઈક ઠેકાણે ગોઠને માટે રાઈ થતી તેણે દીઠી; એટલે “ભિક્ષાનો સમય થયો છે કે નહિ?” તેને નિર્ણય કરવા ગશાળે સંતાઈ સંતાઈને જેવા લાગ્યો. તે વખતે તે ગામમાં ચે૨ લોકોનો મોટે ભય હતો, તેથી “આ સંતાઈને જુએ છે, માટે તે ચોર છે અથવા ચારનો મોકલેલે ચર પુરુષ છે.” એમ તર્ક કરીને ગામના લોકોએ શાળાને કુટી નાંખે. ગશાળે ક્રોધાયમાન થઈને શાપ આપ્યો કે, “જે મારા ધર્મગુરૂનું તપતેજ હોય તે આ લોકોને ગોષ્ટિમંડપ બળી જાઓ.” એટલે ભગવંતના ભક્ત વ્યંતરેએ તે મંડપને બાળી નાખ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કલંબુક નામના ગામે ગયા. તે ગામમાં મેઘ અને કાળહસ્તી નામે બે શૈલપાળક ભાઈઓ રહેતા હતા. તે વખતે કાળહસ્તી સૈન્ય લઈને ચેની પછવાડે જતું હતું. તેણે માર્ગમાં ગોશાળા સહિત વીરપ્રભુને આવતા જોયા, એટલે તેની ઉપર ચોરની શંકા કરી. “તેવા લોકોની એવીજ બુદ્ધિ હોય છે.” કાળહસ્તીએ પૂછ્યું કે, “તમે કેણ છે?” પરંતુ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. ગોશાળા પણ ગમતની ખાતર વાનરની જેમ મૌન ધરી રહ્યો. પછી તેણે ગોશાળાને અને પ્રભુને બાંધીને પિતાના ભાઈ મેઘને સેપ્યા. તે મેઘ સિદ્ધાર્થ રાજાને સેવક હતું અને તેણે પ્રથમ પ્રભુને જોયા હતા, તેથી પ્રભુને ઓળખ્યા, એટલે પ્રભુને તેણે ખમાવીને મૂકી દીધા. પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે, “હજુ મારે ઘણું કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી. કારણ કે સૈનિકે સિવાય શત્રુઓનો માટે સમૂહ જીતી શકાતો નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂ?” આવો વિચાર કરીને મોટા ઘર સાગરમાં જલજંતુ પ્રવેશ કરે તેમ પ્રભુ લાટ દેશમાં ગયા, જે દેશમાં પ્રાયઃ બધા ક્રૂર સ્વભાવી મનુષ્યજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કઈ “મુંડ મુંડે' એમ કહીને મારવા લાગ્યા, કેઈ સ્પર્શ ધારીને પકડવા લાગ્યા, કેઈ ચોર ધારીને એમને બાંધવા લાગ્યા, કેઈ કૌતુકથી પ્રભુની ઉપર ભસતા શ્વાનને મૂકવા લાગ્યા અને બીજાઓ પોતાની મરજી પ્રમાણે બીજી અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પરંતુ જેમ રેગી અતિ ઉગ્ર ઔષધેથી રોગને નિગ્રહ થત જાણ હર્ષ પામે, તેમ પ્રભુ આવા ઉપસર્ગોથી કર્મ ખપતાં જાણીને અતિ હર્ષ પામતા હતા. વનમાંથી પકડી લાવેલા હાથીની જેમ ગોશાળે પણ ત્યાં બંધન અને તાડન વિગેરેની અનેક વેદનાએ સહન કરી. પ્રભુ ત્યાં કર્મની ઘણી નિજ રા કરીને જાણે કૃતાર્થ થયા હોય તેમ ૧ અહીં સહાયક ઉપદ્રવાદિકના કરનારને ગણ્યા છે. ૨ આર્ય રાજાના ગુપ્ત ચર.
Page #59
--------------------------------------------------------------------------
________________
ગગ ૩ જે
આર્ય દેશની સન્મુખ ચાલ્યા. અનુક્રમે પૂર્ણકળશ નામના ગામની નજીક જતાં તે લાટ દેશની ભૂમિમાં પ્રવેશ કરવાને ઈરછતા બે ચોરોએ પ્રભુને સામા આવતા જોયા. એટલે “આ અપશુકન થયા.” એવું ધારી તેઓ પ્રભુને મારવાની ઈચ્છાથી કર્ણિકા ઉપાડીને આવતા પ્રેતની જેમ ખડ્રગ ઉગામીને પ્રભુની સામે દેડડ્યા, આ સમયે દેવલેકમાં બેઠેલા ઇંદ્રને ચિંતવન થયું કે, હાલ વીરપ્રભુ ક્યાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે પ્રભુને તથા તેમને મારવાને તૈયાર થયેલા તે બંને ચારોને તત્રસ્થ જોયા. તત્કાળ સિંહ જેમ હાથીને મારી શકે તેવા પંજાથી બે હરિને મારે તેમ ઈ મેટા પર્વતને તોડી શકે તેવા પરાક્રમી વજવડે તે બંને ચિરને મારી નાંખ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્દિલપુરે આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચોમાસી ત૫) કરીને પાંચમું ચાતુર્માસ્ય રહ્યા. તપનું પારણું કરી ત્યાંથી વિહાર કરતાં અનુક્રમે પ્રભુ કદલી સમાગમ નામના ગામ પાસે આવ્યા. ત્યાંના લોકો યાચકોને અને આપતા હતા, તે જોઈ ગોશાળે પ્રભુને કહ્યું કે, “સ્વામી ! અહીં ભજન કરે.” સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે.” “ત્યારે હું એકલે જમીશ” એમ કહી તે ત્યાં ગયો. ગશાળે ત્યાં જમવા બેઠે, પણ પિશાચની જેમ તૃપ્ત થયે નહીં, એટલે ગામના લોકોએ સર્વ અનથી ભરેલો એક થાળ તેને અર્પણ કરી દીધે. ગોશાળે તેમાંનું બધું અન ખાઈ શક્યા નહીં, કંઠ સુધી આહાર કર્યો, તેથી પાણી પીવામાં પણ મંદ થઈ ગયે, એટલે તે લોકોએ “અરે ! તું તારી આહાર કરવાની શક્તિને પણ જાણતા નથી, તેથી તું શું મૂર્તિમાનું દુષ્કાળ છું?” એમ કહી તે થાળ તેના મસ્તક પર ફેંક્યો. પછી તૃપ્તિથી પેટને પંપાળ પંપાળતે ગે શાળા ત્યાંથી ચાલ્યા ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ જંબૂખંડ નામના ગામે ગયા. પ્રભુ કાસગે રહ્યા. ગશાળ સદાવ્રતનું ભોજન મેળવવાની ઈચ્છાથી પૂર્વવત્ તે ગામમાં ગયે. પૂર્વની જેમ ત્યાં પણ તેને ભજન અને તિરસ્કાર બંને મળ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ તુબા નામના ગામ સમીપે આવ્યા. પ્રભુ બહા૨ પ્રતિમા ધરીને રહ્યા અને ગોશાળા ગામમાં ગયો. તે ગામમાં બહુકૃત અને અનેક શિષ્યોના પરિવારથી પરવરેલા શ્રી પાર્શ્વનાથના શિષ્ય વૃદ્ધ નંદીષેણુથાર્થ આવ્યા હતા, તેઓ ગચ્છની બધી ચિંતા છોડી દઈને જિનકલપના પ્રતિકનેર કરતા હતા, તેમને જોઈ ગોશાળે મુનિચંદ્રાચાર્યની જેમ તેમનું હાસ્ય કરીને પ્રભુની પાસે આવ્યું. તે મહર્ષિ નંદીણ રાત્રે તે ગામના કેઈ ચોકમાં ધર્મધ્યાન કરવા માટે કાત્સર્ગ ધરીને સ્તંભની જેમ સ્થિર રહ્યા. ચેકો કરવા નીકળેલા ગ્રામરક્ષકેએ તેમને ચારની ભ્રાંતિથી મારી નાંખ્યા. તેઓ સદ્ય અવધિજ્ઞાન મેળવી મૃત્યુ પામીને દેવલેકે ગયા. દેવતાઓએ તેમને મહિમા કર્યો, તે જોઈ ગોશાળે ત્યાં આવી તેમના શિષ્યોને પૂર્વવત્ તિરસ્કાર કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૂપિકા નામના ગામ પાસે આવ્યા. ત્યાં આ રક્ષક કે એ પ્રચ્છન્ન ચરપણાની ભ્રાંતિથી ગોશાળ સહિત પ્રભુને હેરાન કર્યા, તે વખત “નિરપરાધી એવા કેઈ રૂપવાન, શાંત અને યુવાન દેવાર્યને ગુપ્ત ચરની ભ્રાંતિથી આરક્ષકે મારે છે.” એવે વાર્તાલાપ લોકમાં ફેલાય. તે વાર્તાલાપ શ્રી પાર્શ્વનાથની પ્રગભા અને વિયા નામે બે શિષ્યા ચારિત્ર છોડીને નિર્વાહ માટે પરિવારિકા થઈને તે ગામમાં રહેતી હતી, ૧. સદાવ્રત હતું. ૨ જિનકલ્પની તુલના. -
Page #60
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૪૫
તેણે સાંભળ્યું. તેથી “ખે, તે વીર પ્રભુ તો ન હોય?” એવી શંકા કરતી ત્યાં આવી. ત્યાં ભગવંતને તેવી સ્થિતિમાં જોયા; એટલે તેઓએ પ્રભુને વંદના કરીને આરક્ષકોને કહ્યું કે, “અરે મૂખે ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર છે એમ શું તમે નથી જાણતા ? હવે જલદી તેમને છોડી મૂકે; કેમકે આ ખબર જ ઈદ્ર જાણશે તે તમારી ઉપર પ્રાણહર વજી મૂકશે.” આ પ્રમાણે સાંભળીને તેઓએ પ્રભુને છોડડ્યા અને વારંવાર ખમાવ્યા. પછી ભગવંત ત્યાંથી વિશાળાપરી તરફ ચાલ્યા. આગળ જતાં બે મા આવ્યા. એટલે ગશાળે કહ્યું કે, “હે નાથ ! હું તમારી સાથે નહીં આવું, કારણ કે મને કોઈ મારે છે ત્યારે તમે તટસ્થ થઈ જોયા કરો છો, વળી તમને ઉપસર્ગો થાય છે ત્યારે તેની સાથે મને પણ ઉપસર્ગો થાય છે, કેમકે અગ્નિ સુકાની સાથે લીલાને પણ બાળે છે. વળી લો કે પ્રથમ મને મારે છે અને પછી તમને મારે છે. તેમજ સારા ભેજનની ઈચ્છા થયા છતાં કઈ દિવસ ભોજન થાય છે અને કોઈ દિવસ ભૂખ્યા રહેવું પડે છે. વળી પાષાણમાં અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, હણવા આવનારમાં અને સેવકમાં નિવિશેષ-સમદષ્ટિ રાખનાર એવા તમારી સેવા મૂઢ બુદ્ધિવાળા પુત્રની જેમ કોણ કરે? એક તાળવૃક્ષની સેવા કરે તેવી નિષ્ફળ તમારી સેવા મેં બ્રાંત થઈને આજ સુધી કરી છે તે સંભારજે, હવે હું તેવી સેવા કરીશ નહીં.” સિદ્ધાર્થ બેલ્યો “તને જે રૂચે તે કર. અમારી તે એવી જ શૈલી છે, તે કદિ પણ અન્યથા થશે નહીં.”
પછી પ્રભુ ત્યાંથી વિશાળ નગરીને માર્ગે ચાલ્યા અને ગોશાળો એકલો રાજગૃહ નગરને માર્ગે ચાલે. આગળ ચાલતાં સર્પવાળા મોટા રાફડામાં ઉંદર પિસે તેમ જેમાં પાંચસે ચાર રહે છે એવા એક મોટા અરણ્યમાં ગશાળે પ્રવેશ કર્યો. એક ચોરે ગીધની જેમ વૃક્ષ ઉપરથી ગોશાળાને દૂરથી આવતે જોયે, એટલે તેણે બીજા ને કહ્યું કે કિંઈ દ્રવ્ય વિનાને નગ્ન પુરૂષ આવે છે. તેઓ બેલ્યા કે, “તે નમ છે તો પણ આપણે તેને છોડ નહીં, કારણ કે કદાપિ તે કઈને મોકલેલે ચાર પુરષ પણ હોય. માટે તે આપણે પરાભવ કરીને જાય તે ઉચિત નથી.” એવી રીતે વિચારી તેઓ નજીક આવેલા ગોશાળાને “મામે, મામે” કહી વારા ફરતી તેના ખભા પર ચડીને તેને ચલાવવા લાગ્યા.
ર એવી રીતે ચલાવવાથી ગોશાળાના શરીરમાં શ્વાસ માત્ર બાકી રહ્યો, એટલે ચાર લોકો તેને છોડીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. ગોશાળે વિચાર્યું કે, “સ્વામીથી જુદા પડતાં પ્રારંભમાંજ શ્વાનની જેમ મેં આવી દુસહ વિપત્તિ ભેગવી, પ્રભુની વિપત્તિને તે ઈંદ્રાદિક દેવતાઓ પણ આવી આવીને દૂર કરે છે, તે તેમના ચરણને શરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નાશ પામે છે. જે પ્રભુ રક્ષણ કરવાને માટે પોતે સમર્થ છતાં પણ કઈ કારણથી ઉદાસીન રહે છે, તેવા પ્રભુને મંદ ભાગ્યવાળા પુરૂષ ધનના નિધિને પ્રાપ્ત કરે તેમ હું હવે શી રીતે પ્રાપ્ત કરીશ ? માટે ચાલ, તેની જ શેધ કરૂં” આ નિશ્ચય કરી ગશાળ પ્રભુના દર્શનને માટે તે વનનું ઉલ્લંઘન કરીને અશ્રાંતપણે ભમવા લાગે.
પ્રભુ વિશાલા નગરમાં આવ્યા. ત્યાં કઈલેહકારની શાળામાં લોકોની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે શાળાને સ્વામી લુહાર છ માસ સુધી રેગોથી પીડાઈ તરતમાં જ નિરોગી થયે હતો. તે જ દિવસે પિતાના સ્વજનોથી વીંટાઈપિતાની કોડમાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈને તેણે ચિતવ્યું કે, “પહેલે જ દિવસે મારે આ પાખંડીના દર્શન થયા તે મેટું અપશુકન થયું, માટે આની ઉપર જ લેઢાને ઘણુ મારીને એ અમંગલને દૂર કરૂં” પછી તે દુષ્ટ પ્રભુને મારવા માટે ઘણ ઉપાડીને દેડયો. તે વખતે ઇદને વિચાર
Page #61
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે
થયો કે, “હાલ પ્રભુ ક્યાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તે લુહારને ઘણુ મારવા ઉદ્યત થયેલ જાણી ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યા અને પોતાની શક્તિથી તે ઘણ તેના જ માથા ઉપર પડાવે, તેથી માંડ માંડ રેગમુક્ત થયાં છતાં પણ ઘણના પ્રહારથી તે લુહાર યમદ્વારમાં પહોંચી ગયે. ઈદ્ર પ્રભુને નમી સૌધર્મ ક૯૫માં ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પ્રામક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બિભેલક નામના ઉદ્યાનમાં આવેલા બિભેલક નામના યક્ષના મંદિરમાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે યક્ષને પૂર્વ ભવે સમકિત ફરસેલું હતું, તેથી તેણે અનુરાગ ધરીને દિવ્ય પુષ્પ અને વિલેપનાદિકથી પ્રભુની પૂજા કરી.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા, તે વખતે માઘ માસ વર્તતો હતો. ત્યાં કટપૂતના નામે એક વાણવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળવાથી રોષવતી થઈને મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી હતી. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્ય તરી થઈ હતી. પૂર્વના વૈરથી અને પ્રભુના તેજને સહન ન કરી શકવાથી તેણે પ્રભુની પાસે આવીને તાપસીનું રૂપ વિકુવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતળ જળમાં શરીરને બળીને પ્રભુની ઉપર ઉંચે ઉભી રહી પછી પવન વિસ્તારીને સીસેળીઆની જેમ શરીરપરથી જળના અતિ દુઃસહ શીતળ બિંદુઓ પ્રભુની ઉપર ઉંચે પડવા લાગ્યા. જટાના અગ્ર ભાગથી અને વલ્કલમાંથી પડતા જળબિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે કઈ પુરુષ તે ઠેકાણે હેત તે શીતથી ઠરીને ફાટી જાત, અર્થાત્ પ્રાણ જતા રહેત. આ પ્રમાણે આખી રાત્રિ શીતે પસર્ગને સહન કરતાં પ્રભુનું અત્યંત કર્મોને ખપાવે તેવું ધર્મધ્યાન વિશેષે દીપી નીકળ્યું, અને અનુત્તર વિમાનમાં રહેલા દેવું હોય તેવું સર્વ લેકને અવલોકન કરાવનારૂં વિશેષ પ્રકારનું ૧ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી વિરપ્રભુને દેવભવમાં પણ જ્યારે જ્યારે સહજ અવધિજ્ઞાન પ્રાપ્ત થતું ત્યારે તેઓ એકાદશાંગી સૂત્રાર્થને ધારણ કરનારા થતા હતા. અહીં રાત્રિ વ્યતીત થઈ એટલે કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરીને ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી પિતાને સ્થાનકે ગઈ.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું છઠ્ઠ માસું કરવાને માટે પ્રભુ તપને આચરતા સ્થિતિ કરીને રહ્યા. ત્યાં છ માસે ગોશાળ આવીને મળે. પૂર્વની જેમ પ્રભુની સેવા કરતે તે સાથે રહ્યા. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા. પછી વર્ષાકાળ નિગમન કરી નગરીની બહાર પારણું કર્યું.
9898353
(18888888888888888888888888 898045388
॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर प्रथम षड़ वर्ष विहार
___ वर्णनो नाम तृतीय सर्गः ॥ 88888401 31228238888 88888 89 9283812
Page #62
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થે
શ્રી મહાવીર સ્વામીને બીજા છ વર્ષને છસ્થ વિહાર ગોશાળે સેવેલા શ્રી વીરભગવંતે ત્યાર પછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. પછી આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં ચાર માસક્ષપણ કરીને ચોમાસું ઉલ્લંઘન કર્યું. જેમાસું પૂર્ણ થયા પછી તે નગરીની બહાર પારણું કરીને પ્રભુ ગોશાળા સહિત કંડક નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરના એક ખુણામાં જાણે રત્નમય પ્રતિમા બેસાડી હોય તેમ પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. પ્રકૃતિથી નિર્લજજ અને ઘણા વખતથી કરેલી સંલીનતાથી આતર થયેલ ગોશાળ વાસુદેવની પ્રતિમાના મુખ પાસે પુરૂષ ચિન્હ ધરીને ઉભું રહ્યું. તેવામાં તેને પૂજારી આવે, તે ગોશાળાને એવી રીતે રહેલે જોઈને વિચારવા લાગ્યું કે, “આ કોઈ પિશાચગ્રસ્ત અથવા ગાંડે માણસ જણાય છે. એવું વિચારતે તે અંદર પેઠે અને તેને બરાબર છે એટલે તેને નગ્ન જોઈને તેણે ધાર્યું કે, “આ કેઈ નગ્ન જૈન સાધુ જણાય છે. વળી વિચાર્યું કે, જો આને મારીશ તે લકે કહેશે કે, આ દુષ્ટ નિર્દોષ એવા સાધુને વિનાકારણ માર્યા છે, માટે આનું ગામને જે યંગ્ય લાગે તે કરે; તેથી હું આ વાત ગામના લોકોને જઈને કહું' એમ વિચારીને તે ગામના લોકોને તેને બતાવવા તેડી લાવ્યા. તત્કાળ ગામના બાળકેએ તેને લપડાકેથી અને મુષ્ટિઓથી કુટવા માંડ્યો. પછી એ ગાંડે છે, માટે એને મારવાથી સયું” એમ કહીને વૃદ્ધ લેકોએ તેને છોડાવ્યું.
કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરીને મર્દન નામના ગામ પાસે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ પૂર્વની જેમ બળદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ગોશાળે ઊભે રહ્યો. તેથી પૂર્વની જેમ ગામના લે કે એ કુટડ્યો અને પૂર્વની જેમ વૃદ્ધાએ છોડાવ્યું. ત્યાંથી વિહાર કરીને તપવી પ્રભુ બહુશાળ નામના ગામે ગયા. ત્યાં શાળવી નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં શાલાર્યા નામે એક વ્યંતરી હતી, તેણે કાંઈ પણ કારણ વગર કોધ પામીને પ્રભુની ઉપર કર્મને ઘાત કરનારા કેટલાક ઉપસર્ગો કર્યા. ઉપસર્ગ કરતાં કરતાં જ્યારે તે શ્રાંત થઈ ત્યારે તેણે પ્રભુની પૂજા કરી. પછી ત્યાંથી વિહાર કરીને વીરપ્રભુ લોહાલ નામના ગામે આવ્યા. ત્યાં જીતશત્રુ નામે રાજા હતા. તે રાજાને કઈ રાજા સાથે વિરોધ ચાલતો હતો; તેથી રાજપુરૂષોએ માર્ગમાં પ્રભુને ગોશાળા સહિત આવતા જોયા. એટલે “તમે કોણ છો?” એમ તેઓએ પૂછ્યું, પણ મૌનધારી પ્રભુ કાંઈ બેલ્યા નહીં. તેથી “આ કેઈ શત્રુના હેવું છે. એવું ધારી તેમને પકડીને જીતશત્રુ રાજાને ઍપ્યા. ત્યાં અસ્થિક ગામથી ઉત્પલ નિમિત્તીઓ આવેલું હતું. તેણે પ્રભુને ઓળખ્યા, એટલે વંદના કરી અને જીતશત્રુ રાજાને બધી વાર્તા કહી. પછી રાજાએ પણ ભક્તિથી પ્રભુને વંદના કરી. ૧ કાવધિ.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮
સર્ગ ૪ થે
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પુરિમતાલ નગરે પધાર્યા. ત્યાં પૂર્વે એવું બનેલું હતું કે ત્યાં વાગુર નામે એક ધનાઢથ શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિયા હતી. તે વંધ્યા હતી, તેથી સંતાનને માટે દેવતાઓની બાધાએ કરી કરીને થાકી ગઈ હતી. એક વખતે તે બંને શકટમુખ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ દેવની જેમ પુષ્પ ચુંટવા વિગેરેથી ચિરકાળ ક્રીડા કરી. ક્રિીડા કરતાં કરતાં તેઓ એક મોટા જીર્ણ મંદિર પાસે આવ્યા. કૌતુકથી બંનેએ તેમાં પ્રવેશ કર્યો. અંદર દષ્ટિને અમૃત જેવી શ્રી મલિનાથ પ્રભુની પ્રતિમા દેખીને શ્રદ્ધાપૂર્વક તેમણે વંદના કરી. પછી પ્રાર્થના કરી કે, “હે દેવ ? તમારા પ્રસાદથી જે અમારે પુત્ર કે પુત્રી થશે, તો અમે આ તમારા જીત્યને ઉદ્ધાર કરશું, અને ત્યારથી સદા તમારા ભક્ત થઈને રહેશું. આ પ્રમાણે કહીને તેઓ પોતાને ઘેર આવ્યા. ત્યાં નજીકમાં કેઈ અહંતભક્ત વ્યંતરીને નિવાસ હતું, તેના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. તેથી શેઠને દેવ ઉપર પ્રતીતિ આવી. ગર્ભના દિવસથી જ માંડીને તેણે મોટા હર્ષથી દુર્ગતિમાંથી પોતાના આત્માની જેમ તે દેવાલયને ઉદ્ધાર કરવાને આરંભ કર્યો. અને બુદ્ધિમાનું વાગુર શેઠ લીધેલા અભિગ્રહ પ્રમાણે દરરે જ ત્યાં જઈને તે મલિનાથની પ્રતિમાની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેને જિનભક્ત જાણીને વિચરતા એવા સાધુ અને સાધ્વીઓ પણ તેને ઘેર આવવા માંડડ્યા અને તે પણ સદા તેમની પૂજા સત્કાર કરવા લાગ્યો. નિત્યના સાધુએના સંગથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે શેઠ શેઠાણું શ્રાવકપણું પામ્યા અને સર્વ વિધિના જાણનારા થઈ ગયા.
આ સમયે શ્રી વીરભગવંત તે પુરિમતાલ નગરના શકટમુખ નામનાજ ઉદ્યાનમાં કાઉસગ્ન કરીને રહ્યા. ત્યાં ઇશાબેંક જિનેશ્વરને વંદના કરવા આવ્યું. તેણે મલ્લિનાથ પ્રભુના બિંબને પૂજવા માટે જતા તે વાગુર શેઠને જે. એટલે ઈશાન ઈ કહ્યું કે, “અરે શેઠ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરીને જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ ક્યાં જાઓ છો? આ ભગવાન શ્રી વીરસ્વામી ચરમ તીર્થકર છે, તે છદ્મસ્થપણે વિહાર કરતાં અહી પ્રતિમા ધારી થઈને રહ્યા છે.' તે સાંભળી વાગુર શેઠે મિથ્યા દુષ્કૃત દઈ ત્રણ પ્રદક્ષિણા કરી કૂર્મની જેમ શરીર સંકોચીને ભક્તિથી પ્રભુને વંદના કરી. પછી ઈશાનઈદ્ર અને વાગુર શેઠ પ્રભુને નમીને પોતાને સ્થાનકે ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉષ્ણક નામના નગર તરફ ચાલ્યા. માર્ગમાં તરતના પરણેલા અને તદ્દન વિરૂપ આકૃતિવાળા કે વરવધૂ સામા મળ્યા. તેમને જોઈને ગોશાળો બે કે-“અહો ! જુઓ તો ખરા ! આ બંનેને કેવા મોટા પેટ છે, મોટા દાંત છે, હડપચી તથા ડોક લાંબી છે, વાંસામાં ખૂંધ નીકળેલી છે અને નાકે ચીબા છે. અહો ! વિધાતાની જેડી દેવાની ખુબી પણ કેવી છે, કે જેણે વરકન્યા બંને સરખા મેળવી દીધા છે ! હું તે ધારું છું કે, તે વિધાતા પણ કૌતુકી છે. આ પ્રમાણે ગોશાળા તેમની આગળ જઈ જઈને વારંવાર કહેવા લાગ્યું, અને મશ્કરા [વિદુષક]ની જેમ વારંવાર અટ્ટહાસ કરવા લાગ્યું. તે જોઈને તે વધૂવરની સાથેના માણસે કોપાયમાન થયા. તેથી ગોશાળાને તેઓએ ચેરની જેમ મયરબંધવડે બાંધીને વાંસની જાળમાં ફેંકી દીધા. ગે શાળે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે, “હે સ્વામી! મને બાંધે છે, તે છતાં તમે મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે અન્ય જનની ઉપર પણ કૃપાળુ છો, તે શું પિતાના સેવક ઉપર કૃપાળુ નથી?” સિદ્ધાર્થે કહ્યું કે, “વાનરની જેમ ચપળતા કરનારા એવા તારે તારા પિતાના દુશ્ચરિત્રથી હંમેશા વિપત્તિ તો સિદ્ધ થઈ ચુકી છે. પ્રભુ થોડે દૂર જઈને તેની રાહ જોતા ઊભા રહ્યા.
Page #64
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ સુ
૪૯
એટલે પેલા ધ્રૂવરના માણસા પ્રભુને જોઈને વિચારવા લાગ્યા કે, જુએ, આ મહા તપસ્વી દેવા આ પુરૂષની રાહ જુએ છે, માટે કદાચ આ માણસ તેમના પીઠધારી, છત્રધારી કે કોઈ બીજું કાર્ય કરનાર સેવક હશે.' આ પ્રમાણે વિચારીને તેઓએ પ્રભુને માટે ગાશાળાને છેાડી મૂકયો. પછી પ્રભુ તેની સાથે ચાલતા અનુક્રમે ગાભૂમિમાં આવ્યા. ગેાશાળે ગાવાલાને પૂછ્યું કે, ‘અરે બીભત્સ મૂત્તિવાળા ! અરે મ્લેચ્છે ! અરે પેાતાના નેહડામાંજ શૂરવીર ગાવાળા ! કહા, આ માગ કયાં જાય છે? ’ ગેાવાળીઆ ખેલ્યા‘અરે ! મુસાફર ! તું વિનાકારણ શા માટે અમાને ગાળેા આપે છે ? અરે શાળા ! તારો નાશ થઇ જશે.’ ગેાશાળે કહ્યું, અરે દાસીના પુત્ર ! જો તમે મારો આટલા આક્રોશ સહન નહી કરો તા હું અધિક આક્રોશ કરીશ, વળી મેં તમને કાંઇ ગાળા આપી નથી. મે તમને મ્લેચ્છ ને બીભત્સ કહ્યા છે તો શું તમે મ્લેચ્છ અને બીભત્સ નથી ? મે' ખાટુ' શું કહ્યું છે ? ' તે સાંભળી તેઓએ ક્રોધથી ગેાશાળાને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધા; પરંતુ ખીજા દયાળુ મુસાફરોએ તેને છેડાવ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણવડે વિવિધ પ્રકારના અભિગ્રહેા કરીને પ્રભુએ આઠમુ' ચામાસુ નિ મન કર્યું. ચાતુર્માસને અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું..
પછી પ્રભુએ ચિંતવ્યુ` કે, ‘મારે હજુ પણ ઘણું કમ નિજ રવાનુ છે.' મામ વિચારીને કર્યાં નિરાને માટે પ્રભુ ગાશાળા સહીત વભૂમિ, શુદ્ધભૂમિ, અને ાત વિગેરે મ્લેચ્છ દેશેામાં વિચર્યા, તે દેશોમાં પરમાધામિક જેવા સ્વચ્છંદી મ્લેચ્છ વિવિધ ઉપસગોથી શ્રી વીરપ્રભુને ઉપદ્રવા કરવા લાગ્યા. કાઇ પ્રભુની નિંદા કરતા, કાઈ પ્રભુને હસતા, અને કોઇ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઇને પ્રભુને વીંટી વળતા હતા પર`તુ આથી કને ધ્વંસ થાય છે' એવુ ધારીને શલ્યના ઉદ્ધારના સાધનાથી છેદાદ્ધિક થતાં જેમ હષ પામે તેમ પ્રભુ તે ઉપસગેńથી ઉલટા હર્ષ પામતા હતા. કાગની ચિકીત્સા કરનાર પ્રભુ કર્મીના ક્ષય કરવામાં સહાયકારી તે મ્લેચ્છોને ખ'થી પણ અધિક માનતા હતા. જેમના ચરણુના અંગુઠા માત્રવડે દબાવવાથી અચળ એવા મેરૂ પણ કપાયમાન થયા હતો, તેવા શ્રી વીરપ્રભુ પણ કર્મથી પીડાયા છતાં આવી રીતે વર્તે છે. શઈન્દ્રે તેમની આપત્તિ દૂર કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને નિમેલા છે પણ તે તો માત્ર ગેાશાળાને ઉત્તર આપવાનેજ ઉપયેાગી થઈ પડયો, ખીજી વખત તા તે હાજર પણ રહેતો નહી. પ્રભુના ચરણમાં મેટા મોટા સુરે'દ્રો આવીને વારવાર આળા છે અને કિકર થઇને વો છે, ઇંદ્રાદિક પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પીડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપકૂવા કૂવી જાય છે, તે પ્રભુને ઉલટા અતિ ક્ષુદ્ર લેાકેા ઉપદ્રવ કરે છે, તેના પાકાર કાની આગળ જઈને કરીએ ? જગતના તે કૃતઘ્ર સુકૃતોને ધિક્કાર છે, કે જેએ વામીથી ઉત્પન્ન થયેલા છે, છતાં પણ આવા વિઘ્નમાં આવી પડેલા સ્વામીની રક્ષા કરતા નથી. આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનુ ાતામાં બળ છતાં પ્રભુ તેને કિંચિત્ પણ ઉપયાગ કરતા નથી. કારણ કે “સંસારસુખના લાલચુ પુરૂષોજ પોતાના ખળતું તેવા પ્રકારે ફળ મેળવવા ઇચ્છે છે.” આશ્રયસ્થાન પણ નહી' મળી શકવાથી ટાઢ અને તડકાને સહન કરતા પ્રભુ છ માસ સુધી ધર્મ જાગરણ કરતાં તે ભૂમિમાં રહ્યા, અને શૂન્યાગારમાં કે વૃક્ષતળે રહીને ધર્મધ્યાનમાં પરાયણ એવા પ્રભુએ નવમું ચાતુર્માસ્ય નિ મન કર્યું....
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સાથે સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી ક્રૂ ગામ તરફ ચાલ્યા. માર્ગમાં એક તલના છોડવા જોઇને ગેાશાળે પ્રભુને પૂછ્યું કે- સ્વામી ! આ
७
Page #65
--------------------------------------------------------------------------
________________
સ ૪ થા
તિલના છેડવા ફળશે કે નહી' ?' ભવિતવ્યતાને યાગે પ્રભુ પાતે જ મૌન છેડીને ખેલ્યા, હે ભદ્રે ! એ તિલના છેાડ ફળિત થશે. પુષ્પના સાત જીવ જે ખીજા છેાડમાં રહેલા છે, તે ચવીને આજ છેડમાં તિલની સિગમાં તેટલા જ તિલપણે ઉત્પન્ન થશે.' પ્રભુના આ પ્રમાણેનાં વચન પર ગોશાળાને શ્રદ્ધા ન આવવાથી તેણે તે તિલના ભાથાંને માટી હાથેથી ઉખેડીને ખીજે મૂકી દીધું. તે વખતે ‘પ્રભુની વાણી અસત્ય ન થાએ’ એવુ ધારીને નજીક રહેનારા કોઈ દેવતાએ તરત જ ત્યાં મેઘની વૃષ્ટિ વિષુવી, તેથી ત્યાંની જમીન અને તે તલનું ભાથુ' જરા આ થયું. તેવામાં તે પ્રદેશમાં કોઇ ગાય નીકળી, તેની ખરીથી તે ભાથું દખાયુ', એટલે તે આ ભૂમિમાં પેશી ગયું', પછી પૃથ્વી સાથે મળી જવાથી સજ્જડ થયું. અનુક્રમે તેના મૂળ ઊડા ગયા અને નવા અંકુરા ઉત્પન્ન થયા. અનુક્રમે તેની સી`ગમાં પ્રભુએ કહ્યા પ્રમાણે પુષ્પના સાત જીવા તિલપણે ઉત્પન્ન થયા અને વધવા લાગ્યા. ભગવંત ત્યાંથી દુષ્ટ બુદ્ધિવાળા અને પોતાને પ્રભુનો ખરા ભક્ત માનતા ગાશાળા સહિત ક્રૂગ્રામે ગયા.
૫૦
હવે ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ધનથી પૂર્ણ અને મહીમંડળમાં મંડનરૂપ ગૌમર્ નામે એક ગામ છે. તેમાં ગેાશખી નામે એક આહીરપતિ કૌટુ બી (કણબી) રહેતો હતો. તેને અશ્રુમતી નામે એક વધ્યા સ્ત્રી હતી, કે જે તેને અતિ વલ્લભ હતી. તે ગામની નજીક ખેટક નામે એક ગામ હતું. તે ગામ ચારલાકાએ આવીને ભાંગી નાંખ્યું અને ઘણા લાકોને બંદી તરીકે પકડવા તે સમયે વેશિકા નામની કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. તેના પતિ હણાયેલ હાવાથી તેને સ્વરૂપવતી જાણીને ચોરલાકએ સાથે લીધી. પ્રસવ રાગથી પીડિત એવી તે સ્ત્રી વૃષભ જેવા દુર્દા'ત અને વેગે ચાલતા ચારલેાકાની સાથે હાથમાં બાળકને લઈને ચાલી શકી નહીં. ત્યારે ચારા મેલ્યા કે, ‘અરે સ્ત્રી ! જો તું જીવવાને ઇચ્છતી હોય તો મૂત્તિમાનૢ વ્યાધિ જેવા આ ખાળકને છેડી દે.’ પછી તે વેશિકા બાળકને એક વૃક્ષ તળે મૂકી દઈને ભય પામી છતી ચારલેાકાની સાથે ચાલી, “ સર્વ લોકોને પ્રાણથી વિશેષ ખીજુ કાંઈ પણ પ્રિય નથી.’’ પ્રાત:કાળે પેલો ગાશ`ખી કણબી ત્યાં આવ્યા, તેણે એ બાળકને જોયા. તેને સ્વરૂપવાન જોઇને તેણે ગ્રહણ કર્યા, અને ઘેર આવી પાતાની પત્નીને પુત્ર તરીકે રાખવા અર્પણ કર્યાં. “અપુત્રીઆએને બીજાના પુત્ર પણ અતિ વહાલા લાગે છે.” પછી તે બુદ્ધિમાન્ કણબીએ એક મેઢાને મારી તેના રૂધિરથી બાળકને ખરડીને અને પોતાની પત્નીને સૂતિકાના વેષ પહેરાવીને લેાકામાં એવી વાત ફેલાવી કે, ‘મારી સ્ત્રીને ગૂઢગ હતા, તે આજે પુત્રના પ્રસવ થયા છે.’ આમ કહીને તેણે લેાકેામાં મહાત્સવ પ્રવર્તાવ્યા. અહી તે બાળકની માતા વેશિકાને જે ચારલેાકેા લઇ ગયા હતા, તેણે ચંપાપુરીના ચૌટામાં વેચવાને માટે ઉભી રાખી, તેને પેાતાના ધધાને ચેાગ્ય ધારીને કોઇ વેશ્યાએ ખરીદ કરી. પછી તે વેશ્યાએ તેને ગણિકાના બધા વ્યવહાર શીખવાડયા. અનુક્રમે રૂપથી અપ્સરાને પણ તિરસ્કાર કરે તેવી તે વેશિકા એક પ્રખ્યાત ગણિકા થઈ પડી, તે વેશિકાના પુત્ર ગેાશખિક કણબીને ઘેર યુવાન થયા. એક વખતે તે મિત્રાની સાથે ઘીનું ગાડું વેચવાને માટે ચ'પાનગરીમાં આવ્યા. ત્યાં નગરજનાને ચતુર રમણીએની સાથે વિલાસ કરતા જોઇ તે પણ વિલાસ કરવાની ઇચ્છાથી ગણિકાઓના પાડામાં ગયા. ત્યાં બીજી વેશ્યાએમાં રહેલી પેાતાની માતા વેશિકાને તેણે જોઇ, એટલે તેની સાથે રમણ કરવાની તેની ઈચ્છા થઈ. અજ્ઞાન મનુષ્ય પશુ જેવા જ હોય છે.” પછી તેણે તત્કાળ તેને એક આભૂષણ આપ્યું અને રાત્રે સ્નાન વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતાં
"C
Page #66
--------------------------------------------------------------------------
________________
વ ૧૦ મુ`
તેના એક પગ વિષ્ટામાં પડયા, પણ કામમાં મેહ પામી ગયેલા તેણે કાંઇ જાણ્યું નહીં. એ વખતે તેને પ્રતિબધ કરવાને માટે તેની કુળદેવતાએ માગ માં એક ગાય અને વાછડ વિકુર્યાં, તે વાડાને જોઇને પોતાના પગ તેની સાથે તે ઘસવા લાગ્યા, તેવામાં તે વત્સ મનુષ્યવાણીએ ગાયને કહેવા લાગ્યા-માતા ! જુઓ આ કોઇ પુરૂષ ધરહિત નિ ચપણે પેાતાના વિષ્ટા ભરેલા પગને મારી સાથે ઘસે છે.'તે સાંભળી ગાય એલી-વત્સ ! ખેદ કર નહી', તેનુ' એ અપકૃત્ય કાંઈ વિશેષ નથી; કેમકે કામદેવના ગધેડા થઇને એ પાતાની માતા સાથે વિલાસ કરવાને ત્વરાથી જાય છે.’ તે સાંભળી તેણે ચિંતવ્યું કે, આ ગાય મનુષ્યવાણીથી આમ કેમ બેલે છે ? માટે હું તે વેશ્યાની તજવીજ તે કરૂ'.' આવા વિચાર કરી તે વેશ્યાને ઘેર આવ્યા. વેશ્યાએ અશ્રુત્યાન વિગેરે કરવા વડે તેના સત્કાર કર્યાં; પરંતુ પેલી ગાયની વાણીથી શંકા આવેલી હોવાથી તે પુરૂષના ચિત્તમાં કામવ્યાપારના રાધ થઇ ગયા હતા, એટલે તેણે ક્ષગુવાર રહીને તે વેશ્યાને કહ્યું કે-ભદ્રે ! તમારી જે પર'પરા હાય તે કહેા.’ તેનુ' એ વચન જાણે સાંભળ્યું જ ન હોય તેમ કરીને એ વેશ્યા તેને અનેક પ્રકારના હાવભાવ ખતાવવા લાગી. “ વેશ્યાઓનું પ્રથમ કામશાસન એજ છે.” ફરીથી તે ઓલ્યા કે–“જો તમે તમારી હકીકત કહેશે। તે હું તમને ખમણું દ્રવ્ય આપીશ, માટે ખરેખરી હકીકત કહે, તમને તમારા માતાપિતાના સેગન છે. ” આવી રીતે
જ્યારે તેણે વારંવાર કહ્યું, ત્યારે તેણીએ જે યથાર્થ હતું, તે કહી સંભળાવ્યુ. તે સાંભળી શંકા પામીને તે ત્યાંથી ઉઠી ગયા અને તત્કાળ પેાતાને ગામ ગયા. ત્યાં જને તેણે પેલા કણબી માતાપિતાને પૂછ્યું કે, ‘હું તમારા અંગ જ પુત્ર શ્રું કે ખરીદ કરેલા છું? અથવા કોઇ ખીજી રીતે મળેલા પુત્ર છું ? જે યથાર્થ હાય તે કહે.’ તેઓએ કહ્યું કે, તુ અમારા અંગ જ પુત્ર છે.’ આવી રીતે અસત્ય કહેવાથી તે પીડિત થઇ રીસ ચડાવીને બહાર જવા લાગ્યા, એટલે તેઓએ જે રીતે તે પ્રાપ્ત થયા હતા તે વૃત્તાંત યથાસ્થિત કહી ખતાવ્યું. તેથી તેના જાણવામાં આવ્યુ કે, ‘વેશિકા વેશ્યા ખરેખરી મારી પોતાની માતાજ છે.' પછી તે પાછા ચ‘પાનગરીએ ગયા, અને વેશિકાની પાસે જઇને તેણે પાતાનુ' વૃત્તાંત જણાવ્યું. પોતાના પુત્રને ઓળખીને વેશિકા લજ્જાથી નીચુ' મુખ કરી રૂદન કરવા લાગી. પછી તેની કુદ્મિનીને ઘણું દ્રવ્ય આપી તેણે પોતાની માતાને ત્યાંથી છેડાવી અને પેાતાને ગામ લઈ જઈને તેને ધમ માર્ગોમાં સ્થાપિત કરી. તે વેશિકાને પુત્ર વૈશિકાયન’ એવા નામથી ઓળખાવા લાગ્યા. ત્યાં આવ્યા પછી વિષયથી ઉદ્વેગ પામીને તેણે તરત જ તાપસવ્રત ગ્રહણ કર્યું. પોતાના શાસ્ત્રના અધ્યયનમાં તત્પર અને સ્વધર્મમાં કુશળ એવા તે તાપસ ફરતા ફરતા શ્રી વીરપ્રભુના આગમન પહેલાં કૂમ ગામમાં આવ્યા હતા. તે ગામની બહાર રહી મધ્યાહ્ન સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે ષ્ટિ રાખી, વડવૃક્ષની વડવાઇઓની જેમ લખાયમાન જટા રાખીને સ્થિર રહેતેા હતેા. સ્વભાવથીજ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન એવા તે ધર્મ ધ્યાનમાં તપરપણે મધ્યાહ્ન સમયે આતાપના લેતા હતા. એ કૃપાનિધિ તાપસ સૂર્યકિરણાના તાપથી પૃથ્વીપર ખરી પડતી જીઆને વીણી વીણીને પાછી પેાતાના મસ્તક પર નાંખતા હતા.
આવા વૈશિકાયન તાપસને જોઇને ગાશાળો પ્રભુની પાસેથી ત્યાં આવ્યા. અને તેને પૂછ્યું કે, અરે તાપસ ! તુ' શું તત્ત્વ જાણે છે ? અથવા તું શુ' જુના શય્યાતર છું ? તું સ્ત્રી છું કે પુરૂષ ? એ પણ કાંઇ ખરાબર સમજાતુ' નથી.' આ પ્રમાણે તેણે કહ્યું, તે પણ એ ક્ષમાવાન્ તપસ્વી કાંઈ પણ બોલ્યા નહીં. ગેાશાળા તે વારવાર તે પ્રમાણે કહેવા લાગ્યા, કેમકે “કુતરાના પુચ્છને બહુવાર સુધી યત્રમાં રાખ્યુ` હોય તે પણ તે સરલ થતું નથી,”
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૨
સર્ગ ૪ થે
છેવટે તે તાપસને કોપ ચડે. એટલે તેણે તેની ઉપર તેજલેશ્યા મૂકી. “અતિશે ઘસવાથી ચંદનના કાષ્ઠમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે.” જવાળાઓથી વિકરાળ એવી તે જેલેશ્યાથી ભય પામેલે તે ગે શાળા દાવાનળથી ત્રાસ પામેલો હતી જેમ નદી પાસે જાય તેમ પ્રભુની પાસે આવ્યું. ગોશાળાની રક્ષા કરવાને માટે પ્રભુએ શીતલેશ્યા સામી મૂકી, તેથી જળવડે અગ્નિની જેમ તેજલેશ્યા શમી ગઈ. પ્રભુની તેવી સમૃદ્ધિ (શક્તિ) જેઈને વૈશિકાયત વિસ્મય પામે; તેથી તે શ્રી મહાવીરની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે છે કે, “હે ભગવન્! મેં તમારે આ પ્રભાવ જા નહોતે, માટે મારું આ વિપરીત આચરણ ક્ષમા કરે.' આ પ્રમાણે કહીને તે તાપસ ગયો. ત્યાર પછી ગોશાળે પ્રભુને પૂછયું કે, “હે ભગવંત! આ તેજોવેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે?' પ્રભુ બોલ્યા- જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુમાષ તથા અંજલિ માત્ર જળથી પારણું કરે તેને છ માસને અંતે અખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તેજલેશ્યા ઉપજે.
પછી કૂર્મપ્રામથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થ પુર નામના ઉત્તમ નગર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભોયું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યા, એટલે ગોશાળે કહ્યું કે, “હે સ્વામી ! આપે જે તિલને છોડ ઉગવાનો કહ્યો હતો તે ઉો નથી.” પ્રભુ બોલ્યા-‘ઉગે છે, અને તે અહીં જ છે.” ગોશાળે તે વાત માની નહીં. પછી તેણે તે તિલને છોડ લઈને તેની શીંગ ચીરી, તો તેમાં તિલના બરાબર સાત દાણા ઉગેલા દીઠા. એટલે ગોશાળો બોલ્યો કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જંતુઓ ત્યાં ને ત્યાંજ ઉત્પન્ન થાય છે.”
પછી પ્રભુએ તે જલેશ્યાને જે વિધિ કહ્યો હતો તે પ્રમાણે તેજલેશ્યા સાધવને માટે ગોશાળ પ્રભુને છોડીને શ્રાવસ્તી નગરીએ ગયે. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યું હતું તેમ છ માસ પર્યત તપ કર્યું અને તેજલેશ્યા સિદ્ધ કરી. પછી તેની પરીક્ષા કરવાને માટે તે એક કૂવાને કાંઠે ગયો અને પિતાને કેપ ઉત્પન્ન કરવા માટે કોઈ દાસીનો ઘડે કાંકરે મારીને ફેક્યો. દાસીએ તેને ગાળ આપવા માંડી, એટલે તેણે તત્કાળ ક્રોધ કરીને તેના પર તેજલેશ્યા મૂકી, જેથી તે દાસી વીજળી પડવાથી બળે તેમ બળી ગઈ અને તેને તેજલેશ્યાની પ્રતીતિ થઈ. પછી કૌતુક જોવાની પ્રીતિવાળો ગોશાળ લેકેથી પરિવૃત થઈ વિહાર કરવા લાગ્યો.
એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય કે જેઓએ ચારિત્ર તજી દીધું હતું અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેઓના શણ, કલિંદ, કર્ણિકા૨, અછિદ્ર, અગ્નિશાન અને અર્જુન એવા નામ હતા. તેઓએ સૌપહુદપણુથી ગશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. “સમાન શીળવાળા પુરૂષને સદ્ય મંત્રી થાય છે.” તેજલેષ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગશાળો હું જિનેશ્વર છું” એમ કહેતો પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
પ્રભુ સિદ્ધાર્થ પરથી વિહાર કરીને વૈશાળી નગરીએ પધાર્યા. ત્યાં પ્રભુના પિતાનો મિત્ર શંખ ગણરાજ મેટો પરિવાર લઈને પ્રભુની સામે આવ્યો અને પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને ભગવંત વાણિજક ગામ તરફ ચાલ્યા. માર્ગમાં મંબિકીકા નામે એક નદી આવી તે નાવવડે ઉતર્યા. પ્રભુ નાવમાંથી ઉતરવા લાગ્યા, એટલે નાવીકે તપેલી રેતીવાળા તટ ઉપર નાવ રાખીને નદી ઉતારવાનું મૂલ્ય માગ્યું. તે વખતે શંખ ગણરાજનો ભાણેજ
Page #68
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
પ્રક ચિત્ર નૌકાસૈન્ય લઈને પાછો ફરતો હતો, તેણે પ્રભુને અટકાવેલા જોયા. તેથી તેણે તત્કાળ તે નાવિકોનો તિરસ્કાર કરી ભગવંતને છોડાવ્યા. પરમ ભક્તિથી પ્રભુ પૂજા કરીને તે ચિત્ર પિતાને નગરે ગયો. પછી ભગવંત વાણિજક ગ્રામે આવ્યા. ત્યાં બહાર પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક રહેતો હતો, તે સદા છડૂતપ કરતો હતો અને આતાપના લેતો હતો. અવધિજ્ઞાન થવાથી તે પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુને વંદના કરી અંજળિ જોડીને તે બોલ્યા કે હે ભગવંત ! આપે દુ:સહ પરીષહે અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે; તમારું શરીર અને મન બંને વા જેવા છે કે જે આવા પરીષહ અને ઉપસર્ગોથી ભગ્ન થતાં નથી. હે પ્રભુ ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. આ પ્રમાણે કહી ફરીવાર પ્રભુને વાંદીને તે આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કાર્યોત્સર્ગ પારીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું દશમું ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું.
ચાતુર્માસ્ય પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાનુયણિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અન છોડી પૂર્વાભિમુખે, રહી એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરીને આખો દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણાભિમુખ, બીજે દિવસે પશ્ચિમાભિમુખ અને બીજી રાત્રિએ ઉત્તરાભિમુખ એમ છઠ્ઠ તપવડે તે પ્રતિમા પૂર્ણ કરી. તે પ્રતિમા પાર્યા વગર પ્રભુએ મહાભદ્રા પ્રતિમા અંગીકાર કરી, અને પૂર્વાદિ દિશાઓના કમથી ચાર અહોરાત્ર સુધી રહ્યા. એમ દશમ (ચાર ઉપવાસ) વડે મહાભદ્રા પૂર્ણ કરીને તરતજ બાવીશમ (દશ ઉપવાસ)ના તપવડે સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં એક એક અહોરાત્ર રહ્યા. તેમાં ઉદ્ધ અને અર્ધ દિશાને પ્રસંગે ઉદ્ધ અને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણુંને માટે પ્રભુ આનંદ નામના એક ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામે કઈ દાસી પાત્ર ધોતી હતી. તે ટાઢું અન કાઢી નાખતી હતી, તેવામાં પ્રભુને આવેલા જોઈને તે બેલી કે, “હે સાધુ! તમારે આ ક૯પે છે?” પ્રભુએ હાથ પ્રસાર્યો, એટલે તેણીએ ભક્તિથી તે અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈ લેકે ઘણે હર્ષ પામ્યા. રાજાએ તે બહુલાને દાસીપણામાંથી મુક્ત કરી. “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણુઓ ભવથી પણ મૂકાય છે તે આમાં શું આશ્ચર્ય છે !”
ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણા પ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દઢભૂમિમાં આવ્યા. ત્યાં પિઢાળ નામે ગ્રામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં પોલાસ નામના દૈત્યમાં પ્રભુએ અષ્ટમ તપ કરીને પ્રવેશ કર્યો. ત્યાં જંતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી. શરીરને જરા નમાડી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્યપર દષ્ટિ રાખીને પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યા. તે સમયે શક્રઈદ્ર સુધર્મા સભામાં ચોરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ દેવતાઓ, ત્રણ પ્રકારની સભાઓ , ચાર લોકપાળો, અસંખ્ય પ્રકીર્ણક દેવતાઓ, ચારે દિશાઓ માં દઢ પરિકર બાંધીને રહેલા પ્રત્યેક રાશી હજાર અંગરક્ષક, તેનાથી વીંટાયેલા સાત સેનાપતિઓ, આભિગિક દેવદેવીઓના ગણે અને કિબિષ્યાદિક દેવતાઓના પરિવાર સહિત બેઠા હતા. દક્ષિણ લોકાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર શક નામના સિંહાસન પર બેસી નૃત્ય, ગીત અને ત્રણ પ્રકારના વિદ્યાવિનોદ વડે કાળ નિગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને તેવી રીતે રહેલા જાણી તે તત્કાળ ઊભું થયું. પગમાંથી પાદુકા છોડી દઈ, ઉત્તરાસંગ કરી, જમણ જાનુને પૃથ્વી પર સ્થાપિત કરી અને ડાબા જાનુને જરા નમાવી, પૃથ્વી પર મસ્તક લગાડીને ૧. ગુણસ્થાનકીઆ. ૨. અત્યંતર સભા, મધ્ય સભા, બાહ્ય સભા. ૩ સેવકવર્ગ.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
સગ ૪ જે તેણે શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઇ જેના સર્વ અંગમાં રોમાંચકંચુક પ્રગટ થયેલે છે એવા ઈ કે સર્વે સભાને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું-“અરે ! સૌધર્મલેકવાસી સર્વ દેવતાઓ ! શ્રી વિરપ્રભુને અદ્દભૂત મહિમા સાંભળો–પંચ સમિતિને ધારણ કરનાર, અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, કૅધ, માન, માયા અને લેભથી પરાભવ નહિ પામેલ, આશ્રવ રહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી કઈ પ્રકારે પણ પ્રતિબંધ નહિ કરનાર એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહાધ્યાનમાં સ્થિત થયેલા છે તેમને એ ધ્યાનમાંથી ચળાયમાન કરવાને દેવતાઓ, અસુર, યક્ષો, રાક્ષસ, ઉરગ, મનુષ્યો કે રોલેકય પણ શક્તિવાનું નથી.” આવાં ઈદ્રનાં વચન સાંભળીને તે સભામાં બેઠેલો ઈને સામાનિક સંગમ નામને દેવતા કે જે અભવ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળો હતો, તે લલાટ ઉપર ચડાવેલી ભૃકુટીથી ભયંકર દેખાતે, અધરને કંપાવતો અને કેપથી નેત્રને રાતા કરતે બે કે, “હે દેવેન્દ્ર ! એક શ્રમણ રૂ૫ થયેલા મનુષ્યમાત્રની તમે આટલી બધી પ્રશંસા કરે છે, તેનું કારણ સત્ અસત્ બોલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતા જ છે. હે સુરેદ્ર! “એ સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવું નથી એવું ઉદ્દભતમે હૃદયમાં કેમ ધારે છો? અને કદિ ધારો છો તે શા માટે કહો છો? જેના શિખરે આકાશને રૂંધી રહ્યા છે અને જેને મૂળ રસાતળને રૂંધી રહેલા છે એવા સુમેરૂગિરિને પણ જેએ એક ઢેફાની જેમ ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે. કુળગિરિ સહિત બધી પૃથ્વીને બોળી દેવામાં જેનો સ્પષ્ટ વૈભવ છે એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ (કેગળા) માત્ર કરી જાય તેવા છે, અને અનેક પર્વવાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે; આવા અતુલ સમૃદ્ધિવાળા, અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરનારા દેવતાઓની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કેળુ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી ભૂમિ પર હાથ પછાડીને તે સભામંડપમાંથી ઊભે થયો, તે વખતે “અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ દુબુદ્ધિ જાણે નહીં” એમ ધારી શક ઈદ્ર તેની ઉપેક્ષા કરી.
પછી વેગવડે ઉઠેલા પ્રલયકાળના અગ્નિ જે અને નિબિડ મેઘ જેવા પ્રતાપવાળે, રૌદ્ધ આકૃતિથી સામું પણ જોઈ ન શકાય એ, ભયથી અપ્સરાઓને નસાડ અને મોટા વિકટ ઉરસ્થળના આઘાતથી ગ્રહમંડળને પણ એકઠા કરતા તે પાપી દેવ જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યો. નિષ્કારણુ જગતના બંધુ અને નિરાધપણે યથાસ્થિત રહેનારા વીરપ્રભુને જોતાં તેને અધિક છેષ ઉત્પન્ન થયે. તત્કાળ તે દુષ્ટ દેવે પ્રભુની ઉપર અકાળે અરિષ્ઠને ઉત્પન્ન કરનારી મહા દુઃખદાયક રજની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ અને સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધાં. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂર્યા કે જેથી પ્રભુ શ્વાસોચ્છવાસ લેવાને પણ અશક્ત થઈ ગયા. તથાપિ જગદ્ગુરૂ એક તિલમાત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. “ગમે તેવા શક્તિવાન ગજેદ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય ?” પછી રજને દૂર કરીને તે દુષ્ટ પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને સ્વેચ્છાએ બીજી બાજુએ-આરપાર વસ્ત્રમાં સોય નીકળે તેમ નીકળી તીર્ણ મુખારોથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભાગીની ઈચ્છાઓ નિષ્ફળ થાય તેમ જ્યારે કીડીઓને ઉપસર્ગ પણ નિષ્ફળ થયે, ત્યારે તેણે પ્રચંડ પારષદ (ડાંસો) વિદુર્થા. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હોતો નથી.” તેઓને એક એક પ્રહારથી નીકળતા ગાયના દૂધ જેવા રૂધિરવડે પ્રભુ નિઝરણાવાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. જ્યારે તેઓથી પણ પ્રભુ ભ પામ્યા નહીં,
Page #70
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૫૫ ત્યારે તેણે પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેલે વિકૃવ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખારાથી એવી ચેટી ગઈ કે જાણે શરીર સાથે જ ઉઠેલી રોમપંક્તિ હોય તેવી દેખાવા લાગી. તેથી પણ ગસાધનના જાણ જગદગુરૂ ચલિત થયા નહીં, એટલે પ્રભુને ધ્યાનમાંથી ચળાવવાના નિશ્ચયવાળા તે દુષ્ટ વીંછીઓ વિકુર્લા, તેઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલાની જેવા પિતાને ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ભેદવા લાગ્યા. તેઓથી પણ પ્રભુ આકુળ થયા નહીં, એટલે કૂડા સંક૯પ કરનારા તેણે ઘણું દાંતવાળા નકુલે (ળ) વિકુળં. ખીબી ! એ વિરસ શબ્દ કરતા તેઓ પિતાની ઉગ્ર દાઢથી ભગવંતના શરીરમાંથી તોડી તેડીને માંસના ખંડે જુદા પાડવા લાગ્યા. તેઓથી પણ તે કૃતાર્થ થયે નહીં, એટલે યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહા કેપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ ક્રૌંચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીંટી લીધા. પછી તેઓ પોતાની ફણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા અને દાઢે ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢા વડે તેમને હસવા લાગ્યા. જયારે બધુ ઝેર વમન કરીને તેઓ દેરીની જેમ લટકી રહ્યા ત્યારે દુષ્ટ વા જેવા દાંતવાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતેથી, મુખથી અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા અને તેની ઉપર મૂત્ર કરીને ક્ષત ઉપર ભાર નાખવા લાગ્યા. જ્યારે તેમાંથી પણ કાંઈ થયું નહીં, ત્યારે ક્રોધથી ભૂત જેવા થયેલા તે દેવે મેટા દંતમૂશળવાળે એક ગજેંદ્રવિકુચૅ. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડતે હોય અને મેટી તેમજ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તેડીને નક્ષત્રને નીચે પાડવા ઈચ્છતા હોય તે તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દોડી આવ્યો. તેણે દુર સુંઢથી પકડીને પ્રભુના શરીરને આકાશમાં દૂર ઉછાળી દીધું. પછી પ્રભુનું શરીર કણેકણ વેરણ શરણ થઈ જાય તો ઠીક એવું ધારીને તે દરાશય દાંત ઊંચા કરી પ્રભુને પાછો ઝીલી લેવા દેડડ્યો. એવી રીતે ઝોલ્યા પછી તે દાંતવડે વારંવાર એવી રીતે પ્રહાર કરવા લાગ્યો કે જેથી પ્રભુની વજ જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તથાપિ એ વરાક હાથી પ્રભુને કાંઈ પણ કરી શક્યો નહીં, એટલે તે દુષ્ટ જાણે વૈરિણી હેય તેવી એક હાથિણી વિકવી. તેણે અખંડ એવા મસ્તકથી અને દાંતોથી પ્રભુને ભેદી નાંખ્યા અને વિષની જેમ પોતાના શરીરના
ળથી તે ભાગ પર સિંચન કરવા લાગી. જ્યારે તે હાથિણી પણ પ્રભના શરીર પર રેગ જેવી થઈ ગઈ ત્યારે તે અધમ દેવે મગરના જેવી ઉગ્ર દાઢવાળા એક પિશાચનું રૂપે વિકવ્યું. જવાળાઓથી આકુળ એવું તેનું ફાડેલું મુખ પ્રજવલિત અગ્નિકુંડની જેવું ભયંકર લાગતું હતું, તેની ભુજાઓ યમરાજના ગૃહના ઉંચા કરેલા તોરણના સ્તંભ જેવી હતી, અને તેની જઘા અને ઉરૂ ઉંચા તાડવૃક્ષ જેવા હતા. ચર્મના વસ્ત્ર ધરત, અટ્ટહાસ કરતે અને કિલ કિલ શબ્દ કરી કુંકારા કરતો તે પિશાચ હાથમાં કાતી લઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યા. તે પણ ક્ષીણ તેલવાળા દીપકની જેમ જ્યારે બુઝાઈ ગયે ત્યારે
ય દેવે તરત ક્રોધથી વાઘનું રૂપ કયું. પુચ્છની છટાના આ છોટથી પૃથ્વીને ફાડને હોય અને બુકાર શબ્દના પડછંદાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતો હોય, તે તે વાઘ વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા નખગ્રોથી ભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યો. તે પણ દાવાનલમાં દગ્ધ થયેલા વૃક્ષની જેમ નિસ્તેજ થયે એટલે તે અધમ દેવ સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યું. તે બે - હે તાત! આ અતિ દુષ્કર કામ તે શા માટે આ રહ્યું છે માટે આ દીક્ષા છેડી દે, અમારી અવગણના કર નહીં, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં અશરણ છોડી દઈને ચાલ્યા ગયા છે. પછી ત્રિશલા દેવીને વિકુવ્યું. તેણે
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
સગ ૪ થા
પણ વારંવાર તેવાજ વિલાપ કર્યા. તેએના એવા વિલાપથી પણ જયારે પ્રભુનું મન લિપ્ત થયુ... નહીં, ત્યારે તે દુરાચારીએ એક છાવણી ( માણસેાથી વસેલી ) વિષુવી, તેમાંથી એક રસાયાને ભાત રાંધવાનો વિચાર થયા; તેને ચુલાને માટે પાષાણુ મળ્યા નહીં એટલે તેણે પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને તેના પર ભાતનું ભાજન મૂકયુ અને એ પગની વચ્ચે તત્કાળ અગ્નિ પ્રજ્વલિત કર્યાં. અનુક્રમે તે અગ્નિ તેણે એટલેા બધા વધારી દીધા કે પ તપર દાવાનલની જેમ પ્રભુના ચરણમૂળ તે અગ્નિથી તપાયમાન થયા. તથાપિ અગ્નિમાં મૂકેલા સુવર્ણ ની જેમ તેમની શેાભા હીન થઈ નહીં. (ઉલટી વૃદ્ધિ પામી.) પછી તે નિષ્ફળ થયેલા અધમ દેવે એક ભયંકર પકવણુ (ચંડાળ) વિષુવ્યેો. તેણે આવીને પ્રભુના કડમાં, એ કાનમાં, એ ભુજામાં અને જંઘા ઉપર ક્ષુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યાં. તે પક્ષીએ એ ચાંચ તથા નખના પ્રહારો એટલા બધા કર્યા કે જેથી પ્રભુનુ` બધું શરીર તે પાંજરાએની જેવુ સેંકડો છિદ્રોવાળુ થઈ ગયું. તેમાં પણ પાકેલા પાંદડાની જેમ તે પકવણુ જ્યારે અસારતાને પામ્યા ત્યારે તે દુષ્ટ મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યા, મેોટા વૃક્ષોને તૃણુની જેમ આકાશમાં ઉછાળતો અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતો તે પવન ચોતરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યા. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડવા. તેવા ઉગ્ર પવનથી પણ જયારે તેનું ધાર્યું ... થયુ નહીં, ત્યારે દેવતામાં કલ`કરૂપ તે દુષ્ટે તત્કાળ વટાળીઓ વાયુ વિકા. પવ તોને પણ ભમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વટાળીઆએ ચક્રેપર રહેલા માટીના પિ'ડની જેમ પ્રભુને ભમાડયા. સમુદ્રમાંહેના આવની જેમ તે વટાળીઆએ પ્રભુને ઘણું ભમાડયા છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિચિત્ પણ ધ્યાન છેાડયું નહીં, પછી તે સંગમને વિચાર થયા કે, ‘અહા ! આ વા જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણી રીતે હેરાન કર્યા, તો પણ તે જરા પણ ક્ષાભ પામ્યા નહિ, પણ હવે આવા ભગ્ન વાચાવાળા થઇને હુ ઇંદ્રની સભામાં કેમ જાઉ' ? માટે હવે તો તેના પ્રાણના નાશ કરવાથીજ તેનું ધ્યાન નાશ પામશે, તે સિવાય બીજે ઉપાય નથી.' આવેા વિચાર કરીને તે અધમ દેવે એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર ભાર લાહથી ઘડેલુ' તે કાળચક્ર કૈલાસ પર્વતને જેમ રાવણે ઉપાડયેા હતો તેમ તે દેવે ઉપાડયું. પછી જાણે પૃથ્વીના સંપુટ કરવા માટે બીજો તેટલા પ્રમાણવાળા પુટ હોય તેવુ તે કાળચક્ર તેણે જોરવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જવાળાઓથી સર્વ દિશાઓને વિકરાળ કરતું તે ચક્ર સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુ ઉપર પડયુ. કુલપ°તોને પણ ચૂર્ણ કરવામાં સમ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે થયા છતાં પણ ભગવત તેને મિષ્ટ દૃષ્ટિએ જોતા હતા તેથી જરૂર તે વિશ્વને તારવાને ઈચ્છનારા છે અને અમે સહસારના કારણે છીએ. જ્યારે આવા કાળચક્રથી પણ એ પંચત્વને પામ્યા નહી ત્યારે તો જરૂર તે અસ્રોને અગેાચર છે, તેથી હવે બીજો ઉપાય શે! રહ્યા ? હવે તો તે અનુકૂળ ઉપસગે^થી કઈ રીતે ક્ષેાભ પામે તેમ કરવું જોઇએ; આવી બુદ્ધિથી તે દેવ વિમાનમાં બેસી પ્રભુ આગળ આવીને ખેલ્યા કે હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી અને આરસેલા કાર્યોના નિર્વાહ કરવાની ટેકથી હું તમારી ઉપર સ`તુષ્ટ થયા છું; માટે હવે આવા શરીરને કલેશ કરનારા તપથી સર્યું; તમારે જે જોઇએ તે માગી લ્યા. હું તમને શું આપું ? તમે જરા પણ શંકા રાખશે નહીં, કહેા તો જયનિત્યાં ઈચ્છામાત્ર કરવ થી બધા મનેારથ પૂરાય છે તેવા સ્વર્ગમાં આજ દેહથી તમને લઈ જાઉ' ? અથવા કહેા તો અનાદિ ભવથી સરૂઢ થયેલા સ^ કમેૌથી મુક્ત કરી એકાંત પરમાનદ્વવાળા મોક્ષમાં તમને લઈ જાઉં ? અથવા કહો તો બધા મ'ડલા
ચુ
Page #72
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૫૭.
ધીશ રાજાએ પોતાના મુગટથી જેના શાસનનું પાલન કરે તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આ લેકમાં જ આપું?” આવી રીતે વચનથી ભાવતાં પણ પ્રભુનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં અને કાંઈ પ્રત્યુત્તર મળે નહીં, એટલે તેણે આ પ્રમાણે વિચાર્યું કે, “આ મુનિએ મારી બધી શક્તિને પ્રભાવ નિષ્ફળ કર્યો છે, પણ હજુ એક કામદેવનું અમેઘ શાસન બાકી રહેલું છે, કારણ કે કામદેવના અસ્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પોતાના પુરૂષવ્રતને લોપ કરતા જોવામાં આવેલા છે.' આ નિશ્ચય કરી તે દેવતાએ દેવાંગનાઓને આજ્ઞા કરી અને તેમના વિભ્રમમાં સહાય કરનાર છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કોકિલાના મધુર કુજિતથી પ્રસ્તાવના કરતી કામનાટકની નટીરૂપ વસંતલક્ષમી શોભી ઉઠી. કદંબના વિકસિત પુષ્પરજથી દિગ્વધુને માટે સૈપ્રી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીષ્મઋતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પના મિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગળિક તિલક કરતી હોય તેવી વર્ષાઋતુ પ્રગટ થઈ. નવી નીલ કમળના મિષથી હજારે નેત્રવાળી થઈ પિતાની ઉત્તમ સંપત્તિનેજ જેતી હોય એવી શરદઋતુ પ્રકાશી નીકળી. ત અક્ષર જેવી નવીન ડોલરની કળીઓથી કામદેવની જયપ્રશસ્તિને લખતી હોય તેવી હેમંતલક્ષ્મી ખીલી નીકળી. ડેલર અને સિંદુવારના પુષ્પથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિરલક્ષમી વૃદ્ધિ પામી. એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થયા પછી તરતજ કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગળ આવી તે રમ્ય અંગવાળી ૨મણીએ એ કામદેવના વિજયી મંત્રાઅ જેવું સંગીત શરૂ કર્યું. કોઈ શુદ્ધ ચિત્ત લય સાથે ગાંધારગામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કઈ પ્રવીણ દેવાંગના ક્રમ અને ઉ&મથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણા વગાડવા લાગી. કેઈ ફૂટ, નકાર અને ધંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા નિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવા દૃષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચુકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કેઈ પિતાની ભુજાના મૂળને બતાવતી હતી; કઈ દંડપાદ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂળને વારંવાર બતાવતી હતી, કઈ શિથિળ થયેલા અવશ્વની ગ્રંથાને દઢ કરવાની લીલાથી પિતાના વાપી જેવા નાભિમંડળને બતાવતી હતી, કોઈ ઇભદંત નામના હસ્તાભિનયનો મિષ કરી વારંવાર ગાઢાલિંગનની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચળાવી પોતાના નિતબિંબબને દેખાડતી હતી; કઈ વિશાળલોચના દેવી અંગભંગના બહાનાથી પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પોતાના વક્ષસ્થળને ચિરકાળ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખર વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ છે તો તે અમને શા માટે અર્પણ નથી કરતા? જે દયાળુ છે તો અકસ્માત્ ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આ વિષમાયુધ કામદેવથી અમારી રક્ષા કેમ કરતા નથી? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હો તો તે કૌતુક ક્ષણવાર કરવું ઘટિત છે, અમારા મરણુત સુધી કરવું યોગ્ય નથી. હે સ્વામિનું ! હવે કઠિણતા છોડી દે, અને અમારા મનોરથ પૂરા કરો. પ્રાર્થનાથી વિમુખ થાઓ નહી.” આ પ્રમાણે કઈ કઈ સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાહું (ખુશામતનાં) વચનથી પ્રભુ જરા પણ ક્ષોભ પામ્યા નહીં.
આ પ્રમાણે તે એક રાત્રિમાં કાયોત્સર્ગે રહેલા પ્રભુની ઉપર તે અધમ દેવ સંગમે વિશ મેટા ઉપસર્ગો કર્યા. પ્રાતઃકાળે તેણે વિચાર્યું કે, “અહો ! આ મહાશય મર્યાદાથી
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
સગ ૪ થે
સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચળિત થયા નહીં. તો હવે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને શું હું પાછો સ્વર્ગમાં જાઉં? પણ તેમ તો શી રીતે જવાય ! માટે ચિરકાળ સુધી અહીં રહી આ મુનિને અનેક ઉપસર્ગો કરીને કઈ રીતે ક્ષોભ પમાડું.”
પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી વ્યાપ્ત એવો માર્ગ થતાં પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ આપતાં વાલુકે નામના ગામ તરફ ચાલ્યા, માર્ગમાં તે અધમ સંગમે પાંચસે ચાર અને વેલના સાગર જેવી ઘણી રેતી વિમુવી. તે પાંચસે ચો૨ “માતુલ ! માતુલ !” એમ ઉંચે સ્વરે કહી પ્રભુને તેવી રીતે આલિંગન દેતા વળગી પડ્યા કે જેથી પર્વત હોય તો તે પણ કુટી જાય. તેનાથી ક્ષોભ પામ્યા સિવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનુ સુધી પગ ખુંચાડતા ખુંચાડતા વાલુકા ગ્રામે આવ્યા. એવી રીતે સ્વભાવથી દૂર બુદ્ધિવાળે તે દેવ નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈને અનેક પ્રકારના ઉપસર્ગો કરતા હતા. આ પ્રમાણે ઉપસર્ગ કરતાં કરતાં તે સંગમ દેવને છ માસ વીતી ગયા. અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા કોઈ ગોકુળમાં આવ્યા. તે સમયે ત્યાં ગોકુળમાં ઉત્સવ ચાલતે હતો. પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા, તેથી આ વખતે પારણું કરવા સારૂં ગોકુળમાં ભિક્ષા માટે ગયા; પરંતુ જે જે ઘરમાં સ્વામી ભિક્ષા માટે જાય ત્યાં ત્યાં તે અધમ દેવ આહારને દૂષિત કરી નાખવા લાગ્યું. પ્રભુએ ઉપગ આપીને જોયું તે “તે અધમ દેવ નિવૃત્ત થયે નથી એવું જાણું પ્રભુ પાછા ગોકુળની બહાર આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દેવતાએ અવધિજ્ઞાનથી જોયું કે “હજુ આ મુનિને પરિણામ ભગ્ન થયા છે કે નહીં?” તે તેને જાણવામાં આવ્યું કે, હજુ પણ તે ક્ષોભ પામ્યા નથી. એટલે તેણે વિચાર્યું કે, “છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા, પણ સમુદ્રના જળથી સસ્થગિરિની જેમ આ મુનિ કંપ્યા નહીં; અને હજુ લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં તે પણ તે ધ્યાનથી ચલિત થશે નહીં, તેથી પર્વતને ભેદવામાં હાથી નિષ્ફળ થાય તેમ આમાં મારો પ્રયાસ તદ્દન વૃથા થયો. હા ! મારી દુબુદ્ધિથી ઠગાઈને સ્વર્ગના વિલાસનું સુખ છોડી શાપથી ભ્રષ્ટ થયેલાની જેમ હું આટલો બધે આ પૃથ્વી પર ભમે.” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ પ્રભુને નમી અંજલિ જોડી લજજા પામી પ્લાન મુખે આ પ્રમાણે કે, “હે સ્વામિન્! શક ઈ સુધર્મા સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે છો. તેના વચન પર શ્રદ્ધા નહીં કરીને મેં તમને ઘણું ઉપદ્રવ કર્યા, તથાપિ તમે સત્ય પ્રતિજ્ઞ છો અને હું ભ્રષ્ટપ્રતિજ્ઞ થયે છું. આ સારું કાર્ય કર્યું નથી, માટે હે ક્ષમાનિધિ ! તમે મારે તે અપરાધ ક્ષમા કરો. હવે ઉપસર્ગ કરવા છેડી દઈને ખેદ પામતો હું દેવલેકમાં જાઉં છું. તમે પણ નિઃશંક થઈને ગામ, આગર અને પુર વિગેરેમાં સુખે વિહાર કરો. હવે તમે આ ગામમાં ભિક્ષા માટે ખુશીથી પ્રવેશ કરે અને અદ્રષિત આહાર ગ્રહણ કરે. પૂર્વે જે દૂષિત ભિક્ષા મળતી હતી તે દેષ પણ મારાજ ઉત્પન્ન કરેલા હતા.” પ્રભુ બોલ્યા- હે સંગમદેવ ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને આધિન નથી, અમે તો વેચ્છાએ વિહાર કરીએ છીએ.” આ પ્રમાણે કહેતા વીર પ્રભુને પ્રણામ કરી તે અધમ દેવ પશ્ચાત્તાપ કરતો કરતો ઈદ્રપુરી તરફ ચાલ્ય.
આટલે વખત અહીં સૌધર્મ દેવલોકમાં બધા દેવતાએ આનંદ અને ઉત્સાહ રહિત થઈ ઉઠેગ ધરીને રહ્યા હતા. શક્રઈદ્ર પણ સુંદર વેષ અને અંગરાગ છેડી તથા સંગીતાદિકથી વિમુખ થઈ અતિ દુ:ખી બની જઈને મનમાં ચિતવવા લાગ્યા કે–અહો! પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત હું થયે છું; કારણ મેં જ્યારે પ્રભુની પ્રશંસા કરી
Page #74
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
પહે
ત્યારે જ તે દેવ કોપાયમાન થયા.' આ પ્રમાણે ચિ'તા કરતાં છ માસ વીતી ગયા, એટલે પાપરૂપ પંથી મલીન, જળ સ્પવાળા દર્પણની જેમ કાંતિના પ્રાગ્માર રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મદ ઈક્રિયાવાળા અને લજજાથી નેત્રકમળને પણ વીચતા વીંચતો તે સંગમ ઈંદ્રથી અધિષ્ઠિત એવી સુધર્મા સભામાં આવ્યા. સ`ગમકને જોઇ ઇદ્ર તેનાથી પરા મુખ થયા અને ઉંચે સ્વરે બોલ્યા કે, “અહા સર્વ દેવતાઓ ! મારૂ વચન સાંભળા–આ સંગમક મહા પાપી અને કર્માંચ'ડાળ છે. જો તેનું મુખ જોવામાં આવે તે પણ પાપ લાગે; તેથી એ જોવા ચેાગ્ય પણ નથી. એણે આપણા સ્વામીને બહુ કદના કરીને મારા માટે અપરાધ કર્યા છે. પણ જે આ સ`સારથી ભય પામ્યા નહી, મારાથી કેમ ભય પામે ? હું જાણું હ્યુ` કે, અર્હંત પ્રભુ બીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મે આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જો એ અધમ દેવ અહિ રહેશે તો આપણને પણ પાપ લાગશે, તેથી તે દુષ્ટને આ દેવલેાકમાથી કાઢી મૂકવા યાગ્ય છે.”” આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ઇન્દ્રે વવડે પતની જેમ તે અધમ દેવને ડાબા પગવડે પ્રહાર કર્યા; એટલે વિવિધ આયુધને ધારણ કરનારા ઈંદ્રના સુભટો તેને ધક્કો મારીને ત્યાંથી કાઢવા લાગ્યા, દેવતાની સ્ત્રીઓ હાથના કરકડા મરડી તેનાપર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાએ તેનુ હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે તિરસ્કાર પામતો તે અધમ દેવ ચાનક નામના વિમાનમાં એસી બાકી રહેલુ એક સાગરોપમનુ આયુષ્ય ભોગવવા માટે મેડ્ગિરિની ચૂલિકા ઉપર ગયા. પછી તે સગમકની સ્ત્રીએએ આવીને ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે, હે સ્વામી! જો તમારી આજ્ઞા હેાય તો અમે અમારા પતિની પાછળ જઈએ.’દીન વદનવાળી તે સ્ત્રીઓને સંગમકની પાછળ જવાની ઇ કે આજ્ઞા આપી અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતા અટકાવ્યેા.
અહી શ્રી વીર ભગવંત ખીજે દિવસે પારણુ કરવાને માટે ગેાકુળ ગામમાં ગોચરી કરવા નીકળ્યા. ત્યાં એક વૃદ્ધ વસપાલિકા નામની ગોપીએ ભક્તિપૂર્વક પ્રભુને કલ્પે તેવા પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા. ચિરકાળે પણ પ્રભુનુ પારણુ થવાથી હું પામી સમીપ રહેલા દેવતાઓએ ત્યાં પચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ આલભિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરીને ચિત્રસ્થ હોય તેમ સ્થિર રહ્યા. ત્યાં હરિ નામના વિદ્યુત્સુમારના ઇન્દ્રે પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે કહ્યું કે-‘હે નાથ ! તમે જે ઉપગેર્પ સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદિણું થઇ જાય, તેથી તમે વજ્રથી પણ અધિક દૃઢ છે. હે પ્રભુ ! હવે માત્ર થાડા ઉપસર્ગ સહ્યા પછી તમે ચાર ઘાતિકના નાશ કરશેા અને ઘેાડાજ કાળમાં કેવળજ્ઞાન ઉપાન કરશેા.' આ પ્રમાણે કહી ભગવંતને ભક્તિથી નમસ્કાર કરીને તે વિદ્યુત્સુમાર નિકાયના ઇદ્ર પાતાને સ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંખી નગરીએ ગયા. ત્યાં રિસહ નામના વિદ્યુત્ક્રુમારના ઇન્દ્રે આવી વંદના કરી. તે પણ રિઇંદ્રની જેમ કહીને પાતાને સ્થાનકે ગયા.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે બધી નગરીમાં લેાકાએ કાર્ત્તિકસ્વામીની રથયાત્રાના ઉત્સવ મેટા આડંબરથી આદર્યાં હતા. તેથી પ્રતિમા ધરીને રહેલા પ્રભુને છેાડીને નગરજને પૂજાની સવ સામગ્રી લઈ કાર્તિકસ્વામીની પૂજા કરવા માટે જવા લાગ્યા. પછી કાર્તિકની પ્રતિમાને સ્નાન અન કરી વિધિપૂર્વક રથમાં બેસાડવાને લોકો તૈયાર થયા. તે વખતે દેવલાકમાં શકઈ કે વિચાયુ કે, હાલ વીરપ્રભુ કયાં વિચરતા હશે ? ' અવધિજ્ઞાનથી જોયુ તો વીરપ્રભુને અને નગર
Page #75
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થા
જનાને ઉપર કહેલી સ્થિતિમાં જોયા. એટલે ‘અરે આ અવિવેકી નગરજને પ્રભુનું ઉલ્લ્લંધન કરીને કાર્તિકની પૂજા કેમ કરે ?' આવી ઈર્ષ્યા ધરીને ઇ'દ્ર તત્કાળ ત્યાં આવ્યા અને કાર્ત્તિકની પ્રતિમામાં પ્રવેશ કર્યા. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા તે તરફ ચાલી, પર`તુ નગરજના તો તેને ચાલતી જોઇ કહેવા લાગ્યા, અહા ! આ કાન્તિકકુમાર પેાતાની મેળે ચાલીને રથમાં બેસશે,' તેવામાં તો તે પ્રતિમા પ્રભુની પાસે આવી; અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ ને તેણે પ્રણામ કર્યાં. પછી પ્રભુની ઉપાસના કરવાને માટે તે પૃથ્વી ઉપર બેઠી. એટલે ‘આ કાઈ આપણા ઈષ્ટદેવના પણ પૂજ્ય જાય છે, તેથી આપણે તેનુ ઉલ્લંઘન કર્યું, તે યેાગ્ય કયુ' નહિ.’ આ પ્રમાણે કહેતા નગરજનાએ વિસ્મય અને આનંદ પામીને પ્રભુને મહિમા કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંખી નગરીએ આવ્યા. ત્યાં પ્રતિમા ધરીને રહેલા પ્રભુને સૂર્ય ચંદ્રે મૂળ વિમાન સાથે આવાને ભક્તિથી સુખશાતાના પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શક્રઈ આવીને હર્ષ થી પ્રભુને વંદના કરી, ત્યાંથી રાજગૃહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઈશાનેન્દ્રે આવી ભક્તિથી સુખશાતા પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ગયા. ત્યાં જનક રાજાએ અને ધરણેકે આવીને પ્રિયપ્રશ્નપૂર્વક પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાલા નગરીએ ગયા, ત્યાં પ્રભુએ દીક્ષા લીધા પછીનું અગ્યારમુ' ચામાસું કર્યું. ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મદિરની અંદર પ્રભુ ચાર માસક્ષપણ અંગીકાર કરી પ્રતિમાએ રહ્યા. ત્યાં ભૂતાનદ નામે નાગકુમારના ઈન્દ્રે આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનુ` જણાવી સ્વસ્થાને ગયો.
વિશાળાપુરીમાં જિનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તે દયાળુ હતો અને વૈભવના ક્ષયથી જીણુ શ્રેષ્ઠિ' એવા નામથી પ્રખ્યાત થયા હતો. અન્યદા તે ઉદ્યાનમાં ગયો હતો, ત્યાં ખળદેવના મદિરમાં તેણે પ્રતિમાએ રહેલા પ્રભુને જોયા. તે વખતે આ છદ્મસ્થ પણે રહેલા ચરમ તીર્થંકર છે’ એવા નિશ્ચયથી તેણે ભક્તિ સાથે પ્રભુને વંદના કરી. પછી પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરી રહ્યા જણાય છે, તે જો આવતી કાલે મારે ઘેર પારણું કરે તો ઘણું સારૂ થાય.' આવી આશા ધરીને તેણે ચાર માસ સુધી હમેશાં પ્રભુની સેવા કરી, છેલ્લે દિવસે પ્રભુને આમંત્રણ કરીને તે પાતાને ઘેર ગયો, અને પે!તાને નિમિત્તે શ્રેષ્ડ મનવાળા તેણે પ્રથમથી મેળવેલા પ્રાસુક અને એષણીય ભાજન તૈયાર કરી રાખ્યા. પછી તે જિનદત્ત શ્રેષ્ઠિ પ્રભુના માર્ગ તરફ દૃષ્ટિ રાખી આંગણામાં ઊભે. રહીને ચિતવવા લાગ્યા કે, “આ ભાજન હુ` પ્રભુને વહેરાવીશ. હું કેવા ધન્ય કે જેને ઘેર અ`તપ્રભુ પોતાની મેળે આવશે અને સ‘સારસાગરથી તારનારૂ પારણુ કરશે. જ્યારે પ્રભુ આવશે ત્યારે હું તેમની સન્મુખ જઈશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણકમળમાં વંદના કરીશ અહા ! આ મારા જન્મ હવે પુનર્જન્મને માટે નહીં થાય; કેમકે પ્રભુનું દર્શન પણ મેાક્ષને માટે થાય છે તેા પારણાની તેા વાતજ શી કરવી ?’’ આ પ્રમાણે જીણુ શ્રેષ્ઠિ ચિંતવન કરતા હતા તેવામાં તા પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિથ્યાષ્ટિ હતો, તેથી લક્ષ્મીના મદથી ઊઁચી ગ્રીવા રાખીને તેણે દાસીને આજ્ઞા કરી કે, ભદ્રે ! આ ભિક્ષુકને ભિક્ષા આપીને સત્વર વિદાય કર.’ તે હાથમાં કાષ્ટનું ભેજન લઈ તેમાં કુલ્માષ ધાન્યને લઇને આવી, અને પ્રભુએ પ્રસારેલા કરપાત્રમાં તે વહેારાવ્યા. તત્કાળ દેવતાઓએ આકાશમાં દુંદુભિના નાદ કર્યા, ચેલાહ્યેપર કર્યાં, વસુધારા કરી તથા પુષ્પની ૧. અડદના બાકુળા. ૨. વજ્રની વૃષ્ટિ, ૩, દ્રવ્યની વૃષ્ટિ
Page #76
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું અને સુગંધી જળની વૃષ્ટિ કરી. લોકો ભેળા થઈને તે અભિનવ શ્રેષ્ટિને પૂછવા લાગ્યા, એટલે તેણે કહ્યું કે મેં પિતે પ્રભુને પાયસાનવડે પારણું કરાવ્યું.” “અહો દાન, અહો દાન' એ દેવતાને ધ્વનિ સાંભળી લોકો અને રાજા તે નવીન એષ્ટિની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. અહીં જીર્ણશ્રેષ્ટિ તે પ્રભુના આગમન સંબંધી વિચાર કરતો તેમ જ ઊભો હતો, તેવામાં દેવતાઓના દુંદુભિને ધ્વનિ સાંભળીને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે, “અહે! મારા જેવા મંદભાગ્યવાળાને ધિક્કાર છે, મારે મનોરથ વૃથા થયો, કેમકે પ્રભુએ મારૂં ઘર મૂકીને બીજાને ઘેર પારણું કર્યું
ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ તે અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાઓ અને લેકએ તેમની પાસે આવીને પૂછયું કે, “ભગવન્! આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે ?” કેવળી બોલ્યા કે-જીર્ણશ્રેષ્ટિ સર્વથી અધિક પૂન્યવાન છે.” લે કે બોલ્યા કે, “જીર્ણશ્રેષ્ટિ મોટા પુણ્યને ઉપાર્જન કરનાર શી રીતે છે? કારણ કે તેણે કાંઈ પ્રભુને પારાણું કરાવ્યું નથી, તે કાર્ય કરનાર તે આ નવીન શ્રેષ્ટિ છે. વળી વસુધારા વિગેરે પણ આ નવીન એષ્ટિને ઘેર થયેલ છે, તો આ નવીન શ્રેષ્ટિ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહીં ? કેવળી બેલ્યા કે, “ભાવથી તો તે જીર્ણ શ્રેષ્ટિ જિનદત્ત અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. વળી તેણે તેવા ભાવથી અમ્રુત દેવલોકમાં જન્મ ઉપાર્જન કરીને સંસારને તોડી નાંખે છે, જે તેવા ઉજજવળ ભાવવાળા તેણે તે વખતે દુદુભિને વનિ સાંભળ્યું ન હતું તે ધ્યાનાંતરમાં પ્રાપ્ત થયેલ તે ઉજવળ કેવળજ્ઞાનને પામત. આ નવીન એષ્ટિ શુદ્ધ ભાવથી સહિત છે, તેથી તેણે અહતના પારણુનું માત્ર એ વસુધારા રૂપ આ લેક સંબંધી જ ફળ પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક અને ભક્તિરહિત અહંતના પારણાનું ફળ સાંભળી સર્વ લોક વિસ્મય પામતા પોતપોતાને સ્થાનકે ગયા.
અહીં શ્રી વીરભગવંત નગર, ગામ, ખાણ અને દ્રોણમુખ વિગેરે સ્થાનોમાં વિહાર કરતા સુસુમારપરે આવ્યા, ત્યાં અશકખંડ નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક શિલાતળ ઉપર રહી અષ્ટમ કરીને પ્રભુએ એક રાત્રિની પ્રતિમા ધારણ કરી.
આ અરસામાં જે બનાવ બને તેની ઉત્પત્તિ આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં વિધ્યાચળની તળેટીમાં વસેલા વિભેલ નામના ગામમાં પૂરણ નામે એક ગૃહસ્થ રહેતે હતે. એક વખત અર્ધ રાત્રિએ ઉઠીને તેણે વિચાર્યું કે, “મેં પૂર્વ ભવે મેટું તપ કરેલું હશે, કે જેથી આ ભવમાં મને આવી લક્ષ્મી અને આવી માન્યતા પ્રાપ્ત થઈ. પૂવે કરેલા શુભાશુભ કર્મનું ફળ આ લેકમાં પ્રાપ્ત થાય છે, તેવું લેકમાં સેવ્ય અને સેવકપણું દષ્ટિએ પડવાથી અનુમાન થાય છે. તો હવે ગૃહવાસ છોડી, સ્વજનોને સમજાવી આવતા ભવમાં ફળ પ્રાપ્ત કરવાને માટે હું મોટું તપ આચરૂં. કહ્યું છે કે “આઠ માસ સુધી એવું કાર્ય કરવું, કે જેથી ચોમાસાના ચાર માસ સુખે રહેવાય, દિવસે એવું કરવું કે રાત્રિએ સુખે સુવાય, પૂર્વ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય અને આ જીંદગીમાં એવું કાર્ય કરવું કે જેથી આગામી ભલે સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે ચિંતવીને પ્રાત:કાળે
સ્વજનોને જમાડી વ્રત લેવાની રજા લીધી અને પુત્રને પિતાને સ્થાનકે સ્થાપન કર્યો. પછી પિોતે વ્રત લઈ પ્રણામ જતિને તાપસ થઈ તપ કરવા લાગ્યો. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું એક કાષ્ટમય ભિક્ષાપાત્ર ગ્રહણ કર્યું. અને તે દિવસથી માંડીને નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યો. તે સાથે પ્રતિદિન આતાપના લેવાવડે શરીરને કૃશ કરવા લાગ્યો. જ્યારે પારણને દિવસ હોય ત્યારે તે પેલું ચાર પડવાળું ભિક્ષાપાત્ર લઈને મધ્યાહ્નકાળે શિક્ષા
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨
સર્ગ ૪ થે લેવા જતે. પહેલા પડમાં આવેલી ભિક્ષા તે પાંચજને આપતો, બીજા પડમાં આવેલી ભિક્ષા તે કાગડા વિગેરેને નખતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા મસ્યાદિક જળચર પ્રાણી એને દેત અને ચેથા પડમાં આવેલી ભિક્ષા રાગદ્વેષ રહિત ચિત્તે પે તે ખાતે હતે. એવી રીતે બાર વર્ષ સુધી બાળ (અજ્ઞાન) તપ કરી છેવટે તેણે બિભેલ ગામની ઈશાન દિશામાં અનશન ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી મૃત્યુ પામીને બાળતપના પ્રભાવથી તે ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે ચમરેંદ્ર થયા. ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનરૂપ નેત્રથી તેણે બીજા ભુવન જોવા માંડ્યા. અનુક્રમે ઉર્વ ભાગે દષ્ટિ કરતા તેણે સૌધર્મેદ્રને જે. સૌધર્માવલંસ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા મહદ્ધિક વજન ધારી શકઈદ્રને જોઈ ક્રોધ કરીને તે પિતાના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યો-“અરે ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર આ કેણુ દુરાત્મા અધમ દેવ મારા મસ્તક પર રહીને નિર્લજજપણે વિલાસ કરે છે?” તેના ઉત્તરમાં તેના સામાનિક વિગેરે દેવતાઓ મસ્તક પર અંજલિ જેડીને બેલ્યા કે-“હે સ્વામી ! મહા પરાક્રમી અને પ્રચંડ શાસનવાળા સૌધર્મ કલ્પના તે ઈદ્ર છે.” તે સાંભળીને જેને ઉલટ વિશેષ ક્રોધ ઉત્પન્ન થયો છે એ તે ચમરેદ્ર ભ્રકુટીથી ભયંકર મુખવાળે થઈ નાસિકાના કુંફાડાથી ચમરને પણ ઉડાડતે બોલ્યો કે,
અરે ! દેવતા ઓ ? તમે મારા પરાક્રમને જાણતા નથી, તેથી તેની પ્રશંસા કરે છે. હવે હું તમને તે ઈદ્રને પાડી દઈને મારૂં બળ બતાવીશ. તે કદિ દેવગે ઉચે સ્થાનકે ઉત્પન્ન થયો છે તેથી કાંઈ મોટે સમર્થ થઈ ગયે નથી. કદિ કાગડે હાથીની પીઠ પર બેઠે હોય તેથી શું તે રથી ગણાય? તે ત્યાં આટલીવાર તે નિર્વિદને રહ્યો પણ હવે મારે ક્રોધ થતાં તે ત્યાં રહી શકશે નહીં. કેમકે-સૂર્યને ઉદય થતાં બીજા તેજ કે અંધકાર કહી શકતાં નથી.” પછી સામાનિક દેવતાઓએ ફરીવાર કહ્યું કે, “હે સ્વામી! એ સૌધર્મપતિ પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્યથી દેવેને પતિ થયેલ છે અને તેની સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણું અધિક છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારી જેવાના સ્વામી થયા છે. તેથી પુણ્યને આધિન એવા વૈભવમાં તમારે ઈર્ષા કરવી ન જોઈએ. વળી જે કદી તમે તેને પ્રત્યે તમારું કાંઈ પણ પરાક્રમ બતાવવાનો આરંભ કરશે તે મેઘની સામે થનારા અષ્ટાપદ પશુની જેમ તે તમારા હાસ્યને માટે અને અધઃપાતને માટે થશે; માટે તમે શાંત થાઓ, સુખે રહી યથેચ્છપણે સુખ ભોગવે; અને અમારાથી સેવાતાં વિવિધ વિનોદ જોયા કરો.” પછી ચમરેંદ્ર બે કે, “અરે ! જે તમે બધા તેનાથી હીતા તે સુખે અહીં રહો, હું એકલે જ તેની સાથે યુદ્ધ કરવા જઈશ. અસુરોનો ને અસુરે ને હું કે તે એકજ ઈદ્ર હોવા જોઈએ. એક મ્યાનમાં બે પગ રહી શકે જ નહીં.” આ પ્રમાણે કહી ઉગ્ર ગર્જના કરીને આકાશમાગે ઉડવાની ઈચ્છા કરતાં તેના મનમાં કાંઈક વિવેક આવ્યું, એટલે તે ફરીવાર આ પ્રમાણે ચિંતવવા લાગે કે-“આ મારા સામાનિક દેવતાઓ શકેંદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હોય તે હોય, કેમકે આ દેવતાઓ લેશમાત્ર પણ મારૂ અહિત ઈચછનાર નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદિ મારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કેશને શરણે મારે જવું?” આ પ્રમાણે વિચારીને તેગે અવધિજ્ઞાને જોયું, તે સુસુમારપુરમાં શ્રી વિરપ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીરપ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભે થઈને તું બાલય નામની પિતાની આયુધશાળામાં ગયો. ત્યાંથી જાણે મૃત્યુને બીજો હાથ હોય તે એક મુદ્દગર તેણે ઉપાડ અને ઊંચે નીચે તેમજ આડે તેને બે ત્રણ વાર ફેરવ્યા. પછી અસુર સ્ત્રીઓએ શુરવીર ધારીને કામનાથી ૧. સર્વને પ્રણામ કરવા એ જેને મુખ્ય ધર્મ છે એવા તાપસ.
Page #78
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું જેવાયેલ, કૌતુક જોવાના અથી ભુવનપતિઓએ ઉત્સાહિત કરેલો અને સામાનિક દેવતાઓએઅજ્ઞ છે એમ જાણી ઉપેક્ષા કરેલ તે ચમરાસુર ચમચંચા નગરીથી નીકળ્યો.
ક્ષણવારમાં શ્રી વીરપ્રભુ પાસે આવી, પરિઘ આયુધને દૂર મૂકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે બોલ્યો-“હે ભગવન્ ! હું તમારા પ્રભાવથી અતિ દુર્જાય શક્રઈદ્રને જીતી લઈશ; કારણ કે તે ઈદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મારા ચિત્તમાં બહુ બધા કરે છે. આ પ્રમાણે કહી પરિઘ આયુધ લઈને ઈશાન દિશામાં આવ્યો અને વંકિય સમુક્રઘાતવડે સદ્ય પિતાનું રૂપ એક લાખ યોજનાનું વિકુવ્યું. શ્યામ કાંતિવાળું એ મહા શરીર
છે. મત્તિમાન આકાશ હોય, અથવા જાણે નંદીશ્વર મહાદ્વીપના જગમ અંજનગિરિ હોય તેવું દેખાવા લાગ્યું. તેનું મુખ દાઢરૂપ કરવતથી ભયંકર હતું, શ્યામ અને ચપળ કેશ હતા, મુખરૂપ કુંડમાંથી ઉછળતી વાળાએથી આકાશ પણ પલ્લવિત થતું હતું, તેના વિશાળ વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થતું હતું, ભુજનદંડના હાલવાથી ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ખરતા હતા, નાભિમંડળ ઉપર લીન થયેલા સર્પના હુંફાડાથી ભયંકર દેખાતુ હતું, તેના અતિ લાંબા જાનુ ગિરિની ચૂલિકાના અગ્ર ભાગને અડતા હોવાથી વિસ્મય ઉત્પન્ન કરતા હતા, અને પગના અવષ્ટભથી ભૂમડળને પણ વિધુર કરતો હતો. આવું ભયંકર રૂપ કરીને તે ચમરાસુર ગર્વાધ થઈ સૌધર્મ પતિ તરફ ઉત્પ. | ઉગ્ર ગજેનાથી આખા બ્રહ્માંડને ફેડ, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતો, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેવોને ત્રાસ પમાડતો તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલંઘન કરી શક્રના મંડલમાં આવી પહોંચ્યા. તે ભયંકર મહામૂત્તિને અકસ્માત અને વેગથી આવતી જોતાં જ કિલિવષ દેવતાઓ સંતાઈ ગયા, આભિયોગિક દેવતાઓ ત્રાસ પામી ગયા, સૈન્ય સહિત સેનાપતિઓ શિધ્ર પલાયન કરી ગયા, અને સેમ તથા કુબેર પ્રમુખ દિપાલે નાશી ગયા. આત્મરક્ષકથી અખલિત અને છડીદારથી પણ અવારિત એ અસુરને ત્રાયશ્ચિંશ દે એ “આ શું ?” એમ સંભ્રાંત ચિત્તે જે. સમકાળે ઉત્પન્ન થયેલા કોપ અને વિસ્મયવડે સામાનિક દેવતાઓએ જોયેલા તે ચમરે એક પગ પદ્મવેદિકાની ઉપર અને બીજો પગ સુધર્મા સભામાં મૂક્યું. પછી પરિઘ આયુધવડે ઈ દ્વકીલ ઉપર ત્રણ વાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવીને તે અતિ દુર્મદ ચમર શક્રઈદ્ર પ્રત્યે આ પ્રમાણે બેલ્યો-“હે ઈદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાકમથી અદ્યાપિ મારી ઉપર રહે છે પગુ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઉં છું. પર્વત ઉપર કાગડાની જેમ તું અહીં ચિરકાળથી ફેગટ જ રહ્યો છું. અરે અમરચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહ્ય પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણત?શીકારીની હાકને કેશરીસિંહ સાંભળે તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી સાંભળ્યું નહોતું તે સાંભળીને શકેંદ્ર કાંઈક હસ્યા અને વિસ્મય પામ્યા. પછી અવધિજ્ઞાનવડે તેને ચમરેંદ્ર જાણીને “અરે અમર ! તું નાશી જા” એમ બોલી ભ્રકુટી ચડાવી શકઈ વજ હાથમાં લીધું, અને પ્રલયકાળના અગ્નિને સાર હોય, વિદ્યુતૂને જાણે સંચય હોય અને એકઠા મળેલ વડવાનળ હોય તેવા તે પ્રજલિત વજને ઈદ્ર તેના પર મૂકયું. તતડું શબ્દ કરતું અને દેવતાઓએ ત્રાસ પામતાં જોયેલું તે વજા ચમરેદ્ર તરફ દેડયું. સૂર્યના તેજને ઘુવડની જેમ તે વજાને જેવાને પણ અસમર્થ એવો તે ચમરાસુર વજને આવતું જતાં જ વડવાનરીની જેમ ઉંચા પગ ને નીચું માથું એમ થઈ ગયે, અને તત્કાળ ચિત્રાથી ચમરીમૃગ ભાગે તેમ શ્રી મહાવીર ભગવંતને શરણે આવવાની ઈચ્છાએ ત્યાંથી ભાગ્યે. તે વખતે અરે સુરાધમ ! જેમ મોટા સર્પ સાથે દેડકે, હાથી સાથે ઘેટ, અષ્ટાપદ સાથે હાથી
Page #79
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ છે.
અને ગરૂડ સાથે સર્પ યુદ્ધ કરવા ઈચ્છે તેમ અનાત્મજ્ઞ એવો તું અમારા ઈદ્રની સાથે યુદ્ધ કરવાને ઈચ્છતો હતો, પણ તારે ભૂંડે હાલે નાશી જવું પડયું.” આ પ્રમાણે કહીને દેવતાઓ તેને હસવા લાગ્યા. જે મહા દેહ ધરીને તે આવ્યા હતા, તે જ લઘુ દેહી થઈને પવને ચલાવેલા મેઘની જેમ ત્વરાથી નાસવા લાગ્યા. રૂપને નાનું કરતા તે અસુરની પછવાડે ઘની જેમ ચાલ્યું આવતું વજ જવાળાની શ્રેણિવડે શેભવા લાગ્યું.
અહીં વજ છોડયા પછી ઈકને વિચાર થયો કે, કોઈ પણ અસુરની પિતાની અહીં સુધી આવવાની શક્તિ નથી, તે છતાં આ અસુર અહીં સુધી આવે તેથી હું ધારું છું કે જરૂર તે કઈ અર્હત, અહંતનું રૌત્ય કે કઈ મહર્ષિને મનમાં સ્મરી તેના વડે શકિત પ્રાપ્ત કરીને આવ્યો હશે.” આ પ્રમાણે વિચારીને શદ્ર અવધિજ્ઞાનવડે જોયું, એટલે તે શ્રી વીરપ્રભુના પ્રભાવથી ત્યાં આવ્યું હતું અને પાછો શ્રી વીરપ્રભુને શરણેજ ગમે છે એમ જાણ્યું. તેથી “અરે ! હું માર્યો ગયે !” એમ બોલતે ઈદ્ર જેના હાર વિગેરે આભૂષણે તુટી જતા હતા, તેમ વજને માગે તેની પાછળ વેગથી દેડ. ચમરેંદ્રનો નિવાસ તેમજ પ્રભુનું વિહારસ્થાન અધભૂમિએ હોવાથી આગળ ચમરે, તેની પછવાડે વજ અને તેની પાછળ શક્રઈદ્ર પૂર્ણ વેગથી ચાલ્યા. ક્ષણવારમાં પ્રતિકાર કરનારની પાછળ હાથીની જેમ શકેંદ્ર તેમની નજીક આવી પુ; જેવામાં જ ચમરેંદ્રની નજીક આવી પડ્યું, તેવામાં તે તે ચમરેંદ્ર દાવાનળથી પીડિત હાથી જેમ નદી પાસે આવી પહોંચે તેમ પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે પહોંચી ગયે. અને “શરણ ! શરણ !” એમ બોલતો અત્યંત લઘુ શરીર કરીને પ્રભુને બે ચરણની વચ્ચે કુંથુની જેમ ભરાઈ ગયો. તે વખતે વજ પ્રભુના ચરણકમળથી ચાર તસુ છેટું રહ્યું હતું, એટલામાં તે સપને વાદી પકડે તેમ ઈ વજને મુષ્ટિથી પકડી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરીને ઈદ્ર અંજલિ જોડી ભક્તિથી ભરપૂર એવી વાણીવડે આ પ્રમાણે છે - “હે નાથ ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે તમારા ચરણકમળના પ્રભાવથી મારા દેવલોક સુધી આવ્યો હતો. તે મારા જાણવામાં આવ્યું નહતું, તેથી અજ્ઞાનવડે મેં આ જ તેના પર મૂકયું હતું. ત્યારપછી અવધિજ્ઞાનવડે તેને તમારા ચરણકમળમાં લીન થયેલ મેં જાય છે, માટે મારા તે અપરાધને ક્ષમા કરજે.” આ પ્રમાણે કહીને શકે ઈશાનકુણમાં જઈ પિતાને રોષ ઉતારવાને પિતાને વામચરણ પૃથ્વી પર ત્રણવાર પછાડયો. પછી ચમરેંદ્રને કહ્યું કે –“હે ચમર ! તું વિશ્વને અભય આપનાર શ્રી વીરપ્રભુને શરણે આવ્યો તે તે બહુ સારું કર્યું. કારણ કે તે સર્વ ગુરૂઓના પણ ગુરૂ છે. હવે મેં વર તજી દઈને તને છોડી દીધું છે, માટે તું ખુશીથી પાછો ચમચંચા નગરીમાં જઈને તારી સમૃદ્ધિના સુખનો ભોકતા થા.” આવી રીતે ચમરને આશ્વાસન આપી ફરીવાર પ્રભુને નમસ્કાર કરીને ઈદ્ર પોતાને સ્થાનકે ગયા.
પછી સૂર્યાસ્ત થતાં ગુહામાંથી જેમ ઘુવડ નીકળે તેમ ચમરેંદ્ર પ્રભુના બે ચરણના અંતરમાંથી બહાર નીકળ્યો અને પ્રભુને નમી અંજલિ જેડીને બોલ્યો કે “સર્વ છાના જીવન ઔષધરૂપ હે પ્રભુ ! તમે મને જીવિતના આપનાર છે. તમારા ચરણને શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી પણ મુક્ત થવાય છે, તે વજથી મુક્ત થવું તે તે કે માત્ર છે ? હે નાથ ! મેં અજ્ઞતાથી પૂર્વભવમાં બાળતપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણુરૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યો હતો, પણ છેવટે તમારે શરણે આવ્યો તે સારું કર્યું. જે પૂર્વભવે મેં તમારું શરણ લીધું હોત તે હું અય્યતે'દ્રપણું કે અહમિંદ્રપાળું પ્રાપ્ત કરત, અથવા હે નાથ ! મારે ઈન્દ્રપણાની હવે શી જરૂર છે? કેમકે હમણાં તો ત્રણ જગતના
Page #80
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ સુ
૬૫
પતિ એવા તમે મને નાથપણે પ્રાપ્ત થયા, તેથી મને બધું પ્રાપ્ત થયુ છે.” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કહી પ્રભુને નમીને ચમરેંદ્ર ચમચા નગરીમાં આવ્યેા. ત્યાં પેાતાના સિંહાસનપર બેસી, લજજાથી નીચુ' મુખ કરીને તે પોતાને સ્વાગત પૂછવા આવેલા સામાનિક દેવતા પ્રત્યે ખેલ્યા કે, હે દેવા ! તમે મધ્યસ્થપણે જેવા શકેદ્રને કહ્યો હતો તેવાજ તે છે, પણ મે' તે વખતે અજ્ઞાનથી તે કાંઇ જાણ્યું નહીં. પ્રથમ સિંહની ગુહામાં શિયાળ જાય તેમ હું તેની સભામાં ગયા. ત્યાં તેના આભિયાગિક દેવાએ કૌતુક જોવાની ઇચ્છાથી મારી ઉપેક્ષા કરીને જવા દીધા. પણ ઈન્દ્રે મારી ઉપર વ છેડયું. તેથી ભય પામીને મહા કબ્જે હુ સુરાસુરાએ નમેલા શ્રી વીરપ્રભુના ચરણને શરણે ગયા. શ્રી વીરપ્રભુને શરણે જવાથી ઇન્દ્રે મને જીવતો છેાડી દીધા, એટલે હુ· અહીં આવ્યો છુ'; હવે તમે સૌ ચાલા, આપણે શ્રી વીરપ્રભુ પાસે જઇ ને વાંદીએ.” આ પ્રમાણે ચમરેદ્ર પેાતાના સ પરિવાર સાથે પ્રભુની પાસે આન્યા અને પ્રભુને નમી સંગીત કરીને પછી પોતાની નગરી પ્રત્યે ગયા.
પ્રાત:કાળે પ્રભુ એક રાત્રિની પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા ભાગપુર નામના નગરે આવ્યા. ત્યાં માહેદ્ર નામે કોઈ ક્ષત્રિય હતા, તે દુર્મતિ પ્રભુને જોઈ એક ખજુરીની યષ્ટિ લઈને પ્રભુને પ્રહાર કરવા દોડયા. તે વખતે સનત્કુમારેંદ્ર કે જે ઘણો વખત થયા પ્રભુના દર્શન કરવાને ઉત્કંઠિત હતા, તે પ્રભુને વાંઢવાને ત્યાં આવ્યા, એટલે તે શાને ઉપદ્રવ કરતા તેમણે જોયા. તેથી તે ક્ષત્રિયના તિરસ્કાર કરી ઇદ્રે પ્રભુને વંદના કરી, અને ભક્તિપૂર્વક સુખવિહાર પૂછીને પેાતાને સ્થાને ગયા. ભગવંત પણ ત્યાંથી વિહાર કરી નંદી– ગ્રામે આવ્યા. ત્યાં નદી નામે ભગવંતના પિતાના મિત્ર હતો, તેણે ભક્તિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગેાવાળ વાળની દોરી લઈને પ્રભુને મારવા દોડયા. ત્યાં કુર્માર્ં ગામની જેમ ઇંદ્ર આવી તે ગેાપને વાર્યાં અને પ્રભુને ભક્તિથી વંદના કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંખી નગરીએ આવ્યા.
કૌશાંખીમાં શત્રુઓના સૈન્યને ભયકર શતાનિક નામે રાજા હતો. તેને ચેક રાજાની પુત્રી મૃગાવતી નામે રાણી હતી, તે સદા તી કરના ચરણુની પૂજામાં એકનિષ્ઠાવાળી પરમ શ્રાવિકા હતી. શતાનિક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતો, તેને નંદા નામે સ્ત્રી હતી, તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તે નગરમાં ધનાવહુ નામે એક શેઠ રહેતો હતો, તે ઘણા ધનાઢય હતો. તેને ગૃહકમ માં કુશળ મૂલા નામે પત્ની હતી. અહીં, વીર પ્રભુ આવ્યા તે વખતે પોષ માસની કૃષ્ણે પ્રતિપદા હતી. પ્રભુએ તે દિવસે આ પ્રમાણેના બહુ જ અશકય અભિગ્રહ ધારણ કર્યા કે, ‘કોઇ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હાય, પગમાં લેાહમય ખેડી નાખેલી હાય, માથુ. મુ ડેવું હોય, ભૂખી હોય, રૂદન કરતી એક પગ દેહલી (ઉ*અર) ઉપર અને બીજો બહાર રાખીને બેઠી હોય અને સવ ભિક્ષુકો તેના ઘરે આવીને ગયેલા હોય, તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રહેલા કુલ્માષ (અડદ) જો મને વહેારાવે, તો ચિરકાળે પણ હું પારણું કરીશ, તે સિવાય કરીશ નહી.' આવે અભિગ્રહ લઈને પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ઉચ્ચ નીચ ગૃšામાં ગેચરી માટે ફરવા લાગ્યા, પરંતુ પ્રભુને ઉપર પ્રમાણે અભિગ્રહ ાવાને લીધે કાઈ (ભક્ષા આપે તે પ્રભુ લેતા નહીં, તેથી નગરજને પ્રતિદિન શૈાચ કરતા અને પાતાની નિંદા કરતા હતા, એ પ્રમાણે અશકય અભિગ્રહ હોવાને લીધે ભિક્ષા લીધા વગર ખાવીશ પરીષહને સહન કરતા પ્રભુએ ચાર પહેારની જેમ ચાર માસ નિ^મન કર્યા. એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા, ત્યાં તેની સ્રો નંદાએ પ્રભુને દૂરથી જોયા, એટલે આ મહાવીર અહુ 'ત સાથે ભાગ્યે
•
Page #81
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થો
મારે ઘેર આવ્યા. આ પ્રમાણે બેલતી નંદા આનંદ પામતી સામી આવી. અને તે બુદ્ધિમાન શ્રાવિકાએ પ્રભુને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યા, પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કોઈપણ લીધા વગર ચાલ્યા ગયા. તત્કાળ નંદાનું હૃદય મંદ થઈ ગયું, અને “હું અભાગિણું છું, મને ધિક્કાર છે, મારે મરથ પૂર્ણ થયે નહીં” એમ શેક કરવા લાગી. આ પ્રમાણે ખેદ કરતી તેને તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્ર! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગર જ ચાલ્યા જાય છે, કાંઈ આજ જ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, “પ્રભુએ કેઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કર્યો જણાય છે કે જેથી પ્રાસુક અન્ન પણ લેતા નથી. હવે પ્રભુને તે અભિગ્રહ કઈ રીતે પણ જાણું લેવું જોઈએ.” આવી ચિંતા કરતી નંદા આનંદ રહિત થઈને બેઠી હતી, તેવામાં સુગુપ્ત મંત્રી ઘરે આવ્યા, તેમણે તેને ચિંતા કરતી જોઈ. સુગુપ્ત કહ્યું. “પ્રિયે ! ઉદ્વિગ્ન ચિત્તવાળા કેમ દેખાઓ છે? શું કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? વા મેં કઈ તમારે અપરાધ કર્યો છે?” નંદા બોલી–સ્વામી ! કેઈએ મારી આજ્ઞા ખંડિત કરી નથી; તેમ તમારે પણ કાંઈ અપરાધ નથી; પણ હું શ્રી વીરપ્રભુને પારણું કરાવી શકી નહી, તેથી મને ઘણે ખેદ થાય છે. ભગવાન વરપ્રભુને નિત્ય ભિક્ષાને માટે આપણા નગરમાં આવે છે અને કોઈ અપૂર્વ અભિગ્રહને લીધે ભિક્ષા લીધા વગર ચાલ્યા જાય છે. માટે હે મહામંત્રી ! તમે તે પ્રભુને અભિગ્રહ જાણી લે, જે નહી જાણો તે બીજાના ચિત્તને ઓળખનારી તમારી બુદ્ધિ વૃથા છે.” સુખે કહ્યું કે, “હે પ્રિયા ! તે પ્રભુને અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રાત:કાળે પ્રયાસ કરીશ.” તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી. તેણે આ દંપતીની વાર્તા સાંભળી, એટલે તે બધી તેણે પિતાની સ્વામિની મૃગાવતી પાસે જઈને કહી. તે સાંભળી મૃગાવતી રાણીને પણ તત્કાળ ખેદ ઉત્પન્ન થયે. શતાનિક રાજાએ સંભ્રમ પામી તેના ખેદનું કારણ પૂછ્યું. એટલે મૃગાવતી જરા ભ્રકુટી ઊંચી કરી અંતરના ખેદ અને ક્ષેભના ઉદ્દગારથી ખ્યાત એવી વાણીએ બોલી કે–“રાજાઓ તે આ ચરાચર જગતને પોતાના બાતમીદારોથી જાણી શકે છે અને તમે તમારા એક શહેરને પણ જાણી શકતા નથી, તે તેની પાસે શી વાત કરવી ? રાજ્યના સુખમાં પ્રમાદી થયેલા હે નાથ! ત્રણ લોકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીરભગવંત આ શહેરમાં વસે છે, તે તમે જાણો છો ? તેઓ કોઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે, તે તમે જાણો છો? મને, તમને અને આપણા અમાત્યને ધિકકાર છે, કે જ્યાં શ્રી વિરપ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસો સુધી ભિક્ષા વગર રહ્યા છે.” રાજાએ કહ્યું, “હે શુભાશયે ! હે ધર્મચરે ! તમને સાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ ગ્ય વખતે આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાત:કાળે તેમને પારણું કરાવીશ” આ પ્રમાણે કહી રાજાએ તત્કાળ મંત્રીને બોલાવ્યું, અને કહ્યું કે “હે ભદ્ર! મારી નગરીમાં શ્રી વીરપ્રભુ ચાર માસ થયા ભિક્ષા વગર રહ્યા છે, તેથી આપણને ધિક્કાર છે ! માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે, કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારી શુદ્ધતાને માટે પારાણું કરાવું.” મંત્રી બે -બહે મહારાજ ! તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથી જ ખેદ પામું છું, માટે તેને કેઈ ઉપાય રચવે જોઈએ.” પછી રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્યકંદી નામના ઉપાધ્યાયને બેલાવીને કહ્યું કે, “હે મહામતિ ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલા છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અમિડની વાત કહે.” ઉપાધ્યાય બેલ્યા કે, “હું રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદથી ઘણું અભિગ્રહે કહેલા છે. આ ભગવંતે જે અભિગ્રહ લીધેલ છે, તે વિશિષ્ટ જ્ઞાન વગર કદી પણ જાણી શકાશે નહી.' ,
Page #82
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું પછી રાજાએ નગરીમાં આઘોષણા કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીરપ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લોકોએ અનેક પ્રકારની ભિક્ષા આપવી.” રાજાની આજ્ઞાથી અને શ્રદ્ધાથી સર્વ લોકેએ તેમ કર્યું, તથાપિ અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કોઈ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહીં. આ પ્રમાણે ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા પ્રભુ અમ્લાન મુખે રહેતા હતા અને લોકો દિવસે દિવસે લજજા અને ખેદથી વિશેષ આકુળવ્યાકુળ થઈ તેમને જોયા કરતા હતા. - આ અરસામાં શતાનિક રાજાએ સૈન્ય સાથે વંટેળીઆની જેમ વેગથી એક રાત્રિમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાશી ગયો. “અતિ બળવાન પુરૂષથી રૂંધાયેલા મનુષ્યને પલાયન સિવાય બીજો કોઈ સ્વરક્ષણને ઉપાય નથી.” પછી શતાનિક રાજાએ “આ નગરીમાંથી જે લેવાય તે લઈ લેવું.' એવી પિતાના સૈન્યમાં આઘોષણા કરાવી, એટલે તેના સુભટોએ ચંપાનગરીને સ્વેચ્છાએ લુંટવા માંડી. દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને તેની વસુમતી નામની પુત્રી સહિત કઈ ઊંટવાળા હરી ગયે. શત્રુરૂપ કુમુદમાં સૂર્ય જે શતાનીક રાજા કૃતાર્થ થઈ સન્યના પરિવાર સાથે કૌશાંબી નગરીએ પાછો આવ્યો. ધારિણી દેવીના રૂપથી મેહ પામેલા ઉંટવાળા સુભટે લોકોની આગળ ઉંચે સ્વરે કહેવા માંડયું કે, આ જે પ્રૌઢા રૂપવતી સ્ત્રી છે તે મારી સ્ત્રી થશે અને આ કન્યાને કૌશાંબીના ચૌટામાં જઈને વેચી દઈશ.” તે સાંભળી ધારિણું દેવીએ મનમાં વિચાર્યું કે, હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું, વળી મહાન વંશમાં ઉત્પન્ન થયેલા દધિવાહન રાજાની પત્ની છું અને જૈન ધર્મ મને પરિણમેલ છે. તે આવા અક્ષરો સાંભળ્યા છતાં પણ હું પાપનું ભાજન થઈને હજુ છવું છું, તેથી મને ધિકકાર છે ! અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું ? તું તારી મેળે નહી નીકળે તે માળામાંથી પક્ષીને કાઢે તેમ હું તને બળાત્યારે કાઢીશ.” આ પ્રમાણેના તિરસ્કારથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ ખેદથી ફુટી ગયેલા તેના હદયમાંથી તેના પ્રાણ ક્ષણવારમાં નીકળી ગયા. તેને મૃત્યુ પામેલી જોઈ ઉંટવાળા સુભટે ખેદ કર્યો કે, “આવી સતી સ્ત્રીને માટે મેં કહ્યું કે, “આ મારી પત્ની થશે તે મેં ખરાબ કર્યું, મને ધિક્કાર છે ! આંગળીથી બતાવતાં કુષ્માંડફલ (કેળા)ની જેમ મારી દુષ્ટ વાણીથી આ સતી જેમ મૃત્યુ પામી તેમ કદી આ કન્યા પણ મૃત્યુ પામશે, માટે હવે તેને ખેદ ઉપજાવ નહીં.” આવો વિચાર કરીને તે રાજકન્યાને મીઠે વચને બેલવો તે કૌશાંબી નગરીમાં લાવ્યો. અને તેને રાજમાર્ગમાં વેચવાને ઉભી કરી. દેવગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યો. તે વસુમતીને જોઈને વિચારમાં પડયો કે “આની આકૃતિ જોતાં આ કઈ સામાન્ય મનુષ્યની પુત્રી જણાતી નથી, પણ ચૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે તેમ માતાપિતાથી વિખૂટી પડેલી આ કન્યા આ નિર્દય માણસના હાથમાં આવી જણાય છે, તેણે અહીં મૂલ્ય લઈને વેચવા મૂકી છે. તેથી આ બીચારી જરૂર કેઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે, માટે આ માણસને ઘણું દ્રવ્ય આપીને હું જ આ કૃપાપાત્ર કન્યાને ખરીદું; પિતાની પુત્રીની જેમ હું તેની ઉપેક્ષા કરવાને અશક્ત છે કોઈ પણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દેવગે આ બાળાને તેના સ્વજન વર્ગને સંયોગ પણ થઈ જશે.” આ પ્રમાણે વિચારી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી ધનાવહ શેઠ અનુકંપાથી તે બાળાને પિતાને ઘેર લઈ ગયે. તેણે સ્વચ્છ બુદ્ધિએ પૂછ્યું કે “હે વત્સ ! તુ કોની કન્યા છું, અને તારો સ્વજનવગ કોણ છે તે કહે, ભય પામીશ નહીં, તુ મારી પુત્રીજ છું.' તે પોતાના કુળની અતિ મહત્તા હોવાથી કાંઈ
Page #83
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થે
કહી શકી નહીં, તેથી કાંઈ પણ ન બોલતાં સાયંકાળે કમલિની રહે તેમ અધમુખ કરીને ઊભી રહી. પછી શેઠે પિતાની મૂલા શેઠાણીને કહ્યું કે, પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે, તેનું અતિ યત્નથી પુષ્પની જેમ લાલનપાલન કરવું.” આવાં શ્રેષ્ટિનાં વચનથી તે બાળા ત્યાં પિતાના ઘરની જેમ રહી અને બાળચંદ્રની લેખાની જેમ સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણીને ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રજિત થયેલા પ્રષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના એવું નામ આપ્યું.
અનુક્રમે કરભ જેવા ઉરૂવાળી તે બાળ યૌવનવયને પ્રાપ્ત થઈ. તે સમયે સમુદ્રને જેમ પૂર્ણિમાની રાત્રિ હર્ષ આપે તેમ તે પ્રેષ્ટિને હર્ષ આપવા લાગી. સ્વભાવથી જ રૂપવતી છતાં યૌવન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચંદનાને જોઈને મૂલા શેઠાણી મનમાં ઈર્ષા લાવી આ પ્રમાણે વિચારવા લાગી કે, “શ્રેષ્ઠિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે તે હું જીવતી મુવા જેવી થઉં.” આ પ્રમાણે સ્ત્રીપણાને છાજતા તુચ્છ હૃદયને લીધે તે મૂલા ત્યારથી રાત્રિ દિવસ ઉદાસ રહેવા લાગી. એક વખતે શેઠ ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે દેવગે કેાઈ સેવક તેના પગને ધેન હાજર ન હતો, તેથી અતિ વિનીત ચંદના ઉભી થઈ અને શેઠે વારી તે પણ તે પિતૃભક્તિથી શેઠના પગ ધેવા પ્રવર્તે. તે વખતે તેણીને સિનગ્ધ શ્યામ અને કોમળ કેશપાશ અંગની શિથિલતાથી છુટી જઈને જલપંકિત ભૂમિમાં પડ્યા; એટલે “આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઉંચે કર્યો અને પછી આદરથી બાંધી લીધે. ગેખ ઉપર રહેલી મૂલાએ તે જેયું, એટલે તેને વિચાર આવ્યો કે મેં પ્રથમ જે તર્ક કર્યો હતો, તે બરાબર મળતે આવે છે, આ યુવાન સ્ત્રીને કેશપાશ શેઠે પિતાની મેળે બાંધે, તે તેના પત્નીપનું પ્રથમ ચિન્હ સૂચવે છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હોતું નથી, માટે હવે એ બાળાને વ્યાધિની જેમ મૂળમાંથી જ ઉછેદ કર. આ નિશ્ચય કરી એ દુરા શા ડાકણની જેમ તેવા વખતની રાહ જોવા લાગી. શેઠ ક્ષણવાર વિશ્રામ કરીને ફરીથી બહાર ગયા એટલે મૂલાએ એક નાપિતને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી કોધરૂ૫ રાક્ષસને વશ થયેલી મૂલાએ લતાને હાથિણીની જેમ ચંદનાને ઘણું તાડન કર્યું. પછી ઘરના એક દૂરના વિભાગ (ઓરડા) માં ચંદનાને પૂરી કમાડ બંધ કરીને મૂલાએ પિતાના પરિવારને કહ્યું કે, શ્રેષ્ટિ આ વિષે કાંઈ પૂછે તે કોઈએ કોઈ પણું કહેવું નહીં, તે છતાં જે કહેશે તે મારા કપરૂપ અગ્નિમાં આતિરૂપ થશે.” આવી રીતે નિયંત્રણ કરી મૂલા પિતાને પિયર જતી રહી. સાયંકાળે શેઠે આવીને પૂછયું કે, “ચંદના ક્યાં છે?” એટલે મૂલાના ભયથી કેઈએ ઉત્તર આપ્યો નહીં. શેઠે વિચાર્યું કે, “મારી વત્સા ચંદના કાંઈ રમતી હશે અથવા ઘરની ઉપર હશે.” એવી રીતે પાછું રાત્રે પૂછયું, પણ કેઈએ કાંઈ કહ્યું નહીં, એટલે સરલ બુદ્ધિવાળા શેઠે ધાર્યું કે, “ચંદના સુઈ ગઈ હશે.” એવી રીતે બીજે દિવસે પણ જોઈ નહીં, તેમ જ ત્રીજે દિવસે પણ જોઈ નહી, એટલે શંકા અને કેપથી આકુળવ્યાકુળ થયેલા શેઠે પરિજનને પૂછયું, “અરે સેવકો ! કહો, મારી પુત્રી ચંદના ક્યાં છે ? જે તમે જાણતાં છતાં નહીં કહે, તે હું તમારે સર્વને નિગ્રહ કરીશ.” આ સાંભળી કઈ વૃદ્ધ દાસીએ ચિંતવ્યું કે, “હું ઘણા વર્ષ સુધી જીવી છું, હવે મારું મૃત્યુ પણ નજીક છે, માટે કદિ જે હું ચંદનાનું વૃત્તાંત કહીશ તે મૂલા મને શું કરી શકશે.” આવો વિચાર કરીને તેણે મૂલા અને ચંદનાની બધી
૧ સેવક વિગેરેને.
Page #84
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
વાર્તા શેઠને કહી સભળાવી. પછી તે વૃદ્ધાએ જઇને જ્યાં ચંદનાને પૂરી હતી, તે ઘર શેઠને બતાવ્યું, એટલે ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં ચારે ખેંચેલી લતાની જેવી ક્ષુધા તૃષાથી પીડિત; નવી પકડેલી હાથિણીની જેમ એડીથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુ`ડિત કરેલી અને જેના નેત્રકમળ અશ્રુથી પૂતિ છે એવી ચંદનાને ધનાવહ શેઠે અવલેાકી. શેઠે તેને કહ્યું કે, વત્સે ! તુ સ્વસ્થ થા’એમ કહી નેત્રમાંથી અશ્રુ પાડતા શેઠ તેને ભેાજન કરાવવાને માટે રસવતી લેવા સારૂ ઉતાવળા રસોડામાં ગયા, પણ દૈવયેાગે ત્યાં કાંઈ પણ અવશેષ ભાજન જોવામાં આળ્યું નહીં, તેથી સુપડાના ખૂણામાં પડેલાં કુમાષ તેણે ચંદનાને આપ્યા; અને કહ્યુ હે વત્સે ! હું તારી બેડી તોડવાને માટે લુહારને લાવી લાવુ છુ, ત્યાં સુધી તું આ કુમાષનુ ભાજન કર’આ પ્રમાણે કહી શેઠ બહાર ગયા, એટલે ચંદ્રના ઊભી ઊભી વિચાર કરવા લાગી કે, અહા ! મારા રાજકુળમાં જન્મ કથાં અને આ વખતે આવી સ્થિતિ કાં? આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વસ્તુમાત્ર અન્યથા થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહા ! હવે હું શું તેના પ્રતિકાર કરૂ ? આજે અદ્ભૂમને પારણે આ કુમાષ મળ્યા છે, પણ જો કોઈ અતિથિ આવે તેા તેને આપાને પછી હું જમ્મુ, અન્યથા જમીશ નહીં.' આવા વિચાર કરીને તેણે દ્વાર ઉપર દૃષ્ટિ નાખી, તેવામાં તે શ્રી વીરપ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. તેમને જોઈ ને અહો કેવુ શુભ પાત્ર ! અહો કેવુ' ઉત્તમ પાત્ર ! અહા મારા પુણ્યના સચય કેવા ! કે જેથી આ કોઈ મહાત્મા ભિક્ષાને માટે અહીં' અચાનક પ્રાપ્ત થયા.’ આ પ્રમાણે ચિંતવીને તે ખાળા કુમાષવાળુ સુપડું હથમાં લઇ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. એડીને લીધે ઉમરા ઉલ્લઘવાને અશક્ત એવી તે ખાળા ત્યાં રહી છતી આર્દ્ર હૃદયવાળી ભક્તિથી ભગવત પ્રત્યે બેલી-હે પ્રભુ ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકારમાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારાપ૬ અનુગ્રહ કરો.' દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલા જાણી, પ્રભુએ તે કુમાષની ભિક્ષા લેવાને માટે પેાતાના કર પ્રસાર્યા.૧ તે વખતે ‘અહા ! મને ધન્ય છે” એમ ધ્યાન ધરતી ચંદનાએ સુપડાના એક ખુણાવડે તે કુમાષ પ્રભુના હાથમાં નાખ્યા. પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતા પ્રસન્ન થઈ ને ત્યાં આવ્યા, અને તેઓએ વસુધરા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. તત્કાળ ચંદનાની બેડીઓ તુટી ગઈ, તેને ઠેકાણે સુવર્ણના નૂપુર થઇ ગયા, અને કેશપાશ પૂર્વ ની જેમ સુશેાભિત થઇ ગયા. શ્રી વીરપ્રભુના ભક્ત દેવતાઓએ તત્કાળ ચંદનાને સર્વ અ'ગમાં વસ્ત્રાલ કારથી શોભિત કરી દીધી. પછી દેવતાએ પૃથ્વી અને અંતરીક્ષના ઉદરને પૂરે તેવા ઉત્કૃષ્ટ નાદ કરી સૂત્રધારની જેમ હર્ષ પામતા ગીત નૃત્યાદિક કરવા લાગ્યા, દુંદુભિના ધ્વનિ સાંભળી મૃગાવતી અને શતાનિક રાજા તથા સુગુપ્ત મંત્રી અને ના મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શક્રઇંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વાંઢવા માટે મનમાં હર્ષ પામતા પામતા વેગથી ત્યાં આવ્યા. દધિવાહન રાજાના સ‘પુલ નામે એક કંચુકી હતા, તેને જ્યારે ચંપાનગરીને લુંટી ત્યારે ત્યાંથી શતાનિક રાજા પકડી લાવ્યા હતા, તેને આ વખતે જ છેાડી મૂકતાં તે પણ ત્યાં આવ્યેા; એટલે પેાતાના રાજાની પુત્રી વસુમતીને જોઇને તેના પગમાં પડયો અને છુટે કંઠે દન કરવા લાગ્યા, તેથી તે માળાને
૧ આ વખતે ચ'દનાના નેત્રમાં આંસુ નહોતા, તેથી અભિમની અપૂર્ણતા જાણી પાછા વળ્યા; એટલે ચંદનાને પારાવાર ખેદ થતાં તેની આંખમાં આંસુ આવ્યા. પ્રભુ અભિષ પૂર્ણ થયેલ નણી પાછા વળ્યા ને દાન લીધું. આમ અન્યત્ર કથન છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સ` ૪ થા
પશુ રૂદન આવ્યું. ‘શતાનિક રાજાએ તેને પૂછ્યું કે, ‘તું કેમ રૂએ છે ?' ત્યારે તે ક'ચુકી અશ્રુધાર સહિત ખેલ્યા કે, ‘મહારાજ! દધિવાહન રાજાની ધારિણી રાણીની આ પુત્રી છે. અહા ! તેવા ઉત્કૃષ્ટ વૈભવથી ભ્રષ્ટ થઇને માતાપિતા વગરની આ ખાળા બીજાને ઘેર દાસીવત્ રહે છે, તે જોઇને મને રૂદન આવે છે.’ રાજાએ કહ્યું કે, ‘હે ભદ્ર! આ કુમારી શેક કરવા ગ્ય નથી, કારણ કે તેણે ત્રણ જગતનુ રક્ષણ કરવામાં શૂરવીર એવા વીરપ્રભુને અભિગ્રહ પૂર્ણ કરીને પ્રતિલાભિત કર્યા છે.' તે વખતે મૃગાવતી એલી કે, અરે ! ધારિણી તેા મારે બહેન થાય છે, તેની આ દુહિતા છે, તેા તે મારી પણ દુહિતા છે. પછી છ માસમાં પાંચ દિવસ ઓછા રહેતાં તપનુ` પારણું કરીને તે ધનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા.
७०
પ્રભુના ગયા પછી લાભની પ્રબળતાથી શતાનિક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઇચ્છા કરી; એટલે સૌધમ પતિએ શતાનિક રાજાને કહ્યું કે, હે રાજન! તમે આ રત્નવૃષ્ટિ લેવાની ઇચ્છા કરી છે, પણ આ દ્રવ્ય ઉપર તમારા સ્વામીભાવ નથી, તેથી આ કન્યા જેને આપે, તે આ દ્રવ્ય લઈ શકે.' રાજાએ ચંદનાને પૂછ્યું કે-ચંદના ! આ દ્રવ્ય કાણુ લે ?” ચંદના એલી કે, ‘આ ધનાવહ શેઠ ગ્રહણ કરે, કારણ કે તે મારૂં પાલન કરવાથી મારા પિતા છે.' પછી ધનાવહ શેઠે તે વસુધારાનુ દ્રવ્ય ગ્રહણ કર્યું.... પછી ઇંદ્રે ફરીવાર શતાનિક રાજાને કહ્યું કે, આ બાળા ચરમદેહી છે અને ભાગતૃણાથી વિમુખ છે, તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે; માટે જ્યાં સુધી પ્રભુને કેવળજ્ઞાન ઉપજે, ત્યાં સુધી તમારે તેનું રક્ષણ કરવુ.' આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇંદ્ર દેવલાકમાં ગયા. રાજા શતાનિકે ચંદનાને પેાતાને ત્યાં લઈ જઈ કન્યા એના અંતઃપુરમાં રાખી. ચંદના પણ પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાનુ ધ્યાન કરતી છતી ત્યાં રહી. પેલી મૂલા શેઠાણી જે અનનુ' મૂળ હતી, તેને ધનાવહ શેઠે કાઢી મૂકી, તે દુર્ધ્યાન કરતી મૃત્યુ પામીને નરકે ગઈ.
પ્રભુ ત્યાંથી વિહાર કરી પ્રાત:કાળે સુમગળ ગામે આવ્યા. ત્યાં સનકુમાર ઇંકે આવી પ્રભુને વંદના કરી. ત્યાંથી પ્રભુ સક્ષેત્ર નામના ગામે આવ્યા, ત્યાં માહેદ્ર કલ્પના ઈંદ્રે આવી ભક્તિથી પ્રણામ કર્યાં, ત્યાંથી પ્રભુ પાલક ગામે ગયા. ત્યાં ભાયલ નામે કેાઈ વણિક યાત્રા કરવા જતા હતા, તેણે પ્રભુને આવતા જોયા. એટલે ‘આ ભિક્ષુકના અપશુકન થયા માટે તેના મસ્તક પર ખડૂગના પ્રહાર કરૂં. આમ વિચારી ખડ્ગ ઉઘાડીને તે પ્રભુને મારવા દોડયો. તે વખતે સિદ્ધાર્થ વ્યતરે આવી તે ખગવડે તેનું જ મસ્તક છેદાવી નાખ્યું.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચપાનગરીએ આવ્યા. ત્યાં સ્વાદિદત્ત નામના કોઈ બ્રાહ્મણની અગ્નિહેાત્રની શાળામાં પ્રભુ ચારે માસના ઉપવાસ કરીને બારમુ' ચામાસુ` રહ્યા. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે એ મહદ્ધિક યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા કરતા હતા. તે જોઇ સ્વાદિદત્તે વિચાર્યું કે, ‘આ દેવાય શુ કાંઈ જાણતા હશે કે જેથી પ્રત્યેક રાત્રિએ તેમની પાસે આવીને દેવતાએ પૂજે છે.' આ પ્રમાણે ચિંતવી જિજ્ઞાસુ થઇને સ્વાદિદત્ત પ્રભુ પાસે આવ્યા અને પૂછ્યું' કે, ‘દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં જીવ કયા કહેવાય !' પ્રભુ બેલ્યા કે, ‘દેહમાં રહ્યો છતા જે માઁ (હું) એમ માને છે તે જીવ છે.” સ્વાદિવ્રુત્ત કહ્યું, “તે શી રીતે સમજવા ?” ભગવંત ખેલ્યાહૈ દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવેા છે, તેનાથી તે જુદો છે અને સૂક્ષ્મ છે.' સ્વાદિરો પૂછ્યું કે, તે સૂક્ષ્મ છે પણ કયાં છે ? તે બરાબર સ્પષ્ટ કહી બતાવા.' પ્રભુ
Page #86
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
(૭૧
બોલ્યા કે, તે ઈદ્રિઓથી ગ્રહણ થતું નથી.” આવા પ્રશ્નોત્તરથી તે બ્રાહ્મણે પ્રભુને તત્ત્વવેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણીને પ્રતિબોધ કર્યો. તે ચોમાસું વીત્યા પછી પ્રભુ જાંભક ગામે આવ્યા. ત્યાં ઈદ્ર નાવિધિ બતાવીને બોલ્યા કે, “હે જગદ્દગુરૂહવે થોડા દિવસ પછી આપને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇદ્ર સ્વર્ગે ગયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેઢક ગામે આવ્યા. ત્યાં અમરેદ્ર આવી પ્રભુને વંદન કરી, અને સુખવિહાર પૂછીને પોતાને સ્થાનકે ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પગમાનિ ગામે ગયા, ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનપરાયણ થઈને ગામની બહાર રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યા પાળકના કાનમાં તપાવેલું સીસ રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદય આવ્યું. તે શવ્યાપાળકનો જીવ અહીં ગોવાળ થયે હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાયે દેવા માટે ગયે. તે બળદ વેચ્છાએ ચરતા ચરતા કઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. ક્ષણવારે ગોવાળ પાછો આવ્યું. ત્યાં બળદને જોયા નહીં. એટલે તેણે પ્રભુને કહ્યું કે, “અરે અધમ દેવાર્ય ! મારા બળદે ક્યાં ગયા ? તું કેમ બોલતે નથી? શું મારાં વચન સાંભળતું નથી ? આ તારા કાનના છિદ્ર શું ફેગટનાજ છે? આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ ધરી પ્રભુના બંને કર્ણરઘમાં કાગડાની સળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ છે. જાણે તે અખંડ એકજ શળી હોય તેમ દેખાવા લાગી. પછી આ બે ખીલાને કેઈ કાઢી શકે નહીં, એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેને બહાર દેખાતે ભાગ ભેદીને ચાલ્યા ગયે. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્યવડે શુભ ધ્યાનથી જરા પણ કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણાને માટે પ્રભુ સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત કર્યા ત્યાં તે સિદ્ધાર્થને એક ખરક નામે પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ આવેલ બેઠે હતો, તે સૂક્ષ્મ બદ્રિવાન હોવાથી પ્રભને જોઈ વિચાર કરીને બોલ્યો કે, “અહો આ ભગવતની મત્તિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા ગ્લાનિભૂત જણાય છે તેથી શલ્યવતી હોય તેમ લાગે છે.” સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું, ‘એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?” પછી તે વૈદ્ય પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી તે બંને કાનમાં ખીલા નાખેલા જોયા, એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થ છે કે, “અરે! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે. પરંતુ હે મહામતિ મિત્ર ! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી, હવે તે પ્રભુના શરીરમાંથી શલ્યને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર. આ શલ્ય તો પ્રભુના કાનમાં છે, પણ પીડા મને ઘણું થાય છે, તેથી આ વિષે હું જરા પણ વિલંબ સહન કરી શકતો નથી, મારું સર્વસ્વ ભલે નાશ પામે પણ જો આ જગત્પતિના કાનમાંથી કોઈ પણ રીતે શલ્યને ઉદ્ધાર થાય તો આપણે બંનેને આ ભવસાગરમાંથી ઉદ્ધાર થયે એમ હું માનું છું.” વૈદ બે -“આ પ્રભુ છે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવામાં સમર્થ છે, પણ કમને ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરી છે, તેવા આ પ્રભુ કે જે પિતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેની મારાથી શી રીતે ચિકીત્સા થાય? કેમકે તેઓ કર્મની નિર્જરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.” સિદ્ધાર્થ બોલે મિત્ર ! આવી વચનની યુક્તિ આ વખત શા માટે કરે છે? આ વાત કરવાનો સમય નથી, માટે સત્વર આ ભગવંતની ચિકીત્સા કર. તેઓ બંને આ પ્રમાણે વાત કરે છે તેવામાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
સગ ૪ શો
તો શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાનમાં પરાયણ થયા. પછી સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા, તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું, અને બળવાન ચંપી કરનારા માણસની પાસે મર્દન કરાવ્યું. તે બળીષ્ટ પુરૂષોએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાંખ્યા. પછી તેમણે બે સાણસી લઈ પ્રભુના બંને કાનમાંથી બંને ખીલા એક સાથે બેંગ્યા; એટલે રૂધિર સહિત તે બંને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા. તે ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે તે વખતે હાથી હણાયેલા પર્વતની જેમ પ્રભુએ મોટી ભયંકર ચીસ પાડી. પ્રભુના માહામ્યવડેજ તે ચીસના નાદથી પૃથ્વી કુટી ગઈ નહીં. “અહંત પ્રભુ વિપત્તિમાં પણ બીજાને ઉપદ્રવકારી થતા નથી.” પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી, ખમાવી તેમજ નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પોતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે પ્રભુને વેદના કરતાં છતાં પણ દેવસંબંધી લક્ષ્મીને ભોગવનારા થયા. પેલે દુરાશય ગોવાળ પ્રભુને વેદના કરી મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે. પ્રભુના ભૈરવ (ભયંકર) નાદથી તે ઉદ્યાન મહાભૈરવ નામથી પ્રખ્યાત થયું, અને ત્યાં લોકેએ એક દેવાલય કરાવ્યું.
આ પ્રમાણે શ્રી વીરપ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતનો ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક્ર મૂકયું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી ખીલાને ઉદ્ધાર કર્યો તે ઉત્કૃષ્ટ, એવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગવાળથી થઈ; અર્થાત્ આ ખીલાને ઉપસર્ગ છેલ્લો થયા. - પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણુ, છ દ્વિમાસિક, બાર માસિક,
તેર અદ્ધમાસિક, એક ષમાસિક, બે ત્રિમાસિક, બે દઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ (ઉપવાસ), બાર અષ્ટમભક્ત, છેલ્લી રાત્રે કાર્યોત્સર્ગ યુક્ત એક રાત્રિની બાર પ્રતિમાઓ, અને બસ એગણત્રીશ છએટલી થઈ અને ત્રણસે ને ઓગણપચાસ પારણુ થયા. આ પ્રમાણે વ્રત લીધું તે દિવસથી માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડીઆમાં તપસ્યાઓ થઈ. તેમણે નિત્યભક્ત કે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરેલ જ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા, ઉપસર્ગોને જીતતા અને છસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ સજુવાલિકા નામની મોટી નદીવાળી જભક નામના ગામ પાસે આવ્યા.
g8888888888888888888888888888888888@
॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर द्वितीय साग्रषडवार्षिक
જીવવિહાર વો નામ ચતુર્થ સ A8% 888888888888888888888888888888888 ૧. ભદ્ર,મહાભદ્ર, સર્વતોભદ્ર - બે, ચાર ને દશ દિવસની.
Page #88
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મો
શ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને ચતુર્વિધ સંઘની સ્થાપના. જભક ગામની બહાર જુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર સામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત-અસ્પષ્ટ રહેલા ચૈત્યની નજીક શાળતરૂની નીચે પ્રભુ છ તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરંવા લાગ્યા. ત્યાં વિજય મુહૂ શુકલધ્યાનમાં વર્તતા અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુના ચાર ઘાતિ કર્મ જીણું દેરીની જેમ તત્કાળ તૂટી ગયા. તેથી વૈશાખ માસની શુકલ દશમીએ ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવ્યું છતે દિવસને ચોથે પહોરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઈદ્રો આસનકંપથી પ્રભુના કેવલજ્ઞાનને જાણીને દેવતાઓની સાથે હર્ષ પામતા ત્યાં આવ્યા. તે અવસરે કઈ દેવતા કુદવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, કેઈ હસવા લાગ્યા, કઈ ગાવા લાગ્યા, કેઈ સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા, કેઈ અધની જેમ હેકારવ કરવા લાગ્યા, કેઈ હસ્તીની જેમ નાદ કરવા લાગ્યા. કઈ રથની જેમ ચીત્કાર કરવા લાગ્યા અને કેઈ સર્ષની જેમ ફેંફાડા મારવા લાગ્યા, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓ બીજી પણ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. પછી દેવતાઓએ ત્રણ કિલ્લાવાળું અને પ્રત્યેક કિલે ચાર ચાર દ્વારવાળું સમોસરણ રચ્યું. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વિગેરે) સર્વવિરતિને યોગ્ય નથી.” એવું જાણતાં છતાં પણ પ્રભુએ પિતાનો ક૫ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તેમના તીર્થમાં હાથીના વાહનવાળે, કૃષ્ણવણી, વામ ભુજામાં બીરૂ અને દક્ષિણ ભુજામાં નકુલને ધારણ કરતો, માતંગ નામે યક્ષ અને સિંહના આસનવાળી, નીલવણું, બે વામ ભુજામાં બીજેરૂ અને વીણા તથા બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને અભયને ધારણ કરતી સિદ્ધાયિકા નામે દેવી-એ બંને નિત્ય પ્રભુની પાસે રહેનારા શાસનદેવતા થયા. તે સમયે ત્યાં ઉપકારને યેગ્ય એવા લોકોના બીલકુલ અભાવથી પરોપકારમાં તત્પર અને જેમનું પ્રેમબંધન ક્ષીણ થયેલું છે એવા પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
પછી મારે તીર્થકર નામ ગેત્ર નામનું મોટું કર્મ જે દવાનું છે તે ભવ્ય જતુને પ્રતિબોધ દેવાવડે અનુભવવું એગ્ય છે” એમ વિચારીને અસંખ્ય કેટી દેવતાઓથી પરવરેલા, અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા પ્રભુ દિવસની જેમ દેવતાના ઉદ્યોતથી રાત્રે પણ પ્રકાશ કરતા છતા બાર યેજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકત અને યજ્ઞને માટે મળેલા પ્રબોધને લાયક ગૌતમાદિક ઘણું શિષ્યોએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું. પછી જેમને સર્વ અતિશય પ્રાપ્ત થયા છે એવા અને સુર અસુરોથી સ્તવાતા એવા પ્રભુએ પૂર્વ દ્વારવડે તે સમવસરણમાં પ્રવેશ કર્યો. બત્રીશ ધનુષ ઊંચા રત્નના પ્રતિરછંદ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” - ૧. તીર્થંકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કેઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ ગઈ એ આશ્ચર્ય સમજવું.
૧૦ :
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪
સ ૫ મા
એમ કહી, આહુતી મર્યાદાને પાળી, પ્રભુ પાદીઠ યુક્ત પૂર્વ સિ`હાસન ઉપર બેઠા. ભક્તિવાળા દેવતાઓએ પ્રભુના મહિમાથી જ બીજી ત્રણે દિશાએમાં પ્રભુના પ્રતિરૂપ કર્યા. તે અવસરે સર્વ દેવતાઓ તથા મનુષ્ય વિંગેરે ચાગ્ય દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુના વદનને નિરખતાં પેાતાતાને ચાગ્ય સ્થાને બેઠા. પછી ઇંદ્રે ભક્તિથી શમાંચિત શરીરે પ્રભુને નમી અંજલિ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરી.
હે પ્રભુ ! લાવણ્યથી પવિત્ર શરીરવાળા અને નેત્રને અમૃતાંજન રૂપ એવા તમારે વિષે મધ્યસ્થપણું રાખવું તે પણ દોષને માટે છે તા દ્વેષ રાખવાની તે વાર્તા જ શી કરવી? કાપાદિકથી ઉપદ્રવ પામેલાએ (ક્રેાધી વિગેરે) તે પણ તમારા પ્રતિપક્ષી છે’ એવી લેાકવાર્તા શુ વિવેકી લાકો કરે છે ? અર્થાત્ નથી કરતા. તમે વિરક્ત છે તેથી જો રાગવાન્ તમારા વિપક્ષી હોય તો તે વિપક્ષ જ નથી; કેમ કે સૂર્યના વિપક્ષી શું ખજુએ હોઇ શકે ? લવસત્તમ (અનુત્તરવાસી)દેવતાએ પણ તમારા યાગને ઇચ્છતા છતાં તેને પામતા નથી તા ચાગમુદ્રા વિનાના બીજાઓની તા વાર્તા જ શી કરવી ? હે સ્વામી ! અમે તમારા જેવા નાથના શરણને જ અંગીકાર કરીએ છીએ, તમને જ સ્તવીએ છીએ અને તમારી જ ઉપા સના કરીએ છીએ. તમારા સિવાય બીજો કેાઈ ત્રાતા નથી, તેથી કયાં જઈ ને કહીએ અને શું કરીએ ? પેાતાના આચારવડે જ મલીન અને પરને છેતરવામાં જ તત્પર એવા બીજા દેવાથી આ જગત ઠગાય છે, અહા ! તેના પાકાર કેાની આગળ કરીએ ? નિત્યમુક્ત કહેવરાવનારા, છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવામાં ઉદ્યત થનારા અને તેથી જ વધ્યા સ્ત્રીના બાળક જેવા દેવાના કર્યા સચેત પુરૂષ આશ્રય કરે ? હે દેવ ! બીજા કેટલાક મૂઢ પુરૂષો ઉત્તરપૂર્તિ કરનારા અને વિષયે દ્રિયાવડે દુરાચાર કરનારા દેવતાએથી તમારા જેવા દેવાધિદેવના નિન્હેવ કરે છે, તે કેવા ખેદની વાત ? અહા ! કેટલાક ઘરમાં રહીને ગજના કરનારા મિથ્યાત્વીએ આ બધુ આકાશપુષ્પવત્ છે એવી ઉત્પ્રેક્ષા કરીને અને તેનું કાંઈક પ્રમાણ કલ્પીને દેહ અને ગેહમાં આનંદ માનતા રહે છે. કામરાગ અને સ્નેહરાગનુ નિવારણુ કરવુ તે તા સહેજે ખની શકે તેવુ' છે, પણ દૃષ્ટિરાગ તા એવા અતિ પાપી છે કે જે સત્પુરૂષોને પણ ઉચ્છેદન કરવા મુશ્કેલ પડે છે. હે નાથ ! પ્રસન્ન મુખ, મધ્યસ્થ દૃષ્ટિ અને લોકને પ્રીતિ ઉપજાવનારૂ' વચન-એ બધુ તમારામાં અત્યંત પ્રીતિના સ્થાન રૂપ છતાં મૂઢ લેાકેા વૃથા તમારાથી ઉદાસ રહે છે. કર્દિ વાયુ સ્થિર રહે, પર્વત દ્રવે અને જળ જાજવલ્યમાન થાય, તથાપિ રાગાદિકવડે ગ્રસ્ત થયેલા પુરૂષા કદિ પણ આપ્ત થવાને ચગ્ય નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈંદ્ર વિરામ પામ્યા પછી પ્રભુએ સર્વ ભાષામાં સમજાય તેવી વાણીથી નીચે પ્રમાણે દેશના આપી.
“અહા ! આ સંસાર સમુદ્રની જેવા દારૂણ છે, અને તેનુ કારણ વૃક્ષના બીજની જેમ કર્મ જ છે. પોતાનાજ કરેલા કર્માંથી વિવેક રહિત થયેલા પ્રાણી કુવા ખાદનારની જેમ અધાતિને પામે છે અને શુદ્ધ હૃદયવાળા પુરૂષ પોતાનાજ કથી મહેલ ખાંધનારની જેમ ઉર્ધ્વ ગતિને પામે છે. કર્માંના ખ'ધનુ કારણ એવી પ્રાણીની હિંસા કર્દિ પણ કરવી નહીં. હમેશાં પેાતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવુ. આત્મપીડાની જેમ પર જીવની પીડાને પરિહરવાને ઇચ્છતા પ્રાણીએ અસત્ય નહિ ખેલતાં સત્યજ ખેલવુ. માણસના બહિ:પ્રાણ લેવા જેવુ' અદત્ત દ્રવ્ય કદિ પણ લેવું નહીં, કારણ કે તેનુ દ્રવ્ય હરવાથી તેના વધ કરેલાજ કહેવાય છે. ઘણા જીવાનુ ઉપમન કરનારૂં મૈથુન ક્રિ પણ સેવવુ' નહી.. પ્રજ્ઞ પુરૂષ પરબ્રહ્મ (માક્ષ)ને આપનારૂ' બ્રહ્મચર્ય જ ધારણ કરવું. પરિગ્રહ ધારણ કરવા નહી, ઘણા પરિગ્રહને લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણી વિધુર થઈને
Page #90
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મુ
૭૫
અધોગતિમાં પડે છે. આ પ્રાણાતિપાત વિગેરેના બે ભેદ છે. તેમાંથી સૂક્ષને જે છોડી શકાય નહીં તે પછી સૂક્ષમના ત્યાગમાં અનુરાગી થઈ બાદરને ત્યાગ તે જરૂર કરવો.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી સર્વ લોકે આનંદમાં મગ્ન થઈ ચિત્રવત સ્થિર થઈ ગયા.
એ અરસામાં મગધ દેશમાં આવેલા ગેબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ ગૌતમ ગોત્રી પુત્રો થયા હતા. કલાક ગામમાં ધનુમિત્ર અને ધમ્મિલ નામે બે બ્રાહ્મણ હતા, તેઓને વારૂણી અને ભવિલા નામની સ્ત્રીઓથી વ્યક્ત અને સુધર્મા નામે બે પુત્ર હતા. મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામે બે વિપ્ર હતા, તેઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવી નામની પત્નીથી મંડિક નામે એક પુત્ર થયે હતું. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. ત્યાંના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને મૌર્ય વિજયદેવીની સાથે પરણ્યો. “દેશાચાર લજજાને માટે થતો નથી.” અનુક્રમે મૌર્યથી તે વિજયદેવીને એક પુત્ર થયે તે લોકોમાં મૌર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતો. તેમજ વિમળાપુરીમાં દેવ નામના બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી અકંપિત નામે એક પુત્ર થયો હતો. કોશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીના ઉદરથી અલભ્રાતા નામે એક પુત્ર થયે હતે. વત્સ દેશમાં આવેલા તુગિર નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણા નામની સ્ત્રીથી તૈતર્યા નામે પુત્ર થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્ર થયો હતો. તે અગ્યારે વિપ્રકુમાર ચાર વેદરૂપી સાગરના પારગામી થયા હતા અને ગૌતમાદિક ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યથી પરવારેલા રહેતા હતા. ' અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા તે અગ્યારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. તે સમયે ત્યાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વાંદવાની ઈચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણોને કહ્યું, “આ યજ્ઞનો પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ થઈને અહીં યજ્ઞમાં આવે છે. તે વખતે ચંડાળના ગૃહની જેમ યજ્ઞને વાડો છેડીને દેવતાઓને સમવસરણમાં જતાં જોઈ લોકો કહેવા લાગ્યા...હે નગરજને ! અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે, તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે. “સર્વજ્ઞ” એવા અક્ષરો સાંભળતાં જ જાણે કેઈએ આક્રોશ કર્યો હોય તેમ ઈદ્રભૂતિ કે ૫ કરી પોતાના સ્વજન પ્રત્યે બે -“અરે! ધિક્કાર ! ધિક્કાર! મરૂદેશના માણસો જેમ આંબાને છોડી કેરડા પાસે જાય તેમ આ લો કે મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કઈ બીજે સર્વજ્ઞ છે ? સિંહની આગળ બીજે કઈ પરાક્રમી હોયજ નહીં. કદિ મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તે ભલે જાએ, પણ આ દેવતાઓ કેમ જાય છે? તેથી તે પાખંડીને દંભ કઈ મહાન લાગે છે, પરંતુ જે એ સર્વજ્ઞ હશે તેવાજ આ દેવતાઓ પણ જણાય છે, કેમકે જે યક્ષ હોય તેજ બલિ અપાય છે. હવે આ દે. અને માનવોના દેખતાં હું તેના સર્વપણને ગર્વ હરી લઉં.” આ પ્રમાણે અહંકારથી બાલ ગૌતમ પાંચસે શિષ્યથી પર છતે જ્યાં શ્રી વીરપ્રભુ સુરનથી વીંટાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યું. પ્રભુની સમૃદ્ધિ અને તાદશ તેજ જઈ “આ શું?’
Page #91
--------------------------------------------------------------------------
________________
સગે પગે એમ ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામી ગયે. એવામાં તે “હે ગૌતમ ! ઈદ્રભૂતિ! તમને સ્વાગત છે.' આ પ્રમાણે જગદગુરૂએ અમૃત જેવી મધુર વાણીવડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડ્યો કે, “શું આ મારા ગેત્ર અને નામને પણ જાણે છે? અથવા મારા જેવા જગ~સિદ્ધ માણસને કણ ન જાણે, પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પિતાની જ્ઞાનસંપત્તિવડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે એમ હું માનું.' આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઈદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્ર ! જીવ છે કે નહીં? એ તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણોથી જાણી શકાય છે. જે જીવ ન હોય તો પુણ્ય પાપનું પાત્ર કેણ? અને તારે આ યાગ, દાન વિગેરે કરવાનું નિમિત્ત પણ શું ? આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી તેણે મિથ્યાત્વની સાથે સંદેહને છોડી દીધું અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યો કે, “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને નીચા પુરૂષની જેમ હું દુબુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યા હતા. હે નાથ ! હું દોષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબોધ આપે છે તો હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે. જગદગુરૂ વીરપ્રભુએ તેને પિતાના પહેલા ગણધર થશે, એવું જાણુને પાંચસે શિવે સાથે પિતેજ દીક્ષા આપી.
તે સમયે કુબેરે ચારિત્રધર્મના ઉપકરણે લાવી આપ્યા. નિઃસંગ છતાં તેને ગ્રહણ કરતાં ગૌતમે વિચાર્યું કે, “નિરવદ્ય વ્રતની રક્ષા કરવામાં આ વસ્ત્રપાત્રાદિક ઉપગમાં આવે છે તેથી તે ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણ છે. તે વગર છ પ્રકારના જીવનિકાયની યતન કરવામાં તત્પર એવા છદ્મસ્થ મુનિઓથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી ઉદ્દગમ ઉત્પાદાદિક એષણવડે ગુણવાનું અને શુદ્ધ ઉપગરણે વિવેકી પુરૂષોએ અહિંસાને માટે ગ્રહણ કરવાં જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચર વાની શક્તિવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં મૂઢપણે સમયમાં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લે. જ્ઞાન દર્શનથી રહિત એ જ અભિમાની પુરૂષ, આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેને જ હિંસક જાણ. જે ધર્મના ઉપકરણમાં પરિચહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મૂર્ખનેજ રાજી કરવાને ઈરછે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરે ઘણું જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય ? ઉપકરણો ગ્રહણ કર્યા છતાં પણ જો તે પોતાના આત્માને મન વચન કાયાથી દૂષિત અને અસંતેષી રાખે તો તે કેવળ પોતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ઈદ્રભૂતિએ પાંચસે શિષ્યની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા.
ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે, “તે ઈજાળિકે જરૂર ઈ દ્વભૂતિને છેતરી લીધા જણાય છે, માટે હું ત્યાં જઈ સવજ્ઞ નહિ છતાં પોતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજય કરેલા મારા ભાઈને પાછો લઈ આવું. સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને મોટી બુદ્ધિવાળા ઈદ્રભૂતિને માયા વગર ૧ આહારાદિ કઈ પણ વસ્તુ પ્રહણ કરવા માટે મુનિરાજને ૪ર દોષ રહિત લેવાનું કહેલું છે. તેના ઉગમ ઉપાદાદિ જુદા જુદા ભેદો છે. ૨ સમય-સિધાંત.
Page #92
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ.
७७
જીતવાને કાણુ સમર્થ છે ? કારણ કે માયા રહિત પુરૂષોમાં માયા વિજય મેળવે છે; પરંતુ જો એ માયાવી મારા હૃદયના સંશય જાણીને તેને છેદી નાંખે તો હું પણુ ઈંદ્રભૂતિની જેમ શિષ્યા સહિત તેના શિષ્ય થા.” આવું વિચારી અગ્નિભૂતિ પાંચસા શિષ્યા સહિત સમવસરણમાં ગયા અને જિનેશ્વરની પાસે બેઠો. તેને જોતાંજ પ્રભુ મેલ્યા કે−હે ગૌતમગોત્રી અગ્નિભૂતિ ! તારા હૃદયમાં એવા સંશય છે કે, કમ છે કે નહિ ? અને જો ક હાય તા તે પ્રત્યક્ષાદિ પ્રમાણને અગમ્ય છતાં મૂત્તિમાનૢ છે, એવા કમને અમૂર્ત્તિ માન્ જીવ શી રીતે ખાંધી શકે ? અમૂત્તિ માન્ જીવને મૂત્તિ વાળા કમ થી ઉપઘાત અને અનુગ્રહ શી રીતે થાય ? આવા તારા હૃદયમાં જે સ'શય છે, તે વૃથા છે. કારણ કે અતિશય જ્ઞાની પુરૂષાને કર્મ પ્રત્યક્ષ જ જણાય છે અને તારા જેવા છદ્મસ્થ પુરૂષોને જીવની વિચિત્રતા જોવાથી અનુમાનવડે કર્મ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ દુઃખ વિગેરે વિચિત્ર ભાવા પ્રાપ્ત થયા કરે છે, તેથી કમ છે. એવા તું નિશ્ચય રાખ, કેટલાક જીવ રાજા થાય છે અને કેટલાક હાથી, અશ્વ અને રથના વાહનપણાને પામે છે. તેમ જ કેટલાક તેની પાસે ઉપાનહ વગર પગે ચાલનારા થાય છે. કોઈક હજારો પ્રાણીના ઉદર ભરનારા મહત્વિક પુરૂષા થાય છે અને કોઇ ભિક્ષા માગીને પણ પોતાનુ ઉદર ભરી શકતા નથી. દેશ કાળ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણા લાભ થાય છે અને બીજાની મૂળ મુડીના પણ નાશ થાય છે. આવા કાર્યાનું કારણ તે કર્મ છે; કેમકે કારણ વિના કાય ની વિચિત્રતા થતી નથી. મૂત્તિ માન્ કના અમૂર્તિમાન્ જીવની સાથે જે સંગમ છે તે પણ આકાશ અને ઘડાની જેમ ખરાખર મળતા છે. વળી વિવિધ જાતિના મદ્યથી અને ઔષધાથી અભૂત્ત એવા જીવને પણ ઉપઘાત અને અનુગ્રહ થાય છે, તે પ્રમાણે કર્મોવડે જીવને ઉપઘાત અને અનુગ્રહ થાય છે તે પણ નિર્દેષ છે.” આ પ્રમાણે પ્રભુએ તેના સંશય છેદી નાખ્યા, એટલે અગ્નિભૂતિએ ઈર્ષા છેાડી દઈ ને પાંચસ શિષ્યાની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
અગ્નિભૂતિએ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાયું કે, “જેણે મારા બંને ભાઇઓને જીતી લીધા તે ખરેખરા સર્વજ્ઞ જ હાવા જોઈ એ, માટે તે ભગવંતની પાસે જઇ તેમને વંદના કરીને મારૂં પાપ ધેાઈ નાંખું, તેમજ હું પશુ મારા સંશય છેઢાવી નાંખું'.” આ પ્રમાણે વિચાર કરી વાયુભૂતિ પ્રભુની પાસે આબ્યા અને પ્રણામ કરી બેઠા. તેને જોઈને પ્રભુ માલ્યા કે, “હે વાયુભૂતિ ! તને જીવ અને શરીર વિષે માટો ભ્રમ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણવડે ગ્રહણ થતા ન હેાવાથી જીવ શરીરથી જુદા લાગતા નથી, તેથી જળમાં પરપાટાની જેમ જીવ શરીરમાંથી જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂર્છા પામે છે. આવા તારા આશય છે, પણ તે મિથ્યા છે. કારણ કે સર્વ પ્રાણીઆને એ જીવ દેશથી તા પ્રત્યક્ષ છે, કારણ કે તેના ઇચ્છા વિગેરે ગુણા પ્રત્યક્ષ હોવાથી જીવ સ્વસ'વિદ્દ છે; એટલે કે તેના પેાતાને જ અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇંદ્રિયાથી જુદો છે અને ઇન્દ્રિયા જયારે નાશ પામે છે ત્યારે પણ તે ઈન્દ્રિયાએ પ્રથમ ભાગવેલા અને સભારે છે.” આવી પ્રભુની વાણીથી પોતાના સંશય છેાતાં વાયુભૂતિએ સ'સારથી વિમુખ થઈ પાંચસો શિષ્યાની સાથે દીક્ષા લીધી.
પછી વ્યકતે સ્પષ્ટતાથી વિચાર્યું' કે, ‘ખરેખર એ સજ્ઞ ભગવાન જ છે કે જેણે ત્રણ વેદની જેમ ઇંદ્રભૂતિ વિગેરે ત્રણેને જીતી લીધા છે. એ ભગવંત મારા સંશય પણ જરૂર છેદી નાખશે, અને પછી હું પણ તેમના શિષ્ય થઇશ.' આવા વિચાર કરી વ્યક્ત પ્રભુ પાસે આવ્યા. તેને જોઈ પ્રભુ માલ્યા−હુ વ્યક્ત! તારા ચિત્તમાં એવા સંશય છે કે,
Page #93
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મો પૃથ્વી આદિ પંચ ભૂત છે જ નહીં, તેની જે આ પ્રતીતિ થાય છે, તે ભ્રમથી જલચંદ્રવત્ છે. આ બધું શુન્ય જ છે-આ તારો દઢ આશય છે. પણ તે મિથ્યા છે, કારણ કે જો સવ શૂન્યતાનો પક્ષ લઈએ, તે પછી ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદ થવા જ ઘટે નહીં.” આ પ્રમાણે સાંભળી વ્યક્તિને સંશય છેદાઈ ગયે, તેથી તેણે વ્યક્ત વાસના બતાવીને પાંચસે શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
આ ખબર સાંભળીને ઉપાધ્યાય સુધર્મા પણ પિતાનો સંશય છેદવાની ઈચ્છાથી કાલેકનું સ્વરૂપ જોવામાં સૂર્ય જેવા શ્રી વિરપ્રભુ પાસે આવ્યો. તેને જે પ્રભુએ કહ્યું, “હે સુધર્મા ! તારી બુદ્ધિમાં એ વિચાર વ છે કે, આ જીવ જેવો આ ભવમાં છે, તે જ પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળિબીજ વાવતાં તેમાંથી કાંઈ વાંકુર થતા નથી. પણ આ તારે વિચાર છે અને અઘટિત છે; કેમકે આ સંસારમાં જે મનુષ્ય મૃદુતા અને સરલતાદિકવડે માનુષી આયુષ્ય બાંધે છે તે ફરીને પણ મનુષ્ય થાય છે, પણ જે માયા વિગેરે રચતે અહીં પશુરૂપે રહે છે, તે મનુષ્ય આગામી ભવે પશુ થાય છે. તેથી જીવની પૃથફ પૃથફ ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી “કારણને મળતું જ કાર્ય થાય છે? એમ કહેવું તે પણ અસંગત છે. કારણ કે શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે.” આવી પ્રભુની વાણી સાંભળી સુધર્માએ પાંચસે શિષ્ય સહિત પ્રભુના ચરણકમળમાં દીક્ષા લીધી.
પછી પિતાને સંશય છેદવાને મંડિક પ્રભુની પાસે આવ્યું. તેને પ્રભુએ કહ્યું કે, તને બંધ અને મોક્ષ વિષે સંશય છે, પણ બંધ અને મોક્ષ આત્માને થાય છે એ વાત પ્રસિદ્ધ છે. મિથ્યાત્વાદિવડે કરેલે કર્મને જે સંબંધ, તે બંધ કહેવાય છે. તે બંધને લીધે પ્રાણી દોરી સાથે બંધાયા હોય તેમ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ગતિમાં પરિભ્રમણ કરતે છતે પરમ દારૂણ દુ:ખને અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુથી જે કમને વિગ તે મોક્ષ કહેવાય છે, તે પ્રાણીને અનંત સુખ આપે છે. જો કે જીવ અને કર્મને પરસ્પર સંયોગ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે તેમ જ્ઞાનાદિકથી જીવ અને કર્મનો વિયોગ થઈ જાય છે.” આવા પ્રભુનાં વચનથી જેને સંશય છેદાઈ ગયું છે એવા તે મંડિકે સાડાત્રણસે શિષ્યની સાથે વ્રત ગ્રહણ કર્યું. પછી મૌર્યપુત્ર પિતાને સંદેહ છેદવાને માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુ બોલ્યા-“મૌર્યપુત્ર! તને દેવતાઓને વિષે સદેહ છે, પણ તે મિથ્યા છે. જે, આ સમવસરણમાં પોતાની મેળે આવેલા ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે, શેષ કાળમાં સંગીતકાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લોકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી પણ તેથી કાંઈ તેમને અભાવ સમજે નહીં. તેઓ અહંતના જન્મઅભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ શ્રીમત્ અરિહંતને અતિ શ્રેષ્ઠ પ્રભાવ છે.” આ પ્રમાણેની ભગવંતની વાણીથી મૌર્યપુત્ર પણ તત્કાળ પ્રતિબંધ પાયે અને પિતાના ૩૫૦ શિષ્ય સહીત તેણે દીક્ષા લીધી.
પછી અકંપિત પણ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે “નજરે દેખાતા ન હોવાથી નારકી નથી એમ તારી બુદ્ધિ છે, પણ નારકી જીવે છે, પરંતુ અત્યંત પરવશપણાથી તેઓ અહીં આવવાને સમર્થ નથી. તેમજ તારી જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. નારકી જી તારી જેવાને પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. છદ્મસ્થ જીને તે યુક્તિગમ્ય છે અને જે ક્ષાયિક
Page #94
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું જ્ઞાનીઓ છે તેઓને તે પ્રત્યક્ષ દેખાય છે. વળી આ લોકમાં કઈ ક્ષાયિક જ્ઞાનીજ નથી” એવું પણ તું બેલીશ નહીં, કારણ કે તે શંકાનો વ્યભિચાર મારાથી જ ફુટ રીતે થાય છે. (અર્થાત્ હું જ ક્ષાયિક જ્ઞાની છું.)” પ્રભુનાં આવાં વચન સાંભળી સંશય નષ્ટ થવાથી અકંપિત પ્રતિબંધ પામી ત્રણ શિષ્ય સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી.
પછી અચળભ્રાતા આવ્યું. પ્રભુએ તેને ફુટ રીતે કહ્યું, “અચળભ્રાતા ! તને પુણ્ય અને પાપમાં સંદેહ છે, પણ તું તેમાં જરા પણ સંશય કરીશ નહીં. કારણ કે આ લોકમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે; તેમજ વ્યવહારથી પણ સિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, લક્ષમી, રૂપ, આરોગ્ય અને સલ્ફળમાં જન્મ-એ પુણ્યનાં ફળ છે અને તેથી વિપરીત એ પાપનાં ફળ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી સંશય છેદાઈ જતાં અચળભ્રાતાએ ત્રણ શિષ્યની સાથે દીક્ષા લીધી.
પછી મેતાર્ય નામે દ્વિજ પ્રભુની પાસે આવ્યા. પ્રભુ બેલ્યાબતને એ સંશય છે કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવા રૂપ પરલોક નથી. કારણ કે ચિદાત્મારૂપ જીવનું સ્વરૂપ બધા ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતનો અભાવ થતાં-વિખરાઈ જતાં જીવનો પણ અભાવ થાય તે પછી પરલોક શી રીતે હેય? પણ તે મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદીજ છે. કેમકે બધા ભૂત એકત્ર થાય તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉત્પન્ન થતી નથી, તેથી ચેતના જે જીવનો ધર્મ છે, તે ભૂતથી જુદી છે. તે ચેતનાવાળે જીવ પરલોકમાં જાય છે અને ત્યાં પણ તેને જાતિસ્મરણ વિગેરેથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી પ્રતિબોધ પામી મેતાયે ત્રણ શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાર પછી પ્રભાસ આવે. તેને જોઈ પ્રભુ બેલ્યા-“પ્રભાસ! “મેક્ષ છે કે નહી ?’ એ તને સંદેહ છે; પણ તે વિષે જરા પણ સંદેહ રાખીશ નહીં. કમને ક્ષય તે મોક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કેમ સિદ્ધ થયેલું છે. શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મનો ક્ષય થાય છે, તેથી અતિશય જ્ઞાનવાળા પુરુષોને મેક્ષ પ્રત્યક્ષ પણ થાય છે.” સ્વામીનાં આવાં વચનથી પ્રતિબોધ પામી પ્રભાસે પણ ત્રણ શિષ્યની સાથે દીક્ષા લીધી.
આ પ્રમાણે મહાન કુળમાં ઉત્પન્ન થયેલા, મહા પ્રાજ્ઞ, સંવેગ પામેલા અને વિશ્વને વંદિત એવા તે અગ્યાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીરપ્રભુના મૂળ શિષ્ય થયા.
આ સમયે શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનાએ આકાશ માર્ગે જતા આવતા દેવતાઓને જેયા. તેથી પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાનો નિશ્ચય થતાં તેને વ્રત લેવાની ઈરછા થઈ. પછી નજીક રહેલા કોઈ દેવતાએ તેને શ્રી વીરમભુની પર્ષદામાં લાવીને મૂકી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને તે દીક્ષા લેવાને તત્પર થઈ છતી ઊભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યાની પુત્રીએ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને આગળ કરીને તે સર્વે ને દીક્ષા આપી અને હજારે નરનારીઓને શ્રાવકપણુમાં સ્થાપિત કર્યા.
એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઈદ્રભૂતિ વિગેરેને વ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સુત્ર કૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી અંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુ
પપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાકકૃત અને દૃષ્ટિવાદ- એ પ્રમાણે બાર અંગે
Page #95
--------------------------------------------------------------------------
________________
સગ ૫ માં
રચ્યા અને દષ્ટિવાદની અંદર ચૌદ પૂર્વે પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉત્પાદ, આધ્યાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાળ અને લેકબિંદુસાર–આ પ્રમાણેના ચૌદ પૂર્વે ગણધરોએ અંગેની પૂર્વે રચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઈ અને અકૅપિત તથા અચળભ્રાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના થઈ. શ્રી વીરપ્રભુના અગ્યાર ગણધરો છતાં તેમાં બે બેની વાંચને સરખી થવાથી ગણુ નવ થયા.
પછી સમયને જાણનાર ઈદ્ર તત્કાળ સુગંધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલે ઈદ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઊભા રહ્યા. પછી “દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે' એમ બેલતા પ્રભુએ પ્રથમ ઈદ્રભૂતિ-ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણ નાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણ નાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરે ઉપર વૃષ્ટિ કરી. “આ ચિરંજીવી થઈ ધર્મનો ચિરકાળ સુધી ઉઘાત કરશે” એમ કહીને પ્રભુએ સુધર્મા ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવત્તિની પદે સ્થાપિત કરી.
આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધ બળી આકાશમાંથી જ દેવતાઓ લઈ ગયા, અને અર્ધ ભૂમિપર પડયે, તેમાંથી અધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોક લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન પરથી ઉડી દેવરજીંદામાં જઈને બેઠા એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં વૃષ્ટિથી નવીન મેઘની જેમ ગૌતમ પણ દેશનાથી વિરામ પાયા, સવ વિશ્વનો ઉપકાર કરવામાં ત૫ર અને સુરઅસર તથા રાજાઓ જેના ચરણકમળને સેવી રહ્યા છે એવા શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ સુધી ત્યાં રહી લોકોને પ્રતિબંધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરતા હતા.
*
*
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर केवळज्ञान चतुर्विध संघोत्पत्ति
વોનો નામ પંચમ સઃ ||
૧. મુનિ સમુદાય. ૨. ઘણા વર્ષ જીવી,
Page #96
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ્ઠો
શ્રેણિક રાજાને સમકિતના લાભ અને મેઘકુમાર તથા નદીષેણની દ્વીક્ષા
આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરમાં કુશાગ્ર બુદ્ધિવાળા પ્રસેનજિત્ નામે રાજા હતા. સર્વ દિશાઓને અલ'કૃત કરતા તેને અપાર કીર્ત્તિસાગર શત્રુએની કીર્ત્તિરૂપ સરિતાના ગ્રાસ કરતા હતા. તેને સૌન્યના સંગ્રહ માત્ર રાજતી શેાભાને માટે હતા, કારણ કે તેના વૈરીરૂપ વાઘ તા તેના પ્રતાપરૂપ અગ્નિથી જ નાશ પામ્યા હતા. વાયુ પર્યંતથી અને વજ્ર સમુદ્રથી સ્ખલિત થાય પણ તેની આજ્ઞા પૃથ્વીપર કોઈનાથી સ્ખલિત થતી નહેાતી, તે હાથ લાંબા કરનારા બધા યાચકોને દ્રવ્ય આપતા પણ જાણે તેમની સાથે સ્પર્ધા હોય તેમ તે તેઓને આપતાં પોતાના હાથને સ‘કાચાવતા નહીં. રણભૂમિમાં ઉડેલા રજથી અંધકાર થતાં વિજયલક્ષ્મીએ અભિસારિકા થઇ પાતપાતાના પતિને છેડી તે રાજાને જ સ અંગે આલિંગન કરતી હતી. સદાચારીમાં શિરોમણિ એવા એ રાજાના શુદ્ધ હૃદયમાં ઘાટા કેશપાસમાં અધિવાસની જેમ જિનધમ સ્થિર રહેલા હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનરૂપ કમળમાં ભ્રમર જેવા તે સમ્યગ્દર્શનથી પુણ્યાત્મા થઇ અણુવ્રતધારી થયા હતા. રાજશિરામણિ પ્રસેનજિત્ રાજાને ઈંદ્રને દેવીએની જેમ વિવાહિત રાજકન્યા એવડે માટુ' અત: પુર હતું. પૃથ્વીપર રાજ્ય કરતા એવા તે ઇંદ્ર સમાન રાજાને જાણે તેની બીજી મૂત્તિઓ હોય તેવા ઘણા પુત્રા પણ થયા હતા.
આ અરસામાં ભરતક્ષેત્રને વિષે વસતપુર નામના નગરમાં જિતશત્રુ નામે ચથાથ નામવાળા રાજા હતા. તેને પૃથ્વીપર ઉતરેલી દેવી હોય તેવી ગુણરત્નની ખાણુ અમરસુંદરી નામે પટરાણી હતી. તે પતિને સુમંગળ નામે એક પુત્ર થયા હતા, જે મંગળનુ નિવાસસ્થાન, રૂપમાં કદપ જેવા અને કળાનિધિ ચંદ્ર જેવા હતા. સૈનક નામે મ`ત્રીપુત્ર તેના મિત્ર હતો. તે શારીરિક સ કુલક્ષણાના પ્રથમ દૃષ્ટાંતરૂપ હતો. તેના કેશ પીળા હતા, તેથી જેના શિખરમાં દાવાનળ લાગ્યા હોય તેવા પર્યંતની જેવા તે દેખાતા હતા. ધુવડની જેમ તે નાકે ચિત્રેા હતો, માર જેવા તેના પિંગ નેત્ર હતા, ઉંટના જેવી તેની લાંબી ડોક અને લાંબા હોઠ હતા, કં દરની જેવા નાના કાન હતા, કદના અંકુર જેવી દાંતની પક્તિ મુખની બહાર નીકળેલી હતી, જલેાદરવાળાની જેવુ તેનુ પેટ હતુ, ગામના ડુકકર જેવા ટુંકા સાથળ હતા, મંડળસ્થાનવત્ આસન વાળ્યુ હોય તેવી વાંકી જ ધા હતી અને સુપડાના જેવા તેના પગ હતા. એ વરાક દુરાચારી જ્યાં જ્યાં ફરતા ત્યાં ત્યાં હાસ્યનુંજ એકછત્ર રાજ્ય થતું હતું. જ્યારે જ્યારે એ સેનક દૂરથી આવતો હોય ત્યારે ત્યારે રાજપુત્ર સુમ’ગળ તેનું વિકૃતરૂપ જોઈને હસતો હતા.
આ પ્રમાણે રાત્રિદિવસ રાજપુત્ર તેનું ઉપહાસ્ય કરતા તેથી તેને છેવટે અપમાનરૂપ વૃક્ષનાં મહાફળરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયા અને વૈરાગ્ય થતાંજ એ મદ્દભાગી સેનક ઉન્મત્તની
૧૧
Page #97
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ફો પેઠે હદયશૂન્ય થઈ શહેરમાંથી નીકળી ગયો. મંત્રીપુત્રના ગયા પછી કેટલેક કાળે રાજા જિતશત્રુએ સુમંગળકુમારને પોતાના રાજ્યપર બેસાર્યો. સેનકે વનમાં ફરતા કોઈ એક કુળપતિ તાપસને છે. તેની પાસે તાપસ થઈને તેણે ઉષ્ટ્રિકા વ્રત ગ્રહણ કર્યું. તીવ્ર તપથી હમેશાં પિતાના આત્માને અતિ કદર્થના પમાડતે સેનક એકદા વસંતપુર નગરે આવ્યા.
તેને મંત્રીપુત્ર અને તાપસ ધારીને સર્વ લોકે તેની પૂજા કરવા લાગ્યા. લોકોએ તેને શૈરાગ્ય થવાનું કારણ પૂછયું, એટલે તે કહેવા લાગ્યું કે, “સુમંગળકુમાર વા મારા વિરૂપનું હાસ્ય કરતે, તેથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તે હાસ્ય મને તપલક્ષમીના એક જામીનરૂપ થઈ પડ્યું છે. આ ખબર સાંભળી રાજા સુમંગળ પણ તેને નમવા માટે આવ્યો અને તેને ઘણી રીતે બનાવીને આદરથી પારણાને માટે નિમંત્રણ કર્યું. સેનક તાપસે રાજાને આશીષ આપીને તેની પ્રાર્થના સ્વીકારી, તેથી રાજા કૃતાર્થ થયે હોય તેમ હર્ષ પામી પોતાને ઘેર આવ્યું. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું ત્યારે રાજાની પ્રાર્થના સંભારી તે તાપસ શાંત થઈ રાજભુવનના દ્વારે આવ્યા. તે સમયે રાજાને શરીરે ઠીક ન હોવાથી દ્વારપાળે દ્વાર બંધ કર્યું હતું, તેથી ભિક્ષુકને કોણ જુએ ? તેથી સેતુથી જળના પ્રવાહની જેમ તે ખલિત થઈને જે માગે આ હતો, તે માગે પાછો ચાલ્યો ગયો. પછી બીજા માસક્ષપણનો નિશ્ચય કરી પાછું તેણે ઉષ્ટ્રિકા વ્રત લીધું અને જરા પણ કો૫ પાપે નહીં. કારણ કે “મહર્ષિએ તપની વૃદ્ધિથી હર્ષ પામે છે.” બીજે દિવસે રાજા સ્વસ્થ થયો એટલે તાપસને કરેલ આમંત્રણ સંભારી તેની પાસે આવી, નમી તથા ખમાવીને બે કે-મહર્ષિ ! મેં તમને પુણ્યને માટે નેતર્યા, પણ તેથી તે ઉલટું મને પાપ ઉપાર્જન થયું. “પ્રાય: પાપીઓને પાપજ અતિથિ થાય છે.” હે ભગવન્ ! મેં ઉલટું બીજે ઠેકાણેથી પણ તમારું પારણું અટકાવ્યું કારણ કે “અદાતાને પ્રિય આલાપ બીજે ઠેકાણેથી લાભ થવામાં પણ અંતરાય કરે છે. પણ હવે પ્રસન્ન થઈ આ બીજા માસક્ષપણુના પારણું વખતે નંદનવનને કલ્પવૃક્ષની જેમ મારા આંગણાને અલંકૃત કરશે.” તાપસે તે વાત સ્વીકારી એટલે રાજા ઘેર ગયો.
તેના પારણાના દિવસ માટે રાજા પ્રતિદિન આંગળીના વેઢા ગણતો હતે. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું એટલે તાપસ તે રાજાને ઘેર આવ્યો. પણ દેવગે પૂર્વની જેમ તે દિવસે પણ રાજાના શરીરે ઠીક ન હોવાને લીધે દ્વાર બંધ કરેલું હતું, તેથી તાપસે વળી ફરીવાર ઉષ્ટ્રિકા વ્રત લીધું. રાજાએ સ્વસ્થ થઈ પૂર્વની જેમ વિનયથી પાછું આમંત્રણ કર્યું.
ત્રીજુ માસક્ષપણ પૂર્ણ થતાં તે તાપસ પાછો રાજાને ઘેર આવ્યું તે વખતે પણ પૂર્વની પેઠે રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત હતું. વારંવાર આમ બનવાથી રાજકીય માણસોએ તે વખતે વિચાર્યું કે “જ્યારે જ્યારે આ તપસ્વી અહીં આવે છે, ત્યારે ત્યારે આપણા સ્વામીનું અશિવ થાય છે.” તેથી તેઓએ રક્ષકોને આજ્ઞા આપી કે તે તાપસ મંત્રીપુત્ર છે, પણ જ્યારે તે રાજમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તમારે તેને સર્ષની જેમ બહાર કાઢી મૂક, રક્ષકોએ તેમજ કર્યું, એટલે તાપસે ક્રોધવડે નિયાણું કર્યું કે, “મારા તપોબળથી આ રાજાને વધને માટે ઉત્પન્ન થાઉં.' તે મૃત્યુ પામી અ૫ ઋદ્ધિવાળો વાનવ્યંતર દેવ થયો. રાજા પણ તાપસ થઈને તેજ ગતિને પામ્યા. ત્યાંથી ચ્યવીને સુમંગલ રાજાને જીવ પ્રસેનજિત રાજાની રાણી ધારિણીના ઉદરથી શ્રેણિક નામે પુત્ર થયે,
Page #98
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૮૩
તેજ નગરમાં નાગ નામે એક રથિક હતું, તે પ્રસેનજિત રાજાના ચરણકમલમાં ભ્રમરરૂપ હતું. તેમજ તે દયા અને દાનમાં આદરવાળે, પરનારીને સહોદર, વીર, ધીર અને સર્વ કળાને અધ્યેતા હતો. જેથી તે સર્વ ગુણના એક સ્થાનરૂપ ગણાતો. તેને સુલસા નામે સ્ત્રી હતી, તે પુણ્યકર્મમાં આલસ્ય વગરની અને દેહધારી પુણ્યલમી હોય તેવી હતી. સાથે ધૂલિક્રીડા કરનારા બાળકની જેમ તેનામાં પતિવ્રતાપણું, સમકિત, સરલતા વિગેરે ગુણે એકીસાથે વસતા હતા. એક વખતે નાગ રથિક પોતે અપુત્ર હોવાથી નાળવા સહિત કમળ જેવા કર ઉપર મુખ રાખી ચિંતા કરવા લાગ્યો કે “હું પુત્રને હલાવીશ અને તેનું લાલન પાલન કરીશ આ મારે મનોરથ પુત્ર વગર અવકેશી (વધ્ય) વૃત્રની જેમ નિષ્ફળ થયે. જેઓએ બાલ્યવયમાં બ્રહ્મચર્ય પાળ્યું નહિ અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહીં તેઓના બંને લોકને ઠગનારા કામીપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે કાદવમાં ખુંચેલા હાથીની જેમ ચિંતામાં મગ્ન થયેલા અને જેનું મુખ વિવર્ણ થઈ ગયેલું છે એવા પતિને જોઈ તેની પ્રત્યે સુલતાએ વિનયથી અંજલિ જોડીને કહ્યું કે “હે નાથ ! તમે હસ્તરૂપ શયામાં મુખ રાખ્યું છે તે તમને કાંઈ ચિંતા હોય એમ કહી આપે છે. તે આપ શી ચિંતા કરો છો ? તે કહે, અને મને તેની ભાગીદાર કરે.” નાગ સારથી બે કે-“હું અપુત્ર છું, પુત્રપ્રાપ્તિની ઘણી વાંચ્છા છે, પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતા એવા મને તેની પ્રાપ્તિનો કાંઈ પણ ઉપાય સૂજતો નથી.” સુલસા બેલી-“સ્વામી ! તમે બીજી ઘણી કન્યાઓ પરણે, તેઓમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય ?” નાગ બોલ્યા-“હે પ્રિયે ! આ જન્મમાં હું તારાથી જ સ્ત્રીવાળે રહેવાનો છું, બીજી સ્ત્રી કદિ પણ પરણવાને નથી તો પછી તેમનાથી પુત્રોની તે વાત જ શી કરવી ? હે પ્રિયદર્શના ! હું તે તારાથી થયેલા પુત્રને જ ઈચ્છું છું
ચરકાળે પણ આ પણ બનેની પ્રીતિરૂપ વલ્લીમાં ફળરૂપ થાય. તું જ મારા પ્રાણ, શરીર, મંત્રી અને મિત્ર છે, માટે પુત્રને અર્થે કઈ દેવની માનતા-બાધા વિગેરે કરવાવડે યત્ન કર.” સુલસા બેલી-“પ્રિય સ્વામી ! હું શ્રી અર્વતની આરાધના કરીશ, કારણ કે અહંતની આરાધના સર્વ કાર્યમાં ઇછિત ફળને આપનારી છે.” પછી તે સુલસા આચાસ્લ વિગેરે દુસ્સહ તપ કરવાવડે જન્મથી જ પવિત્ર એવા પોતાના આત્માને વિશેષે પવિત્ર કરવા લાગી, વિકાસ પામેલી નવમલ્લિકાની જેમ મોતીનાંજ આભૂષણો પહેરવા લાગી, કસુંબી વસ્ત્રોથી અરુણ અજવાળી પ્રાતઃકાળની સંધ્યાની જેવી દેખાવા લાગી અને વિતરાગની પૂજામાં તેમજ બ્રહ્મચર્યમાં તત્પર રહેતી હતી પતિના દુઃખથી કમળ મનવાળી થઈને સમાધિથી રહેવા લાગી.
અહીં પ્રથમ સ્વર્ગમાં દેવોની સભામાં શકઈ પ્રશંસા કરી કે, હાલ ભરતક્ષેત્રમાં ખરી શ્રાવિકા સુલસા છે.” તે સાંભળી એક દેવે વિસ્મય પામી કાન ઉંચા કર્યા અને સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા કરવાને માટે અહીં આવ્યું. તે વખતે સુલસા દેવાર્શન કરતી હતી, ત્યાં તે સાધુનું રૂપ લઈ “નિસિપી” બોલતો ઘરદેરાસરમાં પેઠો. અભ્ર વગરની વૃષ્ટિની જેમ તે મુનિને અચાનક આવેલા જોઈ ભુલસાએ તેમને ભક્તિથી વંદના કરી અને તેમના આવવાનું કારણ પૂછયું. તે બે - “મને કઈ વૈદ્ય કહ્યું છે કે તમારે ઘેર લક્ષપાક તેલ છે, તે તે ગ્લાન સાધુને માટે મને આપ.” “મારૂ લક્ષપાક તેલ સાધુને ઉપયોગમાં આવવાથી સફળ થશે.” એમ બોલતી તે હર્ષ થી તેલને કુંભ લેવા ચાલી. કુંભ લઈને આવતાં દેવતા એ શક્તિથી તે તેલને કુંભ તેના હાથમાંથી પાડી નાખે. તત્કાલ માળમાંથી પડી ગયેલા ઈડાની જેમ તે તડ દઈને કુટી ગયે. એટલે સુલસા ફરીવાર બીજો તેલને કુંભ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪
સગ ૬ ઠું લાવી, તે પણ તેવી જ રીતે ફુટી ગયે, તથાપિ તે જરાએ ખેદ પામી નહીં. પછી ત્રીજો લાવી તો તે પણ તેવી જ રીતે ફુટી ગયો એટલે તેને ચિંતા થઈ કે, “આ સાધુની યાચના નિષ્ફલ થવાથી અવશ્ય હું અલ્પ પુણ્યવાળી છું.” આવા તેના ભાવ જોઈ તે દેવ પિતાનું
સ્વરૂપે પ્રગટ કરીને બોલ્યા કે, “હે ભદ્રે ! ઈ તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી વિસ્મય પામી હું તારી પરીક્ષા કરવાને માટે અહીં આવ્યા હતા, તે હવે સંતુષ્ટ થયે છું, માટે વર માગ્ય.” તે સાંભળી સુલસા બેલી-“હે દેવ ! જે સંતુષ્ટ થયે હે તે હું અપુત્ર છું, માટે મને પુત્ર આપે, તે સિવાય મારે બીજી કોઈ ઈચ્છા નથી.” દેવે તેને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે-“અનુક્રમે આ ગુટિકાનું તું ભક્ષણ કરજે તેથી આ જેટલી ગુટિકા છે તેટલા તારે પુત્રો થશે. અનઘે! વળી ફરી જ્યારે તને પ્રયોજન પડે ત્યારે મારું સ્મરણ કરજે, હું તરત આવીશ.” આ પ્રમાણે કહી તે દેવ અંતર્ધાન થઈ ગયા.
દેવના ગયા પછી સુલસાએ વિચાર્યું કે, “અનુક્રમે આ બધી ગુટિકાઓ ખાવાથી ઘણા બાલકો થાય, તે તેમની અશુચિને કોણ ચુંથે, માટે હું એક સાથે બધી ગુટિકા ખાઉં કે જેથી બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” આ પિોતાની બુદ્ધિવડે વિચાર કરી સુલસી બધી ગુટિકાઓને એક સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી તેવી તેની બુદ્ધિ થઈ. “અહો ! ભવિતવ્યતા અન્યથા થતી નથી.” સમકાળે બત્રીશ ગુટિકાઓ ખાવાથી સમકાળે તેના ઉદરમાં બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી ઘણા ફળવાળી વલ્લીની જેમ તે ઘણા ગર્ભોને સહન કરી શકી નહીં. એ કૃશોદરીએ વજ જેવા સારવાળા ગર્ભને સહન કરી ન શકવાથી કાર્યોત્સર્ગે રહી પેલા દેવનું સ્મરણ કરતાં જ તે દેવ હાજર થયે અને પૂછયું કે, “મને શા માટે સંભાર્યો ?” ત્યારે તેણે ગુટિકાની બધી કથા માંડીને કહી. દેવ બોલ્યા- “અરે ! તે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી? તે ગુટિકા અમોઘ છે. તેથી તેટલા ગર્ભ એક સાથે તને ધારણ થશે. ભદ્રે ! સરલ બુદ્ધિથી પણ તે આ સારૂં કર્યું નહીં, કારણ કે આ પ્રમાણે થવાથી તે બત્રીશે પુત્રો સરખા આયુવાળા થશે. પણ હે મહાભાગે ! હવે ખેદ કરીશ નહીં, કારણ કે ભવિતવ્યતા બલવાન છે. તે હવે હું તારી ગર્ભ પડા હરી લઈશ, માટે સ્વસ્થ થા” પછી તે દેવ સુસાની ગર્ભપીડા હરી લઈને સ્વસ્થાને ગયે. સુલસા પણ સ્વસ્થ થઈ છતી ભૂમિની જેમ ગૂઢગર્ભા થઈ
ગર્ભસમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહૂર્તે સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીશ પુત્રોને જન્મ આપ્યું. ધાત્રીઓથી લાલિત થતા તે પુત્રો અનુક્રમે વિધ્યગિરિમાં હાથીના બચ્ચાંની જેમ અખંડિત મરથે મેટ થયા. ગૃહલક્ષ્મી રૂપી પક્ષીના ક્રીડાવૃક્ષ જેવા તે બાળકો આંગણામાં રમતા છતા શેભતા હતા. નાગ રથિક તે કુમારોને ખોળામાં લઈ લઈને નેહવડે આનંદના અશ્રુજળથી સ્નાન કરાવતો હતો. પગ ઉપર, ખોળામાં, વાંસા ઉપર અને મસ્તક ઉપર ચડી જતા અને વળગતા કુમારોથી નાગ રથિક સિંહના શિશુઓથી પર્વતની જેમ શેભતે હતો. નાગ રથિકના સર્વે કુમારે વયમાં સરખા હતા, તેથી તે બધા શ્રેણિકકુમારના અનુયાયી થયા.
એક વખતે પ્રસેનજિત રાજાએ પોતાના પુત્રની રાજ્ય ગ્યતા વિષે પરીક્ષા કરવાને માટે બધાને એક સાથે ખાવા બેસાડી પાયસાનના સ્થાળ તેમની પાસે મૂકાવ્યા. જ્યારે તે કુમારે ભજન કરવાને પ્રવર્યા ત્યારે રાજાએ તેમની ઉપર વ્યાઘના જેવા મુખ ફાડીને ૧. અંગરક્ષક
Page #100
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
૮૫
આવતા ધાનાને છેડી મૂકયા. શ્વાને આવતાંજ બીજા કુમારા તો તત્કાળ ઉઠીને ભાગી ગયા, પણ બુદ્ધિના ધામરૂપ શ્રેણિકકુમાર એકલા બેસી રહ્યો. તે ખીજા સ્થાળામાંથી શ્વાનાને થોડા થાડા પાયસાન્ત આપવા લાગ્યા, અને જેવા તે શ્વાને તેને ચાટવા લાગ્યા તેવા પાતે પેાતાના ભાણાનુ પાયસાન્ન ખાવા લાગ્યા. એ પ્રમાણે તેણે ધરાઇને ખાધું. તે જોઈ રાજા ઘણા રાજી થયા, અને વિચાર્યુ કે, ‘આ શ્રેણિકકુમાર ગમે તે ઉપાયથી શત્રુ વિગેરેને અટકાવશે અને પોતે પૃથ્વીને ભાગવશે.’
વગર
એક વખતે ફરીવાર પરીક્ષા કરવાને માટે રાજાએ બધા કુમારોને ભેળા કરી મેાદકના ભરેલા કર’ડીઆ અને પાણીના ભરેલા ઘડા મુદ્રિત કરીને આપ્યા, અને કહ્યુ` કે, ‘આ કર'ડીઆમાંથી મુદ્રા તાડયા વગર માદક ખાએ અને આ ઘડામાંથી છિદ્ર પાડયા પાણી પીવા.' શ્રેણિક વિના તેમાંથી કાઇ પણ મેાદક ખાવા કે પાણી પીવા સમ થયે નહીં. બળવાન પુરૂષો પણ બુદ્ધિસાધ્ય કાર્યમાં શું કરી શકે.” શ્રેણિકે પેલા કર ડીઆએને વારંવાર ખૂબ હલાવી અંદરના માકનું ચૂર્ણ કરી નાખી, તેની સળીઓના છિદ્રમાંથી ખેરવી ખેરવીને ખાધું અને ઘડાની નીચે રૂપાની છીપ રાખી ઘડામાંથી ગળતા જળખિ'દુથી તે ભરીને પાણી પીધું. “બુદ્ધિમાન્ પુરુષને શું દુઃસાધ્ય છે.” આ પ્રમાણે શ્રેણિકની બુદ્ધિસ'પત્તિની પરીક્ષા કરીને કુશાગ્ર બુદ્ધિવાળા રાજાએ તેનામાં રાજ્યની યાગ્યતાના નિશ્ચય કર્યાં,
અન્યદા કુશાગ્રનગરમાં વારંવાર અગ્નિના ઉપદ્રવ થવા લાગ્યા. તેથી રાજા પ્રસેનજિતે આઘાષણા કરાવી કે, આ નગરમાં જેના ઘરમાંથી અગ્નિ લાગશે, તેને રાગી ઉંટની જેમનગરમાંથીજ બહાર કાઢી મૂકવામાં આવશે.” એક દિવસ રસાઈઆના પ્રમાદથી રાજાના મહેલમાંથીજ અગ્નિ ઉત્પન થયા. બ્રાહ્મણની જેમ અગ્નિ કોઈના નથી.” જ્યારે તે અગ્નિ વધવા માંડયા ત્યારે રાજાએ પોતાના કુમારાને આજ્ઞા કરી કે, ‘મારા મહેલમાંથી જે વસ્તુ
કુમાર લઇ જાય, તે તેને સ્વાધીન છે.' રાજાની આજ્ઞાથી ખીજા સ કુમારો રૂચિ પ્રમાણે હાથી ઘોડા તથા ખીજી વસ્તુઓ લઈ ગયા અને શ્રેણિકકુમાર માત્ર એક ભ ભાનુ વાદ્ય લઇને નીકળ્યા. તે જોઈ રાજાએ પૂછ્યું કે, ‘તેં માત્ર આ વાદ્યજ કેમ લીધું ?’શ્રેણિક ખેલ્યા-“આ ભભાવાવ રાજાઓનું પ્રથમ જયચિન્હ છે, આના શબ્દથી રાજાઓને દિગવિજયમાં મેહુ મગળ છે, તેથી તેમણે આવા વાદ્યની પ્રથમ રક્ષા કરવી જોઇએ.'' શ્રેણિકકુમારનું આવું મહેચ્છવ જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તેનુ' ભભાસાર એવુ' ખીજું નામ પાડયું. રાજા પ્રસેનજિતે પૂર્વે પ્રતિજ્ઞાથી કહ્યું હતું કે, જેના ઘરમાંથી અગ્નિ પ્રગટ થાય, તેણે નગરમાં રહેવું નહીં,' આ વચનને તે ભૂલી ગયા નહાતો. તેથી તેણે વિચાર્યું' કે, ‘જો હું પ્રથમ મારી જાત ઉપર મારી આજ્ઞાના અમલ નહી. કરૂ' તેા ખીજાએ ઉપર શાસન કરવુ શા કામનુ' છે ?’ આવા વિચારથી પરિવાર સહિત તરત જ રાજાએ કુશાગ્રનગરને છેડી દીધુ અને એફ કાશ દૂર જઇ છાવણી નખાવીને ત્યાં રહ્યો. પછી લેાકેા ત્યાં જતાં પરસ્પર પૂછતા કે, ‘તમે કયાં જાઓ છે?’ ત્યારે તે પ્રત્યુત્તર આપતાં કે અમે રાજગૃહ (રાજાના ઘર)માં જઇશું.’ તે ઉપરથી રાજા પ્રસેનજિતે ત્યાં રાજગૃહ નામે નગર વસાવ્યું અને તેને ખાઇ, કિલ્લા, ચૈત્ય, મહેલા અને ચૌટાથી ઘણુ રમણીય બનાવ્યું.
‘બીજા કુમારા પોતાતામાં રાજ્યની યાગ્યતા માને છે, તેથી શ્રેણિકની રાજ્યાગ્યતા તેએ ન જાણે તો ઠીક' એવું ધારી રાજાએ શ્રેણિકના અનાદર કર્યા અને બીજા કુમારીને જુદા જુદા દેશો આપ્યા ત્યારે શ્રેણિકને કાંઇ આપ્યુ. નહીં, કારણ કે તે તો સમજતો હતો
Page #101
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ।
કે પરિણામે આ રાજ્ય શ્રેણિકનું જ છે. પરંતુ આ પ્રમાણે પોતાનું અપમાન થવાથી અભિમાની શ્રેણિક વનમાંથી હાથીના બચ્ચાંની જેમ નગર બહાર નીકળ્યા. અનુક્રમે ફરતો ફરતો વેણાતાપુરે આવ્યા.
વેણાતટ નગરમાં પ્રવેશ કરીને શ્રેણિકકુમાર ભદ્ર નામના કોઇ શ્રેષ્ઠિની દુકાને જાણે મૂર્ત્તિ માન્ લાભાય કર્યાં હોય તેમ બેઠા. એ સમયે તે નગરમાં કોઇ મોટો ઉત્સવ ચાલતો હતો, તેથી લેાકેા નવીન દિન્ય વસ્ત્રાલંકાર અને અંગરાગ ધરીને ફરતા હતા. તે પ્રસંગને લીધે તે શેઠની દુકાને ઘણા ઘરાકેા જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે આવવાથી શેઠ આકુળ વ્યાકુળ થઈ ગયા, પણ શ્રેણિક તેઓને જે વસ્તુઓ માગે તેના એકદમ પડીકા ખાંધી બાંધીને ચાલાકીથી આપવા લાગ્યા. શ્રેણિકકુમારના પ્રયાસથી શેઠે તે દિવસે ઘણું દ્રવ્ય ઉપાન કર્યું. “પુણ્યવાન્ પુરૂષોને વિદેશમાં પણ લક્ષ્મી સાથે આવે છે.” પછી શ્રેષ્ઠિએ શ્રેણિકને પૂછ્યું, ‘આજે તમે કયા પુણ્યવાન્ ગૃહસ્થના અતિથિ થયા છે ? ' શ્રણિક ખેલ્યા-‘તમારા અતિથિ થયા છું. શ્રેષ્ઠિએ ચિત્તમાં વિચાર્યું કે, ‘આજ રાત્રે સ્વપ્નમાં મેં નંદા પુત્રીને ચેાગ્ય એક વર જોયેા હતો, તે સાક્ષાત્ આજ હશે.’ પછી શેઠે કહ્યું કે, “હું ધન્ય થયા કે મારે ઘેર તમારા જેવા અતિથિ થયા. આજે તો અકસ્માત આળસુને ઘેર ગંગાજી આવ્યા.’ પછી શેઠ દુકાન બંધ કરી શ્રેણિકને સાથે લઇને પોતાને ઘેર આવ્યા અને શ્રેણિકકુમારને સ્નાન કરાવી, ઉત્તમ વસ્ત્રો પહેરાવી ઘણા આદરથી પાતાવી સાથે જમાડયા.
આ પ્રમાણે તે શ્રેષ્ઠિને ઘેર રહેતાં એક દિવસ શેઠે શ્રેણિક પાસે માગણી કરી કે, મારી આ નદા નામની પુત્રીને તમે ગ્રહણ કરો.? શ્રેણિકે કહ્યું; ‘મારૂં કુળ જાણ્યા વગર તમે પુત્રી કેમ આપે છે! ” શ્રેષ્ઠિએ કહ્યુ, ‘તમારા ગુણાથી મે' તમારૂં કુળ જાણી લીધું છે.’ પછી શેઠના અતિ આગ્રહથી લક્ષ્મીને વિષ્ણુ પરણે તેમ શ્રેણિક નંદાને પરણ્યા. શ્રેષ્ઠિના ગૃહમાં ધવળમંગળ પ્રવર્ત્યા. તે વલ્લભાની સાથે વિવિધ ભાગ ભાગવતા શ્રેણિક નિકુંજમાં ગજેદ્રની જેમ કેટલાક કાળ ત્યાં રહ્યો.
અહી' રાજા પ્રસેનજિત્ને અકસ્માત્ રોગની પીડા થઇ આવી, તેથી તેણે ઘણા ખેદપૂર્ણાંક તત્કાળ શ્રેણિકને શેાધી લાવવા માટે ઘણી સાંઢા માકલી. તે સાંઢાવાળા માણસે ફરતા ફરતા વેણાતટે આવી શ્રેણિકને મળ્યા. તેમની પાસેથી પિતાને થયેલી પીડાની વાર્તા સાંભળી, નંદાને સ્નેહથી સમજાવી, શેઠની રજા લઇને શ્રેણિક એકલા ત્યાંથી ચાલ્યા. નીકળતી વખતે તેણે “જેમાં ઉજ્જવળ ભીંતા છે એવા રાજગૃહ નગરના હું ગેાપાળ છું.” એવા નિમંત્રણ મંત્ર જેવા તેને અક્ષરા અપણુ કર્યા. પછી પિતાને રોગથી પીડિત જાણી શ્રેણિક સાંઢ ઉપર ચડી ઉતાવળા રાજગૃહ નગર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. તેને આવેલે જોઇ પ્રસેનજિત રાજા ઘણા હ` પામ્યા. તત્કાળ હર્ષના અશ્રુજળ સાથે સુવર્ણ કળશના નિર્મળ જળથી તેને રાજ્ય ઉપર અભિષેક કર્યાં. પછી પ્રસેનજિત્ રાજા પાર્શ્વ પ્રભુને અને પ'ચ નમસ્કાર મંત્રને સંભારતા છતા ચાર શરણુ અ’ગીકાર કરી મૃત્યુ પામીને દેવલાકે ગયા. શ્રેણિકે બધી પૃથ્વીના ભાર ધારણ કર્યાં.
અહી નંદાએ ઘણા દુહ ગર્ભ ધારણ કર્યાં. તેણીને એકદા એવા દોહદ ઉત્પન્ન થયા કે, “હું હાથી ઉપર ચઢી મોટી સમૃદ્ધિથી પ્રાણીઓને ઉપકાર કરી અભય આપનારી થા.” તેના પિતાએ તે વાત રાજાને જણાવી, તેના દોહદ પૂરા કર્યાં. ગર્ભ સમય પૂર્ણુ ૧ ગા=પૃથ્વી. ગાપાળ=રાજા.
Page #102
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું થતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસેવે તેમ તેણે એક પુત્રને જન્મ આપે. દેહદના અર્થને અનુસારે માતામહે (માતાના પિતાએ) શુભ દિવસે તેનું “અભયકુમાર’ એવું નામ પાડયું. તે અનુક્રમે મોટો થયે, નિર્દોષ વિદ્યા ભર્યો અને આઠ વર્ષમાં તો બોતેર કળામાં પ્રવીણ થઈ ગયે, એક વખતે તેની સમાનવયના કેઈ બાળકે તેની સાથે કલહ થતાં કોપથી તેને તિરસ્કાર કરીને કહ્યું કે, “તું શું બોલે છે, તારે પિતા તો કોઈના જાણવામાં નથી” અભયકુમારે કહ્યું કે, “મારા પિતા તો “ભદ્ર શેઠ છે. તેણે કહ્યું કે, “તે તે તારી માતાના પિતા છે.” પછી અભયે ઘરે આવી તે માતાને પૂછયું કે-“માતા ! મારા પિતા કેણ છે?” નંદાએ કહ્યું, “આ ભદ્ર શેઠ તારા પિતા છે.” અભય બોલ્યો-“એ ભદ્ર શેઠ તે તારા પિતા છે, પણ જે મારા પિતા હોય તે કહે.” આ પ્રમાણે પુત્રના કહેવાથી નંદા આનંદરહિત થઈને બોલી કે-“વત્સ ! કઈ દેશાંતરમાંથી આવીને મને પરણ્યા છે, અને તું ગર્ભમાં હતા ત્યારે કોઈ ઉંટવાળા પુરૂષે તેમને લઈ ગયા છે. તેઓએ એકાંતે તેમને કાંઈક વાત કરી અને પછી તેમની સાથે તેઓ તરતજ ચાલ્યા ગયા છે. ત્યાર પછી અદ્યાપિ પર્યત જાણવામાં આવ્યું નથી કે તેઓ કયાં છે અને કોણ છે?” અભયકુમારે કહ્યું કે, તેમણે ચાલતી વખતે કાંઈ કહ્યું છે?” નંદાએ કહ્યું, “આવા અક્ષરે અર્પણ કર્યા છે એમ કહી પત્ર બતાવ્યું. તે વાંચી અભયકુમારે પ્રસન્ન થઈને બોલ્યો કે-“મારા પિતા તે રાજગૃહ નગરના રાજા છે, માટે ચાલે હમણા જ આપણે ત્યાં જઈએ.” પછી ભદ્રશેઠની રજા લઈ અભયકુમાર સામગ્રી સહિત નંદાને લઈને રાજગૃહ નગરે આવ્યા. પોતાની માતાને પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં મૂકી પિતે થે પરિવાર લઈ નગરમાં પેઠો.
અહીં શ્રેણિક રાજાએ એકે ઉણું પાંચસે બહુ કુશળ મંત્રીઓ એકઠા કર્યા હતા અને બરાબર પાંચ મંત્રીઓ પૂરા કરવાને માટે કંઈ ઉત્કૃષ્ટ પુરૂષને તે શોધતે હતે. તેવા બુદ્ધિમાન મનુષ્યની પરીક્ષાને માટે રાજાએ એક સૂકા કુવામાં પોતાની વીંટી નાખી દઈને લેકેને જાહેર કર્યું કે, જે કાંઠે ઊભું રહી આ કુવામાંથી વીંટી બહાર કાઢી શકે, તે કુશળ બુદ્ધિવાનું પુરૂષ માર મંત્રીઓમાં અગ્રેસર થાય.” લે કે કહેવા લાગ્યા કે, “અમારાથી આવું કાર્ય થવું અશક્ય છે. કેમકે જે હાથવડે આકાશમાંથી તારાને ખેંચી શકે તે આ મુદ્રિકા કાઢી શકે. તેવામાં અભયકુમાર ત્યાં હસતે હસતે આ , અને બોલ્યા કે “શું આ વીંટી ન લેવાય ? એમાં મુશ્કેલ શું છે?' તેને જોઈ લો કે વિચારમાં પડ્યા કે
આ કોઈ અતિશય અદ્ધિમાન લાગે છે.” “સમય આવતાં પુરૂષના મૂખનો રંગ જ તેના પરાક્રમને કહી આપે છે.” પછી તેઓ બોલ્યા કે-કુમાર ! આ વીંટી લઈ લ્યો અને તેને માટે પણ કરેલી અર્ધ રાજ્યની લક્ષ્મી, રાજપુત્રી અને મંત્રીઓમાં મુખ્યતા ગ્રહણ કરે.”
અભયકુમારે કુવાના કાંઠા ઉપર ઊભો રહી તરત જ આદ્ર ગોમયને પિંડ તે કુવામાં રહેલી મુદ્રિકા ઉપર નાખ્યું અને પછી તેની ઉપર એક બળતો તૃણને પુળ નાખે, જેથી તે ગમય તરતજ શોષાઈ ગયું. પછી નંદકુમારે (અભયકુમારે) શીઘ્રતાથી પાણીની નીક કરાવીને કુવાને પૂર્ણ ભરી દીધું અને લોકોને વિસ્મયથી ભરી દીધા. પછી પેલું ગમય તયું એટલે તે ચતુર બાળકે તરત હાથવતી તે લઈ લીધું અને તેને ચટેલી વીટી છુટી પાડી. “બુદ્ધિમાન પુરૂષોએ પ્રયોજેલા ઉપાયની આગળ શું દુષ્કર છે?
- રક્ષકોએ આવીને શ્રેણિકને આ ખબર આપ્યા એટલે તેણે વિસ્મય પામી તરત જ અભયકુમારને પિતાની પાસે બોલાવ્યો અને પુત્રની જેમ તેને આલિંગન કર્યું. “સ્વજન
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮
સગ ૬ ।
દિ આળખાયેલા ન હોય તેા પણ ષ્ટિએ પડતાં તેનાપર હૃદય હું ધરે છે.' શ્રેણિક રાજાએ તેને પૂછ્યું કે, ‘તમે કયાંથી આવા છે !’ અભયે કહ્યું, ‘હું વેણાત. નગરથી આવ્યા છુ.' રાજાએ પૂછ્યું, હે ભદ્રમુખ ! તે શહેરમાં સુભદ્ર નામે એક પ્રખ્યાત શેઠ રહે છે અને તેને ના નામે એક પુત્રી છે, તે સારી પેઠે છે ?” અભયે કહ્યું, ‘હા, તે સારી રીતે છે.’ રાજાએ ફરીથી પૂછ્યું, તે શેઠની પુત્રી નંદા સગર્ભા હતી, તેને શું અપત્ય થયુ?' તે સાંભળી અભયકુમારે મનેાહર દાંતના કિરણોની શ્રેણિથી પ્રકાશ કરતાં કહ્યું કે, હે દેવ ! તે નંદાએ અભયકુમાર નામના એક પુત્રને જન્મ આપ્યા છે.' પછી તે કેવા રૂપવાન અને કેવા ગુણવાળા છે?” એમ રાજાએ પૂછ્યુ' એટલે અભય ખેલ્યું –‘સ્વામી! તેજ હું અભયકુમાર છું.' તે સાંભળતાં જ રાજા તેને સ્નેહથી આલિંગન કરી, ઉત્સંગમાં એસારી અને મસ્તક સુંઘી સ્નેહથી સ્નાન કરાવતા હાય તેમ નયનના અશ્રુજળથી સિંચન કરવા લાગ્યા. પછી પૂછ્યુ કે ‘હે વત્સ ! તારી માતા કુશળ છે?” એટલે અભયકુમારે અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે ‘હે સ્વામી ! ભ્રમરીની જેમ તમારા ચરણકમળને સંભારતી મારી આયુષ્યમતી માતા હાલ આ નગરની બહારના ઉદ્યાનમાં જ છે.' તે સાંભળી અમદ આનંદ પામતા રાજાએ નંદાને લાવવા માટે અભયકુમારને આગળ કરી બધી સામગ્રી ત્યાં માકલી અને પછી મનમાં ઘણી ઉત્કંઠા લાવી કમલિની પાસે રાજસ જાય તેમ પોતે પણ નદાની સામે ગયા. રાજાએ ઉદ્યાનમાં આવીને આનંદયુક્ત ચિત્તે નંદાને જોઈ. પર`તુ વિયાગ દુ:ખે પીડિત નંદાના કકણા શિથિલ થઈ ગયા હતા, કપાળ ઉપર કેશ લટકતા હતા, નેત્ર કાજળ વગરના હતા, માથે કેશપાશ છુટા હતા, મલીન વસ્ત્રો પહેર્યાં' હતા, અને શરીરની કૃશતાથી બીજના ચંદ્રની કળા જેવી તે દેખાતી હતી, આવી નંદાને મળી તેને આનંદ પમાડી રાજા પોતાના મહેલમાં તેડી લાવ્યા અને સીતાને રામની જેમ તેણે તેને પટરાણી પદ આપ્યુ, અભયકુમારને પાતાની બેન સુસેનાની પુત્રી, સ` મ`ત્રીઓમાં મુખ્યતા અને અર્ધ રાજ્ય આપ્યું. પિતા ઉપર પૂર્ણ ભક્તિથી પેાતાને તેમના એક સેવક તુલ્ય માનતા અભયકુમારે થોડા સમયમાં પેાતાની બુદ્ધિવડે દુઃસાધ્ય રાજાઓને પણ સાધી લીધા.
વસુધારૂપી વધુના મુગટના માણિકય જેવી અને લક્ષ્મીથી વિશાળ વશાળી નામે માટી નગરી છે. તેમાં ઈંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળા અને શત્રુ રાજાઓને સેવક કરનારા ચેટક નામે રાજા રાજ્ય કરે છે. તેને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી, જેઓ રાજ્યના સાત અંગની અધિષ્ઠાયિકા સાત દેવીઓ હોય તેવી લાગતી હતી, તેમના પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ટા, સુજ્યેષ્ઠા અને ચિહ્નણા એવા અનુક્રમે નામ હતા. ચેટક રાજા શ્રાવક હતા. તેણે બીજાને (પાતાના પુત્ર પુત્રીના પણ) વિવાહ કરવાની ખાધા લીધી હતી, તેથી તેણે કોઇને પોતાની કન્યા આપી નહી. તે બાબતમાં ઉદાસીન વૃત્તિ રાખીને રહ્યો. એટલે કન્યાઓની માતાએ તે બાબતમાં ઉદાસીન એવા રાજાની કોઇ પ્રકારે સમતિ મેળવીને તેએમાંથી પાંચ કન્યાએ ચેાગ્ય વરને આપી. વીતભય નગરના રાજા ઉદ્યાયનને પ્રભાવતી આપી, ચપાપતિ દધિવાહન રાજાને પદ્માવતી આપી. કૌશાંભીના રાજા શતાનીકને મૃગાવતી આપી. ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતનને શિવા આપી. કું‘ડગ્રામના અધિપતિ નદ્ધિન રાજા જે શ્રી વીર ભગવતના જ્યેષ્ટ ખંધુ હતા, તેને જ્યેષ્ટા આપી. સુજ્યેષ્ઠા અને ચિલ્લણા એ એ કુમારી રહી. તે બંને પરસ્પર રૂપશ્રીની ઉપમાપ હતી. દિવ્ય આકૃતિવાળી અને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી તે બંને પુન
Page #104
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું ર્વિસુ નક્ષત્રના બે તારાની જેમ સદા અવિયેગી (સાથે ને સાથે) રહેતી હતી. કળા કલાપમાં કુશળ અને સર્વ અર્થને જાણતી તે બંને જાણે મૂત્તિમાન સરસ્વતી હોય તેમ માંહેમાંહે વિદ્યાવિદ કરતી હતી. બંને સાથે જ દેવપૂજા કરતી, સાથેજ ધમ સાંભળતી અને એક સ્વરૂપવાળી હોય તેમ બીજુ સર્વ કાર્ય સાથેજ કરતી હતી.
એક વખતે કઈ સ્થવિરા તાપસી સુચેષ્ટા અને ચિલ્લણથી અલંકૃત એવા કન્યાએના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાનીની સભાની જેમ તેમની આગળ પણ “શૌચમૂળ ધર્મ જ પાપને નાશ કરનાર છે” એમ ગાલ ફુલાવીને કહ્યું. તે સાંભળી સુષ્ઠા બોલી –“અરે! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે અને અશુભ આશ્રવ પાપનો હેતુ છે, તો તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુક્તિવાળા દષ્ટાંત આપી ગુણવડે જયેષ્ટ સુજયેષ્ઠાએ તેના શૌચમૂળ ધર્મને ખંડિત કરી નાંખે. પછી જાણે મુખને મુદ્રિત કર્યું હોય તેમ તે તાપસી નિરૂત્તર થઈ ગઈ એટલે અંતઃપુરની દાસીઓ મુખ મરડી મરડીને તેને હસવા લાગી અને પિતાની સ્વામીનીના જયથી ઉન્મત્ત થયેલી તે દાસીઓએ મોટે કોલાહલ કરી તે તાપસીને કંઠે પકડીને કાઢી મૂકી. તે તાપસી લેવા જતાં ઉલટું ખાઈને આવી હોય તેમ પૂજાને માટે જતાં ઉલટી અનર્થને પામી. તાપસીએ ત્યાંથી નીકળતાં વિચાર્યું કે, “આ સુચેષ્ટા ગર્વ પામી છે, માટે તેને ઘણું સપનીઓમાં પાડી દુ:ખનું પાત્ર કરૂં.' આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ પિંડસ્થ ધ્યાનની લીલાથી સુજ્યેષ્ઠાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આળેખી લીધું.
સુચેષ્ટાનું રૂપ આલેખીને ક્રૂર તાપસી ત્વરાથી રાજગૃહ નગરે આવી અને રાજા શ્રેણિકને તે ચિત્ર બતાવ્યું. નેત્રરૂપ મૃગની મૃગજળરૂપે ચિત્રલિખિત રમણીને જોઈને રાજગૃહપતિ શ્રેણિક અનુરાગથી તેનું વર્ણન કરવા લાગે-“અહા ! આ બાળાનું શું મનોહર રૂપ છે! મયુરના કલાપ તે તેના કેશપાશના દાસપણાને પામે છે, તેનું મનોહર નેત્રવાળું મુખ જેમાં ભ્રમર લીન હોય તેવા કમળ જેવું છે, તેનો કંઠ શંખનું અવલંબન કરે છે, સ્તનભૂષિત ઉરસ્થળ ક્રીડા કરતા કાકપક્ષીવાળા સરોવર જેવું છે, નિતંબ ધનુર્ધાર કામદેવને ખેલવા ગ્ય ભૂમિ જેવા સવિસ્તર છે, સાથળ અનુક્રમે વર્તલ હોવાથી ગજબંધના વિલાસને હરનાર છે. જઘા કમળના જેવી સરલ અને કમળ છે અને સરલ જઘાવાળા ચરણ ઉંચા નાળવાવાળા કમળ જેવા છે. અહા ! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌંદર્ય, ઉજ્જવળ લાવણ્ય અને બીજું સર્વ પણ ઘણું રમ્ય છે.” આ પ્રમાણે વર્ણન કર્યા પછી તેના પર મોહિત થયેલા શ્રેણિકે તાપસીને પૂછ્યું કે, હે મહાભાગે ! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આળેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી આળેખ્યું છે?” તાપસી બેલી –“જેવું રૂપ મેં જોયું તેવું યથાશક્તિ આળેખ્યું છે. હે રાજા ! જેવું આ ચિત્રમાં છે તેવું કદિ દર્પણમાં જણાતું હશે.” પ્રેમથી મોહિત થયેલે રાજા તે ચિત્રસ્થ રૂપને જાણે આલિંગના કરવાને કે ચુંબન કરવાને ઈચ્છતા હોય તેમ દેખાવા લાગ્યો, પછી બોલ્યો કે, “હે ભદ્ર! સતાવળીની જેમ આ બાળા કેના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે ? ક્ષીરસાગરને લક્ષમીની જેમ કયા ધન્ય પુરૂષની એ પુત્રી છે? કયા પવિત્ર અક્ષરે તેના નામમાં આવ્યા છે ? સરસ્વતીએ કઈ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? અને કઈ પુરૂષના કરે તેના કરને ચુંબિત કર્યો છે કે નહિ?તાપસી બોલી હે રાજન્ ? વૈશાલીનગરીના અધિપતિ અને હૈહયવંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની ૧૨
Page #105
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠ્ઠો આ કુમારી છે, સર્વ કળાનો ભંડાર છે અને સુજયેષ્ઠા તેનું નામ છે. ગુણ અને રૂપની ચેચતાથી તમે જ તેને વરવાને ગ્ય છતાં જે આને બીજે પતિ થશે તે તમે ત્રીજા પુરૂષાર્થ (કામ)થી છેતરાશે.” પછી રાજા શ્રેણિકે તે તાપસીને વિદાય કરી અને જાણે પાંખે મેળવીને વૈશાલી નગરીમાં જવાને ઈચ્છતો હોય તેમ તેને સંભારતો છતો રહેવા લાગ્યો.
બીજે દિવસે રાજગૃહપતિ શ્રેણિકે સુઠાની પ્રાર્થના કરવાને માટે એક દૂતને શિખવીને ચેટક રાજા પાસે મોકલ્યો. સંદેશ આપવામાં ચતુર એવો તે દૂત સદ્ય વિશાળામાં આવી ચેટક રાજાને નમીને બોલે કે-“હે રાજન્ ! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુકાની માગણી કરે છે. મહાન પુરૂષોને કન્યાની માગણી કરવી તે કદીપણ લજજાકારક નથી.” ચેટક રાજા બે કે-“અરે દૂત ! તારો સ્વામી પિતાથી અજાણ્યા લાગે છે કે જે, વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. સમાન કુળને વરકન્યાનો વિવાહ થ યેચું છે, બીજાને નહીં; માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું, તું ચાલ્યા જા.” દ્વતે આવી તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો, તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણે ખેદ પામ્યો. તે સમયે અભયકુમાર પિતાના ચરણકમલમાં ભ્રમરરૂપે થઈને ઊભે. હતો, તે બોલ્યો કે, “પિતાજી! શેક કરો નહીં, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ.” * પછી કળાકલાપના સાગર અભયકુમારે ઘેર જઈને એક પાટીઆપર મગધપતિ
ચેકનું રૂપ આલેખ્યું અને ગુટિકાથી વણ તથા સ્વર બદલાવી વણિકને વેષ લઈને તે વૈશાલી નગરીએ ગયા. ત્યાં ચેટક રાજાના અંતઃપુરની પાસે એક દુકાન ભાડે લીધી અને અંતઃપુરની દાસીઓ જે વસ્તુ લેવા આવે તે કફાયતે આપવા લાગ્યો. તેમજ તે દાસીઓ જુએ તેમ પટ ઉપર આલેખેલા શ્રેણિક રાજાની નિત્ય પૂજા કરવા લાગ્યો. તે જોઈ દાસીએ પૂછયું કે-“આ ચિત્ર કેવું છે !” એટલે તેણે કહ્યું કે, “આ રૂપ શ્રેણિક રાજા જે મારા દેવ તુલ્ય છે તેનું છે. શ્રેણિકનું દૈવીરૂપ દાસીઓના જોવામાં આવ્યું, તેવું તેણે વર્ણન કરીને સચેષ્ઠાને કહ્યું, સુઠાએ પિતાની સખી જેવી એક સર્વથી છ દાસી હતી, તેને આજ્ઞા કરી કે, “તે શ્રેણિકનું ચિત્ર મને સત્વર લાવીને બતાવ, તે જોવાનું મારા મનમાં ઘણું કૌતુક છે. તે દાસીએ અભયકુમારની દુકાને આવી ઘણા આગ્રહથી તે ચિત્ર લઈ જઈને સુષ્ઠાને બતાવ્યું. અત્યંત સુંદર ચિત્ર જોઈ સુચેષ્ઠા ગિનીની જેમ નેત્રકમલને સ્થિર રાખી તેમાં લીન થઈ ગઈ. ક્ષણવાર તેમજ રહ્યા પછી સત્વર એકાંતે જઈ તે સખી કે જે તેના ગુપ્ત અભિપ્રાયરૂપ સર્વવને રાખવાની નિધાનભૂમિ જેવી હતી, તેને કહ્યું કે, “સખી ! જેનું આ સુંદર ચિત્ર છે, તેને હું પતિ કરવાને ઇચ્છું છું. તેની સાથે જોડી દેવાને મારે વિધિ કોણ થશે ? જે આ મનહર યુવાન મારા પતિ નહીં થાય, તો મારું હૃદય પાકેલા ચીભડાની જેમ દ્વિધા થઈ જશે, તેમાં જરા પણ સંશય નથી. માટે હે ભદ્રે ! અહીં શે ઉપાય કરે? તે કહે. મને તો ખરો ઉપાય તેના રૂપને પૂજન કરનાર વણિકનું શરણ લેવું, તેજ લાગે છે. માટે હે યશસ્વિની ! હે મારા કાર્યની ધુરાને વહન કરનારી! તું સત્વર જઈને તે વણિકને પ્રસન્ન કર અને પાછી શીધ્ર આવી તેને સદેશે મને કહે. તારું કલ્યાણ થાઓ.” ' દાસીએ દુકાને આવી વણિકરૂપ અભયકુમારની પ્રાર્થના કરી. અભયકુમારે કહ્યું કે, “હું થોડા વખતમાં તમારી સખીને મનોરથ પૂર્ણ કરીશ. હું એક સુરંગ ખોદાવી તે દ્વારા રાજા શ્રેણિકને અહીં લાવીશ. તે વખતે જે રથ આવે તેમાં તારી સખીએ તત્કાળ બેસી જવું, તમારી સ્વામીની શ્રેણિકને આવેલા જેઈ આ ચિત્રમાં આલેખેલા રૂપની સાથે તેમને મેળવી હર્ષ પામશે.” આ પ્રમાણે કહ્યા પછી “અમુક સ્થાને, અમુક દિવસે, અને અમુક ૧ વિધાતા–બ્રહ્માતુલ્ય.
Page #106
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું વખતે શ્રેણિક રાજા સુરંગદ્વાર આવશે. એવો ચક્કસ તેને મુખે સંકેત કર્યો. દાસી તે પ્રમાણે સુષ્ઠાને કહી પાછી આવીને અભયકુમાર પ્રત્યે બોલી કે તમારું વચન પ્રમાણે છે.” પૂછી તે અંત:પુરમાં પુનઃ ચાલી ગઈ. અભયકુમારે દુકાન સમેટી રાજગૃહ નગરે જઈ પિતાને તે સંકેતની સર્વ વાત કહી સંભળાવી અને સુરંગ કરાવવાની તજવીજમાં તત્પર થયે.
અહીં સુપેઠા જ્યારથી શ્રેણિક રાજાનું ચિત્ર જોયું ત્યારથી શ્રેણિકરાજાનું જ સ્મરણ કરતી કામને વશ થઈ છતી ઘણી અરતિ પામવા લાગી. એમ કરતાં કરતાં સંકેતને નિર્ણય કરેલો દિવસ આવ્યું, એટલે શ્રેણિક રાજા સુલસાના બત્રીશ પુત્રોની સાથે સુરંગના દ્વાર પાસે આવ્યા. પછી સુલસાના પુત્રોને રથ સહિત સાથે લઈ વૈતાઢયની ગુફામાં ચક્રવતીની જેમ શ્રેણિક રાજા સુરંગમાં પેઠો. સુરંગને બીજે દ્વારે નીકળ્યા એટલે મગધપતિએ સુજ્યેષ્ઠાને દીઠી. તેને ચિત્ર પ્રમાણેજ મળતી જોઈ ઘણે હર્ષ પામ્યા. સુષ્ઠાએ આ સર્વે વૃત્તાંત સખીભાવથી ચિલણને જણાવીને તેની રજા માગી એટલે ચિલ્લણ પ્રતિજ્ઞા પૂર્વક બોલી કે, હું તારા વગર એકલી રહીશ નહીં.” પછી સુચેષ્ઠા ચિલ્લણને રથમાં બેસારી પિતે સત્વર રત્નને કરડીઓ લેવા ગઈ. તે સમયે તુલસાના પુત્રોએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામી ! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી. સુલસાના પુત્રોની પ્રેરણાથી રાજા ચિલણાને લઈ તે સરગને માર્ગે જેમ આવ્યું હતું તેમ પાછો ચાલી નીકળ્યા. સુચેષ્ઠા રનનો કરંડીઓ લઈને આવી, ત્યાં તો વાદળામાં ઢંકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયા નહીં. તેથી પિતાની બેનનું હરણ થયું અને પોતાને મરથ સિદ્ધ થયા નહીં, એવું ધારી તેણે ઉંચે સ્વરે પોકાર કર્યો કે-“અરે ! દડો ! દડે ! હું લુંટાણી ! મારી બેન ચિલ્લણાનું હરણ થયું !” તે સાંભળતાંજ ચેટકરજા તૈયાર થઈ ગયા. તેને તૈયાર થતાં જોઈ વીરંગક નામના રથીએ કહ્યું, “સ્વામી! હું છતાં તમારે આવો આક્ષેપ કર એગ્ય નથી.” એમ કહી વીરંગક યુદ્ધ કરવાને સજજ થઈ કન્યાને પાછી લાવવા માટે સુરંગને દ્વારે ગયા. ત્યાં સુલતાના પુત્રોને જાતા જોઈ મહાબાહુ વીરંગકે તેમને એક બાણથી મારી નાંખ્યા. સુરંગ સાંકડી હોવાથી તેમના રથોને વીરંગક બાજુ પર કરવા રહ્યો, તેટલામાં તો મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વીરંગને પાછા ફરી તે સર્વ વૃત્તાંત ચેટક રાજાને કહ્યો. પિતાની દુહિતાના હરણથી અને તે બત્રીશ રથિના મરણ પામવાથી ચેટકરાજાનું મન એક સાથે રોષ અને તોષથી પૂરાઈ ગયું. એ હકીકત સાંભળી સુજ્યેષ્ઠાએ ચિંતવ્યું કે, “અહો ! વિષયની લોલુપતાને ધિક્કાર છે. વિષયસુખની ઈરછા કરનારા મનુષ્યો આવી વિટંબનાએ પામે છે.” આવા વિચારથી સંસારપર વિરક્ત થયેલી સુષ્ઠાએ ચેટકરાજાની રજા લઈ ચંદના આર્યાની પાસે દીક્ષા લીધી. - અહીં રાજા શ્રેણિક પિતાના રથમાં બેઠેલી ચેલણને સુચેષ્ઠા ધારી “હે સુષ્ઠા, હે સુચેષ્ઠા !” એમ બોલાવવા લાગ્યા. ત્યારે ચેલાએ કહ્યું કે “સુયેઠા આવી નથી, હું તો સુષ્ઠાની નાની બેન ચલ્લણું છું.' શ્રેણિક બેલ્યા- હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી ! મારે પ્રયાસ વ્યર્થ નથી, તું પણ સુજ્યેષ્ઠાથી કાંઈ ન્યૂન નથી.” ચેલણ પતિના લાભથી અને બેનને છેતરવાથી એક સાથે હર્ષ અને શોકથી લિપ્ત થઈ. રાજા શ્રેણિક પવન જેવા વેગવાળા થવડે શીઘ્ર પિતાના નગરમાં આવ્યા. તે ખબર સાંભળી અભયકુમાર પણ તરત તેની પાસે આવ્યા પછી શ્રેણિક રાજાએ ગાંધર્વવિવાહથી ચેલ્લણાનું પાણી ગ્રહણ કર્યું.
આ પછી રાજાએ નાગ અને સુલસાની પાસે જઈ તેના પુત્રોના મૃત્યુના ખબર આપ્યા. તે દંપતી રાજા પાસેથી પુત્રીનું અમંગળ સાંભળી મુક્તકઠે રૂદન કરતા છતા વિલાપ કરવા
Page #107
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠ્ઠો લાગ્યા–“અરે કૃતાંત ! તું ખરેખર કૃતાંતજ છે. તે અમારા પુત્રોને એક સાથે નાશ કેમ કર્યો? શું તેઓ બધા એક સાથે તારી સાંકળમાં આવી ગયા? પક્ષીઓને ઘણાં બચ્ચાં થાય છે. પણ તેઓ અનુક્રમે મૃત્યુ પામે છે, કદી પણ એક સાથે મરતા નથી. અથવા શું પરસ્પરના સ્નેહને લીધે તેઓ એક સાથે મરી ગયા ? વા શું અમને બંનેને નિઃસ્નેહ જાણ્યા કે જેથી મૃત્યુએ તેમને અમારી પાસેથી ઠગી લીધા?” આ પ્રમાણે તારસ્વરે રૂદન કરતા તેઓને શ્રેણિક રાજાની સાથે આવેલ અભયકુમાર, તત્ત્વવેત્તા આચાર્યની જેમ, બંધ કરવા લાગે કે-“અરે મહાશ ! જન્મધારી પ્રાણીઓને મૃત્યુ તો પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે, તો સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીને ખેદ કરે એગ્ય નથી.” આ પ્રમાણે અભયકુમારે તે દંપતીને સમજાવ્યા. પછી ગ્ય વચન કહી શ્રેણિક રાજા અભયકુમાર સહિત રાજમહેલમાં આવ્યા.
મગધપતિ શ્રેણિક, ઈદ્રાણી સાથે ઈદ્રની જેમ, ચેલણદેવીની સાથે નિર્વિને ભોગ ભેગવવા લાગ્યા. પેલે ઔષ્ટ્રીકા વ્રત કરનાર સેનક તાપસ જે વ્યંતર થયો હતો, તે વ્યંતરપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ચેલાની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તે ગર્ભના દોષથી ચલણને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો કે જે રાક્ષસીને પણ થાય નહીં. પતિભક્તિને લીધે ચલણુ તે દેહદ કોઇને પણ કહી શકી નહીં, તેથી દેહદ પૂર્ણ ન થવાને લીધે તે દિવસના ચંદ્રની જેમ ગ્લાનિ પામવા લાગી. આવા દુર્દોહદથી ગર્ભથી વિરક્ત થયેલી ચેલણાએ પાપને પણ અંગીકાર કરીને તે ગર્ભને પાડવા માંડ્યો પણ તે પડ્યા નહીં. જળ વગરની વેલડીની જેમ ચિલણને શરીરે સુકાતી જોઈ રાજાએ પ્રેમબંધુર વાણુથી તેનું કારણ પૂછ્યું“હે પ્રિયે ! શું મેં કાંઈ તમારે પરાભવ કર્યો છે ? વા કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? શું કઈ દુઃસ્વપ્ન જોવામાં આવ્યું છે? વા શું તમારો કોઈ મનોરથ ભગ્ન થયો છે ?” આ પ્રમાણે રાજાએ બહુ આગ્રહથી પૂછયું, એટલે જાણે વિષપાન કરતી હોય તેમ ગદ્દગદ્દ અક્ષરે તેણે તેનું ખરેખરૂં કારણ કહી આપ્યું. પછી હું તમારે દેહદ પૂરીશ” એમ પ્રિયાને આશ્વાસન આપી શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે આવો તે વાત કરીને પૂછયું કે, “આ દેહદ શી રીતે પૂરો ?” અભયે શ્રેણિક રાજાના ઉદર ઉપર સસલાનું માંસ બાંધી તેને ચર્મથી આચ્છાદિત કર્યું અને પછી તેને સવળા સુવાર્યા. શ્રેણિકની આજ્ઞાથી ચેલ્લણ રાક્ષસીની જેમ એકાંતે તે માંસ અવ્યગ્રપણે ભક્ષણ કરવા લાગી. જ્યારે તે માંસ તોડી તેડીને ખાતી હતી ત્યારે જાણે નટવિદ્યાને અભ્યાસી હોય તેમ રાજા વારંવાર કૃત્રિમ મૂછ પામતો હતો. તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતાં ચેલણનું હદય કંપાયમાન થતું અને ગર્ભ સંબંધી વિચાર કરતાં તે ક્ષણવાર ઉલ્લાસ પામતી. આવી રીતે બુદ્ધિના પ્રયોગથી ચેલણાને દેહદ પૂર્ણ થયો, પણ પછી “અરે હું પતિને હણનારી પાપિણી છું' એમ બેલતી બેલતી તે મૂછ પામી ગઈ. રાજાએ ચેલણાને સાવધ કરી પોતાનું અક્ષત શરીર બતાવ્યું. તે દર્શન થતાં સૂર્યદર્શનથી કમલિનીની જેમ તે ઘણો હર્ષ પામી.
નવ માસ પૂરા થયા એટલે ચંદનને મલયાચલની ભૂમિ પ્રસરે તેમ તે ચેટકકુમારીએ એક પુત્રને જન્મ આપ્યો. તત્કાળ ચેલ્લાએ દાસીને આજ્ઞા કરી કે, “આ બાળક તેના પિતાનો ઘેરી છે માટે એ પાપીને સર્પના બચ્ચાની જેમ કાંઈક દૂર લઈ જઈને ત્યજી દે.' દાસીએ તેને લઈને અશક વનની ભૂમિમાં જઈ મૂકી દીધો. ત્યાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયેલા દેવની જેમ તે પ્રકાશ કરતો છતો શોભવા લાગે. તે બાળકને મૂકીને આવતી દાસીને જોઈને રાજાએ પૂછયું કે, ‘તું ક્યાં ગઈ હતી?” એટલે તેણીએ જેવું હતું તેવું સ્વરૂપ કહી દીધું.
Page #108
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું તરત જ રાજા અશેકવનમાં ગયે અને તે પુત્રને જોઈ સ્વામીના પ્રસાદની જેમ પ્રીતિવડે બે હાથે ગ્રહણ કરી લીધું. પછી તેને લઈ ઘેર આવીને ચેલ્લણને કહ્યું કે, “અરે! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાર્ય કેમ કર્યું? કે જે ચંડાળ પણ કરે નહિ. જે દુશ્ચારિણી, અધમી કે સાક્ષાત્ કર્કશા હોય તે પણ પોતાના ગોલક કે કુંડ જાતિના પુત્રને પણ તજી દેતી નથી.” ચેલણું બલી-“હે નાથ! આ પુત્રરૂપે તમારે વૈરી છે, કારણ કે જે ગર્ભમાં આવતાં જ મને મહા પાપકારી દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી જ મેં તેને જન્મ થતાં છોડી દીધું હતું. કેમકે પતિનું કુશળ ઈચ્છનારી સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય પણ જે તે પતિને અહિતકારી હોય તો તેથી શું ?” પછી શ્રેણિક રાજાએ કહ્યું કે, જે આ
યેષ્ઠ પુત્રને તું છોડી દઈશ તો તારે બીજા પુત્રો પણ જળના પરપોટાની જેમ સ્થિર રહેશે નહીં.' આવી પતિની આજ્ઞાથી જો કે તે ઈચ્છતી નહોતી તો પણ સર્પની જેમ તે બાળકને સ્તનપાન કરાવીને ઉછેરવા લાગી.
ચેલણાનો તે પુત્ર કાંતિએ ચંદ્ર જે હતો અને અશોક વનમાં જ પ્રથમ જોવામાં આવ્યો હતો તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર નામ પાડયું. જ્યારે તેને વનમાં છોડી દીધે હતો ત્યારે તેની કનિષ્ઠિકા આંગળી કે જે અશોક વૃક્ષના દલ જેવી કે મળી હતી, તે કકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતાં તે બાળકની આંગળી કે જે રૂધિર-પરૂથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાંખી એટલે એ બાળક તે બંધ રહ્યો. અનુક્રમે કેટલેક દિવસે તે આંગળીનું ત્રણ તે રૂઝાઈ ગયું, પણ તે આંગળી બુઠી રહી, તેથી તેની સાથે ધૂલિકીડા કરનારા બાળકે તેને કુણકરે કહેવા લાગ્યા.
ત્યાર પછી ચેલણું દેવીને હૃદયકમળમાં સૂર્યરૂપ હલ અને વિહલ નામે બીજા બે પુત્રો થયા. ચેલ્લણના આ ત્રણે પુત્રો મેટા થયા એટલે જાણે મૂર્તિમાન પ્રભુત્વ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે શક્તિ હોય તેમ નિત્ય રાજાને અનુસરનારા થયા. તેમની મા પિતાના ષી કણિકને ગેળને લાડુ અને હલ વિહલને ખાંડના લાડુ હમેશાં એકલતી હતી. પૂર્વ કમથી દૂષિત એ કુણિક આ પ્રમાણેને ટાળે શ્રેણિક જ કરે છે એવું હમેશાં મનમાં વિચારતે અનુક્રમે કુણિક મધ્યમ વય(યૌવન)ને પ્રાપ્ત થયે, એટલે સનેહવાળા શ્રેણિકે મેટા ઉત્સવથી તેને પદ્માવતી નામની રાજપુત્રી સાથે પરણું .
શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીને ગજેના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યા. અન્યદા તેને મેઘવૃષ્ટિમાં ભ્રમણ કરવાને દેહદ થયે. રાજાની આજ્ઞાથી અભયકુમારે દેવતાની આરાધના કરીને તે દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તેણે મેઘકુમાર નામના પુત્રને જન્મ આપે.
પૂર્વે એક બ્રાહ્મણે યજ્ઞ કરવા માંડયો હતો, તેમાં નોકર રહેવા એક દાસને તેણે પૂછયું, દાસે કહ્યું કે, “જે મને બ્રાહ્મણે જમતાં વધેલી રઈ આપે તે હું રહું, અન્યથા રહીશ નહિ.” બ્રાહ્મણે તે વાત સ્વીકારી એટલે તે દાસ યજ્ઞના વાડામાં રહ્યો. પછી શેષ રહેલી રસોઈમાં જે મળે તે બધું પેલે દાસ હમેશાં સાધુ મુનિરાજને વહોરાવવા લાગ્યા. તેના પ્રભાવથી દેવતાનું આયુષ્ય બાંધીને તે દાસ દેવલોકમાં ગયે અને સ્વર્ગમાંથી યવીને તે શ્રેણિક રાજાને નંદીષેણ નામે પુત્ર થયો. પેલા યજ્ઞ કરનાર બ્રાહ્મણનો જીવ અનેક નિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો,
એક અરણ્યની અંદર મોટા હરિતચૂથમાં બળમાં દિગ્ગજના કુમાર જે એક ચૂથપતિ હાથી હતો. તે કઈ પણ બીજો યુવાન હાથી આ હાથિઓને સ્વામી (ઈચ્છક) ન થાઓ”
૧ પતિ મૃત્યુ પામ્યા પછી બીજા જારથી થયેલે પુત્ર કુંડ કહેવાય છે અને પતિ વિદ્યમાન છતાં જારથી થયેલ પુત્ર ગેલિક કહેવાય છે. ૨ બુડી આંગળીવાળા
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
સગ ૬ ઠ્ઠો એવી બુદ્ધિથી પિતાની જે જે હાથિણીને બચ્ચાં આવતાં તેને જન્મતાંવેંત જ મારી નાખતો હતો. તે યથ માંહેલી એક હાથિણીના ઉદરમાં તે બ્રાહ્મણને જીવ ઉત્પન્ન થયા. ત્યારે તે ગર્ભિણી હોથિણીએ વિચાર્યું કે, “આ પાપી યથપતિએ મારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તો હવે કઈ પણ ઉપાય કરીને મારા આ પુત્રની રક્ષા કરીશ.” એ નિશ્ચય કરી જાણે વાયુથી પગ રહી ગયા હોય તેમ તે હાર્થિણી કપટથી લુલી લુલી ચાલવા લાગી. તેમ છતાં “આ
| બીજ યથપતિને ભાગ્ય ન થાઓ એમ ધારી હળવે હળવે ચાલતો યથપત તેની રાહ જેવા લાગે. કમેકમે તે એટલી બધી મંદગતિએ ચાલવા લાગી કે તેથી અર્ધા પહેરે, એક દિવસે અને બે દિવસે તે આવીને યથપતિને મળવા લાગી. “આ બીચારી અશક્ત છે, તેથી મને લાંબે કાળે મળે છે એમ ધારીને હાથીના દિલમાં વિશ્વાસ બેઠે. “માયાવીથી કે ન ઠગાય ? એક વખતે યુથપતિ દૂર જતાં તે હાથિણી માથા પર તૃણને પૂળો લઈને તાપસના આશ્રમમાં આવી. માથે પૂળ રાખતી અને પગે ખલિત થતી તે હાથિણને જોઈને “આ બિચારી હાથિણી શરણની ઈચ્છા રાખે છે એમ તાપના જાણવામાં આવ્યું. એટલે “હે વત્સ! તું વિશ્વાસ રાખીને સ્વસ્થ થા.” આ પ્રમાણે તેમણે કહ્યું. પછી તે પિતાના ઘરની જેમ તેમના આશ્રમમાં રહી. અનુકમે જ્યારે તે હાથિણીને પુત્રને પ્રસવ થયે ત્યારે તે પુત્રને તાપસના આશ્રમમાં મૂકીને પોતે પાછી પ્રથમની જેમ જ યુથમાં વિચારવા લાગી. કોઈ કોઈ વાર વચમાં ગુપ્ત રીતે આવી આવીને તે પોતાના બાળ કલભને સ્તનપાન કરાવી જતી હતી. તે બાલ ગજકમાર આશ્રમના વૃક્ષોની જેમ હળવે હળવે મોટો થયો, તાપસી પાકેલા નીવારના ગ્રાસથી અને શલકીના કવલથી પિતાના બાળકની જેમ તેનું પ્રેમથી પોષણ કરતા હતા. તે રાજકુમાર ક્રીડા કરતો છતે પોતાની સુંઢથી તપસ્વીઓના ઉત્સંગમાં પલાંઠી અને મસ્તક પર જટા મુગટ રચતે હતો. પાણીના ઘડાઓ ભરી ભરીને આશ્રમના વૃક્ષેનું સિંચન કરતા તાપસીને જોઈને તે કલભ પણ પોતાની સુંઢમાં જળ ભરી ભરીને વૃક્ષેનું સિંચન કરતો હતો. આ પ્રમાણે પ્રતિદિન આશ્રમના વૃક્ષેનું સિંચન કરવાથી તે કલભનું તાપસોએ “સેચનક નામ પાડયું. અનુક્રમે તેની સુંઢ સાથે વળગેલા દાંત ઉત્પન્ન થયા, નેત્ર મધુપિંગળ સરખા થયા, સુંઢ ભૂમિને સ્પર્શ કરવા લાગી, પીઠ ઉન્નત થઈ, કુંભ સ્થળ ઉંચા થયા, ગ્રીવા લઘુ થઈ, વેણુક (પૃષ્ઠ ભાગ) ક્રમથી નમી ગયા, સુંઢથી પુંછ જરાક જ ઉણું રહ્યું અને વિશ નથી શોભવા લાગ્યા. તેમ જ પાછલા ભાગમાં નીચે ને ગાત્રના ભાગમાં ઉચે થયે. આ પ્રમાણે હાથીનાં સર્વ લક્ષણે એ સંયુક્ત થયા અને અનુક્રમે તેના મુખ ઉપર મદ પણ ઝરવા લાગ્યા. - એક વખતે તે સેચનક નદીને તીરે પાણી પીવા ગયે, ત્યાં પેલે ચૂથપતિ તેના જેવામાં આવ્યું. તેની સાથે યુદ્ધ કરીને તેણે (સેચનકે) તેને મારી નાખ્યું. અને પોતે બધા યથને. પતિ થયો. પછી તેણે મનમાં વિચાર્યું કે, “જેમ મારી માતાએ મને કપટથી તાપસેના આશ્રમમાં ગુપ્ત રાખ્યો અને ત્યાં હું વૃદ્ધિ પામવાથી મારા પિતાને જેમ મેં મારી નાંખે તેમ એ આશ્રમમાં કઈ બીજે હસ્તી પણ વૃદ્ધિ પામીને તેવું કરી શકે, માટે એ આશ્રમજ રહેવા જોઈએ નહીં. આવું વિચારી તેણે તટને નદી ભાંગી નાંખે તેમ તે બધા આશ્રમને તેનું ઠેકાણું પણ ન જણાય તેવી રીતે ભાંગી નાંખ્યાં. પછી “આ દુરાત્મા હસ્તી આપણને કોઈ પણ આશ્રમમાં સુખે રહેવા દેશે નહીં.' એમ ધારીને તે તાપસેએ જઈ શ્રેણિક રાજાને કહ્યું કે, “એક હાથી સર્વ લક્ષણોથી સંયુક્ત હોવાથી રાજાને યોગ્ય છે. આપ માણસે મોકલે તો બતાવીએ.” તત્કાળ શ્રેણિક રાજાએ માણસો સાથે જઈ તે હાથીને પકડીને બાંધી લીધે અને પિતાના દરબારમાં આર્યો. “રાજાએ સેનાના અંગને વધારવાના કાતકી હોય
Page #110
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું છે.” આવા અસહ્ય બળવાળા હાથીને પણ રાજાએ બળાત્કારે બાંધી લીધે. “જળને અભેદ્ય ન હોવાની જેમ મનુષ્યોને શું અસાધ્ય છે ?” તે સેચનકના પગમાં સાંકળ નાખી નહતી પણ તે ક્રોધથી જાણે ચિત્રસ્થ હોય તેમ સુંઢ, પુંછ અને કાન સ્થિર કરીને રહ્યો હતો. તેવામાં સારે ભાગ્યે આપણા આશ્રમેનું કુશળ થયું. એમ વિચારીને પ્રસન્ન થતા પેલા તાપસો ત્યાં આવીને તે બાંધેલા હાથીને તિરસ્કાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ ! અમે તને લાલિત પાલિત કરી પિષણ આપી મોટો કર્યો ત્યારે તું ઉલટ અગ્નિની જેમ પિતાના જ સ્થાનને ઘાત કરનાર થયો. અરે દુર્મતિ ! અરે બળથી ઉન્મત્ત થયેલા ! તેં જે અમારા આશ્રમ ભાંગ્યા તે કર્મનું જ તને આ બંધન રૂપે ફળ મળ્યું છે.” આવા તાપસેના વચન સાંભળી હાથીએ વિચાર્યું કે, “જરૂર આ તપસ્વીઓએ જ કેઈ ઉપાયની રચના કરી મને આ દશાને પમાડ્યો છે. પછી તત્કાળ તેણે ક્રોધથી કદલીના સ્તંભની જેમ આલાનતંભને ભાંગી નાંખે અને કમળનાં બીસતંતુની જેમ તડતડાટ બંધન તેડી નાંખ્યા, પછી છુટો થઈ ક્રોધથી નેત્ર અને મુખ રાતાં કરી ભ્રમરની જેમ પેલા તાપસોને દૂર ફેંકી દીધા અને પિતે અરણ્ય તરફ દેડ.
શ્રેણિકરાજા અધારૂઢ થયેલા પુત્રને લઈને તે હાથીની પછવાડે દેડ, અને મૃગયામાં પ્રાપ્ત થયેલા મૃગની જેમ તેને ચારે તરફથી ઘેરી લીધો. તે મત્ત ગજેદ્ર જાણે વ્યંતરગ્રસ્ત થયે હોય તેમ મહાવતના પ્રલોભનને કે તિરસ્કારને જરા પણ ગણતો નહોતો, પરંતુ નંદીનું વચન સાંભળીને અને તેને જોઈને તે શાંત થઈ ગયો. તે જ વખતે તેણે અવધિના નથી પિતાને પૂર્વ જન્મ જાણી લીધું. પછી નંદીષણ તરતજ તેની પાસે આવી તેની કક્ષાનું આલંબન કરી દાંત ઉપર પગ દઈને તેના ઉપર આરૂઢ થયો અને તેના કુંભ સ્થળ ઉપર ત્રણ મુષ્ટિ મારી. નંદીષેણના વચનથી દેતઘાત વિગેરે ક્રિયા કરતો તે હાથી જાણે શિક્ષિત હોય તેમ બંધન સ્થાનકે આવ્યા. પછી શ્રેણિકે તે હાથીને પટ્ટો આપે અર્થાત્ પિતાનો પટ્ટહસ્તિ ઠરાવ્યું અને યુવરાજની જેમ તેને પિતાને પ્રીતિપાત્ર કર્યો. શ્રેણિકરાજાને કુલીન પત્નીઓથી બીજા પણ કાળ વિગેરે ઘણું પરાક્રમી પુત્ર થયા.
શ્રી વિરપ્રભુ ભવ્ય પ્રાણીઓને બોધ કરવા માટે વિહાર કરતા સુર અસુરને પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા. ત્યાં ગુણશીલ ચૈત્યમાં દેવતાઓએ કરેલા સત્યવૃક્ષથી શોભિત સમવસરણમાં પ્રભુએ પ્રવેશ કર્યો. વીરપ્રભુને સમવસર્યા સાંભળી શ્રેણિક રાજા પુત્ર સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા આવ્યા. પ્રભુને પ્રદક્ષિણું કરી, નમી, યોગ્ય સ્થાને બેસીને ભક્તિમાનું શ્રેણિક રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે ત્રાતા ! જગતને જીતનારા તમારા બીજા ગુણો તે એક તરફ રહ્યા પણ માત્ર ઉદાત્તશાંત એવી તમારી મુદ્રાએ જ આ ત્રણ જગતને જીતી લીધા છે. તેથી મેરૂ તૃણ સમાન અને સમુદ્ર ખાબોચીઆ જે થઈ ગયું છે. સર્વ મટાઓથી પણ મેટા એવા તમને જે પાપીઓએ છોડી દીધા છે, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને જે અજ્ઞાનીઓએ તમારા શાસનના સર્વસ્વને સ્વાધીન કર્યું નથી, તેઓએ અમૃતને પ્રાપ્ત કરીને વૃથા કર્યું છે. જે તમારી ઉપર પણ ગુચ્છાકાર (વાંકી) દષ્ટિ ધારણ કરે છે, તેને સાક્ષાત્ અગ્નિનું શરણ જ પ્રાપ્ત થાય છે. તે વિષે વધારે શું કહેવું ? જેઓ બીજા શાસન સાથે તમારા શાસનની તુલના કરે છે, તે હતાત્માઓ અમૃત અને વિષને સમાન ગણે છે. જે તમારા ઉપર મસરભાવ ધરે છે, તેઓ બહેરા અને મુંગા થાય છે, કારણ કે પાપકર્મથી શુભ પરિણામની વિકળતાજ થાય છે. જેઓ તમારા શાસનરૂપ અમૃતરસથી હમેશાં પિતાના આત્માને સિંચન કરે છે, તેઓને મારી ૧. અહીં જાતિસ્મરણ જ્ઞાનનો સંભવ છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ડ્રો
પ્રણામાંજલિ છે અને અમે તેમની ઉપાસના કરીએ છીએ. જેમના મસ્તક ઉપર તમારા ચરણનખના કિરણે ચિરકાળ ચુડામણિ થઈ રહે છે, તે ભૂમિને પણ નમસ્કાર છે, એથી બીજું શું કહીએ. હું ધન્ય છું, સફળ જન્મવાળો છું અને કૃતાર્થ થયે છું કે જે તમારા ગુણગ્રામની રમણીયતામાં લંપટ રહ્યો છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રેણિક રાજા વિરામ પામ્યા પછી શ્રી વીરપ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમકિતને આશ્રય કર્યો અને અભયકુમાર વગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશનાને અંતે પ્રભુને પ્રણામ કરી તેમની વાણીથી પ્રસન્ન થયેલા પુત્રની સાથે શ્રેણિકરાજા સ્વસ્થાનકે ગયા.
શ્રેણિક રાજા રાજભવનમાં ગયા પછી તેમના મેઘકુમાર નામના પુત્રે તેમને અને ધારિણીદેવીને ભક્તિથી અંજલિ જોડી ઉદાર વચને વિજ્ઞપ્તિ કરી કે-“તમે એ ચિરકાળ મારૂં લાલનપાલન કર્યું છે, હું કેવળ તમોને શ્રમ આપનાર થયે છું, તથાપિ આટલી વિશેષ પ્રાર્થના કરું છું કે, હું આ અનંત દુઃખદાયી સંસારથી ચકિત થઈ ગયો છું, અને તે સંસારના તા૨ક શ્રી વીરપ્રભુ સ્વયમેવ અહીં પધાર્યા છે, તો તમે મને આજ્ઞા આપી કે, જેથી હું સંસારભરૂના શરણરૂપ શ્રી વીરપ્રભુના ચરણમાં જઈને દીક્ષા લઉં.” શ્રેણિક અને ધારિણી પુત્રનાં આવાં વચન સાંભળીને બોલ્યા કે “પુત્ર ! આ વ્રત કાંઈ સહેલું નથી, તો તુ કે મલાંગ થઈને તેને શી રીતે પાળી શકીશ ?” મેઘકુમાર બોલ્યા “હે પૂજ્ય ! હું સુકુમાર છું છતાં સંસારથી ભય પામેલો હોવાથી તે દુષ્કર વ્રતને આદરીશ; માટે મારા પર પ્રસન્ન થાઓ. હે માતપિતા ! જે મૃત્યુ માતપિતાના ઉસંગમાંથી પણ પત્રાદિકને ખેંચી લે છે, તે મૃત્યુને પ્રભુના ચરણને અનુસરવાથી હું છળ કરી છેતરીશ.” શ્રેણિક બેલ્યાવસ ! જે કે તું સંસારથી ઉદ્વિગ્ન થયે છું, તથાપિ મારા રાજ્યને એક વાર ગ્રહણ કર અને મારી દ્રષ્ટિને શાંતિ આપ.” મેઘકુમારે તેમ કરવાને સ્વીકાર્યું એટલે રાજાએ મોટા મહોત્સવથી તેને રાજ્યપર બેસાર્યો. પછી રાજાએ હર્ષના આવેશથી પૂછયું કે, “હવે હું તને બીજું શું કરી આપું?” મેઘકુમાર બે-પિતાજી ! જે મારા પર પ્રસન્ન થયા હો તે દીક્ષા ગ્રહણની ઇચ્છાવાળા મને કુત્રિકની દુકાનેથી રજોહરણ અને પાત્રાદિક મંગાવી આપ.” રાજા પિતાના વચનથી બંધાઈ ગયા હતા તેથી તેને કચવાતે મને પણ તેમ કરવું પડયું. પછી મેઘકુમારે પ્રભુની પાસે જઈને દીક્ષા લીધી.
પહેલી જ રાત્રે મેઘકુમાર મુનિ નાના મેટાના ક્રમથી છેવટના સંથારા ઉપર સુતા હતા, તેથી બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર તેના શરીર સાથે અથડાતા હતા. તેથી તેને વિચાર થયો કે, “હું વૈભવ વગરને હવાથી જ આ મુનિઓ મને પગથી સંઘટ કરતા જાય છે. કેમકે “સર્વ ઠેકાણે વૈભવ જ પૂજાય છે. માટે પ્રાત:કાળે પ્રભુની આજ્ઞા લઈને વ્રતને છોડી દઈશ.” આ વિચાર કરતાં કરતાં તેણે માંડમાંડ રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે વ્રતને છોડવાની ઈરછાથી તે પ્રભુની પાસે ગયા. સર્વજ્ઞપ્રભુ કેવળજ્ઞાનવડે તેને ભાવ જાણીને બોલ્યા કે, “અરે મેઘકુમાર ! સંયમના ભારથી ભગ્ન ચિત્તવાળો થઈ તું તારા પૂર્વભવને કેમ સંભારતે નથી? સાંભળ! આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢયગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતા. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થઈને તું સરોવરમાં પાણી પીવાને ગયો, ત્યાં કાદવમાં ખેંચી ગયો; તેથી નિર્બળ થઈ ગયેલા તને તારા શત્ર હસ્તીએ આવીને દંતાદિના બહુ પ્રહાર કર્યા. તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તેજ ૧ આ દેવાધિષ્ઠિત દુકાન હતી અને ત્યાંથી જે ચીજ માગે તે મળતી હતી.
Page #112
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મે
' ૯૭ નામનો ત વિંધ્યાચળમાં હાથી થયે. એક વખતે વનમાં દાવાનળ લાગેલો જોઈ જાતિસ્મરણ થવાથી તૃણ વૃક્ષ વિગેરેનું ઉમૂલન કરીને ચૂથની રક્ષાને માટે તે નદીકીનારે ત્રણ સ્થડિલે કર્યા. અન્યદા પાછો દાવાનળ પ્રગટ થયેલો જોઈ તું પેલા Úડિલ તરફ દોડ્યો, ત્યાં મૃગ વિગેરે જનાવરે એ આવીને પ્રથમથી બે ઈંડિલ તે પૂરી દીધા હતા, તેથી તું ત્રીજા સ્થડિલમાં ગયો. ત્યાં રહ્યા છતા શરીરને ખુજલી કરવાને માટે તે એક પગ ઉંચો કર્યો, તેવામાં પરસ્પર પ્રાણીઓના સંમર્દથી સંકડાઈ ગયેલ એક સસલે પગવાળી જગાએ આવીને ઊભો રહ્યો. પગ પાછો મૂકતાં તેને દયાપૂર્ણ હૃદયવાળે તું જેમ મદથી ઊભું રહે તેમ તે પગ ઉંચો રાખી ત્રણ પગે ઊભે રહ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થયે તેથી તે સસલા વિગેરે પ્રાણીઓ પિતપતાને ઠેકાણે ચાલ્યા ગયા, એટલે, ક્ષુધા તૃષાથી પીડિત એ તું પાણીને માટે દેડવા ગયે, પરંતુ ઘણીવાર સુધી ત્રણ પગે રહેવાથી એ પગ બંધાઈ જવાને લીધે તું ચાલી ન શકતાં પૃથ્વી પર પડી ગયા. ક્ષુધા અને તૃષાના દુઃખથી ત્રીજે દિવસે તું મૃત્યુ પામ્યો. પરંતુ સસલા પર કરેલી દયાના પુણ્યથી તું રાજપુત્ર થયો છું. તને માંડમાંડ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે, તો તેને વૃથા શા માટે ગુમાવે છે ? એક સસલાની રક્ષા કરવા માટે તે આટલું બધું કષ્ટ સહન કર્યું હતું તે અત્યારે સાધુઓના ચરણસંઘદૃના કષ્ટથી કેમ ખેદ પામે છે ? એક જીવને અભયદાન આપવાથી તને આટલું ફળ પ્રાપ્ત થયું તે સર્વ જીને અભયદાન આપનાર મુનિપણાને પ્રાપ્ત કરવાના ફળની તે વાત જ શી કરવી ? માટે તે જે વ્રતને સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને આ ભવસાગરને તરી જા, કારણ કે તેને ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લેકમાં ફરીને પામવું દુર્લભ છે.” * આવી પ્રભુની વાણીથી મેઘકુમારમુનિ વ્રતમાં સ્થિર થયા. તેણે રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યા દુષ્કૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડયું. એ પ્રમાણે સારી રીતે વ્રત પાળી મૃત્યુ પામીને તે વિજયવિમાનમાં દેવતા થયા. ત્યાંથી રયવી મહાવિદેહમાં ઉત્પન થઈને મોક્ષને પામશે.
એક દિવસ પ્રભુની દેશનાથી પ્રતિબધ પામેલા નંદીષેણે વ્રત લેવાની ઈચ્છાથી શ્રેણિકરાજાની રજા માગી. પિતાની સંમતિ મળવાથી તે વ્રત લેવાને ઘરથી બહાર નીકળ્યો, ત્યાં કેઈ દેવતાએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે, “વત્સ ! તુ વ્રત લેવાને ઉત્સુક કેમ થઈ જાય છે ? હજુ તારે ચારિત્રને આવરણ કરનારૂં ભેગફળ કર્મ બાકી છે. તે કમને ક્ષય થાય ત્યાં સુધી થોડોક કાળ ગૃહમાં રહે અને તે કમને ક્ષય થાય એટલે દીક્ષા લેજે. મતલબ કે અકાળે કરેલી ક્રિયા ફળીભૂત થતી નથી.” તે સાંભળી નંદીષેણે કહ્યું, “સાધુપણમાં નિમગ્ન થયેલા મને ચારિત્રમાં આવરણ કરનાર કર્મ શું કરી શકવાનું છે ?” આ પ્રમાણે કહી તે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ પણ તેને વાર્યો, તથાપિ તેણે ઉતાવળ કરીને પ્રભુના ચરણકમળ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપને આચરતા છતા નંદીષેણમુનિ પ્રભુની સાથે ગામ આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે ગુરૂની પાસે બેસી સૂત્ર અને સૂત્રના અર્થને નિત્ય વિચારતા હતા અને પરિસહે સહન કરતા હતા. ભેચ્યકર્મના ઉદયથી બળાત્કારે થતી ભેગની ઈચ્છાને નિરોધ કરવા તે તપસ્યાથી પિતાના શરીરને અધિક કૃશ કરતા હતા. ઈદ્રિયોના વિકારોને પરાભવ કરવાને માટે પ્રતિદિન સ્મશાન વિગેરે ભૂમિમાં જઈ ઘેર આતાપના લેતા હતા. જ્યારે વિકારે બળાકારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થઈને ઈદ્રિયોને શેષણ કરવા સ્વયમેવ તેને બંધ કરવામાં પ્રવર્તતા હતા. વતને લેતાં વારનાર દેવતા તેના બંધને છેદી નાખતે ત્યારે શરૂ૧૩
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
સગ ૬ મે
બ્રૂકે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા; પરંતુ દેવતા તેના શસ્રને કુઠિત કરી નાખતા હતા. વળી મરવાની ઇચ્છાથી ઝેર ખાતાં તે વિષના વીય ને દેવતા હરી લેતા અને જો અગ્નિમાં પેસતા તો અગ્નિને શીતલ કરી નાખતા હતા. કોઈવાર પવ ત ઉપરથી અપાપાત કરતા તા દેવતા તેને ઝીલી લઈને કહેતા કે હું 'દીષેણ! મારૂ વચન કેમ સ`ભારતા નથી ? અરે દુરાગ્રહી ! તીર્થંકરો પણ ભાગ્યફળ કર્મીને ભાગળ્યા વિના તેને ટાળવાને સમર્થ નથી, તે તમે પ્રતિદિન વૃથા પ્રયત્ન શા માટે કરા છે ?’ આ પ્રમાણે દેવતાએ તેને વારંવાર કહ્યુ', તો પણ તેણે માન્યું નહીં,
અન્યદા એકાકી વિહાર કરનારા નદીષેણુમુનિ નુ પારણુ કરવા ભિક્ષાને માટે નીકન્યા. અનાભાગના દોષથી પ્રેરાઈને તે એક વેશ્યાના ઘરમાં પેઠા, ત્યાં જઈને તેમણે ધર્મલાભ દીધા. એટલે ‘મારે તો કેવળ અર્થ ના લાભ હા, ધર્મના લાભની મારે જરૂર નથી એમ હાસ્ય કરતી છતી વિકારયુક્ત ચિત્તવાળી વેશ્યા ખેલી. તે વખતે ‘આ વરાકી શુ મને હસે છે ?’ એમ વિચારી મુનિએ એક તૃણુ ખેચીને લબ્ધિવડે રત્નોના ઢગલા કરી દીધા. પછી ‘આ લે અના લાભ' એમ કહી તેના ઘરમાંથી મુનિ બહાર નીકળ્યા. વેશ્યા સભ્રમ સહિત તેમની પછવાડે દોડીને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! આવું દુષ્કર વ્રત છેાડી દ્યો, અને મારી સાથે ભાગ ભાગવા, અન્યથા હું મારા પ્રાણ છેાડી દઈશ.” આ પ્રમાણે વારવાર કરેલી વિનતિથી નદીષેણમુનિએ વ્રત તજવાના દોષને જાણતાં છતાં ભાગ્યક'ને વશ થઈને તેનું કથન સ્વીકાર્યું, પણ એવી પ્રતિજ્ઞા કરી કે જો હું પ્રતિદિન દશ અથવા તેથી વધારે માણસાને બેધ ન કરૂ તા મારે ફરી દીક્ષા લેવી.’
પછી સુનિલિંગને છેાડી દઇને નદીષેણ વેશ્યાને ઘેર રહ્યા અને પેલા દેવતાની તથા વીરપ્રભુની દીક્ષા અટકાવનારી વાણી વારવાર સ`ભારવા લાગ્યા. ત્યાં રહ્યા છતા નિરંતર વેશ્યા સાથે ભાગ લાગવવા લાગ્યા અને પ્રતિદિન દશ ભવ્યજનાને પ્રતિધ કરીને દીક્ષાને માટે પ્રભુની પાસે માકલવા લાગ્યા. એક વખતે ભાગફળકર્મ ક્ષીણ થવાથી નદીષેણે નવ માણસાને બાધ કર્યા પણ દશમા એક સેાની હતો તે કઈ રીતે પ્રતિબાધ પામ્યા નહીં. તેને બેધ કરવામાં બહુ વખત રોકાવાથી વેશ્યા રસાઈ કરીને વારવાર ખેલાવવા માટે માણસને મેાકલવા લાગી, પણ પેાતાને અભિગ્રહ પૂર્ણ ન થવાથી તે ભાજન કરવાને ઉઠવા નહી અને આદરથી વિવિધ વાણીની યુક્તિવડે તે સાનીને ધ કરવા લાગ્યા. છેવટે વેશ્યાએ પાતે આવીને કહ્યું કે, ‘હે સ્વામી ! મેં જે પ્રથમ રસોઈ કરી હતી . તે તો ઠરીને વરસ થઈ ગઈ તેથી ફરીવાર રસોઈ તૈયાર કરી છે, માટે હવે શા માટે વિલ'બકરા છે ? નદીષેણ ખેલ્યા કે, “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશા માણસ પ્રતિબંધ પામ્યા નહિ” માટે હું પોતે જ દશમા થઇ દર્દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી પોતે ભાગ્યકમ હતુ... તેટલું ભાગવી લીધુ', એમ વેશ્યાને જણાવી ત્યાંથી નીકળી ગયા અને પ્રભુની પાસે આવી પુનઃ દીક્ષા ગ્રહણ કરી.
એ મહાત્મા નદીષેણમુનેિ પોતાના દુષ્કૃત્યની આલેાચના કરી શ્રી વીરજને દ્રની સાથે વિહાર કરતા અને તીક્ષ્ણ વ્રતને પાળતા છતા કાળ કરીને દેવતા થયા.
WWWW烧烧BB&WWWWWWWWWWWWWBR
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशला कापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्रेणिक सम्यक्त्वलाभ मेघकुमार नदीषेण प्रव्रज्या वर्णनो नाम षष्टः सर्गः ॥
烧网防限防烧烧烧火腿
EX 3
Page #114
--------------------------------------------------------------------------
________________
સ ૭ મા
ચલ્લણાને ચાગ્ય એકસ્ત’ભ પ્રાસાદનું નિર્માણ, આમ્રફળનું... હરણ, શ્રેણિકે કરેલુ' વિદ્યાગ્રહણ, દુંગધાની તથા આકુમારની કથા
ચેલણાની સાથે જલક્રીડાર્દિકથી રમતો શ્રેણિક જાણે પ્રેમસૂત્રથી તેનું મન પરોવાયેલુ હાય તેવા દેખાતો હતો. તે પેાતાના કરની કાંચકી કરી પ્રતિદ્દિન એકાંતમાં ચલ્લણાદેવીના કેશપાશને આળતો હતો. પાતાને હાથે ગુંથેલી સુંદર પુષ્પમાળાઓથી વાળબંધક સેવકની જેમ તે તેના કેશપાશને ખાંધતો હતો; પોતે જ ઘસેલા કસ્તુરી દ્રવ્યથી તેના ગાલ ઉપર ચિત્રકારની જેમ વિચિત્ર પત્રવલ્લી આળેખતો હતો; અને હંમેશાં આસન પર બેસતાં, શયન કરતાં, ભાજન કરતાં કે બીજા કાઈ પણ કાર્ય વખતે એક નાજરની જેમ તેનુ પડખુ છેડતા નહતો.
અન્યદા (દીન દુ:ખીને) ભયંકર શિશિરઋતુ આવી. હિમના ભારને વહન કરનાર વનદાહક ઉત્તરદિશાના પવન વાવા લાગ્યા. શ્રીમંત લેાકેા સઘડીએ પાસે રાખીને અને કેશરનુ વિલે પન કરીને ગર્ભ ગૃહમાં રહી કાળ નિમન કરવા લાગ્યા. તે વખતે ગરીબ લેાના ખાળક વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલ્લા હાથ કરી ધ્રુજતા ધ્રુજતા ગૃહદ્વાર ઉપર દેવીણા વગાડતા હતા. યુવાન પુરૂષા રાત્રે સ્વભાવે ઉષ્ણ એવા પ્રિયાના સ્તન ઉપરથી પાતાના કરકમળને દૂર કરતા નહેાતા; તે સમયે તે કર તુંબિકાપર રહેલા વીણાઇડ જેવા દેખાતો હતો. એવા સમયમાં સ` અતિશયે સપૂર્ણ અને સુર અસુરોએ સેવાતા સાતન દન૧ શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. તે ખખર સાંભળી શ્રેણિક રાજા અપરાન્ત કાળે ચેલ્લણાદેવીની સાથે શ્રી વીરપ્રભુને વાંઢવા આવ્યા. શ્રી વીરઅહં તને વાંદીને રાજદ પતી પાછા વળ્યા. માર્ગમાં કાઇ જળાશયની પાસે એક પ્રતિમાધારી મુનિને જોયા, ઉત્તરીયવસ્ત્ર રહિત શીત પરિસહને સહન કરતા તે મુનિને તેઓએ તરત વાહન ઉપરથી નીચે ઉતરીને વાંદ્યા. પછી ધર્મ સંબધી વાતો કરતો શ્રેણિકરાજા પત્ની સહિત તે મુનિને ભક્તિપૂર્વક વાંદીને પોતાના મહેલમાં આવ્યા.
સાયકાળને ચાગ્ય બધી ક્રિયાએ કરીને રાજા અગરૂ કપૂરના ધૂપથી અંધકારિત એવા વાસગૃહમાં ગયા. ચેલ્લાદેવીએ જેની ભુજલતાનુ' ઓશીકું કર્યું' છે એવા તે તેની છાતીપર હાથ મૂકીને સુઈ ગયા. ચેલણાએ સ્તનને નીચા કરીને ગાઢ આલિંગન દેવાથી રાજાને નિદ્રા આવી ગઇ, તેમ જ રાજાના આલિગનથી રાણીને પણ નિદ્રા આવી ગઈ. ગાઢ નિદ્રા આવતાં ચલ્લણાના કરપલ્લવ આચ્છાદનમાંથી બહાર નીકળી ગયા. ઘૃણું કરીને નિદ્રા આલિ’ગનને છેડાવી દે છે.” વીછીના કાંટાની જેમ દુ:સહ શીતના તેના કરને સ્પર્શ થયા, તેની વેદનાથી ચેલ્લણા તરત જાગ્રત થઈ ગઈ. ટાઢની પીડાથી સીત્કાર કરતી તેણીએ રાજાના હૃદયમાં મનની જેમ પેાતાના હાથને આચ્છાદનની અંદર સ્થાપન કર્યા. તે વખતે પેલા ઉત્તરીય વસ્ત્ર રહિત પ્રતિમાધારી મુનિનું તેને સ્મરણું થયું, તેથી તે ખેલી કે ‘અહે ! ૧. જ્ઞાત એવું સિદ્ધાર્થ રાજાનું નામ છે તેમના પુત્ર તે જ્ઞાંતનંદન. ૨ બપોરે. ૩ ઓઢવાનુ` વસ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦,
સગ ૭ મો આવી ઠંડીમાં તેનું શું થયું હશે?' આમ બેલ્યા પછી પાછી ફરીવાર એ સરલ હદયવાળી ચેલણાને નિદ્રા આવી ગઈ. “મહાન હૃદયવાળા માણસને પ્રાય: નિદ્રા દાસીની જેમ વશ્ય હોય છે.” ચેલણાના સીત્કારથી અલ્પ નિદ્રાવાળો રાજા જાગી ગયો હતો, તે તેણીનું પૂર્વોક્ત વચન સાંભળી ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે, “જરૂર આના મનમાં કોઈ બીજો પુરૂષ રમવાને ઈચ્છાયેલ છે કે જેને માટે આવી શીતની પીડાની સંભાવનાથી અત્યારે તે શોચ કરે છે. આવા વિચારથી ઈર્ષાવડે વ્યાકુળ થયેલા શ્રેણિકરાજાએ બાકીની બધી રાત્રિ જાગ્રતપણે જ નિગમન કરી. “સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર કોઇ પણ સચેતન પુરૂષ કદી પણ ઈર્ષ્યા વગરને હોતો નથી.”
પ્રાતઃકાળે ચેલણાને અંતઃપુરમાં જવાની આજ્ઞા કરીને પ્રચંડ શાસનવાળા શ્રેણિકે અભયકુમારને બોલાવી આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ! મારું અંતઃપુર સઘળું દુરાચારથી દ્વષિત થયેલું છે, માટે તું તે અંત:પુરને બાળી નાખ. તેમાં તું જરા પણ માતા પર મોહ રાખીશ નહીં.” આ પ્રમાણે અભયને આજ્ઞા આપીને અદ્દભૂત લક્ષમીવડે વિરાજમાન શ્રેણિકરાજા અહંત શ્રી વિરપ્રભુને વાંદવા ગયા. અભયકુમાર પિતાની આજ્ઞાથી ભય પામ્ય, પણ તે સ્વભાવે જ વિચારીને કામ કરનાર હતો, તેથી તે ધીમાન પોતાના મનની સાથે વિચાર કરવા લાગ્યો કે “મારી બધી માતાઓ સ્વભાવે જ મહા સતીઓ છે, અને હું તેઓની રક્ષા કરનારો છું, છતાં પિતાની આજ્ઞા આવી થઈ તો પિતાને જે સંભવિત લાગ્યું, તે હું અસંભવિત શી રીતે કરૂં? વળી પિતાને કોપ નદીના પૂરની જેમ અસહ્યા છે, તથાપિ કાંઈ પણ વિચિત્ર બહાનું કાઢીને કાળક્ષેપ કરવાથી રાજાને કેપ નિવૃત્ત થવાનો સંભવ છે.” આ વિચાર કરીને ચતુર અભયકુમારે અંત:પુર પાસેની હાથીખાનાની જીર્ણકુટીઓને સળગાવી દીધી અને “અંતાપુર દગ્ધ કર્યું.” એવી આઘોષણા બધે પ્રવર્તાવી.
અહીં શ્રેણિક રાજાએ શ્રી વીરપ્રભુને અવસર પામીને પૂછયું કે, “હે પ્રભુ! ચલણ એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે ?” પ્રભુ બેલ્યા- “હે રાજન ! તારી ધર્મપત્ની ચેલણ મહાસતી છે અને શીલ અલંકારથી શોભિત છે; તેથી એ સ્ત્રી ઉપર કાંઈ પણ શંકા લાવીશ નહીં.” આ પ્રમાણેનાં પ્રભુનાં વચન સાંભળી પશ્ચાત્તાપ કરતા શ્રેણિકરાજા તત્કાળ પ્રભુને નમસ્કાર કરીને પોતાના નગર તરફ દેડતા ચાલ્યા. અહીં અગ્નિ સળગાવીને અભય. કુમાર તેમની સામો આવતો હતો, તેને રાજાએ પૂછ્યું કે, “કેમ તે મારી આજ્ઞા પ્રમાણે કર્યું?” અભય નિર્ભય થઈ પ્રણામ કરી અંજલિ જોડીને બોલ્યા કે, “હે સ્વામી ! આપની આજ્ઞા બીજાને પણ પ્રમાણ છે, તે મારે કેમ ન હોય ?” રાજા બોલ્યો-“અરે પાપી! પોતાની માતાઓને બાળીને તું અદ્યાપિ કેમ જીવે છે? તું અગ્નિમાં કેમ પડ્યો નહીં?” અભયકુમાર બોલ્યા-“તાત! અહંતનાં વચનને સાંભળનારા એવા મને પતંગની જેમ મરવું એગ્ય નથી, હું તે સમય આવશે ત્યારે વ્રત ગ્રહણ કરીશ, અને તે વખતે વીરપ્રભુની આજ્ઞા એવી થશે તે હું પતંગની જેમ મૃત્યુ પણ પામીશ, તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” રાજાએ કહ્યું કે, “અરે ! મારા વચનથી પણ તેં આવું અકાર્ય કેમ કર્યું ?” એમ કહી જાણે વિષપાન કર્યું હોય તેમ રાજા મૂછ ખાઈને ભૂમિ પર પડી ગયા. પછી અભયકુમાર શીતળ જળથી રાજાને સિંચન કરવા લાગ્યું. જ્યારે શ્રેણિક સ્વસ્થ થયા ત્યારે અભયે કહ્યું કે, “હે પ્રભુ! અંતઃપુરમાં તે કુશળતા છે. કઈ દુર્ભાગ્યના ગે તમે મારી માતાઓ ઉપર અવકૃપા કરીને તેને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં તેમ કર્યું નથી, તે મારે અપરાધ થયે છે. પિતાજી! તેને બદલે અંતઃપુરની નજીક રહેલી
Page #116
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૦૧ હાથીઓની છણું પર્ણકુટીઓ મેં બાળી છે. તમારી આજ્ઞા પણ હું વિચાર્યા વગર કરૂં તે નથી.” રાજા તે વચન સાંભળી હર્ષથી બે કે “હે વત્સ! તું ખરેખર મારે પુત્ર છે અને પૂરે બુદ્ધિમાન છે કે જેથી મારી પર આવી પડેલું કલંક તે બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.” પછી શ્રેણિક રાજા પારિતોષિક વડે અભયકુમારને સંતેલી ચેલણાદેવીના દર્શન નમાં ઉત્સુક થઈને ઉતાવળે તેણુના ગૃહમાં ગયા અને નવનવા પ્રેમથી લક્ષ્મી સાથે કૃષ્ણની જેમ ચેલણાની સાથે પ્રતિદિન ક્રીડા કરવા લાગ્યા. , એક વખતે શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, ચેલણદેવી મને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે પ્રિય છે. તો બીજી રાણીઓથી તેણી ઉપર વિશેષ પ્રાસાદ શું કરો ? તેણીને માટે હું એકતંભવાળા પ્રાસાદ કરાવું કે જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ તે સ્વેચ્છાએ ક્રીડા કરે.” આ નિશ્ચય કરીને શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી કે, “હે વત્સ! ચેલણદેવીને માટે એકતંભનો પ્રાસાદ કરાવ. અભયકુમારે તરતજ તેવા સ્તંભને ગ્ય કાષ્ટ લાવવાનું સૂત્રધારને આજ્ઞા કરી, એટલે વહેંકિ (સુથાર) તેવા કાષ્ટને માટે અરણ્યમાં ગયે. અટવીમાં પ્રત્યેક વૃક્ષે જોતાં જોતાં સર્વ લક્ષણવાળું એક વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેણે વિચાર્યું કે, “ઘાટી છાયાવાળું, આકાશ સુધી ઉંચું, ઘણું પુષ્પ ફળવાળું, મોટી શાખાવાળું અને મોટા થડવાળું આ વૃક્ષ સામાન્ય જણાતું નથી. જેવું તેવું પણ સ્થાન દેવતા વગરનું હોતું નથી, તે આ વૃક્ષરાજ તે તેની શોભાવડે પ્રગટ દેવતવાળું માલુમ પડે છે. માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયક દેવતાને તપસ્યાથી આરાધું કે જેથી તેને છેદતાં મને કે મારા સ્વામીને વિન ન થાય.” પછી વÁકિએ ભક્તિપૂર્વક ઉપવાસ કરી, ગંધ, ધૂપ, માલ્ય વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. તે સમયે તે વૃક્ષને આશ્રિત થઇ ને રહેલા વ્યંતરે પેતાનો આશ્રયની રક્ષા માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમારની પાસે આવીને કહ્યું કે, તું મારા આશ્રયરૂપ વૃક્ષને છેદાવીશ નહીં, આ વદ્ધકિને તે કામ કરતાં નિવાર, હું એકતંભવાળા પ્રાસાદ કરી આપીશ. વળી તેની ફરતું સર્વ ઋતુઓથી મંડિત તથા સર્વ વનસ્પતિઓથી શોભિત નંદનવનની જેવું એક ઉદ્યાન પણ કરી આપીશ.” આ પ્રમાણે તે વ્યંતરના કહેવાથી અભયકુમારે પેલા વદ્ધકિને વનમાંથી તરત બોલાવી લીધું અને પોતાનું વાંછિત સિદ્ધ થયું” એમ કહ્યું. પછી વ્યંતરે પિતાની કબુલાત પ્રમાણે એકતંભવાળે મહેલ અને ઉદ્યાન કરી આપ્યું. “ વાણીથી બંધાયેલા દેવતાઓ સેવકથી પણ અધિક છે.” સર્વ ઋતુઓના વનથી મંડિત તે એકતંભી પ્રાસાદ અભયકુમારે શ્રેણિક રાજાને બતાવ્યું. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે-વત્સ ! મને માત્ર એક સ્તંભવાળા મહેલની ઈચ્છા હતી, તેમાં આ સર્વ ઋતુવાળું વન થયું, તે તે દુધનું પાન કરતાં તેમાં સાકર પડવા જેવું થયું.” પછી મગધપતિએ ચેલણાને તે પ્રાસાદમાં રાખી, જેથી લક્ષ્મીદેવીવડે પદ્માદની જેમ તે પ્રસાદ તેનાથી અંલકૃત થઈ ગયે. ત્યાં રહી સતી ચેલ| સર્વ ઋતુના પુષ્પોની માળાઓ પિતાને હાથે ગુંથીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. વળી તે સુગંધી પુષ્પોથી ગુંથેલી માળાઓ વડે સૌરંઘીની જેમ પોતાના પતિના કેશપાશને પણ પૂરવા લાગી. આવી રીતે હંમેશાં શ્રી વીતરાગ પ્રભુને માટે અને પતિને માટે પુષ્પને ચુંટતી એ રમણી તે વનના પુષ્પોને ધમ તથા કામમાં સફળ કરતી હતી. સદા પુષ્પવાળા અને સદા ફળવાળા તે ઉપવનમાં મૂર્તિમાન વનદેવીની જેમ ચેલણા સદા પતિની સાથે કીડા કરતી હતી.
તે નગરમાં એક વિદ્યાસિદ્ધ માતંગપતિ રહેતો હતો. તેની પત્નીને એકદા આમ્રફળ ખાવાનો દેહદ ઉત્પન્ન થયે; તેથી તેણીએ પતિને કહ્યું કે- હે નાથ ! મને આમ્રફળ લાવી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સગ ૭ મે
આપીને મારા દેહદને પૂરે.” તે બોલ્યો-“અરે મૂઢ શ્રી ! આજે અકાળે આમ્રફળ કયાંથી હોય ?” સ્ત્રીએ કહ્યું, ‘નાથ ! આજે ચેલણારાણના ઉદ્યાનમાં આમ્રવૃક્ષે પ્રફુલ્લિત છે. તે સાંભળી માતંગપતિ ચેલણાના ઉદ્યાનની સમીપે આવ્યો. ત્યાં આમ્રવૃક્ષો સદા ફળિત પણ ઘણું ઉચા જોવામાં આવ્યા. પછી રાત્રે આવી નક્ષત્રોને જોષી જુએ તેમ તે ભૂમિપર રહી પાકેલા આમ્રફળે જોવા લાગ્યા. ક્ષણમાત્રમાં તે વિદ્યાસિદ્ધ ચાંડાળે અવસામિની વિદ્યાથી આમ્રશાખાને નમાવી અને વેચ્છાથી આમ્રફળ તોડીને ગ્રહણ કર્યા. પ્રાતઃકાળે રાજ્ઞી ચેલ્લણાએ તેડેલાં આમ્રફળવાળી તે વાટિકા ભ્રષ્ટ ચિત્રોવાળી ચિત્રશાળાની જેમ અપ્રીતિ આપતી જોઈ. રાણીએ તે વાર્તા રાજાને કહી. રાજાએ અભયને બોલાવીને આજ્ઞા કરી કે, “જેના પગનો સંચાર જોવામાં આવતું નથી એવા આમ્રફળના ચોરને શોધી લાવ. હે વત્સ ! જે ચેરની આવી અતિશય અમાનુષી શક્તિ છે, તે કઈ વાર અંતઃપુરમાં પણ પ્રવેશ કરી શકે. અભયકુમાર બે -હે દેવથોડા કાળમાં જેમ તેને બતાવવાને જામીન હોઉં તેમ એ ચેરને પકડી લાવી તમને સેપીશ.” આવી પ્રતિજ્ઞા કરીને અભયકુમાર તે દિવસથી તે ચોરને શોધવાની ઈચ્છાએ આખા નગરમાં રાત્રીદિવસ ભમવા લાગ્યો.
એક વખતે બુદ્ધિમાન અભયકુમાર નગરમાં ફરતો ફરતે કઈ ઠેકાણે નગરજને સંગીત (નાટક) કરાવતા હતા ત્યાં ગયા. નગરજને એ આસન આપ્યું, તે પર બેસી અભયકુમાર બોલ્યો “હે નગરજન ! જ્યાં સુધી સંગીત કરનારા નટે આવ્યા નથી, ત્યાં સુધીમાં એક કથા હું કહું તે સાંભળ-વસંતપુર નગરમાં જીર્ણ શ્રેણી નામે એક અતિ નિર્ધન શેઠ રહેતો હતો. તેને એક કન્યા હતી, તે વરને લાયક મોટી ઉંમરની થઈ હતી. ઉત્તમ વર પામવાને માટે કામદેવની પૂજા કરવા સારૂં એ બાળા કેઈ ઉદ્યાનમાંથી પ્રતિદિન ચેરી કરીને પુષ્પ ચુંટી લાવતી હતી. એક વખતે હું આ પુષ્પના ચેરને પકડું એવું ધારી તે ઉદ્યાનપાળક
કારીની જેમ સ્થિરપણે ત્યાં સંતાઈ રહ્યો. તે બાળા પૂર્વની જેમ વિશ્વાસ પુપ ચુંટવા લાગી. તેને અતિ રૂપવંતી જઈ ઉદ્યાનપાળક કામાતુર થઈ ગયા. તેથી તત્કાળ પ્રગટ થઈ તેને ધ્રુજતા ધ્રુજતા પકડી લીધી. સદ્ય પુષ્પની ચોરીને કેપ ભૂલી જઈ તે બેલ્યો કે, “હે ઉત્તમ વર્ણવાળી ! હું તારી સાથે રતિક્રીડાની ઈચ્છા કરું છું, માટે મારી સાથે ક્રીડા કર. તે સિવાય હું તને છોડીશ નહીં. મેં તને પુષ્પથીજ ખરીદ કરેલી છે. તે બેલી“અરે માળી ! મને તું કરથી સ્પર્શ કરીશ નહીં, હું કુમારી છું, તેથી અદ્યાપિ પુરૂષના સ્પર્શને યોગ્ય નથી.” આરામિક બે કે, “તેમ છે તે છે બાળા ! તું કબુલ કર કે, તારે પરણ્યા પછી આ શરીરને પ્રથમ મારા સંગનું પાત્ર કરવું તેણીએ તેમ કરવાનું કબુલ કર્યું; એટલે ઉદ્યાનપાળે તેને છોડી મૂકી. તે પણ પોતાનું કૌમાર વય અક્ષત રાખીને પિતાને ઘેર આવી. અન્યદા કેઈ ઉત્તમ પતિની સાથે પરણી. પછી જ્યારે રાત્રે વાસગૃહમાં ગઈ ત્યારે તેણે પતિને કહ્યું કે, “હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા કરી છે કે, પરણ્યા પછી મારે પ્રથમ તેની સાથે સંગ કર. હું તેની સાથે વચનથી બંધાઈ ગઈ છું, માટે મને આજ્ઞા આપે તો હું તેની પાસે જઈ આવું. એકવાર તેની પાસે ગયા પછી તે હું કાયમને માટે તમારે આધીન જ રહીશ” તેનાં આવાં વચને સાંભળીને “અહે આ બાળા કેવી શુદ્ધ હદયવાળી અને પ્રતિજ્ઞા પાળનારી છે એવા વિમયથી તેના પતિએ તેને જવાની આજ્ઞા આપી; એટલે તે સદ્ય વાસગૃહમાંથી બહાર નીકળી.
વિચિત્ર રત્નાભરણેને ધારણ કરતી તે સત્યવચની બાળા માર્ગે ચાલી જતી હતી, તેવામાં કેટલાકએક ધનને ઇરછનારા પાપી ચેરએ તેને રેકી. તેઓની પાસે તેણે પેલા
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩
પર્વ ૧૦ મું માળીની કથા કહી બતાવી અને બોલી કે- હે ભાઈઓ ! હું જ્યારે પાછી વાળું ત્યારે તમે ખુશીથી મારા આભૂષણ લઈ લેજો.” તેણીને સ્વભાવ ઉપરથી તેને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી આપણે પાછી વળતાં તેને લુંટીશુ એમ નિશ્ચય કરી તેઓએ છેડી મૂકી. આગળ જતાં સુધાથી કૃશ ઉદરવાળા અને મનુષ્ય રૂપ મૃગને વૈરી એવા એક રાક્ષસે તે મૃગાક્ષીને રૂંધી. તેણીએ પાછા વળતી વખત ભક્ષણ કરવા માગણી કરી. તેને સત્ય સ્વભાવ જાણે તે વિસ્મય પામી ગયે, અને “પાછી વળતાં તેનું ભક્ષણ કરીશ” એવી આશાથી તેને છોડી મૂકી. પછી તે યુવતિ પેલા ઉદ્યાનમાં આવી અને ઉદ્યાનપાળકને જગાડીને કહ્યું કે, પેલી પુષ્પને ચેરનારી કન્યા છું કે જે નવેઢા થઈને મારા વચન પ્રમાણે તમારી પાસે આવી છું. તે સાંભળી “અહો ! આ ખરેખરી સત્ય પ્રતિજ્ઞાવાળી મહાસતી છે એવું જાણી તેને માતાની જેમ નમીને માળીએ રજા આપી. ત્યાંથી પાછી ફરતાં જ્યાં રાક્ષસ હતો ત્યાં તે આવી અને માળી સાથે જે બન્યું હતું તે યથાર્થ રીતે રાક્ષસને કહી સંભળાવ્યું. તે સાંભળી “શું હું માળીથી પણ હીણો હું ? એમ વિચારી તેણે સ્વામિનીની જેમ પ્રણામ કરીને તેને છોડી દીધી. પછી પેલા ચેરોની આગળ આવીને બેલી કે, “હે ભાઈઓ ! તમે મારું સર્વસ્વ લુંટી , હું હાજર થઈ છું.” પછી જેમ માળીએ અને રાક્ષસે તેને છેડી મૂકી તે બધું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ બોલ્યા કે, “એ માળી અને રાક્ષસથી અમે કાંઈ હીણ નથી, માટે હે ભદ્રે ! તું ચાલી જા, તું તે અમારે વંદન કરવા ગ્ય બહેન છું. આ પ્રમાણે સૌએ છેડી મૂકવાથી તે નિવિદને ઘેર આવી. એ ઉત્તમ બાળાએ ચાર, રાક્ષસ અને માળીની કથા પોતાના પતિ આગળ યથાર્થ રીતે કહી આપી. તે સાંભળી હર્ષ પામેલા પતિએ તેની સાથે બધી રાત્રિ ભોગસુખમાં વ્યતિક્રમાવી અને પ્રાતઃકાળે તેને પિતાના સર્વસ્વની સ્વામિની કરી.”
અભયકુમાર આ પ્રમાણે કથા કહીને બોલ્યો કે-“હે લેકે ! વિચાર કરીને બોલે કે, આ સર્વેમાં દુષ્કર કાર્ય કરનાર કોણ છે? તેણીને પતિ, ચરે, રાક્ષસ કે માળી? તે જણાવે. પછી તે લોકમાં જે સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા, તેઓ બેલી ઉઠયો કે, “સર્વમાં તેને પતિ દુષ્કર કરનાર છે, કે જેણે પિતાની અનંગલગ્ન નવેઢાને બીજા પુરૂષને માટે મેકલી દીધી.” ક્ષુધાતુર લેકે બોલી ઉઠયા કે “સર્વથી દુષ્કર કાર્ય કરનાર તે રાક્ષસે છે કે જેણે ક્ષુધાતુર છતાં પ્રાપ્ત થયેલી તે બાળાને છોડી દીધી.” જારપુરૂષ બેલ્યા કે“સર્વમાં માળી દુષ્કર કાર્ય કરનાર છે કે જેણે રાત્રે સ્વયમેવ આવેલી એવી યુવાન રમણીને ભોગવી નહીં.” છેવટે પેલે ચાર ત્યાં ઊભે હતું તે બોલ્યા કે-“સર્વથી પેલા ચાર દુષ્કર કાર્ય કરનારા છે કે જેઓએ સુવર્ણથી ભરેલી તે બાળાને લુંટ્યા વગર છેડી દીધી.” પછી અભયકુમારે તેને ચાર જાણીને પકડી લીધું અને પૂછયું કે , “તેં આમ્રફળની ચોરી શી રીતે કરી ?” રે કહ્યું કે “વિદ્યાના બળથી.' અભયકુમારે સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું અને ચોરને લાવીને સે. શ્રેણિકે કહ્યું કે, “કઈ બીજે ચાર હોય તો પણ તેની ઉપેક્ષા થતી નથી તે આ ચાર તે શક્તિમાન છે, માટે તેને તે નિસંદેહ નિગ્રહ કરે. અભયકુમારે નિષ્કપટપણે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આની પાસેથી વિદ્યા મેળવીને પછી જે યુક્ત હોય તે કરજો.” પછી મગધપતિ શ્રેણિક રાજાએ તે માતંગપતિને પિતાની સામે બેસાડી તેના મુખેથી વિદ્યા ભણવી શરૂ કરી; પરંતુ પિતે સિંહાસન પર બેસીને વિદ્યા ભણતા હોવાથી ગુરૂના અબહુમાનને લીધે ઉંચા સ્થળ પર જળની જેમ રાજાના હદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહીં. એટલે રાજગૃહપતિ શ્રેણિકે તે ચેરને તિરસ્કારપૂર્વક કહ્યું કે,
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સગ ૭ મો
તારામાં કાંઈ પણ કુડ છે કે જેથી તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.” તે સમયે અભયકુમારે કહ્યું કે “હે દેવ ! અત્યારે એ તમારો વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂને વિનય કરે તેઓને જ વિદ્યા સંકુરે છે, અન્યથા કુરતી નથી, તેથી આ માતંગપતિને તમારા સિંહાસન પર બેસાડો અને તમે અંજલિ જોડીને તેની સામે પૃથ્વી પર બેસે, એટલે વિદ્યા આવડશે.” વિદ્યાના અર્થી રાજાએ તે પ્રમાણે કર્યું. કારણ કે નીચથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી એ પ્રખ્યાત નીતિ છે. પછી રાજાએ તેના મુખથી ઉન્મામિની અને અનામિની બે વિદ્યા સાંભળી, એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ તે તરત જ રાજાના હૃદયમાં વસી ગઈ. પછી અભયે અંજલિ જોડવાપૂર્વક રાજાને વિનવીને વિદ્યાગુરૂપણને પામેલા તે ચા૨ને છોડાવી મૂકયો.
અન્યદા જ્ઞાતનંદન શ્રી વિરપ્રભુ રાજગૃહે સમવસર્યા. તે સાંભળી રાજા શ્રેણિક ભૂમિપર રહેલે ઇંદ્ર હોય તેમ મોટા આડંબરથી વાંદવા ચાલ્યા. તે વખતે ગજેદ્રોના ઘંટના ટંકારથી તે દિશાઓને પૂરતો હતો, હષા શબ્દથી પરસ્પર વાર્તા કરતા હોય તેવા અને વાદ્યાલી રૂપ રંગભૂમિમાં નટ જેવા અશ્વોથી ભૂમિતળને રૂંધતો હતો. આકાશમાંથી ઉતરતા મેઘમંડળની શેભાને અનુસરતા મયૂરરૂપી ત્રેથી તેની સેના શોભતી હતી, વાહનની નૃત્ય કરતા અશ્વની સ્પર્ધાથી તેનું રત્નમય તાડંક નાચતું હતું તે જાણે તેના આસનની સાથે જ ઉપર્યું હોય તેમ દેખાતું હતું, માથે પૂર્ણિમાના ચંદ્ર જેવું શ્વેત છત્ર ધર્યું હતું, ગંગા, અને યમુના જેવા ચામરેને વારાંગનાઓ વીંજતી હતી અને સુવર્ણના અલંકારોને ધારણ કરનારા ભાટ ચારણે તેની સ્તુતિ કરી રહ્યા હતા.
એ સમયે માર્ગે ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છોડી દીધેલી એક બાલિકા સૈનિકોના જોવામાં આવી, પરંતુ જાણે નરકનો અંશ આવ્યો હોય તેમ તેના શરીરમાંથી અત્યંત દુગધ છુટતો હતે. તે દુર્ગંધને સહન નહિ કરી શકવાથી સાયંકાળે પ્રાણાયામ કરનારા ગાયત્રી મંત્રને જા૫કૅની જેમ સર્વેએ તિપિતાની નાસિકાને બંધ કરી દીધી. શ્રેણિકે તેમ જોઈ પરિજનને પૂછ્યું કે, “શું છે?” એટલે પરિજને જમ્યા પછી તરત જ છેડી દીધેલી તે દુર્ગધાને જણાવી. રાજા શ્રેણિક હંમેશા અરિહંતના મુખથી બાર પ્રકારની ભાવનાને સાંભળનારે હતા, તેથી તેને કિંચિત્ પણ જુગુપ્સા આવી નહીં અને તરત જ તે બાળાને જોઈને પોતે આગળ ચાલ્યા. પછી સમવસરણમાં આવીને પ્રભુને વાંદીને ગ્ય અવસરે તે દુર્ગધાની કથા પૂછી.
પ્રભુ બોલ્યા કે, “તમારી આસપાસના પ્રદેશમાં શાલી નામે ગામમાં ધનમિત્ર નામે એક શ્રેષ્ટિ રહેતો હતો. તેને ધનશ્રી નામે એક પુત્રી થઈ હતી. અન્યદા શ્રેષ્ટિએ તે ધનશ્રીને વિવાહમહોત્સવ પ્રારંભે હતો, તેવામાં ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા કેઈ સાધુઓ ત્યાં આવી ચડ્યા તેથી શ્રેષ્ટિએ તે સાધુઓને વહોરાવવા ઘનશ્રીને આજ્ઞા કરી. સારા આચરણવાળી તે બાળા પિતાની આજ્ઞાથી તત્કાળ મુનિઓને પ્રતિલાભિત કરવાને પ્રવતી. તે વખતે પસીનાથી જેઓના અંગ અને વસ્ત્ર મલીન થયેલા હતા, એવા તે મુનિઓને વહેરાવતાં તેના મળને દુર્ગધ ધનશ્રીને આવ્ય; તેથી સુગધી અને નિર્મળ વસ્ત્રવાળી, વિવિધ અલંકારને ધારણ કરનારી, અંગરાગથી લિપ્ત થયેલી અને શૃંગારમાં મેહિત એવી તે બાળા ચિંતવવા લાગી કે, અહંત પ્રભુએ જે ધર્મ કરે છે, તે બધી રીતે નિર્દોષ છે, પણ જો તેમાં પ્રાસુક જળથી પણ સ્નાન કરવાની મુનિને આશા હોત તો તેમાં શું દોષ હતો?” આ પ્રમાણે મુનિઓના મળની દુર્ગધથી કરેલી જુગુપ્સાવડે બાંધેલા દુષ્કર્મને લાગ્યા કે પ્રતિક્રમ્યા વગર અન્યદા
Page #120
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ સુ
૧૫
મૃત્યુ પામીને હે રાજન ! તે કમ થી તે ખાળા રાજગૃહનગરમાં રહેનારી એક વેશ્યાના ગર્ભમાં આવી. ગર્ભમાં રહી છતી પણ તેની માતાને તે ઘણી અતિ આપવા લાગી. તેથી તે વેશ્યાએ ગર્ભપાતના અનેક ઔષધા પીધા, તથાપિ એ ગર્ભ પડયો નહીં. ‘કર્મના ખળ આગળ ઔષધ કાણુ માત્ર છે ? ' અનુક્રમે તે વેશ્યાએ એક પુત્રીને જન્મ આપ્યો. તે પૂના કથી જન્મથી જ અતિ દુર્ગંધા હતી, તેથી વેશ્યાએ પેાતાના ઉદરથી ઉત્પન્ન થયેલી છતાં તેને વિદ્યાની જેમ ત્યજી દીધી. હે રાજન ! તે દુર્ગંધા તમારા જોવામાં આવી છે.”
શ્રેણિકે ફરીથી પૂછ્યું' કે, ‘હે પ્રભુ! હવે પછી એ માળા કેવા સુખ દુ:ખનેા અનુભવ કરશે?' પ્રભુ મેલ્યા કે, “ધનશ્રીએ સર્વ દુઃખ તો ભાગવી લીધું છે, હવે તે સુખી કેવી રીતે થશે તે સાંભળ. એ આઠ વર્ષની ઉમરમાં જ તારી પટ્ટરાણી થશે. તેની પ્રતીતિને માટે હું એક નિશાની આપું છું કે હે રાજન્ ! અંતઃપુરમાં ક્રીડા કરતાં તારા પૃષ્ઠ ભાગ ઉપર ચડીને જે હંસની લીલા કરશે, તે આ દુર્ગંધા છે એમ તું જાણી લેજે.” પ્રભુની આવી વાણી સાંભળીને ‘અહા ! આ માટુ. આશ્ચય છે! એ બાળા મારી પત્ની શી રીતે થશે ?’ આવી ચિંતા કરતો રાજા પ્રભુને નમીને પેાતાને સ્થાનકે ગયા.
અહીં પૂર્વ કર્મીની નિર્જરા થવાથી દુર્ગંધાના ગધ ચાલ્યા ગયા. એવામાં કોઈ એક વધ્યા આભિરીએ તેને જોઇ, એટલે પુત્રી તરીકે માનીને તેને લઈ લીધી. અનુક્રમે તે આભિરીએ પાતાની ઉત્તર જાત પુત્રીની જેમ તેનું પાષણ કર્યું, તેથી તે રૂપલાવણ્યવડે ઘણી શેાભતી યૌવનવતી થઇ.
અન્યદા મનેાહર કૌમુદી ઉત્સવ આવ્યા, જે શૃગારરસના સર્વસ્વ નાટકના મુખ જેવા હતો, તે ઉત્સવ જોવાને માટે યુવાન પુરૂષાના લાચનરૂપ મૃગલાને પાશલારૂપ તે યુવતી પેાતાની માતાની સાથે આવી. રાજા શ્રેણિક અને અભયકુમાર પણ પરણવા માટે જતા વરની જેમ સ અંગ ઉપર શ્વેત વસ્ત્ર પહેરીને તે ઉત્સવમાં આવ્યા. તે માટા ઉત્સવના સંમમાં શ્રેણિક રાજાના હાથ તે અભિરકુમારીની ઉંચા સ્તનવાળી છાતી ઉપર પડી ગયા. તેથી તત્કાળ તેના ઉપર રાગ ઉત્પન્ન થવાથી રાજાએ તેના વજ્રના છેડા સાથે સ ભેાગની જામીનગીરી જેવી પાતાની મુદ્રિકા બાંધી દીધી. પછી શ્રેણિક અને અભયકુમારને કહ્યું કે, ‘મારૂ' ચિત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કોઇએ હરી લીધી છે, માટે તેના ચારને તુ સત્વર શેાધી કાઢ.’ તે સાંભળી બુદ્ધિમાન્ અભયકુમાર બધા ર'ગદ્વારા બંધ કરાવીને સોગઠાને વ્રતકારની જેમ એક એક માણસને બહાર કાઢવા લાગ્યા. બુદ્ધિના ભંડાર અભયે સના વસ્ત્રો કેશપાશ અને મુખ શેાધવા માંડયા. એમ કરતાં કરતાં પેલી આભિરકુમારી આવી, એટલે તેનાં વસ્ત્રો શેાધતાં તેને છેડે બાંધેલી રાજાની નામાંક્તિ મુદ્રિકા જોવામાં આવી. અભયકુમારે તેને પૂછ્યું કે, ‘હે ખાળે ! આ મુદ્રિકા શા માટે લીધી હતી ? ’ તે કાને હાથ મૂકીને ખેલી કે ‘હું કાંઈ પણ જાણતી નથી.” તેને અતિ રૂપવતી જોઈ ધીમાન્ અભયકુમારે વિચાર્યું' કે, ‘જરૂર આ આભિરકુમારી ઉપર પિતા અનુરક્ત થયા હશે અને એને ગ્રહણ કરવા માટે રાગવશ થયેલા રાજાએ એ ધાણી તરીકે પેાતાની મુદ્રિકા તેના વસ્ત્રને છેડે બાંધી દીધી હશે.' આવુ' ચિ'તવતો અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું' કે, ‘કેમ મુદ્રિકાના ચાર મળ્યા ?” અભય ખેલ્યા કે−દેવ ! તે ચારનારી આ બાળા છે. પણ હે પ્રભુ! તેણે મુદ્રિકા સાથે તમારા ચિત્તને પણ ચેારી લીધુ હોય તેમ લાગે છે.’ રાજા હસીને ખેલ્યા-‘એ કુમારીને હું પરણીશ. શુ' નથી સાંભળ્યુ· કે, દુકુળમાંથી પણ સ્ત્રી
૧૪
Page #121
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ મે
રત્ન ગ્રહણ કરવું. પછી રાજા નિર્દોષ અંગવાળી તે આભિરકન્યાને પરણ્યા અને ઘણા રાગથી તેને પિતાની પટ્ટરાણી કરી.
એક વખતે રાજા રાણીઓ સાથે પાસે રમતો હતો, તેમાં એવું પણ કર્યું કે, જે જીતે તે હારેલાના પૃષ્ઠ ભાગ ઉપર ચડે.” એ પ્રમાણે પણ કરીને રમતાં બીજી કુળવાન રાણીઓ
જ્યારે રાજાને જીતતી ત્યારે તે તે પિતાને જય જણાવવાને માટે માત્ર રાજાના પૃષ્ઠ ભાગ ઉપર પિતાનું વસ્ત્ર નાંખતી હતી પણ જ્યારે આ વેશ્યાપત્રીએ રાજાને જીત્યો ત્યારે તા તે કઠિન હદયની થઈ નિઃશંકપણે તેને પૃષ્ઠ ઉપર ચડી ગઈ. રાજાને તે વખત પ્રભુનું વચન સાંભરવાથી અકસ્માત હાસ્ય આવ્યું, એટલે તે રાણીએ નીચે ઊતરીને આદરથી રાજાને હાસ્યનું કારણ પૂછ્યું. રાજાએ જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું, તે પ્રમાણે તેના પૂર્વ ભવથી માંડીને પૃષ્ઠ ઉપર ચડવા સુધીનું બધું વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી તે તત્કાળ વૈરાગ્ય પામી અને આદરથી પતિની આજ્ઞા લઈને તેણે શ્રી વિરપ્રભુની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
સમુદ્રના મધ્યમાં પાતાળભુવન જે આદ્રક નામે દેશ છે, તેમાં આદ્રક નામે મુખ્ય નગર છે. તે નગરમાં ચંદ્રની જેમ દષ્ટિઓને આનંદ આપનાર અને લક્ષમીથી વિરાજમાન આદ્રક નામે રાજા હતો. તેને આદ્રકા નામે રાણી હતી. તે બંનેને આદ્ર મનવાળો આદ્રકકુમાર નામે પુત્ર થયો. તે યૌવન વયને પ્રાપ્ત કરી યથારૂચિ સાંસારિક ભેગ ભેગવવા લાગે.
આદ્રક રાજાને અને શ્રેણિકરાજાને પરંપરાથી બેડીની જેમ પ્રીતિ બંધાયેલી હતી. એક વખતે શ્રેણિકે નેહરૂપ લતાના દેહદરૂપ ઘણી ભેટ લઈને પોતાના મંત્રીને આદ્રક રાજાની પાસે મોકલ્યો. મંત્રી ત્યાં પહોંચે, એટલે આદ્રક રાજાએ જાણે શ્રેણિકનું મૂર્તિમાન મિત્રપણું હોય તેમ ગૌરવતાથી તેને જે. પછી તે મંત્રીઓ સાથે આણેલી સૌવર્ય, નિબપત્ર અને કાંબળ વિગેરેની ભેટ આદ્રક રાજાએ હર્ષથી ગ્રહણ કરી. આદ્રક રાજાએ મેટા સત્કારથી તેની સંભાવના કરીને પૂછયું કે, “મારા બંધુ શ્રેણિક કુશળ છે? તેના ઉત્તરમાં ચંદ્રના આતપની જેમ પિતાના સ્વામીનું કુશળ વૃત્તાંત કહેવાવડે તે મંત્રીરૂપ ચંદ્ર આદ્રક રાજાના મનરૂપ કુમુદને પૂર્ણ આનંદ આપે. પછી આદ્રકકુમારે પૂછ્યું કે, “હે પિતા ! તે મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે વસંતઋતુ સાથે કામદેવની જેમ ? પ્રીતિ છે?? આદ્રકરાજા બોલ્યા કે હે વત્સ! શ્રેણિક નામે મગધદેશનો રાજા છે, તેના અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. તે સાંભળી તરતજ આદ્રકકુમાર અમૃતની તરંગિણી જેવી દષ્ટિથી પ્રેમાકુરને પ્રગટ કરતો મંત્રી પ્રત્યે બોલ્યો કે, ‘તમારા સ્વામીને કઈ પૂર્ણ ગુણવાળો પુત્ર છે? તેને હું પ્રીતનું પાત્ર કરીને મિત્ર કરવા ઈચ્છું છું.” મંત્રી બોલ્યા કે, “હે કુમાર ! બુદ્ધિનું ધામ, પાંચસો મંત્રીને સ્વામી, દાતાર, અસામાન્ય, કરૂણારસને સાગર, દક્ષ, કૃતજ્ઞ અને કળારૂપ સાગરને પારંગત અભયકુમાર નામે એક શ્રેણિકરાજાને પુત્ર છે. અરે કુમાર ! બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન, ધર્મેશ, ભયરહિત અને વિશ્વમાં વિખ્યાત એ અભયકુમારને શુ તમે નથી જાણતા ? સ્વયંભૂરમણ નામના સમુદ્રમાં અનેક આકારવાળા મસ્યસમૂહની જેમ તે કુમારમાં વાસ કરીને રહ્યા ન હોય એવા કઈ પણ ગુણે આ જગતમાં નથી.” પિતાના પુત્રને અભયકુમાર સાથે મિત્રી કરવાનો અથી થયેલ જાણીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તું ખરેખર કુલીન પુત્ર છું, કેમકે મારા ચાલેલા માર્ગે ચાલવાને ઇચ્છે છે. વળી સમાન ગુણવાળા અને સમાન કુળ તથા સંપત્તિવાળા તમારે બને વિવાહ સંબંધની જેમ પરસ્પર મિત્રપણું ઘટે છે. પોતાના મનોરથને મળતી પિતાની આજ્ઞા
Page #122
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૦૭ મળવાથી આર્દકકુમારે તે મંત્રીને કહ્યું કે, “તમારે મને પૂછળ્યા વગર જવું નહીં; કારણકે અહીંથી ચાલતી વખતે અભયકુમાર સાથેના નેહરૂપ વૃક્ષના બીજ જેવું મારું વચન તમારે સાંભળવાનું છે.' કુમારનાં વચનથી મંત્રીએ તેમ કરવાને સ્વીકાર્યું. પછી રાજાની રજા લઈને છડીદારે બતાવેલા માર્ગે મંત્રી તેના ઉતારામાં ગયો.
અન્યદા આકરાજાએ મેતી વિગેરેની ભેટ લઈને એક પિતાના પુરૂષ સાથે તે મંત્રીને વિદાયગીરી આપી તે વખતે આદ્રકુમારે અભયકુમારને માટે તે મંત્રીના હાથમાં પરવાળા અને મુક્તાફળ વિગેરે આપ્યા. પછી મંત્રી આદ્રકરાજાના મનુષ્ય સહિત રાજગૃહપુરે આવ્યું અને તેમણે શ્રેણિક રાજાને અને ‘અભયકુમારને ભેટ આપી. મંત્રીએ અભયકુમારને સંદેશો કહ્યો કે, આદ્રકકુમાર તમારી સાથે મિત્રતા અને સૌબ્રાન્ન કરવા ઈચ્છે છે.' જિનશાસનમાં કુશળ અભયકુમારે ચિંતવ્યું કે, 'જરૂરશ્રમણપણાની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હશે; પણ તે મહાત્મા આદ્રકકુમાર આસનભવ્ય હવે જોઈએ. કારણ કે અભવ્ય અને દુરભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા જ થાય નહીં. પ્રાય: સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેનો સ્વભાવ એક સરખો હોય છે અને મૈત્રી એક સરખા સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. હવે કોઈ પણ ઉપાય કરીને તેને પાછો જૈનધમી કરી હું તેને આપ્તજન થાઉં, કેમકે જે ધર્મ માર્ગમાં અગ્રેસર થાય તે જ પ્રાપ્ત કહેવાય છે. તે આર્દકકુમારને હું તીર્થકરનું બિંબ દર્શાવું, કે જેથી કદી તેને ઉત્તમ જાતિસ્મરણ થાય. અહીથી ભેટને વિષે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમચી ઉત્તમ અર્હત્ પ્રતિમાં હું તેની ઉપર મેકલાવું” આ પ્રમાણે વિચારીને તેણે એક પેટીમાં શ્રી આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી, કે જે પ્રતિમા કલ્યાણ આપવામાં કામધેન જેવી હતી. પછી તે પ્રતિમાની આગળ ધૂપધાણું અને ઘંટા વિગેરે દેવપૂજાના બધા ઉપકરણે મૂક્યા. પછી તે પેટીન દ્વારપર તાળું દઈ અભયકુમારે તેની ઉપર પોતાની મહેરછાપ કરી. મગધપતિ શ્રેણિ કે પેલા આદ્રક રાજાને માણસને ઘણી ભેટ આપીને પ્રિય આલાપપૂર્વક વિદાય કર્યો, તે વખતે અભયકુમારે પણ તેના હાથમાં તે પેટી આપી અને અમૃત જેવી વાણીથી તેનો સત્કાર કરીને કહ્યું કે, “હે ભદ્ર! આ પેટી આદ્રકકુમારને આપજે અને તે મારા બંધુને મારે આ સંદેશો કહેજે કે, આ પેટી એકાંતમાં જઈને તારે એકલાએ જ ઉઘાડવી અને તેમાં જે વસ્તુ છે તે તારેજ જેવી, તે વસ્તુ કોઈ બીજાને બતાવવી નહીં.' આ પ્રમાણે તેનું કહેવું કબુલ કરી તે પુરૂષ પોતાને નગરે ગયે. સાથે લાવેલી ભેટ પોતાના સ્વામીને અને તેમના કુમારને આપી. તેમજ અભયકુમારનો સંદેશ આદ્રકકુમારને એકાંતમાં લઈ જઈને કહ્યું. આદ્રકકુમારે એકાંતે તે પેટી ઉઘાડી, તો તેમાં અંધકારમાં પણ ઉદ્યોત કરતી જાણે તેજની જ ઘડેલી હોય તેવી શ્રી આદિનાથની મનહર પ્રતિમા તેના જોવામાં આવી. તે જોઈ આદ્રકકુમાર વિચારમાં પડ્યો કે, “આ શું હશે? આ કેઈ અંગનું ઉત્તમ આભૂષણ જણાય છે, પણ તે શું મસ્તકે, કઠે કે હૃદયે પહેરવાનું હશે? પૂર્વે મેં કઈ ઠેકાણે આવી વસ્તુ જોયેલી છે, પણ મંદાભ્યાસીને શાસ્ત્રની જેમ તે મારા સ્મરણમાં આવતું નથી.” આવી રીતે ઘણી ચિંતવના કરતાં આદ્રકકુમારને જાતિસ્મરણને ઉત્પન્ન કરનારી મોટી મૂછ આવી. તત્કાળ જાતિસમરણ ઉત્પન્ન થતાં ચેતનાને પ્રાપ્ત કરીને તે પોતાના પૂર્વ જન્મની કથાને ચિંતવવા લાગ્યો-અરે ! આ ભવથી ત્રીજે ભવે મગધ દેશના વસંતપુર નગરમાં સામાયિક નામે હું એક કુટુંબી (કણબી) હતા. મારે બંધુમતી નામે સ્ત્રી હતી. તેની સાથે અન્યદા સુસ્થિત નામના આચાર્યની પાસેથી આહંદુધર્મ અમે યથાર્થ રીતે સાંભળે.
Page #123
--------------------------------------------------------------------------
________________
સ ૭ મા
૧૦૮
તેથી ભાર્યા સહિત પ્રતિધ પામી ગૃહવાસથી વિરક્ત થઈને તેમની પાસે દીક્ષા લીધી. ગુરૂની સાથે વિહાર કરતા અન્યદા એક શહેરમાં આવ્યેા. ત્યાં મારી સ્ત્રી અધુમતી પણ બીજી સાધ્વીઓ સાથે વિહાર કરતી કરતી આવી. એક દિવસે તેને જોવાથી મને પૂની વિષયક્રીડા યાદ આવી, તેથી હું તેણીમાં અનુરક્ત થયા અને બીજા સાધુને મેં તે વાર્તા જણાવી. તે સાધુએ પ્રવૃત્તિનીને કહ્યું, અને તેણીએ ખમતીને કહ્યું. તે સાંભળી ખેદ પામતી બંધુમતી આ પ્રમાણે એલી કે-હે સ્વામિની ! એ ગીતા થયેલ સાધુ પણ જો મર્યાદાનું ઉલ્લ’ઘન કરશે તેા પછી મારી શી ગતિ થશે ? કારણ કે મર્યાદા પાળવાથી જ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી. હવે કદી હું અડીથી દેશાંતર જાઉ તે પણ એ મહાનુભાવ મને દેશાંતર ગયેલી સાંભળશે ત્યાં સુધી મારા વિષેના રાગ છેડી દેશે નહીં; માટે હું ભગવતી ! હું પ્રાણ જ તજી દઇશ કે જેથી મારા અને તેમના શીલનુ` મ`ડન નહીં થાય.' આ પ્રમાણે ધારી અનશન કરીને લીલા માત્રમાં તેણે થુંકની જેમ પેાતાના પ્રાણને તજી દીધા અને દેવપણાને પ્રાપ્ત થઈ. તેને મૃત્યુ પામેલી સાંભળી મને વિચાર થયા કે, એ મહાનુભાવા વ્રતભંગના ભયથી મૃત્યુ પામી, અને હું તેા વ્રતનો ભંગ થયા છતાં પણ જીવું છું, તા મારે હવે જીવવાની શી જરૂર છે ?' એવું ધારીને હું પણ અનશન કરી મૃત્યુ પામીને દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને અહી' ધ વર્જિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છું. જેણે મને પ્રતિબેાધ પમાડવો તેજ મારો ખરેખશે બધુ અને ગુરૂ છે. મારા ભાગ્યનો ઉદયથી અભયકુમાર મંત્રીએ મને પ્રતિાધિત કર્યા છે; પણ અદ્યાપિ હુ તેના દન કરી શકુ તેમ ન હેાવાથી ખરેખર મંદભાગ્ય છું. તેથી હવે પિતાની આજ્ઞા મેળવીને હું આ દેશમાં જઈશ કે જ્યાં મારા ગુરૂ અભયકુમાર છે.” આવા માથ કરતા અને આદિનાથની પ્રતિમાને પૂજતા આ કકુમાર દિવસોને નિમન કરવા લાગ્યા. એક દિવસે આકકુમારે પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે, ‘હું અભયકુમારના દન કરવાને ઈચ્છું છુ.' એટલે આકરાજાએ કહ્યું કે, હે વત્સ ! તારે ત્યાં જવું નહી', કારણકે આપણે શ્રેણિકરાજાની સાથે પણ અહી. રથાને રહ્યા છતાંજ મૈત્રી છે.’ પિતાની આવી આજ્ઞાથી બધાયેલા અને અભયકુમારને મળવાને ઉત્કંઠિત થયેલા આ કકુમાર ત્યાં જઈ શકયા નહીં, તેમ અહીં રહી પણ શકો નહિ. તેથી ભાદરવાના મેઘની જેમ નેત્રમાંથી અશ્રાંત અ વર્ષાવતો અને જેના નેત્રા સુજી ગયા છે એવા તે આકકુમાર અભયકુમારને મળવા જવાને ઉત્સહિત થઇ રહ્યો. બેસતાં, સુતાં, ચાલતાં, ખાતાં અને બીજી બધી ક્રિયાએ કરતાં તે અભયકુમારથી અલકૃત એવી દિશાને જ પોતાની ષ્ટિ આગળ રાખતા હતા. અભયકુમારની પાસે પારેવાની જેમ ઉડીને પહોંચવાની ઈચ્છાવાળા તે આ કકુમારને રોગપીડિત દીન જનની જેમ જરા પણ શાંતિ વળતી નહી. તે હમેશાં ‘મગધદેશ કેવા છે ? રાજગૃહ નગર કેવું છે ? ત્યાં જવાને કયા માર્ગ છે?' આ પ્રમાણે પોતાના પિરજનાને પૂછ્યા કરતા હતા.
આ કકુમારની આવી સ્થિતિ સાંભળી આકરાજાને ચિંતા થઈ કે, ‘જરૂર આ કકુમાર કોઈ વખતે મને કહ્યા વગર અભયકુમારની પાસે ચાલ્યા જશે, તેથી તેના બદોબસ્ત રાખવા જોઇએ.’ આવું ચિંતવી તેણે પાતાના પાંચસે સામાને આજ્ઞા કરી કે “તમારે આર્દ્રકકુમારને કાઈ પણ દેશાંતરે જવા ન દેવા.’ રાજાની આવી આજ્ઞાથી તે સામંતે પણ છાયાની જેમ તેનું પડખું છેડતા નહેાતા. નિરંતર સાથે રહેતા હતા; તેથી કુમાર પોતાના આત્માને બંદીવાન્ સરખા માનવા લાગ્યા. છેવટે અભયકુમારની પાસે જવાનું મનમાં ધારીને તે બુદ્ધિ
Page #124
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૦૯ માન કુમારે પ્રતિદિન અશ્વ ફેરવવાની ક્રીડા કરવા માંડી. તે વખતે પણ તે સામંતો તેના અંગરક્ષક થઈને તેની સાથે રહેવા લાગ્યા. આ દ્રકકુમાર ઉતાવળે અશ્વ દોડાવી તેનાથી થોડોક દૂર ચાલ્યા જઈને પાછો વળી આવતો હતો. એવી રીતે અનુક્રમે અને ખેલાવતાં અધિક અધિક દૂર જવા લાગે અને પાછો વળી આવવા લાગ્યું. તેથી સર્વ સામે તેને તેના ગમનાગમન પર વિશ્વાસ ઉત્પન્ન થયે. એમ કરતાં કરતાં એક દિવસ આ દ્રકકુમારે પિતાના વિશ્વાસુ માણસની પાસે સમુદ્રમાં એક વહાણ તૈયાર કરાવ્યું. તે વહાણને રત્નોથી પૂરાવ્યું અને અભયકુમારે મેકલેલી શ્રી આદિનાથની પ્રતિમા પણ તેમાં મેકલાવી દીધી. પછી અને ખેલાવતાં અદશ્ય થઈને તે વહાણ ઉપર ચડી આકકુમાર આર્યદેશમાં આવતો રહો. ત્યાં પહોંરયા પછી વહાણમાંથી ઉતરીને અભયકુમારે મેકલેલી પ્રતિમાં તેની પાસે મોકલી, સાત ક્ષેત્રમાં ધન વાપરી પોતાની મેળે યતિલિંગ ગ્રહણ કર્યું. જે વખતે તેણે સામાયિક ઉચ્ચરવા માંડયું, તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ઉંચે સ્વરે કહ્યું કે, “હે મહાસત્ત્વ ! તું દીક્ષા ગ્રહણ કરીશ નહી, કારણ કે અદ્યાપિ તારે કર્મ અવશેષ છે, તે ભેગવી લે અને ભેચ્યકર્મ ભોગવ્યા પછી સમયે દીક્ષા ગ્રહણ કરજે, કેમકે ભાગ્યકમ તીર્થ કરોને પણ અવશ્ય ભોગવવું પડે છે. હે મહાત્મા ! તારે હાલ વ્રત લેવાની જરૂર નથી, હાલ વ્રત લેવાથી તારૂં ઉપહાસ્ય થશે. તેવું ભેજન કર્યું શા કામનું કે જેનું વમન થઈ જાય?’ આવાં દેવતાનાં વચનનો અનાદર કરીને આ Áકકુમારે પરાક્રમવડે પોતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આકકુમાર મુનિ પ્રત્યેકબુદ્ધ થઈ તીવ્રપણે વતને પાળતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વસંતપુર નગરે આવ્યા, અને નગરની બહાર કોઈ દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા, અર્થાત્ સર્વ અધિને દૂર કરી સમાધિસ્થ થયા.
એ નગરમાં મહાકુળવાન્ દેવદત્ત નામે એક મોટે શેઠ રહેતે હતો. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવકમાંથી ૩વીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું શ્રીમતી નામ પાડયું. તે ઘણી સ્વરૂપવતી અને સર્વ વનિતાઓમાં શિરોમણિ થઈ માલતીના પુષ્પની માળાની જેમ ધાત્રીઓએ પાલન કરેલી તે કન્યા અનુક્રમે ધૂલિક્રીડા ગ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ. એકદા શ્રીમતી નગરની બીજી બાળાઓની સાથે પતિ રમણની ક્રીડા કરવા માટે પૂર્વોક્ત દેવાલયમાં જ આવી કે જ્યાં આદ્રક મુનિ કાર્યોત્સર્ગ રહેલા હતા. ત્યાં કીડા કરવાને માટે બધી બાલિકાઓ બોલી કે, “સખીઓ ! સર્વે પિતપિતાને ગમતા એવા વરને વરી લ્યો.' એટલે સર્વે કન્યા પરસ્પર રૂચિ પ્રમાણે કઈ કઈને વર કરીને વરી ગઈ. એટલે શ્રીમતીએ કહ્યું કે, સખીઓ ! હું તો આ ભટ્ટારક મુનિને વરી. તે વખતે દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “શાબાશ છે, તુ ઠીક વરી છું !' આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે ગર્જનાથી ત્રાસ પામીને શ્રીમતી તે મુનિના ચરણને વળગી પડી. મુનિએ વિચાર્યું કે, “અહીં ક્ષણવાર રહેવાથી પણ વ્રતરૂપી વૃક્ષને મહાન પવન જે આ મને અનુકૂળ ઉપસર્ગ થયે, માટે અહી વધારે વાર રહેવું યોગ્ય નથી.” આવા વિચારથી તે મુનિ તરત જ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. “મહર્ષિઓને કઈ સ્થળે નિવાસ કરીને રહેવાની આસ્થા હોતી નથી, તે જ્યાં ઉપસર્ગ થાય ત્યાં રહેવાની તે શાની જ આસ્થા હોય ?” પછી તે નગરને રાજા તે રનવૃષ્ટિ લેવાને ત્યાં આવ્યું. કારણ કે “સ્વામી વગરના ઘન ઉપર રાજાને જ હક છે' એ તેને નિશ્ચય હતે. રાજપુર રોજાની આજ્ઞાથી જ્યારે તે દ્રવ્ય લેવા દેવાલયમાં પેઠા ત્યારે નાગલોકના દ્વારની જેમ તે સ્થાન અનેક સર્ષોથી વ્યાપ્ત જોવામાં આવ્યું. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને
Page #125
--------------------------------------------------------------------------
________________
સ` ૭ મા
૧૧૦
કહ્યું કે, મે આ દ્રવ્ય આ કન્યાના વરને નિમિત્તે આપેલુ છે, માટે બીજા કોઇએ લેવુ નહીં.' તે સાંભળી રાજા વિલખા થઈને પાછા ગયા; એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને ઇલાયદું રાખ્યું. પછી સાય કાળે પક્ષીઓની જેમ સર્વે પેાતાતાને સ્થાનકે ગયા.
હવે શ્રીમતી વરવા ચોગ્ય થવાથી તેને વરવાને ઘણા વર તૈયાર થઇને આવ્યા, એટલે તેના પિતાએ તેને કહ્યું કે, ‘આમાંથી ચેાગ્ય લાગે તેને અંગીકાર કર.’તે સાંભળી શ્રીમતી ખેલી કે–“પિતાજી ! હુ તા તે વખતે જે મુનિને વરી છું તેજ મારા વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પશુ આપેલુ છે. તે મહિને હું મારી ફિચથી વરી ચૂકી છું અને તમે પણ દ્રવ્ય લેવાથી તેમાં સ ંમત થયા છે; માટે તે મુનિવર માટે કલ્પીને હવે મને બીજા વરને આપવી તે તમને ચેાગ્ય નથી. તાત ! શુ' તમે નથી સાંભળ્યુ` કે જે ખાળક પણ જાણે છે કે, ‘રાજાએ એકજ વાર ખાલે, મુનિએ એકજ વાર વઢે અને કન્યા પણ એક જ વાર અપાય-આ ત્રણે ખાખત એકજવાર થાય છે.” શેઠે કહ્યું કે, “હે પુત્રી ! તે મુનિ શી રીતે મળી શકે, કેમકે તે એક સ્થાને તા રહેતા નથી. પુષ્પમાં ભ્રમરની જેમ તે નવનવા સ્થાનમાં કું છે. તે મુનિ પાછા અહી' આવશે કે નહી ? કદી આવશે તે તે શી રીતે એળખાશે ? તેમનુ' નામ શું ? તેનું અભિજ્ઞાન શું ? તેવા ભિક્ષુકા તા કેટલાય આવે છે.’” શ્રીમતી ખેાલી કે-“પિતાજી ! તે દેવાલયમાં દેવતાની ગર્જનાથી હુ‘ ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમના ચરણને પકડી રહી હતી, તે વખતે તેમના ચરણમાં એક ચિહ્ન મારા જોવામાં આવ્યુ છે. માટે હે પિતા ! તમે એવી ગેાઠવણુ કરો કે જેથી હું પ્રતિદિન જતા આવતા સાધુઓને જોઈ શકું.” શેઠ મેલ્યા કે, “હે પુત્રી ! હવે જે કોઇ મુનિએ આ શહેરમાં આવે તે સર્વે મુનિને તારે સ્વયમેવ ભિક્ષા આપવી.” પિતાની આજ્ઞા થઈ ત્યારથી શ્રીમતી દરેક મુનિઓને ભિક્ષા આપતી, અને વંદના કરતી વખતે તેમના ચરણ પરના ચિહ્નો જોતી હતી. તેમ કરતાં કરતાં બાર વર્ષે દિગ્મૂઢ થયેલા આ ક મુનિ ત્યાં આવી ચડયા. શ્રીમતીએ વ`દના કરતાં ચિહ્ન જોઈ ને તરત ઓળખી લીધા, એટલે તે ખેલી કે, “હે નાથ ! તે દેવાલયમાં હું તમને વરી હતી. માટે તમે જ મારા પતિ છે. તે વખતે તો હુ' મુગ્ધા હતી તેથી મને પસીનાના ખિ`દુની જેમ ત્યજી દઈને તમે ચાલ્યા ગયા હતા, પણ આજે સપડાયા છે, હવે કરજદારની જેમ અહીંથી શી રીતે જશેા ? હું નાથ ! જયારથી તમે દૃષ્ટનષ્ટ થયા હતા ત્યારથી પ્રાણ રહિતની જેમ મારા બધા કાળ નિ મન થયા છે, માટે હવે પ્રસન્ન થઈને મને અંગીકાર કરે. તે છતાં પણ કદી જો ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશે તો હુ અગ્નિમાં પડીને તમને સ્રીહત્યાનું પાપ આપીશ.” પછી રાજાએ અને મહાજને આવીને વિવાહ માટે તેમની પ્રાર્થના કરી. એટલે મુનિએ ત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્ય વાણી થઈ હતી તે યાદ કરી; અને તે દૈવી વાણી સાંભારીને તેમજ સના વિશેષ આગ્રહ જોઈ ને મહાત્મા આ કમુનિ તે શ્રીમતીને પરણ્યા. કદી પણ ભાવી અન્યથા થતુ નથી.’1
શ્રીમતીની સાથે ચિરકાળ ભાગ ભાગવતા તે મુનિને ગૃહસ્થપણાની પ્રસિદ્ધિરૂપ એક પુત્ર ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર ધાવણુ મૂકી દઈ રાજશુકની જેમ તરતની છુટેલી જિવાવડે કાલુ કાલુ બેલવા લાગ્યા. પુત્ર માટો થવાથી આ કકુમા૨ે શ્રીમતીને કહ્યું કે, ‘હવે આ પુત્ર તારી સહાય કરશે, માટે હું દીક્ષા લઇશ.' બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવાને માટે રૂની પૂણી સાથે ત્રાક લઇને રેંટીએ કાંતવા બેઠી. જ્યારે તે ३
Page #126
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦ મુ
૧૧૧
કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈ ને પૂછ્યું કે, હે માતા ! સાધારણ માણસને યાગ્ય આવુ કામ તમે કેમ કરો છે ?” તે ખેલી કે-- હે વત્સ ! તારા પિતા દીક્ષા લેવા જવાના છે, એટલે તેના ગયા પછી પતિ રહિત એવી મારે આ ત્રાકનુ જ શરણ છે.” પુત્ર ખલ્યપણાને લીધે તાતડી પણ મધુર વાણીએ ખેલ્યા કે–માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે ?’ આ પ્રમાણે કહી લાળથી કરાળીઆની જેમ તે મુગ્ધમુખ બાળક ત્રાકના સૂત્રથી પિતાના ચરણને વીતવા લાગ્યા, અને ખેલ્યા કે−‘અબા ! હવે ભય રાખેા નહી, સ્વસ્થ થાએ, જુઓ મારા પિતાના પગ મે' બાંધી લીધા છે, તેથી ખ'ધાયેલા હાથીની જેમ હવે તે શી રીતે જઇ શકશે ?’ બાળકની આ પ્રમાણેની ચેષ્ટા જોઇ આ કે વિચાર્યું કે, ‘અહા ! આ બાળકનેા સ્નેહાનુબંધ કેવા છે કે, જે મારા મનરૂપ પક્ષીને પાશલ રૂપ થઈ પડયા છે, જેથી હું હવે તરતમાં દીક્ષા લેવા માટે જવાને અશક્ત છુ. માટે આ પ્રેમાળ બાળકે મારા પગ સાથે જેટલા સૂત્રના આંટા લીધા છે, તેટલા વર્ષા સુધી આ પુત્રના પ્રેમથી હું ગૃહસ્થપણે રહીશ.' પછી તેણે પગના તંતુબંધ ગણ્યા એટલે ખાર થયા, તેથી તેણે ગૃહસ્થપણામાં બીજા ખાર વર્ષે નિમન કર્યા. જ્યારે પેાતાની પ્રતિજ્ઞાનેા અવધ પૂર્ણ થયા ત્યારે તે બુદ્ધિમાન્ પુરૂષ વૈરાગ્ય પામી રાત્રિના પાછલા પહેરે આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-અહા ! આ સંસારરૂપ કુવામાંથી નીકળવાને મે દોરીની જેમ વ્રતનુ આલંબન કર્યું અને પાછું તેને છેાડી ઈને હું તેમાંજ મગ્ન થયા. પૂર્વ જન્મમાં મેં માત્ર મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી મને અનાય પશુ પ્રાપ્ત થયું હતું, તે હવે આ ભવમાં તો ત્રિકરણે વ્રત ભાંગ્યુ છે, ત્યારે મારી શી ગતિ થશે! ભવતુ ! હજુ પણ દીક્ષા લઈ તપરૂપ અગ્નિથી અગ્નિશૌચ વસ્ત્રની જેમ હું મારા આત્માનું પ્રક્ષાલન કરીશ.’આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિમમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા.
વસંતપુરથી રાજગૃહ નગર તરફ જતાં માગ માં પેાતાના પાંચસે સામતોને ચારીનેા ધંધા કરતા જોયા. તેમણે ઓળખીને ભક્તિથી આકમુનિને વંદના કરી. મુનિએ કહ્યુ, તમે આવી પાપી આજીવિકા શા માટે આદરી છે ? ' તેએ ખેલ્યા કે, હે સ્વામી ! જ્યારે તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમેા લજ્જાથી અમારૂં મુખ તમારા પિતાને બતાવી શકયા નહીં; તેથી તમારી જ શેાધમાં પૃથ્વીપર ભમવા લાગ્યા અને ચેારી વડે આજીવિકા કરવા લાગ્યા. નિર્ધન શસ્ત્રધારીએએ બીજું શું કરવું ?” મુનિ ખેલ્યા-હે ભદ્રો ! કદી માથે કષ્ટ આવી પડે તો પણ જે ધર્માનુબંધી કાર્ય હાય તેજ કરવું કે જે બન્ને લાકમાં સફળ થાય, કાઈ મહાપુણ્યના ચાગથી આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, અને તે પ્રાપ્ત થયાનું ફળ સ્વર્ગ તથા માક્ષને આપનાર ધર્માંજ છે. સર્વ જીવાની અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહતા એ ધમ તમારે માનવા યાગ્ય છે. હે ભદ્રા ! તમે સ્વામિ ભક્ત છે, હું રાજાની જેમ તમારા સ્વામી છું. તેથી મારૂ કહેવું માનીને મારા અંગીકાર કરેલા માર્ગોને સમુદ્ધિવડે તમે પણ ગ્રહણ કરે.' તેઓ મેલ્યા કે ‘તમે પ્રથમ સ્વામી હતા અને અત્યારે ગુરૂ છે!, તમારા કહેલા ધર્મ અમને રૂચ્યા છે, તેથી દીક્ષા આપીને અમારી પર અનુગ્રહ કરા.’ આકકુમાર તેઓને દીક્ષા આપી સાથે લઈ ને શ્રી વીરપ્રભુને વાંઢવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગાશાળા સામા મળ્યા. પુણ્યરહિત ગેાશાળે આ મુનિની સાથે વાદ કરવા માંડયો. તે કૌતુક જોવાને હજારા મનુષ્યા અને ખેચરા તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. ગેાશાળા ખેલ્યા-અરે મુનિ ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટરૂપ છે, કારણ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સર્ગ ૭ મે
કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા) જ છે.’ આદ્રકમુનિ બેલ્યા કે-“અરે ગોશાળા : જો તેમજ હોય તો આ જગતમાં સુખ જ નથી એમ કહે, અને જે સુખ છે એમ કહેતો હોય તો પુરૂષાર્થને તેના કારણ તરીકે માની લે. જે સર્વ ઠેકાણે નિયતિજ કારણ માનતો હો, તો ઈષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ કિયાઓ વૃથા થશે. વળી જે તું નિયતિ ઉપર નિષ્ઠા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી ? ભેજનનો અવસરે ભેજન માટે શું કામ પ્રયત્ન કરે છે ? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરૂષાર્થ કરે તે પણ યોગ્ય છે, કારણ કે અર્થ સિદ્ધિમાં નિયતિથી પણ પુરૂષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉદ્યમ બળવાન છે.” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નેત્તર કરી દીધો. તે સાંભળી બેચર વિગેરેએ જયજય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી.
પછી આદ્રકમુનિ હસ્તિતાપના આશ્રમમાં ગયા. ત્યાં પર્ણકુટીઓમાં હાથીઓનું માંસ તડકે સુકવવા નાંખેલું તેમના જેવામાં આવ્યું. ત્યાં રહેલા તાપસે એક મેટા હાથીને મારી તેનું માંસ ખાઈને ઘણા દિવસે નિર્ગમન કરતા હતા. તેઓને એ મત હતો કે, “એક મેટા હાથીને મારી નાખવે તે સારે કે જેથી એક જીવનાજ માંસથી આપણે ઘણે કાળ નિગમન થાય. મૃગ, તિત્તિર, મત્સ્ય વિગેરે ઘણું ક્ષુદ્ર પ્રાણીઓનો અને ઘણું ધાન્યના કણોનો આહાર શા માટે કરે ? કે જેમાં ઘણું જીવોની હિંસા થવાથી ઘણું પાપ લાગે છે. આવાં તે દયાભાસ ૧ ધર્મને માનનારા તાપસોએ તે વખતે મારવાને માટે એક મોટી કાયાવાળા હાથીને ત્યાં બાંધ્યો હતો. ભારવાળી બલાવડે જ્યાં હાથીને બાંધ્યું હતો, તે માર્ગે થઈને એ કરૂણાળુ મહર્ષિ નીકળ્યા. પાંચસે મુનિઓએ પરવરેલા તે મહષિને અનેક લે કે પૃથ્વી પર મસ્તક નમાવીને નમતા હતા, તે જોઈ એ લઘુકમી ગજે કે વિચાર્યું કે, “ પણ જો છું થઉં તો આ મુનિવરને વંદના કરું, પણ બંધનમાં છું તેથી શું કરું ?’ હાથી આ પ્રમાણે વિચારે છે તેવામાં ગરૂડના દર્શનથી નાગપાશની જેમ તે મહર્ષિના દર્શનથી તેના લેહમય બંધન તૂટી ગયા, તેથી તે હાથી છુટ થઈ તે મહામુનિને વાંદવા તેમની સામે ચાલે. તે જોઈ લેકે કહેવા લાગ્યા કે, “આ મુનિને હાથી જરૂર હણી નાખશે.” એમ બોલતા હાથીના ભયથી દૂર નાશી ગયા; પરંતુ મુનિ તો ત્યાં જ ઊભા રહ્યા. ગજેકે તેમની પાસે આવી કુભસ્થળ નમાવીને પ્રણામ કર્યો અને દાહથી પીડિત જેમ કદલીને સ્પર્શ કરે તે તે જે મનિના ચરણને સુ ઢ પ્રસારીને સ્પર્શ કર્યો. તેથી તે પરમ શાંતિને પામ્યા. પછી તે હાથી ઊભે થઈ ભક્તિથી ભરપૂર દષ્ટિવડે મુનિને જેતે જોતે અનાકુળપણે અરણ્યમાં ચાલ્યા ગયે. મુનિના આવા અદ્દભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી પેલા દયાભાસ ધમ હસ્તિાપસે તેમના પર ઘણું ગુસ્સે થયા પરંતુ આર્દિકકુમારે તેઓને પણ પ્રતિબોધ પમાડ્યો અને સમતા સંવેગથી શુભતા તેઓને શ્રી વીરપ્રભુના સમવસરણમાં મોકલ્યા, ત્યાં જઈને તેઓએ હર્ષથી દીક્ષા લીધી. - શ્રેણિક રાજા ગજેદ્રના મોક્ષની અને તાપસના પ્રતિબંધની હકીકત સાંભળી અભયકુમાર સહિત આર્કિકમુનિ પાસે આવ્યા. ભક્તિથી વંદના કરતા રાજાને મુનિએ સર્વ કલ્યાણકારિણી ધર્મલાભરૂપ આશીષથી આનંદિત કર્યો. પછી મુનિને શુદ્ધ ભૂમિતળ ઉપર નિરાબાધપણે બેઠેલા જોઈ રાજાએ પૂછયું કે- હે ભગવન્! તમે કરેલા ગજે દ્રાક્ષથી મને આશ્ચર્ય થાય છે, એટલે મહષિ બોલ્યા કે- હે રાજે ! ગજેનો મોક્ષ કરવો તે મને દુષ્કર લાગતે . ૧ આભાસ માત્ર જેમાં દયા છે, વાસ્તવિક દયા નથી એવા.
Page #128
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મુ
૧૧૩ નથી, પણ મને તો ત્રાકસૂત્રના પાશમાંથી મોક્ષ થવે તે દુષ્કર જણાય છે.” રાજાએ પૂછયું કે, તે શી રીતે ?” એટલે મુનિએ ત્રાકસૂત્ર સંબંધી બધી કથા કહી સંભળાવી, જે સાંભળી રાજા અને સર્વ કે વિસ્મય પામી ગયા.
પછી આદ્રકકુમાર મુનિએ અભયકુમારને કહ્યું કે, “હે ભદ્ર! તમો મારી નિષ્કારણું ઉપકારી ધર્મબંધુ છે. હે રાજપુત્ર ! તમે મેકલેલી અર્વતની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી જ હું આર્યત થયે. હે ભદ્ર! તમે મને શું શું નથી આપ્યું? અને શે શે ઉપકાર નથી કર્યો ? કે જેણે મને ઉત્તમ ઉપાયની યોજના કરીને આહંત ધર્મમાં પ્રવર્તાવ્યું. હે મહોપકારી ! તમે અનાર્યપણું રૂપ મહા કાદવમાં નિમગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો. અને તમારી બુદ્ધિથી બોધ પામી હ' આર્ય દેશમાં આવ્યું. તેમજ તમારાથી જ પ્રતિબોધ પામીને હું દીક્ષાને પ્રાપ્ત થયેલ છું. તેથી હે કુમાર ! તમે ઘણું કલ્યાણવડે વૃદ્ધિ પામે છે.” રાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા લોકો તે મુનિને વંદના કરીને પોતપોતાને સ્થાને ગયા. આ કમુનિએ રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વંદના કરી અને તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ પ્રાંતે મોક્ષને પ્રાપ્ત થયા.
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि चेल्लणायोग्यएकस्तंभप्रासाद निर्मापणશીરા-વહાણ જેળિવિદ્યા-તુષાથા
आर्द्र कुमारकथा-वर्णनो नाम सप्तमः सर्गः।।।
※旅柴柴院院院院院院杀杀杀杀杀杀杀杀杀※※※※※※
૧૫ '
Page #129
--------------------------------------------------------------------------
________________
સ ૮ મા
શ્રી ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષા, જમાલિ અને ગાશાળાની વિપ્રતિપત્તિ તથા વિપત્તિ અને
શ્રી મહાવીર પ્રભુનું આરોગ્ય
ભવિજનના અનુગ્રહને માટે ગામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કરતા શ્રી વીરપ્રભુ અન્યદા બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળુ સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પૂર્વ સિહાસન ઉપર પૂર્વાભિમુખે ખીરાજ્યા અને ગૌતમ વગેરે ગણધરા અને દેવતાએ પેાતપાતાને ચાગ્ય સ્થાને બેઠા, સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજના ત્યાં આવ્યા તે સાથે દેવાના અને ઋષભદત્ત પણ આવ્યા. શ્રદ્ધાળુ ઋષભદત્ત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદીને ચેાગ્ય સ્થાને બેઠા. દેવાનંદા પણુ પ્રભુને નમી ઋષભદત્તની પછવાડે આનંદ પ્રફુલ્લિત મુખવડે દેશના સાંભળવા બેઠી, તે વખતે પ્રભુને જોતાંજ દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યુ અને શરીરે શમાંચ પ્રગટ થયા. તેની એવી સ્થિતિ જોઈ ગૌતમસ્વામી સંશય અને વિસ્મય પામ્યા. તેથી તેમણે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભુ ! પુત્રની જેમ તમને જોઈ ને આ દેવાનંદાની ષ્ટિ દેવવધુની જેમ નિર્નિમેષ કેમ થઈ ગઈ ?” ભગવાન્ શ્રીવીરપ્રભુ મેઘના જેવી ગંભીર વાણીએ બાલ્યા-હે દેવાનુપ્રિય ગૌતમ ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા છું. દેવલેાકમાંથી ચવીને એની કુક્ષિમાં ખાશી દિવસ રહ્યો હતો, તેથી પરમાને નહીં જાણતાં છતાં તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે,’ પ્રભુનાં આવાં વચન કે જે પૂર્વ સાંભળવામાં આવ્યા નહોતા, તે સાંભળી દેવાનંદા, ઋષભદત્ત અને અધી પદા વિસ્મય પામી ગઇ. ‘આ ત્રણ જગના સ્વામી પુત્ર કથાં ! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે કયાં ! એમ વિચારી તે દ‘પતીએ ઉઠોને ફરીવાર પ્રભુને વંદના કરી. આ માતાપિતાને પ્રતિબોધ પમાડવા દુષ્કર છે.’ એવી બુદ્ધિથી ભગવતે તેમને અન્ય લેાકાને ઉદ્દેશીને આ પ્રમાણે દેશના આપી.
“અહા ભવ્યજીવો ! આ સંસારમાં સર્વ વસ્તુ ઈંદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષ તેના સ્થિરપણા વિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખતા નથી. જ્યાં સુધી જરાવસ્થા આવીને આ શરીરને જર્જરિત કરે નહિ, અને જ્યાં સુધી મૃત્યુ પ્રાળુ લેવાને આવે નહી, ત્યાં સુધીમાં અદ્વૈત સુખના નિધાનરૂપ નિર્વાણુના એક સાધન જેવી દીક્ષાના આશ્રય કરી લેવા ચાગ્ય છે, તેમાં જરા પણ પ્રમાદ કરવા યુક્ત નથી. ” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી દેવાનદા અને ઋષભદત્ત પ્રભુને નમીને ખેલ્યા કે “હે સ્વામી ! અમે બંને આ અસાર સંસારવાસથી વિરક્ત થયા છીએ, માટે હે જગમ કલ્પવૃક્ષ ! અમાને સ`સારતારણી દ્વીક્ષા આપે. તમારા સિવાય તરવાને અને તારવાને બીજો કાણુ સમર્થ છે ?'' પ્રભુએ ‘તથાસ્તુ' એમ કહ્યું, એટલે આત્માને ધન્ય માનતા તે દંપતીએ ઈશાન દિશામાં જઈ આભૂષણો વિગેરે તજી દીધાં, અને સ’વેગથી પાંચ મુષ્ટિવડે કેશને લાચ કરી પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વન્દ્વના કરીને
Page #130
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૧૫ બોલ્યા કે “હે સ્વામી ! અમે જન્મ, જરા અને મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યા છીએ, માટે તમે સ્વયમેવ અમને દીક્ષા આપવાને પ્રસન્ન થઈ અનુગ્રહ કરે.” પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમાચારી તથા આવશ્યકની વિધિ કહી સંભળાવી. “સર્વ સત્પરૂ ઉપકારી હોય છે, તો પછી સર્વ કૃતજ્ઞ પુરૂષોમાં શિરોમણિ પ્રભુની તો વાત જ શી કરવી ! ” પછી પ્રભુએ ચંદના સાધ્વીને દેવાનંદા અને સ્થવિર સાધઓને ઋષભદત્તને સોંપી દીધા. બંને પરમ આનંદથી વ્રતને પાળવા લાગ્યા. અનુક્રમે એકાદશાંગીનું અધ્યયન કરી, વિવિધ તપમાં તત્પર થઈ કેવળજ્ઞાન પામીને તેઓ મોક્ષને પ્રાપ્ત થયા.
ભગવંત શ્રી વદ્ધમાન સ્વામી જગજીના આનંદમાં વૃદ્ધિ કરતા છતા ગામ, આકર અને નગરથી આકુળ એવી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ ક્ષત્રીયકુંડ ગામે પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી દેશના આપી. પ્રભુને સમવસરેલા જાણી રાજા નંદિવર્ધ્વન મેટી સમૃદ્ધિ અને ભક્તિથી પ્રભુને વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી જગદગુરૂને વાંદી ભક્તિથી અંજલિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે વખતે જમાલિ નામે પ્રભુને ભાણેજ અને જામાતા, પ્રભુની પુત્રી પ્રિયદર્શના સહિત પ્રભુને વાંદવા આવ્યો. ભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા જમાલિએ માતાપિતાની રજા લઈ પાંચસે ક્ષત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. જમાલિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. જમાલિમુનિ પણ ક્ષત્રિય મુનિઓ સહિત પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે જમાલિએ અર અંગનું અધ્યયન કર્યું, એટલે પ્રભુએ તેને સહસ્ત્ર ક્ષત્રિયમુનિઓને આચાર્યો કર્યા. તેમણે ચતુર્થ, છ અને અમ વિગેરે તપ કરવા માંડયો, તેમ જ ચંદનાને અનુસરતી પ્રિયદર્શી નાએ પણ તપ કરવા માંડયું.
એક વખતે જમાલિએ પોતાના પરિવાર સહિત પ્રભુને નમીને કહ્યું, “સ્વામી ! તમારી આજ્ઞા હોય તો અમે હવે અનિયત વિહાર કરીએ.” પ્રભુએ જ્ઞાનચક્ષુવડે તેમાં ભાવી અનર્થ જાર્યો હતો, તેથી જમાલિ મુનિએ વારંવાર પૂછયું તથાપિ કાંઈ પણ ઉત્તર આપ્યો નહી. એટલે જેમાં નિષેધ ન હોય તેમાં આજ્ઞા સમજવી.” એવું વિચારી જમાલિમુનિ પરિવાર સહિત બીજે વિહાર કરવા પ્રભુ પાસેથી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતાં કરતાં શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં કોષ્ટક નામના નગરની બહારના ઉદ્યાનમાં વિરસ, શીતળ, લુખા, તુચ્છ, સમય વગરના અને ઠંડા અન્નપાન વાપરવાથી અન્યદા જમાલિમુનિને પિત્તજવર ઉત્પન્ન થયો. એ જવરની પીડાથી કાદવમાં પડેલા ખીલાની જેમ તે ઊભા રહી શકતા નહીં, તેથી એકદા પાસેના મુનિઓને તેમણે કહ્યું કે, “સંથારો કરે.' મુનિઓએ તરત જ સંથારો કરવા માંડ્યો. “રાજાની આજ્ઞા સેવકો ઉઠાવે તેમ શિષ્ય ગુરૂની આજ્ઞા ઉઠાવે છે.” પિત્તની અત્યંત પીડાથી જમાલિમુનિએ વારંવાર પૂછવા માંડયું કે, “અરે સાધુઓ ! સંથારે પાથર્યો કે કેમ? ” સાધુઓ બોલ્યા કે-“સંથારે કરેલે છે. એટલે વરાર્તા જમાલિમુનિ તરતજ ઉઠીને તેમની પાસે આવ્યા, ત્યાં સંથારો પથરાતો જોઈ શરીરની અશક્તિથી તે બેસી ગયા અને તત્કાળ મિથ્યાત્વને ઉદય થવાથી ક્રોધ કરીને તે સાધુઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, “અરે ! સાધુઓ ! આપણે ઘણું કાળથી ભ્રાંત થઈ ગયા, હવે ચિર કાળે તત્ત્વ જાણવામાં આવ્યું કે જે કાર્ય કરાતું હોય તેને “કર્યું એમ કહેવાય નહીં, જે કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેજ “કયું' કહેવાય, સંથારે પથરાતો હતો, છતાં તમે “પાર્થ” એમ જે કહ્યું તે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સગ ૮ મા
અસત્ય છે, અને તેવુ અસત્ય ખેલવુ અયુક્ત છે. ઉત્પન્ન થતુ હોય તેને ઉત્પન્ન થયેલુ કહેવુ', અને કરાતુ હોય તેને કરેલુ કહેવું, તેવું અહિત પ્રભુ કહે છે તે ઘટતુ નથી; કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ જણાય છે. વત્તમાન અને ભવિષ્ય ક્ષણેાના વ્યૂહના યાગથી નિષ્પન્ન થતાં કાર્યને વિષે ‘કયુ’ એમ આરભમાં જ શી રીતે કહેવાય ? જે અર્થ અને ક્રિયાનું વિધાન કરે છે, તેને વિષે જ વસ્તુતા રહેલી છે, તો તે પ્રથમ કાળે ઉત્પન્ન થયેલા પદાર્થમાં કદી પણ સંભવે નહીં. જો કાર્ય આરંભમાંજ કર્યું. કહેવાય તો પછી ખાકીના ક્ષણે કરેલાને કરવામાં જરૂર અનવસ્થા દોષ આવે છે; તેથી યુક્તિવડે એમ સિદ્ધ થાય છે કે, જે કાર્ય પૂર્ણ કર્યુ તેજ સ્કુટ રીતે કરેલુ' કહેવાય. ‘નહી' જન્મેલા પુત્રનું નામ કોઇ પાડે જ નહીં.' માટે હે મુનિ ! હું કહું છું તે પ્રત્યક્ષ નિર્દોષ છે, તેને અંગીકાર કરો, પ્રભુ જે કાંઈ કહે તે ગ્રહણ કરાય નહીં, જે યુક્તિયુક્ત હાય તેનુંજ ગ્રહણ થાય છે. સનપણાથી વિખ્યાત એવા અહંત પ્રભુ મિથ્યા બેલેજ નહી' એવુ' ધારશેા નહીં, તે પણ કાઈ વાર મિથ્યા એલે, કારણ કે મહાન પુરૂષોને પણ સ્ખલના થાય છે.’
.
આ પ્રમાણે વિપરીત ભાષણ કરતા અને ક્રોધથી મર્યાદાને છેાડી દેતા જમાલિ પ્રત્યે સ્થવિર મુનિએ મેલ્યા કે “અરે જમાલિ ! તમે આવું વિપરીત કેમ મેલા છે ? રાગદ્વેષથી વર્જિત એવા અહંત પ્રભુ કદી પણ અન્યથા ખેાલતાજ નથી. તેમની વાણીમાં કદા પણ પ્રત્યક્ષ પ્રમુખ દોષને એક અંશ પણ હાતા નથી. જો આદ્ય સમયમાં વસ્તુ નિષ્પન્ન થયેલી ન કહેવાય તા સમયના અવિશેષપણાથી બીજા સમયેામાં પણ તેની ઉત્પત્તિ થયેલી કેમ કહેવાય ? અર્થ અને ક્રિયાનું સાધકપણું એ વસ્તુનુ જે લક્ષણ છે, તે નામના અન્ય ઉપયાગથી કાંઇ વ્યભિચાર (વિપરીત ભાવ) પામતું નથી. જેમ લેાકમાં કોઈ કાર્ય કરતાં પ્રથમથી જ કાઈ પૂછે કે, શુ કરે છે ?’ ત્યારે કાર્ય પૂર્ણ થયેલું ન હોય તેપણુ એમ કહેવાય છે કે, અમુક ઘટ વિગેરે કરીએ છીએ.' પૂ કાળે કરેલી વસ્તુ કરવામાં અનવસ્થા દોષ લાગુ કરવા તે પણ યુક્ત નથી, કારણ કે તેમાં પેટા ભાગે કાર્યા તરનું સાધન રહેલુ છે. વળી તમારા જેવા છદ્મસ્થને યુક્ત અયુક્તને પૂર્ણ વિવેક કચાંથી હોય ? અને તેથી તમારૂ વચન યુક્તિવાળું કેમ માની શકાય કે જેથી તે ગ્રહણ કરાય ? કેવળજ્ઞ!નના આલાકથી શૈલેાકયની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનુ` કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. હે જમાલિ ! તમે જે કહ્યું કે, ‘મહાન પુરૂષોને પણ સ્ખલના થાય છે' તે તમારૂ' વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવુ છે. ‘જે કરાતુ હોય તેને કરેલું કહેવુ' ’૧ એવું સર્વજ્ઞનુ ભાષિત ખરાખર જ છે, નહીં તો તેમના વચનથી તમે રાજ્ય છેાડીને શા માટે દીક્ષા લીધી ? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી ? અને આવા સ્વકૃત કર્યાંથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છે ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનુ' પ્રાયશ્ચિત ગ્રહણ કરી, તમારૂં' તપ અને જન્મ નિરર્થક કરો નહી, જે પ્રાણી અરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં, તે પ્રાણી મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે.” આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમન્વલ્યે તથાપિ તેણે પોતાના કુમત છોડયો નહીં, માત્ર મૌન ધરીને રહ્યો એટલે તે કુમતધારી જમાલિને છેડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા.
૧. આ વિષયમાં ઉર્દુ તત્ત્વજ્ઞાન સમાયેલુ છે. ડુ વિચાર કર્યા વગર વિષય પ્રાવ થઈ શકશે નહિ, કાઈ ગીતા પાસે આ વિષય વિચારવા ઉચિત છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૧૭ પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મેહ (અજ્ઞાન) થી અને પૂર્વના સનેહથી જમાલિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાલિ ઉન્મત્ત થઈ બીજા માણસોને પણ પિતાને મત ગ્રહણ કરાવવા લાગ્યો અને તેઓ પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિતેંદ્રના વચનને હસી કાઢતા અને “સર્વજ્ઞ છું” એમ કહેતો જમાલિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યા.
એકદા તે મદેન્મત્ત જમાલિમુનિ શ્રી વિરપ્રભુને ચંપાનગરીના પૂર્વભદ્ર નામના વનમાં સમવસરેલા જાણી ત્યાં ગયે અને બે કે-“હે ભગવન ! તમારા ઘણું શિખે છદ્મસ્થપણમાં જ કેવલજ્ઞાન ઉપન થયા વગર મૃત્યુ પામી ગયા, પણ હું તે નથી. મને તો કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી આ પૃથ્વી પર હું પણ સર્વજ્ઞ અને સર્વદશી અહત છું.” તેના આવા મિથ્યા વચને સાંભળીને ગૌતમસ્વામી બેલી ઉઠયા કે, “અરે જમાલિ! જો તું જ્ઞાનવાનું છે તો કહે કે, આ જીવ અને લેક શાશ્વત છે કે અશાશ્વત છે ? ” આ પ્રશ્નને પ્રત્યુત્તર આપવાને અસમર્થ એ જમાલિ કાગડાના બચ્ચાંની જેમ મુખ પ્રસારી શૂન્ય થઈ ગયો. પછી ભગવંત શ્રી વીરપ્રભુ બોલ્યા કે-જમાલ ! આ લોક તત્વથી શાશ્વત અને અશાશ્વત છે, તેની જેમ જીવ પણ શાશ્વત અને એશાશ્વત છે. આ લેક દ્રવ્યરૂપે શાશ્વત છે અને પ્રતિક્ષણે નાશ પામતા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે, તેમજ જીવ પણ દ્રવ્યરૂપે શાશ્વત છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાના સંભવથી અશાશ્વત છે. આ પ્રમાણે પ્રભુએ કહ્યું તે સાંભળ્યું તોપણ મિથ્યાત્વથી જેનું હૃદય મથિત થયેલું છે એ તે જમાલિ કાંઈ પણ બોલ્યા વિના પોતાના પરિવાર સહિત સમવસરણની બહાર નીકળ્યા. આવા નિહનવપણાથી તે જમાલિને સંઘે સંઘબહાર કર્યો. તે સમયે પ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા ચૌદ વર્ષ થયા હતા. સર્વ ઠેકાણે પિતાના દર્શનના અભિપ્રાયને કહેતો અને સ્વચ્છેદથી ફરતો જમાલિ પોતાના આત્માને સર્વજ્ઞ માનતો છતો પૃથ્વીપર વિહાર કરવા લાગ્યું. પરંતુ “જમાલિ અજ્ઞાનવડે શ્રી વીરપ્રભુથી વિપરીત થઈ મિથ્યાત્વને પામ્યા છે.” એવી લોકમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ
" એકદા વિહાર કરતો કરતો જમાલિ શ્રાવસ્તી નગરીએ ગયો અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઉતર્યો. પ્રિયદર્શના પણ તેજ નગરીમાં એક હજાર આર્યા સહિત ‘ક’ નામના સમૃદ્ધિવાન્ કુંભારની શાળામાં ઉતરી હતી. તે ઢંકકુલાલ પરમ શ્રાવક હતો, તેણે પ્રિયદર્શનાને આવા કુમતમાં રહેલી જોઈને ચિંતવ્યું કે, હું કઈ પણ ઉપાયથી આને પ્રતિબંધ પમાડું.” આવા વિચારથી એકદા તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં બુદ્ધિપૂર્વક અગ્નિને એક તણખો પ્રિયદર્શન ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે. વસ્ત્રને બળતું જોઈ પ્રિયદર્શના બેલી કે–અરે ટંક ! ! તારા પ્રમાદથી આ મારૂ વસ્ત્ર બળી ગયું !'ઝંક બેલ્યો-“હે સાધ્વી ! તમે મૃષા બેલ નહીં, તમારા મત પ્રમાણે તે જ્યારે બધું વસ્ત્ર બળી જાય ત્યારે જ બન્યું એમ કહેવું ઘટિત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એ તો શ્રી અહંતનું વચન છે અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને યોગ્ય જણાય છે.” તે સાંભળી પ્રિયદર્શનાને શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તે બોલી કે “હે ટંક ! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારે બંધ કર્યો. અરે ! મેં આટલા વખત સુધી શ્રી વીર પ્રભુના વચનને દ્રુષિત કર્યું, તેથી તે સંબંધી મને મિથ્યાદુષ્કૃત હે, હવેથી શ્રી વીરભગવંતની વાણી મારે પ્રમાણ છે.” પછી ઢંક કુંભારે કહ્યું કે, “હે સાવી ! તમે સારા હૃદયવાળા છે, તથાપિ હમણાં જ સર્વજ્ઞ પ્રભુની પાસે જાઓ અને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સર્ગ ૮ મે પ્રાયશ્ચિત્ત લે.” હંકના આવા વચનથી પ્રિયદર્શન ‘હું પ્રાયશ્ચિત્ત લેવાનું ઇચ્છું છું' એમ કહી જ માલિને છોડી દઈને પોતાના પરિવાર સહિત શ્રી વીરપ્રભુની પાસે આવી. પછી ઢકે પ્રતિબંધ પમાડેલા એક જમાલિ સિવાય બીજા સર્વ મુનિએ શ્રી વીર પ્રભુની પાસે ચાલ્યા ગયા. એકલે જમાલિ કુમતથી છેતરાઈ ઘણું વરસ સુધી પૃથ્વી પર વ્રતધારીપણે ભ. છેવટે અર્ધા માસનું અનશન કરી પોતાના તે દુષ્કર્મની આલેચના કર્યા વગર મૃત્યુ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલિવષ દેવતા થયે.
જમાલિને મૃત્યુ પામેલા જાણી ગૌતમે શ્રી વિરપ્રભુને વંદના કરીને પૂછયું કે, હું સ્વામી ! તે મહાતપસ્વી જ માલિ કઈ ગતિને પામે છે?” પ્રભુએ કહ્યું કે, તે તપોધન જમાલિ લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિવિષિક દેવતા થયા છે.” ગૌતમે ફરીથી પૂછ્યું કે તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિવિષિક દેવ કેમ થયે ? અને ત્યાંથી યવીને કયાં જશે ?” પ્રભુ બોલ્યા કે-“જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરૂ, (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘને વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિલ્વિષિકાદિ હલકી જાતિને દેવતા થાય છે. જમાલિ પણ તે દષથી જ કિવિષિક દેવ થયેલ છે. ત્યાંથી ચ્યવી પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીને ફરી ફરીને બાધબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કોઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વિગેરેના વિધી થવું નહીં.” આ પ્રમાણે ઉપદેશ આપી ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. - સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમાને ચિત્રાવીને લે કે મહોત્સવ કરતા હતા. પરંતુ તેને જે ચિત્રે તે ચિત્રકારને તે યક્ષ મારી નાખતો હતો અને જો કોઈ તેને ચિત્રે નહીં તો તે આખા નગરમાં મહામારી વિકુવંતે હતો. તેથી ભય પામીને બધા ચિત્રકારો તે નગરમાંથી પલાયન કરવા લાગ્યા. એટલે પોતાની પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યા, અને તેમના જામીન લઈ ચિઠ્ઠીઓમાં તે સર્વેને નામ લખી યમરાજની પાટ જેવા એક ઘડામાં બધી ચિઠ્ઠી નાખી. પછી પ્રતિવર્ષ તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેના નામની ચિઠ્ઠી આવે તે ચિત્રકારને બોલાવી તેની પાસે તે યક્ષની મૂર્તિ ચિત્રાવવા લાગ્યો. આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એકદા કઈ ચિત્રકારને પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે ત્યાં આવ્યા, અને કઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઉતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દેવગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી યમરાજના પડાના પાના જેવી હતી. તે ખબર સાંભળી વૃદ્ધાએ રૂદન કરવા માંડયું તે જોઈ કૌશબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછયું, ત્યારે વૃદ્ધાએ યક્ષનું વૃત્તાંત અને પોતાના પુત્રને આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્ય-“માતા! રૂદન કરે નહીં, તમારે પુત્ર ઘેર રહો, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચિતરીશ.” સ્થવિરા બેલી કે-“વત્સ ! તું પણ મારો પુત્ર જ છે.” તે બોલ્યો-“માતા ! હું છતાં મારો ભાઈ સ્વસ્થ રહો.” પછી તે યુવાન ચિત્રકાર છટ્ઠને તપ કરી, ન્હાઈ, ચંદનથી શરીર પર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રને આઠપડું કરી બાંધીને નવીન પીંછીઓ અને સુંદર રંગોથી તેણે યક્ષની મૂત્તિ ચિત્રી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બે કે-“હે સુરપ્રિય દેવશ્રેષ્ઠ ! અતિ ચતુર ચિત્રકાર પણ તમારા ચિત્રને ચિતરવાને સમર્થ નથી તે હું ગરીબ મુગ્ધ બાળક તે કણ માત્ર છું. તથાપિ હે યક્ષરાજ! મારી શક્તિથી જે કાંઈ
Page #134
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૧૯ કર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેને માટે ક્ષમા કરજે, કારણ કે તમે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.” આવી તે બાળકની વિનય ભરપૂર વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે “હે ચિત્રકાર ! વર માગ.” બાળ ચિત્રકાર બોલે કે- હે દેવ ! તમે જે હું ગરીબ ઉપર પ્રસન્ન થયા છે તો હું એવું વરદાન માગું છું કે, હવેથી કોઈ ચિત્રકારને મારશે નહીં.” યક્ષ બોલ્યો-“મેં તને માર્યો નહીં ત્યારથી જ હવે તેમ કરવું તો સિદ્ધ થઈ ગયેલ છે. પણ હે ભદ્ર! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજુ' વરદાન માગી લે.” યુવાન ચિત્રકાર બેલ્યો “હે દેવ !. આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તે એટલાથી જ હું કૃતાર્થ થયે છું.” યક્ષ વિસ્મય પામીને બે-કુમાર ! પરમાર્થને માટે તે વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃસંતુષ્ટ થ છું, માટે સ્વાર્થને માટે કાંઈક વરદાન માગી લે.” ચિત્રકાર બે - દેવ ! જે વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપે છે, જે કોઈ મનુષ્ય, પશુ કે બીજાને હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેને આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય. યક્ષે ‘તથાસ્તુ' એમ કહ્યું. પછી નગરજનેએ પૂજા કરાતો તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પોતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનીક રાજાએ આશ્રિત કરેલી કૌશાંબી નગરીમાં આવ્યું.
કૌશાંબીમાં એકદા શતાનીકરાના લકમીથી ગાવિત થયે છતો સભામાં બેઠે હતો. તે વખતે તેણે પરદેશ જતા આવતા દૂતને પૂછયું કે હે દૂત ! જે બીજા રાજાઓની પાસે છે ને મારે નથી એવું શું છે ? તે કહે હૃત બે -“હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી.” તે સાંભળી રાજા એ તત્કાલ ચિત્રકારોને આજ્ઞા કરી કે, “મારે માટે એક ચિત્રસભા, તૈયાર કરો. પછી ઘણા ચિત્રકારોએ એકઠા થઈને ચિતરવાને માટે સભાની ભૂમિ વહેંચી લીધી. તેમાં પેલા યુવાન ચિત્રકારને અંતઃપુરની નજીકને પ્રદેશ ભાગમાં આવ્યું. ત્યાં ચિત્રકામ કરતાં જાળીઆની અંદરથી મૃગાવતીદેવીના પગને અંગુઠે અંગુઠી તેના જોવામાં આવ્યું. તે ઉપરથી ‘આ મૃગાવતીદેવી હશે એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના પ્રસાદથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડયું, છેવટે તેના નેત્ર આલેખતા પછીમાંથી મષીનું બિંદુ તેણીના સાથળ ઉપર પડ્યું, એટલે તત્કાળ ચિત્રકારે તે લુંછી લીધું. પાછું ફરીવાર પડયું, તેને પણ લુંછી લીધું. પાછું ત્રીજીવાર પડયું. તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર આ સ્ત્રીના ઉરૂપ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે રહો, હવે હું તેને લુંછીશ નહીં.” પછી તે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખી રહ્યો. તેવામાં ચિત્રકામ જેવાને રાજા ત્યાં આવ્યા. અનુક્રમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જોવામાં આવ્યું. તે વખતે સાથલ ઉપર પેલું લાંછન કરેલું જોઈ રાજાએ ક્રોધથી ચિંતવ્યું કે, જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્ની ભ્રષ્ટ કરી જણાય છે; નહી તો વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ દુરાશય શી રીતે જાણી શકે !” આવા કે પછી તેને તે દેષ પ્રગટ કરીને રાજાએ નિગ્રહ કરવા માટે તેને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાએ કહ્યું કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત્ આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી” તેમના આવા વચનથી ક્ષુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુબડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનું યથાર્થ સ્વરૂપ આલેખી બતાવ્યું. તે જોઈને રાજાને ખાત્રી થયા છતાં ઈર્ષા આવી તેથી કોધવડે તે ચિત્રકારના જમણા હાથનો અંગુઠો તેણે કપાવી નાખ્યો.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સર્ગ ૮ માં તે ચિત્રકારે પેલા યક્ષની પાસે જઈ ઉપવાસ કર્યો. એટલે યક્ષે તેને કહ્યું કે, “તું વામ હસ્તથી પણ તેવા ચિત્રા કરી શકીશ.” યક્ષે આવું વરદાન આપ્યું, તેથી તે ચિત્રકારે ક્રોધથી વિચાર્યું કે, “તે દુષ્ટ રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કઈ ઉપાયથી તેને બદલે લઉં.” “બુદ્ધિમાન પુરૂષે જે પરાક્રમથી અસાધ્ય હોય તેને પણ બુદ્ધિથી સાધ્ય કરે છે.” આ વિચાર કરીને તેણે એક પાટી ઉપર વિશ્વભૂષણ મૃગાવતીદેવીને અનેક આભૂષણો સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લોલુપી અને પંચડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઈને તે મને હર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચંડપ્રદ્યોતે કહ્યું કે, “હે ઉત્તમ ચિત્રકાર! તારૂં ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવું જ છે એમ હું ધારું છું. આવું સ્વરૂપ આ માનવકમાં પૂર્વે કદીપણ જોવામાં આવ્યું નથી. તેમજ સ્વર્ગમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી, તે છતાં બીજી નકલ સિવાય તેં આ શી રીતે આલેખ્યું ? હે ચિત્રકાર ! આવી સ્ત્રી ક્યાં છે! તે ખરેખરૂં કહે તે તરતજ હું તેને પકડી લાવું, કેમકે એવી સ્ત્રી કેઈ પણ સ્થાને હોય તે તે મારેજ લાયક છે.” રાજાનાં આવાં વચન સાંભળી હવે મારે મનોરથ પૂરે થશે” એવું ધારી ચિત્રકારે હવત થઈને કહ્યું કે, “હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનીક નામે રાજા છે. પૂણ મૃગાંક જેવા મુખવાળી મૃગાવતી ૧ આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમર્થ નથી, મેં તો આમાં તેનું જરા માત્ર રૂપ જ આલેખેલું છે, કેમકે તેનું વાસ્તવિક રૂપ તો વચનથી પણ દૂર છે. ચંડપ્રદ્યોતે કહ્યું કે, “મૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનીક રોજાના દેખતાં એ મૃગાવતીને ગ્રહણ કરી લઈશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મોકલ ગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માન્ય કરે તો તેને કોઈ પણ અનર્થ ન થાય.” એવો વિચાર કરીને ચંડપ્રદ્યોતે વાજઘ નામના દૂતને સમજાવીને શતાનીક રાજા પાસે મોકલ્ય શતાનીક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું “હે શતાનીક રાજા ! ચંડપ્રદ્યોતરાજા તમને આજ્ઞા કરે છે કે તે દૈવયેગથી મૃગાવતીદેવીને પ્રાપ્ત કરી છે, પણ એ સ્ત્રીરત્ન મારે યોગ્ય છે, તું કેણુ માત્ર છો; માટે જે રાજ્ય અને પ્રાણ વહાલા હોય તો તેને સત્વર અહી મોકલી દે.”હૃતનાં આવાં વચન સાંભળી શતાનીકરા જા બેલ્યો કે-“અરે અધમ દૂત ! તારા મુખે તું આવે અનાચારની વાત બોલે છે, પણ જા, તપણુથી આ જે તને મારતો નથી. મારે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાને આ આચાર છે, તો પિતાને સ્વાધીન પ્રજા ઉપર તો તેને કે જુલમ હશે?'. આ પ્રમાણે કહી શતાનીકે નિર્ભયપણે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. દૂતે અવતીએ આવીને તે વાર્તા ચંડપ્રદ્યોતને કહી. તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણે કોધ ચડ્યો. તેથી સૈન્ય વડે દિશાઓને આછાદન કરતો મર્યાદા રહિત સમુદ્રની જેમ તે કૌશાંબી તરફ ચાલ્યો. ગરૂડના આવવાથી સર્ષની જેમ ચંડપ્રદ્યોતને આવતો સાંભળી શતાનીકરા જા ક્ષોભવડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામી ગયા.
દેવી મૃગાવતીએ વિચાર્યું કે, “મારા પતિ તો મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજુ અલ્પ બળવાળો બાળક છે. ‘બળવાનને અનુસરવું” એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તે તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તો કપટ કરવું એજ ગ્ય છે. તેથી હવે તો અહીં જ રહીને અનુકૂળ સંદેશાથી તેને લેભાવી ગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિગમન કરૂં.” આવો વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા પ્રદ્યોતરાજાની પાસે આવીને બોલ્યો કે
Page #136
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૨ -“દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનીક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જે હું હમણા તેને છોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શેકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેને પરાભવ કરશે.” મૃગાવતીની આવી વિનંતિ સાંભળી પ્રદ્યોતરાજા ઘણે હર્ષ પામીને બેલ્યો કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રને પરાભવ કરવાને કણ સમર્થ છે?” હત બે કે “દેવીએ પણ એમજ કહ્યું છે કે, પ્રદ્યોતરાજા સ્વામી છતાં મારા પુત્રને પરાભવ કરવાને કેણ સમર્થ છે. પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહો છો અને શત્રુ રાજાઓ તો નજીકના રહેનારા છે, તેથી “સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર’ એ પ્રમાણે છે. તેથી જો તમે સારી સાથે નિર્વિદને યોગ કરવાને ઇચ્છતા હો તો ઉજયિની નગરીથી ઈટ લાવી કૌશાંબી ફરતો મજબુત કીલે કરાવી આપો.” પ્રદ્યોતે તેમ કરવાને સ્વીકાર્યું. પછ ઉજજયિની ને કૌશાંબીના માર્ગમાં પોતાની સાથેના ચૌદ રાજાઓને પરિવાર સાથે શ્રેણિબંધ સ્થાપિત કર્યા, અને પુરૂની પરંપરા વડે હાથોહાથ ઉજજચિનીથી ઈટે મંગાવીને થોડા સમયમાં કૌશાંબી ફરતે મજબુત કિલ્લે કરાવી દીધું. પછી મૃગાવતીએ ફરીને દૂત મોકલી કહેવરાવ્યું કે, “હે પ્રદ્યોતરાજા ! તમે ધન ધાન્ય અને ઈધનાદિકથી કૌશાંબીનગરીને ભરપૂર કરી દ્યો. પ્રદ્યોતરાજાએ તે સર્વ પણ સત્વર કરાવી દીધું. “આશા પાશથી વશ થયેલે પુરૂષ શું શું નથી કરતો.” બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, “હવે નગરી રાધ કરવાને ગ્ય છે. તેથી તેણીએ દરવાજા બંધ કર્યા અને કિલ્લા ઉપર સુભટોને ચડાવ્યા. ચંડમોત રાજા ફાળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલ થઈ નગરીને વીંટને પડી રહ્યો.
એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યું કે, જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીને આ સંક૯૫ જ્ઞાનવડે જાણી શ્રી વીરપ્રભુ સુર અસુરના પરિવાર સાથે તત્કાળ ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમવસર્યા સાંભળી મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી અને પ્રભુને વંદના કરીને
ગ્ય સ્થાને બેઠી. પ્રદ્યોતરાજા પણ પ્રભુને ભક્ત હોવાથી ત્યાં આવી વૈર છોડીને બેઠે. પછી એકજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાને અનુસરતી વાણી વડે શ્રી વીરપ્રભુએ ધર્મદેશના આપી.
અહીં સર્વજ્ઞ પધાર્યા છે' એવું લોકો પાસેથી સાંભળી કેઈ એક ધનુષ્યધારી પુરૂષ પ્રભુની પાસે આવ્યો અને નજીક ઊભું રહીને પ્રભુને મનવડે જ પોતાનો સંશય પૂળ્યો. પ્રભુ બોલ્યા- “અરે ભદ્ર! તારે સંશય વચન દ્વારા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજાવશ થઈ સ્પષ્ટ બલવાને અસમર્થ થયો, તેથી તે થોડા અક્ષરમાં બોલ્યો કે, “હે સ્વામી ! તારા, સારા. પ્રભુએ પણ કાજ અક્ષરમાં તેનો “યમેવ એ ઉત્તર આપ્યું. તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછયું. કે, “હે ભગવંત! “શાણા, સાંસ’ એ વચનને શો અર્થ છે ? પ્રભુ બોલ્યા કે
આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક રીલંપટ સુવર્ણકાર હતા. તે પૃથ્વી પર ફરતું હતું અને જે જે રૂપવતી કન્યા જોતે તેને પાંચ પાંચસે સેનૈયા આપીને પરણતે હતે. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો હતો અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગના આભૂષણે કરાવી આપ્યા હતા. પછી જ્યારે જે સ્ત્રીને વારો આવે ત્યારે તે સ્ત્રી ખાન અંગરાગ વિગેરે કરી સર્વ આભૂષણે પહેરી તેની સાથે ક્રીડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રી જે પિતાના વેશમાં કાંઈપણ ફેરફાર કરે તે તે
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૨
' સગ ૮ મે તેને તિરસ્કાર અને તાડન વિગેરે કરતે હતો. પિતાની સ્ત્રીઓ પરના અતિ ઈર્ષ્યાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એવે તે સેની નાજરની જેમ કદાપિ પણ ગૃહદ્વારને છોડતો નહોતો, તે પિતાના સ્વજનોને પિતાને ઘેર કઈ દિવસ જમાડતે નહોતે તેમજ સ્ત્રીઓના અવિશ્વાસથી પોતે પણ બીજાને ઘેર જમવા જઈ શક્તો નહોતે.
એક વખતે તેને કઈ પ્રિય મિત્ર છે કે તે ઈચ્છતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પોતાને ઘેર જમવા લઈ ગયા. કેમકે એ મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સનીના જવાથી તેની સર્વ સ્ત્રીઓએ ચિંતવ્યું કે, “આપણું ઘરને, આપણું યૌવનને અને આપણું જીવિતને પણ ધિકાર છે કે જેથી આપણે અહીં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણે પાપી પતિ યમદૂતની જેમ કદિપણુ દ્વારને છોડતો નથી, પરંતુ આજે તે કાંઈક ગયો છે એટલું સારું થયું છે, માટે ચાલે, આજે તે આપણે ક્ષણવાર સ્વેચ્છાએ વત્તિએ.” આવે વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ કર્યો પછી જેવામાં તે સર્વે હાથમાં દર્પણ લઈ તિપિતાનું રૂપ તેમાં જેતી હતી, તેવામાં તે સોની આવ્યો અને તે જોઈને અત્યંત ક્રોધ પામે તેથી તેઓમાંથી એક સ્ત્રીને પકડીને તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમલિનીની જેમ તે મૃત્યુ પામી ગઈ. તે જોઈ બીજી સ્ત્રીઓ એ વિચાર કર્યો કે, “આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતે રાખવાથી શું ફાયદે છે ?” આ વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસોને નવાણુ દર્પણે ચક્રની જેમ તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે તેની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છતી ચિતાવત્ ગૃહને બાળી દઈ તેની અંદર રહી પોતે પણ બળીને મૃત્યુ પામી. પશ્ચાત્તાપના મે અકામ નિર્જરા થવાથી તે ચારસોને નવાણુ સ્ત્રીઓ મરણ પામીને પુરૂષપણે ઉત્પન્ન થઈ. દુર્દેવયોગે તેઓ બધા એકઠા મળી કોઈ અરણ્યમાં કીલ્લો કરીને રહેતા છતા ચેરી કરવાને બંધ કરવા લાગ્યા. પેલે સેની મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાં ઉત્પન થયે. તેની જે એક પત્ની પ્રથમ મરી ગઈ હતી, તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ. અને પછી બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલો સોની તેજ બ્રાહ્મણને ઘેર તેની બેનપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તે પુત્રીને પાળક પેલા પુત્રને ઠરાવ્યું. તે પોતાની બેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજપુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેને ગુસ્થાને અડક્યા, એટલે તે રોતી બંધ થઈ. તે ઉપરથી તેણે રૂદનને બંધ કરવાને તે ઉપાય જાણે. પછી જ્યારે તે રૂદન કરે ત્યારે તે તેના ગુસ્થાનને સ્પર્શ કરતો હતો, એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેના માતાપિતાએ તેને તેમ કરતો જે એટલે કેધથી તેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયે. અનુક્રમે જે પાળમાં પેલા ચારસે ને નવાણુ ચેર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચે અને તે શેરોની સાથે તેને સમાગમ થવાથી તેની ભેળા ભળી ગયે. અહીં તેની બેન યુવાવસ્થાને પામતાં કુલટા થઈ. તે સ્વચ્છાથી ફરતી ફરતી એકાદ કોઈ ગામમાં આવી. પેલા ચારે એ તેજ ગામને લૂંટી લીધું અને તે કુલટાને પકડી જઈને એ બધાએ તેને સ્ત્રી તરીકે અંગીકાર કરી. એક વખતે બધા એ વિચાર કર્યો કે, “આ બીચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભેગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક.” આવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા, ત્યારે પેલી
Page #138
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૨૩ કુલટા સ્ત્રી ઈર્ષ્યાથી તેના છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી માનવા લાગી. એક વખતે બધા ચેર કે ઈ ઠેકાણે ચોરી કરવાને ગયા, તે વખતે છળ મેળવીને પૂર્વ સ્ત્રી કેઈ બાનું કાઢી તેને કોઈ કુવાની પાસે લઈ ગઈ અને બેલી કે, “ભદ્ર! જે આ કુવામાં કાંઈક છે. તે સરલ સ્ત્રી જેવા ગઈ એટલે તેણીએ ધક્કો મારીને તેને અંદર નાખી દીધી. ચોરોએ આવીને પૂછયું કે, “પેલી સ્ત્રી ક્યાં છે?” એટલે તે બોલી, “મને શી માલુમ, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી ?” ચેરેએ જાણી લીધું કે, “જરૂર તે બીચારીને આણે ઈર્ષોથી મારી નાખી છે.” પેલા બ્રાહ્મણે વિચાર્યું કે, “શું આ મારી દુરશીલા ભગિની હશે ? તેવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે, “અહીં સર્વજ્ઞ ભગવાન આવેલા છે, એટલે તે અહી આવ્યો, અને પિતાની બેનના દુ:શીલ વિષે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછયું, પછી મેં કહ્યું કે “વાણીથી પૂછ.” એટલે તેણે “વાસા, સારા એવા અક્ષરોથી તે સ્ત્રી શું મારી બહેન છે ? એમ પૂછયું. તેને અમો એ gવ એટલો જ ઉત્તર આપીને “તે તેની બેન છે એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગ દ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભવભવ ભમે છે અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.”
આ પ્રમાણે સર્વ હકીક્ત સાંભળી તે પુરુષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને પાછે પલ્લીમાં આવ્યા. ત્યાં જઈને તેણે ચારસો નવાણું ચેરને પ્રતિબંધ આપે, તેથી તે બધાએ એ પણ વ્રત ગ્રહણ કર્યું.
ગ્ય સમયે મૃગાવતીએ ઉઠી પ્રભુને નમીને કહ્યું કે “ચંડપ્રોત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ.” પછી ચંડપ્રદ્યોત પાસે આવીને કહ્યું કે-“જે તમારી સંમતિ હોય તે હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઉદ્વેગ પામી છું, અને મારો પુત્ર તો તમને પીજ દીધું છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોતરાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબી નગરીનો રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમિપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વિગેરે પ્રોતરાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સેંપી તેઓએ તે સાધ્વીની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી.
હવે પરમ સમૃદ્ધિવડે નિરૂપમ એવું વણિજકગ્રામ નામે એક વિખ્યાત નગર હતું. તેમાં પિતાની જેમ પ્રજાને પાળનાર જિતશત્રુ નામે પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો. તે નગરને વિષે પૃથ્વી પર ચંદ્ર આવ્યો હોય તેમ જેના દર્શનથી નેત્રને આનંદ થાય તે ‘આનંદ’ નામે એક ગૃહપતિ રહેતે હતે. ચંદ્રને રોહિણીની જેમ તેને “શિવાનંદ' નામે રૂપલાવણ્યવતી એક પત્ની હતી. તેણે ચાર કરોડ સેનૈયા ભંડારમાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ વ્યાપારમાં રોક્યા હતા, તથા ગાયના ચાર ગોકુળ હતા. તે નગરની ઈશાન દિશામાં આવેલ છેલ્લાક નામના પરામાં તે આનંદના ઘણા બંધઓ અને સ રહેતા હતા. અન્યદા સમયે પૃથ્વી પર વિહાર કરતા કરતા સિદ્ધાર્થનંદન શ્રી વીરપ્રભુ તે નગરના પુતિપલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા જિતશત્રુ પ્રભુને આવેલા સાંભળી સંજમથી પરિવાર સાથે તેમને વાંદવા ગયે. આનંદ પણ પગે ચાલી પ્રભુના ચરણ પાસે આવે, અને કર્ણને અમૃતના ગંડુષ જેવી પ્રભુની દેશના સાંભળ્યા પછી મહા મનવાળા આનંદે પ્રભુના ચરણને નમીને બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગિકાર કર્યો.
Page #139
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૮ મે તેની અંદર શિવાનંદા સિવાય બીજી સ્ત્રીઓનો અને નિધિમાં, વ્યાજમાં અને વ્યાપારમાં રહેલા બાર કોટી સેનૈયા ઉપરાંત બીજા દ્રવ્યનો ત્યાગ કર્યો. ગાયના ચાર ધણ વિના બીજ ધણનો અને પાંચસે હળ ઉપરાંત બીજા હળને તેમજ ૧૦૦ ક્ષેત્ર ઉપરાંત ક્ષેત્રને પણ ત્યાગ કર્યો. પાંચસો ગાડાં ઉપરાંત બીજા ગાડાંઓને વ્યાપાર નિમિત્ત ત્યાગ કર્યો, અને દિશાઓમાં પ્રવાસ કરવા માટે ચાર વહાણ ઉપરાંત બીજા વહાણોને ત્યાગ કર્યો. ગંધકાષાયી (રક્ત) વસ્ત્ર વિના અંગ લુંછવાના વસ્ત્રને ત્યાગ કર્યો, અને આ (લીલી) મધુષ્ટિ (જેઠીમધ) સિવાય બીજા દંતધાવન (દાતણ)ને ત્યાગ કર્યો. ક્ષીરામલક વિના બીજાંફળોને તજી દીધાં અને સહસ્ત્રપાક તથા શતપાક તેલ વિના બીજા અત્યંગને ત્યાગ કર્યો. એક જાતની સુગંધી ગંધાઢય ઉદ્વર્તન સિવાય બીજા ઉદ્ધત્તન તજી દીધાં અને આઠ ઔષ્ટ્રીક પાણીના કુંભ કરતાં વધારે પાણીથી નહાવું ત્યજી દીધું. ક્ષેમયુગળ સિવાય બીજાં વસ્ત્રને ત્યજી દીધાં અને શ્રીખંડ, અગર તથા કેશર વિના બીજ વિલેપનને છોડી દીધાં. માલતીની માળા સિવાય બીજી માળા અને કમળ સિવાય બીજાં પુષ્પને ત્યાગ કર્યો. કણિકા* તથા નામાંક્તિ મુદ્રિકા સિવાય બીજા આભૂષણોને ત્યાગ કર્યો અને તુરૂષ્કપ તથા અગરૂ સિવાય બીજા ધૂપને ત્યાગ કર્યો. ઘેબર તથા ખાંડના ખાજા સિવાય બીજી સુખડી ત્યજી દીધી અને કાઝપેયા વિના બીજા પિય ભોજનનો ત્યાગ કર્યો. કમળશાળી વિના બીજા ભાતને તજી દીધા અને અડદ, મગ તથા કલાય વિના બીજા કઠોળની દાળને વસરાવી દીધી. શરદ્દ ઋતુના ગાયના ઘી વિના બીજુ ઘી તજી દીધું અને સ્વસ્તિક, મંડુકી તથા વાસુકીટ વિના બીજા શાક છોડી દીધાં. આંબલી વિના બીજા અશ્લ પદાર્થને અને આકાશના પાણી સિવાય બીજા પાણીને વસરાવી દીધાં તેમ જ પંચમુગધી તાંબુળ વિના બીજા મુખવાસને તજી દીધાં.
આ પ્રમાણે નિયમ લઈ હર્ષ પામતે આનંદ ઘેર આવ્યો અને પિતે ગ્રહણ કરેલા ગૃહસ્થ ધર્મની સવિસ્તર હકીકત શિવાનંદાને કહી. તે સાંભળી ગૃહિધર્મની અથી શિવાનંદા પિતાના કલ્યાણને માટે તત્કાળ વાહનમાં બેસી પ્રભુના ચરણ સમીપે આવી. પ્રભુને નમી શિવાનંદાએ પણ સમાહિત મને તેમની આગળ ગૃહિધર્મ અંગીકાર કર્યો. પછી ભગવંતની વાણીરૂપ સુધાના પાનથી હર્ષિત થઈ છતી શિવાનંદા પ્રકાશિત વિમાન જેવા વાહનપર બેસીને પિતાને ઘેર આવી. પછી ગૌતમસ્વામીએ પ્રણામ કરીને સર્વને પૂછયું કે, “હે સ્વામી ! આ મહાત્મા આનંદ યતિધર્મને ગ્રહણ કરશે ?” ત્રિકાલદશ પ્રભુ બોલ્યા કે, આનંદ શ્રાવક ચિરકાળ શ્રાવક ધમને પાળશે અને મરણ પામીને સૌધર્મ દેવલોકના અરૂણપ્રભા વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થશે.”
ગંગાના કિનારા પર રહેતા હંસની શ્રેણિ જેવા સુંદર રીત્યધ્વજોથી વિરાજમાન ચંપા નામે એક મોટી નગરી છે, તેમાં સર્પના શરીર જેવી ભુજાવાળો અને લક્ષમીના કુલગ્રહરૂપ જિતશત્રુ નામે રાજા છે. તે નગરમાં કામદેવ નામે એક બુદ્ધિમાન કુલપતિ રહે છે. તે માર્ગમાં આવેલા મહાન વૃક્ષની જેમ અનેક લોકોને આશ્રયભૂત છે. સ્થિર રહેલી લકમી જેવી અને ભદ્ર આકૃતિવાળી ભદ્રા નામે તેને સધર્મિણી (પત્ની) છે. તેને છ કરોડ સોનૈયા
૧. એક જાતના ક્ષીર જેવા મધુર આમળા. ૨. બહુ નાના કે બહુ મોટા નહીં–ઉચિત પ્રમાણવાળા ઘડા તે ઔષ્ટીક કંભ. ૩ ટીકાકાર બે સુતરૂ વસ્ત્ર કહે છે. ૪ કાનમાં પહેરવામાં કંડહે ૫ સેારસ. ૬ મગ વિગેરે યુક્ત ઘીમાં તળેલી તંદુળની પિયા. ૭ એક જાતનું ચણ જેવું ધાન્ય, વટાણું કે મસુર ૮ આ ત્રણે જાતના શાકના ચોક્કસ નામ સમજાતા નથી, ટબામાં પથ્થવો, અગથીઓ ને ડેડી કહે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પવ ૧૦ મુ
૧૨૫
ભંડારમાં, છ કરોડ વેપારમાં છે. દશ દશ હજાર ગાયોવાળા છ ગાકુળા છે. અન્યદા પૃથ્વીપર વિહાર કરતાં કરતાં શ્રી વીરપ્રભુ પૃથ્વીના મુખમંડન જેવા તે નગરની બહાર રહેલા પુણ્યભદ્ર નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા, તે ખબર સાંભળી કામદેવ પગે ચાલતો ભગવંતની પાસે આવ્યો અને શ્રવણને અમૃતરૂપ ધ દેશના સાંભળી, પછી શુદ્ધ બુદ્ધિવાળા કામદેવે દેવ, મનુષ્ય અને અસુરોની સમક્ષ ગુરૂ શ્રી વીરપ્રભુની પાસે ખાર પ્રકારના ગૃહિધર્મ અંગીકાર કર્યા. તેણે ભદ્રા સિવાય બીજી સ્ત્રીના, ગાયાના છ ગાકુળ ઉપરાંત બીજી ગાયાના અને ભડાર, વ્યાજ અને વ્યાપારમાં રહેલા છ કોટી દ્રવ્ય ઉપરાંત દ્રવ્યના ત્યાગ કર્યો. ખાકીની બીજી વસ્તુઓના પણ આનંદ શ્રાવકની જેમ નિયમ ગ્રહણ કર્યાં. પછી પ્રભુને નમીને તે પાતાને ઘેર ગયા, અને પોતે લીધેલા શ્રાવકત્રત સબંધી ખખર ભદ્રાને કહ્યા, એટલે ભદ્રાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવકનાં વ્રત ગ્રહેણુ કર્યાં.
ગંગાનદીને કાંઠે કાશી નામે એક ઉત્તમ નગરી છે, જે વિચિત્ર અને રમણિક રચનાથી પૃથ્વીના તિલકની શૈાભા હાય તેવી દેખાય છે. અમરાવતીમાં ઇંદ્રની જેમ તે નગરીમાં અખંડિત પરાક્રમવાળેા જિતશત્રુ નામે ઉત્તમ રાજા છે, અને જાણે માનવધર્મ મનુષ્યપણાને પ્રાપ્ત થયો હેાય તેવા ચુલનીપિતા નામે એક ધનાઢય ગૃહસ્થ ત્યાં રહે છે. જગતને આનંદદાચક તે ગૃહસ્થને ચદ્રને શ્યામાની જેમ શ્યામા નામે એક અનુકૂળ રૂપવતી રમણી છે. તે શ્રેષ્ઠીની પાસે આઠ ક્રેડ ભંડારમાં, આર્ડ ક્રાડ વ્યાજે અને આઠ ક્રાડ વ્યાપારમાં મળી ચાવીશ કોડ સોનૈયાની સંપત્તિ છે. એક એક ગાકુળમાં દશ દશ હજાર ગાયાવાળા તેને આઠ ગાકુળ છે, કે જે લક્ષ્મીના કુળગૃહ જેવા શાલે છે. એકદા તે નગરીના કેષ્ટક નામના ઉદ્યાનમાં વિહાર કરતા શ્રીવીરપ્રભુ સમવસર્યા, એટલે ઇ"દ્ર સહિત દેવતાઓ, અસુરો અને જિતશત્રુ રાજા પ્રભુને વાંઢવા આવ્યા. તેમજ તે ખખર સાંભળીને ચુલનીપિતા પણ જગત્પતિ વીરને વાંદવાની ઈચ્છાથી યાગ્ય આભૂષણા પહેરી પગે ચાલતા ત્યાં આવ્યેા. ભગવંતને નમી ચાગ્ય સ્થાને એસી ચુલનીપિતાએ પ૨મ ભક્તિથી અંજળી જોડીને ધ દેશના સાંભળી. જ્યારે પદા ઉઠી ત્યારે ચુલની િપતાએ પ્રભુના ચરણમાં નમી વિનીત થઇને કહ્યું કે-“હે સ્વામી ! અમારા જેવાને બેધ આપવા માટે જ તમે પૃથ્વીપર વિચરા છે, કારણ કે સૂર્ય'નુ' સંક્રમણ જગતને પ્રકાશ આપવા સિવાય બીજા કોઈ પણ અથે` હેતુ નથી. સ જનની પાસે જઈને યાચના કરીએ તે તે દિ આપે કે ન આપે પણ તમે તે યાચના વગર ધમ આપેા છે, તેના હેતુ માત્ર તમારી કૃપા જ છે. હુ' જાણું છું કે આપની પાસે યતિધર્મ ગ્રહણ કરૂ તા ઠીક, પણ મારા જેવા મંદભાગ્ય મનુષ્યમાં તેટલી ચેાગ્યતા નથી. તેથી હે નાથ ! હું શ્રાવકધર્મની યાચના કરૂ છું, તે મને પ્રસન્ન થઇને આપેા, કારણ મેઘ પાતાની મેળે જળ વહન કરી યાગ્ય લાગે ત્યાં વરસે છે.’” પ્રભુએ કહ્યું કે “જેમ સુખ ઉપજે તેમ કરો.” એટલે પ્રભુની સ'મતિ મળતાં તેણે ખાર પ્રકારના શ્રાવકધર્મ ગ્રહણ કર્યાં, ચાવીશ કોટી ધનથી વિશેષ ધનના અને ગાયાના આઠ ગોકુળથી વધારે ગાકુળના તેણે ત્યાગ કર્યા. તે સિવાય બીજી વસ્તુઓના પણુ કામદેવ શ્રાવકની જેમ તેણે નિયમ લીધા. તેની પત્ની શ્યામાએ પણ પ્રભુની પાસે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા એ સમયે ગૌતમ ગણુધરે પ્રભુને નમીને પૂછ્યું કે, “હે સ્વામી ! આ ચુલનીપિતા શ્રાવક મહાવ્રતધારી થશે કે નહીં ?” પ્રભુ મેલ્યા કે, “તે આ ભવમાં યતિધને પામશે નહી', પણ ગૃહસ્થ ધર્મ પ્રીતિપૂર્વક પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવ થશે. ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યાપમનું આયુષ્ય ભેળવી ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને નિર્વાણને પામશે.’’
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સગ ૮ મે તે જ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ધન્યા નામે પ્રિયા હતી. તેની પાસે પણ કામદેવની જેમ પુષ્કળ ધન હતું. તેણે પણ કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને ધર્મ વડે ધન્ય એવી તેની ધન્યા નામની તેની પત્નીએ પણ શ્રાવકપણું ગ્રહણ કર્યું.
શ્રી વીર પ્રભુ ત્યાંથી વિહાર કરીને આલંભિકા નગરીએ પધાર્યા. ત્યાં શંખવન નામના ઉદ્યાનમાં પ્રભુ સમવસર્યા. તે નગરીમાં ચુદ્ધશતક નામે ગૃહસ્થ રહેતે હતો. તે પણ કામદેવના જે મૃદ્ધિમાન્ હતો. તેને બહુલા નામે સ્ત્રી હતી. તે પણ કામદેવની જેમ શ્રી વીરપ્રભુના ચરણ પાસે ગયે અને પિતાની બહુલા સ્ત્રીની સાથે તેણે ગૃહીધર્મ અને બીજી નિયમો પણ ગ્રહણ કર્યા.
વિહાર કરતાં કરતાં પ્રભુ અન્યદા કાંપીત્યપુરે આવ્યા, અને સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં કામદેવના જે ધનવાન કુંડળિક નામે ગૃહસ્થ રહેતું હતું. તેને શીલવડે અલંકૃત પુષ્પા નામે શ્રી હતી. તેણે પણ પુ"પાની સાથે કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવક વ્રત અને બીજી નિયમો ગ્રહણ કર્યા. - પિલાશપુર નામના નગરમાં શબ્દાલપુત્ર નામે એક કુંભાર રહેતું હતું. તે ગોશાળાનો ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેને એક કેટી સોનીયા ભંડારમાં, એક કોટી વ્યાજે અને એક કટી વ્યાપારમાં હતા, તેમજ એક ગાયનું ગોકુળ હતું. પિલાશપુરની બહાર તે કુંભારની પાંચસે દુકાને તેના માટીના વાસણો વેચવાની હતી. અન્યદા અશોકવનમાં કઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાતઃકાળે મહાબ્રહ્મ અને ત્રિલેકપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે. તેમને પીઠ, ફલક અને સંસ્કારક વિગેરે આપીને તે તેમની સેવા કરજે.” એવી રીતે બે ત્રણવાર કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયે. શબ્દાલપુત્ર કુંભારે ભક્તિથી વિચાર્યું કે, “જરૂર મારા ધર્મગુરૂ સર્વજ્ઞ એવા ગશાળા જ પ્રાત:કાળે અહીં આવશે.” આ વિચાર કરીને તે તેમની રાહ જોઈ રહ્યો હતો, તેવામાં પ્રાતઃકાળે શીવરપ્રભુ સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવંતને વંદના કરી. પ્રભુ દેશના આપીને તે કુલાલ પ્રત્યે બેલ્યા કે-“હે શબ્દાલપુત્ર ! ગઈ કાલે કે ઈ દેવતાએ અશેકવનમાં આવીને તેને કહ્યું હતું કે, કાલે પ્રાત બ્રહ્મા અને સર્વજ્ઞ એવા અહંતપ્રભુ અહીં આવશે, તેમની તારે પીઠ, ફલક વિગેરે આપીને ઉપાસના કરવી. તે વખતે તે પણ વિચાર્યું હતું કે, પ્રાતઃકાળે ગોશાળ અહીં આવશે.” આવા પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યું કે “અહો ! આ સર્વજ્ઞ મહોબ્રાહ્મણ અહંત શ્રી મહાવીર પ્રભુજ અત્રે પધાર્યા, તે તે મારે નમસ્કાર કરવા યોગ્ય અને સર્વથા ઉપાસના કરવા ગ્ય છે.” આ પ્રમાણે વિચારી ઊભો થઈ પ્રભુને નમી અંજલિ જોડીને તે બોલ્યા કે, “હે સ્વામી! આ નગરની બહાર જે મારી પાંચસે કુંભકારપણાની દુકાનો છે તેમાં રહે અને પીઠ, ફલક વિગેરે જે જોઈએ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું અને ગોશાળાની શિક્ષાથી તેણે ગ્રહણ કરેલા નિયતિવાદથી યુક્તિપૂર્વક નિવૃત્ત કરી દીધું. પછી તેણે નિયતિવાદ છેડી પુરૂષાર્થને પ્રમાણે કરી આનંદ શ્રાવકની જેમ પ્રભુની પાસે શ્રાવકના ત્રત ગ્રહણ કર્યા. તેના નિયમમાં એટલું વિશેષ કે, તેણે ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં મળી ત્રણ કેટી સુવર્ણ રાખ્યું, અને ગાયનું એક ગોકુળ રાખ્યું. તેને અગ્નિમિત્રા નામે પત્ની હતી, તેને તેણેજ પ્રતિબંધ પમાડો, એટલે તેણે પણ પ્રભુની પાસે જઈ શ્રાવકનાં વ્રત સ્વીકાર્યા. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
Page #142
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું.
૧૨૭ ગોશાળ લકવાણીથી સાંભળ્યું કે, “શબ્દાલપુત્રે આછાવકામતને છોડી દઈને નિર્ગથે સાધુઓના શાસનને સ્વીકાર્યું છે. તેથી “ચાલ, હું ત્યાં જઈ તે શબ્દાલપુત્રને પાછો આજીવિકામતમાં પૂર્વની જેમ સ્થાપન કરૂં.' એમ ધારી ગોશાળ પિતાના મતવાળાઓથી પરવલે તેને ઘેર આવ્યા. શબ્દાલપુત્રે ગોશાળાને દષ્ટિથી પણ માન આપ્યું નહીં, તેથી શદાલપુત્રને પોતાના મતમાં સ્થાપન કરવાને અને શ્રાવક વ્રતમાંથી ચલિત કરવાને અશક્ત થયે છત ગશાળે ત્યાંથી પાછા ચાલ્યા ગયે.
અન્યદા વિરપ્રભુ રાજગૃહ નગરની બહાર આવેલા ગુણશીલ નામના દૈત્યમાં સમવસર્યા. તે નગરમાં ચુલની પિતાની જેટલી સમૃદ્ધિવાળે મહાશતક નામે એક ગૃહસ્થ હતો. તેને રેવતી વિગેરે તેર પત્નીઓ હતી. રેવતી આઠ કેટી સુવર્ણ અને આઠ ગાના ગોકુળ પિતાના પિતાને ત્યાંથી લાવી હતી, અને બીજી પ્રત્યેક સ્ત્રીઓ એકેક કેટી સુવર્ણ અને એક એક ગાયનું ગોકુળ લાવી હતી. તેણે પણ ચુલની પિતાની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અને નિયમે ગ્રહણ કર્યા તેમજ તે સ્ત્રીઓ વિના બીજી સ્ત્રીઓને ત્યાગ કર્યો.
એકદા પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તીપુરીએ આવ્યા, ત્યાં કેપ્ટક નામના ઉપવ. નમાં સમવસર્યા. તે નગરીમાં આનંદના જેવો કૃદ્ધિમાન નંદિનીપિતા નામે ગૃહસ્થ રહેતો હતો. ચંદ્રને અશ્વિનીની જેમ અશ્વિની નામે તેને પ્રિયા હતી. શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળી તેણે પણ આનંદની જેમ શ્રાવકપણું અને નિયમે ગ્રહણ કર્યા. તેજ નગરમાં આનંદના જેટલી સમૃદ્ધિવાળો લાંતકપિતા નામે એક બીજો ગૃહસ્થ રહેતે હતે. તેને મધુર ભાષણ કરનારી ફાગુની નામે પત્ની હતી. તેણે પણ વીરપ્રભુની પાસે આવી દેશના સાંભળીને આનંદની જેમ શ્રાવકપણું અને નિયમો ગ્રહણ કર્યા.
આ પ્રમાણે દેવતાઓથી પણ અક્ષેભ્ય અને પર્વતની જેમ શ્રાવકપણામાં સ્થિર રહેનારા શ્રી વીરપ્રભુના મુખ્ય દશ શ્રાવક થયા. એવી રીતે કમળને સૂર્યની જેમ ભવ્યજનને પ્રતિબંધ કરતા શ્રી વીર ભગવંત ફરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલે પહોરે ચંદ્ર સૂર્ય સ્વાભાવિક (શાશ્વત) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના વિમાનના તેજથી આકાશમાં ઉદ્યોત થયેલ જોઈ લો કે કૌતુકથી ત્યાંજ બેસી રહ્યા. રાત્રિ પડવાથી પિતાને ઉઠવાને સમય જોઈ ચંદના સાધ્વી પોતાના પરિવાર સાથે વીરપ્રભુને નમીને પિતાને ઉપાશ્રયે ગયા, પરંતુ મૃગાવતીએ સૂર્યના ઉદ્યોતના તેજવડે દિવસના ભ્રમથી રાત્રિ થયેલી જાણી નહીં, તેથી તે ત્યાં જ બેસી રહી. પછી જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવતી રાત્રિ પડી ગઈ જાણી કાળાતિકેમના ભયથી ચક્તિ થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, “અરે મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શું ઘટે છે?” આ વચન સાંભળી તે ચંદનાને વારંવાર ખમાવવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવવડે ઘાતકર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલા ચંદનાની પડખેથી સર્પ જતો હતો, તેને કેવળજ્ઞાનની શક્તિથી જોઈને મૃગાવતીએ તેમનો હાથ સંથારાપરથી ઊંચે લીધે. તેથી ચંદનાએ જાગીને પૂછ્યું કે મારે હાથ કેમ ઊંચે કર્યો? મૃગાવતી બેલી-“અહી મેટ સર્પ જતો હતો, ચંદનાએ ફરીને પૂછયું કે, “અરે મૃગાવતી ! આવા સમયે વીંધાય તેવા ગાઢ અંધકારમાં તે શી રીતે સર્પ જે ? એથી મને વિસ્મય થાય છે.” મૃગાવતી બલી- હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠા.” તે સાંભળતાં જ “અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે એવી રીતે પિતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
Page #143
--------------------------------------------------------------------------
________________
સ ૮ મા
આ અરસામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, સ્વામી! જે સ્થિર પદાર્થા છે તે શું કર્દિ પેાતાના સ્વભાવથી ચલિત થતા હશે ? કે જેથી સૂર્ય ચંદ્રના વિમાન ચલિત થઈ ને અહી આવ્યા ?' પ્રભુ એ!યા કે આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યા થયા છે, તે આ પ્રમાણે-અરિહ‘તને કેવળજ્ઞાન થયા પછી ઉપસગ, ગર્ભમાંથી હરણુ, સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ, ચમરેદ્રના ઉત્પાત, અભાવી પરિષદ્, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસાને આઠ સિદ્ધ, ધાતકીખંડની અપરકકામાં કૃષ્ણનું ગમન, અસ યમીની પૂજા, શ્રી તીર્થંકર, અને હરિવ’શ કુળની ઉત્પત્તિ. આ દશ આશ્ચયની અંતર્ગત સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ પણ આશ્ચર્ય ભૂત જ થયેલુ છે.' આ પ્રમાણે કહી ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં નગરની બહાર કાષ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા,
૧૨૮
ત્યાં તેોલેશ્યાના બળથી વિરોધના નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લેાકેાના મનની વાર્તાને કહેનાર અને જિન નહિ છતાં જિન નામને ધારણ કરનાર ગાશાળા પ્રથમથી આવલેા હતેા. તે હાલાહલા નામની કાઇ કુંભકારીની દુકાનમાં ઉતર્યા હતા. તેની ‘અર્હ‘ત' તરીકેની ખ્યાતિ સાંભળી મુગ્ધ લેાકેા પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા. એવા વખતમાં ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞાથી તું પારણું કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યુ કે, અડી ગશાળા અ`ત અને સર્વજ્ઞના નામથી વિખ્યાત થઈને આવેલા છે.’ સાંભળતાં જ ગૌતમસ્વામી ખેદ પામી ભિક્ષા લઇને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણુ કરી ચાગ્ય અવસરે ગૌતમસ્વામીએ બધા લોકોની સમક્ષ સ્વચ્છ બુદ્ધિથી પ્રભુને પૂછ્યું કે, ‘હે સ્વામી ! આ નગરીમાં લેાકેા ગાશાળાને સજ્ઞ કહીને મેલાવે છે, તે ઘટે છે કે નહીં ?” પ્રભુ ખેલ્યા કે, “એ મખ અને મંખળીના પુત્ર ગાશાળા છે. એ કપટી અજિન છતાં પોતાના આત્માને જિન માને છે. હે ગૌતમ ! મે જ તેને દીક્ષા આપી છે, શિક્ષા પણ મે' જ આપી છે, અને પછી તે મિથ્યાત્વને પામી ગયે છે; તે સન નથી ’’ પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરીમાં ચારે તરફ ચૌટામાં અને શેરીઓમાં પસ્પર કહેવા લાગ્યા કે, અહા ભાઈ! શ્રી વીરપ્રભુ અર્હંત અહીં' આવેલા છે તે કહે છે કે, આ ગાશાળા તે મખલીનેા પુત્ર છે, અને તે પોતે મિથ્યા સર્વ જ્ઞ માને છે.’ આવા લેાકેા પાસેથી ખબર સાંભળી ગોશાળાને કાળા સર્પની જેમ અત્યંત કેપ ઉત્પન્ન થયે; તેથી પોતાના પરિવારથી પરસેર્ચી છતા કાંઈક વિપરીત કરવાને તૈયાર થઈ ગયા.
એ સમયે પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનંદમુનિ છઠ્ઠનું પારણુ કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને આવ્યા. જે હાલાહલા કુભકારીને ઘેર ગાશાળા રહેતા હતો ત્યાં થઇને આનંદમુનિ નીકળ્યા, એટલે તેને ગેાશાળે બાલાવ્યા, અને તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યું કે, “અરે આનંદ! તારા ધર્માચાર્ય લેાકેામાં પોતાના સત્કાર કરાવવાની ઈચ્છાથી સભા વચ્ચે મારા અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે ગેાશાળા તો મખ પુત્ર છે, અર્હત તથા સજ્ઞ નથી, પણ હજુ શત્રુને દહન કરવાને સમર્થ એવી મારી તેજાલેશ્યાને જાણતા નથી; પરંતુ હું તેને પિરવાર સહિત ભસ્મ કરી દઈશ. માત્ર તને જ એકલા છેડી દઈશ. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ—
“પૂર્વ ક્ષેમિલાનગરીમાં અવસર, પ્રસર, સવાદ, કારક અને ભલન નામના પાંચ ણિક રહેતા હતા. તેઓ અન્યજ્ઞા કેટલાક કરિયાણાના ગાડાં ભરીને વ્યાપાર કરવા નીકળ્યા.
Page #144
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦ સ
૧૨૯
માર્ગે જતાં તેઓ કોઈ નિર્જન અરણ્યમાં પેઠા, ત્યાં તે પાંચે જણ્મસ્થળમાં ગયા હોય તેમ તૃષાથી આક્રાંત થઇ ગયા, તેથી તે મહાટવીમાં અટન કરીને તેઓ જળ શેાધવા લાગ્યા. તેએમાંથી ભમતા ભમતા અવસરને પાંચ શિખરવાળા એક રાફડો જોવામાં આવ્યેા. તેણે તે ચારે મિત્રોને બતાવ્યા. પછી તેઓએ મળીને તેમાંથી પૂર્વનુ શિખર ફાડયું, તેમાંથી પુષ્કળ જળ નીકળ્યું, તેનું પાન કરીને તેઓ સ્વસ્થ થયા. પછી પ્રસરે કહ્યું કે, “આનું દક્ષિણ શિખર ફાડીએ તેમાંથી જરૂર આપણને કાંઈક ખીજી વસ્તુ મળશે.' ત્યારે અવસરે કહ્યું કે, ‘આપણે તે ખાવુ. યાગ્ય નથી કારણ કે તેમાંથી કદી સપ નીકળે તેા શું કરીએ, કેમકે રાફડા સર્પનું જ સ્થાન હોય છે.' તે સાંભળી સવાદ એલ્યા કે, ‘તમારા ખેલવામાં મોટો ફેર પડયો છે, કેમકે પ્રથમ ફ્રેાડેલા શિખરમાંથી સર્પ નીકળ્યા નથી પણ જળ નીકળ્યું છે.’ અવસરે ક્ીવાર કહ્યું કે, એ તો દૈવયેાગે જળ નીકળી ગયું.' એટલે કારક ખોલ્યા કે, તેજ પ્રમાણે કઢિ દૈવયેાગે આમાંથી પણ બીજી વસ્તુ નીકળશે.’ આ પ્રમાણે કહીને કારક તે ખેાદવા લાગ્યા. એટલે આ કરવામાં મારા મત નથી' એમ કહી અવસર પોતાના ગાડામાં બેસી આગળ ચાલ્યા ત્યારે ભલન ખોલ્યા કે, કદિ અવસર ચાલ્યા ગયા તો ભલે ગયા, એના વિના પણ આપણે આ શિખરને ખાદીશુ,' આ પ્રમાણે વિચારી તેઓ ખાદવા લાગ્યા. તે ખાદતા તેમાંથી ત્રાંબાનાણું પુષ્કળ નીકળ્યું; એટલે અવસર વિના બાકીના ચારે જણાએ તે વહેંચી લીધું, પછી તેમણે લાભથી ત્રીજું શિખર ખાવું, તે તેમાંથી રૂપુ નીકળ્યું; એટલે તેઓએ પ્રથમનું ત્રાંબાનાણું તજી દઇ રૂપું વહેંચી લીધું. પછી ચેાથુ શિખર ખાઘું, તો તેમાંથી સુવર્ણ નીકળ્યું, એટલે લાભથી રૂપાને છેાડી દઈ ને સુવર્ણ વહેંચી લીધું. પછી તેમણે જાણ્યું કે ‘આ પાંચમા શિખરમાં તો જરૂર રહ્ના જ હશે’ એવા વિચારથી તે લેાભાંધ વિષ્ણુકાએ તેને પણ ખાવું, કેમકે ‘લાભથી લાભ વધે છે.' પરંતુ અત્યંત મથન કરેલા સમુદ્રમાંથી છેવટ કાલકૂટ નીકળ્યું હતુ' તેમ તે શિખર ખાઢતાં એક દૃષ્ટિવિષ સર્પ નીકળ્યા. તે સર્પ રાફડા ઉપર ચડી સૂર્ય સામે જોઈને વિષર્દષ્ટિથી જોયું કે તત્કાળ વૃષભ સહિત ચાર ગાડાં અને ચારે વિષ્ણુકા દહન થઈ ગયા. પેલા અવસરને નિર્લોભી જાણીને તેની અધિષ્ઠાતાદેવીએ બળદ અને ગાડા સહિત તેણે ધારેલા સ્થાનકે પહેાંચાડી દીધા.’
હે આનંદમુનિ ! આ પ્રમાણે તે ચાર વણિકની જેમ હું તારા ગુરૂને ખાળી નાંખીશ અને પેલા અવસરની જેમ તને છેાડી મુકીશ.” આ પ્રમાણે સાંભળી ભિક્ષા સમાપ્ત કરી આનંદમુનિ પ્રભુ પાસે આવ્યા અને ગેાશાળે કહ્યું હતુ. તે બધું કહી સ`ભળાવ્યું. પછી તેણે શક્તિ થઇને પૂછ્યું કે, “હે સ્વામી! ગૌશાળે કહ્યું કે ‘હું ભસ્મ કરી દઈશ' તે તેનું ઉન્મત્ત ભાષણ છે કે તેમ કરવાને તે સમર્થ છે ?” પ્રભુ બોલ્યા કે, તે અત સિવાય બીજાની ઉપર તેમ કરવાને સમર્થ છે, અને તે અનાર્ય બુદ્ધિથી અંતને સંતાપ માત્ર કરી શકે છે. માટે આનન્દ્રે ! તુ જઇને ગૌતમ વિગેરે સર્વ મુનિને આ ખબર કહે કે જેથી તેની સાથે કાઈ બોલે નહિ. તેવી પ્રેરણા કરવાથી તારૂ પણ હિત થશે. કેમકે ધર્માંના વિઘ્ન પણ આપણને પીડે છે.' આનંદે તરત જ સર્વે મુનિ પાસે જઈને તે પ્રમાણે કહ્યું, તેવામાં ગાશાળા પ્રભુ પાસે આવ્યા અને આ પ્રમાણે મેલ્યા કે–“ અરે કાશ્યપ ! તું ‘આ ગેાશાળા મખલિપુત્ર છે અને મારા શિષ્ય છે’ ઇત્યાદિ જે લેાકા પાસે બેલે છે, તે તારૂ ભાષણ મિથ્યા છે; કેમકે જે તારા શિષ્ય ગેાશાળા હતો, તે શુકલકુળનેા હતો,
૧૭
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સ ૮ મા
તે તો ધર્મ ધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થયેલા છે. તેનું શરીર ઉપસગ અને પરિષહા સહન કરવામાં સમર્થ જાણી મારૂ શરીર છેાડી દઇને હું તેમાં પેડા છુ, મારૂ નામ તો ઉદાય નામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર આ મ‘ખલિના પુત્ર ગૌશાળા મારા શિષ્ય છે' એવુ કેમ કહે છે ? તું કાંઈ મારા ગુરૂ નથી.” પ્રભુ બોલ્યા કે-“ગાશાળા ! જેમ કોઇ અલ્પ બુદ્ધિવાળા ચાર પેાલીસથી પકડાય ત્યારે કાઈ ખાડાનું કે દુ વનનુ ઢાંકણુ નહી' મળવાથી તે ઉન, શણુ, રૂ કે ઘાસથી પેાતાના શરીરને ઢાંકી પેાતાની જાતને ગુપ્ત થયેલી માને, તેમ તું પણ ‘હું ગોશાળા નથી' એવું ખેાલી તારી જાતને ઢાંકવા માગે છે, પણ તું શા માટે અસત્ય ખેલે છે ? તુ તેજ છે, ખીજે નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી ગાશાળા ક્રોધ કરીને ખેલ્યા કે–“અરે કાશ્યપ ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઇશ.” આવાં તેનાં વચન સાંભળી પ્રભુના શિષ્ય સર્વાનુભુતિમુનિ પ્રભુ ઉપરના અત્યંત રાગથી તે સહન કરી શકળ્યા નહિ, તેથી તે ગાશાળા પ્રત્યે ખાલી ઉઠયા કે, “અરે ગોશાળા ! આ ગુરૂએ તને દીક્ષા આપી છે અને તેમણે જ શિક્ષા પણ આપી છે, તે છતાં તું કેમ તેના નિદ્ભવ કરે છે ? તુ જ ગોશાળા છું.” તે સાંભળતાં જ કાપાયમાન થઇને ગેાશાળે દિવિષસપ દૃષ્ટિરૂપ જવાળા મૂકે તેમ તે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેજોલેશ્યા મૂકી. મહાશય સર્વાનુભૂતિ ગેાશાળાની તેજોલેશ્યાથી દ્રુગ્ધ થઇ શુભ ધ્યાને મરણ પામીને સહસ્રાર દેવલાકમાં દેવતા થયા. પેાતાની લેગ્યાની શક્તિથી ગવ પામેલા ગાશાળા પછી વાર વાર ભગવ ́તની નિર્ભત્સ ના કરવા લાગ્યા; એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્યે પ્રભુની નિંદા કરનાર તે ગોશાળાને સર્વાનુભૂતિની જેમ ઘણાં શિક્ષાનાં વચના કહ્યાં. તેથી ગેાશાળે તેમની ઉપર પણ તેોલેશ્યા મૂકી, એટલે તેમનું શરીર પણ ખળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર વ્રત લઈ, આલાચનાપ્રતિક્રમણ કરી, બધા મુનિઓને ખમાવ્યા, અને મૃત્યુ પામીને અશ્રુત કલ્પમાં દેવતા થયા.
ગાશાળા પાતાને વિજયી માનતો છતો પ્રભુને કઠોર વચનેાવડે આાશ કરવા લાગ્યા. તથાપિ એકાંત દયાળુ પ્રભુ ખેલ્યા કે–‘અરે ગેાશાળા ! મેં તને દીક્ષા અને શિક્ષા આપીને શ્રુતનુ ભાજન કર્યા, તથાપિ તું મારાજ અવર્ણવાદ ખાલે છે તો તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે !’ પ્રભુનાં આવાં વચનથી અતિ કોપ પામેલા ગાશાળાએ કાંઇક નજીક આવીને પ્રભુની ઉપર પણ તેજોલેશ્યા મૂકી; પર`તુ તે તેજોલેશ્યા પર્વત ઉપર મહાવાયુની જેમ પ્રભુની ઉપર અસમર્થ થઈ અને તેણે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી. તે તેજોલેશ્યાથી કાંઠા ઉપરના ઘાસમાં ઉત્પન્ન થયેલા દાવાનળથી નદીનું જળ જેમ તપે તેમ માત્ર પ્રભુના અંગમાં સંતાપ ઉત્પન્ન થયા; પછી આ દુષ્ટે મને અકાર્ય કરવાને પ્રેરી’ એવા ક્રેધથી તે તેજોલેશ્યાએ પાછી ફરીને છળથી ગોશાળાનાજ શરીરમાં પ્રવેશ કર્યા. તેનાથી અંદર દહન થતા છતાં પણ ગેાશાળે ધી થઈને ઉદ્ધૃતપણે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે, “અરે કાશ્યપ ! મારી તેજોલેશ્યાથી અત્યારે તુ* ખચી ગયા છે, તેા પણ તેનાથી થયેલા ચિત્તજવરથી પીડિત થઈને આજથી છ માસને અંતે તુ' છદ્મસ્થપણામાંજ મરણ પામીશ.” પ્રભુ મેલ્યા “અરે ગોશાળા ! તારો એ આગ્રહ વૃથા છે, કારણ કે હુ તો હજુ બીજા સેાળ વર્ષ સુધી કેવળીપણે જ વિહાર કરીશ, પણ તું આજથી સાતમે દિવસે તારી જ તેોલેશ્યાથી થયેલા પિત્તજવરથી પીડિત થઇને મૃત્યુ પામીશ, તેમાં જરા પણ સ`શય નથી.” પછી તેજોલેશ્યાથી જેનું શરીર ગ્લાનિ પામી ગયુ' છે એવા ગાશાળા વિલાપ કરતો કરતો ત્યાંજ વાયુથી શાળવૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયા. તે વખતે ગુરૂની અવજ્ઞાથી કાપ પામેલા ગૌતમ વિગેરે મુનિ મમ વેધી વચનાથી ગાશાળાને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે– અરે મૂખ જે કોઈ પોતાના ધર્માચાર્ય થી પ્રતિ
Page #146
--------------------------------------------------------------------------
________________
પ ૧૦ મુ
૧૩૧
કૂળ થાય છે, તેની આવી દશા જ થાય છે, અરે ! તેં તારા ધર્માચાય ઉપર નાંખેલી તેોલેશ્યા કયાં ગઈ ? બહુ વખત સુધી જેમ તેમ ખેલનારા અને એ મહા મુનિઓની હત્યા કરનારા એવા તારી ઉપર પણ પ્રભુએ તો કૃપા કરી. પરંતુ હવે તુ' સ્વયમેવ મૃત્યુ પામીશ. પૂર્વે જો પ્રભુએ શીતલેશ્યાવડે તારી રક્ષા ન કરી હાત તા તુ વેશકાયને મૂકેલી તેજોલેશ્યાથી મરી ગયા હેાત, તે યાદ કર.” તેઓનાં આવાં વચન સાંભળીને ખાડામાં પડેલા સિંહની જેમ અસમર્થ બનેલો ગોશાળા તેમને કાંઈ પણ નહિ કરી શકવા છતાં ક્રોધ વડે ઉછાળા મારવા લાગ્યા. પછી દીઘ અને ઉષ્ણુ નિઃશ્વાસ નાંખતો, દાઢ અને કેશને ખેચતો, પગથી પૃથ્વી પર તાડન કરતો અને ‘અરે હું મરાયેા’ એમ વારવાર ખોલતો તે પ્રભુની પદામાંથી નીકળી ગયા; અને લોકેાથી ચારની જેમ તિરસ્કાર કરતો છતો તે માંડ માંડ હાલાહલા કુંભકારીની દુકાને પહોંચ્યા. તેના ગયા પછી પ્રભુએ મુનિઓને કહ્યું, “ગાશાળે જે તેજોલેશ્યા મારા વધ કરવાને મારાપર મૂકી હતી, તે પેાતાની ઉગ્ર શક્તિથી વત્સ, અચ્છ, કુત્સ, મગધ, મગ, વાલવ, કાશળ, પાડ, લાટ, વન્દ્રિ, માળિ, મલય, વાધક, અંગ, કાશી, અને સહ્યુગિરિના ઉત્તર પ્રદેશ—એ પ્રમાણેના સોળ દેશને ખાળવાને શક્તિવાન હતી. ગાશાળે તેજોલેશ્યાને અત્ય`ત ઉગ્ર તપ વડે સાધેલી હતી.” તે સાંભળી ગૌતમ વગેરે મુનિએ પરમ વિસ્મય પામી ગયા કે, “અહા ! સત્પુરૂષો શત્રુ ઉપર પણ માત્સર્યુંભાવ રાખતા નથી.”
અહી પાતાની તેજોલેશ્યાથી દહન થતા ગેાશાળે હાથમાં મદ્યનુ પાત્ર લઈ ને મદ્ય પીવા માંડવું; પછી તેનાથી મદોન્મત્ત બનીને ગાશાળા ગાવા તેમજ નાચવા લાગ્યા; અને હાલાહલા કુંભકારીને વારંવાર અંજિલ જોડી જોડીને નમવા વાગ્યા. પાત્રને માટે ચાળેલી મૃત્તિકા લઈ લઈ ને શરીરે ચાળવા લાગ્યા, અને ઘરની ખાળમાં આળોટી વારંવાર ઘરની ખાળનું જળ પીવા લાગ્યા; તેમજ અસ બદ્ધ વિરૂદ્ધ વચને જેમ તેમ ખેલવા લાગ્યા. શેક સહિત શિષ્યાએ સેવેલા ગાશાળો એવી રીતે દિવસ નિર્ગમન કરવા લાગ્યા.
એ સમયે પુત્રાળ નામે ગેાશાળાના એક ઉપાસક હતો, તે પૂ॰રાત્રિ અને અપરરાત્રિમાં ધર્મ જાગરણ કરતા વિચારવા લાગ્યા કે, ‘તૃણુગેાપાલિકાનું સ`સ્થાન કેવુ હશે ! તે હુ' જાણતા નથી માટે મારા સત્ત ગુરૂ ગેાશાળાની પાસે જઇ પૂછી જોઉં.' આવા વિચાર કરી તે અમૂલ્ય આભૂષણેા ધારણ કરી ગોશાળાની પાસે આવ્યા. ત્યાં હાલાહલા કુભકારીની દુકાને ગેાશાળાને તેવી રીતે પડેલા તેણે જોયા. જળ લેવાને જતા ગેાશાળાના સ્થવિર શિષ્યાએ તેને ઉતાવળેા આવતો અવલેાક્યા એટલે તત્કાળ તેઓ ખેલ્યા કે–અરે પુત્રાલ ! આજે પાછલી રાત્રે તને તૃણુગેાપાલિકાના સંસ્થાન સબંધી સંશય થયેલા છે.’ તે સાંભળતાંજ પુત્રાલ વિસ્મય પામ્યા; અને તે વાતને તેણે સ્વીકાર કર્યાં, પછી પાતાના ગુરૂના ચેષ્ટિત ગોપવવાને તે મહિષ એ ફરીવાર ખેલ્યા-જો, આ તમારા ગુરૂ જે ગાય છે, નાચે છે, કરપાત્રવર્ડ અંજલિ જોડે છે, તે બધા તેમના નિર્વાણુનાં ચિન્હો જણાવે છે. જે આ તેમનુ સૌથી છેલ્લું ગાયન, નૃત્ય, અંજલિ જોડવાનુ કમ, પાન, અને મૃત્તિકાના અંગરાગ વિગેરે છે, તે બધું ચાવીશમાં તી‘કરનું નિર્વાણુ ચિન્હ છે. હવે તેમની પાસે જઈ તારા સંદેહ પૂછી જો, કેમકે એ તારા સત્ત ગુરૂ છે.’ આ પ્રમાણે તેમના કહેવાથી તે પુત્રાલ ગેાશાળાની પાસે જવા તત્પર થયા એટલે તે મહિષ એ તેની અગાઉ ગેાશાળા પાસે જઇ તેનું આગમન અને તેને જે સ ંશય હતા તે જણાવી દીધા, તેમજ તેમણે ગાશાળાની પાસેથી મદ્યપાત્ર વિગેરે ખીજે મૂકાવ્યુ અને એક આસન ઉપર બેસાયેર્યા. એટલામાં પુત્રાલ પણ ત્યાં આવ્યેા. તે આગળ બેઠા એટલે ગશાળે તેને કહ્યું કે ‘તૃણગાપાળિકાનુ` સસ્થાન કેવું હોય ? એ તારો
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સગ ૮ મા
સંશય છે. તે સાંભળ-વાંસના મૂળ જેવી તૃણુગોપાલિકાની આકૃતિ જાણવી.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે પુત્રાલ હ પામ્યા છતા પોતાને સ્થાનકે ગયા.
અન્યદા ગાશાળે સાવધાન થઇ પાતાના અવસાન સમયને જાણી પેાતાના શિષ્યાને આદરપૂર્વક બોલાવી આ પ્રમાણે કહ્યું કે—“હે શિષ્યા ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગધી જળથી સ્નાન કરાવી, સુગ ંધી વિલેપન કરો, પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ્ર વી ટાળજો, પછી દિવ્ય આભૂષણાથી શણગારી તેને સહસ્ર પુરૂષોએ વાદ્ય એવી શિખિકામાં એસાડી ઉત્સવ સહિત બહાર કાઢો, અને તે વખતે ‘આ ગાશાળક ચાલતી અવસર્પિણીના ચાવીશમા તીર્થંકર માક્ષે ગયેલ છે' એવી ઉંચે સ્વરે આખા નગરમાં આઘાષણા કરાવજો,’’ તેઓએ તેમ કરવાને સ્વીકાર્યુ. પછી સાતમે દિવસે ગેાશાળાનુ` હૃદય ખરેખરૂ' શુદ્ધ થયું', તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડયો. “અહા ! હુ કેવાપાપી ! કેવા દુતિ ! મે* મારા ધર્મગુરૂ શ્રી વીર અર્હંત પ્રભુની મન વચન કાયાથી અત્યંત આશાતના કરી. મે સર્વ ઠેકાણે મારા આત્માને મિથ્યા સજ્ઞ કહેવરાવ્યા અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશવડે સર્વ લેાકેાને છેતયાં; અરે મને ધિક્કાર છે, મેં ગુરૂના બે ઉત્તમ શિષ્યાને તેજોલેશ્યાવડે ખાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મે' પ્રભુની ઉપર પણ તેોલેશ્યા મૂકી. મને ધિક્કાર છે ! અરે ! ઘેાડા દિવસને માટે ઘણા કાળ સુધી નરકાવાસમાં નિવાસ થાય તેવુ અકાય મે· આચયુ. વળી કેવળ મે મારા આત્માનેજ નરકના અતિથિ કર્યા નથી પણુ અસત્ મા ના ઉપદેશથી આ બધા લોકોના આત્માને પણ નરકના અતિથિ કર્યા છે. ભવતુ ! હવે આટલેથીજ સયુ, હવે તો લેાકા પાછા સન્માર્ગે ચાલેા.” આવા વિચાર કરી તેણે પોતાના સર્વ શિષ્યાને ખેલાવીને કહ્યું કે, “હે શિષ્યા ! સાંભળેા, હું અંત નથી તેમ કેવળી પણ નથી, હું તેા મખલિના પુત્ર અને શ્રી વીરપ્રભુના શિષ્ય ગોશાળા છુ. આશ્રયને જ ભક્ષણ કરનાર અગ્નિની જેમ હું ગુરૂના પ્રત્યેનીક થયા છુ.. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લેાકાને ઠગ્યા છે. મારી પાતાની તેજોલેશ્યાથીજ દહન થયા છતા હું છદ્મસ્થપણે જ મૃત્યુ પામીશ. માટે મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી ખાંધી મને આખા નગરમાં ઘસડજો, મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થુંકો અને આખી નગરીમાં ચૌટા, ત્રિક, ચાક અને શેરીએ શેરીએ એવી આઘેષણા કરજો કે, લેાકેાને 'ભથી ઠગનાર, મુનિના ઘાત કરનાર, જિન નહી તેવા (છદ્મસ્થ), દોષનુંજ નિધાન, ગુરૂના દ્રોહી અને ગુરૂના જ વિનાશ ઇચ્છનાર મલિના પુત્ર આ ગેાશાળા છે, તે જિન નથી, જિનેશ્વર તેા ભગવાન, સજ્ઞ, કરૂણાનિધિ, હિતેાપદેષ્ટા શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળા વૃથા માની છે.” આ પ્રમાણે કરવાના સોગન આપી ગેાશાળા અત્યંત વ્યથાથી પીડાતા છતો મૃત્યુ પામ્યા. એટલે તેના શિષ્ય એ લજ્જાથી તે કુલાલ (કુંભાર) ની શાળાના દ્વાર બંધ કરી સાગનથી મુક્ત થવાને માટે અદર શ્રાવસ્તિ ચીત્રી ગેાશાળાના શબને તેમાંથી તેણે કહેલી આઘાષણા કરવા પૂર્વક ઘસડયુ.... પછી તે શિષ્યાએ ગાશાળાના કલેવરને મકાનની બહાર કાઢયુ' એટલે તેના ઉપાસકાએ માટી સમૃદ્ધિથી તેને અગ્નિસ સ્કાર મહેાત્સવ કર્યા,
શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી મેઢક ગામે આવ્યા. ત્યાં કાક નામના ચૈત્યમાં સમેાસર્યા. ત્યાં ગૌતમે પ્રભુને પૂછયુ કે, સ્વામી ! ગાશાળા કઇ ગતિને પામ્યા ?” પ્રભુ ખેલ્યા કે–‘અચ્યુત દેવલાકમાં ગયા.' ગૌતમે ફરીવાર પૂછ્યું કે-‘મહારાજ ! એવા ઉન્માગી અને અકાર્ય કરનાર કુરાત્મા ગાશાળા દેવતા કેમ થયા ? એમાં મને માટુ' આશ્ચર્ય થાય છે.’
Page #148
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૩૩ એટલે પ્રભુ બોલ્યા કે-હે ગૌતમ ! જે અવસાન કાળે પણ પિતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણુ દૂર નથી. ગોશાળે પણ તેવી રીતે કર્યું હતું. ગૌતમે ફરીથી પૂછયું, “હે સ્વામી !તે અમૃત દેવલોકમાંથી ચવીને ક્યાં ઉત્પન્ન થશે અને ક્યારે સિદ્ધિને પામશે?” પ્રભુ બોલ્યા-“આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં પંદ્રદેશમાં શતદ્વાર નામે એક મહાનું નગર છે, તેમાં સંકુચિ નામના રાજાની ભદ્રા નામની રાણીથી ગોશાળાને જીવ મહાપદ્મ નામે પુત્રપણે ઉત્પન્ન થશે. તે મહટે રાજા થશે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે ઉત્તમ યક્ષે તેનું સેનાપતિપાગુ કરશે. તેથી પ્રજા ભાગ્યના નિધિ સમાન એ રાજાનું દેવસેન એવું બીજ ગુણ પ્રમાણે નામ પાડશે. તે અદ્દભુત તેજસ્વીને ચક્રવત્તીની જેમ એક વેતવણું અને ચાર દાંતવાળ બીજા ઐરાવત જે હસ્તી પ્રાપ્ત થશે. તેની પર આરૂઢ થયેલા તે રાજાને જોઈને હર્ષ પામેલા લેકે વિમલવાહન એવું તેનું ત્રીજું નામ પણ પાડશે. અન્યદા તેને પૂર્વ ભવના અભ્યાસથી મુનિ ઉપરના શ્રેષ્ય કર્મ વડે મુનિઓ પર અત્યંત દુષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થશે. કોઈપણ મુનિને જેતાં કે સાંભળતાં જ તે નિંદા, તાડન, બંધન, હલકું અને છેવટે હણવા વિગેરેથી તેમને પીડા કરવા લાગશે. પછી નગરના લોકો અને મંત્રીઓ તેને વિજ્ઞપ્તિ કરશે કે, “રાજાઓએ તે દુષ્ટનો નિગ્રહ અને સાધુજનનું પાલન કરવું જોઈએ. માટે હે સ્વામી ! આ નિ ભિક્ષુક અને તપસ્વી સાધુઓની તે આપ રક્ષા કરે, અને કદિ જે રક્ષા ન કરે તે ભલે પણ તેઓને નિગ્રહ શા માટે કરો છો ? કદાપિ કોઈ નિરપરાધી મુનિ તાડન કરવાથી કોપ કરશે તે તે પિતાના તેજથી તમને તેમજ તમારા દેશને પણ બાળી નાખશે.” આ પ્રમાણેનાં તેમનાં વચનો તે માનશે નહીં. એક વખત તે રથમાં બેસી ઉદ્યાનમાં કીડા કરવાને જશે,
ત્યાં ત્રણ જ્ઞાનના ધારક અને જેને તેલેસ્યા સિદ્ધ થયેલી છે એવા સુમંગળ નામે મુનિ કાસગે રહીને આતાપના કરતા તેને જોવામાં આવશે. એટલે સાધુના દર્શન માત્રથી જ વિરૂદ્ધ થયેલ તે રાજા નિ:કારણ કોલ કરીને રથના અગ્ર ભાગથી તે મુનિને પાડી નાખ તે મુનિ પાછા ઊભા થઈને કાર્યોત્સર્ગ કરશે, પાછો તે રાજા તેને ફરીવાર પૃથ્વી પર પાડી નાંખશે, ફરીવાર પાછા મુનિ કાર્યોત્સર્ગ ધારણ કરશે, પછી અવધિજ્ઞાનવડે જોઈને તે રાજાને આ પ્રમાણે કહેશે-અરે મૂઢ ! તું દેવસેન નથી અને વિમલવાહન પણ નથી, પણ તુ તે મંખલિને પુત્ર ગોશાળે છું, તે સંભાર. તે ભવમાં તારા ધર્મગુરૂ છેલ્લા તીર્થકર વીરપ્રભુની અત્યંત આશાતના કરી હતી અને તેમના બે શિષ્યોને મદેન્મત્ત થઈને બાળી નાંખ્યા હતા, પણ તેમણે તે બધું સહન કર્યું હતું, પરંતુ હું સહન કરીશ નહીં. જે હવે ફરીવાર કાંઈપણ કરીશ તે જરૂર હું તને ક્ષણવારમાં દહન કરી નાખીશ.” તેના આવા વચનથી ઘીના સિંચનથી અગ્નિની જેમ અધિક પ્રદિપ્ત થયેલે મહાપ ત્રીજીવાર પણ તે સુમંગળમુનિને પાડી નાખશે. એટલે તે મુનિ સાત આઠ પગલાં તેની સામાં ભરીને તેજલેશ્યાવડે તે મહાપદ્મને રથ, ઘોડા અને સારથી સહિત બાળી નાખશે. પછી તે કર્મની આલોચના કરી ચિરકાળ ત્રત પાળી અંતે એક માસનું અણસણ કરીને મુનિ સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈને મોક્ષ પ્રત્યે પામશે. મહાપ દગ્ધ થઈને સાતમી નરકે જશે. પછી અનુક્રમે સાતે નરકમાં બેવાર ઉત્પન્ન થશે; પછી બધી તિર્યંચ જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે અને દરેક ભવમાં શસ્ત્રથી અથવા દાહથી પીડિત થઈને મૃત્યુ પામશે. એવી રીતે અનંતકાળ પર્યત દુઃખદાયક ભવભ્રમણ કરીને તે રાજગૃહ નગરની બહાર વેશ્યા થશે; ત્યાં સુખે સુતેલી તે વેશ્યાને કઈ તેના આભૂષણમાં લુબ્ધ થયેલ કામી પુરૂષ મારી નાખશે. ફરીવાર પણ તે નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થઈ મૃત્યુ પામશે. પછી વિધ્યગિરિના
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સર્ગ ૮ મે મૂળમાં આવેલા એભળ નામના ગામમાં કેઈ બ્રાહ્મણની કન્યા થશે તેને કેઈ બ્રાહ્મણ પરણશે ત્યાં ગર્ભિણ થતાં સાસરાના ઘરથી પીયર આવતાં માર્ગમાં દાવાનળથી દગ્ધ થઈ છતી તે અગ્નિકુમાર દેવતાએ માં ઉત્પન્ન થશે. ત્યાંથી પાછો મનુષ્ય થશે; તે ભવમાં દીક્ષા લેશે. પરંતુ સાધુપણાની વિરાધના કરીને પાછા અસુરકુમારમાં ઉત્પન્ન થશે, એ પ્રમાણે વારંવાર કેટલાક મનુષ્યભવ પામી દરેક ભવમાં મુનિપણને વિરાધી અસુરકુમાર વિગેરેમાં ઉત્પન્ન થશે. ફરીવાર પાછો મનુષ્ય થઈ અતિચાર રહિત વ્રતને પાળવાથી સૌધર્મ દેવલોકમાં દેવતા થશે. એવી રીતે સાત ભવ સુધી મુનિપણું પાળી પ્રત્યેક ક૯પે ઉત્પન્ન થઈ છેવટે સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાંથી રવી વિદેહક્ષેત્રમાં કેઇ ધનાઢય ગૃહસ્થને દ્રઢપ્રતિજ્ઞા નામે બુદ્ધિમાન્ પુત્ર થશે તે વિરક્ત થઈને દિક્ષા લેશે; તે ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે શાળાના ભાવથી માંડીને પોતાના સર્વ ભવને જાણી લેશે, કે જે ગુરૂની અવજ્ઞા અને મુનિવધથી દુષિત થયેલા હતા; પિતાના સર્વ ની હકીકત તે પોતાના શિષ્યોને જણાવશે અને પિતાને થયેલા અનુભવથી તે શિષ્યોને કહેશે કે, “સર્વથા ગુરૂની અવજ્ઞા વિગેરે કાંઈ કરવું નહીં, કેમકે તેમ કરવાથી તેનું માઠું ફળ ઘણું ભવમાં ભોગવવું પડે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને બેધ કરી પૃથ્વી પર વિહાર કરી પ્રાંતે ગે શાળાને જીવ કર્મને ક્ષય કરીને નિર્વાણપદને પામશે.”
ગૌતમે ફરીથી પૂછયું કે, ભગવન્! પૂર્વના ક્યા કર્મથી તે ગોશાળ તમને પ્રતિકુળ થયે?” પ્રભુ બેલ્યા-“આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાછલી ચોવીશીમાં ઉદાય નામે એક તીર્થકર થયા હતા. તેને મોક્ષમહિમા કરવા સુર અસુરો આવ્યા, તે વખતે નજીકમાં રહેનાર કેઈ મનુષ્યને તે જોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી. એટલે શાસનદેવતાએ તેને વ્રતીનું લિંગ અર્પણ કર્યું. લોકોથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેને જોઈ કઈ ઈશ્વર નામના દુર્મતિએ તેમની પાસે આવી પૂછયું કે, “તને કેણે દીક્ષા આપી ? તું ક્યાં ઉત્પન્ન થયે છું ? તારું શું કુળ છે? અને સૂત્ર તથા તેને અર્થ તે કેની પાસેથી મેળવ્યું છે?” તે પ્રત્યેકબુદ્ધ મહામુનિએ તેને બધા પ્રશ્નનો ઉત્તર આપ્યું. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, “આ સાધુ દંભથી પ્રજાનું ભક્ષણ કરે છે. હું ધારું છું કે, જેવું આણે તેવું જિનેશ્વર પણ કહેશે, અથવા મેહ રહિત એવા પ્રભુ એવું નહીં કહે, માટે ચાલ તેની પાસે જાઉં અને સર્વ દુઃખને નાશ કરનારી દીક્ષાનું અભિનંદન કરૂં. (ઉ) આવું ચિંતવી તે પ્રભુ હતા ત્યાં ગયે, પણ પ્રભુ નિર્વાણ પામેલા હોવાથી જોવામાં આવ્યા નહીં, એટલે તેણે ગણધરની પાસે દીક્ષા લીધી. કપિની જેમ મંદ મહિવાળા તેને મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હતો. પ્રભુ મોક્ષ પામેલા હોવાથી ગણધર મહારાજે પર્ષદામાં બેસી જે સૂત્રાર્થ શ્રી જિનેશ્વર મહારાજે કહ્યો હતો તે કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે, “જે પૃથ્વીકાયના એક જીવને પણ હણે, તે જિદ્રના શાસનમાં અસંયત કહેવાય છે. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, “પૃથ્વીકાય જીવોનું તો સર્વત્ર મદન થાય છે, તેનું સર્વથા રક્ષણ કરવા કે તેને જોવાને કોણ સમર્થ છે ? આ વાક્ય જ શ્રદ્ધા કરવા યંગ્ય નથી, કેવળ મુનિની લઘુતાને માટે જ છે. જેમ ઉન્મત્ત બોલે તેમ બોલેલું આ વાક્ય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કોણ આચરે છે ? જો આવું કહેવું છોડી દઈને એઓ મધ્યમ પક્ષના સાધુપણાની વાત કહે તો તેની ઉપર જરૂર સર્વ લોક અનુરક્ત થાય.” આ પ્રમાણે વિચારીને વળી પાછો વિચારવા લાગ્યો કે “અરેરે! હું માર્યો ૧. મુનિશ. (ઓધો મુહપત્તિ વિગેરે.)
Page #150
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૩૫
ગયે ! જો હું આ વાકય ન માનું અને તે પ્રમાણે ન આચરે તો મેં જિનેશ્વરને પણ માન્યા ન કહેવાય ! કેમકે આ સર્વજ્ઞનું જ વચન છે. તેથી મેં અહંતના આ એક વચનને અન્યથા ધાયું, તેથી તેનું પ્રાયશ્ચિત્ત માટે હમણા જ લેવું જોઈએ. આવી રીતે પશ્ચાત્તાપ કરતો તે પેલા પ્રત્યેકબુદ્ધ મહામુનિની પાસે ગયે. ત્યાં પણ ધર્મને વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે, “મુનિએ મન વચન કાયાથી પૃથ્વીકાય વિગેરે અને સમાર ભ ત્યજી દે.” તે સાંભળી વળી ઈશ્વરે ચિંતવ્યું કે, “આવી રીતે તે કોનાથી મળી શકે? કે પૃથ્વીકાયાદિકને ત્રિધા આરંભ કરતું નથી, આ મુનિ પણ પૃથ્વી પર બેસે છે, આહાર કરે છે અને અનિપકવ જળ પીવે છે. આ કટુવાદી તો પિતાથી પણ ન પળી શકે તેવું બેલે છે, માટે આથી તો પિલા ગણધર સારા, જો કે તેની પણ વાણું તો વિરૂદ્ધ છે; ત્યારે મારે એ બંનેની કાંઈ જરૂર નથી, હું પિતે જ એ ધર્મ કહું કે, જેને લોકો અવિરક્ત પણે સુખે સુખે પાળી શકે.” આવું ચિંતવન કરતાં તેના મસ્તકપર વિજળી પડી, જેથી તે મૃત્યુ પામીને સાતમી નરકે નારકી થયે. શ્રુત, જિનશાસન અને સમકિતના પ્રત્યેનીકપણુથી બાંધેલા તીવ્ર પાપવડે ત્યાં ચિરકાળ દુઃખ ભોગવીને તે અહીં સમુદ્રમાં મત્સ્ય થયો, ત્યાંથી ફરીવાર તે સાતમી નરકે ગયો, ત્યાંથી નીકળીને તે અહીં કાપક્ષી થયો; ત્યાંથી પહેલી નરકે ગયો ત્યાંથી નીકળી દુષ્ટ તિર્યંચ થયો, પછી ફરીવાર પહેલી નરકમાં જઈને ગધેડે થયો તેવા છ ભવ કરીને મનુષ્ય થયો. ત્યાંથી મૃત્યુ પામી વનચર થયો. ત્યારપછી બીલાડ થઈને નરકે ગયો. ત્યાંથી નીકળી કૃમિથી આકુળવ્યાકુળ કુષ્ટ વ્યાધિવાળો કુંભાર થયો. તે ભાવમાં પચાસ વર્ષ સુધી કૃમિનું ભક્ષ થઈ અંતે મૃત્યુ પામીને અકામનિર્જરાના વેગથી દેવપણાને પ્રાપ્ત થયું. ત્યાંથી રચવીને રાજા થયો. તે ભવમાં મૃત્યુ પામીને પાછો સાતમી નરકે ગયે. એવી રીતે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં ભમીને તે ગોશાળ થયો. પૂર્વ ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થકર, ધર્મ અને સાધુઓને અત્યંત દ્વેષી થયો હતો.”
આ પ્રમાણેના પ્રભુના વચન સાંભળી ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. કેટલાકે સંસારથી ઉગ પામી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યું.
ગશાળે મૂકેલી તેજલેશ્યાથી શ્રી વીરપ્રભુને રક્ત અતિસાર તથા પિત્તજવર થવાથી શરીરે અતિ કૃશ થઈ ગયા, તથાપિ તેમણે તેનું કાંઈ પણ ઔષધ કર્યું નહીં. પ્રભુના શરીરમાં એ ઉગ્ર વ્યાધિ જોઈને લોકોમાં એવે પ્રવાદ ચાલ્યું કે, “ગે શાળાની તેજોલેશ્યાથી શ્રી વીરપ્રભુ છ મા તમાં મૃત્યુ પામી જશે.” આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનરાગી શિષ્ય એકાંતે જઈને ઉંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. ‘તેવી વાણી સાંભળીને કેને ધીરજ રહે ? કેવળજ્ઞાન વડે તે વાત જાણીને વીરપ્રભુએ તેને બેલાવી કહ્યું કે, “અરે ભદ્ર ! લેકની વાતો સાંભળીને તું શા માટે ભય રાખે છે ? અને હૃદયમાં કેમ પરિતાપ પામે છે ? તીર્થકરે કદિ પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા નથી થયા ?” સિંહ મુનિ બેલ્યા કે, “હે ભગવન્! જો કે તમારું કહેવું સત્ય છે, તથાપિ તમને આવી આપત્તિ જાણી બધા લકે ઘણે પરિતાપ પામે છે, માટે તે સ્વામી ! મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરે આપને પીડિત જેવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી.” સિંહમુનિના આ પ્રમાણેના અતિ આગ્રહથી પ્રભુ બોલ્યા, “રેવતી નામે એક શ્રેષ્ઠીની સ્ત્રીએ મારે માટે કેળાને કટાહ પકાવ્યો છે, તે તું લઈશ નહીં અને પોતાના ઘરને માટે તેણે બીરાને કટાહ પકાવે છે, તે લઈ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સર્ગ ૮ માં
આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને દૌર્ય પ્રાપ્ત થાય.” પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા, અને તેણીએ આપેલા કલ્પનીય ઔષધને સદ્ય ગ્રહણ કર્યું. તત્કાળ હર્ષ પામેલા દેવતાઓએ તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. સિંહમુનિએ આણેલા ઉત્તમ પ્રાસુક ઔષધને સેવી સંઘરૂપ ચકોર પક્ષીમાં પૂર્ણ ચંદ્ર જેવા શ્રીવીરપ્રભુએ સદ્ય શરીરની આરોગ્યતા પ્રાપ્ત કરી.
છે . ત્યાવાર્થ શ્રી હેમચંદ્રસૂરિવિત્તેિ ત્રિદિશા.
પુક્તિ મ– काव्ये दशमपर्वणि ऋषभदत्त देवानंदा प्रव्रज्या, जमालि गोशालक छ છે. વિતા જ વિપત્તિ, માવાવનો નામ ગામ : છે આ
% 85 86 888888888888888888888888888
Page #152
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૯ માં
હાલિક, પ્રસનચંદ્ર, દદ્રાંકદેવ, શ્રેણિકનું ભાવિ તીર્થકરવ, સાળ-મહાસાળ, ગૌતમનું અષ્ટાપદ ઉપર આરોહણ,
અમ્બડ તથા સુલસીનું ચરિત્ર છવસ્થાવસ્થામાં પ્રભુ જ્યારે વહાણુમાં બેસીને નદી ઉતરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નામના જે નાગકુમાર દેવે પ્રભુને ઉપસર્ગ કર્યા હતા, તે નાગકુમાર ત્યાંથી રવીને કઈ ગામમાં ખેડુત થયે હતો, અને તે કૃષિકર્મથી આજીવિકા ચલાવતો હતો. એક વખતે તે હળથી પૃથ્વીને ખેડવાને પ્રવર્તે હતો, તેવામાં શ્રી વીરપ્રભુ તે ગામે પધાર્યા. પ્રભુએ તેને બંધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેડુત પાસે આવીને કહ્યું કે, “આ શું કરે છે ? તે બે -“મારા ભાગ્યની પ્રેરણાથી આ ખેતી કરું છું. ગૌતમે ફરીથી કહ્યું કે, “આવી ક્ષુદ્ર આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે ! અરે ભદ્ર! કેવળ આ કષ્ટ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર જીવહિંસાથી આવું કષ્ટ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમા અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય તો તત્કાળ સર્વ કષ્ટને અંત આવે છે.” આવાં ગૌતમસ્વામીનાં વચન સાંભળી તે બોલ્યો કે-હે સ્વામી! તમે મને સારે બોધ આપે. હવે હું સંસારથી ઉદ્વેગ પામ્ય છું, માટે મને દીક્ષા આપો.” પછી “આ પ્રતિબોધ પામે છે, એવું જાણી ગૌતમે તરત જ તેને દીક્ષા આપી; અને શ્રી વીરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા. હાલિક (કૃષીવળ) મુનિએ તેમને પૂછયું કે, ભગવન! આપણે ક્યાં જવું છે?' ગૌતમ બોલ્યા- હે સાધુ ! મારા ગુરૂની પાસે જવું છે.' હાલિક મુનિ બોલ્યા કે તમારા જેવા બીજા કોઈ જણાતા નથી, તે છતાં તમારા પણ કોઈ ગુરૂ છે, તો તે કેવા હશે?” ગૌતમે કહ્યું કે, “ત્રીશ અતિશય સહિત વિશ્વગુરૂ, સર્વજ્ઞ, શ્રી ચરમ તીર્થકર મારા ગુરૂ છે. તે સાંભળી હાલિક મુનિએ સર્વજ્ઞ પ્રભુપર પ્રીતિ થવાવડે ત્યાં જ બોધિબીજ ઉપાર્જન કર્યું અને ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલ્યા. પ્રભુ પાસે જઈને પ્રભુએ જોતાંજ સિંહ વિગેરે પૂર્વભવના પ્રભુ સાથેના વૈરથી તેને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે- હે ગુરૂ મહારાજ ! આ સામા બેઠા છે તે કેણ છે? ગૌતમ બોલ્યા કે-એ મારા ધર્માચાર્ય જિનેશ્વર છે.”હાલિકે કહ્યું કે, “જો એ તમારા ગુરૂ હોય તો મારે તમારી સાથે પણ કાંઈ કામ નથી અને તમારી દીક્ષા પણ મારે જેઈડ નથી.' એમ કહી ડર વિગેરે છેડી કંઈને તરત જ તે ચાલ્યો ગયો અને પિતાના ક્ષેત્રમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યા.
ગૌતમે પ્રભુને નમીને પૂછ્યું કે, “ભગવન! તમારા જેવા સમગ્ર લોકને આનંદ ઉત્પન્ન કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! તમને જોતાં જ તેણે સ્વીક કરેલું ચારિત્ર પણ છોડી દીધું તેનું શું કારણ? વળી તે પ્રથમ તે મારી ઉપર પ્રીતિમાન ક રુ “આ મારા ગુરૂ છે એમ જ્યારે કહ્યું ત્યારે તે
૧૮
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સહુ મા
મારા પણ દ્વેષી થઈ ગયા તે શુ' ?” પ્રભુ મેલ્યા-મે ત્રિપૃષ્ટના ભવમાં જે સિ’હુને માર્યા હતા, તેના જીવ એ ખેડુત થયેલેા છે. તે વખતે ક્રોધથી ફડફડતા તે સિંહને, તું મારો સારથી હતા, તેથી તે. સામવચને શાંત કર્યા હતા; ત્યારથી તે મારી ઉપર દ્વેષી અને તારી ઉપર સ્નેહી થયા હતા. તેથીજ એને એધ કરવાને માટે મેં તને માકલ્યા હતા.” આ પ્રમાણે કહી ભગવતે ત્યાંથી વિહાર કર્યાં.
પ્રભુ અનુક્રમે પાતનપુરે પધાર્યા. ત્યાં નગરની બહાર મનામ નામના ઉંદ્યાનમાં સમવસર્યા. પેાતનપતિ પ્રસન્નચંદ્ર રાજા તત્કાળ પ્રભુને વાંઢવા આવ્યા; અને માહને નાશ કરનારી પ્રભુની દેશના તેણે સાંભળી. પ્રભુની દેશનાર્થી પ્રસન્નચ`દ્ર રાજા સંસારથી ઉદ્વેગ પામ્યા અને પોતાના બાળકુમારને રાજ્યપર બેસાડીને તેણે તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પ્રભુની સાથે વિહાર કરતાં અને ઉગ્ર તપસ્યા કરતાં તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અનુક્રમે સૂત્રાના પારગામી થયા. અન્યદા પ્રસન્નચંદ્ર અને બીજા મુનિઓથી પરવરેલા પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. પ્રભુના દર્શન કરવાને ઉત્ક ંઠિત એવા શ્રેણિકરાજા પુત્રાથી પરિવારિત થઇ હાથી ઘેાડાની શ્રેણીવડે પૃથ્વીને મડિત કરતા છતા પ્રભુ પાસે આવવા નીકળ્યા. તેની સેનામાં આગળ ચાલનારા સુમુખ અને દુર્મુખ નાગે એ મિથ્યાષ્ટિ સેનાનીઓ હતા, તેઓ પરસ્પર વિવિધ વાર્તાએ કરતા ચાલ્યા આવતા હતા. માર્ગે આવતાં પ્રસન્નચ`દ્ર મુનિ એક પગે ઊભા રહી ઉંચા બાહુ કરીને આતાપના કરતા તેમના જોવામાં આવ્યા. તેને જોઇને સુમુખ ખેલ્યા કે, “અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેાક્ષ જરા પણ દુ^ભ નથી.” તે સાંભળી કથી અને નામથી પણ દુ`ખ ખેલ્યા કે-“અરે ! આ તાપાતનનગરના રાજા પ્રસન્નચ'દ્ર છે. મેટા ગાડામાં જેમ નાના વાછડાને જોડે તેમ જેણે પેાતાના ખાળકુમારની ઉપર પાતાના મોટા રાજ્યના ખાજો મૂકયો છે, એ તે શેના ધમી ! આના મ`ત્રીએ ચંપાનગરીના રાજા ધિવાહનની સાથે મળી જઇને તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. આણે તેા રાજય ઉપર ઉલટો અધ કર્યા છે, તેમજ તેની પત્નીએ પણ કાંઈક ચાલી ગઈ છે. તેથી આ પાખંડી દર્શનને ધારણ કરનાર પ્રસન્નચંદ્ર આપણે જોવા યાગ્ય પણ નથી.” આ પ્રમાણે ધ્યાનરૂપી પર્વત ઉપર વજ્ર જેવું તેમનુ વચન સાંભળીને રાષિ પ્રસન્નચંદ્ર તત્કાળ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે−“અહા ! મારા અકૃતજ્ઞ મત્રીઓને ધિક્કાર છે. મેં તેના આજ સુધી નિરતર સત્કાર કર્યા છે, તે છતાં તેમણે હમણા મારા પુત્ર સાથે ભેદ કર્યાં. જો આ વખતે હું ત્યાં હાત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત.'' આવા સ’કલ્પ વિકલ્પાથી અપ્રસન્ન થયેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાતાના ગ્રહણ કરેલા તને પણ ભૂલી ગયા. પછી પોતાને રાજા તરીકે માનતા પ્રસન્નચ'દ્ર મનમાં તે મ`ત્રીઓની સાથે યુદ્ધ કરવા પ્રવાં, તેવામાં શ્રેણિકરાજા તેમની પાસે આવ્યા, અને તેણે તેમને વિનયપૂ ક વંદના કરી. પછી ‘અહેા ! અત્યારે આ પ્રસન્નચંદ્ર મુનિ પૂર્ણ ધ્યાનાવસ્થામાં છે' એવુ વિચારી શ્રેણિક રાજા મહાવીર પ્રભુ પાસે આવ્યા, અને પ્રભુને નમીને આ પ્રમાણે પૂછ્યું કે-હે સ્વામી ! મેં પ્રસન્નચંદ્ર મુનિને પૂર્ણ ધ્યાનાવસ્થામાં વાંદ્યા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તો કઈ ગતિમાં જાય?’ પ્રભુ મેલ્યા કે–સાતમી નરકે જાય.' તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડવા કે, ‘સાધુને નરકગમન હોય નહીં, તેથી પ્રભુનું કહેવું મારાથી ખરાખર સંભળાયું નહીં હોય, ક્ષણવાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, 'હે ભગવન્ ! પ્રસન્નચંદ્ર મુનિ જો આ સમયે કાળ કરે તા કયાં જાય ?' ભગવતે કહ્યું કે,
Page #154
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૩૯
સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકે પૂછ્યું કે, “ભગવંત ! આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જણાવી ?” પ્રભુ બોલ્યા કે-ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેલું છે. પ્રથમ દુર્મુખની વાણીથી પ્રસન્નચંદ્ર મુનિ કેપ પામ્યા હતા, અને પિતાના સામંત મંત્રી વિગેરેની સાથે મનમાં ક્રોધવડે યુદ્ધ કરતા હતા, તે વખતે તમે તેમને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તારા અહી આવવા પછી તેણે મનમાં વિચાર્યું કે, “હવે મારા આયુધ તે બધા ખુટી ગયા, માટે હવે તો હું શિરસ્ત્રાણથી શત્રુને મારૂં.” એવું ધારી તેણે પોતાને હાથ માથે મૂક્યો. ત્યાં તે માથે લેચ કરેલે જાણે તેમને પિતાના વ્રતનું મરણ થયું. તેથી તત્કાળ “મને ધિક્કાર છે, મેં આ શું અકાર્ય ચિંતવ્યું?’ એમ તે પિતાના આત્માને નિ દવા લાગ્યા, અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થસિદ્ધિને વેગ્ય થઈ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં પ્રસનચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેને માટે કલકલ શબ્દ થતે સંભળાવે; તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછ્યું “સ્વામી ! આ શું થયું ?” પ્રભુ બેલ્યા કે-ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને હમણા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાએ તેના કેવળજ્ઞાનને મહિમા કરે છે, તેથી દુંદુભિના નાદ મિશ્રિત આ હર્ષનાદ થાય છે.”
પછી શ્રેણિકે પૂછયું કે, “ભગવાન ! કેવળજ્ઞાન ક્યારે ઉછેદ પામશે? એ વખતે મહા કાંતિવાળો વિદ્યુમ્ભાળી નામે બ્રહ્મલેકના ઈદ્રને સામાનિક દેવતા પોતાની ચાર દેવીઓની સાથે પ્રભુને નમવા આવ્યો. તેને બતાવીને પ્રભુ બોલ્યા કે, “આ પુરૂષથી કેવળજ્ઞાન ઉચ્છદ પામશે, અર્થાત્ આ છેલું કેવળજ્ઞાન પામશે.” એટલે શ્રેણિકે પૂછયું કે, “શું દેવતાઓને પણ કેવળજ્ઞાન હોય છે?” પ્રભુ બોલ્યા- આ દેવ આજથી સાતમે દિવસે વી તમારા નગરના નિવાસી ધનાઢય ઋષભદત્તને પુત્ર થશે, અને પછી મારા શિષ્ય સુધર્માને જંબૂ નામે શિષ્ય થશે. તેને કેવળજ્ઞાન થયા પછી બીજું કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહી. શ્રેણિકે પૂછ્યું કે હે નાથ ! આ દેવને ૩વવાને સમય નજીક છે, છતાં આ દેવનુ તેજ મંદ કેમ પડ્યું નથી ? કારણ કે અંતકાળે દેવનું તેજ મંદ થાય છે. પ્રભુ બેલ્યા-હાલ તે આ દેવનું તેજ મંદ છે, પૂર્વના પુણ્યથી પ્રથમ આથી પણ ઉત્કૃષ્ટ તેજ હતું.” આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા પછી પ્રભુએ સર્વભાષાનુસારી વાણીવડે પાપને નાશ કરનારી ધર્મદેશના આપી.
તેવામાં કુષ્ઠ રોગથી જેની કાયા ગળી ગઈ છે એવો કોઈ પુરૂષ ત્યાં આવ્યો અને તે પ્રભુને પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠે. પછી ચંદનની જેમ પિતાના પરથી તેણે પ્રભુના ચરણને વારંવાર નિઃશંકપણે ચર્ચિત કરવા માંડ્યા. તે જોઈને શ્રેણિકરાજા ક્રોધાયમાન થયા છતા વિચારવા લાગ્યા કે-“આ મહા પાપી જગસ્વામીની આવી મહા આશાતના કરે છે, તેથી તે અહીંથી ઉઠે ત્યારે જરૂર વધ કરવા ગ્ય છે. એવામાં પ્રભુને છીંક આવી, એટલે તે કુષ્ટી બેલ્યો કે-“મૃત્યુ પામે.” પછી રાજા શ્રેણિકને છીંક આવી એટલે તે બોલ્યો કે, “ઘણું જીવો.” થોડીવારે અભયકુમારને છીંક આવી એટલે તે બેલ્યો કે “જી કે મરે.' પછી કાળસૌકરીને છીંક આવી એટલે બોલે કે-જીવ નહીં અને મર પણ નહીં.” પ્રભુને માટે “મૃત્યુ પામો” એમ કહ્યું એ વચન સાંભળીને ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ પોતાના સુભટને આજ્ઞા કરી કે-જ્યારે આ કુષ્ટી અહીંથી ઉઠે ત્યારે તેને પકડી લેજો. દેશના સમાપ્ત થઈ એટલે તે કુષ્ટી પ્રભુને નમીને ઊડ્યો, તે વખતે કિરાત લે કે જેમ ડુકરને ઘેરી લે તેમ શ્રેણિકના સુભટોએ તેને ઘેરી લીધે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સ ૯ મા
પર`તુ તેના દેખાતાં તે ક્ષણવારમાં દ્વિશ્ય રૂપને ધારણ કરી સૂર્યના બિંબને પણ નિસ્તેજ કરતા છતા આકાશમાં ઉડી ગયા. સુમટાએ તે વાત શ્રેણિક રાજાને કરી એટલે રાજાએ વિસ્મય પામીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભુ! તે કુષ્ટી કાણુ હતા.’ પ્રભુ મેલ્યા કે ‘તે દેવ હતા.’ રાજાએ ફરીવાર સર્વજ્ઞને પૂછ્યું કે-ત્યારે તે કુષ્ટી શા માટે થયા હતા ?' પ્રભુએ કહ્યું કે, “તેની વાર્તા આ પ્રમાણે છેઃ—
આ વિશ્વમાં પ્રખ્યાત એવી કૌશાંખી નામની નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં સેડુક નામે એક બ્રાહ્મણુ રહેતા હતા. તે કાયમના રિદ્રીપણાની સીમા અને ભૂખ પણાના અવિધ હતા. અન્યઢા તેની સ્ત્રી સગર્ભા થઇ, તેથી તે બ્રાહ્મણીએ સેડુકને કહ્યું કે, 'ભટજી ! મારી સુવાવડને માટે ઘી લઈ આવે, તે સિવાય મારાથી વ્યથા સહન થશે નહી.’ તે બાલ્યા–પ્રિયા ! મારામાં એવી કાંઇ પણ કુશળતા કે કળા નથી, કે જેથી મને કાંઈ પણ પ્રાપ્ત થાય; કેમકે ધનાઢય પુરૂષષ કળાથી જ ગ્રાહ્ય થાય છે.' તે ખેાલી કે-જાઓ, કોઈ રાજાની પાસે યાચના કરા; પૃથ્વીમાં રાજા જેવું બીજું કલ્પવૃક્ષ નથી.' તે વાત કબુલ કરીને સેડુક તે દિવસથી પુષ્પ ફળ વિગેરેથી રત્તેચ્છુ જેમ સાગરને સેવે તેમ રાજાને સેવવા લાગ્યું. અન્યદા ચપાનગરીના રાજાએ વર્ષાઋતુ જેમ વાદળાથી આકાશને ઘેરે, તેમ અમિત સૈન્યથી કૌશાંખીને ઘેરી લીધી. શતાનીક રાજા રાફડામાં રહેલ સર્પની જેમ સૈન્ય સહિત કૌશાંબીની અંદર સમયની રાહ જોતો છતો દરવાજા બંધ કરીને રહ્યો. કેટલેક કાળે ચંપાપતિ પોતાનું સૈન્ય બહુ સીદાવાથી અને ઘણું મરણ પામી જવાથી વર્ષાઋતુમાં રાજહુ'સની જેમ પોતાના નગર તરફ જવા ચાલ્યા. તે સમયે પેલા સેડુક બ્રાહ્મણ પુષ્પાદિ લેવાને માટે ઉદ્યાનમાં જતો હતો તેના જોવામાં તે આવ્યા. સૈન્ય ક્ષીણ થઇ જવાથી પ્રભાતે નિસ્તેજ થયેલા નક્ષત્રો યુક્ત ચંદ્રની જેમ નિસ્તેજ થયેલા તેને જોઇને તે તત્કાળ શતાનીક રાજાની પાસે આવ્યા અને કહ્યું કે, “દાઢ ભંગ થયેલા સર્પની જેમ તમારો શત્રુ ક્ષીણુ બળવાળા થયા છતો પેાતાના નગર તરફ જાય છે, તેથી જો હમણા જ તમે ઉઠી તેની પાછળ જશે તો તે સુખે ગ્રાહ્ય થઈ શકશે; કેમકે ભગ્ન થયેલા પુરૂષ બળવાન્ હાય તોપણ તેને પરાભવ કરી શકાય છે.” તેનાં વચનને યુક્ત માની શતાનીક રાજા તત્કાળ સ અળવાન અને ખાણની વૃષ્ટિ કરનાર પ્રધાન સૈન્યથી દારૂણ થઈને નગર બહાર નીકળ્યા. તેને પાછળ આવતો જોઈ ચ‘પાપતિના સૈનિકો પાછુ જોયા વગર નાસવા લાગ્યા. ‘અકસ્માત્ પડતી વીજળીની સામે કાણુ જોઈ શકે?’ ચ‘પાપતિ તો એકલેાજ ‘કઈ દિશામાં જવુ” એવા ભય પામી પલાયન કરી ગયા. કૌશાંખીપતિએ તેના હાથી, ઘોડા અને ભંડાર વિગેરે લઈ લીધું. પછી મોટા મનવાળા શતાનીકરાજા હર્ષ પામતો છતા કૌશાંબીમાં પાછા આવ્યા, અને પેલા સેડુકવિપ્રને લાવીને કહ્યું કે, કહે, તને હું શું આપું ?” વિપ્ર ખેલ્યા કે‘મારી સ્ત્રીને પૂછીને પછી માગી લઇશ. “ગૃહસ્થાને ગૃહિણી વિના વિચાર કરવાનુ બીજુ` સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહ્મણીને બધી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિવાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, ‘જો હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તા વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.' આવા વિચાર કરીને તે ખેલી કે-હે નાથ ! તમારે પ્રતિષ્ઠિત જમવાને ભાજન અને દક્ષિણામાં એક સાનામહાર રાજા પાસેથી માગી લેવી.’ આ પ્રમાણે તેણે પોતાના પતિને સમજાવ્યું, એટલે તેણે જઈ ને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યુ.... “ગાગર સમુદ્રમાં જાય તોપણુ પેાતાને યાગ્ય હાય તેટલું જ જળ પામે છે.' હવે પ્રતિદિન તે સૈડુક બ્રાહ્મણ તેટલેા લાભ તેમજ સન્માન
Page #156
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૪૧ પામવા લાગ્યો. ‘પુરૂષને રાજાને પ્રસાદ મહાઈ પણાને વિસ્તારે છે.” “આ રાજાને માનીતો છે એવું ધારી લેકે નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેને સેવક કણ ન થાય ?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણે આવવાથી તે પ્રથમ જ હોય તો પણ દક્ષિણના લેભથી પ્રતિદિન પહેલાં જમેલું વમી નાખીને પાછો અનેક વાર જમતો હતો. “બ્રાહ્મણોના લાભને ધિક્કાર છે.” વિવિધ દક્ષિણના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્યવડે વધી ગયો અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામે. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપકવ) રસ ઉંચે જતાં તેની વચા દૂષિત થઈ ગઈ. તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જે વ્યાધિગ્રસ્ત થઈ ગયે. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયે, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરજ ભજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે, “હે દેવ ! આ કુછીને રેગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભેજન કરાવવું એગ્ય નથી. તેને ઘણું પુત્રો નિરોગી છે, તેમાંથી કેઈ એકને તેની વતી જમાડે, કેમકે જ્યારે કઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સરકાયું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું; તેણે પણ પિતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ ક્ષુદ્ર મક્ષિકાએની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખે. તેની પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક તેને ખવરાવવા જતી અને નાસિકા મરડી ગ્રીવા વાંકી કરી તે થુંકતી હતી. ઘરની બહાર રાખેલા તે બ્રાહ્મણની આજ્ઞા તેના પુત્રે પણ માનતા નહતા. માત્ર શ્વાનની જેમ તેને એક કાષ્ટના પાત્રમાં ભેજન આપતા હતા. એક વખતે તે બ્રાહ્મણે વિચાર્યું કે, “મેં આ પુત્રોને શ્રીમંત કર્યા ત્યારે હવે સમુદ્ર તરીને વહાણને તજી દે તેમ તેઓએ મને છોડી દીધું છે તેઓ વાણીથી મને બોલાવતા પણ નથી; ઉલટા મારી ઉપર રેષ કરે છે. આવી રીતે વિચારી અસંતોષી અભવ્યની જેમ તે કુછી શેષ પાયે, તેથી તેણે નિશ્ચય કર્યો કે, “જેમ આ પુત્રે મારી જુગુપ્સા કરે છે, તેમ તેઓ પણ જુગુપ્સા કરવાને ગ્ય થાય તેવી રીતે હું કરીશ.” પછી તેણે પોતાના પુત્રને કહ્યું કે, “હે પુત્ર ! હું હવે જીવવાથી ઉદ્વેગ પામી ગયો છું, પરંતુ આપણા કુળને એ આચાર છે કે જે મરવાને ઈ છે તેણે પોતાના કુટુંબને એક મંત્રેલો પશુ આવે, માટે મને એક પશુ લાવી આપે.” આવું તેનું વચન સાંભળી પશુની જેવા મંદ બુદ્ધિવાળા પુત્રએ હર્ષથી એક પશુ તેને લાવી આપ્યું. પછી તેણે પિતાના અંગ ઉપરથી પરૂ લઈ લઈને તેની સાથે અન્નને ચાળી તે પશુને ખવરાવ્યું, કે જેથી તે પશુ પણ કુછી થઈ ગયો. પછી તે વિષે તે પશુને મારીને પોતાના પુત્રને ખાવા આપ્યા. પેલા મુગ્ધ અજ્ઞાની પુત્રે તેને આશય જાણ્યા વગર તેને ખાઈ ગયા. પછી “હવે હું તીર્થે જઈશ” એમ કહી પુત્રોની રજા માગીને તે બ્રાહ્મણ અરણ્યનું શરણું ધારી ત્યાંથી ચાલી નીકળ્યો. માર્ગમાં અત્યંત તૃષાતુર થવાથી તે અટવીમાં જળ શોધતો ભમવા લાગ્યું. તેવામાં વિવિધ વૃક્ષવાળા કઈ પ્રદેશમાં મિત્રની જે એક જળને ધરે તેને જોવામાં આવે.
તીર ઉપરના વૃક્ષ પરથી પડતા અનેક જાતિના પત્ર પુષ્પ અને ફળેથી વ્યાપ્ત અને દિવસના સૂર્યના કિરણોથી ઉકળેલું તેમાંનું જળ તેણે કવાથની જેમ પીવા માંડયું. તેણે જેમ જેમ તૃષાતુરપણે તેમાંનું જળ પીધું, તેમ તેમ કૃમિઓની સાથે તેને રેચ લાગવા માંડયા. તેવી રીતે તે ધરાનું જળ પીતાં કેટલેક દિવસે તે તન નિરોગી થયે અને વસંતત્રતુમાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪ર
સહુ મા
વ્રુક્ષની જેમ તેના સર્વાં અંગ પાછા પ્રકૃતૃિત થઈ ગયા. આરોગ્ય થવાથી હર્ષ પામી તે વિપ્ર પાતાના ઘર તરફ પાછા વળ્યા. “પુરૂષોને શરીરની આરોગ્યતા પ્રાપ્ત થતાં જન્મભૂમિ શગારરૂપ થાય છે.’ કાંચળીથી મુક્ત થયેલા સર્પની જેમ દૈદિપ્યમાન શરીરવાળા તેને નગરજનાએ વિસ્મય પામીને નગરીમાં પ્રવેશ કરતા જોયા. નગરજના તેને એવા આરોગ્યવાળા જોઈ ને પૂછતા કે ‘અરે ! તું જાણે ફરીને જન્મ્યા હોય તેમ આવા સાજો શી રીતે થયા ? ત્યારે કહેતો કે, દેવતાના આરાધનથી થયા.' અનુક્રમે તે પોતાને ઘેર ગયા. ત્યાં તેણે પેાતાના બધા પુત્રોને કુષ્ટી થયેલ જોયા. એટલે હુ પામીને ખેલ્યા કે, તમને મારી અવજ્ઞાનું ફળ કેવું સારૂ મળ્યુ છે ?' તે સાંભળી પુત્રા ખોલ્યા- અરે નિ ય પિતા ! તમે દ્વેષીની જેમ અમારા જેવા વિશ્વાસી ઉપર આ શું કર્યુ· ?” આ વાત સાંભળી લેાકે પણ તેના પર બહુ આક્રોશ કરવા લાગ્યા. તેથી તે ત્યાંથી નાશીને હે રાજન્ ! તારા નગરમાં આવી નિરાશ્રયપણે આજીવિકાને માટે ભમતાં તારા દ્વારપાળને આશ્રયે આવીને રહ્યો. તેવામાં અમારૂં અહી' આવવુ' થયુ; એટલે દ્વારપાળ પેાતાના કામ ઉપર તે બ્રાહ્મણને જોડી દઈને અમારી ધ દેશના સાંભળવા આવ્યા. પેલે વિપ્ર દરવાજા પાસે બેઠો. ત્યાં દુ દેવીની આગળ અલિદાન મૂકવામાં આવેલુ તે જોઈ અત્યંત ક્ષુધાથી કષ્ટ પામતાં તેણે જાણે જન્મમાં પણ દીઠું ન હાય તેમ પુષ્કળ ખાધું. પછી કંઠે સુધી અન્નને ભરવાના દોષથી તેમજ ગ્રીષ્મૠતુની ગરમીથી તેને ઘણી તૃષા લાગી, તેથી મરૂભૂમિના પાંથની જેમ તે આકુળવ્યાકુળ થઈ ગયો પણ પેલા દ્વારપાળના ભયથી તે દ્વારનુ સ્થાન છેાડી કાંઇ પણ પરબ વિગેરેમાં પાણી પીવા માટે જઇ શકયો નહીં. તે વખતે તે જળચર જીવાને ખરેખરા ધન્ય માનવા લાગ્યા. છેવટે પાણી પાણી પાકારતા તે બ્રાહ્મણ તૃષાત પણે મૃત્યુ પામી આ નગરના દ્વાર પાસેની વાવમાં દેડકા થયો. અમે વિહાર કરતાં કરતાં પાછા ફરીને આ નગરે આવ્યા, એટલે લેાકેા સ`ભ્રમથી અમને વાંઢવાને માટે આવવા લાગ્યા. તે વખતે પેલી વાપિકામાંથી જળ ભરતી સ્ત્રીઓના મુખથી અમારા આગમનના વૃત્તાંત સાંભળી તે વાપિકામાં રહેલા પેલેા દેડકે વિચારવા લાગ્યો કે, મે આવું પૂર્વ સાંભળ્યુ છે.' વાર વાર તેના ઉહાપેાહ કરતાં સ્વપ્નના સ્મરણની જેમ તેને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે દુષ્ટ ચિંતવ્યું કે, “પૂર્વે દ્વાર ઉપર મને રાખીને દ્વારપાળ જેને વાંઢવાને ગયો હતા, તે ભગવંત જરૂર અહીં આવ્યા હશે. તેમને વાંદવાને જેમ આ લેકે જાય છે તેમ હું પણ જાઉં, કેમકે ગગા નદી સને સરખી છે, કાઇના બાપની નથી,’” આવું ધારી તે દુર અમને વાંઢવાને વાપિકાની બહાર ઠેકીને નીકળ્યો. ત્યાંથી અહી આવતાં માર્ગમાં તારા ઘેાડાની ખરીથી ચઢાઇને મૃત્યુ પામી ગયો; પરંતુ અમારી તરફના ભક્તિભાવ સાથે મૃત્યુ પામવાથી તે દ રાંક નામે દેવતા થયો. “અનુષ્ટાન વિના પણ ભાવના ફળે છે.”
આજેજ ઈંદ્રે સભામાં કહ્યુ કે, ‘શ્રેણિક જેવા શ્રદ્ધાળુ કાઈ શ્રાવક નથી.’ તે વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી દદુ રાંક દેવ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યો હતા. તેણે ગેશી ચંદનવડે મારા ચરણને ચર્ચિત કર્યા હતા, પણ તમારી દૃષ્ટિના માહથી તમને બધું ફેરફાર જોવામાં આવ્યું હતું. શ્રેણિકે પૂછ્યું કે- હે નાથ ! આપે છીંક ખાધી તે વખતે તે અમાંગળિક આલ્યા, અને બીજાની છીકા વખતે માંગળિક ખોલ્યા, તેનું શું કારણ ?” પ્રભુ આલ્યા કે –“તમે હજુ સુધી આ સંસારમાં કેમ રહ્યા છે, શીઘ્ર મોક્ષે જાઓ, એવુ ધારી તેણે મને કહ્યું કે, મૃત્યુ પામે.’ હે નરકેશરી રાજા ! તને કહ્યું કે ‘જીવા’ તેને આશય એવા છે કે, તને જીવતાં જ સુખ છે, કારણ કે મૃત્યુ પછી તારી ગતિ નરકમાં થવાની છે. અને અભયકુમારને કહ્યુ` કે, ‘જીવા કે, મા' એથી કે, જો તે જીવતો હશે તો ધમ કરશે
Page #158
--------------------------------------------------------------------------
________________
પવ ૧૦ મું
૧૪૩
અને મૃત્યુ પછી અનુત્તર વિમાનમાં જશે અને કાળસૌરિકને કહ્યું કે, ‘તું જીવ નહીં અને મર પણ નહીં.' કારણ કે તે જો જીવે તેા પાપકર્મ કરશે અને મરે તો સાતમી નરકે જશે, તેથી એમ કહ્યું હતું.” આ પ્રમાણેના ખુલાસા સાંભળી શ્રેણિકે ભગવંતને નમીને કહ્યું કે, હે પ્રભુ ! તમારા જેવા જગત્પતિ મારા સ્વામી છતાં મારી ગતિ નરકમાં કેમ થાય ?” પ્રભુ મેલ્યા, હે રાજન્ ! તે પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલુ છે, તેથી તું અવશ્ય નરકમાં જઇશ. કેમકે પૂર્વે શુભ કે અશુભ જેવાં કર્મ ખાંધ્યાં હોય તેવું ફળ અવશ્ય ભાગવવુ પડે છે. અમે પણ તેને અન્યથા કરવાને સમર્થ નથી. તથાપિ ભાવી ચેાવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઇશ. તેથી હે રાજન! તુ' જરા પણ વૃથા ખેદ કરીશ નહીં.’ શ્રેણિક ઓલ્યા કે—હે નાથ ! કાઈ એવા ઉપાય છે કે જેથી અકૂપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય?' પ્રભુ બાલ્યા-હે રાજન ! કપિલા બ્રાહ્મણી પાસે જો સાધુઓને હર્ષોંથી ભિક્ષા અપાવ અને જો કાળસૌરિકની પાસે કસાઇનું કામ મૂકાવ, તો નરકથી તારા મેાક્ષ થાય; તે સિવાય થાય તેમ નથી.” આ પ્રમાણે હારની જેમ પ્રભુના ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિકરાજા પ્રભુને નમીને પેાતાના સ્થાન તરફ ચાલ્યે.
આ સમયે પેલા રાંક દેવે શ્રેણિકરાજાની પરીક્ષા કરવા સારૂ ઢીમરની જેમ અકા કરતા એક સાધુને બતાવ્યા. ‘તે જોઈ જૈન પ્રવચનની મલિનતા ન થાઓ' એવુ ધારી તે સાધુને તેવા અકાર્યાંથી નિવારીને તે સ્વગૃહ તરફ ચાલ્યો. આગળ ચાલતાં એક સાધ્વીને સગર્ભા બતાવી. શાસનભક્ત રાજાએ તેણીને પોતાના ઘરમાં ગુપ્ત રાખી. શ્રેણિકનું આવું શ્રદ્ધાયુક્ત કાર્ય જો તે રાંક દેવ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈને ઓલ્યા કે, “હે રાજન્ ! શાખાશ છે, પોતાના સ્થાનથી પતની જેમ તમને સમિકતથી ચલિત કરી શકાય તેમ નથી. હે નરવર ! ઈંદ્રે પોતાની સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે જોવામાં આવ્યા છે. તેવા પુરૂષો મિથ્યાવચન ખેલતા નથી.” આ પ્રમાણે કહીને તેણે દિવસે નક્ષત્રાની શ્રેણી રચી હોય તેવા એક સુંદર હાર તથા એ ગાળા શ્રેણિકરાજાને આપ્યા, અને કહ્યું કે જે આ તુટી ગયેલા હારને સાંધી આપશે, તે મૃત્યુ પામી જશે.' આ પ્રમાણે કહી તે દેવ સ્વપ્નદૃષ્ટની જેમ તત્કાળ અંતરધ્યાન થઇ ગયેા.’ શ્રેણિકે હર્ષોંથી તે દિવ્ય મનેાહર હાર ચેલણાને આપ્યા અને બે ગેાળા નંદાદેવીને આપ્યા. તે જોઇ ‘હું આવા તુચ્છ દાનને ચાગ્ય થઈ ' એવી ઈર્ષ્યાવડે મનસ્વી નંદાએ તે એ ગાળા સ્થભ સાથે અફળાવીને ફાડી નાખ્યા; એટલે એક ગાળામાંથી ચંદ્રની જેવા નિર્મળ એ કુંડળ અને ખીજામાંથી દેદીપ્યમાન બે રેશમી વસ્રો નીકળ્યા. નંદાએ તે દિવ્ય વસ્તુએ આનંદથી ગ્રહણ કરી. “મહાન્ જનાને વાદળાં વગર વૃષ્ટિની જેમ અચિતિત લાભ થઈ આવે છે.’”
પછી રાજાએ પેલી કપિલા બ્રાહ્મણીને મેલાવીને તેની પાસે માગણી કરી કે, હે ભદ્રે ! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હુ ં તને ધનના રાશિ આપીને ન્યાલ કરી દઇશ.' કપિલા ખેલી કે, કદિ મને બધી સુવર્ણમય કરી અથવા મને મારી નાંખા, તાપણુ હુ એ અકૃત્ય દિ નહીંજ કરૂં.' પછી રાજાએ કાળસૌરિકને બોલાવીને કહ્યું કે, ‘જો તુ' આ કસાઈપણું છાડી દે તા હું તને ઘણું દ્રવ્ય આપું, કેમકે તું પણ ધનના લાભથી કસાઈ થયા છું.” કાળસૌકરિક ખોલ્યા કે– આ કસાઇના કામમાં શે! દોષ છે ? જેનાથી અનેક મનુષ્ય જીવે છે તેવા કસાઈના ધંધાને હું કદિ પણ છેાડીશ નહી.’ પછી ‘તુ કસાઈના વ્યાપાર શી રીતે કરીશ ?' એમ કહી રાજાએ તેને અધકૂપમાં એક રાત્રિદિવસ પૂરી રાખો. પછી રાજા શ્રેણિકે ભગવતની આગળ જઈને કહ્યું કે, હું સ્વામી ! મે કાળસૌરિકને એક અહારાત્ર સુધી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સર્ગ ૯ મા
કસાઈનું કામ છોડાવ્યું છે. સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે રાજન ! તેણે અંધકૃપમાં પણ મૃત્તિકાના પાંચસે પાડા બનાવીને હણ્યા છે. તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જોવામાં આવ્યું, એટલે તેને બહુ ઉદ્વેગ થયે કે, “મારા પૂર્વ કર્મને ધિક્કાર છે, તેવા દુષ્કર્મના ગથી ભગવંતની વાણી અન્યથા થશે નહીં.”
સુરાસુરોએ સેવાતા શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને પરિવાર સાથે પૃષચંપાનગરીએ પધાર્યા. ત્યાં સાલ નામે રાજા અને મહાસાલ નામે યુવરાજ તે બંને બંધુ, ત્રિજગતના બંધુ શ્રી વીરપ્રભુને વાંદવાને આ ગ્યા. પ્રભુની દેશના સાંભળીને તે બંને પ્રતિબોધ પામ્યા, એટલે યશામતી અને પિઠરનો ગાગલી નામે પુત્ર કે જે તેમને ભાણેજ થતો હતો, તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો અને તે બંનેએ સંસારવાસથી વિરક્ત થઈને શ્રી વિરપ્રભુના ચરણકમળમાં જઇ દીક્ષા લીધી. ભગવંત શ્રી વીરપ્રભુ કાળાંતરે વિહાર કરતાં કરતાં પરિવાર સાથે ચેત્રીશ અતિશય સહિત ચંપાપુરીએ પધાર્યા. પ્રભુની આજ્ઞા લઈને ગૌતમસ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ટચંપાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી, તેમજ તેના માતાપિતા અને બીજા મંત્રી વિગેરે પરજનોએ પણ તેમને વંદના કરી. પછી દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્ણાની ઇન્દ્રભૂતિએ ધર્મદેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબોધ પામ્યો; એટલે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પિતાના માતાપિતા સહિત તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા લીધી. તે મુનિઓથી અને સાલ મહાસાલથી પરિવૃત્ત થયેલા ગૌતમસ્વામી ચંપાનગરીમાં પ્રભુને વાંદવા ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ ચાલ્યા આવતાં માર્ગમાં શુભ ભાવનાથી તે પાંચને કેવળજ્ઞાન ઉતપન્ન થયું સર્વ ચંપાપુરીમાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યો. પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પર્વદામાં ચાલ્યા, ગૌતમે કહ્યું કે પ્રભુને વંદના કરો.” પ્રભુ બોલ્યા કે-ગૌતમ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તેમને ખમાવ્યા.
પછી ગૌતમ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, “શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય? શું હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉ?” અને વિચાર કરે છે તેવામાં જે અષ્ટાપદ ઉપર પિતાની લબ્ધિવડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે, તે તેજ ભવમાં સિદ્ધિને પામે.” આ પ્રમાણે અરિહંત ભગવંતે દેશનામાં કહ્યું છે, એમ પિતાને દેવતાઓએ કહેલું તે સંભારી, દેવવાણીની પ્રતીતિ આવવાથી તત્કાળ ગૌતમસ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબોના દર્શન માટે ત્યાં જવાની ઈચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસને પ્રતિબંધ થવાને જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીર્થે તીર્થકરને વાંદવા જવાની આજ્ઞા આપી. પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગવડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વિગેરે પંદરસો તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષનો હેતુ સાંભળી તે ગિરિ ઉપર ચડવા આવ્યા હતા. તેમાં પાંચસો તપસ્વીએ ચતુર્થ તપ કરી આ કદાદિનું પારણું કરતા છતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસી છઠ્ઠ તપ કરી સુકા કંદાદિનું પારણું કરતા છતા બીજી મેખલા સુધી આવ્યા હતા, ત્રીજા પાંચસો તાપસે અમને તપ કરી સુકી સેવાલનું પારણું કરતા છતા ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. ત્યાંથી ઉચે ચડવાને અશક્ત થવાથી તે ત્રણે સમૂહ પહેલી, બીજી ને ત્રીજી મેખળાએ
Page #160
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું -
૪૫ અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે શરીરે કૃશ થઈ ગયા છીએ, તથાપિ અહીંથી આગળ ચડી શકતા નથી, તે આ સ્થૂળ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે ?? આ પ્રમાણે તેઓ વાતચીત કરે છે, તેવામાં તે ગૌતમ તે મહાગિરિપર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદશ્ય પણ થઈ ગયા પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કઈ મહાશક્તિ છે, તેથી જે તે અહી પાછા આવશે, તે આપણે તેના શિષ્ય થઈશુ.” આ નિશ્ચય કરી તે તાપસો એક ધ્યાને બધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા.
અહી ગૌતમ સ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીવર દ્વીપની રૌત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થકરોના અનુપમ બિંબને તેણે ભક્તિથી વંદના કરી. પછી રૌત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મેટા અશોકવૃક્ષ નીચે બેઠા. ત્યાં અનેક સુર અસુર અને વિદ્યાધરેએ તેમને વંદના કરી. ગૌતમે તેમને યેગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી અને તેમણે પૂછેલા સંદેહો તર્કશક્તિ વડે કેવળીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે, “સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી માત્ર જીવસત્તાવડે ધ્રુજતા ધ્રુજતા ચાલે એવા થઈ જાય છે. ગૌતમસ્વામીનાં આવાં વચન સાંભળી વૈશ્રવણ (કુબેર) તેમના શરીરની સ્કૂલતા જોઈ તે વચન તેમનામાંજ અઘટિત જાણી જરા હ. તે વખતે મન:પર્યવજ્ઞાની ઈદ્રભૂતિ તેના મનનો ભાવ જાણું બોલ્યા કેમુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભ ધ્યાન વડે આત્માને નિગ્રહ કર તે પ્રમાણ છે. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે –
આ જ બૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રના આભૂષણરૂપ પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો, તેને પદ્માવતી નામે પ્રિયા હતી. તેને પુંડરીક અને કંડરીક નામે બે પુત્રે તેને થયા હતા. એક વખતે નલિનીવન નામના ઉદ્યાનમાં કઈ સાધુઓ પધાર્યા. તેમની પાસે મહાપદ્મ રાજાએ ધર્મ સાંભળે, તેથી પ્રતિબોધ પામી પુંડરીકને રાજ્ય ઉપર બેસાડી મહાપદ્મરાજાએ વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. એક વખતે ફરીને કેટલાક મુનિઓ પુંડરીકિણી નગરીએ આવ્યા, એટલે પુંડરીક અને કંડરીક તેમની પાસે ધર્મ સાંભળવા ગયા. તેમાં પુંડરીક ભાવયતિ થઈને ઘેર આવ્યા અને મંત્રીઓની સમક્ષ કંડરીકને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, “વત્સ! તું આ પિતાના રાજ્યને ગ્રહણ કર, હું સંસારથી ભય પામે છું, તેથી ભયમાંથી રક્ષણ કરનારી દીક્ષા હું ગ્રહણ કરીશ.” કંડરીકે બોલ્યા કે, “બંધુ! શું તું મને સંસારમાં પડે છે? માટે હું દીક્ષા લઈશ અને આ ભવસાગર તરી જઈશ.” પંડરીકે બે ત્રણવાર તેને રાજ્ય લેવા કહ્યું, પણ જ્યારે તેણે ન માન્યું, ત્યારે પુંડરીકે તેને કહ્યું કે, “હે બંધુ ! ઈદ્રિયે બહુજ દુર્ભય છે, મન સદા ચંચળ છે, તારૂણ્ય વય વિકારનું ધામ છે અને પ્રાણીને પ્રમાદ તો સ્વાભાવિક છે; વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુઃસહ છે, તેથી તારે દઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દીક્ષા પાળવી ઘણી દુષ્કર છે. તેથી હમણાં શ્રાવકધર્મ પાળી રાજ્ય કર અને યૌવન વય ગયા પછી દીક્ષા લેજે, એમ કરવું બધી રીતે યોગ્ય છે.” કંડરીક બોલ્યો કે-“ભાઈ! તે સત્ય છે, પણ હું જે છે તે મારે પાળવું જ જોઈએ, માટે હું તો જરૂર દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહીને કંડરીકે દીક્ષા લીધી, અને પુંડરીકને મંત્રીઓએ વ્રત લેવાને નિવાર્યો એટલે તે ભાવયતિ થઈ ઘેર રહો.
કંડરીક મુનિ વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતા તેમજ સમાચારીને બરાબર પાળતા છતા સાધુઓને પ્રિય થઈ પડ્યા. એક વખતે વસંત સમય આવતાં
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સર્ગ ૯ માં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી મહર્ષિ કંડરીકનું મન ચલિત થયું. તેણે ચિંતવ્યું કે, “મારે હવે આ દીક્ષાથી સર્યું, મારે ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતો હતો, તે હું ગ્રહણ કરીશ.” આવું વિચારી ભગ્નચિત્તે તત્કાળ તે પુંડરીકિશું નગરીએ આવ્યું અને તેના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલા પત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આળોટવા લાગ્યો. પોતાની ઉપાધિ ઝાડ સાથે લટકાવી દીધી. ઉદ્યાનપાળકની મારફત તેણે પોતાના આવવાના ખબર રાજાને આપ્યા, એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું અને તેમને વંદન કરી. પછી વૃક્ષ ઉપર ઉપકરણ લટકાવી લીલોતરીને સંથારો કરીને પડેલે તેને જોઈને “એ મુનિ પણાથી નિર્વેદ પાયે હશે એવું વિચારી પુંડરીક રાજા પોતાના મંત્રીઓ પ્રત્યે બોલ્ય કે- અરે ભાઈઓ ! તમને યાદ છે કે, જ્યારે આણે બાલ્યાપણાને લીધે સાહસથી વ્રત ગ્રહણ કર્યું, ત્યારે મેં તેને વાર્યો હતો. આ પ્રમાણે કહી પુંડરીકે તેણે ઇરછેલા રાજ્ય ઉપર તેને બેસાડ, રાજ્યચિહને અર્પણ કર્યા, અને પોતે તેની પાસેનું યતિલિંગ ગ્રહણ કરી શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહીં “આણે અનને માટે રાંકની જેમ વ્રત ભગ્ન કયું? એમ કહી કહીને સેવક લેકે કંડરીકનું ઉપહાસ્ય કરવા લાગ્યા, તેથી તે હૃદયમાં ઘણે કોપાયમાન થયું. પરંતુ તેણે ચિંતવ્યું કે, “પ્રથમ હું સારું સારું ભોજન કરૂં, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજમહેલમાં ગયે. પછી પ્રાતઃકાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ–એમ ત્રણે પ્રકારને આહાર કંઠ સુધી ખાધે, અને રાત્રે વિષયભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રીજાગરણથી અને અતિ આહારના દુર્જરપણાથી તેને વિસૂચિકા થઈ, તેથી મોટી અરતિ ઉત્પન થઈ પવનથી પૂરાયલી ધમણની જેમ તેનું ઉદર પ્રફુલ્લિત થયું, પવનને રેપ થયે અને માટે તૃષાને દાહ થયો. તે વખતે “આ પાપી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયે” એવું ધારી તેના મંત્રી વિગેરેએ તેની ચિકિત્સા કરી નહીં, તેથી તે અતિ વ્યથાથી ચિંતવવા લાગ્યો કે, “જે હું આ રાત્રિ કેઈ પણ પ્રકારે નિર્ગમન કરૂં તો પ્રાત:કાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.” આવી રીતે કૃષ્ણલેશ્યાથી અને મહા રૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકા વાસમાં ઉત્પન્ન થયો.
અહીં પંડરીક મુનિ ચિંતવવા લાગ્યા કે “સારે ભાગ્યે ચિરકાળ થયા ઈછેલે યતિધર્મ મને પ્રાપ્ત થયે છે, તો હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂં.” આવું ધારી ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ વ્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અમનું પારણું કર્યું, પરંતુ નિરસ, ટાઢ અને લુખે આહાર લેવાથી તેમજ ગુરૂ પાસે આવવા માટે ઉતાવળ ચાલ્યા આવવાથી, કેમળ ચરણમાંથી નીકળતા રૂધિરથી બહુ પરિશ્રમ પામતાં ગામની અંદર જઈ ઉપાશ્રય માગી અતિ ખેદથી ઘાસના સંથારાપર સુતા, દીક્ષા લીધા છતાં હું ગુરૂની પાસે જઈ ક્યારે દીક્ષા લઉં ?' એવું જ ચિંતવન કરતા છતા તેજ રાત્રિએ આરોધન કરી શુભધ્યાનપરાયણપણે પુષ્ટ અંગે જ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન થયા. તેથી હે સભાજને ! તપસ્વીઓને કુશપણું હોય કે પુષ્ટપણું હોય એવું કાંઈ પ્રમાણ નથી. શુભ ધ્યાન જ પરમ પુરુષાર્થનું કારણભૂત છે. આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલું પંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણના સામાનિક દેવે એકનિષ્ઠાથી શ્રવણ કર્યું. વૈશ્રમણે પણ સમક્તિ પ્રાપ્ત કર્યું અને ગૌતમસ્વામીએ પિતાને અભિપ્રાય જાણી લીધે તેથી હર્ષ પામી તે પોતાના સ્થાન પ્રત્યે ગયે. - આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી ગૌતમસ્વામી પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યાએટલે રાહ જોઈ રહેલા પેલા તાપસના જોવામાં આવ્યા.
Page #162
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦ મુ
૧૪૭
તાપસાએ તેમની પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે, હું તપોનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યા થઈએ અને તમે અમારા ગુરૂ થાઓ.' ગૌતમસ્વામી ખેલ્યા કે–સજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તેજ તમારા ગુરૂ થાઓ.' પછી તેઓએ ઘણા આગ્રહ કર્યો, એટલે ગૌતમે ત્યાંજ તેઓને દીક્ષા આપી. દેવતાએ તરત જ તેને યતિલિ`ગ આપ્યુ., પછી વિધ્યગિરિમાં થપતિ સાથે જેમ ખીજા હાથીએ ચાલે તેમ તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાના સમય થયા એટલે ગૌતમ ગણુધરે તાપસ મુનિઓને પૂછ્યું કે ‘તમારે માટે પારણુ કરવા શું ઇષ્ટ વસ્તુ લાવું ? ' તેમણે કહ્યું કે, પાયસાન્ત લાવજો.' એટલે ગૌતમસ્વામી લબ્ધિની સપત્તિથી પેાતાના ઉદરનુ પોષણ થાય તેટલી ક્ષીર એક પાત્રમાં લાવ્યા. પછી ઇ‘દ્રભૂતિ ગૌતમ ખેલ્યા-હે મહિષ એ ! સૌ બેસી જાએ અને આ પાયસાન્તથી સર્વે પારણુ કરો.’ એટલે ‘આટલા પાયસાન્તથી શું થશે ?’ એમ સના મનમાં આવ્યુ, તથાપિ ‘આપણા ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઈએ.’ એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઇંદ્રભૂતિએ અક્ષીણમહાનસ લબ્ધિવડે તે સર્વને જમાડી દીધા, અને તેમને વિસ્મય પમાડીને પછી પોતે આહાર કરવા બેઠા.
જ્યારે તાપસા ભાજન કરવા બેઠા હતા ત્યારે આપણા પૂરા ભાગ્યયેાગથી શ્રી વીપરમાત્મા જગદ્ગુરૂ આપણને ધર્મ ગુરૂ તરીકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા સુને બેધ કરનાર મળવા તે પણ બહુજ દુલ ભ છે; માટે આપણે સવ થા પુણ્યવાન છીએ.” આ પ્રમાણે ભાવતાં શુષ્ક સેવાળભક્ષી પાંચસેા તાપસાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્ત વિગેરે પાંચસા તાપસાને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, તેમજ કૌડિન્સ વિગેરે પાંચસાને ભગવતના દન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વીરપ્રભુને પ્રતિિક્ષણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી ખેલ્યા કે—આ વીરપ્રભુને વહના કરો.' પ્રભુ ખેલ્યા કે-ગૌતમ ! કેવળીની આશાતના કરો નહી’. ‘ગૌતમે તરતજ મિથ્યા દુષ્કૃત આપી તેમને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિ’તથ્યું કે, ‘જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં, કારણુ કે હું ગુરૂકમી છું. આ મહાત્માઓને ધન્ય ૐ કે, જે મારા દીક્ષિત છતાં જેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.' આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વીરપ્રભુ મેલ્યા “હે ગૌતમ ! તીર્થં કરાનુ વચન સત્ય કે દેવ તાનુ' ?” ગૌતમે કહ્યું, તીથ 'કરાનું.' ત્યારે પ્રભુ મેલ્યા “હવે અધૈર્ય રાખશેા નહીં. ગુરૂના સ્નેહ શિષ્યાની ઉપર દ્વીઢળ ઉપરના તૃણની જેવા હોય છે તે તત્કાળ દૂર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યના હોય તેમ તમારા સ્નેહ તેા ઉનની કડાહ (ચટાઈ) જેવા દૃઢ છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારા સ્નેહ બહુ દૃઢ થયેલા છે, તેથી તમારૂ કેવળજ્ઞાન રૂ ́ધાયુ છે, તે સ્નેહના જ્યારે અભાવ થશે ત્યારે પ્રગટ થશે.” પછી પ્રભુએ ગૌતમને અને બીજાને બોધ કરવાને માટે દ્રુમપત્રીય અચ્ચનની વ્યાખ્યા કરી.
ત્યાર પછી પ્રભુના ચરણની ઉપાસના કરનાર અખંડ નામે પરિવ્રાજક છત્રી અને ત્રીદડ હાથમાં રાખીને ત્યાં આવ્યા. તે ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમ્યા અને ભક્તિથી શમાંચિત થઈ અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા, “હે નાથ ! હું તમારા ચિત્તમાં વતુ, એવી તેા વાર્તા પણ દુલ ભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વત્તા તેા પછી મારે ખીજા કોઈનું પ્રયાજન નથી. છેતરવામાં તત્પર એવા અન્યજના મૃદુ બુદ્ધિવાળા પુરૂષામાં કોઈને કાપથી, કોઈને તૃષ્ટિથી અને કેાઈને અનુગ્રહવડે છેતરે છે, તેવા કહે છે કે-જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય ?” પર`તુ ચિંતામણિ વિગેરે અચેતન છે, તા પણ શું ફળ નથી આપતા ! હે વીતરાગ ! તમારી સેવા કરવા કરતાં પણ તમારા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સર્ગ ૯ મે
આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે તમારી આજ્ઞા આરાધી હોય તે મોક્ષને માટે થાય છે અને વિરોધી હોય તે સંસારને માટે થાય છે. તમારી આજ્ઞા અનાદિ કાળથી હેય અને ઉપાદેય ગોચર છે, એટલે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે એવી તમારી આજ્ઞા છે. ‘આશ્રવ સંસારને હેતુ છે અને સંવર મોક્ષને હેતુ છે' આ પ્રમાણે આહંતી મુષ્ટિ છે, અર્થાત્ મૂળ જ્ઞાન એટલું જ છે, બાકી બીજો બધે તેને વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાની આરાધનમાં તત્પર એવા અનંતા જી મોક્ષ પામ્યા, અનંતા પામે છે અને અનંતા પામશે. ચિત્તની પ્રસન્નતા વડે દીનતાને છોડી દઈને માત્ર તમારી આજ્ઞાને જ માનનારા પ્રાણીઓ સર્વથા કર્મરૂપ પંજરમાંથી મુક્ત થાય છે.”
આ પ્રમાણે જગદ્ગુરુ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરીને તે સંન્યાસી યેગ્ય સ્થાને બેસી દેવની જેમ અનિમેષ દૃષ્ટિએ પ્રભુની દેશના સાંભળવા લાગે. દેશના પૂર્ણ થયા પછી તે અંબડ સંન્યાસી રાજગૃહ નગર તરફ જવા તૈયાર થયે, એટલે પ્રભુએ તેને કહ્યું કે, તું રાજગૃહમાં જઈને નાગ નામના રથકારની સ્ત્રી સુલતાને અમારી આજ્ઞાથી કોમળ વાણીવડે કુશળતા પૂછજે.” પ્રભુની આજ્ઞાને સ્વીકાર કરી અંબડ આકાશમાર્ગે ઉડીને તત્કાળ રાજગૃહીમાં આવ્યું. પછી સુલસાના ગૃહદ્વાર પાસે આવી ચિંતવવા લાગ્યું કે – સુર, અસુર અને નરેશ્વરોની નજરે પ્રભુએ સુલતાનો પક્ષપાત કર્યો, તેનું શું કારણ? માટે હું તેની પરીક્ષા કરું.” આ પ્રમાણે વિચારી જેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થયેલી છે એવા અંબડે રૂપ ફેરવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો, અને ભિક્ષા માગી. સુલસાએ એ નિયમ કર્યો હતો કે, મારા હાથથી જે સુપાત્ર હોય તેને જ ભિક્ષા આપવી, તેથી તેણીએ આ યાચના કરતા તાપસને ભિક્ષા ન આપી. (દાસીને આપવા આજ્ઞા કરી.)
પછી અંબડ રાજગૃહી નગરીની બહાર જઈ પૂર્વ તરફને દરવાજે બ્રહ્માનું રૂપ-વિકુવને બેઠે. તેણે પદ્માસન વાળ્યું, ચાર બાહુ અને ચાર મુખ કર્યા, બ્રહ્માસ્ત્ર, ત્રણ અક્ષસૂત્ર અને જટા મુગટ ધારણ કર્યા, સાવિત્રીને સાથે રાખ્યા અને પાસે હંસનું વાહન ઊભું રાખ્યું. પછી ધમ ઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે એમ માનનારા નગરજનોનાં મનને હરી લીધા. આ ખબર સાંભળી સખીજનેએ આવીને સુલસાને કહ્યું કે, “આપણું નગરની બહાર સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, માટે ચાલે, જોવા જઈએ.' આ પ્રમાણે ઘણી રીતે બોલાવી તે પણ મિથ્યાદષ્ટિના પરિચયથી ભય પામતી સુલસા ત્યાં ન ગઈ
બીજે દિવસે તે અંબડ દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડપર બેસી, શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરી સાક્ષાત્ વિષ્ણુનું રૂપ ધરીને બેઠે લોકોને વ્યામોહ કરનારા સાક્ષાત્ વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા તે પણ સમ્યમ્ દર્શનમાં નિશ્ચળ મુલાસા ત્યાં ગઈ નહી.
ત્રીજે દિવસે અંબડ પશ્ચિમ દિશાને દરવાજે શંકરનું રૂપ ધરીને બેઠો, તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યું, લલાટે ચંદ્રને ધારણ કર્યો, પાર્વતીને સાથે રાખ્યા, ગજચર્મના વસ્ત્ર પહેર્યા, ત્રણ લોચન કર્યા, શરીરે ભમને અંગરાગ કર્યો, ભુજામાં ખટ્વાંગ, ત્રિશૂલ અને પિનાક રાખ્યા, કપાળની રૂંડમાળા ગળામાં ધારણ કરી અને ભૂતોના વિવિધ ગણે વિકુળં. તેવે રૂપે ધર્મોપદેશ કરીને તેણે નગરજનોના મનને હરી લીધા, પરંતુ તે ખબર સાંભળીને પરમ શ્રાવિકા સુલસી ત્યાં જેવા પણ ગઈ નહીં.
પછી ચોથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શોભતું અને દેદિપ્યમાન તરણેવાળું દિવ્ય સમવસરણ વિકુવ્યું, અને તેમાં પોતેજિનેશ્વર થઈને બેઠા. તે સાંભળી નગરજનો વિશેષે મેટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધર્મા સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પણ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પર્વ ૧૦ મું સુલસા ત્યાં ગઈ નહી, એટલે અંડે તેને ચળાવવા માટે કઈ પુરૂષને તેની પાસે મોકલ્યો. તેણે આવીને આ પ્રમાણે કહ્યું કે, “હે સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વર નગરની બહાર સમવસર્યા છે, હે ભદ્ર! તેમને વાંદવા ચાલે, શા માટે વિલંબ કરે છે ?” સુલસા બેલી કે-“વીશમાં તીર્થકર જગદ્દગુરૂ શ્રીવીર પ્રભુ નથી.” તે બોલ્યા કે, “અરે મુશ્કે! આ તે પચીસમા તીર્થંકર છે, માટે તેમને પ્રત્યક્ષ આવીને જુવે.” સુલસા બેલી કે “કદિ પણ પચ્ચીશ તીર્થકર હાય જ નહીં, માટે આ તે કોઈ માઠી બુદ્ધિવાળો મહાપાખંડી જણાય છે. તે બિચારા ભેળા લેકોને ઠગે છે.” તે બોલ્યો-“ભદ્ર! આવું બોલે નહીં, આથી જૈનશાસનની પ્રભાવના થશે, તેથી તમારે શી હાનિ થવાની છે માટે ત્યાં ચાલે.” સુલસા બોલી આવા ખોટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તો અપ્રભાવના જ થાય છે.” આવી રીતે સુલતાને અચલિત મનવાળી જેઈ અંબડ હૃદયમાં પ્રતીતિ લાવીને ચિંતવવા લાગ્યો કે, “જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ ભરસભામાં આ સતીની સંભાવના કરી તે ઘટિત જ છે, કારણ કે હું મોટી માયાએ કરીને પણ તેણુને સમકિતથી ચલિત કરી શક્યો નહિ.” પછી તે બધા પ્રપંચ સંહરી લઈ પિતાને મૂળરૂપે નૈધિકી બોલતે સુલતાના ઘરમાં પેઠે. સુલસા ઊભી થઈને સામી આવી અને બોલી કે, હે ધર્મબંધુ! જગબંધુ વીરપ્રભુના ઉત્તમ શ્રાવક! તમને સ્વાગત છે !” આ પ્રમાણે કહીને પછી માતાની જેવી વત્સલ સુલસાએ તેના ચરણ ધોયા અને પિતાના ગૃહત્યની વંદના કરાવી. તે ચૈત્યને વંદના કરીને પછી અંબડ શુદ્ધ બુદ્ધિએ બે કે-“ભદ્રે ! મારા વચનથી તું શાશ્વત ચૈત્યને વંદના કર.” પછી પૃથ્વી પર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હોય તેમ મનમાં ભક્તિભાવ લાવીને વંદના કરી. અંબડે ફરીવાર કહ્યું કે “આ જગતમાં તું એકજ ગુણવતી છે, કે જેના ખબર વીરપ્રભુએ મારા મુખથી પૂછળ્યા છે. તે સાંભળી સુલસાએ હર્ષ પામીને પ્રભુને વંદના કરી અને રોમાંચિત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરીક્ષા કરવાની ઈરછાએ તે ચતુર બે કે “હે ભ! હમણ બ્રહ્માદિક દેવે આ નગરની બહાર પ્રગટ થયા હતા અને ધર્મના વ્યાખ્યા કરતા હતા; નગરજને તેમને વાંદવા ગયા હતા અને તેની પાસે ધર્મ સાંભળ્યું હતું, પણ તમે કૌતુકથી પણ ત્યાં કેમ ગયા નહોતા?? જુલસા બેલી, “હે મહાશય! તમે જાણો છો, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પૂછો છે ? તે બિચારા બ્રહ્માદિક તે કોણ માત્ર છે? હિંસા કરવાને શસ્ત્ર રાખનારા અને ભગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા પતેજ અધર્મમાં તત્પર હોવાથી તેઓ ધર્મના વ્યાખ્યાન શ આપશે ? જગતમાં અદ્વિતીય આપ્ત પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી અને તેમના ધર્મ અંગીકાર કર્યા પછી જે તેવા દેવને જુએ છે તે ખરેખરા પિતાના સ્વાર્થના ઘાતક છે.” અલસાનાં આવાં વચન સાંભળી ચિત્તમાં હર્ષ પામતા અને સુલસી પ્રત્યે “સાધુ સાધુ” (શાબાશ-શાબાશ) શબ્દ કહેતે અંબઇ પોતાને સ્થાનકે ગયો અને એ મહા સતી સુલસા અનિદિત આહંદુધર્મને સર્વદા હૃદયમાં વહન કરવા લાગી. #Qa888888888888888888888088938839
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते - महाकाव्ये दशमपर्वणि हालि क-प्रसन्नच द्रवुदरांक देव-श्रेणिक भावितीर्थ करत्वशालमहाशाल गौतमाष्टापदारोहण अम्बड सुलसा
चरित वर्णनो नाम नवमः सर्गः ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૦ મે
દશાર્ણભદ્ર અને ધનાશાલિભદ્રનું ચરિત્ર. 'સુર અસુરેથી પરવરેલા શ્રી વિરપ્રભુ ચંપાનગરીથી વિહાર કરી અનુક્રમે દશાર્ણ દેશમાં આવ્યા, તે દેશમાં દશાણ નામે નગર છે અને ત્યાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાજા સાયંકાળે પિતાની સભામાં બેઠે હતું, તેવામાં ચર પુરૂષોએ આવીને કહ્યું કે, પ્રાતઃકાળે આ તમારા નગરની બહાર શ્રી વીરપ્રભુ સમવસરશે. સેવકોની આવી વાણી સાંભળીને મેઘની ગર્જનાથી જેમ વિરગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ હર્ષવડે રોમાંચ કંચુક ઉત્પન્ન થયે. તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે, પ્રાત:કાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વંદના કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કેઈએ પણ તેમને વાંદ્યા નહીં હોય.” આ પ્રમાણે મંત્રી વિગેરેને કહી તે પિતાના અંતઃપુરમાં ગયે, અને પ્રાતઃકાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ.”એવી ચિંતા કરતાં તેણે તે રાત્રિ માંડમાંડ નિર્ગમન કરી. હજુ સૂર્યોદય થે નાતો ત્યાં તે એ રાજસૂર્ય દશાર્ણરાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને બોલાવી આજ્ઞા કરી કે-“મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી મારે જવા લાયક માર્ગને શણગાર.”
અહીં વિરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ રચ્યું. અહીં નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધું. “દેવતાઓને જેમ મનવડે કાર્યસિદ્ધિ થાય છે, તેમ રાજાઓને વચનવડે થાય છે.” રાજમાર્ગોની રજને કુંકુમ જળના છટકાવવડે શાંત કરી, માર્ગની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પો પાથરી દીધા, સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભ સહિત તોરણ બાંધી દીધા. સુવર્ણના પાત્રોની શ્રેણિથી શેભિત એવા માંચાઓ ગોઠવી દીધા, ભાતભાતના ચિત્રવાળા ચિનાઈ વસ્ત્રોથી સુશોભિત, રત્નમય દર્પણોથી આશ્ચર્ય ઉત્પન કરે તેવી અને સુગંધથી ભરપૂર એવી માળાઓ માર્ગની ચોતરફ સુંદર સ્ત સાથે લટકાવી દીધી. ઉચા દંડવાળા અને ખેતીના ઉલેચવાળા મંડપ કે જેઓ મેઘાડંબરની શોભાને ધારતા હતા, તેમનાથી બધે એક છાયા કરી દીધી. સ્થાને સ્થાને મૂકેલી અગ્નિ સહિત ધૂપઘટીઓ અંદર અગરૂ કપૂરના ઘમ્રથી મંડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વર્ગને એક ખંડ હોય તેવો માર્ગને સુશોભિત કરીને મંત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સર્વે હકીકત નિવેદન કરી. પછી રાજા નાન કરી દિવ્ય અંગરાગ અને સર્વ અંગે આભૂષણો તથા શુદ્ધ વસ્ત્રો ધરી પુષ્પની માળા પહેરી ઉત્તમ ગજેદ્ર ઉપર આરૂઢ થયે. મક૫ર વેત છત્ર અને બંને બાજુ બે ચામરથી વિરાજમાન મહારાજા ઈંદ્રના જે થઈને ચાલે. મહામૂલ્યવાળા આભૂષણોને ધારણ કરનારા હજારે સામતો જાણે પોતાના વકિય સ્વરૂપ હોય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચલિત ચામરેથી વિરાજિત અને ઈંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંત:પુરની મૃગાક્ષીએ તેની પછવાડે ચાલી, માર્ગમાં બંદિજને રાજાની સ્તુતિ કરતા હતા, ગાયક ગીત ગાતા હતા અને માર્ગને શણગારનારાઓ પિતાનું કૌશલ્ય બતાવતા હતા. એવી રીતે બીજા રાજાઓના ઘાટા છત્રોથી જેના માર્ગમાં નવીને મંડપ થઈ રહેલે છે એ દશાર્ણરાજા અનુક્રમે પ્રભુને સમવસરણમાં આવ્યું. તેણે
Page #166
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૫૧ ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગર્વિત થઈ પોતાને યોગ્ય એવા સ્થાન ઉપર બેઠે.
એ વખતે દશાર્ણપતિને સમૃદ્ધિને ગર્વ થયેલે જાણી તેને પ્રતિબોધ કરવાને માટે ઈદે એક જળમય વિમાન વિકુવ્યું. તેમાં સ્ફટિક મણિ જેવા નિર્મળ જળના પ્રાંતભાગે સુંદર કમળ વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિનાદ થઈ રહ્યા હતા, દેવવૃક્ષો અને દેવતાઓની શ્રેણિમાંથી ખરી પડતા પુષ્પોથી તે શેભિત હતું, નીલકમલેની શેભાથી તે ઈન્દ્રનીલ મણિમય હોય તેવું લાગતું હતું, મરકત મણિમય નલીનીમાં સુવર્ણમય વિકસ્વર કમળોને પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતું હતું અને જળના ચપળ તરંગેની માળાઓથી તે પતાકાની શેભાને ધારણ કરતું હતું. આવા જળકાંત વિમાનમાં ઈદ્ર દેવતાઓની સાથે બેઠો. તે વખતે હજારે દેવાંગનાએ તેને ચામર વીંજવા લાગી અને ગાંધેએ આરંભેલા સંગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યું. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવિત્ર એવી નીચેની પૃથ્વી તરફ દષ્ટિ કરતો ઈંદ્ર મનુષ્યલોકમાં આવ્યા. નીચેની ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જાણે ચરણ સહિત પર્વત હોય તેમ ચરણ મૂકતો મૂકતો, મણિમય આઠ જંતુશળથી શોભિત અને દેવદૂષ્ય વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા અરાવત હાથીપર ઈદ્ર ચડ્યો. તે વખતે તે હસ્તી પર પ્રથમથી આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથને ટેકે આખે. પછી જિનેન્દ્રના ચરણમાં વંદન કરવાને ઇચછનાર ભક્તજનોમાં શિરોમણિ ઈવે ભક્તિભાવિત ચિત્તે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડાવાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળે એકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષયુક્ત દેખાવા લાગ્યા. તે દરેક દેવનો પરિવાર ઈદ્રના પરિવારની જેમ મહદ્ધિક અને વિશ્વને વિસ્મયકારક હતો. આવી વિમાનની સમૃદ્ધિથી ઈદ્ર પોતે વિસ્મય પામી ગયો, તે પછી તેથી ઉણ ઉણ સમૃદ્ધિવાળા બીજાની તો શી વાત કરવી?
- પછી સમવસરણમાં રહેલા સુરનરોએ વિસ્મયથી જોયેલા ઈદે કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યા. ઈદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જઈને દશાર્ણભદ્રરાજા શહેરની સમૃદ્ધિ જઈને ગ્રામ્ય જન થઈ જાય તેમ ક્ષણવાર તો ખંભિત થઈ ગયું. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, “અહે ! આ ઈદ્રના વિમાનની કેવી લોકોત્તર શોભા છે ? અહો ! આ અરાવત હાથીના ગાત્ર કેવા સુંદર છે? અહો ! આ ઈદ્રના વૈભવનો વિસ્તાર તે કોઈ અલૌકિક જણાય છે ! મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જે હતો” આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેમણે વિચાર્યું કે, “આવી સમૃદ્ધિથી ઈદ્ર મને છતી લીધે છે, તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજય કરીશ. વળી દીક્ષા લઈને કેવળ તેને જ વિય કરીશ એમ નહી પણ ભવભ્રમણ કરાવનારા જે કમરૂપ શત્રુઓ છે, તેમને પણ જીતી લઈશ.” આવી રીતે વિચારીને વિવેકી દશાણપતિએ તત્કાળ ત્યાં જ મુગટ અને કડાં વિગેરે આભૂષણો કાઢી નાખ્યા, અને જાણે કમરૂપ વૃક્ષના મૂળી ખેંચી કાઢતો હોય તેમ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સર્ચ ૧૦ મા
પાંચ મુષ્ટિવડે મસ્તક ઉપરના કેશને ખે...ચી કાઢયા. વિસ્મયથી વિકસિત નેત્રે ઇ'દ્રના જોતાં જોતાંમાં તેણે ગણધરની પાસે આવીને તિલિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાણુ ભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. તે વખતે ઇન્દ્રે તેમની પાસે આવીને કહ્યું કે ‘અહે। મહાત્મન્ ! તમારૂ આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જીતી લીધા છે, તેા પછી બીજાની શી વાત કરવી ?’ આ પ્રમાણે કહી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પેાતાને સ્થાનકે ગયા. દશા ભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગ્યા, અને શ્રી વીરપ્રભુએ ભવ્યજનના ઉપકારને માટે ત્યાંથી ખીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યા.
રાજગૃહ નગરની નજીક શાળિ નામે ગ્રામમાં કોઇ ધન્યા નામની સ્ત્રી આવીને રહી હતી. તેનેા બધે વંશ ઉચ્છેક થઇ ગયા હતા. માત્ર સંગમક નામના એક પુત્ર રહ્યો હતો, તેને તે સાથે લાવી હતી. કેમકે ગમે તેવા દુ:ખમાં પણ પેાતાના ઉદરથી થયેલું સંતાન છેડી દેવુ અશકય છે.’” તે સ`ગમક ત્યાં રહ્યો તો નગરજનેાના વાછરડા ચારતો હતા. “ગરીબ છેકરાને આવી મૃદુ આજીવિકા ઘટિત છે.” એક વખતે કોઈ પર્વોત્સવના દિવસ આવ્યા, તે સમયે ઘેર ઘેર પાયસાનના ભેજન થતાં સગમકના જોવામાં આવ્યાં, તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પેાતાની ટ્વીન માતા પાસે પાયસાનની માગણી કરી, તે બેલી ‘પુત્ર ! હું દરી છું, મારી પાસે પ:ચસાન્ન કયાંથી હોય ?' જ્યારે અજ્ઞતાથી બાળકે વારંવાર તેવી માગણી કર્યા કરી ત્યારે ધન્યા પેતાના પૂર્વ શૈભવને સ ંભારતી તાર સ્વરે રૂદન કરવા લાગી. તેના રૂદન દુ:ખથી જેમનુ હૃદય વીધાયુ છે એવી તેની પાડોશાએ તેની પાસે આવી તેના દુઃખનું કારણ પૂછ્યું, એટલે ધન્યાએ ગદ્ગદ્ સ્વરે તેમને પોતાના દુ:ખનું કારણુ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દુધ વિગેરે લાવી આપ્યુ, એટલે તેણીએ ક્ષીર રાંધી, અને એક થાળમાં કાઢી પેાતાના પુત્રને આપીને પોતે કોઇ ગૃહકાય માં પડી. એ સમયે કોઈ માસક્ષપણધારી મુનિ પારણાને માટે અને સ`ગમકને ભવસાગરથી તારવાને માટે ત્યાં આવી ચડયા. તેમને જોતાં જ સગમક વિચાર કરવા લાગ્યા કે, ‘આ સચેતન ચિંતામણિ રત્ન, જગમ કલ્પવૃક્ષ અને અપશુ કામધેનુ રૂપ મુનિમહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડયા તે ખડુજ સારૂં થયું, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રને યાગ કથાંથી થાય ? મારા કોઈ ભાગ્યના યેાગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીના સંગમ થયા છે' આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ક્ષીર મુનિને વહેારાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણુ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા એટલે ધન્યા ત્યાં આવી, અને થાળમાં ક્ષીર ન દેખાવાથી પાતે આપેલી ક્ષીર પુત્ર ખાઈ ગયા હશે' એવુ ધારી તેણે ફરીથી બીજી આપી. તે ક્ષીર સંગમકે અતૃપ્તપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીર્ણ વડે તેજ રાત્રે પેલા મુનિને સ`ભારત સંગમક મરણ પામ્યા.
મુનિદાનના પ્રભાવથી સંગમકને! જીવ રાજગૃહી નગરીમાં ગાભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરમાં અવતર્યા. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળીક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી, એટલે પતિએ ‘પુત્ર થશે’ એમ કહ્યું, પછી ‘હુ' દાનધમ વિગેરે સુકૃત્યા કરૂ' એવે ભદ્રાને દોહદ થયા. ભદ્ર બુદ્ધિવાળા ગાભદ્ર શેઠે તે દાદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં વિગિરિની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ ભદ્રાએ દિશાઓના મુખને ઉદ્યોત કરનારા પુત્રરત્નને જન્મ આપ્યા. જોયેલા સ્વપ્નને અનુસારે માતાપિતાએ શુભ દિવસે તેનુ શાળિભદ્ર
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પર્વ ૧૦ મું એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓએ પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યો. પાલન કરો તો તે પુત્ર અનુક્રમે મોટો થયો. કાંઈક ઉણા આઠ વર્ષનો છે ત્યારે તેના પિતાએ નિશાળે મૂકીને તેને બધી કળાએ ભણાવી, અનુક્રમે યુવતિજનને વલ્લભ એ શાલિભદ્ર યૌવન વયને પ્રાપ્ત થતાં નવીન પ્રઘનની જેવા સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યું. તે નગરના શ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યાઓ શાલિભદ્રને આપવાને માટે ગભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગભદ્રશેઠે હર્ષ પામી તેને સ્વીકાર કર્યો અને સર્વ લક્ષણસંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાલિભદ્રને પરણાવી. પછી વિમાનની જેવા રમણિય પિતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાલિભદ્ર વિલાસ કરવા લાગ્યા. તે એવા આનંદમાં મગ્ન થતો હતો કે રાત્રિ કે દિવસને પણ જાણતો નહોતા. માતાપિતા તેને ભેગસામગ્રી પૂરી પાડતા બેતા અન્યદો ગેભદ્ર શેઠે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલે કે ગયા. ત્યાંથી અવધિજ્ઞાનવડે પોતાના પુત્ર શાલિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ સ્ત્રી સહિત તેને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વિગેરે પૂરવા લાગ્યા. અહીં પુરૂષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રા કરતી હતી અને શાલિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભેગોને જ ભોગવતો હતો.
અન્યદા કોઈ પરદેશી વ્યાપારી રત્નકંબળ લઈને શ્રેણિકરાજાની પાસે વેચવા આવ્યા, પરંતુ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિકે તે ખરીદ્યા નહીં, એટલે તેઓ ફરતા ફરતા શાલિભદ્રને ઘેર ગયા. ત્યાં ભદ્રાએ મેં માથું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધા. એવામાં ચેલુણાએ તેજ દિવસે શ્રેણિકને કહ્યું કે, “મારે યે ... એક રત્નકંબળ લાવી આપે.” એટલે શ્રેણિકે એક રત્નકંબળ ખરીદવાને માટે તે વ્યાપારીને બોલાવ્યા. તેઓએ કહ્યું કે, રત્નકંબળે તે ભદ્રાએ ખરીદી લીધા છે.” પછી શ્રેણિક રાજાએ એક ચતુર પુરુષને મૂલ્યાં આપીને રત્નકંબલ લેવા સારૂ ભદ્રાની પાસે મોકલ્યોતેને આવીને રત્નકંબળ માગ્યું, એટલે ભદ્રા બેલી કે, “શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુવાને માટે તે રત્નકંબળના કડક કરીને મેં આપી દીધા છે, તેથી જે જીર્ણરત્નકંબલોથી કાર્ય હોય તે રાજા શ્રેણિકને પૂછીને આ અને લઈ જાઓ.” ચતુર પુરૂષે એ વૃત્તાંત રાજાને કહ્યો, તે સાંભળી ચેલણ રાણી બોલી કે “જુઓ ! તમારામાં ને એ વણિકમાં પીતળ અને સુવર્ણના જેટલું અંતર છે. પછી રાજાએ કૌતુકથી તેજ પુરૂષને મોકલી શાલિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવીને કહ્યું કે-“મારો પુત્ર કદિ પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો.” શ્રેણિકે કૌતુકથી તેમ કરવાને કબુલ કર્યું. એટલે ક્ષણવાર પછી આવવાનું કહી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં વિચિત્ર વસ્ત્ર અને માણિજ્યાદિ વડે રાજમાર્ગની શોભા રાજમહેલથી તે પિતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. પછી તેણી એ કહેવરાવવાથી દેવતાની જેમ ક્ષણમાં તૈયાર કરેલી માગની શોભાને જે જેતે શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યા. જ્યાં સુવર્ણના સ્તંભ ઉપર ઈદ્રનીલમણિના તોરણે ઝુલતા હતા, દ્વારની ભૂમિ ઉપર મોતીનાં સાથીઆની શ્રેણીઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા અને આખું ઘર સુગંધી દ્રવ્યથી ધૂપિત થયેલું હતું. તે સર્વ જેવાથી થયેલા વિસ્મયવડે વિકસિત નેત્ર કરતા રાજાએ ગૃહમાં પ્રવેશ કર્યો; અને ચોથામાળ સુધી ચડી સુશોભિત સિંહાસનને અલંકૃત કર્યું. પછી ભદ્રાએ સાતમી ભૂમિકા (માળ) ઉપર રહેલા શાલિભદ્ર પાસે જઈને કહ્યું કે, “પુત્ર! શ્રેણિક અહીં આવેલ છે, તો
૨૦.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સગ ૧૦ મો
તું તેને જોવાને ચાલ.” શાલિભદ્ર બે -“માતા ! તે બાબતમાં તમે સર્વ જાણે છે, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપ. મારે ત્યાં આવીને શું કરવું છે?” ભદ્રા બેલી-“પુત્ર! શ્રેણિક એ કાંઈ ખરીદવાને પદાર્થ નથી, પણ તે તો બધા લોકોને અને તારો પણ સ્વામી છે.” તે સાંભળી શાલિભદ્ર ખેદ પામ્યા છતાં ચિંતવ્યું કે, “મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારે પણ બીજો સ્વામી છે; માટે મારે સર્પની ફણુ જેવા આ ભેગથી હવે સયું. હવે તો હું શ્રી વીરપ્રભુના ચરણમાં જઈ સત્વર ત્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયે, તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આ ; અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત્ પોતાના ખોળામાં બેસાડયે. અને સનેહથી મસ્તક સુધી ક્ષણવાર હર્ષાશ્રુ મૂક્યા. પછી ભદ્રા બોલી કે હે દેવ ! હવે એને છોડી દ્યો, એ મનુષ્ય છે છતાં મનુષ્યના ગંધથી બધા પામે છે. તેના પિતા દેવતા થયા છે, તે સ્ત્રીઓ સહિત પિતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વિગેરે પ્રતિદિન આપે છે.” તે સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી એટલે તે સાતમી ભૂમિકાએ ગયા.
પછી ભદ્રાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “આજે તો અહીંજ ભોજન લેવા કૃપા કરો.” ભદ્રાના આગ્રહથી રાજાએ તે વાત સ્વીકારી, એટલે તત્કાળ ભદ્રાએ સર્વ રસોઈ તૈયાર કરાવી. “શ્રીમાનને શું સિદ્ધ ન થાય ?' પછી રાજાએ સ્નાનને યોગ્ય તેલ જલ અને ચૂર્ણ વડે સ્નાન કર્યું. સ્નાન કરતાં તેની આંગળીમાંથી એક મુદ્રિકા ગૃહવાપિકામાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગે, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા આપી કે, “વાપિનું જળ બીજી તરફ કાઢી નાખ.' તેમ કરતા તે વાપિકા માં દિવ્ય આભરણાની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયે. રાજાએ પૂછયું કે આ બધું શું છે?” દાસી બેલી કે-દરરોજ શાલિભદ્રના અને તેની સ્ત્રીઓના નિર્માલ્ય આભરણે કાઢી નાખવામાં આવે છે તે આ છે.' તે સાંભળી રાજાએ વિચાર્યું કે “સર્વથા આ શાલિભદ્રને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે, જેના રાજ્યમાં આવા ધનાઢય પુરૂષે પણ વસે છે, પછી રાજાઓના અગ્રેસર શ્રેણિક રાજાએ પરિવાર સહિત ભેજન કર્યું. જમ્યા પછી વિચિત્ર અલંકાર અને વસ્ત્રોથી અચિત થઈને રાજા પોતાના રાજમહેલમાં ગયે.
હવે શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચાર કરતો હતો, તેવામાં તેના ધર્મમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે-“ચતુર્કાનધારી અને સુર અસુરોએ નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ધર્મ શેષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.” તે સાંભળી શાલિભદ્ર હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યું. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠા. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન્! કેવા કર્મથી રાજા સ્વામી ન થાય?” મનિ બોલ્યા-જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બધા જગને પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, જે એમ છે તો તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે-“ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા ! આજે શ્રી ધર્મઘોષસૂરિના મુખકમળથી મેં ધર્મ સાંભળ્યો છે કે, જે ધર્મ આ સંસારના સર્વ દુઃખથી મૂકાવાના ઉપાય રૂપ છે.” ભદ્રા બેલી કે-વત્સ! તે ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ધમી પિતાને જ પુત્ર છું.”
Page #170
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૫૫ આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્ર કહ્યું કે “માતા ! જો એમ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપે; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાને પુત્ર છું.” ભદ્રા બેલી-વત્સ! તારે વ્રત લેવાને ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તે પ્રકૃતિમાં સુકમળ છે અને દિવ્ય ભાગેથી લાલિત થયેલ છે, તેથી મોટા રથને નાના વાછડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બે હે માતા ! ભેગલાલિત થયેલા જે પુરૂષ વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.” ભદ્રા બોલી-હે વત્સ! જે તારે એવો જ વિચાર હોય તો ધીમે ધીમે-છેડે થોડે ભેગને ત્યાગ કરી મનુગની મલિનતી ગંધને સહન કર કે જેથી તે અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે. શાલિભદ્રે તે વચન સત્વરે માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો.
તેજ નગરમાં ધન્ય નામે એક મોટો ધનવાન શેઠ રહેતો હતો કે જે શાલિભદ્રની કનિષ્ટ ભગિનીને પતિ થતો હતા. પિતાના બંધુના આ ખબર સાંભળવાથી પિતાના પતિને
ત્વવરાવતાં શાલિભદ્રની બેનની આંખમાં આંસુ આવ્યા. તે જોઈ ધન્ય પૂછયું કે, “શા માટે રૂએ છે?” ત્યારે તે ગદ્દગદ્દ અક્ષરે બોલી કે- “હે સ્વામી ! મારો ભાઈ શાલિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એક એક શમ્યા તજી દે છે, તેથી હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, “જે એવું કરે તે તો શિયાળના જે બીકણ ગણાય. તેથી તારે ભાઈ પણ હીનસત્વ લાગે છે.” તે સાંભળી તેની બીજી સ્ત્રીએ હાસ્યમાં બોલી ઉઠી કે- હે નાથ ! જે વ્રત લેવું સહેલું છે તો તમે કેમ નથી લેતા ?' ધન્ય બોલ્યા કે મને ત્રત લેવામાં તમે વિનરૂપ હતી, તે આજે પુણ્ય યોગે અનુકૂળ થઈ, તો હવે હું સત્વર ત્રત લઈશ.” તેઓ બોલી કે પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તો મશ્કરીમાં કહેતી હતી. સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં “આ સ્ત્રી અને દ્રવ્ય વિગેરે સર્વ અનિત્ય છે, નિરંતર ત્યાગ કરવાને ગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ.” આ પ્રમાણે બોલતો ધન્ય તરત જ ઊભે થયે; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું.' એમ સર્વ સ્ત્રીએ બોલી. પિતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી.
આ અરસામાં શ્રી વિરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. ધન્ય ધર્મમિત્રના કહેવાથી તે ખબર જાણ્યા, એટલે તરતજ દિનજનેને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત શિબિકામાં બેસી ભવભ્રમણથી ભય પામેલે ધન્ય મહાવીર ભગવંતના ચરણને શરણે આવ્યું પ્રભુની પાસે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. તે ખબર સાંભળી શાલિભદ્ર પિતાને વિજિત માની ત્વરા કરવા લાગ્યા. પછી શ્રેણિક રાજાએ અનુસરેલા શાલિભદ્દે પણ તરતજ શ્રી વીરપ્રભુની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. શ્રી વિરપ્રભુએ યુથ સહિત ગજેન્દ્રની જેમ ત્યાંથી બીજે વિહાર કર્યો.
ધન્ય અને શાલિભદ્ર બંને અનુક્રમે બહુશ્રુત થયા અને ખડ્ઝની ધારા જેવું મહાતપ કરવા લાગ્યા. શરીરની કિંચિત્ પણ અપેક્ષા વગરના તેઓ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસની તપસ્યા કરીને પારણું કરતા હતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રૂધિર વગરના શરીરવાળા થયેલા ધન્ય અને શાલિભદ્ર ચામડા ના ધમણ જેવા દેખાવા લાગ્યા. અન્યદા શ્રી વીરસ્વામીની સાથે તે બંને મહામુનિ પિતાની જન્મભૂમિ રાજગૃહી
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સર્ગ ૧૦ મે
નગરીમાં આવ્યા. પ્રભુને સમવસરેલા જાણી તેમને નમવાને માટે અતિશય શ્રદ્ધાથી લોક સત્વર નગરમાંથી બહાર આવ્યા. તે અવસરે ધન્ય ને શાલિભદ્ર બંને મુનિ મા ખમણના પારણાને માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા સારૂ પ્રભુ પાસે આવ્યા અને નમસ્કાર કરીને ઊભા રહ્યા. પછી શાલિભદ્ર પ્રત્યે પ્રભુએ કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે.” એટલે હું ઈચ્છું છું.' એમ કહી શાલિભદ્ર મુનિ ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઊભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તે એ કાઈને ઓળખવામાં આવ્યા નહીં. વળી શ્રી વિરપ્રભુ, શાલિભદ્ર અને ધન્ય મુનિ આજે અહીં પધાર્યા છે, તેથી હું તેમને વાંદવા જાઉં.” એવી ઈચ્છાથી આકુળવ્યાકુળ થયેલી રોમાંચિત શરીરવાળી ભદ્રા પણ તે વ્યવસાયમાં રોકાઈ રહી, તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહીં બને મુનિ ક્ષણવાર ઊભા રહીને તરત જ પાછા વળ્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા ધન્ય નગરમાં દહી ઘી વેચવાને આવતી સામી મળી. શાલિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિના ચરણમાં વંદના કરીને તેણીએ ભક્તિપૂર્વક દહીં વહરાવ્યું. ત્યાંથી શાલિભદ્ર મુનિ વીર પ્રભુની પાસે આવ્યા અને ગોચરી આળેવી અંજલિ જેડીને પૂછયું કે “હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણું માટે આહાર કેમ ન મળે ?” સર્વજ્ઞ પ્રભુ બો૯યા કે, “હે શાલિભદ્ર મહામુનિ! એ દહી વહોરાવનારી તમારી પૂર્વ જન્મની માતા ધન્યા હતી.” પછી દધિવડે પારણું કરી, પ્રભુની આજ્ઞા લઈને શાલિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય સહિત શાલિભદ્ર મુનિએ શિલાતળ ઉપર પ્રતિલેખન કરીને પાદપપગમ નામે અનશન અંગીકાર કર્યું. અહીં શાલિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિકરાજા તેજ વખતે ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને ભદ્રાએ પૂછયું કે હે જગપતિ ! ધન્ય અને શાલિભદ્ર મુનિ ક્યાં ગયા ? તેઓ અમારે ઘેર ભિક્ષાને માટે કેમ ન આવ્યા?” સર્વજ્ઞ બોલ્યા કે- તે મુનિએ તમારે ઘેર વહોરવા માટે આવ્યા હતા. પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દધિ વહેરાવ્યું, તેના વડે પારણું કરીને મહાસત્તાધારી તે બંને મુનિઓએ સત્વર સંસારથી છુટવાને માટે હમણું જ વૈભારગિરિ પર જઈ અનશન ગ્રડણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિ કરાજાની સાથે તકાળ હોભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિ એ જાણે પાષાણવડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેના જેવામાં આવ્યા. તેમના કષ્ટને જોતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા પ્રતિવનિથી વૈભારગિરિને પણ રોવરાવતી હોય તેમ રોવા લાગી. તે બેલી કે-“હે. વત્સ! તમે ઘેર આવ્યા તે પણ મેં અભાગિણી એ પ્રમાદયી તમને જાણ્યા નહી, તેથી મારી ઉપર અપ્રસન્ન થાએ નહીં. જો કે તમે તો અમારો ત્યાગ કર્યો છે, પણ કોઈવાર તમે મારી દ્રષ્ટિને તો આનંદ આપશે એ પ્રથમ મારે મનોરથ હતો. પણ હે પુત્ર! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારે એ મનોરથ પણ ભાંગવાને ઉઘુક્ત થયા જણાએ છો. હે મુનિઓ! તમે જે આ ઉગ્ર તપ આરંવ્યું છે, તેમાં હું વિજ્ઞરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાતળની જેમ અતિશય કઠોર થયેલું છે.” પછી શ્રેણિકરાજા બેલ્યા કે-“હે ભલે આ હર્ષને સ્થાને રૂદન કેમ કરો છો ? તમારે પુત્ર આ મહાસત્તવાન્ હેવાથી તમે
Page #172
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૫૭ એકજ સર્વ સ્ત્રીઓમાં ખરા પુત્રવતી છો. આ તત્ત્વજ્ઞ મહાસત્તાધારી પુરૂષે તૃણની જેમ લકમીને છોડીને સાક્ષાત્ મોક્ષપદ જેવા પ્રભુના ચરણને અંગીકાર કર્યા છે. હે મુગ્ધ ! આ મહાશય જગસ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે, તેમાં તમે સ્ત્રીસ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરે છે?” રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંદી બેદયુક્ત ચિત્તે પોતાને ઘરે ગઈ અને શ્રેણિક રાજા પણ પોતાને સ્થાને ગયા.
તે બંને ધન્ય અને શાલિભદ્રકાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા છતા તેત્રીશ સોગરેપમને આયુષ્ય દેવપણે ઉપન્ન થયા.
કિ
BA%% જ દિગદ * ॥ इत्याचार्य श्री हेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
મહારાજે દ્રશમ શામ શામ-ધન્ય ગણિતवर्णनो नाम दशमः सर्गः ॥ १०॥
Page #173
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૧ મો.
રોહિણેયનું ચરિત્ર, અભયકુમારનું હરણ, ઉદાયનનું વૃત્તાંત,
પ્રદ્યતનું બંધન અને ઉદાયનની દીક્ષા. શ્રી વીરભગવાન લોકોને અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લોકોનાં ગામડાં) વિગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના શૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન સૈદ્રરસ હોય તે લેહખુર નામે એક ચેર રહેતે. હતું. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચાર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતા હતા. તે દ્રવ્ય લઈ આવતું હતું અને પરસ્ત્રીઓને ભગવતે હતો. તે નગરના બધા ભંડારે અને મહેલે તે પિતાને જ માનતે હતો. તેને ચેરી કરવાની વૃત્તિમાં જ પ્રીતિ હતી, બીજામાં નહતી. “રાક્ષસે માંસ વિના બીજા ભયથી તૃપ્ત થતા નથી.” તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેની જ જેવો રૌહિણેય નામે પુત્ર થશે. જ્યારે લોહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયા ત્યારે તેણે રૌહિણેયને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર! જે તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તે હું તને કાંઈક જરૂરને ઉપદેશ આપું.” તે બોલ્યો કે- તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કણ ન ઉઠાવે ?” પુત્રનું આવું વચન સાંભળી લેહખુરે હર્ષ પામ્ય અને પુત્રને પૃષ્ટ ઉપર હાથ ફેરવતે આ પ્રમાણે નિષ્ફર વચન બોલ્યા- “જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યેગી દેશને આપે છે, તેના ભાષણને તું કઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વર્તજે.” આવો ઉપદેશ આપીને લેહખુરો પંચત્વને પામી ગયો.
પિતાની મૃતક્રિયા ર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજે લેહખુર હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યા. પિતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતે તે પિતાની સ્ત્રીની જેમ બધી રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણ વિગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિએથી પરવરેલા ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલા મૂકતા મૂકતા પ્રભુ નજીકમાં આવ્યા, એટલે વૈમાનિક, તિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વીર પ્રભુએ જન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદેશના આપવા માંડી. તે વખતે પેલે રૌહિણેય ચાર રાજગૃહી નગરી તરફ જતો હતો, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, જે હું આ માર્ગે ચાલીશ તે મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાને ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાને બીજો માર્ગ પણ નથી. ત્યારે શું કરવું ? આ વિચાર કરી બે કાન આડા હાથ રાખી તેજ માગે રાજગૃહી નગરીમાં ગયે. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસે જ તેના પગમાં કાં ભાંગે. ઉતાવળે ચાલતાં તે કાંટે ગાઢ રીતે પગમાં ખુંચી ગયા. તેથી તેને કાઢયા સિવાય તે એક
Page #174
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મે
૧૫૯ પગલું ભરવાને પણ શક્તિવાન રહ્યું નહીં. જ્યારે બીજે કાંઈ ઉપાય સુઝ નહીં ત્યારે - તેણે કાન ઉપરથી હાથ લઈ લઈને કાંટે કાઢવા માંડશે. તે વખતે પ્રભુના મુખની વાણી
આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાલા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી “મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતે, ઉતાવળે પગમાંથી કાંટે કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રૌહિણેય ત્યાંથી પિતાને કામે ગયે.
હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતો, તેથી કંટાળીને ગામના શેઠીઆએ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હે દેવ! તમે રાજ્ય કરતા છતા અમને બીજે કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટકની જેમ કેઈ ચેર અદશ્ય રહીને અમને લુંટે છે. બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિક રાજાએ કોપ કરી કેટવાળને બાલાવીને કઈ કે -અરે કેટવાળ! શું તમે ચોર થઈને કે ચોરના ભાગીદાર થઈને મારે પગાર ખાઓ છો? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચોરે લુંટે છે.” કેટવાળા બોલે કે “મહારાજકઈ રૌહિણેય નામને ચાર નગરજનોને એવી રીતે લુટે છે કે, તેને અમે જોઈએ છીએ, તે પણ તે પકડી શકાતું નથી. વિજળીના ઉછળતા કીરણની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હેલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરને કીલે પણ ઓળંગી જાય છે. અમે તેના જવાને માગે પાછળ પાછળ જઈએ છીએ તે ત્યાં તે જોવામાં આવતો નથી. અને જે એક પગલા માત્ર તેને છોડયે તો તે સે પગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તો તેને પકડવાને કે હણવાને શક્તિમાન નથી, માટે આ તમારે કેટવાળપણાને અધિકાર ખુશીથી પાછે લઈ . પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કેટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજજ કરીને નગરની બહાર રાખે; પછી જ્યારે ચેર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચારને ત્રાસ પમાડે, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકા રાની જેમ ઉછળીને સ્વયમેવ રીન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહાચરને પ્રમાદ રહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લે.' આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કોટવાળ ત્યાંથી નીકળે અને ગુપ્ત રીતે સેનાને સજજ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રૌહિણેય બીજે ગામ ગયેલ હતો તેથી આ વાતની તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પેઠે અને ત્યાંથી નગર કરતા કરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયે. તેને બાંધીને કેટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરૂષોની રક્ષા અને દુર્જનોને નિગ્રહ રાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરો.” એમ કહીને રાજાએ તેને અભય. કુમારને સે. અભયકુમારે કહ્યું કે-છળવડે પકડાયેલ હોવથી ચેરીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચાર નિગ્રહ કરવાને ગ્ય થતું નથી, માટે તેને નિગ્રહ વિચારીને કરવું જોઈએ.” એટલે રાજાએ રૌહિણેયને પૂછ્યું કે તું ક્યાં રહેવાસી છું? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે ? તું આ નગરમાં શા માટે આવ્યું હતું ? અને તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરૂં છે ?' પિતાના નામથી શંતિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનાર દુગચંડ નામે કુટુંબી (કણબી) છું. કેઈ પ્રજને કૌતુક થતાં આજે અહીં આવ્યું હતું અને કોઈ દેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિ ઘણી ગયા પછી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સર્ગ ૧૧ માં
ત્યાંથી પાછા ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કેટવાળ અને તેના સીપાઈઓએ મને સપડા, એટલે તેનાથી ભય પામીને હું કિલ્લે ઓળંગી ભાગવા ગયે. આપ જાણો છો કે, પ્રાણીને સર્વથી મોટામાં મોટે ભય પ્રાણન છે,” મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછો બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યા. માટે હે નતિમાન રાજા ! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરૂષે મોકલ્યા. પરંતુ તે ચરે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો; કેમકે કેટલાક ચરલોકના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરૂષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે “હા, અહીં એક દુર્ગચંડ નામે કુટુંબી રહે છે, પણ તે હમણાં અહીંથી બીજે ગામ ગયેલ છે. રાજપુરૂએ રાજાને તેવા ખબર આપ્યા એટલે, અભયકુમાર વિચારમાં પડ્યા કે; “અહો ! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જેવો મહા મૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળને એક મહેલ તેને રહેવા આપે. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલો અમરાવતીને એક ખંડ હોય તે જણાતો હતો. તેમાં ગંધર્વો સંગીતને મહત્સવ કરતા હતા, તેથી તે અકસ્માત ઉત્પન્ન થયેલા ગંધર્વનગરની શોભાને સૂચવતા હતા. અભયકુમારે તે ચોરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાડ.
જ્યારે તેને નીસે ઉતરી ગયે ત્યારે તે ચારે બાજુ જેવા લાગે, તો અકસ્માત વિસ્મય. કારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નર નારીઓના સમૂહે “જય પામે, જગતમાં આનંદ કરો” એવા મંગળ વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર ! તમે આ મેટા વિમાનમાં દેવતા થયા છો, તમે અમારા સ્વામી છો અને અમે તમારા કિંકર છીએ, તેથી આ અસરાઓની સાથે ઇંદ્રની જેમ ક્રીડા કરે.” આવી રીતે ઘણું ખુશામતનાં વચને ચતુરાઈ યુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી શું હું દેવતા થયે?” એમ રેહિણીએ વિચારવા લાગ્યા. તેવામાં ગંધર્વોએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવર્ણની છડી લઈ કઈ પુરૂષ આ બે, તેણે ગંધર્વોને કહ્યું કે, “અરે ! એકદમ આ શું આવ્યું ?' ગંધર્વોએ ઉત્તર આપે કે-“અરે પ્રતિહાર ! અમે અમારા સ્વામી પાસે અમારું વિજ્ઞાનકૌશલ બતાવવાનો આરંભ કર્યો છે. પ્રતિહાર બોલ્યા કે બહુ સારૂં, તમે તમારૂં કૌશલ્ય સ્વામીને બતાવે પણ ત્યારે અગાઉ પ્રથમ દેવકના આચાર તેમની પાસે કરાવે.” ગંધર્વ બોલ્યા કે, “શું શું આચાર કરાવવાના છે ?” પ્રતિહાર આક્ષેપપૂર્વક બેલ્યો કે, “અરે ! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે? સાંભળે, પ્રથમ તો અહીં જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પોતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વર્ગના સુખભેગને અનુભવ કરે.” ગંધર્વોએ કહ્યું કે-“હે દેવ ! અમે તો નવા સ્વામીને લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધી દેવકની સ્થિતિ કરાવે.” આ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે તે પુરૂષે રૌહિણેય ચોરને કહ્યું, “હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહો, પછી સ્વર્ગને ભેગ ભેગ.” તે સાંભળી હિણીઓ વિચારમાં પડ્યો કે, “શું આ સત્ય હશે ? અથવા શું મને મારી કબુલતવડે પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલો હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટે કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યા, શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યું છે, તે
Page #176
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦ મ
૧
પ્રમાણે દેવતાનાં ચિહ્ન જો મળતાં આવશે તો તો હું આના સત્ય ઉત્તર આપીશ; અન્યથા તેના જેમ ઠીક લાગશે તેવે ઉત્તર આપીશ' આવા વિચાર કરી તેણે પ્રતિહારી,ગધા, અપ્સરાઓ વિગેરેની તરફ જોયુ તો તે બધાને પૃથ્વીપર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા )મટકું મારતા) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધું કપટ જાણીને રેાહિણીએ ઉત્તર આપવાના વિચાર કરી લીધા. ફરીને પેલા પુરૂષ ખેલ્યા કે-કહો, તમારા ઉત્તર સાંભળવાને આ સ` દેવ દેવીઓ ઉત્સુક થયેલા છે.' પછી રોહિણેય બેલ્યા કે-મે પૂર્વજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનબિંબ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવડે તેમને પૂયા છે, તીથ યાત્રાએ કરી છે અને સદ્દગુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યા કરેલાં છે.' પછી પેલા દડધારી ખેલ્યો કે, ‘હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.’ રહિષ્ણેય ખોલ્યા કે‘સાધુના સંસČથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તા કર્યું જ નથી.' પ્રતિહાર ફરીથી ખેલ્યા કે– ‘એક સરખા સ્વભાવથી આખા જન્મ વ્યતિત થતા નથી,’ તેથી જે કાંઈ ચારી, જારી વગેરે દુષ્કૃત્ય કર્યા... હાય તે પણુ કહેા.' રૌહિણેય બોલ્યા કે–જો આવાં દુષ્કૃત્ય કર્યા હોય તે તે શું સ્વર્ગ લેાકને પામે ? શું આંધળા માણસ પર્યંત ઉપર ચઢી શકે ?”
પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિકરાજાને જણાવ્યું. શ્રેણિક ખેલ્યા કે–“આટલા ઉપાયાથી પણ જે ચાર તરીકે પકડી ન શકાય તેવા ચારને છોડી મૂકવા જોઇ એ. કારણ નીતિનું ઉદ્ઘઘન કરવુ ચેાગ્ય નથી.’’રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રૌહિય ચારને છેડી મૂકયો. કોઈવાર વચના કરવામાં ચતુર એવા પુરૂષાથી ડાહ્યા પુરૂષો પણ ઠગાય છે.”
ત્યાંથી છુટી ગયા પછી રૌહિણેયે વિચાયું કે, “મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હુ` ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલુ એક પણ પ્રભુનું વચન જો મારે કાને ન આવ્યું હોત તેા અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભાગવી ચમ રાજના દ્વારે પહેાંચી ગયા હેાત. તે વખતે મેં અનિચ્છાથી ભગવ ́તનું વચન ગ્રહણ કર્યું. હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપ થઈ પડયુ.. અહતનાં વચનને ત્યાગ કરીને આજ સુધી મે ચારની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છેડી દઈ ને લીબડાના ફળમાં પ્રીતિ કર્યા જેવું મેં કર્યું'. મને ધિક્કાર છે ! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તા જો તેમના સર્વ ઉપદેશ સાંભળ્યેા હોય તે શુ ફળ ન આપે ?” મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ ભગવતની પાસે ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–
હે નાથ ! ઘાર વિપત્તિરૂપી અનેક મગરમચ્છાથી આકુળવ્યાકુળ એવા આ સસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણી નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરૂ! આપ્ત છતાં અનાપ્તપણાને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાના નિષેધ કરીને મને આટલા વખત સુધી ઠગ્યા છે. હું ત્રિલેાકપતિ ! જે કર્ણાંજલિરૂપ સંપુટથી તમારાં વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેને ધન્ય છે. હુ' એવા પાપી હતા કે જે તમારાં વચનને નહિ સાંભળવાની ઇચ્છાએ કાને હાથ દઈ ને આ સ્થાનને આળગી જતા હતા. તેવામાં એકવાર ઇચ્છા વગર મેં તમારૂ વચન સાંભળ્યું હતુ, પરંતુ મત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઇ છે. હે જગત્પતિ ! જેવી રીતે મને મરણથી બચાવ્યા છે તેવી જ રીતે આ સંસારમાગરમાં ડુબી જવાથી પણ મને ખચાવા.’
૨૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સર્ગ ૧૧ મે પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબોધ પામીને રોહિણેય બેલ્યો કે, “હે સ્વામિન્ ! હું યતિધર્મને યોગ્ય છું કે નહીં ?” પ્રભુએ કહ્યું કે, “ગ્ય છું. એટલે તે બોલ્યો કે-“હે વિભુ ! એમ છે તો હુ વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યારે અગાઉ મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે. શ્રેણિક રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, “તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બોલ્યો કે “હે રાજન ! તમે જેને લોકવાર્તાથી સાંભળે હતો, તેજ હું તમારા નગરને લુંટનાર રૌહિણેય ચાર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુલધ્ય બુદ્ધિનું પણ ઉલ્લંઘન કરી ગયો છું. હે રાજરવિ! તમારા બધા નગરને મેંજ લુંટેલું છે, તેથી તમારે હવે કઈ બીજે ચાર શોધ નહીં. અત્યારે મારી સાથે કેઈને મોકલે કે જેથી તેને હું ચેરીને માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરું.”
પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુકથી તે ચોરની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સમશાન વિગેરેમાં દાટેલું ચોરીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિજ્ઞ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હેય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યું. અને શ્રેણિક રાજાએ જેને નિ:ક્રમણ મહોત્સવ કરેલ છે, એવા તે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કર્મનું ઉન્મેલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજજવળ તપ આચર્યું. પ્રાતે તપસ્યાથી કૃશ થઈ, ભાવસંલેખના કરી, શ્રી વિરપ્રભુની રજા લઈને તેણે ભારપર્વત ઉપર પાદપપગમ અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા.
ભગવંત શ્રી વીરપ્રભુ જઘન્યથી પણ કેટી દેવતાઓથી પરવરેલા તીર્થકૃત નામકર્મની નિર્જરા કરવાને માટે વિહાર કરવા લાગ્યા, ધર્મદેશના વડે કેટલાક રાજા મંત્રી વિગેરેને શ્રાવક કર્યા અને કેટલાકને યતિ કર્યા. અહીં શ્રેણિક રાજા રાજગૃહ નગરમાં સમકિતને ધારણ કરતો નીતિથી રાજ્યનું પાલન કરતો હતો, તેવામાં એક વખતે ચંડપ્રદ્યોત રાજા ઉજજયિની નગરીથી સર્વ સામગ્રી સહિત રાજગૃહી નગરીને રૂંધવા માટે ચાલ્યું. ચંડપ્રદ્યોત રાજા અને તેની સાથેના બીજા મુગટધારી ચૌદ રાજાઓને જાણે પંદર પરમધામિક હોય તેવી નજરે લોકોએ જોયા. સુંદર ગતિ વડે ચાલતા અધોથી જાણે પૃથ્વીને ફડતો હોય તેવી રીતે આવતા ચડપ્રદ્યોત રાજાના ખબર બાતમીદારોએ શ્રેણિક રાજાને આપ્યા. એટલે શ્રેણિક રાજાને ચિંતા થઈ કે, “ક્રૂર ગ્રહની જેમ ક્રોધ કરીને અહીં આવતા પ્રદ્યોત રાજાને મારે કેવી રીતે હઠાવે?” ત્પાતિકી વિગેરે બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમારના મુખ સામું શ્રેણિક રાજાએ અમૃત જેવી દષ્ટિથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયકુમારે કહ્યું કે, ઉજજયિની નગરીને પ્રદ્યોત ભલે મારા યુદ્ધનો અતિથિ થાય, તેમાં શી ચિંતા છે? વળી જે કદિ તેને પરાસ્ત કરવાનું કામ બુદ્ધિસાધ્ય લાગશે તો હું શસ્ત્રાશસ્ત્રની કથા સાથે તેમાં મારી બુદ્ધિને પણ વેજીશ, કારણ કે “બુદ્ધિ શત્રુને વિજય કરવામાં કામધેનુ જેવી છે.”
પછી અભયકુમારે શત્રુના સૈન્યને નિવાસ કરવા યોગ્ય ભૂમિમાં લોઢાના સંપુટમાં સોનૈયા ભરી ભરીને દાટયા. એટલામાં તો સમુદ્રના જળથી ભૂગોળની જેમ પ્રદ્યોતરાજાના સૈનિકોએ
Page #178
--------------------------------------------------------------------------
________________
ધ્રુવ ૧૦ મુ‘
રાજગૃહીપુરીને ઘેરી લીધું, પછી અભયકુમારે દે જેવી મધુર વાણી ખેલનારા ગુપ્ત પુરૂષદ્વારા પ્રદ્યોતરાજાની ઉપર એક ખાનગી લેખ મોકલ્યા. તેમાં લખ્યુ· કે, શિવાદેવી અને ચિહ્નણાની વચ્ચે હું જરા પણ ભેદ જોતો નથી, તેથી તમે પણ શિવાદેવીના સંબધથી મારે માનવા ચેાગ્ય છેા. હું ઉજ્જયિનીના રાજા ! તેજ કારણથી તમારૂ એકાંત હિત કરવાની ઇચ્છાથી હું તમને જણાવુ' છું કે, તમારી સાથેના બધા રાજાઓને શ્રેણિકરાજાએ ખુટવી દીધા છે. તેઓને સ્વાધીન કરવા માટે તેમણે પુષ્કળ સેાનૈયા માકલ્યા છે. જેથી તે લાગ જોઈ તમને બાંધીને મારા પિતાને સાંપી દેશે. તેની ખાત્રીને માટે તેઓના વાસગૃહમાં તેઓએ સોમૈયા દાટવા હશે તે ખાદાવીને જોઈ લેજો, કેમકે દીપક છતાં અગ્નિને કોણ જુવે.” આ પ્રમાણેના પત્ર વાંચી તેણે એક રાજાના આવાસ નીચે ખાદાવ્યું, તે ત્યાંથી સોનૈયા નીકળ્યા, એટલે પ્રદ્યોતરાજાએ એકદમ ત્યાંથી પડાવ ઉઠાવી ઉચિની તરફ ભાગવા માંડયું. તેના નાસી જવાથી સર્વાં સૌન્ય સાગરની જેમ ક્ષેાભ પામી ગયું, એટલે મગધપતિએ તેમાંથી ઘેાડા વિગેરે જેટલું લેવાય તેટલું લઈ લીધું'. જીવ નાસિકાએ ચડાવીને પ્રદ્યોત રાજા તો વાયુવેગી અશ્વ વડે ઉતાવળા પેાતાની નગરીમાં પેસી ગયા. તેની સાથે જે મુગટન્દ્રે રાજાએ અને બીજા મહારથી હતા તેએ પણ કાગડાની જેમ નાસી ગયા. કારણકે નાયક વગરનું સૈન્ય હણાયેલુ' જ છે.” કેશ ખાંધવાના પણ અવકાશ ન મળવાથી છુટા કેશ તેમજ છત્ર વગરના મસ્તકવડે નાસતા તેઓ પ્રદ્યોતરાજાની પછવાડે ઉજ્જયિનીમાં આવી પહેાંચ્યા. પછી પરસ્પર વાતચીત થતાં ‘આ બધી અભયકુમારની માયા છે, અમે પુછ્યા નથો,' એમ કહી તેઓએ સોગન ખાઇને પ્રદ્યોતરાજાની ખાત્રી કરી આપી.
૧૬૩
એકદા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતે ક્રધપૂર્વક સભા વચ્ચે કહ્યું કે, “જે કાઈ અભયકુમારને ખાંધી લાવીને મને સાંપશે તેને હું ખુશી કરીશ.' તે વખતે કોઈ એક ગણિકા હાથ ઉંચા કરીને બોલી કે “એ કામ કરવામાં હું સમ છું.' તે સાંભળી પ્રદ્યોતરાજાએ તેને આજ્ઞા કરી કે, ‘તે કામ તુ કર, તારે જેટલી જોશે તેટલી દ્રવ્ય વિગેરેની સહાય હું આપીશ.’ તેણીએ વિચાર્યું` કે, ‘અભયકુમાર બીજા કોઈ ઉપાયાથી પકડાશે નહી, તેથી ધનુ છળ કરીને મારૂં કાર્ય સાધ્ય કરૂં.' આમ વિચારી તેણીએ બીજી બે યુવાન સ્ત્રીઓની માગણી કરી. રાજાએ તે આપી અને પુષ્કળ દ્રવ્ય આપ્યું. પછી તે ત્રણે સ્ત્રીએ કોઈ સાધ્વીની આદરપૂર્ણાંક ઉપાસના કરીને ઘણી ઉગ્ર બુદ્ધિવાળી હોવાથી ઘેાડા વખતમાં બહુશ્રુત થઇ, ત્રણ જગતને છેતરવાને માયાની ત્રણ મૂર્ત્તિ હોય તેવી તે ત્રણે શ્રેણિકના નગરમાં આવી. તે વારાંગનાએ એ નગરની બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યા, અને પછી ચૈત્યાના દન કરવાની ઈચ્છાએ તેણીએ શહેરમા આવી. અતિશય વિભૂતિવડે નૈષેધિકી વિગેરે ક્રિયા કરીને અને પ્રભુની પૂજા કરીને તેમણે માલકાશ વિગેરે રાગરાગણીમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી. તે વખતે દેવ વાંઢવાની ઈચ્છાએ અભયકુમાર ત્યાં આવેલ હતા, તેણે પેાતાની આગળ પ્રભુની સ્તવના કરતી તે ત્રણે સ્ત્રીઓને દીઠી. તેથી ‘મારા પ્રવેશથી આ શ્રાવિકાઓને દેવભક્તિમાં વિન ન થાઓ.' એમ ધારી તે દ્વારની પાસેજ ઊભા રહ્યો. ર'ગમંડપમાં પેઠે નહીં. પછી મુક્તા શુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ કરીને તે ઊભી થઈ, એટલે અભયકુમાર અંદર આળ્યે, અને તેની સુ ંદર ભાવના, સુંદર વેષ અને ઉપશમ ભાવ જોઈ, તેની પ્રશ'સા કરી આનંદપૂર્વક ખેલ્યા કે, “ભદ્રે ! સારે ભાગ્યે મને તમારા જેવા સાધિમ કનેના સમાગમ થયા છે. “આ સંસારમાં વિવેકીને સાધમી જેવા કોઈ બંધુ નથી. તમે કેણુ છે ! અહી કેમ
Page #179
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૧ મો. આવ્યા છો ? નિવાસ ક્યાં કર્યો છે ? આ બીજી બે સ્ત્રીઓ કોણ છે ? જેમનાથી સ્વાતિ અને અનુરાધા નક્ષત્રવડે ચંદ્રલેખાની જેમ તમે શેભે છે. તે કપટશ્રાવિકા બેલી-“ઉજયિનીનગરીના એક ધનાઢય વ્યાપારીની હું વિવાહિત થયેલી વિધવા સ્ત્રી છું. આ બે મારી પુત્રવધુ છે, તે પણ કાળધર્મથી ભગ્ન વૃક્ષવાળી લતાની જેમ વિધવા થવાથી નિસ્તેજ થયેલી છે. તેઓએ વિધવા થતાં જ વ્રતને માટે મારી રજા માગી હતી, કારણ કે વિધવા થયેલી સતીઓનું શરણ વ્રતજ છે.” ત્યારે મેં કહ્યું છે કે, વૃદ્ધ નહી થયેલી એવી હું પણ વતને જ ગ્રહણ કરીશ. પરંતુ હાલ તો તીર્થયાત્રા વડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરીએ, કારણ કે વ્રત લીધા પછી તો ભાવપૂજા થાય છે, દ્રવ્યપૂજા થતી નથી. એવું ધારીને હું મારી બંને પુત્રવધુને સાથે લઈને તીર્થયાત્રાને માટે નીકળી છું.” અભયકુમાર બાલ્યા કે, “તમે આજે મારા અતિથિ થાઓ, સાધમીઓનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે. તે સાંભળીને તેણી અભયકુમાર પ્રત્યે બેલી કે, “તમે યુક્ત કહો છો, પણ આજે તો અમે તીર્થોપવાસ કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ ? આવી તેમની વૃત્તિ જોઈ વિશેષ ખુશી થયેલા અભયે કહ્યું કે, “ત્યારે કાલે પ્રાતઃકાળે અવશ્ય મારે ઘેર આવજો.” તે બોલી કેએક ક્ષણમાં પણ પ્રાણી પિતાને જન્મ પૂર્ણ કરે છે, તો હું કાલે પ્રાતઃકાળે આમ કરીશ”
મ સદ્દબુદ્ધિવાળે મનુષ્ય કેમ બેલે ?” “વારૂ, ત્યારે આજે તો ભલે તેમ થઓ, કાલે પ્રાતઃકાળે ફરીને હું આમંત્રણ કરીશ.” એમ ચિંતવી અભયકુમાર તેમને વિદાય કરી રૌત્યવંદન કરી પિતાને ઘેર ગયે.
બીજે દિવસે પ્રાતઃકાળે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું અને ગૃહત્યની વંદના કરાવી ભોજન કરાવીને પુષ્કળ વસ્ત્ર વિગેરે આપ્યું. અન્યદા તે કપટશ્રાવિકાએ અભયકુમારને નિમંત્રણ કર્યું. તેથી તે નગ્ન થઈને તેણીને ઉતારે ગયે. “તેવા સજજને સાધર્મિક બંધુના આગ્રહથી શું ન કરે.” તેણે વિવિધ પ્રકારના ભેજન વડે અભયકુમારને જમાડ્યા. અને ચંદ્રહાસસુરાએ મિશ્રિત જળનું પાન કરાવ્યું; તેથી અભયકુમાર જમીને તત્કાળ સુઈ ગયો મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રા જ છે.” પછી સ્થાને સ્થાને સંકેત કરી રાખેલા રથ વડે તે દુર્લભ કપટવાળી વેશ્યાએ અભયકુમારને ઉજજયિની નગરીમાં પહોંચાડી દીધા. અહીં પાછળ શ્રેણિકરાજાએ તરત જ અભયની શોધ કરવાને માટે સ્થાને સ્થાને માણસે મોકલ્યા. તેઓએ શોધતાં શોધતાં તે કપટીશ્રાવિકા પાસે જઈને પૂછયું કે, “અહીં અભયકુમાર આવ્યા હતા ? તે બેલી કે “હા, અહીં આવ્યા હતા ખરા, પણ તે તો તત્કાળ પાછા ચાલ્યા ગયા છે.” તેણીનાં વચનની પ્રતીતિથી તે શોધ કરનારા બીજે શેધવા ગયા. પછી તે કપટીશ્રાવિકા સ્થાને સ્થાને રાખેલા અ વડે અવંતીમાં આવી પહોંચી. તે પ્રચંડ રમણીએ ચંડપ્રદ્યોતને અભયકુમાર સોંપી દીધું. પછી અભયકુમારને જે ઉપાય વડે તે લાવી હતી તે ઉપાયનું સ્વરૂપ કહી બતાવ્યું. એટલે પ્રદ્યોતે કહ્યું કે, “તું આ ધર્મના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહીં.” પછી રાજાએ અભયકમારને કહ્યું કેસીર વાતોના કહેનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ શુક પક્ષીને સારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી. અભયકુમારે કહ્યું કે, તમે જ એક આ જગતમાં બુદ્ધિમાન છે કે જેની આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે. તે સાંભળી ચંડ પ્રદ્યોત શરમાયે, તેમજ કોપાયમાન થયો, તેથી તેણે અભયકુમારને રાજહંસની જેમ કાષ્ટના પાંજરામાં નાખે. ૧ વૃદ્ધ થયા અગાઉ. ૨ કઈ પણ નવા તીર્થે જવું ત્યારે પ્રથમ દિવસે ઉપવાસ કરવાની પ્રવૃત્તિ (વિધિ)
Page #180
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૬૫ પ્રદ્યોતરાજાના રાજ્યમાં અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણ, અનલગિરિ હાથી અને લેહઅંધ નામે લેખ લઈ જનાર દૂત એ ચાર રત્નો હતા. રાજા વારંવાર લેહજંઘને બ્રગુકચ્છ નગરે મોકલતો હતો. તેના વારંવાર જવા આવવાથી કલેશ પામેલા ત્યાંના લેકોએ વિચાર્યું કે, “આ એક દિવસે પચવીશ પેજન આવે છે અને વારંવાર આપણી ઉપર નવા નવા હુકમો લાવ્યા કરે છે માટે તેને આપણે મારી નાખીએ.’ આ વિચાર કરી તેઓએ એક દિવસ તેના ભાતામાં વિષમિશ્રિત લાડુ મૂક્યા ને સારા હતા તે લઈ લીધા. તે ભાતું લઈને લોહજઘ અવંતી તરફ ચાલ્યો. કેટલાક માર્ગ ઉ૯લંઘન કરી કોઈ નદીના તટ ઉપર તે ભાતું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકનોએ નિવાર્યો. વળી તે દુર ગયે, ત્યાં પણ અપશુકોએ નિવાર્યો. એટલે ભાતું ખાધા વિના અવંતીએ આવીને એ વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને પૂછયું, એટલે તે બુદ્ધિમાને ભાતાની કોથળી મંગાવી સુંઘીને કહ્યું કે, “આમાં તેવા પ્રકારના દ્રવ્ય સંયોગથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયે છે. તેથી જે આ કોથળી લેહજંઘે છેડી હોત તો તે દગ્ધ થઈ જાત. માટે હવે આને અરણ્યમાં પરા મુખ રહીને મૂકી ઘો.” રાજાએ તે પ્રમાણે મૂકાવ્યું, એટલે તેની દષ્ટિથી ત્યાંના વૃક્ષે દગ્ધ થઈ ગયા અને તે મૃત્યુ પામી ગયા. આ સઘળું જઈ ચંડપ્રદ્યોતે અભય કુમારને કહ્યું કે “અભય ! તે હજઘને બચાવ્યો છે, તેથી છૂટા થવાની માગણી વગર બીજું વરદાન માગ.” અભયકુમાર બોલ્યા કે, “એ વરદાન થાપણરૂપે જ તમારી પાસે રાખું છું.”
સમુદ્રમાંથી લક્ષ્મીની જેમ ચંડપ્રોત રાજાને અંગારવતી રાણીથી વાસવદત્તા નામે એક પત્રી હતી. ધાત્રીજને લાલન કરેલી તે પુત્રી અનક્રમે સાક્ષાત રાજ્યલકમીની જેમ રાજગૃહના આંગણામાં રમતી હતી. સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને વિનયાદિ ગુણોથી યુક્ત એવી તે બાળાને અતિ વાત્સલ્યને લીધે પ્રતરાજા પુત્રથી પણ અધિક માનતો હતો. તે બાળ ગુરૂની પાસેથી સર્વ કળા શીખી, માત્ર કોઈ યોગ્ય ગુરૂ વગર ગંધર્વવેદ શીખવે બાકી દો. એક વખતે રાજાએ પોતાના બહુદષ્ટ અને બહુશ્રુત મંત્રીને પૂછયું કે, “આ દુહિતાને ગંધર્વની શિક્ષામાં કોણ ગુરૂ થશે?” મંત્રી બેત્યે કે જાણે તુંબરૂ ગંધર્વની બીજી મૂત્તિ હોય તે ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીત વડે મેહ પમાડીને મોટા ગજે દ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે ત્યારે તેથી મોહ પામેલા ગજે જાણે સ્વાદિષ્ટ રસ પીતા હેય તેમ બંધનને પણ ગણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહીં લાવવાને પણ ઉપાય છે. તે કાર્ય માટે આપ જાણે સાચે હોય તે કાષ્ટને એક હસ્તી કરાવે, તેમાં એ યંત્રપ્રયોગ કરાવો કે જેથી તે ગતિ અને આસન વિગેરે ક્રિયાઓ કરે. તે કાષ્ટગજની મધ્યમાં શસ્ત્રધારી પુરૂ રહે અને તેને યંત્રથી ચલાવે. પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે, એટલે તેને બાંધીને અંદરના પુરૂષે અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયનરાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વવિદ્યા શીખવશે.”
રાજા સાબાશી આપવા સાથે તેના વિચારમાં સંમત થયે. એટલે મંત્રીએ સાચા હાથીથી પણ ગુણમાં અધિક એવો કાષ્ટને હાથી કરાવ્યો. દંતઘાત, કર (સુંઢ)ને ઉક્ષેપ, ગર્જના અને ગતિ વિગેરેથી વનચરેએ તેને કૃત્રિમ હાથી જાણે નહીં. એટલે તેઓએ જઈને તે ગજેંદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયનરાજા તેને બાંધી લેવાને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સગ ૧૧ મા
વનમાં આવ્યા. પરિવારને દૂર રાખી પોતે જાણે શકુન શેાધતો હોય તેમ હળવે હળવે વનમાં પેઠા. તે માયાવી હાથીની પાસે આવીને કિ નરને પરાભવ કરે તેમ ઉ ંચે સ્વરે ગાવા લાગ્યા. જેમ જેમ ઉડ્ડયન અમૃત જેવું સ્વાદિષ્ટ ગાયન ગાવા લાગ્યા તેમ તેમ હાથીની અંદર રહેલા પુરૂષો તે કૃત્રિમ હસ્તીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંમીપતિ ઉડ્ડયન તે ગજેન્દ્રને પોતાના ગીત વડે મેાહિત થયેલ જાણીએ 'ધકારમાં ચાલતો હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યા. પછી ‘આ હાથી મારા ગીતથી સ્તબ્ધ બની ગયા છે,’ એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલ'ગ મારીને તેની ઉપર ચડી બેઠો. એટલે તત્કાળ પ્રદ્યોતરાજાના સુભટાએ હાથીના ઉદરમાંથી બહાર નિકળી વત્સરાજ (ઉડ્ડયન)ને હાથીના સ્ક'ધ ઉપરથી પાડીને બાંધી લીધેા. એકલા, શસ્ત્ર વગરના એક વિશ્વાસી એવા ઉદયનને ડુક્કરને શ્વાન ઘેરી લે તેમ સુભટોએ ઘેરી લીધા, તેથી તેણે કાંઈ પણ પરાક્રમ બતાવ્યું નહી’.
સુભટોએ ઉદયનને અવંતી લાવી ચ'ડપ્રદ્યોતને સાંપ્યા, એટલે રાજાએ તેને કહ્યું કે, ‘મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમે તમારી ગંધ કાળા શીખવેો. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશેા, નહીં તો બધનમાં આવવાથી તમારૂ' જીવિતવ્ય મારે આધિન છે,’ ઉદયને વિચાર કર્યા કે, “હાલ તો આ કન્યાને અભ્યાસ કરાવીને હું કાળ નિગ મન કરૂં. કેમકે જીવતા નર ભદ્ર જુવે છે.” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને વત્સરાજે ચડપ્રદ્યોતની આજ્ઞાને કબુલ કરી. “જે સમયને જાણે તે જ પુરૂષ છે.’” પછી ચડપ્રદ્યોતે કહ્યું, મારી દુહિતા કાણી છે, માટે તું તેને દિ પણ જોઈશ નહીં, જોઈશ તા તે લજજા પામશે.' આ પ્રમાણે ઉદયનને કહીને તે અંતઃપુરમાં ગયા અને રાજ કુમારીને કહ્યું કે, “તારે માટે ગાંધČવિદ્યા શીખવનાર ગુરૂ આવેલ છે, પણ તે કુષ્ટિ છે, માટે તારે તેને પ્રત્યક્ષ જોવા નહીં.” કન્યાએ તે વાત સ્વીકારી. પછી વત્સરાજે તેણીને ગાંધ વિદ્યા શીખવવા માંડી. પર’તુ પ્રદ્યોતરાજાએ બંનેને ઠંગેલા હૉવાથી તેએ એકબીજાની સામું જોતા નહી.. એક વખતે ‘હું આને જોઉં તા ઠીક' એમ વાસવદત્તાના મનમાં આવ્યું; તેથી તે ભણવામાં શૂન્ય મનવાળી થઇ ગઈ. કેમકે ‘મનને આધીન ચેષ્ટા થાય છે.’ વત્સરાજે તે વખતે અભ્યાસમાં શુન્યત્તા જોઇને અવતીપતિની કુમારીને તરછોડીને કહ્યું કે, અરે કાણી શીખવામાં ધ્યાન નહી આપીને તું ગાંધવ શાસ્ત્રને કેમ વિનાશ કરે છે ? શુ તું દુ:શિક્ષિતા છું ?” આવા તિરસ્કારથી કાપ પામીને તેણીએ વત્સરાજને કહ્યું કે, ‘શું તું જાતે કુણી છું તે જોતા નથી કે મને મિથ્યા કાણી કહે છે.' વત્સરાજે વિચાયુ કે ‘જેવા હુ કુષ્ટી છું, તેવી જ આ કાણી હશે, અર્થાત્ તે ખ'ને વાત ખાટી જણાય છે. માટે અવશ્ય તેને જોઉ'.' આવા વિચાર કરી ચતુર ઉદયને તરત જ મધ્યમાં રહેલ વસ્ત્રના પડદા દૂર કર્યા, એટલે વાદળાંમાંથી મુક્ત થયેલ ચદ્રલેખા જેવી વાસવદત્તા તેના જોવામાં આવી વાસવદત્તાએ પણ લેાચન વિસ્તારીને સાક્ષાત્ કામદેવ જેવા સર્વાંગ સુંદર ઉડ્ડયનકુમારને જોયા, વાસવદત્તાએ અને વત્સરાજે પરસ્પર જોઇને અનુરાગની સમૃદ્ધિને સૂચવનારૂ હાસ્ય કર્યું. પ્રદ્યોતકુમારી ખેલી કે–હે સુ`દર ! મને ધિક્કાર છે કે મારા પિતાએ છેતરવાથી અમાવાસ્યા તરીકે ગણાયેલા ચંદ્રની જેમ મેં તમને આજ સુધી જોયા નહીં. હે કલાચાય ! તમે તમારી કળા જે મારામાં સંક્રમિત કરી છે તે તમારા ઉપયાગમાં જ આવેા. અર્થાત્ તમે જ મારા પતિ થાઓ.' વત્સરાજે કહ્યું કે, ભદ્રે ! તું કાણી છું એમ કહીને તારા પિતાએ મને પણ તને જોવાથી નિવાર્યો અને આજ દિન સુધી છેતો. હે કાંતે ! હાલ તા અહીં રહેતાં આપણા ચાગ થાઓ. પછી જ્યારે સમય આવશે ત્યારે અમૃતને ગરૂડ લઇ ગયા તેમ હું તને હરી
Page #182
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૬૭
જઈશ.' આ પ્રમાણે સ્વય દ્વીપણુ' કરી ચાતુ યુક્ત આલાપસલાપ કરતાં તેમને મનના સંચાગની સ્પર્ધા કરતા હોય તેમ શરીરસંયોગ પણ થઈ ગયા. વાસવદત્તાની વિશ્વાસપાત્ર કાંચનમાળા નામે એક ધાત્રી દાસી હતી, તે એક જ આ બંનેનુ ચરત્ર જાણતી હતી. તે એક જ દાસીથી સેવાતા હેાવાથી તે બ ંનેનું દાંપત્ય કેાઈ એ પણ જાણ્યુ નહીં, એટલે તે સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એક વખતે અનલિમિર હાથી બધનસ્થાન તાડી મહાવતાને પાડી નાખીને સ્વેચ્છાએ છૂટા થઇ ગયા અને જ્યાં ત્યાં ભમતા છતા નગરજનેાને ક્ષેાભ કરવા લાગ્યા. તેથી આ અવશ થયેલા હાથીને શી રીતે વશ કરવા ?' એમ રાજાએ અભયકુમારને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, ઉદયનની પાસે ગાયન કરાવા, તેથી તે વશ થશે.' પ્રદ્યોતે ઉદયનને કહ્યું કે, અનગિરિ હાથીની પાસે જઈ ગાયન કરે.' ઉદ્ભયને વાસવદત્તાની સાથે હાથી પાસે જઇને ગાયન કર્યું. તે ગાયન સાંભળી હાંથી સ્તબ્ધ થઈ ગયા, એટલે તેને બાંધી લીધે. રાજા પ્રદ્યોતે અભયકુમારને ખીજી વાર વરદાન આપ્યું. અભયક઼મારે તેને પણ પૂર્વની જેમ થાપણ તરીકે જ રહેવા દીધું.
એક વખતે ઉર્જાણીને નિમિત્તે ચડપ્રદ્યોત રાજા અંત:પુર પરિવાર સહિત મહદ્ધિક નગરજનોની સાથે ઉદ્યાનમાં ગયા હતા. તે સમયે ચાગ ધરાયણ નામે ઉદ્દયન રાજાને મંત્રી તેમને છેાડાવી લઈ જવાના ઉપાય ચિ'તવતા માર્ગ માં ફરતા હતા. તેને આજ ઉપાય મળી જવાથી તે પેાતાની બુદ્ધિના વૈભવની ગરમીને અંતરમાં જીરવી શકયા નહીં, તેથી ખાલી ઉઠયા. “પ્રાય જે મનમાં હોય તે જ વચનમાં આવે છે.” તે ખેલ્યા કે, તે વિશાળ લેાચનવાળી સ્ત્રીને મારા રાજાને માટે જો હું ન હરી જાઉં તે મારૂ નામ યાગ ધરાયણ નહી.’ માર્ગે જતાં ચડપ્રદ્યાતરાજાએ તેની આ વિષ્ટ વાણી સાંભળી તેથી દુષ્ટ કટાક્ષ ભરેલા નેત્રે તેની સામે જોયું. ચેષ્ટાઓથી હૃદયભાવને જાણનારા ચાગ ધરાયણે તરત જ પ્રદ્યોતરાજા કાપાયમાન થયાનું જાણી લીધું. તેથી તાત્કાલિક બુદ્ધિવાળાએમાં અગ્રેસર એવા તેણે પોતે તત્કાળ પહેરવાનું વસ્ત્ર કાઢી નાખી માથા પર મૂકયુ અને પ્રેત જેવી વિકૃત કૌશાંબીપતિના કબજામાં આવી ગયા હતા તેમાંથી છુટા થવા માટે આ પ્રમાણે ઉપાય કર્યો આકૃતિ કરી મૂત્રાત્સર્ગ કરતા તે પેાતાને ભૂત વળગ્યું છે' એમ જણાવવા લાગ્યા. તે જોઇ ‘આ કોઇ પિશાચક છે' એવું ધારીને રાજાએ તરત જ કેપના નિગ્રહ કર્યો, એટલે મહાવતે પણ હાથીને આગળ ચલાવ્યો.
ચ'ડપ્રદ્યોત રાજાએ સુંદર ઉદ્યાનમાં જઇ કામદેવરૂપ ઉન્મત્ત હસ્તીને ઉત્તેજિત કરવાના મહા ઔષધરૂપ ગાંધ`ગેાબ્દી શરૂ કરી. કૌતુકી એવા પ્રદ્યોતરાજાએ ગાંધવિદ્યાની નવીન કુશળતા જોવાને વાસવદત્તાને અને વત્સરાજને પણ ત્યાં ખેલાવ્યા. તે વખતે વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે, ‘હે શુભમુખો ખાલા ! આજે વેગવતી હાથિણી ઉપર બેસીને નાસી જવાના આપણને વખત મળ્યા છે.’ તે સાંભળી ઉજ્જયિનીપતિની દુહિતાએ ઉડ્ડયન રાજાની આજ્ઞાથી તત્કાળ વેગવતી હાથિણી સજ્જ કરીને મગાવી. જ્યારે હાથિણીને તંગ બાંધવા માંડયો ત્યારે તે હાથિણીએ ગના કરી. તે સાંભળી કાઈ અંધ જોષીએ કહ્યુ કે, તરંગ માંધતાં જે હાથિણીએ ગર્જના કરી છે, તે સા યોજન જઇને પેાતાના પ્રાણના ત્યાગ કરશે.’ પછી ઉડ્ડયનની આજ્ઞાથી વસંત મહાવને હાિિણને અને પડખે ચાર તેના મૂત્રના ઘડાઓ ખાંધ્યા. પછી વત્સરાજ, ઘાષવતી, વાસવદત્તા, કાંચનમાળા ધાત્રી અને વત મહા
૧ પિશાચ વળગેલા હોય તેવા મનુષ્ય ૨ ઘાષવતી વીણા જેના હાથમાં છે તે,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સ`ગ ૧૧ મા
વત
એ પાંચે જણા વેગવતી હાથિણી ઉપર આરૂઢ થયા. એટલામાં યોગ ધરાયણે આવીને ઉદયનને હાથવતી સ`જ્ઞા કરીને કહ્યું કે, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ.' પછી તે ચાલતાં ચાલતાં એલ્યો કે—આ વાસવદત્તા, કાંચનમાળા, વસ'તક, ઘેષવતી અને વત્સરાજ વેગવતી હાથિણી ઉપર બેસીને જાય છે.' ઘણા વેગથી હાથિણીને ચલાવતાં વત્સરાજ પણ સર્વને જાણીતા થયા. ગુપ્તપણે નાસી જઈને તેણે ક્ષત્રિયવ્રતને લેાખ્યું નહીં,
આ પ્રમાણે પાંચ જણની સાથે ઉડ્ડયન જતા રહ્યાની ખખર જાણી જાણે પાશક્રીડા કરતો હોય તેમ પ્રદ્યોત હાથ ઘસવા લાગ્યો. પછી મહા પરાક્રમી ઉજ્જયનીપતિએ તરત જ અનગિરિ હાથીને તૈયાર કરાવી, તેના પર મહા યેદ્ધા ખેાને બેસાડીને તેના પછવાડે પકડી લાવવા રવાના કર્યો. એકદમ પચવીશ યોજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી તે હાથી વેગવતી હાર્થિણીની નજીક આવી પહેાંચ્યો. એટલે ઉયને ભયકર હાથીને દીઠા. તરતજ ચાર ઘડામાંથી એક મૂત્રનો ઘડો પૃથ્વી પર પછાડી ફાડી નાખ્યો. અને હાર્થિણીને હંકારી મૂકી. હાથિણીનું મૂત્ર સુંઘવા માટે અનલિગિર હાથી ક્ષણવાર ઊભે! રહ્યો. પછી જ્યારે ઘણા કષ્ટ હાંકયો, ત્યારે પાછા ઉચ્ચનની પાછળ ચાલ્યા. ખીજીવાર નજીક આવતાં બીજો મૂત્રને ઘડો ફાડયો. એટલે વળી હાથી ક્ષણવાર અટકયો. એવી રીતે ચારે ઘડા ફાડી વત્સરાજે અનલગિરિ હાથીની ગતિને અટકાવી; અને ચાર કકડે સા યોજન પૃથ્વીને એળ ંગીને તે કૌશાંખી નગરીમાં પેસી ગયો. શ્રાંત થઈ ગયેલી હાથિણી તરત જ મૃત્યુ પામી ગઇ, પછી જેવામાં મૂત્રને સુંઘતા હાથી આવી પહેાંચ્યા, તેવામાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધ કરવાને તૈયાર થઇ સામી આવી. એટલે હાથી પર બેઠેલા મહાવતા અનલિગરને પાછેા વાળી જેમ આવ્યા હતા તેમ જ પાછા ઉજચિનીએ ચાલ્યા ગયા.
પછી કાપમાં ચમરાજ જેવા રાજા દ્યોતે સૌન્યની તૈયારી કરવા માંડી, પણુ ભક્ત એવા કુળમંત્રીઓએ તેને યુક્તિપૂર્ણાંક સમજાવીને નિવાર્યા અને કહ્યું કે, હે રાજન્ ! તમારે કાઈ યાગ્ય વરને કન્યા તો આપવી જ હતી, ત્યારે વત્સરાજથી અધિક એવા બીજો કા જામાતા મેળવશે ? વાસવદત્તા સ્વયંવરા થઈને તેને વરી તો હે સ્વામિન્ ! તેના પુણ્યથી તા ચાગ્ય વરની પ્રાપ્તિ થઈ એમ સમજો. માટે યુદ્ધની તૈયારી કરેા નહીં, તેમજ જામાતા માનો, કારણ કે તે વાસવદત્તાના કૌમારપણાને હરનાર થયા છે.' આ પ્રમાણે મ`ત્રીઓએ સમજાળ્યો, એટલે તેણે હર્ષોંથી વત્સરાજ ઉપર જામાતૃપણાને યોગ્ય એવી કેટલીક વસ્તુઓ માકલી.
એક વખતે ઉજેણી નગરીમાં માટી અશ્ચિની લ્હાય લાગી, પ્રદ્યોતે તેની શાંતિના ઉપાય અભયકુમારને પૂછયા, એટલે અભય ખેલ્યા કે-જેમ વિષનેા ઉપાય વિષ છે, તેમ અગ્રિના ઉપાય અગ્નિ છે, માટે ખીજે ઠેકાણે અગ્નિ પ્રજાળા કે જેયી તે અગ્નિ શાંત થશે.' રાજાએ તેમ કર્યું" એટલે તે લ્હાય શાંત થઇ ગઇ. રાજાએ પ્રસન્ન થઇ ત્રીજી વરદાન આપ્યું, તે પણ અભયકુમારે થાપણ તરીકે રાખ્યુ.
એક વખતે ઉજેણી નગરીમાં મહા મરકી ચાલી, તેની શાંતિને માટે રાજાએ અભયકુમારને પૂછ્યું', એટલે અભયકુમાર બાલ્યો કે-‘ તમે તમારા અંતઃપુરમાં આવે ત્યારે વિભૂષિત થયેલી તમારી સ` રાણીઓમાંથી જે રાણી તમને ષ્ટિથી જીતી લે તેનું નામ મને આપજો.' રાજાએ તેમ કર્યું, તે વખતે શિવાદેવીએ રાજાને દૃષ્ટિએ જીતી લીધા, રાજાએ તે વાત અભયકુમારને જણાવી. અભયકુમાર ખેલ્યા કે-એ મહારાણી શિવાદેવી પાતાને
Page #184
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૬૯ હાથે કૂરનું બલિદાન આપી ભૂતોની પૂજા કરે, જે ભૂત શિયાળને રૂપે સામે આવે અથવા આવીને બેસે તેના મુખમાં દેવીએ પોતાને હાથે કુરબલિ ક્ષેપવવો.” શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, એટલે તરતજ ઉત્પન્ન થયેલ અશિવ (મહામારી)ની શાંતિ થઈ ગઈ. તેથી પ્રસન્ન થઈને રાજાએ ચોથું વરદાન આપ્યું. તે વખતે અભયકુમારે ચારે વરદાન ભેગાં માગ્યાં કે, ‘તમે અનલગિરિ હાથી ઉપર મહાવત થઇને બેસે અને હું શિવાદેવીના ઉત્સગમાં પાછળ બેસું. પછી અગ્નિભીરૂ રથને ભાંગી તેના કાષ્ટની ચિતા કરાવી તેમાં પ્રવેશ કરીએ.’ આવા અભયકુમારે માગેલા વરદાનને આપવાને અસમર્થ એવા પ્રદ્યોતરાજાએ ખેદ પામી અંજલિ જેડીને અભયકુમારને છોડી મૂકી રાજગૃહી તરફ વિદાય કર્યો. ચાલતી વખતે અભયકુમારે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે “તમે તો મને છળથી પકડી મંગાવ્યો હતો પણ હું તો તમને ધોળે દિવસે નગરીની વચમાંથી “હું રાજા છું' એ પિકાર કરતાં હરી જઈશ. પછી અભયકુમાર અનુક્રમે રાજગૃહી નગરીએ આવ્યો. અને એ મહામતિએ કેટલાક કાળ નિગમન કર્યો.
અન્યદા અભયકુમાર વણિકનો વેષ લઈ બે ગણિકાની રૂપવતી પુત્રીઓને સાથે રાખી એવંતી નગરીએ આવ્યો, અને રાજમાર્ગ ઉપર એક ઘર ભાડે લઈને રહ્યો. કોઈ સમયે માર્ગે જતાં પ્રદ્યોતે તે બે રમણીઓને જોઈ અને તેમણે પણ વિલાસપૂર્વક પ્રતરાજાને નિરખ્યો. બીજે દિવસે તે રાગી રાજાએ તેમની પાસે એક દૂતી મોકલી. દૂતીએ આવીને ઘણી રીતે વિનંતી કરી પણ તેમણે રોષથી તેનો તિરસ્કાર કર્યો. બીજે દિવસે પણ તેણીએ આવીને પાછી રાજાને માટે પ્રાર્થના કરી, તે વખતે તેમણે કાંઈક ધીમેથી પણ રેષપૂર્વક અવજ્ઞા કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે તેણીએ ખેદ સાથે આવીને તેની માગણી કરી. ત્યારે તે બોલી કે-“આ અમારો સદાચારી ભ્રાતા અમારી રક્ષા કરે છે, પરંતુ તે આજથી સાતમે દિવસે બહાર ગામ જનાર છે તે વખતે રાજાએઅહિં ગુપ્ત રીતે આવવું, જેથી અમારે સંગ થશે.” અહિ અભયકુમારે પ્રઘોતરાજાની જેવાજ એક પિતાના માણસને કત્રિમ ગાંડો કરી રાખ્યો અને તેનું નામ પણ પ્રદ્યોત પાડયું. અભયકુમાર લોકોમાં તેને માટે વારંવાર કહેતો કે, “આ મારો ભાઈ ગાંડો થઈ ગયો છે, તે જેમ તેમ ભમે છે. મારે તેને મહા મુશ્કેલીઓ જાળવો પડે છે, શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિન વૈદ્યને ઘેર લઈ જવાને બહાને તેને આર્તાની જેમ માંચા ઉપર સુવાડી બાંધીને રસ્તા વચ્ચેથી લઈ જતો હતો. તે વખતે પિકાર કરતો તે ગાંડ ઉમત્ત થઈને ઉંચે સ્વરે આંખમાં અશ્રુ લાવી કહેતો હતો કે, હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે.'
હવે સાતમો દિવસ આવ્યો. એટલે પ્રતરાજા ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવ્યો. તત્કાળ અભયકુમારના સુભટોએ હાથીની જેમ તે કામાંધને બાંધી લીધે. પછી અભયે “આને વૈદ્યને ઘેર લઈ જઈએ છીએ એમ કહી તે પોકારતો રહ્યો અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈને તેને ઉપાડ્યો. પ્રથમથી એક એક કોશ ઉપર સારા અથવાળા રથ તૈયાર રાખેલો હતા, તેના વડે નિર્ભય અભયકુમારે તેને રાજગૃહી નગરીએ એકદમ પહોંચાડી દીધું. પછી અભયકુમાર તેને શ્રેણિક રાજાની પાસે લઈ ગયો, એટલે તત્કાળ શ્રેણિકરાજા પગ ખેંચીને મારવા દેવો. અભયકુમારે તેમને સમજાવ્યા એટલે તે શાંત થયા અને વસ્ત્રાભરણથી સન્માન કરીને તેમણે પ્રદ્યોતરાજાને હર્ષ પૂર્વક વિદાય કર્યો.
એક વખતે કઈ કઠીઆરાએ વિરક્ત થઈને ગણધર શ્રી સુધર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના
૨૨
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સર્ગ ૧૧ મા
લકે સ્થાને સ્થાને તેનો તિરસ્કાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સહન નહીં કરી શકવાથી તેણે ત્યાંથી વિહાર કરવા શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું. સુધર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર અભયકુમારને જણાવ્યો. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, એટલે સુધર્માસ્વામી કઠીઆરા મુનિ સાથે ત્યાં રોકાયા.
બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કેટી રને કઢાવી, રસ્તા વચ્ચે તેને ઢગલે કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લોકે ! અહી આવે, હું તમને આ ત્રણ કોટી રત્ન આપું. તે સાંભળી બેસુમાર લકે ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરૂષ સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા ત્યાગ કરે, તેનો આ રત્નરાશિ છે.” ત્યારે તેઓ બોલ્યા કે-“સ્વામિન્ ! એવું લકત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે? અભયકમાર બોલ્યો કે જો તમારામાં કોઈ તે ન હોય તો જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાષ્ટહારી (કઠીઆરા) મુનિને આ રત્નરાશિ થાઓ.” તેઓ બોલ્યા- “અરે શું આ સાધુ એવા ત્યાગી અને દાનપાત્ર છે? અમે તેનું વૃથા ઉપહાસ્ય કર્યું. પછી અભયકુમારે આજ્ઞા કરી કે, હવે પછી એ મુનિને કોઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહિ.” લોકે તે વાત સ્વીકારીને પોતપોતાને સ્થાનકે ગયા. ( આ પ્રમાણે બુદ્ધિને મહાસાગર અને પિતૃભક્તિમાં તત્પર એ અભયકુમાર નિસ્પૃહ અને ધર્માસક્તપણે પિતાનું રાજ્ય ચલાવતો હતો. પોતે ધર્મમાં પ્રવર્તતો હતો તેથી પ્રજા પણુ ધર્મમાં પ્રવર્તતી હતી. કારણ કે “પ્રજા અને પશુઓની પ્રવૃત્તિ ગેપ (પક્ષે રાજા)ને આધીન હોય છે. અભયકુમાર જેવી રીતે બાર પ્રકારના રાજચક્રમાં જાગૃત રહેતો હતો. તેવી જ રીતે અપ્રમાદીપણે બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગૃત રહેતો હતો. બંને લોકને સાધનારા તેણે જેમ દુર્જય એવા બહિરુ શત્રુઓને જીત્યા હતા, તેમ જ અંતરના શત્રુઓને પણ જીત્યા હતા,
એક વખતે શ્રેણિક રાજાએ અભયકુમારને કહ્યું કે, “વત્સ ! હવે તું રાજ્યને આશ્રય કર, એટલે હું પ્રતિદિન શ્રી વિરપ્રભુની સેવાના સુખને આશ્રય કરૂં. પિતાની આજ્ઞાના ભંગથી અને સંસારથી ભીરૂ એ અભયકુમાર બેલ્યો કે-“આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પણ તેને માટે હજુ થોડીક રાહ જુઓ” આવી વાત ચાલે છે તેવામાં શ્રી વિરપ્રભુ ઉદાયન રાજાને દીક્ષા આપી મરૂમડીમાંથી ત્યાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી “આજે મારે સારે નશીબે ભગવંત અહીં પધાર્યા એમ વિચારી હર્ષ પામીને અભયકુમાર પ્રભુની પાસે આવ્યા અને ભગવંતને ભક્તિથી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા“હે સ્વામિન્ ! જે જીવનું એકાંત નિત્યપણું માનીએ તો કૃતનાશ અને અકૃતાગમ દેષ આવે છે અને એકાંત અનિત્યપણું માનીએ તો પણ કૃતનાશ અને અકૃતાગમ દોષ આવે છે. વળી જે આત્માનું એકાન્ત નિત્યપણું લઈએ તો સુખદુઃખને ભેગ રહેતો નથી, અને એકાંત અનિત્યપણું લઈએ તો પણ સુખ દુઃખનો ભાગ રહેતો નથી, પુણ્ય અને પાપ તથા બંધ અને મેક્ષ જીવને એકાંત નિત્ય માનનારા દર્શનમાં સંભવતા નથી તેમજ એકાંત અનિત્ય માનનારા દર્શનમાં પણ સંભવતા નથી. ક્રમ અને અનુક્રમ વડે જે જીવને નિત્ય માનીએ તો તેને અર્થક્રિયા ઘટતી નથી. તેમજ જે એકાંત ક્ષણિકપણું માનીએ તો પણ અર્થ ક્રિયા ઘટતી નથી. તેથી હે ભગવન્! જે તમારા કહેવા પ્રમાણે વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ હોય તો તે યથાર્થ હોઈને તેમાં કોઈ પણ દેષ આવતો નથી. ગોળ કફને ઉત્પન્ન
Page #186
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦ મુ
૧૭૧
કરે છે અને સુંઠ પિત્તને ઉત્પન્ન કરે છે, પણ જો તે ખ'ને ઔષધમાં હોય તો કાંઈ પણુ દોષ ઉત્પન્ન થતો નથી. વળી અસત્ પ્રમાણની પ્રસિદ્ધિ વડે એ વિરૂદ્ધ ભાવ એક ઠેકાણે ન હાય એમ કહેવુ... પણ મિથ્યા છે, કારણ કે કાબરચીત્રી વસ્તુમાં વિરુદ્ધ વધુના ચાગ નજરે દેખાય છે. વિજ્ઞાનનો એક આકાર તે વિવિધ આકારના સમુદાયથી થયેલા છે તે પ્રમાણે માનતાં ત્રાજ્ઞ એવા બૌદ્ધ અનેકાંત મતને તોડી શકતો નથી, એ અને અનેકરૂપ પ્રમાણ વિચિત્ર રીતે છે’ એમ કહેવાથી વૈશેષિક મતવાળે એકાંત મતને તોડી શકતો નથી. વળી સત્ત્વાદિક વિરૂદ્ધ ગુણાથી ગુથાયેલ આત્માને માનતાં સાંખ્ય મતવાળા પણુ અનેકાંત મતને તોડી શકતો નથી, અને ચાર્વાકની વિમતિ કે સ‘મતિ મેળવવાની તો જરૂદ્દજ નથી; કારણ કે તેની બુદ્ધિ નો પરલેાક, આત્મા અને માક્ષના સંબંધમાં મૂઢ થઈ ગયેલી છે. તેથી હું સ્વામિન્ ! તમારા કથન પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે ગારસ વિગેરેની જેમ સિદ્ધ કરેલ વસ્તુ વસ્તુપણે રહેલ છે અને તે સર્વ રીતે માન્ય છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી પુનઃ પ્રભુને નમીને અભયકુમારે પૂજયુ` કે, હે સ્વામિન્! છેલ્લા રાજષ કાણુ થશે ?” પ્રભુ ખેલ્યા કે, ‘ઉદાયન રાજા’ અભયકુમારે ફરીથી પૂછ્યું', હે પ્રભુ !તે ઉદાયન રાજા કોણ ?' એટલે પ્રભુએ ઉદાયનરાજાનું ચરિત્ર આ પ્રમાણે કહી સ`ભળાવ્યુ.. સિ સૌવીરદેશમાં વીતભય નામે નગર છે, તે નગરમાં ઉત્ક્રાયન નામે પરાક્રમી રાજા હતો તે વિતભય વિગેરે ત્રણસાને ત્રેસઠ નગરના અને સિંધુસૌવીર વિગેરે સાળ દેશના સ્વામી હતો. મહાસેન વિગેરે ઢશ મુગટબદ્ધ રાજાઓના નાયક હતો, અને બીજા પણ ઘણા સામાન્ય રાજાઓના નેતા તેમજ વિજેતા હતા. સમ્યગ્ દર્શનથી પવિત્ર અને તીર્થંની પ્રભાવના કરનારી પ્રભાવતી નામે તેને એક પ્રભાવાળી પત્ની હતી. તે પ્રભાવતીના ઉત્તરથી યુવરાજની કુરાને ધારણ કરનારી અભીચિ નામે એક શ્રેષ્ઠ પુત્ર થયા હતા અને કેશી નામે તે રાજાને એક ભાણેજ હતો.
ચંપાનગરીમાં જન્મથી જ સ્ત્રીલ પટ કુમારનદી નામે એક ધનાત્ય સાની રહેતા હતા. તે જે જે રૂપવતી કન્યાને જોતો કે સાંભળતો તેને તત્કાળ પાંચસે સાનૈયા આપી પરણતો હતો. એમ કરતાં અનુક્રમે તેને પાંચસે સ્ત્રીઓ થઇ હતી. તે ઇર્ષ્યાળુ સેાની એક સ્ત’ભવાળા મહેલમાં તેની સાથે ક્રીડા કરતો હતો. તે સેાનીને નાગિલ નામે એક અતિ વલ્લભ મિત્ર હતો તે મુનિના ઉપાસક અને શુદ્ધ પચ અણુવ્રતના ધારક હતો. એક વખતે પ'ચશૈલદ્વીપમાં રહેનારી એ વ્યંતર દેવીએ શઇંદ્રની આજ્ઞાથી તેમની સાથે નદીશ્વર દ્વીપની યાત્રા કરવા ચાલી, તેમના પતિ વિદ્યમાની જે પચશૈલ દ્વીપના સ્વામી હતો, તે માગે જતાં ચવી ગયા. તેથી તે દેવીએએ વિચાયુ કે, ‘આપણે કોઈ મનુષ્ય એવા શેાધી કાઢીએ કે જે મરણ પામીને આપણા પતિ થાય.’ આમ વિચારતી તેઓ ચ પાપુરી પાસે નીકળી, ત્યાં પાચસા સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો કુમારનઢી સેાની તેમના જોવામાં આવ્યેા. એટલે તેને પોતાના પતિ કરવાની ઈચ્છાથી તે ખ'ને તેની પાસે આવી, અને પેાતાનુ' રૂપ દેખાડયુ'. તે જોઈ કુમારન`દી ખેલ્યા કે–તમે કાણુ છે ?” તેઓ ખેલી કે, હે માનવ ! અમે હ્રાસા અને પ્રહાસા નામે દેવીએ છીએ.’ તેમને જોઈ ને તે સુવણ કાર તેનાપર માહ પામી મૂર્છા પામ્યા. જ્યારે સંજ્ઞા આવી ત્યારે તેણે ક્રીડા કરવાની ઇચ્છાથી તેમની પ્રાથના કરી. તેઓ ખેલી કે, તારે અમારી ઇચ્છા હોય તો તું પચશૈલ દ્વીપમાં આવજે.' આ પ્રમાણે કહીને તે આકાશમાં ઉડી ગઇ. પછી તે સાનીએ રાજાએ દ્રવ્ય આપીને શહેરમાં આવી રીતે પડહો વગડાવી ૧ સ્વામી. ૨ જીતનાર. ૩ કાંતિવાળી–રૂપવતી.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭ર
સર્ગ ૧૦ મિ.
આઘેષણ કરાવી કે, “જે મને પંચશૈલગિરિ ઉપર લઈ જશે તેને હું કેટી દ્રવ્ય આપીશ.” કઈ એક વૃદ્ધ પડહ છબીને તે ધન ગ્રહણ કર્યું, અને એક વહાણ તૈયાર કરાવી તેમાં પુષ્કળ ભાતુ-વિગેરે ભર્યું. લીધેલું દ્રવ્ય પોતાના પુત્રોને વહેંચી આપ્યું. પછી તે વૃદ્ધ કુમારનદી સાથે નાવમાં બેસી સમુદ્રમાર્ગે ચાલ્યું. ઘણે દૂર ગયા પછી તે વૃદ્ધે કુમારનંદીને
કે-“આ સમુદ્રના કીનારા ઉપર રહેલા પર્વોતના પ્રત્યંત ભાગે જે આ વડનું વૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને જ્યારે આ નાવ નીકળે ત્યારે તું તે વૃક્ષની ડાળીને વળગી જજે. પંચશેલ દ્વીપમાંથી ત્રણ પગવાળા ભારંડપક્ષીઓ તે ઝાડ પર આવીને બેસશે. તેઓ સુઈ જાય એટલે તેમાંના એકના પગની સાથે તું વળગી પડજે. તારા શરીરને વસ્ત્રથી તેની સાથે ગાઢ રીતે બાંધી દઢ મુષ્ટિ ભીડજે. એટલે પ્રાત:કાળે તે ભારંડપક્ષીની સાથે ઉડીને તું પચશેલદ્વીપે પહોંચી જઈશ. આ યાનપાત્ર મોટા વમળમાં પડી અથડાઈને ભાંગી જશે. તેથી જો તું વડ સાથે વળગીશ નહીં તો અહીં જ મૃત્યુ પામી જઈશ.”
સુવર્ણકારે તેને કહેવા પ્રમાણે કર્યું, એટલે ભારંડપક્ષી તેને ઉપાડી ગયું. અને તે પંચશેલદ્વીપે પહોંચ્યું. પંચશેલમાં આવેલા તે સુવર્ણકારને જોઈ બંને દેવીઓ ખુશી થઈ. તેના પર અનુરક્ત થઈને બેલી કે– હે અનઘ ! તારા આ મનુષ્ય શરીરથી અમે ભાગ્ય થઈશું
, માટે અગ્નિમાં પ્રવેશ કરવા વિગેરેથી તું પંચશૈલગિરિન અધિપતિ થા. તે સાંભળી હવે મારે શું કરવું અને ક્યાં જવું ?” એમ સનીએ કહ્યું, એટલે તેમણે હાથનો સંપુટ કરી તેને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. લોકોએ તેને ઓળખીને તેને વૃત્તાંત પૂછો, એટલે તેણે પોતાની કથા કહી સંભળાવો. પછી હાસા પ્રહાસાનું સ્મરણ કરીને તે અગ્નિમાં બળી મરવા તૈયાર થયો, એટલે તેના નાગિલ મિત્રે આવી પ્રતિબોધ આપ્યો કે, “તને કાપુરૂષને યોગ્ય એવા મરણે મરવું ઉચિત નથી. આ મનુષ્ય જન્મ દુપ્રાપ્ય છે, તેને તુચ્છ ભોગફળ મેળવવાને માટે વૃથા હારી ન જા. “રત્નને બદલે કેડી કણ મૂખ લે ?” સુખભેગને અથે પણ તું અત્ ધર્મનો આશ્રય કર, કેમકે સ્વર્ગ અને મોક્ષને આપનારે તે ધર્મ અર્થ અને કામમાં પણ કામધેનુ સમાન છે. આવી રીતે કહી નાગિલમિત્રે ઘણો વાર્યો, તોપણ તે અગ્નિપ્રવેશ વડે મૃત્યુ પામી પંચશેલને અધિપતિ થયો.
પિતાના મિત્રનું આવું અપંડિત મૃત્યુ જોઈ નાગિલે નિર્વેદ પામી સદ્ય દીક્ષા ગ્રહણ કરી. નિરતિચાર ચારિત્ર પાળી કાળ કરીને તે અશ્રુત દેવલોકમાં દેવતા થયું. તેણે અવધિ. જ્ઞાન વડે પિતાના મિત્રને પંચશેલમાં ઉત્પન્ન થયેલું છે. એકદા શ્રી નંદીશ્વરની યાત્રા કરવા દેવતાઓ જતા હતા, તેમની આજ્ઞાથી તે હાસ અને પ્રાસા ગાયન કરવાને માટે સાથે ચાલી તે વખતે ઢોલ વગાડવા માટે વિદ્યુમ્ભાળીને કહ્યું. તે બોલ્યો કે શું મારી ઉપર સ્વામીને હુકમ ચાલે છે ?' આવા અહંકારથી મુખે હુંકારા કરતા તે વિદ્યુમ્ભાળીના ગળામાં જાણે મૂત્તિ માન અભિયોગ્ય કર્મ હોય તેમ તે ઢેલ વળગી પડ્યો. હાથ પગની જેમ જાણે શરીર સાથે ઉત્પન્ન થયેલ અવયવ હોય તેમ તે ઢોલને લીધે તે ઘણે લજજા પામતો હતો છતાં કઈ રીતે ઉતરી શકે નહીં. તે વખતે હાસા પ્રહાસા બોલી કે-“અરે ! અહીં જન્મ લેનારા પ્રાણીઓનું આ કર્મ જ છે, માટે લજજા પામે નહી, તમારે આ ઢોલ અવશ્ય વગાડવો જ પાડશે.” પછી હાસપ્રહાસાએ ગાયન કરવા માંડયું અને તે ઢેલને વગાડતો દેવતાઓની પાસે આગળ ચલ્યો.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૭*
- પર્વ ૧૦ મો. આ સમયે પેલે નાગિલ દેવ પણ યાત્રા કરવા જતો હતો, તેણે હાસ અને પ્રહાસાની સાથે તે દેવને ઢોલ વગાડતો જોયે; એટલે અવધિજ્ઞાન વડે તેને પોતાનો પૂર્વભવને મિત્ર જાણે તેને કાંઈક કહેવા માટે તે તેની પાસે આવ્યા. પરંતુ સૂર્યની પ્રભાથી ઘુવડની જેમ તેના અંગની પ્રમાને સહન કરવાને અશક્ત એ વિદ્યુમ્ભાળી દેવ ત્યાંથી પલાયન કરવા લાગે. તે જોઈ અમ્રુતદેવે સાયંકાળના સૂર્યની જેમ પોતાનું તેજ સંહારી વિદ્યુમ્ભાળીને ઊભે રાખીને કહ્યું કે, મારી સામે જે, તુ મને નથી ઓળખતો ” પટહધારી દેવતાએ કહ્યું,
એ કોણ છું જે તમારી જેવા મોટી ઋદ્ધિવાળા દેવેને તથા ઈ ટ્રાદિકને પણ ન જાણું ? પછી અશ્રુતદેવે પૂર્વભવની શ્રાવકનું રૂપ લઈ હાસા પ્રહાસા માટે મરણ પામતી વખતે તેને જે પ્રતિબોધ કર્યો હતો, તે યાદ આપીને કહ્યું કે, “હે મિત્ર ! તે વખતે મારા ઉપદેશથી તે આહે ધર્મને આશ્રય કર્યો નહીં અને મૂઢ બુદ્ધિ વડે પતંગની જેમ અગ્નિમાં પડીને મૃત્યુ પામ્યું અને હું તો જિનધર્મને જાણી દીક્ષા પાળીને મૃત્યુ પામ્યા. એથી આપણા બંનેને પિતાના પૂર્વ કર્મનું આવું જુદું જુદું પરિણામ આવ્યું. તે સાંભળી પંચલ. પતિ દેવને ઘણે નિર્વેદ ઉત્પન્ન થયે, તેથી તે બોલ્યો કે-“હે મિત્ર ! હવે હું શું કરું ?' ત્યારે નાગિલદેવે કહ્યું કે- મિત્ર ! તારા ગૃહસ્થપણાની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ મુદ્રાએ રહેલા ભાવતિ શ્રી મહાવીર પ્રભુની મૂતિ કરાવ. હે બંધુ ! એ આહંતી પ્રતિમાં કરાવ્યાથી તને આગામી ભવમાં બોધિબીજરૂપ મહા ફળની પ્રાપ્તિ થશે, કારણ કે રાગદ્વેષ અને મેહને
રા એવા શ્રી અરિહંતની પ્રતિમા જે કરાવે તેને સ્વર્ગ તથા મોક્ષ આપનાર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા કરાવનારને કુત્સિત જમ, કુગતિ, દારિદ્ર, દૌર્ભાગ્ય અને બીજુ કઈ પ્રકારનું કુત્સિતપણું પ્રાપ્ત થતું નથી.”
વિદ્ય—ાળી દેવ આ પ્રમાણેની તેની આજ્ઞાને સ્વીકારી સત્વર ક્ષત્રિયકુંડ ગામે આવે. ત્યાં તેણે કાર્યોત્સર્ગે રહેલા અમને જોયા. પછી મહા હિમવાનગિરિ ઉપર જઈગશીર્ષ ચંદન છેદીને તે કાષ્ટની જેવી અમારી મૂત્તિ તેણે જોઈ હતી તેવી સર્વ અલંકારયુક્ત પ્રતિમા તેણે બનાવી. પછી જાતિવંત ચંદન કાષ્ટના પોતે ઘડેલા સંપુટમાં ધનાઢય જેમ ભંડારને ગોપવી રાખે તેમ તેણે તે પ્રતિમા સ્થાપિત રાખી. અન્યદા કઈ એક વહાણ ઉત્પાત યોગથી છ માસ થયા સમુદ્રમાં ભમતું તે વિદ્યમ્ભાળીને જોવામાં આવ્યું. તેથી તત્કાળ તેને ઉત્પાત સંહારીને તે વહાણવટીને પેલો પ્રતિભાવાળે સંપુટ આ પ્રમાણે કહીને અર્પણ કર્યો કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ, તુ ઉપદ્રવ રહિત સમુદ્રને પાર પામી સિંધુસૌવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે અને તે નગરના ચૌટામાં ઊભે રહી એવી આઘોષણું કરજે કે, આ દેવાધિદેવની પ્રતિમા કઈ ગ્રહણ કરો, ગ્રહણ કર.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે વહાણવટી તે પ્રતિમાના પ્રભાવથી તત્કાળ નદીની જેમ સમુદ્રને ઉતરી કાંઠે આવી પહોંચે. ત્યાંથી સિંધુસૌવીર દેશમાં વિતભય નગરે આવી ચૌટામાં ઊભા રહીને તેણે પિલા દેવ કહ્યા પ્રમાણે આપણું કરી. તે વખતે તાપસને પરમભક્ત ઉદાયન રાજા, કેટલાક વિદડીઓ, બ્રાહ્મણે તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ વિષ્ણુ, બ્રહ્મા, શંકર કે બીજા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી કુહાડા વતી તે કાષ્ટના સંપુટને તોડવા લાગ્યા. લેકે એ પણ પોતાની રૂચિ પ્રમાણે તેની સ્તુતિ કરી કરીને ઘણા પ્રહારો કર્યા પણ એ લોઢાના કુહાડા પણ જાણે કથિરના હોય તેમ ઉલટા ભાંગી ગયા. આવા આશ્ચર્યમાં પ્રસક્ત થયેલા રાજાને ત્યાં ઊભા રહેતાં લલાટ તપે તે મધ્યાહ્ન સમય થયે. પણ સંપુટ ઉઘાડ્યો નહીં. એવામાં રાજાના ભોજનકાળને અતિકમ થવાથી તેની રાણી પ્રભાવતીએ રાજાને બોલાવવા એક દાસીને મેકલી–પતિભક્તા
Page #189
--------------------------------------------------------------------------
________________
'૧૭૪
સર્ગ ૧૦ મિ
સ્ત્રીને તેમજ ઘટે છે.” રાજાએ તે આશ્ચર્ય જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી. એટલે રાણ ત્યા આવી, તેણીએ હકીક્ત પૂછી એટલે રાજાએ કહી બતાવી. તે સાંભળી પ્રભાવતી બોલી કે- “હે સ્વામિન્ ! બ્રહ્માદિક દેવે કાંઈદેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક ભગવાન અરિહંત પરમાત્મા જ છે. તેથી આ સંપુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે તેમાં જરા પણ સંશય નથી. બ્રહ્માદિકના નામસ્મરણથી તે પ્રતિમા દર્શન આપતી નથી, પણ હું તે દેવાધિદેવના નામસ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમાને આમાંથી કાઢીને સર્વ લોકોને કૌતુક બતાવીશ.” પછી પ્રભાવતી યક્ષ કર્દમ વડે સંપુટને સીંચી પુષ્પાંજલિ ક્ષેપન કરવાપૂર્વક પ્રણામ કરીને ઉંચે
સ્વરે બોલીકે-“રાગ, દ્વેષ અને મેહથી રહિત, તેમજ અષ્ટ પ્રાતિહાર્યથી આવૃત્ત એવા દેવાધિદેવ સર્વજ્ઞ અહંત મને દર્શન આપો.” આ પ્રમાણે બોલતાંજ તે પ્રતિભાવાળો સંપુટ પ્રાતઃકાળે કમળકોશ ઉઘડે તેમ સ્વયમેવ ઉઘડી ગયો. અને તેની અંદર રહેલી, ગશીર્ષચંદનમયી, દેવનિર્મિત, અશ્લાન માલ્યને ધારણ કરતી, સર્વ અંગે સંપૂર્ણ અરિહંત પ્રભુની પ્રતિમા સર્વને જોવામાં આવી. તે સમયે અત્ શાસનની અત્યંત પ્રભાવના થઈ. પ્રભાવતી તેને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે–સૌમ્ય દર્શનવાળા, સર્વજ્ઞ, અપુનર્ભવ, જગતના ગુરૂ, ભવ્ય જનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણિરૂપ હે અત્ ! તમે જય પામે.” પછી પ્રભાવતી તે વહાણવટીને બંધુની જેમ સત્કાર કરીને તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પિતાના અંતઃપુરમાં લઈ ગઈ અને એક સુંદર ચૈત્ય કરાવીને તેમાં તે પ્રતિમાને પધરાવી. પછી ત્રિકાળ ગાનતાન પૂર્વક તે તેની પૂજા કરવા લાગી, એક વખતે પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની હર્ષથી પૂજા કરીને નિર્દોષ સંગીતને આરંભ ર્યો. તે વખતે રાજા વ્યંજન, ધાતુ, સ્વર અને રાગ સ્પષ્ટ કરતો શ્રવણ કરવા ગ્ય વીણાને વગાડવા લાગ્યું અને પ્રભાવતી અંગહારને સ્પષ્ટ કરતી તેમજ સર્વ અંગના અભિનયને દેખાડતી તાંડવપૂર્વક પ્રીતિથી નૃત્ય કરવા લાગી, આ પ્રમાણે પ્રવર્તતાં એક સમયે રાજાએ ક્ષણવાર પ્રભાવતીના મસ્તકને જોયું નહીં અને રણભૂમિમાં હોય તેમ માત્ર તેના ધડને જ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તત્કાળ ક્ષોભ પામી ગયે. તેથી જાણે નિદ્રા આવી ગઈ હોય તેમ તેના કરમાંથી વીણા વગાડવાની કાંબી પડી ગઈ. અકસ્માત તાંડવ નૃત્યનો છેદ થવાથી રાણી ક્રોધ પામીને બોલી કે “અરે
સ્વામિન્ ! તમે વાદ્ય વગાડતાં બંધ કેમ થયા? શું હું તાળમાંથી ભ્રષ્ટ થઈ?” આ પ્રમાણે તેણીએ વારંવાર કાંબી પડી જવાનું કારણ પૂછયું, ત્યારે છેવટે રાજાએ જે જોયું હતું તે જણાવી દીધું. “સ્ત્રીને આગ્રહ બળવાનું છે.તે સાંભળી રાણી બોલી- હે પ્રિય ! આવા નિમિત્તથી મારૂ: આયુષ્ય અ૫ છે, એમ નિશ્ચય થાય છે. પણ જન્મથી અહંદુ ધર્મને પાળનારી એવી મને મૃત્યુને કિંચિત્ પણ ભય નથી; ઊલટું તે દુનિમિત્તનું દર્શન અને તે આનંદને હેતુ છે. કેમકે તે મને સર્વવિરતિ અંગીકાર કરવાનો સમય સૂચવે છે. આ પ્રમાણે કહી હદય સાથે વિચાર કરતી પ્રભાવતી અંતઃપુરમાં ગઈ, પરંતુ અર્હદ્ધર્મના વચનથી જેના કાન અવિદ્ધ છે એ રાજા તે કાંઈક મનમાં કચવાયે.
એક વખતે પ્રભાવતીએ સ્નાન શૌચ કરી દેવાર્ચને માટે યોગ્ય એવાં વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં, દાસી વસ્ત્ર લાવી. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્ત્રને રક્ત જોયા. “આ વસ્ત્રો પૂજાના સમયે અનુચિત છે” એમ ધારી રાણી દાસી પર ક્રોધ પામી, તેથી તેણે તત્કાળ દાસી પર ઘા કર્યો, તેટલા પ્રહારમાત્રથી જ તે મૃત્યુ પામી ગઈ. “મૃત્યુની ગતિ વિષમ છે. પછી તરત જ પ્રભાવતીએ તે વસ્ત્રને ઉજજવળ જોયા, તેથી ચિંતવવા લાગી કે, “મને ધિક્કાર છે ! મેં મારા પ્રથમ વ્રતને ખંડિત કર્યું. બીજા પંચેદ્રિયને વિઘાત કર્યો હોય તે તે પણ
Page #190
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ સુ
૧૭૫
નરકનુ કારણ છે, તેા આ સ્ત્રીહત્યાની તેા વાતજ શી કરવી ? માટે હવે તો મારે ચારિત્ર અ’ગીકાર કરવુ... તે જ શ્રેયકારી છે.' પછી રાજ્ઞીએ તે દુનિમિત્ત રાજાને જણાવી પોતે કરેલું શ્રીહત્યાનુ મહાપાપ અને પેાતાને થયેલ વૈરાગ્ય પણ અજલિ જોડીને જણાવ્યા. પછી પ્રાથના કરી કે “હે સ્વામિન્ ! હું ખરેખર અલ્પાયુ છું, તેથી સવવરિતને માટે મને હમણાજ આજ્ઞા આપે।. પ્રથમ તમે મને મસ્તક વગરની જોઈ હતી અને હમણા મેં વસ્રના રંગને ફાફેર જોયા, આ છે દુનિમિત્ત થયા. આ એ દુર્નિમિત્તથી મને અલ્પાયુષ્યના નિશ્ચય થાય છે, તેથી હવે અહી' સમયને ચાગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં મને વિઘ્ન કરશેા નહી.' આવી રીતે જ્યારે તેણીએ ઘણા આગ્રહથી કહ્યું, ત્યારે રાજા ખેલ્યા કે-મહાદેવી ! જે તમને રૂચે તે કરો. પણ હે દેવી ! તમે દેવપણાને પામે તે જરૂર મને પ્રતિષેધ કરવા આવો. મારે માટે ક્ષણવાર સ્વના સુખને અતરાય સહન કરજો.' તે વાત કબુલ કરીને પ્રભાવતો સવિરતિપણુ' અ’ગીકાર કરી અનશન આરાધીને મૃત્યુ પામી અને પ્રથમ દેવલાકમા મહદ્ધિક દેવતા થઈ.
દેવાધિદેવની પ્રતિમા જે અંતઃપુરના ચૈત્યમાં રાખી હતી તેને દેવદત્તા નામની પ્રભાવતીની કુબ્જા દાસી તે જ પ્રમાણે પૂજતી. દેવતા થયેલ પ્રભાવતીએ ઉદાયનરાજાને ઘણી રીતે પ્રતિબોધ પમાડવા માંડયા પણ તે પ્રતિબોધ પામ્યા નહીં; તેથી અવધિજ્ઞાન વડે તેના ઉપાય ચિંતવીને આ પ્રમાણે પ્રયાગ કર્યાં. એક વખતે તે પ્રમાવી દે તાપસને રૂપે હાથમાં દિવ્ય અમૃતફળ ભરેલુ` પૂર્ણ પાત્ર લઇ ઉદાયનરાજા પાસે આવ્યા. એક તો તાપસ ને વળી તે આવી ઉત્તમ ભેટ લઇને આવ્યા, તેથી સાતુ અને સુગ'ધ જેવુ થયુ', એમ ધારી તાપસના ભક્ત રાજાએ તે તાપસને ઘણુ માન આપ્યું. પછી જાણે પરમાનંદના બીજ હોય તેમ પાકાં અને કપૂરની ખુરાખોવાળાં તે ઇષ્ટ ફળ રાજાએ ભક્ષણ કર્યાં. તેથી પ્રસન્ન થઈ ને રાજાએ તે તાપસને પૂછ્યું કે, ‘હે મહાશય ! આવાં અપૂર્વાં ફળ તમે કયાંથી મેળવ્યાં ?તે સ્થાન મને ખતાવા.' તાપસ ખોલ્યા-આ નગરની નજીકમાં વિશ્રામ નામે એક આશ્રમ છે, તેમાં આવાં ફળા થાય છે.' રાજાએ કહ્યું કે, 'ચાલેા, મને તે આશ્રમ બતાવે.' પછી દેવતા રાજાને જાણે વિદ્યા આપવી હોય તેમ ત્યાં એક જ સાથે લઇ ચાલ્યા. થોડેક દૂર જઈને તેણે પોતાની દિવ્ય શક્તિથી તેવાં જ કળાથી મનારમ અને અનેક તાપસાથી વ્યાપ્ત એવું નંદનવન જેવું એક ઉદ્યાન બતાવ્યુ. ‘આ તાપસેતુ વન છે, અને તેના પર મારી ભક્તિ છે, તેથી હવે અહી મારી ફળની ઇચ્છા પૂર્ણ થશે.' એવુ ધારી રાજા વાનરની પેઠે ફળેા લેવા દોડયો. એટલે તત્કાળ તે માયાવી તાપસા ક્રોધથી તેની સામે દોડી આવ્યા અને રાજાને મારવા માંડયો, તેથી ક્રોધ પામીને નષ્ટ બુદ્ધવાળા રાજા ચારની જેમ નાસવા લાગ્યા. નાસતાં નાસતાં તેણે આગળના ભાગમાં સાધુઓને ઉભેલા જોયા, તેમણે રાજાને ‘મય પામેા નહિ' એમ કહ્યું, એટલે રાજા તેમને શરણે ગયા. તેમણે કરેલી આશ્વાસનાથી સ્વસ્થ થઇને રાજાએ ચિંતળ્યુ કે, ‘ધિક્કાર છે. આ ક્રૂર કર્મવાળા તાપસાને કે જેએએ મને જન્મથી જ છેતર્યા છે.’ પછી સાધુએ એ તેને શિક્ષા આપી કે, ‘આ સંસારમાં એક ધર્મ જ શરણુ કરવા યેાગ્ય છે. તેથી ધર્માથી સદ્દબુદ્ધિવાળા પુરૂષે દેવ, ધર્મ અને ગુરૂની પરીક્ષા કરવી. અઢાર દોષોથી મુક્ત હોય તે જ દેવ, જેમાં દયા મુખ્ય હોય તે જ ધર્મ અને બ્રહ્મચારી તથા આરંભ પરિગ્રહ રહિત હોય તે જ ગુરૂ કહેવાય છે.’ ઇત્યાદિક ઉપદેશ વડે તે સાધુએ એ રાજાને પ્રતિબોધિત કર્યાં. તેથી હૃદયમાં કોતર્યા હોય તેમ જિનધર્મ તેના ચિત્તમાં સ્થિર થયા, પછી તે દેવા પ્રત્યક્ષ થઈ રાજાને અર્હત્ ધમ માં ૧ દૃષ્ટિ આનંદને આપે તેવા.-સુંદર.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સગ ૧૦ મા
સ્થાપન કરીને અંતર્ધ્યાન થઇ ગયા એટલે રાજાએ પોત ને સભાસ્થાનમાં જ એટ્લે જોયા. તે દિવસથી ઉદાચનરાજા દેવતત્ત્વ, ગુરૂતત્ત્વથી સમ્યક્ પ્રકારે અધિવાસિત થયા.
આ સમયમાં ગાંધાર દેશના ગાંધાર નામે કોઈ પુરૂષ શાશ્ર્વત પ્રતિમાને વાંઢવાનીઇચ્છાએ બૈતાઢગિરિ પાસે આવ્યા, અને બૈતાઢથગિરિના મૂળમાં ઉપવાસ કરીને બેઠે, એટલે શાસન દેવીએ સંતુષ્ટ થઈ તેના મનારથને પૂર્ણ કર્યા. પછી કૃતાર્થ થયેલા તે પુરૂષને દેવીએ બૈતાઢવગિરિની તળેટીમાં મૂકવા અને ધારેલા મનેાથને આપનારી એકસો આઠ ગોળીએ તેને આપી. તેમાંથી એક ગાળી મુખમાં રાખી તેણે ચિંતવ્યું કે ‘શ્રી વીતભય નગરમાં શ્રી દેવાધિદેવની પ્રતિમાની મારે વંદના કરવી છે.' એવુ' કહેતાં જ તે વીતભય નગરે પહેાંચ્યા. ત્યાં પેલી કુબ્જા દાસીએ તેને દેવાધિદેવની પ્રતિમાની વંદના કરાવી, ત્યાં રહેતાં એક દિવસે તે ગાંધારના શરીરમાં કાઈ વ્યાધિ ઉત્પન્ન થયા, તેથી અહુ ધમ માં વત્સલ એવી કુબ્જાએ તેની સેવા કરી સદ્દબુદ્ધિવાળા ગાંધારે પોતાના અવસાન કાળ નજીક આવેલા જાણી કુબ્જાને પેલી ગાળીએ આપી દીધી અને પાતે દીક્ષા ગ્રહણ કરી. કુરૂપા કુબ્જાએ રૂપની ઈચ્છાએ એક ગાળી મુખમાં રાખી, તેથી તે ઉપવાદ શય્યામાં ઉત્પન્ન થયેલી દિવ્ય રૂપને ધારણ કરનારી દેવી જેવી તત્કાળ થઇ ગઇ, તેના સ અંગાના વર્ણ સુવર્ણના જેવા થઈ ગયા. તેથી લે કે તેને ‘સુવર્ણ ગુલિકા’ એવા નામથી ખોલાવવા લાગ્યા. પછી તેણીએ બીજી ગેાળી મુખમાં રાખી ચિંતવ્યુ` કે ‘જો ચેાગ્ય પતિ ન હોય તો મારૂં આ રૂપ વૃથા છે, અહી'ના ઉઢાયનરાજા તે મારે પિતા સમાન છે અને બીજાએ તે તેના પાળા જેવા છે, તેથી પ્રચંડ શાસનવાળે ચડપ્રદ્યોત રાજા મારા પતિ થાએ' પછી દેવતાએ પ્રદ્યોતરાજાની પાસે જઇને તેણીના રૂપનુ વણું ન કર્યું. તે સાંભળી પ્રદ્યોતે કુબ્જાની પ્રાર્થનાને માટે દૂત માકલ્યા. દૂતે ત્યાં જઈને પ્રાર્થના કરી એટલે તેણીએ દૂતને કહ્યું ‘મને પ્રદ્યોતરાજા બતાવ.' તે આવી તે પ્રમાણે પ્રદ્યોતને કહ્યું, એટલે તત્કાળ ઐરાવત ઉપર બેઠેલા ઇદ્રની શેભાને ધારણ કરતો પ્રદ્યોતરાજા અનિલ વેગ હાથી ઉપર બેસીને રાત્રે ત્યાં આવ્યેા. તે કુબ્જા જેમ તેને રૂચી હતી તેમ તે પણ કુખ્તને રૂમ્યા. પછી પ્રદ્યોતે કુખ્તને કહ્યું કે, હે કમલાક્ષિ! મારી નગરીએ ચાલ.’ કુબ્જા ખોલી–‘સ્વામિન્ ! જેના વિના હું એક ક્ષણ માત્ર પણ જીવી શકું એમ નથી, એવી આ દેવાધિદેવની પ્રતિમાને મૂકીને હું કયાંય પણ જઈ શકું એમ નથી, તેથી હે રાજન ! આ પ્રતિમાની જેવી બીજી પ્રતિમા તમે કરાવી લાવા કે જેથી તે પ્રતિમા અહી” રાખીને આ પ્રતિમા લઇ જવાય” પછી રાજાએ તે પ્રતિમાને બરાબર નીરખી લીધી, અને તે રાત્રિ તેની સાથે ક્રીડા કરી પ્રાતઃકાળે પાછા ઉજ્જિયનીએ આવ્યા. ઉજ્જયિની આવીને જેવી પ્રતિમા જોઈ હતી તેવી જ જાતિવત શ્રીખડ કાષ્ટની એક પ્રતિમા કરાવી.
પછી તેણે પેાતાના મંત્રીઓને પૂછ્યું કે, ‘મેં આ દેવાધિદેવની નવી પ્રતિમા કરાવી છે, તેની પ્રતિષ્ઠા કોણ કરશે ?' મંત્રીએ ખેલ્યા કે, “સ્વામિન્ ! કૌશાંબી નામે એક નગરી છે, તેમાં સાર્થક નામવાળા જિતશત્રુ નામે રાજા હતો. સર્વ વિદ્યારૂપ સાગરના પારંગત કાશ્યપ નામે એક બ્રાહ્મણ તેને પુરાહિત હતો. તેને યશા નામે સ્ત્રી હતી. તે વિપ્રદપ તિને કપિલ નામે પુત્ર થયેા. કપિલની શિશુવયમાં જ કાશ્યપ મૃત્યુ પામ્યા, તેથી કપિલ અનાથ થઈ ગયા. જિતશત્રુરાજાએ તે બાળક કપિલના અનાદર કરીને કાશ્યપના પુરોહિતપદે બીજા બ્રાહ્મણને સ્થાપન કર્યા. ચાગ્યતા વિના આમ્નાય કયાંથી રહે?” છત્રની સંપ્રાસિથી સૂર્યનાં કિરણા જેના શરીરને સ્પર્શી કરતા નથી એવા તે બ્રાહ્મણુ નાચતા તુરંગ ઉપર આરૂઢ થઇને નગરમાં ફરવા લાગ્યા. તેને જોઈને કપિલની માતા પોતાના પતિની
Page #192
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૭૭
સમૃતિ યાદ કરી રૂદન કરવા લાગી. “મંદભાગ્યવાળાને દુઃખમાં રૂદન કરવું, તે મિત્ર સમાન છે.” માતાને રૂદન કરતી જોઈ કપિલ પણ ઊંચે સ્વરે રૂદન કરવા લાગે. કારણ કે દર્પ ણમાં પ્રતિબિંબની જેમ આપ્તજનમાં શક સંકે મેત થાય છે. બંને નેત્રેથી અશ્ર ની બે ધારાવાળું માતાનું મુખ ઊંચું કરીને કપિલ બોલ્યા કે, હે માતા ! તમે શા માટે રૂઓ છો ?” માતાએ પેલા પુરોહિતને બતાવીને કહ્યું કે-વત્સ ! આ બ્રાહ્મણની જેમ તારા પિતા પણ એક વખત તેવી જ સંપત્તિવાળા હતા, તેને સંભારીને હું રૂદન કરું છું. જ્યારે તે તારા પિતાની જેવા ગુણ ઉપાર્જન કર્યા નહીં ત્યારે તારા પિતાની ર પ્રાપ્ત થઈ. નિર્ગુણ પુત્ર પિતાની સમૃદ્ધિને રાખી શકતા નથી.” તે સાંભળી કપિલ બોલ્યા“માતા ! હું ગુણને અથી થઈને હવે અભ્યાસ કરૂં' માતાએ કહ્યું કે, “અહીં તો સર્વે તારા ઈર્ષાળુ લોકો છે, તેથી અહીં તને કોણ ભેણાવશે? તેથી જે તારી એવી વૃત્તિ હોય તો શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઈદ્રદત્ત નામે તારા પિતાને મિત્ર રહે છે. હે વહાલા પુત્ર! એ સર્વ શાસ્ત્રવેત્તા બ્રાહ્મણ વિદ્યાને અર્થે આવેલા તને પુત્ર સમાન જાણ પિતાવત્ પ્રસન્ન થઈને કળાપૂર્ણ કરશે.” પછી કપિલ ઈદ્રદત્તની પાસે ગયા અને વિજ્ઞપ્તિ કરી કે, “મને શાસ્ત્રાધ્યયન કરાવો, તમારા વિના મારે બીજું કોઈ શરણ નથી.’ ઉપાધ્યાય બોલ્યાવત્સ ! તું મારા ભાઈને પુત્ર છું. આ વિદ્યાનો મનોરથ કરીને તેં તારા પિતાને લજિત નથી કર્યો. પણ હું તને શું કહું? નિર્ધનપણને લીધે તારું આતિથ્ય કરવા હું અશક્ત છું. તું અભ્યાસ તો કર, પણ નિત્ય ભજન કયાં કરીશ? ભેજન વગર ભણવાને મનોરથ વ્યર્થ થશે. કેમકે ભજન વિના તો મૃદંગ પણ વાગતું નથી. કપિલ બોલ્યાપિતા ! ભિક્ષા વડે મારું ભોજન થઈ રહેશે. મુંજની કટિમેખલા અથવા જનોઈને ધારણ કરનારા વિપ્રબટુકોને મિક્ષ લે”િ એટલા શબ્દોથી ભેજન મળવું સિદ્ધ જ છે. બ્રાહ્મણ કદી હાથી ઉપર ચડડ્યો હોય તો પણ ભિક્ષા માગવાથી શરમાતો નથી. ભિક્ષુક બ્રાહ્મણ રાજાની જેમ ક્યારે પણ કોઈને આધીન નથી.” ઇદ્રદત્ત બોલ્યા-વત્સ! તપસ્વીઓને તો ભિક્ષા શ્રેષ્ઠ છે, પણ તને તો કદિ એકવાર ભિક્ષા ન મળી તે અભ્યાસ શી રીતે કરી શકીશ ?' આ પ્રમાણે કહી તે બાળકને પોતાની આંગળીએ વળગાડી ઈદ્રદત્ત કોઈ ધનાઢય. શાલિભદ્ર નામના શેઠને ઘેર ગયો અને ઘરની બહાર ઊભે. અહીં “૩૪ મૂકું વ: :” ઈત્યાદિક ગાયત્રીમંત્રને ઉંચે સ્વરે ભણું પિતાના આત્માને બ્રાહ્મણ તરીકે ઓળખાવે. શ્રેષ્ઠીએ તેને બોલાવી પૂછ્યું કે, ‘તુ શું માગે છે?” તે બોલે કે, આ વિપ્રબટુકને પ્રતિદિન ભેજન આપ” શ્રેણીએ તે આપવાને કબુલ કર્યું. પછી કપિલ શેઠને ઘેર ભેજન કરી આવી ઈદ્રદત્તની પાસે પ્રતિદિન અધ્યયન કરવા લાગ્યા. શાલિભદ્ર શેઠને ઘેર ભેજન કરવા જતો ત્યારે દરરોજ કોઈ એક યુવાન દાસી તેને પીરસતી હતી. આ યુવાન વિદ્યાથી ઉપહાસ્ય કરતાં તેણીની ઉપર રાગી થયો. “યુવાન પુરૂષોને સ્ત્રીનું સાનિધ્યપણુ કામદેવરૂપ વૃક્ષને દેહદ તુલ્ય છે. તે દાસો પણ તેના પર રક્ત થઈ, અનુક્રમે તેઓ પરસ્પર કામક્રીડા કરવા લાગ્યા.
એક વખતે બીજા પુરૂષને ન ઈચ્છતી એવી તે દાસીએ એકાતે આવી કપિલને કહ્યું, તમે જ મારા પ્રાણનાથ છો, છતાં તમે નિર્ધાન છે, તેથી હું માત્ર પ્રાણયાત્રાને માટે બીજા પુરૂષને ભજું છું. કપિલે તે કબુલ કર્યું. એક વખતે તે નગરમાં દાસીઓને ઉત્સવનો દિવસ આવ્યું. તે સમયે આ દાસી પુષ્પ પત્ર વિગેરેની ચિંતાથી ખેદ પામી. તેને ખેદ કરતી જોઈ કપિલ બોલ્ય- હે સુંદરી! ઝાકળથી કરમાયેલી કમળિનીની જેમ તું કેમ નિસ્તેજ જણાય છે ?” તે - ૨૩
Page #193
--------------------------------------------------------------------------
________________
સગ ૧૧ મા
બેલી-કાલે દાસીઓના મહાત્સવ છે, તેમાં મારી પાસે પુષ્પ પત્રાદિ કાંઇ નથી, તેથી હું દાસીએની વચ્ચે વગેાવાઇશ, હવે મારી શી ગતિ થશે ?” તેણીએ કહેલા દુઃખરૂપ બ્ય ́તરના આવેશથી કપિલ વિવશ થઇ ગયા અને અધીરજપણાને લીધે મૌનપણુ' ધરીને બેઠા. એટલે દાસી ખોલી કે—હૅપ્રિય ! તમે ખેદ કરેા નહી'. આ નગરમાં ધન નામે એક શ્રેષ્ઠી છે, પ્રાતઃકાળ પહેલાં તેને જે જગાડે તેને તે એ માષા સુવર્ણ આપે છે. માટે રાત્રિ વ્યતિક્રમ્યા અગાઉ તમે તેને ઘેર જજો અને ત્યાં મૃદુ સ્વરે કલ્યાણ રાગ ગાજો.’ કપિલે તેમ કરવા કબુલ કર્યુ. પછી તેજ રાત્રે ઘણું અધારૂ' હતું' તેવે વખતે તેણીએ ધન શ્રેષ્ઠીને ઘેર કપિલને માકલ્યા. માણસાની હીલચાલ વિનાના માર્ગે કપિલ ઉતાવળા ચાલ્યા જતો હતો, તેને ચાર જાણીને પુરરક્ષકાએ પકડીને માંધી લીધા. ચારની પ્રવૃત્તિ એવી હોય છે.’ પ્રાતઃકાળે તેને પ્રસેનજિત રાજાની પાસે લઇ ગયા. રાજાએ તેને પૂછ્યુ એટલે તેણે એ માષા સુવર્ણ માટે વહેલા જવાની કથા જેવી હતી તેવી કહી આવી. રાજાને તે વાત સાંભળીને તેનાપર બહુ દયા આવી તેથી ખેલ્યા કે ‘અરે દ્વિજ ! તારી જે ઈચ્છા હોય તે માગી લે હું આપીશ તે સાંભળી ‘હુ’ વિચારીને માગીશ.' એમ કહી કપિલ અશોક વનમાં જઇ યાગીની જેમ એકાન્તે એક ચિત્તો ચિ'તવન કરવા લાગ્યા ‘જો એ માષા સુવણુ માગુ તો તેનાથી માત્ર અન્નવસ્ત્રાદિક મળે, માટે રાજા પાસેથી સા સાનૈયા માંગી લઉ, લેાભમાં પડયા પછી ઘેાડી યાચના શા માટે હાય ?” વળી વિચાર્યું કે, સૈા સામૈયાથી કાંઇ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે ઈષ્ટ અર્થ ની સિદ્ધિને માટે એક હજાર સાનૈયા માગી લઉં.' વળી વિચાર્યું કે, એક હજાર સાનૈયાથી મારાં કરાંઓના વિવાહાર્દિક ઉત્સવ શી રીતે થાય, એક લાખ સાનૈયા માગી લઉ', કેમકે હુ' યાચના કરવામાં ચતુર છું.' વળી ચિંતવ્યુ કે, ‘એક લાખ સાનૈયાથી મારા મિત્રો અને સગાં સ'ખ'ધીઓના તેમજ દીનજનાના ઉદ્ધાર શી રીતે થાય, માટે એક ક્રાડ અથવા હજાર ક્રોડ સાનૈયા માગી લઉં.’ આવું ચિંતવન કરતા કેાઈ શુભ કના ઉયથી તેને શુભ પરિણામવાળી બુદ્ધિ ઉત્પન્ન થઇ બુદ્ધિ : કર્માનુસારિણી છે.' તે પાછે વિચારવા લાગ્યા કે અહા ! એ માષા સુવર્ણથી મને જે સ'તોષ હતો, ને સ'તોષ અત્યારે કાટી સામૈયાની પ્રપ્તિના વિચા રમાં પડી જવાથી જાણે ભય પામ્યા હોય તેમ મને છેડી દીધા જણાય છે. હું અહી વિદ્યા મેળવવાને માટે આવ્યા, તેમાં મને આવું દુર્વ્યસન થયું, તે સાગર પ્રત્યે જવાની ઇચ્છાવાળા હિમાલયનીય તેના જેવુ થયુ છે. મારા જેવા અધમમાં ગુરૂનુ` જ્ઞાનદાન, તે સ્થળમાં કમળ રેાપવા જેવુ' છે, કેમકે મેં અકુલીનને યાગ્ય એવુ એક નીચ દાસીનુ પણ દાસપણું કર્યું છે. પણ હવે આવા મહા માઠા વિષયાથી સર્યુ” આ પ્રમાણે વિચારતાં તે પરમ સવેગ પામ્યા અને તત્કાળ જાતિસ્મરણુ ઉત્પન્ન થતાં તે સ્વય બુદ્ધ થયા. તરતજ પેાતાની મેળે તેણે કેશના લેાચ કર્યા અને દેવતાએ રજોહરણ તથા મુખવસ્ત્રિકા વિગેરે તેણે ગ્રહણ કર્યા તે રાજાની પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું કે, ‘કહા, શું વિચાયુ ?’ પછી તેમણે પોતાના મનારથના વિસ્તાર સંભળાવી કહ્યું કે
૧૭૮
यथा लामस्तथा लाभो लोभः प्रवर्द्धते । द्विमाष्या चितित कार्य, कोटत्यापि हि निष्टित ।। '
જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લાભ થાય છે, અર્થાત્ લાભવડે લાભ વૃદ્ધિ પામે છે, જુઓ એ માષા સૂવર્ણથી ચિંતવેલું કાય કાટી સોનૈયાથી પણ પૂરૂં થયુ નહી. રાજા વિસ્મય પામીને ઓલ્યા કે, “હું તમને કાટી સાનૈયા આપીશ, માટે વ્રતને છેડી દો અને ભાગ ભાગવા, કેમકે વ્રતના ફળને માટે કોઇ જામીન નથી” કપિલ મુનિ ખોલ્યા કે, હું
Page #194
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૭૯ રાજન ! અનર્થને જ આપનાર એવા દ્રવ્યની મારે હવે કાંઈ પણ જરૂર નથી. હું તો હવે નિગ્રંથા થયે છું, માટે હે ભદ્ર!તમને ધર્મલાભ થાઓ આ પ્રમાણે કહીને કપિલ મુનિ ત્યાંથી નીકળ્યા અને નિર્મમ, નિસ્પૃહ તેમજ નિરહંકારી થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એવી રીતે દઢપણે વ્રત પાળતાં તે મહામુનિ કપિલને છ માસને દીક્ષા પર્યાય થયે છતે ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન થયું.
- રાજગૃહી નગરીના અંતરાળમાં અઢાર જનના પ્રમાણવાળી એક ભયંકર અટવી છે. તેમાં કડદાસના નામથી પ્રસિદ્ધ બલભદ્ર વિગેરે પાંચસે ચાર રહેતા હતા. તે પ્રતિબોધને
ગ્ય છે. એમ કપિલમુનિના જાણવામાં આવ્યું. તેથી તે ચેર લોકોના માટે સર્વ પ્રાણીઓને શરણ કરવા ગ્ય કપિલ કેવળી તે દારૂણ અટવીમાં ચાલ્યા. તે ચારમાંથી એક ચોર વાનરની જેમ વૃક્ષ ઉપર ચડેલે હતો, તેણે કપિલમુનિને દૂરથી આવતા જોયા, એટલે તે ચરે ચિંતવ્યું કે, “આપણે પરાભવ કરવા માટે આ કોઈક આવે છે.' તેણે તે વાત સેના પતિને જણાવી. આજે આ એક રમકડું આવ્યું.” એમ બોલતો સેનાપતિ મુનિની પાસે આવ્યો. એ અજ્ઞ સેનાપતિએ મુનિને આજ્ઞા કરી કે, “હે શ્રમણ ! નૃત્ય કરે.” કપિલમુનિ બોલ્યા કે કોઈ વાઘ વગાડનાર વાદક નથી, તો વાઘ વિના નૃત્ય શી રીતે થાય? કારણ વિના કાર્ય હેતું નથી. પછી પાંચસે ચાર હાથ વડે તાળીઓ પાડવા લાગ્યા એટલે કપિલમુનિ નાચવા લાગ્યા, અને શ્રવણ સુખ થાય તેવી રીતે ઉંચે સ્વરે આ પ્રમાણે ગાવા લાગ્યા. “આ નાશવંત સંસારમાં પૃથ્વી પર અનેક પ્રકારના દુઃખે રહેલા છે, તેથી તેવું કાર્ય કરું કે જેથી હું કદિ પણ દુર્ગતિને પામું નહિ.” આવી મતલબના પાંચસો ધ્રુવપદ કપિલમુનિએ ગાઈ બતા વ્યા કે જે બધા પ્રાકૃત ભાષામાં અને શ્રવણ કરવા ગ્ય રાગમાં બનાવેલા હતા. મહર્ષિ કપિલે ગાયેલા આ ધ્રુવપદોમાં જુદા જુદા છેવટે પાંચસે ચેર પ્રતિબોધ પામી ગયા, પછી કપિલ મહામુનિએ તે પાંચસો ચોરોને દીક્ષા આપી આ સર્વ તેમણે જ્ઞાનચક્ષુથી જોયેલું જ હતું. એ બ્રહ્મષિ કપિલ રાજગૃહી નગરીએ જઈ, દેવાધિદેવ શ્રી મહાવીરની આજ્ઞા લઈને હાલમાં તમારી નગરીને પવિત્ર કરે છે. એ સ્વયં બુદ્ધ કેવળી વેતાંબરીઓમાં શિરોમણિ છે, તે જે તમારા પુણ્યના ઉદયથી આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે તો બહુ ઉત્તમ થાય.” " પછી ઉજજયિનીના રાજાએ કપિલ કેવળ પાસે જઈ તેમની પ્રાર્થના કરી, એટલે તેમણે મંત્રથી પવિત્ર વાસક્ષેપ કરવાવડે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પછી રાજાએ બે હાથે તે પ્રતિમાનું અર્ચન તથા પૂજન કરી લુબ્ધ નર જેમ ધનને રાખે તેમ પોતાના હૃદય પાસે રાખી. પછી અનિલગ હાથીના સ્કંધ ઉપર તે પ્રતિમાં મૂકીને પોતે એક સૈનિકની જેમ તેની પાછળ બેસી તેને ધારણ કરી, દિવ્ય વિમાનથી પણ અતિ વેગવાળા ગજેંદ્ર વડે વીતભય નગરમાં આવી તે પ્રતિમા પેલી દાસીને અર્પણ કરી. દાસી તે પ્રતિમાને પ્રત્યમાં મૂકી પુરાણ પ્રતિમાં લઈને આવી, એટલે રાજાએ દાસી સહિત પ્રતિમાને ગજેન્દ્ર ઉપર બેસાડી. રાજા પણ હાથી ઉપર ચડી સત્વર ઉજજર્મિનીમાં આવ્યા. તે વખતે જાણે સન્મુખ આવતી હોય તેમ તે નગરી દેખાવા લાગી.
અન્યદા વિદિશાપુરીના રહેનારા બ્રાજિલસ્વામી નામના વણિકને વિદ્યુન્સાળી દેવે પ્રકાશિત કરેલી ગોશીષચંદનની દેવાધિદેવની તે પ્રતિમા રાજાએ અને કુન્શાએ પૂજવા માટે સપી, “ તે વિષયાસક્ત દંપતી (ચંડપ્રદ્યોત ને કુજા)ને આટલું (બીજાને સેપવું તે) પણ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સગ ૧૧ મા
ઘણું છે.” એક વખતે જાણે શરીરધારી તેજના રાશિ હોય તેવા હાથમાં પૂજાની સામગ્રી લઈને ઊભા રહેલા એ પુરૂષષ ભાજિલના જોવામાં આવ્યા. નેત્રને સુખ આપનારા અને જાણે જન્મથી જ મિત્ર હોય તેવા તે બ ંનેને જોઇને ભ્રાજિલે પૂછ્યું કે ‘તમે કોણ છે ?’ તેએ મેલ્યા-અમે કમલ અને સબલ નામે પાતાળભવનવાસી નાગકુમાર દેવા છીએ. ધરણે દ્રની આજ્ઞાથી વિશ્રુન્માળી દેવની કરેલી આ દેવાધિદેવની પ્રતિમાને પૂજાની સામગ્રી લઇને પૂજવા આવ્યા છીએ. આ નગરી પાસેની વિદિશા નદીના દ્રહને માગે અને નિત્ય સની જેમ મજ્જન અને ઉન્મજ્જન કરી છીએ, અર્થાત્ આવીએ જઈએ છીએ.’ ભ્રાજિલ એલ્ય-વ્હે દેવતા ! મારા મનુષ્યના ભવમાં તમારા પાતાળના ભવને આજે મને બતાવા. કેમકે ત્યાં રહેલી શાશ્વતી પ્રતિમાના દર્શન કરવાના મને મનાથ છેતે કૃપા કરીને પૂર્ણ કરા દેવનુ દન વૃથા થતું નથી.'' દેવાએ હા પાડી, એટલે બ્રાજિલ જવાના ઉત્સાહમાં દેવાધિદેવની અધી પૂજા કરી, અધી બાકી રાખીને નદીના દ્રહને માગે ત્યાં જવા ચાલ્યા. ત્યાં જઈને તેણે શાશ્વતી પ્રતિમાને વદના કરી ધરણેત્રે સ તુષ્ટ થઈ ને તેને કહ્યું કે ‘કાઇક પ્રસાદ માગી લે’ ભ્રાજિલ મેલ્યા-‘જેવી રીતે માંરૂં નામ બધે વિખ્યાત થાય તેમ કરે. પેાતાના નામને અવિચળ કરવું, તે જ પુરૂષોના પુરૂષ છે.’ ધરણેન્દ્ર ખેલ્યા કે-‘ચડપ્રદ્યોત રાજા તારા નામથી જાણે દેવનગર હાય તેવું દેવાધિદેવ સબધી એક નગર વસાવશે. પરંતુ તે અહી' આવવાના ઉત્સાહમાં અધ` પૂજા કરી છે, તેથી એ પ્રતિમા કેટલેક કાળે ગુપ્ત રીતે મિથ્યાષ્ટિથી પૂજાશે. તે તેની નકલ કરીને બહાર રાખશે, અને આ ભ્રાજિલસ્વામી નામે આદિત્ય છે એમ ખેલશે, સજના ‘ભ્રાજિલસ્વામી સૂર્ય’ એવા નામથી તે કૃત્રિમ પ્રતિમાની પૂજા કરશે. સાંરી રીતે યાજેલા દ ભ નિષ્ફળ થતો નથી' આ પ્રમાણે સાંભળી બ્રાજિલ ખેલ્યા‘અરે ! મારા જેવા પાપીને ધિક્કાર છે ! આ તો બહુ ખરાબ થયુ' ! મે ઘણું. અશિવકારી કામ કર્યું...! કેમકે મારા નિમિત્તે દેવાધિદેવની પ્રતિમાને ગેાપવી દઇને તે દુરાશય મિથ્યાત્વીએ મારા નામથી સૂર્ય તરીકે મારી પૂજા કરશે.’ ધરણેન્દ્ર ખેલ્યા-હે નિષ્પાપી ! તમે શા માટે શાક કરો છે ? આ દુષ્પમ કાળની લીલા જ એવી છે.’ પછી નાગકુમારા સ્વપ્નદશી ની જેમ ક્ષણમાત્રમાં જે માગે લાવ્યા હતા તે જ માગે પાછા ભ્રાજિલને તેના સ્થાનક ઉપર મૂકયે
અહી' વીતભય નગરમાં દાસી પ્રતિમા બદલીને ગઈ, તેને બીજે દિવસે ઉદાયન રાજન નિત્ય કર્મમાં તત્પર થઈ પ્રાતઃકાળે દેવાલયમાં આવ્યા. પ્રતિમાની સામુ જોતાં જ કઠમાં રહેલી પુષ્પમાળાને ગ્લાનિ પામેલી જોઇ. તત્કાળ તેણે ચિ'તવ્યુ કે, જરૂર આ પ્રતિમા બીજી છે, અસલ નથી; કારણ કે તેની ઉપર ચડાયેલાં પુષ્પા બીજે દિવસે પણ જાણે તત્કાળના ચુટેલા હોય તેવા જણાતા હતા. તેથી આ શું થયું ! વળી જાણે સ્થંભ પર રહેલી પુતળી હાય તેમ જે અહીં સદા સ્થિર રહેતી હતી, તે દાસી દેવદત્તા પણ અહી' જણાતી નથી, તેનુ શું કારણ ? વિચાર કરતાં જણાય છે કે ગ્રીષ્મઋતુમાં મરૂવાસી પ'થીઓની જેમ મારા સ હાથીઓના મઢ નાશ પામી ગયા છે તેથી જરૂર અહીં અનિલવેગ ગધહસ્તી આવી ગયા લાગે છે. એ અનિલવેગ હાથી પર બેસી અહી આવીને ચ'ડપ્રદ્યોત રાજા ગઇ રાત્રે ચારની જેમ તે પ્રતિમા અને દેવદત્તા દાસીનું હરણ કરી ગયા જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તરત જ ઉદાયન રાજાએ તેની ઉપર ચડાઈની તૈયારી કરી. જાણે બીજી જયભ’ભા હાય તેમ અશ્વોની ખરીએથી તે પૃથ્વીને વગાડવા લાગ્યા. દશ મુગટબદ્ધ રાજાએ પણ તેની પાછળ બડવા. તે બધા મળીને અગ્યાર રૂદ્રની જેમ મહા પરાક્રમીપણે શે।ભવા લાગ્યા જાગળ ભૂમિમાં ચાલતાં ઉદાયન રાજાના સૈન્યની ઉપ૨ સૂર્યનાં તીક્ષ્ણ કીરણા સ્ફુરવા લાગ્યા. ૧. જેના ગંધવડે બીજા સામાન્ય હાથીઓના મંદ ગળી જાય તે ‘ગ હસ્તી' કહેવાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૮૧
પરસ્પર અફળાતા અને પૃથ્વી પર પડતા સૈનિકોએ દિવસે પણ ઘુવડની જેમ તૃષાક્રાંત થવાથી કાંઈ પણ જોયું નહીં. તત્કાળ ઉદાયને પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું, “વ્યસન પ્રાપ્ત થતાં ઈષ્ટ દેવને કણ ન સંભારે ?” સ્મરણ કરતાં જ તે દેવ પ્રગટ થયું અને તત્કાળ નિર્મળ જળવડે ત્રણ સરવર ભરી દીધા, તે સાથે હર્ષથી સૈનિકોને પણ ભરી દીધા. પછી તેમાંથી જળપાન કરીને બધું કટક સ્વસ્થ થયું. “જળ વિના જીવી શકાય નહીં” પછી પ્રભાવતી દેવ પોતાને સ્થાને ગયો. અને ઉદાયન ઉજજયિની નગરીની સમિપે આવ્યું. થોડા વખતમાં ઉદાયનરીજા અને અવંતી પતિ ચંડપ્રદ્યોતને પરસ્પર દૂતમુખે રથસંગ્રામ કરવાની પ્રતિજ્ઞા થઈ, ધનુષ્યધારી ઉદાયન રાજા સંગ્રામના રથમાં બેઠો અને બીજા રથવાદ્યની સાથે ધનુષ્યની પણછના પણ નાદ કર્યો. પ્રદ્યોતને લાગ્યું કે “ઉદાયન રાજા રથવડે અજેય છે એટલે તે અનિલગ હાથી ઉપર બેઠે. “બળવાનની સામે શી રીતે પ્રતિજ્ઞા રહે ?” ઉદાયન રાજા તેને ગજારૂઢ થયેલે જોઈ બે કે-“અરે પાપી ! તું સત્યપ્રતિ રહ્યો નહીં તથાપિ જીવતો રહેવાનું નથી. આ પ્રમાણે કહીને પોતાના રથને વેગ વડે કુંડાળામાં ગળાકૃતિએ ફેરવતો મહા પરાક્રમી ઉદાયન રાજા હસતો હસતો યુદ્ધ કરવાને તેની નજીક ગયો અને ધનુર્ધારીઓમાં ધુરંધર એવા તેણે સોયની અણી જેવા તીક્ષણ બાણો વડે ચારે બાજુથી અનિલઘ હાથીનાં પગનાં તળીયાં વીંધી નાખ્યા. તેથી ફરતી શલાકાથી પૂરાયેલા પાત્રના મુખ જેવા ચરણ વડે તે હાથી ચાલી શક્યો નહીં અને તત્કાળ પૃથ્વી પર પડી ગયે; એટલે ઉદાયને પ્રદ્યોતને હાથી ઉપરથી નીચે પાડી પિતાના યશેરાશિની જેમ તેને હાથ વડે પકડીને બાંધી લીધે. પછી તે ઉજજયિનીપતિના લલાટ ઉપર “દાસીપતિ’ એટલા અક્ષરે પિતાની નવીન પ્રશસ્તિની જેમ ઉદાયન રાજાએ લખાવ્યા.
એ પ્રમાણે દાસની જેમ તેને અંકિત કરીને વીતભય નગરને સ્વામી પિતાની દિયપ્રતિમા લેવાને માટે વિદિશામાં જ્યાં રાખેલ હતી ત્યાં ગયે. ત્યાં જઈ તે દિવ્ય પ્રતિમાની પૂજા કરી નમસ્કાર કરીને તેને ઉપાડવા લાગ્યો, પણ પર્વતની જેમ તે કિંચિત્ ચલાયમાન થઈ નહીં. એટલે ઉદાયન તે દેવાધિદેવને વિશેષ પૂજીને બોલ્યો કે, “હે પ્રભુ! શું અભાગ્ય છે. કે તમે આવતા નથી ?' તેના જવાબમાં તે પ્રતિમાને અધિષ્ઠાયિક દેવ પ્રતિમામાં પ્રવેશ કરીને બોલ્યા કે-“હે મહાશય ! તું શેક કર નહીતારું વીતભય નગર રવૃષ્ટિથી સ્થળ જેવું થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવતો નથી.” આ પ્રમાણેના તેમના ઉત્તરથી ઉદાયન રાજા પાછો ફર્યો. પોતાના નગરે જતાં અંતરાળે પ્રયાણને રોધનારી વર્ષાઋતુ આવી, એટલે માર્ગમાં ઉદાયન રાજાએ નગરના જેવી છાવણી નાખી. “જ્યાં રાજાઓ રહે છે, ત્યાં શહેર વસી જાય છે.” દશ મુગટબદ્ધ રાજાએ તેની રક્ષાને માટે તેની ફરતો ધૂળિનો કિલ્લે કરીને રહ્યા, તેથી તે છાવણી દશપુર એવા નામથી પ્રસિદ્ધ થઈ. - ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની જન વિગેરેથી પોતાની પ્રમાણે જ સંભાળ રાખવા લાગ્યો, “ક્ષત્રિય ધર્મ જ એ છે.” અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યું, એટલે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, કેમકે તે શ્રાવક હતું. તેની આજ્ઞાથી રસોઈએ પ્રદ્યોત રાજાને પૂછ્યું કે, “આજે શું જમશે?” તે સાંભળી ઉજ્જયિનીપતિ ક્ષોભ પામીને ચિંતવવા લાગ્યું કે, “આ પ્રશ્ન આજ સુધી કોઈ વાર થયેલ નથી; આજે જ થાય છે, તેથી તે મારા કુશળને માટે જણાતું નથી. આ ઉપહાસ્યનું વચન જરૂર મારો વધ કે બંધન સૂચવે છે. આ પ્રમાણે વિચારી તેણે રાઈઆને પૂછયું કે, “આજે આ પ્રશ્ન કરવાનું શું કારણ છે? કેમકે વિદ્યાથી આકર્ષાઈને આવતી હોય તેમ રસવતી હમેશાં સમય પ્રમાણે આવ્યા કરે છે.'
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સર્ગ ૧૧ મે
રસેઈઓ બોલ્યા કે, “રાજન ! આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી અંત:પુર પરિવાર સાથે ઉપષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે. હમેશાં તો જે અમારા રાજાને માટે રસોઈ થતી હતી, તેમાંથી તમને જમાડતા હતા, પણ આજે તો તમારા એકને માટે જ રસોઈ કરવાની છે, તેથી તમને પૂછું છું. પ્રદ્યોતરાજા બોલ્યો કે, “હે પાચક! આજે મારે પણ ઉપવાસ છે, કારણકે આ પર્વ મહા ઉત્તમ કહેવાય છે, અને મારા માતપિતા શ્રાવક હતા, તેથી મારે પણ અંગીકાર કરવા યોગ્ય છે.” રસોઈઆએ પ્રદ્યોતના તે વચન ઉદાયન રાજાને કહી સંભળાવ્યા. તે સાંભળી ઉદાયન બોલ્યો કે-“એ ધૂર્તજન છે, તું શું નથી જાણતો? પરંતુ તે ગમે તે હોય તો પણ કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વને શુભ નામ આપીને આચર્યું તેથી તે મારે ધર્મબંધુ થયે, એટલે હવે તેને કારાગૃહમાં રાખગ્ય નથી. આવું વિચારી તરતજ ઉદાયને પ્રદ્યોતને છુટે કર્યો. પર્વની રીતિ પ્રમાણે તેને ખમાવી તેના લલાટમાં જે દાસીપતિ’ એવા અક્ષરો લખેલા હતા તેને ઢાંકવા સારૂ તેની ઉપર પટ્ટબંધ કર્યો. ત્યારથી રાજાઓમાં વૈભવસૂચક પટ્ટબંધને રીવાજ ચાલ્યા છે. પ્રથમ તો તેઓ માથે માત્ર મુગટને બંધ જ કરતા હતા. ઉદાયન રાજાએ પ્રદ્યોતને અવંતિદેશ પાછો આપે અને વર્ષાઋતુ વીતી એટલે પોતે વીતભય નગરમાં આવ્યું. તેની છાવણીમાં વણિકોએ એ સ્થિરવાસ કર્યો કે જેથી તેઓથી વસેલું તે નગર દશપુર નામથી પ્રખ્યાત થયું. શુદ્ધ બુદ્ધિવાળા થયેલા પ્રદ્યોતરાજાએ વીતભય નગરની પ્રતિમાના ખર્ચને માટે દશપુર નગર આપ્યું અને પોતે ઉજજયિનીમાં આવ્યું.
એક વખતે વિદિશામાં જઈને પોતે બ્રાજિલસ્વામીના નામથી ત્યાં દેવકીય નગર વસાવ્યું ધરણેન્દ્રનું વચન અન્યથા થતું નથી.” પછી તેણે વિદ્યુમ્ભાળી વાળી દેવાધિદેવની પ્રતિમાન શાસનમાં બાર હજાર ગામ આપ્યા.
અન્યદા વિતભય નગરમાં રહેલા ઉદાયન રાજાની પાસે આવીને પ્રભાવતી દેવે સ્નેહપૂર્વક કહ્યું કે-“હે રાજન! અહીં જે પ્રદ્યોતરાજાએ મૂકેલી જીવિતસ્વામીની પ્રતિમા છે, તે પણ સામાન્ય નથી, તે મહા પ્રભાવિક ઉત્તમ તીર્થરૂપ છે. એ પ્રતિમા બ્રહ્મર્ષિ મહાત્મા શ્વેતાંબરી કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરેલી છે. તેથી એ પ્રતિમાને પ્રાચીન પ્રતિમાની જેમ જ તમારે પૂજવી અને યોગ્ય સમયે મહા ફળવાળી સર્વવિરતિ ગ્રહણ કરવી.” ઉદાયને તે વાણી સ્વીકારી, એટલે તેના મનરૂપી અંકુરમાં મેઘ સમાન તે દેવ અંતર્ધાન થઈ ગયે. અન્યદા ઉદાયને ધર્મકાર્યમાં ઉઘુક્ત થઈ પૌષધશાળામાં પાક્ષિક પર્વણીએ પૌષધવ્રત ગ્રહણ કર્યું. રાત્રિજાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના સહોદર જે આ પ્રમાણે અધ્યવસીય ઉત્પન્ન થયે. બતે ગામ અને તે નગરને ધન્ય છે તે જે શ્રીવીરપ્રભુએ પવિત્ર કરેલ છે, તે રાજાદિકને પણ ધન્ય છે કે જેઓએ તેમના મુખથી ધર્મ સાંભળ્યો છે, અને જેઓએ તે વીરપ્રભુના ચરણકમળની સાંનિધ્યે પ્રતિબંધ પામી બાર પ્રકારના ગૃહીધર્મને અંગીકાર કર્યો છે, તેઓ કૃતાર્થ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેઓ સર્વવિરતિને પામ્યા છે, તેઓ ક્લાધ્ય અને વંદનીય છે, તેમને મારે નિત્ય નમસ્કાર છે, હવે જે સ્વામી આ વીતભયનગરને પિતાના વિહારવડે પવિત્ર કરે, તો હું તેમના ચરણમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.”(પ્રભુ કહે છે, “હે અભયકુમાર ! આવા તેને અધ્યવસાયે જાણી તેને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેના નગરમાં સમવસર્યા. તે રાજા અમારી પાસે આવી અમને વાંદી દેશના સાંભળીને ઘેર ગયે. પછી પિતાના વિવેકગુણની યોગ્યતા પ્રમાણે તેણે આ પ્રમાણે વિચાર્યું-હું વ્રતની ઈચ્છાવાળે થઈ જે પુત્રને રાજ્ય આપું, તે મેં તેને આ સંસારરૂપ નાટકને એક નટ કર્યો કહેવાય.
Page #198
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૮૩
નીતિવેત્તાઓ પણ રાજ્યને નરકાંત કહે છે, અર્થાત રાજ્યને અંતે નરક કહે છે, તેથી હું 'પુત્રને રાજ્ય આપીશ નહિ, કેમકે જે આપીશ તે તેને હિતકારોં કહેવાઈશ નહિ. આ વિચાર કરી સૂર્ય જેમ અગ્નિને તેજ અર્પણ કરે તેમ ઉદાયને કેશી નામના પિતાના ભાણેજને રાજાશ્રી ખેપર્ણ કરી, અને જીવતસ્વામીની પૂજાને માટે ઘણા ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા. પછી કશીરાજાએ જેને નિષ્ક્રમણ ઉત્સવ કરે છે એવા ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસથી માંડીને છટ્ઠ, અડ્રમ, દશમ અને દ્વાદશવિગેરે તપ કરવા વડે તેણે પોતાના કર્મોની જેમ પિતાના દેહને પણ શેષિત કરી નાખે છે.”
આ પ્રમાણે વૃત્તાંત કહીને છેવટે વીરપ્રભુ બેલ્યા કે- હે અભયકુમાર ! તૃણની જેમ રાજ્યલક્ષમીને છોડી શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ થયા છે.”
33% 88888888888888888888888888888888888 88888 6 इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
दशमपर्वणि रौहिणेयचरित-अभयकुमारापरिहार-उदायन चरित-प्रद्योतबंधन-उदायनप्रव्रज्यावर्णनो नाम
gશઃ સ | શ | 8BB8088888888888888888888
Page #199
--------------------------------------------------------------------------
________________
સ
૧૨
વિતભયપત્તનમાં દેવતાએ કરેલી રેણુની વૃષ્ટિ, તેથી પ્રદ્યોતરાજાએ
સ્થાપેલી જીવિતસ્વામીની પ્રતિમા સહિત વીતભયનગરનું દટાઈ જવું, અભયકુમારે લીધેલી દીક્ષા, કૃણિકચરિત્ર,
ચેપ્લરાજ ચરિત, ઉદાયિરાજા-મહાવીર
સ્વામીના પરિવારનું વર્ણન,
અભયકુમારે શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને ફરીથી પૂછયું કે, “હે સ્વામી ! રાજર્ષિ ઉદાયનનું પરિણામે શું થશે?’ ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્મની નિર્જરા કરવામાં તત્પર એવા શ્રી જ્ઞાતનંદન પ્રભુ તેના ઉત્તરમાં બોલ્યા કે-“હે અભયકુમાર ! પૃથ્વી પર વિહાર કરતાં એ ઉદાયન રાજર્ષિને અન્યદા અકાળે અપશ્ય ભૂજન કરવાથી મહા વ્યાધિ ઉત્પન્ન થશે. તેમની ચિકિત્સા કરતાં નિષ્પા૫ આશયવાળા વૈદ્યો તેમને કહેશે કે, “હે ગુણરત્નના સાગર ! તમે સ્વદેહમાં નિઃસ્પૃહ છે, તથાપિ આ રોગની શાંતિને માટે દહીં ખાઓ.” પછી રાજર્ષિ ત્યાંથી વિહાર કરી કોઈ ગાના સ્થાનમાં આવશે; કારણ કે ત્યાં નિર્દોષ દધિની ભિક્ષા સુલભ હોય છે. ત્યાંથી વિહાર કરીને જ્યાં પોતાના ભાણેજ કેશીને રાજા કરેલ છે, તે વીતભય નગરમાં આવશે. ઉદાયનને આવેલા જાણી કેશીરાજાના મંત્રીઓ તેને કહેશે કે
હે રાજન ! તમારા માતલ ઉદાયન જરૂર તપથી કંટાળી જઈને આવ્યા જણાય છે, ઈદ્રપદ જેવા રાજ્યને છોડી દેવાથી જરૂર તે પસ્તાયા છે, તેથી તે પાછા રાજ્ય લેવા ઈચ્છતા હોય એમ લાગે છે, માટે તમે તેને વિશ્વાસ કરશે નહીં.” તે સાંભળી કેશી બાલશે કે, તે પિતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે તો તેમાં મને શી ચિંતા છે? જો ધનવાન પિતાનું ધન લઈ લે તો તેમાં ગોપાળને શા માટે કોપ થાય ?” પછી મંત્રીઓ કહેશે કે, “હે રાજન ! તમને તમારા પુણ્યથી આ રોચ્ચે પ્રાપ્ત થયું છે, કાંઈ કોઈએ આપ્યું નથી અને વળી રાજધર્મ પણ તેજ છે. ક્ષત્રિય તે પિતા, ભાઈ, મામા, મિત્ર કે બીજાની પાસેથી બળાત્કારે પણ રાજ્ય લઈ લે છે, તો જે આપ્યું હે તેને તો કોણ છોડી દે ?” મંત્રીઓના આવા અતિ આગ્રહવાળા વચનથી કેશી ઉદાયન ઉપરની ભક્તિને તજી દેશે અને કહેશે કે, હવે મારે શું કરવું ?’ એટલે તેઓ ઉદાયન મુનિને વિષ અપાવવાની સલાહ આપશે. તે ઉપરથી કેશી કોઈ પશપાલિકાની પાસે ઝેરમિશ્રિત દહી અપાવશે. “જે બીજાની પ્રેરણાને વશ થઈ જાય તેનામાં શી બુદ્ધિ હેય?? ઉદાયન પર ભક્તિવાળા દેવતા તે વિષને હરી લઈ મુનિને કહેશે કે, “તમને અહીં વિષમિશ્રિત દહીંની પ્રાપ્તિ થાય તેમ છે, માટે હવે દધિની સ્પૃહા કરશે નહીં.” તે ઉપરથી ઉદાયન મુનિ દહીંને છોડી દેશે, એટલે તેમના શરીરમાં રેગ વૃદ્ધિ પામશે. “રગ પણ ભૂતની જેમ કાંઈ પણ છળ પામીને વધે છે. રોગ વૃદ્ધિ પામવાથી તેને નિગ્રહ કરવાને માટે ઉદાયન મુનિ પાછા દધિ ગ્રહણ કરશે, પણ દેવતા ત્રણવાર તેમાંથી વિષને દૂર કરી નાખશે. એકવાર તે દેવ પ્રમાદથી વિષને હરી શકશે નહીં,
Page #200
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૮૫ એટલે ઉદાયન મુનિ વિષસહિત દધિનો આહાર કરશે. જ્યારે ચૈતન્યને ચારનારા વિપ વડે મુનિ પિતાનું અવસાન સમય જાણશે ત્યારે તત્કાળ અનશન ગ્રહણ કરશે. એક માસ પર્યતા સમાધિપૂર્વક અનશન પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મૃત્યુ પામીને તે મોક્ષે જશે. ઉદાયન મોક્ષે ગયા પછી પેલે દેવ ત્યાં આવશે. તે અવધિજ્ઞાનથી બધું વૃત્તાંત જાણી કાળરાત્રિની જેમ કે પાયમાન થશે, અને તેવા કે પછી તે વીતભયનગરને રજ વડે પૂરી દેશે. ત્યારપછી પણ નિર તર ધુળિની વૃષ્ટિ કર્યા કરશે હે મહાભાગ અભય ! તે વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પેલી પ્રતિમા નિધિની જેમ પૃથ્વીમાં દટાઈ જશે. ઉદાયન મહામુનિને શય્યાતર કુંભકાર કે જે નિરપરાધી હતો, તેને ધુળી વર્ષાવનાર દેવ ત્યાંથી હરી જઈ સિનપલ્લીમાં લાવી તેના નામથી “કુંભકારકૃત’ નામનું એક સ્થાન વસાવી દઈ ત્યાં રાખશે.”
આ પ્રમાણે હકીકત સાંભળીને અભયકુમારે પ્રભુને નમીને પૂછયું કે, “હે સ્વામિનું ! ઉદાયન મુનિના કુમાર અભીચિની શી ગતિ થશે ?' પ્રભુ બોલ્યા- જ્યારે ઉદાયન પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપશે ત્યારે પ્રભાવતીનો પુત્ર અભીચિ ચિંતવશે કે, “મારા જે રાજ્યાધિકારી અને ભક્તિવાન પુત્ર છતાં પિતાએ કરજ દેવાની જેમ કેશીને રાજ્ય આપ્યું,
આ તે મારા પિતાને શો વિવેક? કેમકે કેશી તો બહેનનો પુત્ર હોવાથી માત્ર હા હા કહેવાનો જ અધિકારી છે. પણ મારા પિતા સ્વતંત્ર છે, તેથી તે જે કરવાને ઈરછે તે ભલે કરે. પણ હું કેશીની સેવા શા માટે કરૂં? કેમકે હું તો રાજપુત્ર છું.' આ પ્રમાણે ચિંતવી પિતાથી પરાભવ પામેલે અભીચિ કૃણિકની પાસે જશે. “અભિમાની પુરૂષોને પરાભવ થવાથી વિદેશ જવું તે જ સારું છે,” કૃણિક અભીચિની માશીને પુત્ર થતો હતો, તેથી અભીચિને આવેલો જોઈ તે સન્માન આપશે, એટલે ત્યાં સુખે રહેશે. સાધુઓને ઉપાસક અને જીવ અજીવ વિગેરે તને જાણનાર અભી ચ ત્યાં રહ્યો છતો શ્રાવકધર્મને યથાર્થ રીતે પાળશે. ઘણા વર્ષ સુધી અખંડિતપણે ગૃહીધર્મને પાળતાં છતાં અભીચિ ઉદાયને કરેલા પરાભવને સંભારી તે વરને સમાવી શકશે નહીં. પ્રાંતે સારી રીતે સંલેખના કરી પાક્ષિક અનશન આરાધી પિતાના વૈરની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે ઉત્તમ દેવતા થશે. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય નિર્ગમી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અભીચિને જીવ મિસે જશે.
અભયકુમારે પુનઃ પૂછયું, “હે પ્રભુ! તમે કહ્યું કે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પછી ક્યારે પ્રગટ થશે?” પ્રભુ બોલ્યા કે સૌરાષ્ટ્ર, લાટ અને ગુર્જર દેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર આર્યભૂમિનું શિરોમણિ, કલ્યાણનું સ્થાન અને અહંત ધર્મનું એક છત્રરૂપ તીર્થ થશે. ત્યાં રૌત્યને વિષે રહેલી રત્ન મયી નિર્મળ અહંતુ પ્રતિમાઓ નંદીશ્વર વિગેરે સ્થાનની પ્રતિમાની સત્યતા બતાવી આપશે. પ્રકાશમાન સુવર્ણ કળશોની શ્રેણિથી જેમના શિખર અવંકૃત છે એવા તે રૌથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયું હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વ જન શ્રાવક થશે, અને તેઓ અતિથિ વિભાગ કરીને જ ભોજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણા ધનાઢય શ્રાવકો થશે, તેઓ અત્યંત આર્ટસ્ બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમા કાળની જેમ ત્યાંના સર્વે લેકો પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હે અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સેળસે ને એગણોતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પ્રચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા
૨૪.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સર્ગ ૧૨ મે
થશે. તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઈદ્ર છે અને ક્ષમાવાન છતાં અધષ્ય એ તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પિતાના શિષ્યોને વિદ્યાપૂર્ણ કરે તેમ તે પિતાની પ્રજાને પોતાના જેવી ધર્મનિષ્ટ કરશે. શરણેશ્રુઓને શરણ કરવા લાયક અને પરનારીસહોદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરૂષગુણેથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિશામાં તુરૂષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભદ્રિકરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજ પેતાના શ્રાવક મંત્રીઓની સાથે આ ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્વને નહીં જાણતાં છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાર્યને વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમકિતપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રત) સ્વીકારશે. પછી સારી રીતે બોધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારનો પારગામી થશે, અને રાજસભામાં બેઠે છતાં પણ તે ધમંગછીથી પોતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્મચર્ચા કરશે. પ્રાય: નિરંતર બ્રહ્મચર્ય પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્દબુદ્ધિવાન તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ પણ પિતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાનો પ્રતિબોધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ અજીવ વિગેરે તને જાણનાર તે રાજા આચાર્યની જેમ બીજાઓને પણ બેધિ (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરાવશે. અત્ ધર્મના દ્રષી એવા પાંડુરોગી બ્રાહ્મણો પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઈ જશે. પરમ શ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને
દન કર્યા વગર ભોજન કરશે નહીં. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહી. વિવેકનું ફળ એ જ છે અને વિવેકીઓ સદા તૃપ્ત જ હોય છે.” પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડે નહીં તેને એ રાજા છોડી દેશે અને તેની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાને નિષેધ કરનાર એ રાજા રાજ્ય કરતે છતે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જુ જેવા શુદ્ર પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાપદ્ધિ (મૃગયા)ને નિષેધ કરનારા મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગષ્ટની ગાયોની જેમ સદા નિવિદને વાગોળશે. શાસનમાં પાકશાસને (ઈ) જેવો તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારી શેષણ કરાવશે. જેઓ જન્મથી જ માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકે એ જેને પૂરેપૂરું છોડવું નહોતું તેવા મદ્યને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મદ્યના પાત્રને ઘડવા છોડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરૂ એ મહારાજાની આજ્ઞાથી મને છોડી દેવાવડે સંપત્તિવાન થશે પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે છુતક્રીડાને છોડી નથી, તે દ્યુતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી૧, જન્મથી થયેલ શ્રાવક, ૧ ઢેડ, ચમાર વિગેરે એનીવણ.
Page #202
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૮૭ પર પારેવાની પણક્રીડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિઃસીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક માર્ગ તથા પ્રત્યેક નગરે અહંત પ્રતિમાની રથયાત્રાનો મહોત્સવ કરાવશે. દ્રવ્યને પુષ્કળ દાન વડે જગતને ઋણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પિતાને સંવત્સર ચલાવશે.
આ મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથા પ્રસંગમાં ગુરૂમુખથી કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધળિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાને મનોરથ કરશે. તે વખતે મનનો ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તોવડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરૂની આજ્ઞા લઈ ગ્ય પુરૂષની યેજના કરીને વીતભય નગરના તે સ્થળને ખોદાવવાને આરંભ કરશે તે વખતે પરમ આહંતુ એવા તે રાજાના સત્ત્વથી શાસનદેવતા ત્યાં આવીને સાનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણું પુણ્યથી ખેદાવવા માંડેલા સ્થળમાંજ તત્કાળ તે પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયન રાજાએ આપેલા ગામને આજ્ઞાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરૂષે પ્રાપ્ત થયેલી છે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસાડશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજાએ થશે, તેની પાસે અહોરાત્રી સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીઓ તાળીઓ દઈને રાસડા લેશે, પંચશબ્દ વાજીંત્રે હર્ષ પૂર્વક વાગશે, અને તેની બંને બાજુ ચામરે વીંજાતા જશે. એવી રીતે મેટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજનો પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ સેનાથી પરવારેલે કુમારપાળરાજા સર્વ સંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પોતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસાડીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પિતાના રાજભવનની પાસેના ક્રિડાભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપ્યો હતો. તે વાંચીને કુમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળરાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદને યુવરાજ હોય તે તે પ્રાસાદ જેવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે
સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળરાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરૂની ભક્તિ વડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં તારા પિતાની જે થશે.”
આ પ્રમાણે શ્રી વિરપ્રભુની પાસેથી સાંભળીને અભયકુમાર પ્રભુને નમી શ્રેણિકરાજા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે-“હે પિતાજી ! જે હું રાજા થઇશ તો પછી મારાથી મુનિ થવાશે નહીં, કારણ કે શ્રી વિરપ્રભુએ ઉદાયન રાજાને છેલ્લા રાજર્ષિ કહ્યા છે. શ્રી વિરપ્રભુ જેવા સ્વામીને પામીને અને તમારા પુત્રપણાને પામીને જે હું આ ભવદુઃખનો છેદ ન કરે તો મારા જેવો બીજો કયે પુરૂષ અધમ કહેવાય ? હે તાત! હું નામથી અભય છું, પણ ભવભયથી સભય છે, માટે જ આજ્ઞા આજ્ઞા આપે તે હું ત્રણ ભુવનને અભય આપનારા શ્રી વીર પ્રભુને આશ્રય કરૂં, અભિમાનરૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે ૧ પણ-હેડ કરીને પરસ્પર લડાવવા તે. ૨ વિશ્વને પવિત્ર કરનારી.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સગ ૧૨ મ
સર્યું. કારણ કે મહર્ષિ સ`તાષને જ શ્રેષ્ઠ સુખ કહે છે.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચનો સાંભળીને શ્રેણ કે રાજ્ય લેવા માટે તેને આગ્રહથી કહ્યું, તે પણ જ્યારે તેણે રાજ્ય ગ્રહણ કર્યું' નહી', ત્યારે છેવટે રાજાએ હર્ષોંથી અભયકુમારે વ્રત લેવાની આજ્ઞા આપી. પછી સ'તોષસુખના શત્રુ જેવા રાજ્યને તૃણની જેમ છેાડી દઇને અભયકુમારે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે અભયકુમારે વ્રત ગ્રહણ કર્યું... ત્યારે તેની માતા નદાએ પણ શ્રેણિકરાજાની આજ્ઞા લઇને શ્રી વીરપ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી. અભય અને ન ંદાએ દીક્ષા લેતી વખતે દિગ્ધ એ કુંડળા અને દિવ્ય વસ્ત્રયુગ્મ જે પ્રથમ શ્રેણિકે આપેલા હતા તે હલ્લ વિહલ્લને આપ્યા.
ભગવ`ત શ્રી વીર પ્રભુએ સુર અસુરાથી સેવાતા છતા ભવ્યજનને પ્રતિબેધ કરવાને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યા. અભયકુમાર વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચિરકાળ ચારિત્ર પાળી મૃત્યુ પામીને સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા.
જયારે અભયકુમારે શ્રી વીરપ્રભુની પાસ દીક્ષા લીધી ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા મગધપતિ શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિચાયુ” કે, “અભયકુમાર મારા સ કુમારામાં ગુણની ભૂમિરૂપ હતો, તે સુકૃતિએ તેા વ્રત લઈને પોતાનો સ્વાર્થ સાધી લીધે; તો હવે પરાક્રમી અને આયુષ્યમાન એવા કાઈ કુમારની ઉપર આ રાજ્યના ભાર મૂકવા જોઇએ; કારણ કે ‘રાજાએનો એ ક્રમ ચાલ્યા જ આવે છે.’ સગુણ હોય કે નિર્ગુણ હાય પણ પુત્ર જ પિતાની સપત્તિનો અધિકારી છે; પરંતુ જો પુત્ર ગુણી હોય તે (પતાનુ' પુણ્ય ઉજ્જવળ ગણાય છે. અભયકુમાર વિના હવે મારા વિશ્રામનુ ધામ માત્ર મારા ગુણી પુત્ર કૃણિક છે, એ જ રાજ્યને ચેાગ્ય છે. તે સિવાય બીજો કોઈ રાજ્યને યાગ્ય નથી.” આવા નિશ્ચય કરીને કુણુકને રાજ્ય આપવાના નિરધારથી શ્રેણિકે હવ્રુવિહæને અઢાર ચક્રનો હાર અને સેચનક નામે હાથી આપ્યા. તે જોઈ કૂણિકકુમારે પાતાના કાળ વિગેરે દશ બંધુઓને એકઠા કરીને કહ્યું કે, ‘પિતા વૃદ્ધ થયા તોપણ હજી રાજ્યથી તૃપ્તિ પામતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે રાજાએ તેા વ્રત ગ્રહણ કરે છે, આપણા જ્યેષ્ટ અભયકુમાર અને ધન્ય છે કે, જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છેડી દીધી; પરંતુ આપણા વિષયાંધ પિતા તેા હજુ રાજ્ય ભાગવતાં કાંઈ પણ જોતાજ નથી; માટે આજે એ પિતાને બધી લઈને આપણે સમયને યોગ્ય રાજય ગ્રહણ કરીએ, તેમાં આપણને કાંઈ પણ અપવાદ લાગશે નહી”, કારણ કે તે વિવેક વિકળ થયેલા છે. પછી આપણે રાજ્યને અગ્યાર ભાગે વહેચી લઈને ભાગવીશુ. ત્યારબાદ આપણા બધીખાને પડેલા પિતા સેંકડો વર્ષ સુધી ભલે જીવે.” આવા વિચાર કરીને તેઓએ પોતાના વિશ્વાસી પિતાને એકદમ બાંધી લીધા.” દુષ્ટ પુત્ર ઘરમાં ઉત્પન્ન થયા છતાં પણ વિષવૃક્ષ જેવાજ છે.’’
કૃણિકે શ્રેણિકને શુકપક્ષીની જેમ પાંજરામાં પૂરી દીધા, વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં; એટલુજ નહી પણ તે પાપી કૂણિક પૂર્વભવના વૈરથી પ્રતિદિન સવારે અને સાંજે તેમને સા સા ચાબુક મારતા હતો. દેવે માથે નાખેલી આ દુર્દશાને શ્રેણિક ભાગવત હતો. કેમકે ‘ગજે દ્ર સમર્થ હોય તોપણ સાંકળે બંધાયેલા શું કરી શકે ?” કૃણિક શ્રેણિકની પાસે કોઇને પણ જવા દેતા નહી, ફક્ત માતાપણાના દાક્ષિણ્યથી ચેલ્લાને જવામાં વાર્સ શકતા નહી'. ચેલ્લા પ્રતિદિન સે વાર ધાયેલી સુરા વડે સ્નાન કરીને જવાની ઉતાવળ જણાવી આ કેશે જ શ્રેણિકની પાસે વારવાર જતી હતી, અને પોતાના કેશપાશમાં
Page #204
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
પુષ્પના ગુચ્છાની જેમ કુલ્માષ (અડદ)ના એક પિંડ ગેપવી રાખી એ પતિભકતા રમણી શ્રેણિકને ગુપ્ત રીતે આપી દેતી. દુઃપ્રાપ્ય એવા તે કુમાષનો પિંડ માળવાથી રાજા તેને દિવ્ય ભાજન સમાન માનતા હતા, અને તે પિંડથી પેાતાની પ્રાણાયાત્રા કરતા હતા. કેમકે ક્ષુધા નામનો રોગ અન્નરૂપ ઔષધ વિના મૃત્યુને માટે થાય છે.” પછી ચેલણાસા વાર ધાયેલી સુરાના બિંદુએ કેશપાશમાંથી નેત્રના અશ્રુબિંદુ સાથે પડતી હતી, અને તે સુરાના બિંદુનું મેઘબિંદુનુ ચાતક પાન કરે તેમ શ્રેણિક તૃષિત થઇને પાન કરતા હતા. એ બિ’દુમાત્ર સુરાનુ’૧ પાન કરવાથી રાજા ચાબુકના ધાને બહુ વેદતે નહીં, તેમજ તૃષાથી પણ પીડિત થતા નહીં.
૧૮૯
આવી રીતે શ્રેણિકરાજાને બાંધી ઉગ્રપણે રાજ્ય કરતાં કૃણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયા. તે વધામણી લઇને આવેલા દાસદાસીઓને કૂણિકે વસ્ત્રાભરણથી આચ્છાદિત કરી કલતા જેવા કરી દીધા. પછી પોતે 'તઃપુરમાં જઈને પુત્રને હાથમાં લીધા. તેના કમળમાં રહેલા તે બાળક હસના બાળકની જેવા શાભવા લાગ્યા. નયનરૂપ કમળને સૂક્ષ્મ સમાન તે પુત્રને જોતા કૃણિક પરમ આનંદમાં મગ્ન થઈ એક àાક ખેલ્યા, જેનો ભાવાર્થ એવા હતા કે-હે વત્સ ! તું મારા અંગથી ઉત્પન્ન થયા છે અને મારા હૃદયથી અનેલા છે, તેથી મારા આત્મા સમાન છે, માટે તું સો વર્ષ સુધી જીવ !' આ પ્રમાણે વાર વાર ખેલતો કૂણિક વિશ્રાંત થયા નહી; અર્થાત્ તે શ્લાકના મિષથી હૃદયમાં નહીં સમાતા હતુ. તે વમન કરવા લાગ્યા. પછી કુમારના રક્ષણમાં ચતુર એવી વૃદ્ધ સ્ત્રી રાજાના હાથમાંથી પુત્રને સૂતિકાગ્રહની શય્યામાં લઇ ગઈ. રાજાએ પુત્રનો નતકમ મહેાત્સલ કર્યાં; અને શ્રાવક એવા બ્રાહ્મણ વિગેરેને યથારૂચિ દાન આપ્યુ. પછી શુભ દિવસે ણિકે મોટા ઉત્સવથી તે પુત્રનુ` ઉદાયી એવું નામ પાડયુ. સુવર્ણ સરખી કાંતિવાળા કુમાર દિવસે દિવસે રક્ષકાથી રક્ષણ થતા ઉદ્યાનના બ્રહ્માની જેમ વૃદ્ધિ પામવા લાગ્ય હતા. કુમારને કટી ઉપર બેસાડીને નિરંતર ફરતો કૃણિક પુતળીવાળા સ્ત'ભની જેવા લાગતો. હકાલાકાલા શબ્દોથી કુમારને ખેલાવતો કૃણિક બાલવામાં અજ્ઞાન એવા શિશુની ભાને ધારણ કરતો હતો. બેસતાં, સુતાં, ચાલતાં અને ભેજન કરતાં અ'ગુળીમાંથી મુદ્રિકાની જેમ રાજા તેને હાથમાંથી મુકતો નહાતા.
એક વખતે પુત્રવત્સલ મૂર્ણિકરાજા ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમવા બેઠા હતા; તેણે અધુ` ભાજન કર્યું, તેવામાં તે અભકે મૂત્રાત્સગ કર્યા, એટલે ઘીની ધારાી જેમ તેનાં સૂત્રી ધારા ભાજન ઉપર પડી. પુત્રના પેશાખના વેગનો ભંગ ન થાએ” એવું ધારી કૃણિકે પાતાનો સાથળ હલાવ્યો પણ નહી. “પુત્રવાત્સલ્ય એવું હોય છે.’ પણ મૂત્રથી આદ્ર થયેલુ' અન્ન પેાતાને હાર્થે દૂર કરી ખાકીનુ' અન્ન તેજ થાળમાં તે ખાવા લાગ્યે. પુત્રના પ્રેમથી તે ભેાજન પણ તેને સુખદાયક લાગ્યું. આ સમયે તેની માતા ચલ્લણા પાસે ખેડી હતી, તેને કૂણિકે પૂછ્યું કે, “હું માતા ! કોઇને પેાતાનો પુત્ર આવા પ્રિય હતો કે અત્યારે હશે ” ચલણા ખાલી “અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પણ અત્યંત વહાલા હતો, તે શું નથી જાણતા ? મને દુષ્ટ દોહદ થવા વર્ડે તું જન્મ્યા છું અને તેથી જ તું તારા પિતાનો વૈરી થયા છું; સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ દેહદ થાય છે.' ગમમાં રહેલા તુ તારા પિતાનો વૈરી છુ, એવુ જાણી મેં પતિના કલ્યાણની ૧ અસર સેરને.
Page #205
--------------------------------------------------------------------------
________________
સગ ૧૨ મા
૧૯૦
ઈચ્છાથી ગર્ભપાત કરવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા, તથાપિ તું તે તે ઔષધેાથી નાશ ન પામતાં ઉલટા પુષ્ટ થયા હતા. બળવાન પુરૂષોને સર્વ વસ્તુ પથ્ય યથા. તારા તે પિતાએ ‘હું પુત્રનુ મુખ કયારે જો ?' એવી આશાથી મારા નઠારા દોહલાતે પણ પૂર્ણ કર્યા હતા. પછી જ્યારે તું જન્મ્યા ત્યારે તને તારા પિતાનો વૈરી ધારી મે` તજી દીધા હતો. પણ તારા પિતા પાતાના જીવિતવ્યની જેમ તને પાછા લઈ આવ્યા હતા. તને તજી દીધા તે વખતે ફુકડીના પિંછાથી તારી એક આંગળી વીધાઈ ગઈ હતી. તે પાકી જવાથી અને અંદર જીવ પડવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી વચલી આંગળીને પણ તારા પિતા મુખમાં રાખતા હતા અને તે ત્યાં સુધી મુખમાં રાખતા ત્યાં સુધી તને સુખ થતુ હતું. અરે માડા ચારિત્રવાળા ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યા હતા, તેના બદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તે કારાગૃહમાં નાંખેલા છે.” કૃણિક ખેલ્યા-માતા ! મારા પિતાએ મને ગાળના માદક માકલ્યા અને હલ્લવિહલ્લને ખાંડના માકલ્યા તેનુ શું કારણ ?” ચિલ્લાણા ખાલી-“હે મૂઢ ! તું તારા પિતાનો દ્વેષી છું એવુ' જાણી મને અનિષ્ટ થયા હતા, તેથી ગાળના માદક તે મેં મેાકલ્યા હતા.” આ પ્રમાણે ખુલાસા થવાથી કૂણિક ખેલ્યા કે– “અવિચારિત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે ! પરંતુ હવે જેમ થાપણ રાખેલી પાછી સાંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં છું.” આ પ્રમાણે કડી અધુ` ભાજન કર્યું' હતું તેવી સ્થિતિમાં જ પૂર્` ભાજન કરવા ન રોકાતાં આચમન લઈ ધાત્રીને પુત્ર સાંપી કૂણિક પિતાની સમીપે જવાને ઉત્સુક થઈ ઉભા થયા, અને ત્યાં જઈને મારે હાથેજ પિતાના ચરણની ખેડી ભાંગી નાંખું” એમ વિચારી એક લાહઇડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડયો.
કૃણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરગીરા પૂર્વીના પિરચયથી કૃણિકની પાસે આવ્યા અને ણિકને ઉતાવળે આવતા જોઈ આકુળવ્યાકુળ થઇને આ પ્રમાણે મેલ્યા-“અરે રાજેંદ્ર ! સાક્ષાત્ યમરાજની જે લાહઇડને ધારણ કરી તમારા પુત્ર ઉતાવળા આવે છે, તે શું કરશે ? તે કાંઈ અમે જાણી શકતા નથી.” તે સાંભળી કૂણિકે વિચાયુ” કે “આજે તા જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તેા તે હાથમાં ચાબુક લઇને આવતો હતા અને આજે તા લાહુદડ લઈને આવે છે. વળી હું જાણી શકતા નથી કે તે મને કેવા કુત્સિત મારથી મારી નાખશે ! માટે તે આબ્યા નથી ત્યાં સુધીમાં મારે જ મરણનું શરણુ કરવુ. ચાગ્ય છે.’” આવુ' વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિહ્વાના અગ્ર ભાગે મૂકયુ, જેથી આગળથી જાણે પ્રસ્થાન કરવા તૈયાર થયેલા હોય તેમ તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.
કૃણિક નજીક આવ્યા ત્યાં તે તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કુટીને પાકાર કર્યા એને વિલાપ કરવા લાગ્યા કે હું પિતા ! હું આવા પાપકમથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયા. વળી ‘હું જઈ પિતાને ખમાયુ” આવા મારા મનેરથ પણુ અત્યારે પૂર્ણ થયે નહીં, તેથી હમણા તે હુ અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનુ વચન તો દૂર રહ્યું પણ મે તમારૂ તિરસ્કાર ભરેલુ` વચન પણ સાંભળ્યું નહીં. મને માટુ દુવ વચમાં આવીને નડયુ. હવે ભૃગુપાત, શસ્ત્ર, અગ્નિ કે જળથી મારે મરવું તે જ યુકત છે.” આ પ્રમાણે અતિ શેકમાં ત્રત્રત થયેલા કૃણિક મરવાને તૈયાર થયા; તથાપિ મ ત્રીઓએ તેને સમજાવ્યેા, એટલે તેણે શ્રેણિકના દેહના અગ્નિસ સ્કાર કર્યા.
રાજ્યમા (ક્ષય) ના વ્યાધિની જેમ દિવસે દિવસે ઘણા શાકથી ક્ષીણ થતા રાજાને જોઈ મ`ત્રીઓ ચિંતવન કરવા લાગ્યા કે−જરૂર આપણા રાજા આવા અત્યંત શોકથી મૃત્યુ
Page #206
--------------------------------------------------------------------------
________________
પવ ૧૦ મુ
૧૯૧ પામશે અને બધું રાજ્ય વિનાશ પામશે, તેથી કાંઈ પિતૃભક્તિના મિષને લઈને તેને ઉપાય રચવ જોઈએ.” આવું વિચારી તેમણે કોઈ જીર્ણ તામ્રપત્રમાં એવા અક્ષરો લખ્યા કે, “ પુત્ર આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે. પછી તે તામ્રપત્ર તેમણે રાજાની પાસે વાંચી સંભળાવ્યું; તેથી ઠગાયેલા રાજાએ પિતાને પિંડાદિ આપ્યા. ત્યારથી પિંડદાનને પ્રચાર પત્યું.
મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભોગવે છે. આવી મૂઢ બુદ્ધિથી રસવિક્રિયાને વરવાળાની જેમ રાજાએ શનૈઃ શનૈઃ શેકને છોડી દીધે તે પણ કઈ કઈવાર પિતાની શયા અને આસન વિગેરે જોવામાં આવતાં સિંહાવકન ન્યાયથી પાછો તેના હૃદયમાં શોક ઉત્પન્ન થતું હતું. ગળાના ભોથાંની જેમ વારંવાર તેને શેક ઉત્પન્ન થવા લાગ્યા, તેથી તે રાજગૃહમાં રહેવાને અશક્ત થયે; એટલે “હું અહીંથી બીજે સ્થાને શહેર વસાવું” એ વિચાર કરીને તેણે ઉત્તમ ભૂમિ શેધવાને માટે વાસ્તુવિદ્યામાં ચતુર એવા પુરૂષોને આજ્ઞા આપી. તે ઉત્તમ વાસ્તવેત્તાઓએ ભૂમિ શેધવા માટે ફરતાં ફરતાં એક ઉકાણે ચંપકનું મોટું વૃક્ષ દીઠું. તે જોઈને તેઓ વિચારવા લાગ્યા કે, “આ વૃક્ષ કોઈ ઉદ્યાનમાં નથી, અહીં કાંઈ પાણીની નીક જોવામાં આવતી નથી. તેમજ એની નીચે કયારામાં જળ પણ નથી, તે છતાં અદભુત આ શી રીતે થયું હશે ! અહો ! આની શાખાઓ કેવી વિશાળ છે ! પત્રલતા કેવી અદ્ભુત છે ! નવાં પદ્ધ કેવાં ખીલ્યાં છે ? પુષ્પોની સુગંધ કેવી આવે છે ! છત્રને પણ પરાભવ કરે તેવી કેવી સરસ શીતળ છાયા છે ? અહો ! આની નીચે વિશ્રામ કરવાની કેવી યોગ્યતા છે ? આનું સર્વ કેવું સુંદર છે ! શેભાને સ્થાનરૂપ આ ચંપક વૃક્ષ જેવું સ્વાભાવથી જ રમણિક છે, તેવું અહીં નગર વસાવશું તે તે પણ રમણિક થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ રાજા પાસે આવીને કહ્યું કે, “જેવું એ ચંપક વૃક્ષ શોભી રહ્યું છે, તેવું જ ત્યાં નગર શેભાને પામશે એ જાણે કોલ મળવાથી આવે તેમ અમને વિશ્વાસ આવે છે, માટે એ સ્થાન નગર વસાવવાને યોગ્ય છે.” પછી રાજાએ ચંપક વૃક્ષના નામથી ચંપા નામે નગરી વેગથી ત્યાં વસાવી. “રાજાઓને વચનથી કાર્ય સિદ્ધિ થાય છે. પછી કૃણિક પિતાના બ્રાતાઓની સાથે બળ વાહન વિગેરે લઈ ચંપાપુરીમાં આવીને પૃથ્વીનું રાજ્ય કરવા લાગે.
* એક વખતે હલ અને વિહલ નામના બે દીયરને સેચનક હાથી ઉપર આરૂઢ થયેલા દિવ્ય કુંડળેથી મંડિત તથા દિવ્ય હાર અને દિવ્ય વસ્ત્ર ધારણ કરવાથી અદ્ભુત શેભા વડે જાણે પૃથ્વી પર દેવ આવેલા હોય તેવા જઈ કૃણિકની સ્ત્રી પદ્માવતી સ્ત્રીપણાને યોગ્ય વિચાર કરવા લાગી કે, “આવાં દિવ્ય વસ્ત્ર, હાર, કુંડળ અને સેચનક હસ્તી વિના મારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખ જેવું છે પછી તેણીએ હલ્લવિહલ પાસેથી તે દિવ્ય હાર વગેરે લઈ લેને પોતાના પતિને આગ્રહ કર્યો, એટલે કૃણિકે તેને કહ્યું કે, “હલવિહલને જે પિતાએ આપ્યું છે, તે પાછું લેવું એગ્ય નથી, વળી પિતા સ્વર્ગમાં ગયા પછી તે એ બંને મારે વિશેષે પ્રાસાદ કરવાને ગ્ય છે. તથાપિ રાણીએ ઘણો આગ્રહ કર્યો ત્યારે છેવટે રાજાએ તે હાર માગી લેવાને કબુલ કર્યું. સ્ત્રીઓને આગ્રહ મંકોડાના આગ્રહથી પણ વિશેષ છે.. અન્યદા કૂણિકે હલ્લાવિહલની પાસે સૌભ્રાતૃપણું છોડી દઈને તે હાર વગેરે ચારે વસ્તુ માગી. એટલે “જેવી આપની આજ્ઞા” એમ કહીને તે બંને પોતાને ઘેર ગયા. પછી બુદ્ધિમાન એવા તે બંને વિચારવા લાગ્યા કે-કૃણિકનો આ અભિપ્રાય સારો નથી, પણ એનું ૧ ચારે પ્રકારનું લશ્કર.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સગ` ૧૨ મા
આપણે શું પ્રયાજન છે, આપણે તે અહિંથી કોઇ ખીજે ઠેકાણે ચાલ્યા જઈએ.’ પરાક્રમીને સર્વ ઠેકાણે શ્રેય થાય છે.” આવા નિશ્ચય કરીને તે હલ્લવિહલ્લ પેાતાનુ અંતઃપુર અને દિવ્ય હાર વિગેરે લઇ તેજ રાત્રે ત્યાંથી નીકળીને વૈશાળી નગરી તરફ ચાલ્યા; ત્યાં તેમના ચેટક નામના માતામહ હતા તેણે સ્નેહથી આલિંગન કરવા પૂક તેના સત્કાર કર્યાં અને યુવરાજની જેમ પેાતાની પાસે રાખ્યા.
પ્રાતઃકાળે કૂણિકને ખબર પડવા કે, વિહલ્લ તા ધૂની જેમ છેતરીને વૈશાલી નગરીએ ચાલ્યા ગયા છે. એટલે દાઢી ઉપર હાથ મૂકીને તે ચિંતવવા લાગ્યા કે, “અહા ! મારે તો હસ્તી વિગેરે રત્ના પણ ન રહ્યા અને તે એ ભ્રાતા પણ ન રહ્યા, સ્ત્રીની પ્રધાનતાથી અર્થાત્ તેના કહ્યા પ્રમાણે વ`વાથી હુ' ઉભય ભ્રષ્ટ થયા. તો બન્યું તે ખરૂ, પણ હવે આવુ કષ્ટ પ્રાપ્ત થતાં જો હું તેમને પાછા ન લાવું, તો એવા પરાભવને સહન કરનાર મારામાં અને વિકમાં અ ંતર શું ?” આ પ્રમાણે વિચારીને તેણે કેાઇ દૂતને સમજાવી વૈશાલી નગરીમાં ચેટકરાજાની પાસે રત્ના લઈને આવેલા પેાતાના ભાઈઓની માગણી ક૨વાને માટે મોકલ્યા. તે કૂત વૈશાલી નગરીએ પહેાંચી ચેટકરાજાની સભામાં ગયા અને ચેટકરાજાને પ્રણામ કરી આસને બેસી સભ્યતાથી આ પ્રમાણે આલ્યા-“હે રાજનૢ અહી હલ્લવિહલ કુમાર ગજાદિક રત્ના લઇને નાશી આવ્યા છે, તેમને અમારા સ્વામી કૃદ્ધિને સાંપી દો. જો નહીં સાંપા તા તમે રાજ્યભ્રષ્ટ થશેા, તેથી એક ખીલીને માટે આખું દેવાલય તેાડવા જેવુ' કરવું તમને યગ્ય નથી.” ચેટકરાજામાલ્યા કે, “બીજુ કાઈ શો આવેલ હોય તો તેને પણ સાંપાતુ નથી, તેા પછી આ તો મારા ભાણેજ છે કે જે મારા પર વિશ્વાસી છે, અને મને પુત્રવત્ પ્રિય છે, તેને મારાથી શી રીતે સેાંપી દેવાય ?” કૂત ખેલ્યા કે–“તમે શરણે આવેલા તેમને કદિ ન સોંપે તો ખેર, તેમની પાસેથી રત્ના લઇ મારા સ્વામીને અર્પણ કરશે.'' ચેટકરાજા મેલ્યા કે-“અરે ક્રૂત ! રાજા અને રકના એવા સમાન ધર્મ છે કે બીજાના વિત્તને આપી દેવાને બીજે માણસ કદિ પણ સત્તા ધરાવતા નથી. વળી બળાત્કારે કે સમજાવીને પણુ હુ' તેમની પાસેથી કાંઇ લઇ શકું તેમ નથી; કારણ કે તે મારા ધપાત્ર ભાણેજ હોવાથી દાન આપવાને ચેાગ્ય છે.” આવે ઉત્તર સાંભળી ત્યાંથી પાછા ફરીને કૃત ચપાનગરીએ આવ્યા અને ચેટકરાજાએ કહેલે ઉત્તર પેાતાના સ્વામી કૂણિકને કહી સ`ભળાવ્યા, કે જે તેના કારૂપી અગ્નિમાં વટાળીઆ જેવા થઈ પડયો.
કૂણિક તત્કાળ ચેકરાજા પર ચડાઇ કરવાને જયભ‘ભા વગડાવી, “મહા પરાક્રમી વી સિંહની જેમ બીજાના આક્ષેપને સહન કરી શકતા નથી.” ભંભાનાદ સાંભળી અસામાન્ય તેજવાળા કૂણિકરાજાના સૈનિકા સ પ્રકારે સજ્જ થઈ ગયા. કાળ વગેરે દશ મળવાન કુમારા (કૃણિકના ભાઇએ) સ રીતે સજ્જ થઈને સૌન્યની આગળ થયા. તે પ્રત્યેક કુમારની સાથે ત્રણ ત્રણ હજાર હાથીએ, તેટલા જ અશ્ર્વા, તેટલા જ રથા અને ત્રણ કાટી પાયદળાનુ સત્ય તૈયાર થયું કૂણિકાનું પ્રભુપણું હતું. આવા માટા સૈન્યની સાથે ચ'પાપતિ ચેટકરાજાની સન્મુખ ચાલ્યું; તેના સન્મના પ્રયાણ પૃથ્વી અને સૂર્યાં અને ઢંકાઈ ગયા; રાજા ચેટકે પણ અપરિમિત રૌત્યથી કૃણિકના સામી તૈયારી. કરી અઢાર મુગટબદ્ધ રાજાએ તેની ક્રૂરતા વીટાઈ વળ્યા હતા. પ્રત્યેક રાજાઓની સાથે ત્રણ હજાર ગજેન્દ્રો, તેટલા ઘેાડા, તેટલા રથ અને ત્રણ કાટી પેદળની સેના હતી. તેથી ચેટકનુ' સૈન્ય પણ કૂણિકના જેટલું જ હતુ. ૧ ઉત્તમ બધુપણું.
Page #208
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મિ ચેટકરાના વિશાળાથી ચાલીને પિતા દેશની સીમા ઉપર જઈ ઊભો રહ્યો. સામું સૈન્ય આવી મળતાં પોતાના સૈન્યમાં દુર્ભેદ્ય સાગરયૂહની રચના કરી. ચંપાપતિ કૃણિકે પણ પૂર્વે કહ્યા પ્રમાણેની પોતાની સેના વડે શત્રુસેનાથી અભેદ્ય એવા ગરૂડવ્યુહની રચના કરી. બંને સેનામાં વિનિથી આકાશ અને અંતરીક્ષને પૂરતા હજારો ઘર સૈન્ય વાછ વાગવા લાગ્યા, અને બંને સેનામાં કીર્તિના સ્તંભ હોય તેવા સ્તબ્ધ અને સેવકોએ પ્રચલિત કરેલા ખરો વડે શખવાદકે ફરવા લાગ્યા.
પ્રથમ કૃણિકના સૈન્યના નાયક કાળકુમારે ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. એટલે બંને સંન્યમાં ગજરૂઢે ગજરૂઢ, સ્વારે સ્વા૨, રથીએ રથી અને પત્તિએ પત્તિ યુદ્ધ કરવા લાગ્યા. ભાલાઓના ઘાતથી પડતા હાથીઓ અને ઘોડા વડે બધી પૃથ્વી, પર્વત અને શિલાઓવાળી હોય તેવી દેખાવા લાગી. ભાંગેલા રશે અને હણાયેલા વીરે વડે રૂધિરની નદીઓ જળમાનુષ અને બેટવાળી હોય તેવી દેખાવા લાગી. તે વખતે રણાંગણમાં વરકુંજના ફુરણાયમાન થતા ખોથી જાણે અસિપત્રનું વન પ્રગટ થયું હોય તેમ દેખાતું હતું. ખગથી કપાઈને ઉછળતા શુરવીરોના કરકમળો લઈને માંસભક્ષી રાક્ષસે કર્ણના આભૂષણનું કૌતુક પૂરૂં કરતાં હતા; અને સુભટના મસ્તકે ખગધારા વડે જુદા કરતાં હુંકાર કરવાવડે જાણે પિતાના ધડને લડવાની આજ્ઞા કરતા હોય તેમ જણાતું હતું. આ પ્રમાણે સમુદ્રનું વહાણ વડે અવગાહન કરે તેમ કાળકુમાર સાગરમૂહનું અવગાહન કરીને તેને પાર પામ્યાની જેમ ચેટકરાજાની પાસે આવ્યા. જ્યારે કાળ જે કાળકુમાર અકાળે પિતાની પાસે આવ્યો ત્યારે ચેટકરાજાએ વિચાર્યું કે, “વજાની જેમ આ કુમારને કઈ પણ ખલિત કરી શકયું નહીં, તેથી આ સન્મુખ આવતા કાળકુમાર કે જે રણરૂપ સાગરમાં મંદરગિરિ જે છે, તેને હું આ દિવ્ય બાણથી ક્ષણમાં નિગ્રહ કરું, આ વિચાર કરી પ્રાણરૂપ ધનને ચોરનારૂં એક બાણ છોડી ચેટકે કાળકુમારને તત્કાળ પંચત્વ પમાડી દીધો. તે સમયે કાળકુમારની જેમ સૂર્ય પણ અસ્ત પામ્ય અને ચંપાપતિનું સૈન્ય જેમ શેક્યસ્ત થયું તેમ આખું જગત પણ અંધકારથી ગ્રસ્ત થયું. તે રાત્રીએ ચંપાપતિનું સૈન્ય યુદ્ધ છેડી દીધા છતાં જાગ્રત જ રહ્યું. કેમકે અભક્ત સ્ત્રીવાળા પુરૂષની જેમ માથે બૈરવાળા પુરૂષને નિદ્રા ક્યાંથી આવે ? ચેટકરાજાના સન્યમાં તેના સુભટોએ વીરજયંતી કરી વાઈના નાદ વડે આનંદમાં નિશા નિર્ગમન કરી. - બીજે દિવસે ચંપાપતિ કૃણિકે સેનાપતિના પદ ઉપર કાળના નાના ભાઈ મહાકાળનો અભિષેક કર્યો, તેને પણ ચેડક રાજાએ કાળની જેમ મારી નાખે. એવી રી એના પતિના પદ ઉપર આવેલા શ્રેણિક રાજાના બીજા આઠ કુમારોને પણ ચેટકે એક એક દિવસે મારી નાંખ્યા એ પ્રમાણે જ્યારે પિતાની જેવા કાળ વિગેરે દશ કુમારો માર્યા ગયા ત્યારે કૃણિકે, વિચાર કર્યો કે “દેવતાના પ્રસાદથી એક બાવડે ચેટકરાજા સૌને જીતી લે છે, તેથી હવે તે કેટી મનુષ્યોથી પણ જીતી શકાશે નહીંમને ધિક્કાર છે કે, ચેટકને આ પ્રભાવ જાણયા વગર દેવ જેવા મારા દશ ભાઈઓને મેં હણાવી નાંખ્યા હવે જે યુદ્ધ કરીશ તો જે ગતિ તેમની થઈ તે ગતિ મારી પણ થશે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી; તેમ હવે ભ્રાતૃવધ જોઈને મારે અહીંથી પાછા વળવું તે ઘટિત નથી, માટે હું પણ દેવતાનું આરાધન કરીને તેના પ્રભાવથી શત્રુને જીતી લઉં. “દિવ્ય પ્રભાવ દિવ્ય પ્રભાવ વડે જ બાવિત થાય છે.” ઉપર પ્રમાણે ઉપાય ચિંતવી હૃદયમાં કેઈ દેવનું ધ્યાન ધરીને શ્રેણિકકુમાર કૂણિક અતુમ ભક્ત કરી સ્થિતિ થે. પૂર્વ જન્મના તપથી અને તેમાં આ જન્મનું તપ મળવાથી શ દ્ર
૨૫
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સર્ગ ૧૨ મે, અને ચમરેંદ્ર તત્કાલ ત્યાં આવ્યા. તેમણે કૃણિકને કહ્યું કે, “હે ભદ્ર ! શી ઇચ્છા છે ?” તે બોલ્યા- “જો તમે પ્રસન્ન થયા છે તો ચેટકરાજાને હણી નાંખે.” શકે કે ફરીથી કહ્યું કે તે સિવાય બીજુતકાંઈ માગે, કારણ કે ચેટકરાજા શ્રાવક હોવાથી મારો સાધર્મિક છે, તેથી તેને હું કદિ પણ હણુશ નહી. તથાપિ હું તારા દેહની રક્ષા કરીશ કે જેથી તેનાથી તું જીતાઈશ નહીં,” કૃણિકે “gષથતુકહી તે વાત સ્વીકારી. પછી ચમરેદ્ર મહાશિલ. કંટક અને રથમૂશળ નામે બે વિજયદાયક સંગ્રામ કરવાનું કહ્યું. પહેલા મહાશિલા કંટક સંગ્રામમાં દુશ્મન તરફથી મહાશિલા આવે તો તે મોટા શસથી અધિક થઈ પડે છે. બીજા રથમૂશળ સંગ્રામમાં ચારે તરફ ભમવાપણું થાય છે અને તેથી સર્વત્ર સંગ્રામ કરવા ઉઠેલું શત્રુઓનુ સન્ય જોવામાં આવી જાય છે, પછી સુરેંદ્ર, અસુરેંદ્ર, અને નરેંદ્ર (ફૂણિકે) મળીને ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવા માંડયું, તે વખતે નાગરથી પૌત્ર વરૂણ કે જે શ્રાવકના દ્વાદશ વ્રતને પાળનાર, સમ્યગદષ્ટિ, છઠને છઠે ભજન કરનાર, સંસારથી વિરકત, અને રાજાભિયેગી છઠ્ઠને અંતે પણ અઠ્ઠમ કરનાર હતો, તેની ચેટકરાજાએ ઘણી પ્રાર્થના કરી એટલે તે રથમૂશળ નામના દુસહ સંગ્રામમાં સત્ય પ્રતિજ્ઞા લઈ સેનાપતિ થઈને યુદ્ધ કરવા પેઠો. તે યુદ્ધ કરવા માટે આક્ષેપ કરતો છતો અસહ્ય વેગવાળા રથ વડે કણિકના સેનાપતિ ઉપર ધસી આવ્યું. રથને સામસામા કરી તે બંને યુદ્ધની ઇચ્છાથી જાણે પૃથ્વી પર સૂર્ય અને આવ્યા હોય તેમ એકબીજાની નજીક આવ્યા. કૃણિકનો સેનાપતિ યુદ્ધની માગણી કરતે છતે વરૂણની સામે ઊભું રહીને તેને “ઘા કર, ઘા કર એમ કહેવા લાવ્યો. તેના ઉત્તરમાં વરૂણ બે કે-હે મહાભુજ ! હું શ્રાવક છું, તેથી મારે એવું વ્રત છે કે, કોઈની ઉપર પ્રથમ પ્રહાર કરે નહીં.' તે સાંભળી “હે મહાસત્વ ! સાબાશ છે' એમ કહી કણિકના સેનાપતિએ તેની ઉપર બાણ છોડયું કે જેથી વરૂણનું મર્મસ્થાન વિધાઈ ગયું, પછી વરૂણે રાતા નેત્ર કરી એક પ્રહાર વડે જ કૃણિકના સેનાપતિને યમદ્વારમાં પહોંચાડી દીધે; અને તત્કાળ ગાઢ પ્રહારથી વિધુર થયેલે તે રણમાંથી નીકળી ગયે. બહાર નીકળી એક ઠેકાણે તૃણને સંથાર કરી તે પર બેસીને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો
આ શરીર વડે સર્વ રીતે સ્વામીનું કાર્ય કર્યું છે, હવે અંતકાળ સમીપ આવેલો હેવાથી સાધવાને અવસર છે, તેથી હવે મહાપૂજ્ય એવા અરિહંત, સર્વ સિદ્ધ, સાધુઓ અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું મારે શરણ હો; હું સર્વ જીવોને ખમાવું છું; તેઓ બધા મારા અપરાધને ખમ. મારે હવે સર્વ જીવો સામે મૈત્રી છે, કેઈની સાથે શૈર નથી. ત્રણ જગતમાં મારું કઈ નથી અને હું કઈ નથી. મારામાં જે જગના પદાર્થો પર મમતા હતી, તેને હુ છોડી દઉં છું. મેં મૂઢ થઈને કયા કયાપા સ્થાનકે સેવ્યા નથી ? હવે અત્યારે નિગી થયેલે એ જે હું તેના સર્વ દુષ્કૃત્ય મિથ્યા થાઓ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણામાં જે જે દુષ્કૃત્ય કર્યા હોય તે સર્વને હું બિંદુ છું, શ્રી વીરપ્રભુ એક જ મારી ગતિ હો” આ પ્રમાણે આરાધના કરીને તેણે ચતુવિધ આહારના પચ્ચખાણ કર્યો અને પછી સમાહિત મને નવકાર મંત્રનું ધ્યાન કર્યું. એ સમયે વરૂણને એક મિત્ર મિથ્યાત્વી હતા, તે રણમાંથી એકાએક બહાર નીકળી વરૂણની પાસે આવ્યું અને આ પ્રમાણે બે કે – હે મિત્ર! હું તમારા સ્નેહથી વેચાણ થયેલ છું, તેથી અજ્ઞ છતાં પણ તમારા અંગીકાર કરેલા માર્ગને સ્વીકારું છું. એમ કહીને તે પણ તેની જેમ ધ્યાનપરાયણ થયે. વરૂણ નવકાર મંત્રને જપતે છતો ધર્મધ્યાનમાં પરાયણ થઈ સમાધિ વડે મરણ પામીને
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૫
પર્વ ૧૦ મું સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે, ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર ૫૫મનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. તેને મિથ્યાવી મિત્ર પણ વરૂણના માર્ગે જ મૃત્યુ પામી તેને મિત્ર દેવતા થઈ કોઈ ઉત્તમ કુળમાં મનુષ્ય થશે, અને ફરીને વિદેહક્ષેત્રમાં પુન: ઉત્તમ કુળમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી મુક્તિમાર્ગને આરાધીને મોક્ષપદને પામશે.
મરણ પામવાના ખબર મળવાથી ચેટકરાજાના સુભટે લાકડીને સ્પર્શ થવાથી વરાહની જેમ યુદ્ધ કરવાને દ્વિગુણ ઉત્સાહ ધરાવવા લાગ્યા. તે ઉપરથી ગણરાજ વડે સનાથ થયેલા ચેટકની સેનાના સુભટેએ ક્રોધ વડે હઠ ડશીને કૃણિકની સેનાને ઘણ કુટી. પિતાના સૌન્યને એ પ્રમાણે કુટાતું જોઈને કૃણિક રાજા પથ્થરથી હણાયેલા સિંહની જેમ ક્રોધવડે ઉદ્ધત થઈને પિોતે દોડી આવ્ય વીર જર કૃણિકે સરોવરની જેમ રણભૂમિમાં કીડા કરીને શત્રુના સૈન્યને કમળ ખંડની જેમ દશે દિશાએ વિખેરી નાંખ્યું; તેથી કૃણિકને દુર્જય જાણું અતિ ક્રોધ પામેલે ચેટક કે જે શૌર્ય રૂપ ધનવાળે હવે તેણે ધનુષ્ય ઉપર પેલું દિવ્ય બાણ ચઢાવ્યું તે સમયે શકે કે કૂણિકની આગળ વજ કવચ રાખ્યું અને અમરે તેની પછવાડે લેહકવચ રાખ્યું. પછી વૈશાળીનગરીના પતિ ચેટકે ધનુષ્યને કાન સુધી ખેંચી દિવ્ય બાણ છોડયું પણ તે વા કવચથી ખલિત થઈ ગયું. તે અમેઘ બાણને નિષ્ફળ થયેલું જેઈને ચેટકરાજાના સુભટ તેના પુણ્યને ક્ષય માનવા લાગ્યા, સત્ય પ્રતિજ્ઞાવાળા ચેટકે બીજું બાણ છેડ્યું, તો તે પણ નિષ્ફળ થયું એટલે તે પાછો ફર્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે યુદ્ધ થયું, અને ચેટકે તે જ પ્રમાણે બાણ મૂક્યા પણ તે સફળ થયા નહીં એવી રીતે તેમનું દિવસે દિવસે અતિ ઘોર યુદ્ધ થયું અને બંને પક્ષના મળીને એક કેટી ને એંશી લાખ સુભટો મૃત્યુ પામ્યા. તેઓ તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થયા. પછી ગણરાજાએ નાશી પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા. એટલે ચેટકરાજા પણ પલાયન કરીને પિતાની નગરીમાં પેશી ગયે; એટલે કૃણિકે આવીને વિશાળી નગરીને રૂધી લીધી.
પછી દરરોજ રાત્રીએ સેચનક હાથી ઉપર ચડીને હલ્લવિહલ કૃણિકના રસૈન્યમાં આવવા લાગ્યા અને ઘણું રૌન્યને વિનાશ કરવા લાગ્યા. કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હસ્તીની જેમ કેઈથી મારી કે પકડી શકાતો નહોતો તેથી રાત્રે બધા સુઈ ગયા હોય ત્યારે આવી ઘણા સૈન્યને વિનાશ કરીને હિલવિહલ કુશળક્ષેમ પાછા ચાલ્યા જતા હતા. એક દિવસ મંત્રીઓ પ્રત્યે કૂણિકે કહ્યું કે, “આ હલ્લવિહલે તે પ્રાયે આપણા આખા સન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે, તેથી તેઓને જીતવાને કાંઈ ઉપાય છે ?” મંત્રીઓ બોલ્યા કે જ્યાં સુધી એ નરહસ્તી હલવિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કે ઈનાથી પણ જીતી શકાશે નહીં; માટે આપણે તે હસ્તીને વધ કરવાની જરૂર છે, તેથી તેના આવવાના માર્ગમાં એક ખાઈ કરી તેમાં ખેરના અંગારા સંપૂર્ણ રીતે ભરે અને તેની ઉપર આચ્છાદન કરી લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેવું કરે. પછી સેચનક વેગથી દેડો આવશે, એટલે તેમાં પડી જશે અને મરણ પામશે. કૃણિકે તરત જ ખેરના અગારાથી પૂર્ણ એવી એક ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર આચ્છાદન કરી લીધું. હવે હíવહલ પોતાના વિજયથી ગવત થઈ સેચનક હાથી ઉપર બેસીને તે રાત્રે પણ કૃણિકના સૈન્ય પર ધસારે કરવાને વિશાળામાંથી નીકળ્યા. માર્ગમાં પેલી અંગારાવાળી ખાઈ આવી, એટલે તરતજ સેચનક તેની રચનાને વિલંગણા વડે જાણી ગયે તેથી તે તેના કાંઠા ઉપર ઊભે રહ્યો. ચલાવવાને ઘણે પ્રયાસ કર્યા છતાં જરા પણ ચાલે નહી,
Page #211
--------------------------------------------------------------------------
________________
- ૧૯૬
સ ૧૨ મા
એટલે હલ્લવિહલ્લે તે હાથીના તિરસ્કાર કરીને કહ્યું કે, “અરે સેચનક! તુ અત્યારે ખરે ખરા પશુ થયા, તેથી જ આ વખતે રણમાં જવાને કાયર થઈને ઊભેા રહ્યો. છું, તારે માટે અમે વિદેશગમન અને બંધુના ત્યાગ કર્યા, તેમ તારે જ માટે અમે આ ચેટકને આવા દુર્વ્યસનમાં નાંખ્યા. જે પોતાના સ્વામી ઉપર સદા ભકત રહે તેવા પ્રાણીને પોષવા તે શ્રેષ્ઠ છે; પણ તારા જેવાને પોષવા ચગ્ય નથી, કે જે પેાતાના પ્રાણને વહાલા કરીને સ્વામીના કાર્યની અપેક્ષા કરે છે.” આવા તિરસ્કારનાં વચના સાંભળી પાતાના આત્માને ભ્રષ્ટ માનતા સેચનક હસ્તીએ બળાત્કારે હલ્લવિહલ્લને પેાતાના પૃષ્ટ ઉપર નીચે ઉતારી નાખ્યા; અને પોતે તે અ‘ગારાની ખાઇમાં પડી ઝંપાપાત કર્યાં. તત્કાળ મૃત્યુ પામીને તે ગજેન્દ્ર પહેલી નારકીમાં ઉત્પન્ન થયા. તે જોઇ બને કુમારોએ ચિંતવ્યું કે, “આપણને ધિક્કાર છે ! આપણે આ શુ કર્યું... ! આમાં તેા આપણે જ ખરેખરા પશુ ડર્યા. સેચનક પશુ નહીં; કારણ કે પૂજ્ય માતામહ ચેટકને આવા મહા સંકટમાં નાખી મોટો વિનાશ પમાડી હજુ પણ આપણે દુષ્ટ બુદ્ધિવાળા જીવીએ છીએ. વળી. વળી આપણે આ ખ'ના માટાસૈન્યના વિનાશ કરવામાં જામીનરૂપ થયા અને તેના વૃથા નાશ હરાવ્યા; તેમજ બંધુને અબંધુપણામાં લાવ્યા, માટે હવે આપણે જીવવુ યુક્ત નથી; તેમ છતાં કદિ જો જીવવુ તો અત્યારથી શ્રી વીરપ્રભુના શિષ્ય થઈને જીવવું, અન્યથા નહિ.”
:"
તે
એ સમયે શાસન દેવી ભાવયિત થયેલા તે તેને શ્રી વીરપ્રભુની પાસે લઇ. એટલે તત્કાળ તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. હલ્લવિહલ્લે આ પ્રમાણે દીક્ષા લીધી, તો પણ ણિક વિશાળા નગરી લઈ શકયા નહીં; તેથી તે ચપાપતિ કૃણિકે વિશાળા કબજે કરવા સંબંધી પ્રતિજ્ઞા લીધી. પરાક્રમી પુરૂષોને પ્રતિજ્ઞા કરવાથી પુરૂષાર્થ વૃદ્ધિ પામે છે.’ તે પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી કે જો હું આ નગરીને ગધેડા જોડેલા હળ વડે ન ખાદુ' તો મારે ભૃગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવુ. આવી પ્રતિજ્ઞા કરી તો પણ તે વિશાળાપુરીને ભાંગી શકયા નહીં; તેથી તેને ઘણા ખેદ થયા. એવામાં ક્રમયેાગથી કુળવાળુકની ઉપર રૂમાન થયેલી દેવીએ આકાશમાં રહીને કહ્યું કે, “હે કૂણિક ! જો માગધિકા વેશ્યા કુળવાળુક મુનિને માહિત કરી વશ કરે તો તુ` વિશાળાનગરી ગ્રહણ કરી શકીશ,’ આવી આકાશવાણી સાંભળી : તત્કાળ જેને જયની પ્રત્યાશા ઉત્પન્ન થઈ છે એવા કુણિક સજ્જ થઈને ખેલ્યા-બાળકાની ભાષા સ્ત્રીઓની ભાષા અને ઉત્પાતિકી ભાષા પ્રાયે અન્યથા થતી નથી, તે એ કુળવાળુક મુનિ કયાં છે ? અને તે શી રીતે મળી શકે ? અને માર્ગાધિકા વેશ્યા પણ કયાં હશે ?'' તે સાંભળી મ`ત્રીએ ખેલ્યા કે, “હે રાજન ! માગધિકા વેશ્યા તા તમારાજ નગરમાં છે; બાકી કુળવાળુક મુનિને અમે જાણતા નથી.’ પછી કૂણિક વિશાળાના નિરોધને માટે અધ સૈન્ય મૂકી બાકીનુ અર્ધ સૌન્ય લઈને પોતે ચપાનગરીએ આવ્યા; અને તરત જ ચરમ`ત્રીની જેમ તેણે માગધિકા વેશ્યાને ખેલાવી; તે પણ તરત હાજર થઇ, એટલે કૃણિકે તેને કહ્યું કે, “હુંભદ્રે ! તું બુદ્ધિમતી અને કળાવતી છું, તું જન્મથી માંડીને અનેક પુરૂષોને વશ કરીને ઉપવિત થઈ છું. તે હવે હુમા મારૂ એક કાર્ય સફળ કર. એટલે કે તારી સર્વ કળા ચલ્ડવીને કુળવાળુક નામના મુનિને તારા પતિપણે કરી લાવ,” એ મનસ્વીની વેશ્યાએ ‘હુ· તે ક્રાય કરીશ' એમ સ્વીકાર્યું, એટલે ચંપાપતિએ વસ્ત્રાલ કારાદિ વડે તેને સત્કાર કર્યા અને તેને વિદાચ કરી. પછી તે શ્રીમતી રમણી ઘેર જઇ વિચાર કરીને તે મુનિને ઠગવાને મૂર્તિમતી માયા હોય તેવી કપટશ્રાવિકા થઇ. પછી જાણે ગર્ભ શ્રાવિકા હેાય તેમ તે દ્વાદશ પ્રકારના ગૃહીષને લેાકેામાં ચચા અને સત્ય રીતે બતાવવા લાગી; તેઉ પરથી તે યુવતિને
Page #212
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૯૭ સરલાશ વાળા આચાર્ય ચૈત્યપૂજામાં અને ધર્મશ્રવણમાં તત્પર એવી યથાર્થ શ્રાવિકા જાણવા લાગ્યા.
એક વખતે તે કપટશ્રાવિકાએ આવી આચાર્યને પૂછ્યું કે, ગુરૂવર્ય ! કુળવાળુક સાધુ કયા ? કપટશ્રાવિકાના હદયને નહિ જાણનારા આચાર્યો આ પ્રમાણે તેના ઉત્તરમાં કહ્યું કે, “ધર્મજ્ઞ અને પંચવિધ આચારમાં, તત્પર એવા એક ઉત્તમ મુનિ હતા. તેમને કપિના જે ચપળ એક ક્ષુલ્લક શિષ્ય હતો તે સમચારીથી ભ્રષ્ટ છતાં તેને વારણા તથા સ્મરણાર્દિ વડે ગુરૂએ ઘણી પ્રેરણા કરી, તે પણ તે અતિ દુર્વિનિત ક્ષુલ્લક કિંચિત્ પણ સુધર્યો નહિ. ગુરૂ દુખે સંભળાય તેવી અને શાસ્ત્રમાં કહેલી આચારશિક્ષા તેને આદરથી આપતા હતા. આગમાં કહ્યું છે –કે“બીજા રેષ પામે તેને વિષના જેવી લાગે પણ જે વાત તેને ગુણ કરનારી હોય તે તેને કહી જણાવવી.” પેલો ક્ષુલ્લક ગુરૂની કઠોર કે મધુર કોઈ પ્રકારની શિક્ષા માનતો નહીં, કારણ કે ગુરૂની ગિરાઓ પણ લઘુકમી શિષ્ય ઉપરજ અસર કરે છે. એક વખતે આચાર્ય વિહાર કરતા કરતા ગિરિનગરે આવ્યા. અને તે ભુલકતા શિષ્યને સાથે લઈને ઉજ્જતંગિરિ ઉપર ચડ્યા. ત્યાં દર્શનાદિ કરીને ગુરૂ નીચે ઉતારતા હતા, તે વખતે તે અધમ શિષ્ય ગુરૂને પીસી નાખવા માટે ઉપરથી એક મોટો પાષાણુ દેડવ્યું. તેને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ નેત્ર સંકેચીને જોયું, તો વનાળ ગેળાની જેમ તે પાષાણને પડતો દીઠે એટલે તત્કાળ ગુરૂએ જઘા વિસ્તારી એટલે તે પાષાણ તેના અંતરમાંથી નીકળી ગયો. “બુદ્ધિમાન ઉપર પ્રાય: આપત્તિ દુઃખ આપવા સમર્થ થઈ શકતી નથી.” આવા તેના કર્મથી કેધ પામેલા ગુરૂએ તે ક્ષુલકને શાપ આપ્યો કે “હે પાપી ! જા તું કઈ સ્ત્રીના સંગે વ્રતના ભંગને પામીશ.” સુલક બેલ્ય-“હે ગુરૂ ! તમારા શાપને વૃથા કરીશ; એટલે કે ઈ સ્ત્રી જોવામાં જ ન આવે એવા અરણ્યમાં જઈને રહીશ.” આ પ્રમાણે કહીને તે દુર્મતિ જેમ લજજાનો ત્યાગ કરે તેમ ગુરૂને ત્યાગ કરી સિંહની જેમ નિજન અરણ્યમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ પર્વતર્માથી નીકળતી નદીના મૂળ પાસે કાર્યોત્સર્ગ રહ્યો તે માસે કે અઈ માસે કોઈ પથિક આવે ત્યારે કાર્યોત્સર્ગને પાળતો હતો અને પારણું કરતો હતો
રીતે નદીના મૂળ પાસે રહીને તે મુનિ તપ કરે છે તેવા માં આકાશ ઉપર વાદળારૂપ ચંદરવા બાંધતી વર્ષાઋતુ આવી, તેમાં અધિક જળ આવવાથી રદ્ર વડે કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ બંને કુળ'(કાંઠા)ને લેપવા લાગી અને ઉન્માર્ગગામી થવા લાગી. જે નદીના તટ ઉપર એ મુનિ રહેલા છે ત્યાં જળનું પૂર આવતાં શ્રી અહંતના શાસનની ભક્ત કઈ દેવીએ ચિંતવ્યું કે- “જે હુ આ વખતે ઉપેક્ષા કરીશ તો આ જળનું પૂર તેને તીરે રહેલા મુનિને તટના વૃક્ષની જેમ ઘસડી જશે.” આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે ગિરિ. નદીના પૂરને બીજી દિશામાં પ્રવર્તાવ્યું. “તપસ્વીઓને ગમે ત્યાં પણ કુશળતા થાય છે.” ત્યારથી તે મુનિનુ “કુળવાળુક' એવું નામ પડયું. હાલમાં એ મહાતપસ્વી મુનિ અહીં નજીકના પ્રદેશમાં જ રહેલા છે.”
આ પ્રમાણે કુળવાળુક મુનિ સંબંધી ખબર મળવાથી જેનું કપટરૂપ વૃક્ષ સફળ થયેલું! છે એવી તે વેશ્યા સધ કૃતાર્થ થઈ હોય તેમ નેત્ર વિકસિત કરતી આચાર્ય પાસેથી ઉઠી અને ત્યાંથી પ્રયાણ કરી તીર્થયાત્રાના મિષથી માર્ગમાં ચેત્યવંદના કરતી કરતી જે પ્રદેશમાં ૧ વિષરસની વૃદ્ધિવડે. અને પિતાનું સાસરાનું અને બંને કુળ. ૨ સ્ત્રીપક્ષે દુરાચારી.
Page #213
--------------------------------------------------------------------------
________________
સગ ૧૨ મા
કુળવાળુકમુનિ હતા, ત્યાં આવી. તેમને વ ંદના કરીને તે માયાવી શ્રાવિકા બેલી-હે મુનેિ જો તમે સાથે પધારો તા હું ઉજ્જય ત્યાદિ તીર્ઘાની વંદના કર્’.’ મુનિએ કાયાત્સગ છેડી ધ લાભ, આશીષ આપી, અને પૂછ્યું કે, ‘ભદ્ર ! તીર્થ વંદના કરતા કરતા તમે કયાંથી આવા છે! ?” તે બેલી-મહિષ ! હું ચંપાનગરીથી તીથ વાંઢવાને માટે નીકળી છું અને મેં સ` તીર્થાથી ઉત્કૃષ્ટ તીરૂપ એવા તમને અહી વાંઘા છે. હવે ભિક્ષાદોષથી રહિત એવું મારૂ પાથેય લઈ તેનાવડે પારણું કરીને મારા ઉપર અનુગ્રહ કરો.” તેની ભક્તિભાવના દેખીને તે મુનિનુ હૃદય આ થઈ ગયુ, તેથી તત્કાળ તેની સાથે ભિક્ષા લેવાને માટે ગયા. હર્ષ પામતી એવી તે માયાવી રમણીએ પ્રથમથી તૈયાર કરી રાખેલા માક તે મુનિને વહેારાવ્યા. જે માદકતું પ્રાશન કરતાં જ મુનિને અતિસાર (ઝાડા) થઈ આવ્યા. ‘દ્રવ્યના રસવીય વિપાક કદિ પણ અન્યથા થતો નથી.’’ તે અતિસારથી મુનિ એવા ગ્લાન થઈ ગયા કે, જેથી અત્ય'ત બળ ક્ષીણ થઈ જવાને લીધે તે પોતાના અંગને પણ ઢાંકી શકતા નહી.. તે વખતે પેલી કપટી માગધિકા ચેાગ્ય સમયને જાણીને ખેલી કે, “મહારાજ ! મારા પર અનુગ્રહ કરવાને માટે તમે પારણું કર્યું; તેમાં મારા પાથેયનુ ભાજન કરતાંજ તમે આવા દુર્દશાને પ્રાપ્ત થયા, તેથી પાપસરિતારૂપ મને ધિક્કાર છે. હવે આવી દશાને પ્રાપ્ત થયેલા તમને મૂકીને મારા ચરણુ બંધન પામ્યા હાય તેમ અહી'થી આગળ ચાલવાને જરા પણ ઉત્સાહિત થતા નથી.'' આ પ્રમાણે કહી તે યુવતી ત્યાં રહી અને ક્ષણે ક્ષણે તે મુનિની સેવા કરવા લાગી, તેમજ તેમના અંગને ચાળવા અને ઔષધ આપવા લાગી. તે માગધિકા મુનિના અંગને એવી રીતે મર્દન કરતી હતી કે જેથી તે મુનિને તેના સ` અંગનો સ્પ થતો હતો. પ્રતિદિન એવી રીતે સેવા કરીને તેણીએ તે મુનિને હળવે હળવે સાજા કર્યા; એટલે ચંપકના સુગંધથી વસ્ત્રની જેમ તેની ભક્તિથી તે મુનિનુ હૃદય પણ વાસિત થયું, તે સાથે તેના કટાક્ષ ખાણેાથી, અંગના સ્પર્શથી અને મૃદુ ઉક્તિથી તેમનું ચિત્ત ચળાયમાન થઈ ગયું. “સ્ત્રીના સ ંગે તપ કયાં સુધી ટકે ?”’
૧૯૮
દિવસે દિવસે પરસ્પર એક શય્યા અને આસનના પ્રસંગ થતાં કુળવાળુક મુનિ અને માગધિકા વેશ્યાને સ્પષ્ટ રીતે દપતીવ્યવહાર થવા લાગ્યા. પછી માગધિકા કુળવાળુક મુનિને ચંપાનગરીમાં લાવી. કામાંધ પુરૂષ નારીનો કિકર થઇને શુ શુ નથી કરતો ?” પછી તે વેશ્યાએ ચ’પાપતિ પાસે જઈને કહ્યું કે, દેવ ! આ કુળવાળુંક મુનિ છે અને તેને હું મારા પતિ કરીને લાવી છું. માટે હવે શુ કરવુ છે તે વિષે આજ્ઞા આપો.’ રાજાએ આદરપૂર્વક તે મુનિને કહ્યુ કે, ‘જેમ વૈશાળીનગરી શીઘ્ર ભાંગી જાય તેમ કરા.’ રાજાની આજ્ઞા સ્વીકારીને બુદ્ધિના નિધિ કુળવાળુક મુનિ સાધુના વેશે જ સ્ખલિતપણે વૈશાળીનગરીમાં ગયા. તે સમયે ચ’પાપતિએ પ્રથમથી જ જયની પ્રત્યાથી ઉત્સુક થઈને પેાતાના બધા સૌન્યા વડે વશાળીને રૂધી દીધી. માગધિકાપતિ કુળવાળુક મુનિ નગરીમાં બધા બ્યાને જોવા લાગ્યા કે શા કારણથી આ નગરી લેવાતી નથી.’ક્રૂરતાં ફરતાં મુનિસુવ્રતસ્વામીનો એક સ્તૂપ તેના જોવામાં આવ્યા. તેને જોઈ તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે ચિતવતાં તેમાં બહુ ઉત્તમ ચાગ પડેલા હોવાથી તે કારણ જ પ્રખળપણે વૈશાળીના રક્ષણુનું તેના સમજવામાં આવ્યુ. તેથી કોઈ પણ પ્રકારે તેનો ભંગ કરાવવાની ધારણા કરીને તે ઐશાળી નગરીમાં ક્વા લાગ્યા. નગરીના રાધથી કદથી ત થયેલા લેાકેા તેમને પુછતા કે, હે ભદ’ત ! અમે આ શત્રુએ કરેલા
Page #214
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૧૯૯ નગરીના રોધથી બહુજ દુ:ખી થઈ ગયા છીએ, તો હવે આમાંથી અમારે છુટકારે ક્યારે થશે ? જે આપ જાણતા હે તો બતાવે.” મુનિ બેલ્યા કે-“હે લેકે ! હું તે સારી રીતે જાણું છું. સાંભળે, જ્યાં સુધી આ નગરીમાં પેલો સ્તૂપ છે, ત્યાં સુધી નગરીનો રોધ મટશે નહીં, અને જ્યારે એ સ્તૂપ ભાંગી જશે ત્યારે સમુદ્રની વેલાની જેમ શત્રુનું સૈન્ય અકરમાત્ પાછું ખસી જશે. એટલે તે વાતની તમને ખાત્રી પણ થશે. હું ધારું છું કે-એ સ્તૂપ ઉખેડવાથી તમારી કુશળતા થાઓ; કારણ કે એ તેની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે, તે જ તમને મુંઝવે છે. આ પ્રમાણે તે ધૂર્ત મુનિએ આપેલી બુદ્ધિથી ઠગાયેલા લોકેએ એ સ્તૂપને ભાંગવા માંડ્યા. સર્વ જન. દુ:ખથી પીડિત થતાં પ્રાયઃ અકૃત્ય હેય તે પણ કરે છે.” જ્યારે લે કે એ તે સ્તૂપ ભાંગવા માંડે ત્યારે માગધિકાપતિ મુનિએ કણિક પાસે જઈને તેને બે કેશ સુધી પાછો હઠા. તેથી લોકોએ કુળવાળુકે કહેલી વાતની પ્રતીતિ આવતાં કોપાયમાન થયેલાની જેમ કઠેરપણે તે સ્તૂપને કુર્મશિલા સુદ્ધાં ઉન્મેલન કરી દીધું. પછી કૃણિકે બાર વર્ષને અંતે બૈશાલીપુરીને ભગ્ન કરી નાખી; કારણ કે એ તૂપના પ્રભાવથી જ તે નગરીનો ભંગ થઈ શકતો નહોતો શૈશાળીનો ભંગ થવાથી ચંપા અને વૈશાળીના પતિ વચ્ચે થતું યુદ્ધ વિરામ પામ્યું. આ અવસર્પિણીમાં આવું મહાયુદ્ધ કયારે પણ થયું નથી. પછી ચંપાપતિએ શૈશાળી પતિને કહેવરાવ્યું કે- આર્ય ચેટક ! તમે પૂજ્ય છે, તેથી કહે. હું તમારું શું પ્રિય કરું ?” ચેટકે ખેદ પામી તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે- હે રાજન ! તું વિજયના ઉત્સવમાં ઉત્સુક છું, તથાપિ જરા વિલંબથી નગરીમાં પ્રવેશ કરજે.” તે આવીને ચેટકનું વચન કહ્યું, એટલે બુદ્ધિ ક્ષીણ થયેલા ચેટકરાજાએ આમાં શું માગ્યું. એમ કહી કૃણિકે તે વચન સ્વીકાર્યું.
સત્યકિ નામે એક ખેચર જે સુષ્ટાને પુત્ર અને ચેટકરાજાને ભાણેજ થતો હતો, તે તે સમયે ત્યાં આવ્યો. તેણે ચિત્તમાં વિચાર્યું કે, મારા માતામહની પ્રજાને શત્રુઓ લંટી લે છે. તે મારાથી શી રીતે જોઈ શકાય, માટે હ તેને કોઈ બીજે ઠેકાણે લઈ જઉ.” આ વિચાર કરીને તે આખી નગરીના લોકોને વિદ્યાના પ્રભાવે ઉપાડી પુષ્પમાળાની જેમ જાળવતો છતો નીલવાન પર્વત ઉપર લઈ ગયો. પછી ચેટકરાજાએ મૃત્યુની લહમી હોય તેવી લેઢાની પુતળીને ગળે બાંધી અનશન કરીને ઉંડા જળમાં પડતું મૂક્યું. તેમને ડુબી જતા જોઈ ધરણે તેને સાધમ જાણીને પિતાના ભુવનમાં લઈ ગયે. “આયુષ્ય પૂરું થયા વગર મૃત્યુ થતું નથી.” ધરણે પ્રશંસા કરતા અને ધર્મધ્યાનમાં તત્પર એવા મોટા મનવાળા ચેટકરાજા પૂર્વે રણમાં રહેલા હતા તેમ મૃત્યુથી નિર્ભય થઈને ત્યાં રહ્યા. તે ચતુરે અહંન, સિદ્ધ, સાધુ અને ધર્મ કે જે ચારે મંગળરૂપ અને લોકોત્તમ છે તેમનું સ્મરણ કર્યું. તે આ પ્રમાણે-“જીવ અજીવ વિગેરે તના ઉપદેશક, પરમેશ્વર, બધિદાયક અને સ્વયં બુદ્ધ એવા અહંતનું મારે શરણ હે ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને દગ્ધ કરનાર, તેજરૂપ, અનધર અને અનંત કેવળજ્ઞાનવાળા ભગવંતનું મારે શરણ છે. નિરીહ, નિરહંકાર, નિર્મમ, સમાન ચિત્તવાળા, મહાવ્રતને ઘરનારા અને ધીર સાધુઓનું મારે શરણ છે. અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમવાળા કેવળી પ્રરૂપિત ઉત્કૃષ્ટ ધર્મનું મારે શરણ હે. મેં સેંકડો જન્મમાં પ્રાણીઓના જે કાંઈ મન વચન કાયાએ અપરાધ કર્યા હોય તેને હું મન વચન કાયાથી નિંદું , દ્વાદશ પ્રકારનો ગૃહીધર્મ પાળતાં મને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સર્વને હું સિરાવું છું. કેધ, માન, માયા અને લેભથી પરાભવ પામેલા મેં જે કાંઈ અહિંસાદિ પાપકર્મ કર્યું હોય તેને ધિક્કાર છે, અર્થાત્ તેનો હું મિચ્છામિ દુકકડ દઉં છું.” આવી રીતે આરાધના કરી નમસ્કાર મંત્રના સમરણમાં
Page #215
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૨ મા પરાયણ એ ચેટકરા ના મૃત્યુ પામીને સ્વર્ગને સુખનું ભાજન થયે, અહીં અશોકચંફ (કૃણિકે) ગધેડા સાથે હળને જોડી ક્ષેત્રની જેમ તે નગરીને ખેડાવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એવી રીતે દુસ્તર નદી જેવી તે પ્રતિજ્ઞાને તરી જઈને ચંપાપતિ મોટા ઉત્સવ સાથે નગરીમાં આવ્યું.
અન્યદા વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા જગદગુરૂ શ્રી વીરપ્રભુ ચંપાનગરીએ આવીને સમવસર્યા. તે વખતે કેટલીએક શ્રેણિક રાજાની સ્ત્રીઓએ પિતાને શ્રેપુત્રોના મરણ વિગેરે કારણોથી વિરક્ત થઈને પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્રણ લોકના સંશયને છેદનાર શ્રી વીરપ્રભુને વાંદવા માટે કૃણિક પણ સમવસરણમાં આવ્યું. પ્રભુને નમી યોગ્ય સ્થાને બેઠા પછી અવસર આવતાં મસ્તકે અંજલિ જોડીને તેણે પ્રભુને પૂછયું કે જેઓ જન્મથી મૃત્યુ પર્યત ભેગને છેડી દેતા નથી એવા ચક્રવતીએ અંતે કઈ ગતિમાં જાય છે? પ્રભુ બેલ્યા–તેઓ સાતમી નારકીએ જાય છે.” કૃણિકે ફરીથી પૂછ્યું, “હે પ્રભુ ! મારી શી ગતિ થશે ? પ્રભુ બોલ્યાતું મૃત્યુ પામીને છઠ્ઠી નરકે જઈશ.” કૂણિક બોલ્યો- સાતમી નરકે કેમ નહીં જાઉં? પ્રભુ બોલ્યા-‘તું ચક્રવર્તી નથી.” “પોતે ધર્મને ચગ્ય અને ઉપદેશર પ્રભુ મહાવીર છતાં કૃણકિના પુત્રોની આવી સ્થિતિ ચિંતવવા ગ્ય છે.” કૃણિકે પૂછયું, “ભગવાન ! હું ચક્રવતી કેમ નહીં ? મારે પણ ચક્રવતીને જેવી ચતુરંગ સેના છે.” પ્રભુ બોલ્યા-તારી પાસે ચક્રાદિ રત્નો નથી. એક પણ રન ઓછું હોય ત્યાં સુધી ચક્રવર્તી એવું નામ પડવું દુર્ઘટ છે.
પ્રભુની પાસેથી ઉપર પ્રમાણે સાંભળી અહંકારના પર્વતરૂપ ચંપાપતિ ત્યાંથી ઊભે થયો. અને પિતાની નગરીમાં આવીને તત્કાળ લોઢાના અકેદ્રિય સાત મહારત્નો કરાવ્યા. તેમજ વૃથ મનોરથ વડે કદર્શિત થયેલા તેણે પદ્માવતીને સ્ત્રીરત્ન માની હસ્તી વિગેરે બીજા છ પચેદ્રિય રત્નો પણ કલ્પી લીધા. પછી આખા ભરતક્ષેત્રને સાધવાને માટે મોટા પરાક્રમવાળો ફણિક ઘણા દેશો સાધતો સાધતો વતાઢયગિરિની તમિસા ગુહા પાસે રૌન્ય સહિત આવ્યા. દુદેવથી દૂષિત થયેલા અને પિતાના આત્માને નહી જાણનારા તેણે ગુહાદ્વારના કપાટ ઉપર દંડવડે ત્રણવાર તાડન કર્યું, એટલે તે ગુહાદ્વારા રક્ષક કૃતમાળદેવ છે કે-“આ મરવાને કોણ તૈયાર થયેલ છે કે જે પિતાના આત્માને નહીં ઓળખતો છતો ગુદાદ્વારને દંડથી તાડન કરે છે ?” કૃણિક બે -“અરે ! હું વિજયની ઈચ્છાએ આવ્યું છું. મને શું તું નથી ઓળખતો ? હું અશેકચંદ્ર નામે ચક્રવતી ઉત્પન્ન થયે છું, કૃતમાળદેવ બે ‘ચક્રવતી તે બાર થઈ ગયા છે, તો હવે અપ્રાર્થિત (યુ) ની પ્રાથના કરનાર તું કોણ છું. ? તારી બુદ્ધિને સ્વસ્તિ હો.” કૃણિક બે -ઘણું પુણ્ય કરવાથી હું તેરમે ચક્રવતી ઉત્પન્ન થયો છું. પુણ્યથી શું દુર્લભ છે ? અરે કૃતમાળદેવ ! તું મારું પરાક્રમ જાણતો નથી, નહીં તો આ ગુહાના દ્વાર ઉઘાડડ્યા વિના રહે જ નહિ.” આ પ્રમાણે દેવદોષથી ગ્રહણ થયેલાની જેમ અસંબદ્ધ ભાષણ કરનાર તે કૃણિકને કૃતમાળ દેવે રેષથી તત્કાળ બાળીને ભસ્મ કરી દીધું. એવી રીતે અશોકચંદ્ર (કૃણિક) રાજા મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયે. “અરિહંતાનું વચન કદિ પણ અન્યથા થતું નથી.”
કૃણિકરો જા મૃત્યુ પામ્યાં, એટલે તેના પ્રધાન પુરુષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્ય ઉપર બેસાડો. ઉદાયીરાજાએ પ્રજાનું ન્યાયમાગું પ્રતિપાલન કર્યું અને પૃથ્વી પર અખંડપ
નશાસન પ્રવર્તાવ્યું. પેતાના સ્થાનેજ રહેલા એવા તે પ્રતાપી રાજાની પ્રતાપરૂપ સૂર્યને નહી સહન કરી શકનારા શત્રુઓ ઘુવડ પક્ષીની જેમ ગિરિગુહામાં પેસી ગયા. તેને સ્વચક્ર કે પરચક્રનું ભય કદિ પણ ઉત્પન્ન થયું નહીં, પણ તે હમેશા શ્રાવકત્રતના ખંડનથી ભય પામતે રહ્યો. ચાર પર્વણીમા ચતુર્થંદિર તપ વડે શુદ્ધિને વહન કરીને તે પૌષધગૃહમાં ૧ અષ્ટમો, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા. ૨ ઉપવાસ વિગેરે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧ ૧૦ સ
૨૦૧
સામાયિક લઈ સ્વસ્થપણે રહેતો. અરિહંત દેવ અને સાધુ ગુરૂ' એટલા શબ્દોનુ ધ્યાન મત્રાક્ષરની જેમ રાત્રીદિવસ તેના હૃદયમાંથી કદી પણ ખસતું નહી. તે ઉયવાન ઉદાયીરાજા દયાળુ છતા અખંડિત આજ્ઞાએ સદા ત્રિખ'ડ પૃથ્વી પર રાજ્ય કરતા હતા; અને એ સદ્દબુદ્ધિ વીર શ્રીવીરપ્રભુની અમૃત જેવી ધર્માં દેશનાનુ` વારવાર આચમન કરીને પેાતાના આત્માને પવિત્ર કરતા હતા.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુને સૌદહજાર મુનિ, છત્રીશ હજાર શાંત હૃદયવાળી સાધ્વીએ, ત્રણસા ચૌદપૂર્વ ધારી શ્રમણા, તેરસે અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા, પાંચસો મન:પર્યવજ્ઞાની, ચૌદસા વાદી, એક લાખ ને એગણસાઠ હજાર શ્રાવકો અને ત્રણુલાખ ને અઠાર હજાર શ્રાવિકાએ એટલેા પરિવાર થયા.
ગૌતમ અને સુધર્મા ગણધર સિવાય બીજા નવ ગણુધરા માક્ષે ગયા પછી સુર અસુર અને નરેશ્વરાએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત પ્રાંતે અપાપાનગરીએ પધાર્યા.
****************************
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते श्री त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि देबताकृत रेणु वृष्ट-प्रद्योतस्थापितजीवितस्वामिप्रतिमासहित वित्तभय पुरस्थगमन - अमय प्रव्रज्या - कूणिक चरित्र - चेटक चरित्र - उदायिराज्य - श्री महावीरपरिवार वर्णनो નામ દાગઃ સર્વઃ ॥ ૨॥ *************************
Page #217
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૩ મો.
ભગવંતની છેલ્લી દેશના, પાંચમા છઠ્ઠા આરાના ભાવ,
ઉત્સર્પિણીની સ્થિતિ, ભગવંતનું નિર્વાણ વિગેરે. , અપાપાનગરીમાં દેવતાઓએ ત્રણ વોથી વિભૂષિત એવું રમણિક સમવસરણ પ્રભુને દેશના દેવા માટે રચ્યું. સુર અસુરોએ સેવેલા પ્રભુ પિતાના આયુષ્યને અંત જાણી તેમાં છેલ્લી દેશના આપવાને બેઠા. પ્રભુને સમવસર્યા જાણી અપાપાપુરીને રાજા હસ્તિપાળ ત્યાં - આવ્યું, અને પ્રભુને નમી દેશના સાંભળવા માટે બેઠો. દેવતાઓ પણ સાંભળવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઈદ્ર આવી નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી.
હે પ્રભુ ! ધર્માધર્મ એટલે પુણ્ય પાપ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી, શરીર વિના મુખ્ય હેતું નથી, અને મુખવિના વાચકત્વ હોતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાને ઈશ્વરની આ જગત્ રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી, તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત્ રચવાની પ્રવૃત્તિમાં કાંઈ પણ પ્રોજન નથી. હવે જે તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત સ્ત્રજવા પ્રવર્તે તો તે બાળકની જેમ રાગવાનું ઠરે, અને જો કૃપા વડે સજે તો સૌને સુખી સજવા જોઈએ. હે નાથ ! દુઃખ, દરિદ્રતા અને દુષ્ટ નિમાં જન્મ ઇત્યાદિ કલેશે કરીને વ્યાકળ એવા લેકેને સ્ત્રજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળતા કયાં ઠરી? અર્થાત્ ન કરી. હવે જો તે ઈશ્વર કર્મની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે એમ હોય તે તે તે પણ અમારી સરખે સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જે આ જગતમાં કર્મથી થયેલી જ વિચિત્રતા છે તે પછી એવા વિધકર્તા નામ ધરાવનારા નપુંસક ઈશ્વર વડે શું કર્તવ્ય છે?
મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચાર જ ન જગત કરવો એમ કહેશે તે તે પરીક્ષકને પરીક્ષાના આક્ષેપ માટે ડંકો સમજ. અર્થાત્ આ બાબતની કેઈએ પરીક્ષા જ કરવી નહીં એવું કથન કરશે. હવે જે સર્વ ભાવને વિષે જ્ઞાતૃત્વ રૂ૫ કત્વ કહેતા હોય તો તે અમારે માન્ય છે, કારણ કે સર્વજ્ઞ બે પ્રકારના હોય છે. એક મુક્ત એને બીજા દેહધારી. હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છો તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સૃષ્ટિના કર્તુત્વવાદને તજી દઈને તમારા શાસનને વિષે રમે છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્રવિરામ પામ્યા એટલે અપાપાપુરીના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી
હે સ્વામિન, વિશેષજ્ઞ એવા આપની કોમળ વિજ્ઞાપના જ કરવી એમ કાંઈ નથી, તેથી અંતઃકરણની વિશુદ્ધિને અર્થે કાંઈક કઠોર વિજ્ઞાપના કરું છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિ વાહન ઉપર જેમનો દેહ બેઠેલો હોય એવા નથી, તેમજ તમારા નેત્ર, મુખ અને ગાત્રની વિકાર વડે વિકૃત આકૃતિ પણ નથી. વળી તમે ત્રિશૂળ, ધનુષ્ય અને ચકાદિ શસ્ત્રો વડે યુક્ત કરપલ્લવવાળા નથી, તેમ જ સ્ત્રીના મનોહર અંગનું આલિંગન દેવામાં તત્પર એવા પણ
Page #218
--------------------------------------------------------------------------
________________
પવ ૧૦ મું
૨૦૩ તમે નથી. વળી નિંદનિક આચરણ વડે કરીને શિષ્ટ જનોને જેમણે કંપાયમાન કરી દીધા છે તેવા પણ તમે નથી, તેમજ કેપ અને પ્રાસાદ વડે કરીને જેણે નર અમરને વિડંબીત કરેલા છે તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ-એ કરવામાં આદરવાળા તમે નથી, તેમજ નૃત્ય, હાસ્ય ને ગાયનાદિ ઉપદ્રવડે ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હેવાથી પરીક્ષકો એ તમારી દેવપણે પ્રતિષ્ઠા શી રીતે કરવી? કારણ કે તમે તો સર્વ દેવ કરતાં સર્વથા વિલક્ષણ છે. હે નાથ! જળના પ્રવાહની સાથે પાંદડા, તૃણ ને કાષ્ટાદિ તણાય તો તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવું તે કઈ યુક્તિએ માની શકાય? પણ છે સ્વામિન્ ! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષકના પરીક્ષણથી સયું; અને મારા પણ તેવા પ્રયાસથી સયું. કારણ કે સર્વ સંસારી જીવોના રૂપથી વિલક્ષણ એવું જ તમારું લક્ષણ છે તેની બુદ્ધિમાનું પ્રાણીઓ પરીક્ષા કરે. આ જગત બધું ક્રોધ, લોભ અને ભય વડે આક્રાંત છે અને તમે તેથી વિલક્ષણ છે. પરંતુ હે પ્રભે ! વીતરાગ એવા જે તમે તે કમળ બુદ્ધિવાળાએને ગ્રાહ્ય થઈ શક્તા નથી, અર્થાત્ તીક્ષ્ણ બુદ્ધિવાળાએ જ આપને દેવપણે ઓળખી શકે છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને હસ્તિપાળ રાજા વિરામ પામ્યો, એટલે ચરમ તીર્થકરે નીચે પ્રમાણે ચરમ (છેલ્લી) દેશના આપી.
આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થ છે, તેમાં કામ ને અર્થ તે પ્રાણીઓને નામથી જ અર્થરૂપ છે, પરમાર્થે અનર્થરૂપ છે. ચાર પુરૂષાર્થમાં ખરી રીતે , અર્થરૂપ તો એક મોક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે, તે ધર્મ સંયમ વિગેરે દશ પ્રકારને છે અને સંસારસાગરથી તારનાર છે. અનંત દુ:ખરૂપ સંસાર છે અને અનંત સુખરૂપ મોક્ષ છે, તેથી સંસારનો ત્યાગને અને મોક્ષની પ્રાપ્તિને હેતુ ધર્મ વિના બીજે કઈ નથી. પાંગળે માણસ પણ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ઘનકમી હોય છતાં પણ ધમને આશ્રય કરવાથી તે મેક્ષે જાય છે.”
આ પ્રમાણે દેશના આપીને પ્રભુ વિરામ પામ્યા, એટલે હસ્તિપાળ રાજાએ પ્રભુને નમીને કહ્યું કે-હે સ્વામિન્ ! મેં આજે સ્વપ્નમાં અનુક્રમે હાથી, કપિ, ક્ષીરવાળું વૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભ એ આઠ વાનાં જોયાં છે તે તેનું ફળ શું થશે તે કહે." ભગવન્! એવું સ્વપ્ન જેવાથી મને ભય લાગે છે. આ પ્રમાણે હસ્તિપાળે પૂછ્યું, એટલે પ્રભુ બોલ્યા-”હે રાજન ! સાંભળ –
૧ હવેથી ક્ષણિક સમૃદ્ધિના સુખમાં લુબ્ધ થયેલા શ્રાવકો વિવેક વિનાની જડતાથી હાથી જેવા છતાં ઘરમાં પડ્યા રહેશે, મહા દુઃખી સ્થિતિ અથવા પરચક્રને ભય ઉત્પન થશે તે પણ તેઓ દીક્ષા લેશે નહીં. કદિ દીક્ષા ગ્રહણ કરી હશે તે તેને પણ કુસંગ થવાથી છેડી દેશે. કુસંગ થવાથી લીધેલા વ્રતને પાળનારા વિરલા થશે. આ પ્રમાણે પહેલા હાથીના સ્વપ્નનું ફળ છે.
૨ બીજા કપિના સ્વપ્નનું ફળ એવું છે કે ઘણું કરીને ગચ્છના સ્વામીભૂત આચાર્યો કપિની જેવા ચપળ પરિણામી, અ૫ સવવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલું જ નહી પણ ધર્મમાં રહેલા બીજાઓને પણ વિપર્યાસ ભાવ કરાવશે. ધર્મના ઉદ્યોગમાં તત્પર તો કઈ વિરલા નીકળશે. જેએ પિતે પ્રમાદી છતાં ધર્મમાં શિથિલ એવા બીજાએને શિક્ષા આપશે, તેઓની ગામડામાં રહેલા શહેરીની જેમ ગ્રામ્ય જને હાંસી કરે તેમ
૧ આ વખોમાં હાથી, કપિ વિગેરે માત્ર સ્પષ્ટ દીઠા નથી પણ તે જુદી જુદી સ્થિતિમાં દીઠા છે. તેનું ને તેના ફળનું વિશેષ વર્ણન દિવાળીક૯૫માંથી જાણી લેવું..
૮
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સ ૧૩ મા
ખીજાએ હાંસી કરશે. હે રાજન્ ! આવી રીતે આગામી કાળે પ્રવચનના અજ્ઞાત પુરૂષા થશે. તે કપિના સ્વપ્નનુ ફળ તમારે જાણવું.
૩ જે ક્ષીરવૃક્ષનુ' સ્વપ્ન જોયું, તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક ક્ષીરવૃક્ષ તૂલ્ય શ્રાવકો હશે તેઓને ઠગારા એવા લિગધારીએ રૂધી દેશે. એવા પાસાઓની સ’ગતથી સિંહ જેવા સત્ત્વવાળા મહિષ એ પણ તેમને શ્વાનની જેવા સાર વગરના લાગશે. સુવિહિત મુનિની વિહારભૂમિમાં એવા લિંગધારીએ શૂળી જેવા થઈ ઉપદ્રવ કરશે. ક્ષૌરવૃક્ષ જેવા શ્રાવકાને એવા મુનિએની સંગત કરવા દેશે નહીં. આ પ્રમાણે ક્ષીરવૃક્ષના સ્વપ્નનું ફળ છે.
૪ હવે ચાથા સ્વપ્નનું ફળ આ પ્રમાણે-ધૃષ્ટ સ્વભાવી મુનિએ ધર્માથી છતાં કાકપક્ષી જેમ વિહારવાપિકામાં રમતા નથી તેમ પ્રાયઃ પોતાના ગચ્છમાં રહેશે નહી. તેથી ખીજા ગચ્છના સૂરિએ કે જે વાંચના કરતા તત્પર અને મૃગતૃષ્ણુિકા જેવા મિથ્યાભાવ દેખાડનારા હશે તેની સાથે જડાશયથી ચાલશે. ‘એમની સાથે ગમન કરવુ યુક્ત નથી.' એમ ઉપદેશ કરનારાને તેએ સામા થઈને ઉલટા ખાધા કરશે. આ પ્રમાણે કાકપક્ષીના સ્વપ્નનું ફળ છે.
૫ શ્રી જિનમત કે જે સિંહ જેવા છે તે જાતિસ્મરણ વિગેરેથી રહિત એવા ધન રહિત એવા આ ભરતક્ષેત્રરૂપી વનમાં જોવામાં આવશે. તેને પરતીથી રૂપી તિય ચા તા પરાભવ કરી શકશે નહી, પરંતુ સિ ંહના કલેવરમાં જેમ કીડા પડે અને તે ઉપદ્રવ કરે તેમ લિંગીએ કે જે કૃમિની જેમ પાતામાંથી જ ઉત્પન્ન થાય છે તેઓ ઉપદ્રવ કરશે અને શાસનની હીલા કરાવશે. કેટલાક લિંગધારીએ તે જૈનશાસનના પૂર્વના પ્રભાવને લીધે શ્વાપદોની જેવા અન્ય દ નીએથી કદિ પણ પરાભવ પામશે નહીં. આ પ્રમાણે સિંહના સ્વપ્નનુ ફળ છે.
૬ કમળાકરમાં જેમ કમળેા સુગંધી થાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓ ધાર્મિક શ્રવા જોઇએ, પણ હવે પછી તેમ નહીં થાય. ધ પરાયણ થઈને પણ પાછા તેઓ કુસ`ગથી ભ્રષ્ટ થશે; અને ઉકરડામાં કમળ ઉગવાની જેમ કુદેશ અને કુકુળમાં ઉત્પન્ન થયેલા કાઈ કાઈ પ્રાણીઓ ધમી થશે, તથાપિ તેઓ હીન જાતિના હોવાથી અનુપા દેય થશે. આ પ્રમાણે કમળના સ્વપ્નનું મૂળ છે.
૭ જેમ ફળપ્રાપ્તિને માટે ખીજ ઉપર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં સુપાત્ર બુદ્ધિથી અકલ્પ્ય વસ્તુએ વાવશે. અથવા જેમ કોઇ નિરાશય ખેડુત ઘુણાક્ષર ન્યાયથી ઉત્તમ ક્ષેત્રમાં અખીજની અ ંતર્ગત બીજ વાવે તેમ કોઇ શ્રાવક અકલ્પ્સની અંતર્ગત કમ્પ્યરૂપ પાત્રદાન કરશે. આ ખીજ સ્વપ્નનું ફળ છે.
૮ ક્ષમાદિ ગુણુરૂપ કમળાથી અંકિત અને સુચારિત્રરૂપ જળથી પૂતિ એવા એકાંતે રાખેલા કુંભની જેવા મહષિ એ કોઇક જ સ્થાનકે અને તે પણ બહુ ઘેાડા દેખાશે; અને મલીન કળશની જેવા શિથિલ આચાર અને ચારિત્રવાળા લિંગીએ જ્યાં ત્યાં ઘણા જોવામાં આવશે. તેઓ મત્સરભાવથી મહિષ એની સાથે કલહ કરશે અને તેઓ ખ'ને, લેાકેામાં સરખા ગણારો, ગીતા અને લિંગી નગરલાક ઘેલા થવાથી જેમ રાજા પણ ઘેલા થયા હતા તેમ વ્યવહારમાં ગીતાર્થો લીગીઓની સાથે રહેશે જેમ.
Page #220
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૨૦૫ પૃથ્વીપુરીમાં પૂર્ણ નામે રાજા હતું, તેને સુબુદ્ધિ નામે બુદ્ધિસંપત્તિવાળો મંત્રી હતા. સુખમાં કાળ નિર્ગમન કરતાં એક વખતે સુબુદ્ધિ મંત્રીએ દેવલોક નામના નિમિત્તિયાને ભવિષ્યકાળ સંબંધી પૂછયું, એટલે તે નિમિત્ત બે કે-એક માસ પછી મેઘવૃષ્ટિ થશે, તેના જળનું જે પાન કરશે, તે સર્વે ગૃહિલ (ઘેલા) થઈ જશે. પછી કેટલેક કાળે પાછી બીજીવાર મેઘવૃષ્ટિ થશે, તેના જળનું પાન કરવાથી લોકો પાછા સારા થઈ જશે.” મંત્રીએ આ વૃત્તાંત રાજાને કહ્યું, એટલે રાજાએ પડહ વગડાવીને લોકોને જળનો સંગ્રહ કરવાની આજ્ઞા કરી. સર્વ લેકેએ તેમ કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા દિવસે મેઘ વર્યો. લોકોએ તરતમાં તો તે પાણી પીધું નહીં, પણ કેટલાક કાળ જતાં લોકોએ સંગ્રહ કરેલું જળ ખુટી ગયું. માત્ર રાજા અને મંત્રીને ત્યાં જળ ખુટયું નહીં, એટલે તે સિવાય બીજા સામંત વિગેરે લોકોએ નવા વરસેલા જળનું પાન કર્યું. તેનું પાન કરતાં જ તેઓ બધા ઘેલા થઈને નાચવા લાગ્યા, હસવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા, ગાવા લાગ્યા અને સ્વેચ્છાએ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. માત્ર રાજા અને મંત્રી એ જ સારા રહ્યા. પછી બીજા સામંત વિગેરેએ રાજા અને મંત્રીને પિતાનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જોઈ નિશ્ચય કર્યો કે, “જરૂર આ રાજા અને મંત્રી બંને ઘેલા થઈ ગયા જણાય છે; કારણકે તેઓ આપણાથી વિલક્ષણ આચારવાળા છે, તેથી તેમને તેમના સ્થાનથી દૂર કરી બીજા રાજા અને મંત્રીને આપણે સ્થાપિત કરીએ.” તેમને આ વિચાર મંત્રીના જાણવામાં આવ્યું, તેણે રાજાને જણાવ્યું એટલે રાજાએ મંત્રીને પૂછયું કે “આપણે હવે તેમનાથી આત્મરક્ષા શી રીતે કરવી ? કેમકે જનવૃંદ રાજા સમાન છે.” મંત્રી બોલ્યો કે- હે દેવ! આપણે પણ તેમની સાથે ઘેલા થઈને તેમની જેમ વર્તવું. તે સિવાય બીજો કોઈ ઉપાય આ સમયે યેગ્ય નથી.” પછી રાજા અને મંત્રી કૃત્રિમ ઘેલા થઈ તેઓની મધ્યમાં રહેવા લાગ્યા અને પિતાની સંપત્તિ ભેગવવા લાગ્યા. જ્યારે પાછા શુભ સમય આવ્યું અને શુભ વૃષ્ટિ થઈ ત્યારે તે નવીન વૃષ્ટિના જળનું પાન કરવાથી સર્વે મૂળ પ્રકૃતિવાળા (સ્વસ્થ) થયા. આ પ્રમાણે દુષમા કાળમાં ગીતાર્થ મુનિઓ પણ વેશધારીઓની સાથે તેમની જેવા થઈને રહેશે; પરંતુ ભવિધ્યમાં પિતાના સમયની ઈરછા રાખ્યા કરશે.” આ પ્રમાણે પિતાના સ્વપ્નનું ફળ સાંભળીને મહાશય હસ્તિપાળ રાજા પ્રતિબોધ પામી દીક્ષા લઈને અનુક્રમે મોક્ષે ગયા.
આ સમયે ગૌતમ ગણધરે ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે, “હે સ્વામિન્ ! ત્રીજા આરાને અંતે ભગવાનું વૃષભસ્વામી થયા, અને ચોથા આરામાં શ્રી અજિતનાથ વિગેરે ત્રેવીસ તીર્થંકર થયા, જેમાં છેવટે તમે થયા. એ પ્રમાણે આ અવસર્પિણીમાં જે બન્યું, તે જોયું. હવે દુઃષમા નામના પાંચમા આરામાં જે થવાનું હોય તે પ્રસન્ન થઈને કહો વીરપ્રભુ બોલ્યા, “હે ગૌતમ ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમે આરે પ્રવેશ કરશે. અમારા નિર્વાણ પછી એગણીસો ને ચૌદ વર્ષો ગયા પછી પાટલીપુત્ર નગરમાં મ્લેચ્છ કુળમાં રૌત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિમાં કલ્કી, રૂદ્ર અને ચતુમુખ એવા ત્રણ નામથી વિખ્યાત રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં પવને હણાયેલા જીર્ણ વૃક્ષની જેમ રામકૃષ્ણનું મંદિર અકસ્માત્ પડી જશે. અતિક્રૂર આશયવાળા કલ્કીમાં કૅધ, માન, માયા અને લોભ, કાષ્ટ્રમાં ઘુણા જાતના કીડાની જેણુ સ્વભાવથી જ ઉત્પન્ન થશે. તે કાળે ચરલોકોને અને રાજાના વિરોધનો ભય રહ્યા કરશે. તેમજ ઉત્તમ ગંધ રસને ક્ષય, દુભિક્ષા અને અતિવૃષ્ટિ થયા કરશે. તે કલ્કી અઢાર વર્ષને થશે ત્યાં સુધી મહામારી પ્રવર્તશે. પછી તે પ્રચંડાત્મા કલ્કી રાજા થશે. એક વખતે કકી રાજા નગરમાં ફરવા નીકળતાં માર્ગમાં પાંચ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સગ ૧૩ મે
સ્તૂપને જોઈ પાર્શ્વસ્થ જનને પૂછશે કે ‘આ સ્તૂપ કેણે કરાવ્યા છે!' તેએ જણાવશે કે, પૂર્વે ધનથી કુબેરભ’ડારી જેવા નદ નામે વિશ્વવિખ્યાત રાજા થઈ ગયા છે, તેણે આ સ્તૂપાની નીચે ઘણું સુવણું નાખ્યુ છે, પણ તે લેવાને કાર્ય રાજા અદ્યાપિ સમથ થયા નથી,’ તે સાંભળી સ્વભાવથી જ અતિ લુબ્ધ એવા કલ્કીરાજા તે સ્તૂપને ખેાદાવશે અને તેની નીચેથી સુવર્ણ લઇ લેશે. પછી તે દ્રવ્યના અી થઈ આખુ શહેર ખાદાવો. અને બધા રાજાને તૃણુની જેવા ગણશે. કલ્કીએ ખાદેલી તે નગરીની ભૂમિમાંથી લવણુદેવી નામે એક શિલા મયી ગાય નીકળશે. તેને ચૌટામાં ઊભી રાખવામાં આવશે. તે પેાતાના પ્રભાવ બતાવવા માટે ભિક્ષા સારૂ કરતા મુનિઓને પેાતાના ભૃગના અગ્રભાગથી સંઘટ્ટ કરશે. તે ઉપરથી સ્થવિરા કહેશે કે, ‘આ ભવિષ્યમાં જળના મહા ઉપદ્રવ થવાનુ સૂચવે છે, તેથી આ નગરી છેડીને ચાલ્યા જવુ યાગ્ય છે.” તે સાંભળી કેટલાએક મહર્ષિ એ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે; અને કેટલાએક તેા ભાજન વસ્ત્ર વિગેરેના લાલુપી ત્યાં જ રહેશે અને મેલશે કે, ‘કને વશ એવા કાળયેાગે જે કાંઈ શુભ કે અશુભ થાય તેને અટકાવવાને જિનેશ્વર પણ સમ નથી.” પછી દુષ્ટ કલ્કી સર્વ પાખડીઓની પાસેથી કર લેશે; તે તેને આપશે, કારણ કે તેઓ તા સાર’ભપરિગ્રહી હેાય છે. પછી લુબ્ધ કલ્કી બીજા પાખડીએએ કર આપ્યા અને તમે કેમ આપતા નથી ?' આ પ્રમાણે કહીને સાધુઓને પણ રૂધરો. સાધુએ તેને કહેશે કે, “રાજન ! અમે તેા નિષ્કિંચન છીએ અને ભિક્ષા માગીને ખાનારા છીએ. તેા ધ લાભ સિવાય તમને ખીજુ શું આપીએ? પુરાણમાં કહ્યું છે કે, બ્રહ્મનિષ્ટ તપસ્વીઓનું રક્ષણ કરનાર રાજાને તેમના પુણ્યના છઠ્ઠો ભાગ મળે છે, તેથી હે રાજન! આ દુષ્કૃત્યથી વિરામ પામે, કેમકે તમારા આ વ્યવસાય શહેર અને દેશના અશુભને માટે છે.” આવાં મુનિનાં વચન સાંભળી તત્કાળ કલ્કી કાપ કરશે અને ભ્રકુટી ચઢાવી વિકરાળ મુખ કરી યમરાજના જેવા ભય કર દેખાશે, તે વખતે નગરદેવતા તેને કહેશે કે, અરે કલ્કી ! શુ તારી મરવાની ઈચ્છા છે કે જેથી આવા મુનિએની પાસેથી પણ દ્રવ્યની યાચના કરે છે ?” દેવતાનાં આ પ્રમાણેનાં વચનથી સિંહન! નાદથી હસ્તીની જેમ ભય પામેલા કલ્કી નમસ્કાર પૂર્વક તે સાધુઆને ખમાવશે. ત્યારપછી કલ્કીરાજાના નગરના ભય સૂચવનારા મેાટા ભય કર ઉત્પાતા પ્રતિદિન થવા માંડશે, સત્તર દિવસ સુધી અહેારાત્ર મેઘ વશે; તેથી ગગાના પ્રવાહ વૃદ્ધિ પામીને કલ્ટીના નગરને ડુબાડી દેશે. તે વખતે માત્ર પ્રાતિપદ નામે આચાયૅ, કેટલાક સ’ઘના લાકો, કાઈક નગરજને અને કલ્કીરાજા 'ચે સ્થળે ચડી જવાથી બચશે. ખાકી ગંગાના પ્રસરતા પ્રવાહમાં ઘણા નગરવાસીઓ તત્કાળ ડુબીને મૃત્યુ પામી જશે, પછી જ્યારે જળના ઉપસ વિરામ પામશે ત્યારે કલ્કી નના દ્રવ્યથી ફરીવાર નવું નગર વસાવશે. તેમાં સારાં સારાં મકાના બંધાવશે, સાધુએ વિહાર કરશે, સમય પ્રમાણે ધાન્યની ઉત્પત્તિના કારણભૂત મેઘ વરસશે, એક દમડામાં કુંભ ભરીને ધાન્ય માશે, તો પણ લેાકેા ધાન્ય ખરીદશે નહી, એવી રીતે કલ્કીના રાજ્યમાં પચાસ વર્ષ સુધી સુભિક્ષ રહેશે. એમ કરતાં કરતાં જ્યારે કલ્કીનું મૃત્યુ નજીક આવશે ત્યારે તે પાછા બધા પાખડીઓના વેષ છેડાવી દેશે અને ઘણા ઉપદ્રવ કરશે. સંધ સહિત પ્રાતિપદ આચાય ને ગાયના વાડામાં પૂરીને તેમની પાસેથી એ દુરાશય કલ્કી ભિક્ષાના છઠ્ઠો ભાગ માગશે. એટલે સંઘ શક્રેદ્રની આરાધના કરવાને માટે કાયાત્સગ કરશે. તે વખતે શાસનદેવી આવીને કહેશે કે હે કલ્કી ! આ તારૂ કામ તારી કુશળતાને માટે નહીં થાય.' સ`ઘે કરેલા કાયાત્સર્ગના પ્રભાવથી ઈંદ્રનુ આસન ચલિત થતાં તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઇને ત્યાં આવશે. પછી સભા વચ્ચે મોટા સિંહાસનપર બેઠેલા કલ્કીને શક્રેન્દ્ર કહેશે કે, “હે રાજન્ ! તેં આ સાધુઓને કેમ પૂર્યા છે” કલ્કી કહેશે કે,
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૭
પર્વ ૧૦ મું “હે વૃદ્ધ ! આ બધા મારા નગરમાં રહે છે, છતાં મને ભિક્ષામાંથી છો ભાગ પણ કર તરીકે આપતા નથી. બીજા સર્વ પાખંડીઓ મને કર આપે છે અને આ સાધુઓ આપતા નથી, તેથી મેં તેમને કીલ્લાની જેવા આ ગાયોના વાડામાં પૂર્યા છે.” પછી શકેદ્ર કહેશે કે, “તેઓની પાસે કાંઈ નથી, તેઓ કેઈને ભિક્ષા અંશ કદિ પણ આપતા નથી. આ ભિક્ષકેની પાસેથી ભિક્ષા અંશ માગતાં તું કેમ શરમાતું નથી ? માટે હવે તેમને છોડી દે, નહિ તે તને મેટ અનર્થ પ્રાપ્ત થશે.” ઇંદ્રનાં આવાં વચનથી કલ્કી કોપાયમાન થઈને કહેશે કે, “અરે સુભટે ! આ બ્રાહ્મણને ગળે પકડીને કાઢી મૂકે. આ પ્રમાણે તેના બોલતાં જ ઈન્દ્ર પાપના પર્વત જેવા કલ્કીને લપડાક મારીને ભસ્મ કરી નાખશે; એટલે છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કલ્કી દુરંત એવી નાકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થશે. પછી શદ્ર કકીના દત્ત નામના કુમારને જૈનધર્મ સંબંધી શિક્ષા આપી, રાજ્ય ઉપર બેસાડી, સંઘને નમીને પિતાને સ્થાનકે જશે. દત્તરાજા પિતાને પ્રાપ્ત થયેલું તેના પાપનું ઘર ફળ અને ઇદ્દે આપેલી શિક્ષાને વારંવાર સંભારીને બધી પૃથ્વીને અરિહંતના ચૈત્યોથી વિભૂષિત કરી દેશે. પછી પાંચમાં આરાના પર્યત સુધી જૈનધર્મની પ્રવૃત્તિ નિરંતર રહ્યા કરશે.
તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્ર ગ્રામ, ખાણ અને નગરોથી આકુળ અને ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી ભરેલ સ્વર્ગપુરી જેવું હોય છે અને ગામે શહેર જેવા, શહેરે સ્વર્ગ પુરી જેવા, કુટુંબીઓ રાજા જેવા, રાજાએ કુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા. પિતાએ દેવ જેવા, સાસુઓ માતા જેવી અને સાસરા પિતા જેવા હોય છે. લોકે સત્ય તથા શૌચમાં તત્પર, ધર્માધર્મના જાણુ, વિનીત, ગુરૂદેવના પૂજક અને પિતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે. વળી તેવા લોકોમાં વિજ્ઞાન, વિદ્યા, અને કુળવાપણું હોય છે. પરચક, ઈતિ અને ચાર લોકોને ભય હોતો નથી, તેમજ ન કર નખાતે નથી, તેવા સમયમાં પણ અહંતની ભક્તિને નહી જાણનારા તેમજ વિપરીત વૃત્તિવાળા કુતીથઓથી મુનિ આદિકને ઉપસર્ગ વિગેરે થાય છે અને દશ આશ્ચર્યો પણ થયા છે.
ત્યારપછી દુષમા કાળમાં એટલે પાંચમા આરામાં સર્વ લોકો કષાયથી લેપ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને વાડ વિનાની ક્ષેત્રભૂમિની જેમ મર્યાદા રહિત થશે. જેમ જેમ આગળ કાળ જશે તેમ લોકો વિશેષે કુતીર્થીઓએ મહિત કરેલી બુદ્ધિવાળા અને અહિંસાદિકથી વર્જિત થશે, તેમજ ગામડા સ્મશાન જેવા, શહેર પ્રેતલેક જેવા, કુટુંબીઓ દાસ જેવા અને રાજાએ યમદંડ જેવા થશે. રાજાઓ લુબ્ધ થઈને પિતાના સેવકોનો નિગ્રહ કરશે અને સેવકે પિતાના સ્વજનને કંટશે એમ માસ્ય ન્યાય પ્રવર્તશે. જે અંત્યે હશે તે મધ્યમાં આવશે અને જે મધ્યમાં હશે તે અંત્યે આવશે એમ વેત વાવટાવાળા વહાણોથી જેમ બધા દેશો ચળાયમાન થઈ જશે, ચોર ચોરીથી, રાજાઓ કરથી અને ભૂત ભરાયેલાની જેવા અધિકારીઓ લાંચ લઈને સર્વ પ્રજાને પીડા કરશે. જો કે સ્વાર્થમાં જ તત્પર પરાર્થવિમુખ અને સત્ય, લજજા તથા દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનના વિરોધી થશે. શિષ્ય ગુરૂની આરાધના કરશે. નહીં, ગુરૂઓ પણ શિષ્યભાવ રાખશે નહીં અને તેમને ઉપદેશાદિવડે શ્રુતિજ્ઞાન આપશે નહીં. અનુક્રમે ગુરૂકુળમાં વાસ કરે બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથ્વી ઘણું પ્રાણીઓથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં, પુત્રો પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણી જેવી થશે અને સાસુએ કાળરાત્રિ જેવી જણાશે. કુલીન સ્ત્રીઓ પણ લજજા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી અથવા નાના માછલાને મોટા માછલાં ખાય, તેમને તેમનાથી મોટા ખાઈ જાય એ ભાસ્ય ન્યાય કહેવાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સગ ૧૩ મો
બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાને અનુસરશે. શ્રાવક અને શ્રાવિકાપણની હાનિ થશે, ચતુર્વિધ ધર્મને ક્ષય થશે અને સાધુ સાધ્વીને પર્વ દિવસે કે સ્વને પણ નિમંત્રણ નહીં થાય. ખોટાં તેલ તથા ખોટા માન ચાલશે, ધર્મમાં પણ શઠતા થશે અને પુરૂષ દુઃખી ને દુર્જને સુખી થશે, મણિ, મંત્ર, ઔષધી, તંત્ર, વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ, રસ, રૂપ, શરીરની ઉંચાઇ, ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમાં આરામાં પ્રતિદિન હાનિ થશે, અને તે પછી છઠ્ઠા આરામાં તો અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણ્યના ક્ષયવાળ કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. આ ભારતક્ષેત્રમાં દુષમકાળમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નમે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણુ શરીર થશે, વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે અને દુ:પ્રસાદિ ચારેથી ઉત્કૃષ્ટ છને તપ બની શકશે. દશવૈકાલિકના વેત્તા તે ચૌદ પૂર્વ ધારી જેવા ગણાશે અને એવા મુનિએ દુપ્રસહસૂરિ પર્યત સંઘરૂપ તીર્થને પ્રતિબધ કરશે તે કારણુ માટે ત્યાં સુધી જે કેમે ધર્મ નથી એવું બેલે તેને સંઘ બહાર મૂક. દુ:પ્રસહાચાર્ય બાર વર્ષ ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં નિર્ગમન કરી છેવટે અઠ્ઠમ તપ કરી મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે. તે દિવસે પૂર્વાહને ચારિત્રને, મધ્યાહુને રાજધર્મને અને અપરાને અગ્નિને ઉચછેદ થઈ જશે.
એવી રીતે એકવીશ હજાર વર્ષના પ્રાણવાળે દુષમકાળ વ્યતીત થયા પછી તેટલા જ પ્રમાણવાળો એકાત દુષમ દુઃષમ કાળ પ્રવર્તાશે. તેમાં ધર્મ તત્ત્વ નષ્ટ થતાં હાહાકાર થઈ રહેશે પશુની જેમ માતા પુત્રની વ્યવસ્થા મનુષ્યમાં પણ રહેશે નહીં. રાત્રીદિવસ કઠોર અને ઘણી રજવાળા અનિષ્ટ પવનો વાયા કરશે તેમ જ દિશાઓ ધૂમ્રવણ થવાથી ભયંકર લાગશે. ચંદ્ર અત્યંત શીતળતા મૂકશે અને સૂર્ય અતિ ઉષ્ણતાથી તપશે, તેવી અતિ શીત અને અતિઉણતાથી પરાભવ પામેલા લોકો અત્યંત કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મેઘ ક્ષાર, આશ્લ, વિષ, અગ્નિ અને વજનમય થઈ તે તે રૂપે વૃષ્ટિ કરશે. જેથી લોકોમાં કાસ, શ્વાસ, શૂળ, કષ્ટ, કૂદ, જળે ઠર, જવર, શિરોવ્યથા અને બીજા પણ કેટલાક રોગો ઉત્પન્ન થશે. જળચર, સ્થળચર અને ખેચર તિર્યંચે મહા દુ:ખે રહેશે, ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસનો ક્ષય થઈ જશે. વૈતાઢયગિરિ, ઋષભકૂટ અને ગંગા તથા સિંધુ નદી સિવાય બીજા બધા ગિરિઓ ખાડાઓ અને સરિતાએ સપાટ થઈ જશે. ભૂમિ અંગારાના ભાઠા જેવી ભસ્મરૂપ થશે; તેમજ કેઈ સ્થાને અતિ ધૂળવાળી અને કઈ સ્થાને ઘાટા કીચડવાળી થશે. મનુષ્યના શરીર એક હાથના પ્રમાણવાળા અને માઠા વર્ણવાળા થશે તેમજ પુરૂ
ને શ્રી નિષ્ફર વાણી બોલનાર, રોગાત્ત, ક્રોધી, લાંબા દેખાવના ચપટી, નાસિકાવાળા, નિર્લજ અને વસ્ત્ર રહિત થશે. પુરૂષનું આયુષ્ય ઉત્કૃષ્ટ વીશ વર્ષનું અને સ્ત્રીઓનું સેળ વર્ષનું થશે. તે સમયમાં સ્ત્રી છ વર્ષની વયમાં ગર્ભ ધારણ કરી દુઃખે પ્રસવ કરશે. સોળ વર્ષે તે ઘણું પુત્ર પૌત્રવાળી થશે અને વૃદ્ધા ગણાશે. વૈતાઢયગિરિની નીચે તેને લગતા બીલમાં નિવાસ થશે. ગંગા ને સિંધુ બંને નદીના તટ ઉપર શૈતાઢયની બંને તરફ નવ નવ બીલ છે કુલ બહોતેર બીલ છે તેમાં તેઓ રહેશે. તિર્યંચ જાતિ બધી માત્ર બીજરૂપે રહેશે. તે વિષમકાળે સર્વ મનુષ્ય તથા પશુઓ માંસાહારી, ક્રૂર અને નિવિવેકી થશે, ગંગા અને સિંધુ નદીને પ્રવાહ ઘણુ મત્સ્ય કચ્છપવાળો અને માત્ર રથના પૈડાં જેટલે રહેશે. તેમાંથી લોકો માત્ર માછલાને કાઢીને સ્થળ ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે. એટલે રાત્રે તેમનું ભક્ષણ કરશે. એવી રીતે તેને નિર્વાહ
Page #224
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મા
૨૦૯
ચાલશે. કેમકે તે સમયે દુધ નહી' વિગેરે રસવાળા પદાર્થા, પુષ્પ, ફળ કે આમ્ર કાંઈ પણ મળશ નહીં. તેમજ શય્યા આસનાદિ પણ રહેશે નહી. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવી જ રીતે પહેલા દુઃષમા અને પછી દુઃષમાકાળ બને એકવીશ હજાર વર્ષાં સુધી પ્રવર્ત્તશે. અવ સિણીમાં જેમ અંત્ય (ઠ્ઠો) અને ઉપાંત્ય (પાંચમા) એ આરા હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પહેલા અને બીજો આર હેાય છે, ઉત્સર્પિણીમાં દુઃષમદુઃખમા કાળ (અવસર્પિણીમાં છઠ્ઠા જેવા પહેલા આરા) ને અંત સમયે જુદા જુદા પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વર્ષશે. તેમાં પહેલા પુષ્કર નામે મેઘ વી પૃથ્વીને તૃપ્ત કરી દેશે. બીજો ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજો ધૃતમેઘ સ્નેહ (ચીકાસ) રસમય પેદા કરશે. ચાથા અમૃતમેઘ ઔષધિઓને ઉત્પન્ન કરશે. પાંચમે રસમેલ પૃથ્વી વિગેરેને કરશે. એવી રીતે પાંત્રીશ વિસ સુધી શાંતપણે દુ`િન વૃષ્ટિ થશે. પછી વૃક્ષ, ઔષધી, લતા, વલ્લી વગેરે લીલેાતરીએ જોઇ ખીલમાં રહેનારા મનુષ્યેા હર્ષોં પામીને બહાર નીકળશે ત્યારથી ભારતવર્ષની ભૂમિ પુષ્પ ફૂલવતી થશે; એટલે પછી મનુષ્યા માંસનું ભક્ષણ કરશે નહીં, માંસને તજી દેશે. પછી જેમ જેમ કાળ વૃદ્ધિ પામશે તેમ તેમ મનુષ્યેાના રૂપમાં, શરીરના બાંધામાં, આયુષ્યમાં અને ધાન્ય વિગેરેમાં વધારો થતા જશે. અનુક્રમે સુખકારી પવન વાતે, અનુકુળ ઋતુએ થશે, નદીએમાં જળ વૃદ્ધિ પામશે, એટલે તિય ચા અને મનુષ્યા નિરોગી થવા માંડશે.
દુઃષમાકાળને (ઉપિ ણીના ખીજા આરાને) અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલકર થશે. પેલા વિમલવાહન, બીજે સુદામ, ત્રીજો સ’ગમ, ચેાથેા સુપાર્શ્વ, પાંચમા દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમા સંસુચિ, તેમાં પહેલા વિમલવાહન જાતિસ્મરણ જ્ઞાનવડે રાજ્યને માટે ગામે અને શહેરો વસાવશે; ગાય, હાથી અને અશ્વાનો સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદ્રિ વ્યવહાર લેાકેામાં ચલાવશે. પછી જ્યારે દૂધ, દહિ', ધાન્ય અને અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે તે પ્રજાહિતેચ્છુ રાજા લેાકેાને અન્ન રાંધીને ખાવાનો ઉપદેશ કરશે.
જ્યારે આવી રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સમુચિ નામના સાતમા કુળકર રાજાની રાણી ભદ્રા દેવીની કુક્ષિમાં શ્રેણિકના જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આયુષ્ય અને શરીર વિગેરેથી મારા સરખા તે પદ્મનાભ નામે પહેલા તી કર થશે. ત્યારપછી પૂર્વની જેમ પ્રતિલેામપણે ત્રેવીશ તીર્થં કરા શરીર, આયુ. અંતર વિગેરેથી પૂર્વ સમાન અનુક્રમે ઉત્પન્ન થશે. શ્રેણિકનો જીવપદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. સુપાર્શ્વના જીવ શૂરદેવ નામે બીજા ત કર થશે, પેટ્ટિલનો જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તી કર થશે. દ્રઢાયુનો જીવ સ્વય’પ્રભ નામે ચેાથા તી કર થશે. કાર્તિક શેઠનો જીવ સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. શ'ખ શ્રાવકનો જીવ દેવશ્રુત નામે છઠ્ઠા તીર્થંકર થશે. નંદના જીવ ઉદય નામે સાતમા તીથ કર થશે. સુનંદનો જીત્ર પેઢાળ નામે આઠમા તી'કર થશે. કૈકસીના જીવ પાટિલ નામે નવમા તી કર થશે. રેવતીનો જીવ શતકીર્ત્તિ નામે દશમા તીર્થંકર થશે. સત્યકિનો જીવ સુવ્રત નામે અગ્યારમા તીથ કર થશે કૃષ્ણ વાસુદેવનો જીવ અમમ નામે બારમા તીથંકર થરો, બલદેવનો જીવ અકષાય નામે તેરમા તીર્થંકર થશે. રાહિણીના જીવ નિષ્કુલાક નામે ચૌદમા તીર્થંકર થશે, સુલસાનો જીવ નિ`મ નામે પંદરમાં તીર્થંકર થશે. રેવતીનો જીવ ચિત્રગુપ્ત નામે સેાળમા તીથંકર થશે. ગવાળીના જીવ સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે. ગાલનો જીવ સવર નામે અઢારમાં તીર્થંકર થશે. દ્વીપાયનનો જીવ યશોધરા
२७
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સર્ગ ૧૩ નામે ઓગણીશમાં તીર્થકર થશે. કર્ણને જીવ વિજય નામે વશમાં તીર્થકર થશે. નારદને જીવ મલ નામે એકવીસમા તીર્થંકર થશે. અબડનો જીવ દેવ નામે બાવીસમા તીર્થંકર થશે. બારમાં ચકવતી બ્રહ્મદત્તનો જીવ અનંતવીર્ય નામે વેવીશમાં તીર્થકર થશે. અને સ્વાતિને જીવ ભદ્રકૃત નામે ચોવીશમાં તીર્થકર થશે. ૧
તેટલા સમયમાં દીર્ઘદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રીમ, પદ્મ, મહાપદ્ધ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટ–એ બાર ચક્રવર્તી થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપૃષ્ટ અને ત્રિપૃષ્ટ-એ નવ અર્ધચક્રી (વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન પદ્ધ અને સંકર્ષણ એ નવ બળરામ થશે અને તિલક, લેહજંઘ, વાજંઘ, કેશરી, બલિ, અલ્હાદ અપરાજિત, ભીમ અને સુગ્રીવ-એ નવ પ્રતિવાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂ થશે.”
આ પ્રમાણે કહી રહ્યા પછી શ્રી વીરપ્રભુને સુધર્મા ગણધરે પૂછયું કે, “હે સ્વામિન્ ! કેવળજ્ઞાન રૂપી સૂય કયારે અને કોના પછી ઉચ્છદ પામશે ?' પ્રભુ બેલ્યા–“મારા મોક્ષગમન પછી કેટલેક કાળે જ બૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે, તેના પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. કેવળજ્ઞાન ઉચ્છદ પામતાં કેઈને મન:પર્યાય જ્ઞાન પણ નહીં થાય. પુલાક લબ્ધિ કે પરમાવધિજ્ઞાન પણ નહિ થાય, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી બંને વિનાશ પામશે, તેમજ આહા૨ક શરીર, જિનક૯૫ અને ત્રિવિધ સંયમ પણ નહિ રહે. તેમના શિષ્ય પ્રભવ ચૌદપૂર્વધારી થશે અને તેના શિષ્ય શઐભવ પણ દ્વાદશાંગીન પારગામી થશે તે પૂર્વમાંથી ઉદ્ધરીને દશવૈકાળિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સર્વ પૂર્વધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય ને ભદ્રબાહુ પણ ચૌદપૂવ થશે. સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર ચૌદપૂવ થશે. ત્યારપછી છેલ્લાં ચાર પૂર્વ ઉછેદ પામી જશે. ત્યારપછી મહાગિરિ અને સુહસ્તિથી તે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવર્ત કે દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત કહીને શ્રીવીરપ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા અને હસ્તિપાળ રાજાની શુલ્ક ( દાણ લેવાની) શાળામાં ગયા.
તે દિવસની રાત્રે જ પિતાને મોક્ષ જાણુને પ્રભુએ વિચાર્યું કે, “અહો ! ગૌતમને નેહ મારા ઉપર અત્યંત છે અને તે જ તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નાખવું જોઈએ. આવું વિચારી તેમણે ગૌતમને કહ્યું-ગૌતમ! અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે, તે તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે ત્યાં જાઓ.” તે સાંભળી જેવી આપની આજ્ઞા એમ કહી ગૌતમ વીરપ્રભુને નમીને તરત જ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું અર્થાત તેને પ્રતિબોધ પમાડયો. અહીં કાત્તિ, માસની અમાવાસ્યાની પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠને તપ કરેલો છે એવા શ્રી વિરપ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. પછી છત્રીશ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કોઈના પૂછળ્યા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસનકંપથી પ્રભુને મોક્ષસમય જાણી સર્વ સુર ને અસુરના ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી જેના નેત્રમાં ૧ આ ચોવીશીમાં પૂર્વભવી જીવ વિગેરેમાં પાઠાંતરે છે, તેને નિર્ણય અહીં થઈ શકે તેમ નથી. ૨ પરિહાર વિશદ્ધ, સૂક્ષમ સંપાશય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્રો. ૩. આ દેશના રીવાજ પ્રમાણે
આસો વદિ અમાવાસ્યાંએ.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પર્વ ૧૦ મું અશ્રુ આવેલા છે એવા શદ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને સંભ્રમ વડે આ પ્રમાણે કહ્યું કે-“નાથ ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમે તે ગ્રહ બે હજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ સાધ્વી)ને બાધા ઉત્પન્ન કરશે. માટે તે ભસ્મકગ્રહ આપના જન્મનક્ષત્રે સંકમે ત્યાં સુધી આપ રાહ જુઓ કે જેથી તમારી દષ્ટિએ સંક્રમણ થાય તો તમારા પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય. જે બીજાઓ પણ તમને હૃદયમાં ધારણ કરે છે તેઓના કુસ્વપ્ન, અપશુકન અને કુગ્રહ પણ શ્રેષ્ટપણાને પામી જાય છે, તો હે સ્વામિન !
જ્યાં તમે સાક્ષાત્ રહ્યા છે ત્યાં તે વાત જ શી કરવી. માટે પ્રસન્ન થઈને ક્ષણવાર ટકા કે જેથી તે દુહને ઉપશમ થઈ જાય.” પ્રભુ બોલ્યા- “હે શકેંદ્ર! આયુષ્યને વધારવાને કઈ પણ સમર્થ નથી. તે તું જાણે છે તે છતાં તીર્થના પ્રેમથી મેહિત થઈને આમ કેમ બેલે છે ? આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે. તેમાં ભવિતવ્યતાને અનસરીને આ ભસ્મક ગ્રહનો પણ ઉદય થયો છે. એવી રીતે ઇંદ્રને સમજાવીને સાડા છ માસે ઉણું ત્રીશ વર્ષ પર્યત કેવળજ્ઞાન પર્યાય પાળી, પર્યકાસને બેઠેલા પ્રભુએ બાદર કાયાગમાં રહી, બાદર મનગ અને વચનગને રૂંધ્યા. પછી સૂક્ષ્મ કાયગમાં સ્થિત થઈ ગવિચક્ષણ પ્રભુએ બાર કાયાગને પણ રૂંધી લીધે. પછી વાણુ તથા મનના સૂક્ષમ ચાગને પણ ક્યા. એવી રીતે સુક્ષમ ક્વિાવાળું ત્રીજુ શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સુક્ષ્મ તનગને પણ રૂંધી જેમાં સર્વ ક્રિયાને ઉચ્છેદ થાય છે એવા સમુછિન્નક્રિય નામના ચોથા. શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હૂસ્વાક્ષરને ઉચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા અત્યભિચારી એવા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથાસ્વભાવ ઋતુ ગતિવડે ઉર્ધ્વગમન કરી મૂક્ષને પ્રાપ્ત થયા. તે વખતે જેઓને એક લવમાત્ર સુખ કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નારકીને પણ ક્ષણમાત્ર સુખ થયું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર પ્રીતિવર્ધ્વન નામે માસ, નંદિવર્ધ્વન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજુ નામ ઉપશમ હતું. તે રાત્રિનું નામ દેવાનંદા હતું, તેનું બીજુ નામ નિરતિ પણ હતું. વખતે અચે નામે લવ, શૃંદ્ર નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તોક અને સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત તેમ જ નાગ નામે કારણ હતું. તે સમયે ન ઉદ્ધારી શકાય તેવા અતિ સૂક્ષ્મ કુંથુઓ ઉત્પન્ન થયા, તે સ્થિર હોય ત્યારે દષ્ટિગ્રાહ્ય પણ થતા નહોતા; જ્યારે હાલતા ચાલતા ત્યારેજ દૃષ્ટિએ પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણું સાધુ અને સાધ્વીઓએ અનશન કર્યું, પ્રભુના નિર્વાણને જાણીને તે સમયે ભાવદીપકને ઉચ્છેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યા. ત્યારથી લોક માં દીપોત્સવીનું પર્વ પ્રવત્યુ, અદ્યાપિ તે રાત્રે લોકોમાં દીવા કરવામાં આવે છે.
તે સમયે જગદ્દગુરૂના શરીરને દેવતાઓએ નેત્રમાં અશ્રુ લાવીને પ્રણામ કર્યા અને પિતે અનાથ થઈ ગયા તેનો શેક કરતા છતા પાસે ઊભા રહ્યા. પછી શકે ઢે વૈર્ય ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી દેવતાઓ પાસે ગોશીષચંદનના કારણે મંગાવ્યાં અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને રિનાન કરાવ્યું, અને ઈન્ડે પિતાને હાથે દિવ્ય અંગરાગ વડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ્ત્ર ઓઢાડી જાણે નયનાશ્રેથી ફરી ત્વવરાવતા હોય તેમ અપૂર નેત્રે શકે ઢે પ્રભુના શરીરને ઉપાડયું અને સુરાસુરેએ
૧ શુકલ ધ્યાનને ત્રીજો પા. ૨ શુકલધ્યાનના ચોથા પાયાને.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સર્ગ ૧૩ માં સાથુનયને જોતાં તેને શ્રેષ્ઠ વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. પછી મહાપ્રયાસે શેકને રેકીને પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈ દ્રોએ તે શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદિજનની જેમ જય જય ધ્વનિ કરતા તેની ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા તેમજ પિતાના નેત્રકમળના જળની જેમ સુગંધી જળની વૃષ્ટિથી ચારે બાજુ ભૂમિતળ ઉપર સિંચન કરવા લાગ્યા. ગંધર્વ દેવે પ્રભુના ગુણને વારંવાર સંભારીને ગંધર્વોની જેમ તારસ્વરથી ગાવા લાગ્યા. સેંકડે દેવતાઓ મૃદંગ અને પશુવ વિગેરે વાદ્યોને શેકથી પિતાના ઉસ્થળની જેમ તાડન કરવા લાગ્યા. પ્રભુની શિબિકા આગળ શેકથી ખલિત થતી દેવાંગનાઓ અભિનવ નર્તકીઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુર્વિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણે થી અને પુષ્પમાળાઓથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગ્યા અને શ્રાવકો તથા શ્રાવિકા એ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઈ રાસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા. તે સમયે સાધુ અને સાધ્વીના હૃદયમાં શોકે મોટું સ્થાન કર્યું. “સૂર્યને અસ્ત થતાં ગાઢ નિદ્રા પ્રાપ્ત થાય જ છે.” પછી શોકરૂપ શ કુથી વિદીર્ણ થતા હદયવાળા છે કે પ્રભુના શરીરને ચિતા ઉપર મૂકયું. અગ્નિકુમાર દેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો અને તેને વિષ પ્રદિપ્ત કરવાને વાયુકુમારે એ વાયુ વિકલ્પે. અન્ય દેવતાઓએ સુગંધી પદાર્થો અને ધૃત તથા મધુના સેંકડે ઘડા અગ્નિમાં ક્ષેપક કર્યા. પછી જ્યારે પ્રભુના શરીરમાંથી માંસાદિક દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક અને ઈશાન ઈદ્દે પ્રભુની ઉપરની દક્ષિણ અને વામ દાઢાઓ લીધી અને ચમરે તથા બલિઈ નીચેની બે દાઢાઓ ગ્રહણ કરી. બીજા ઈદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્ય કલ્યાણને અર્થે તેમની ચિતાની ભસ્મ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણ સંપત્તિના સ્થાનરૂપ એક રત્નમય સૂપ ર.
આ પ્રમાણે શ્રી વિરપ્રભુનો નિર્વાણમહિમા કરીને સર્વે ઈન્દ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓનો અષ્ટાહ્િનક ઉત્સવ કર્યો. પછી પોતપોતાને સ્થાનકે જઈને પોતપોતાના વિમાનમાં મણિમય (માણવક) સ્તંભની ઉપર રહેલા વિજય ગોળ દાબડામાં પ્રભુની દાઢાએ તથા અસ્થિને સ્થાપન કર્યા.
ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાળીસ વર્ષ એમ બેતેર વર્ષનું આયુષ્ય શ્રીવીર પ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષ વ્યતીત થયે છતે શ્રીવીરપ્રભુનું નિર્વાણ થયું.
અહીં શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા, એટલે માર્ગમા દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણના ખબર સાંભળ્યા. તે ઉપરથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે, “એક દિવસમાં નિર્વાણ હતુ તે છતાં અને પ્રત્યે ! મને શા માટે દૂર મોકલે? અરે જગત્પતિ ! મેં આટલા કાળ સુધી તમારી સેવા કરી પણ અંતકાળે મને તમારા દર્શન થયા નહીં તેથી હું સર્વથા અધન્ય છું; જે તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. અરે ગૌતમ! તું ખરેખર વજી મય છું, વા વાથી પણ અધિક કઠીન છું કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને પણ તારા હૃદયના સેંકડે કકડા થઈ જતા નથી ! અથવા હે પ્રભો! હું અત્યારસુધી બ્રાંત થઈ ગયે કે જેથી આ નિરાગી અને નિર્મમ એવા પ્રભુમાં મેં રાગ અને મમતા રાખી. તે રાગ-દ્વેષ વિગેરે સંસારના હેતુ છે, તેને ત્યાગ કરાવવા માટે જ એ પરમેષ્ટીએ મારે ત્યાગ કર્યો હશે, માટે એવા મમતા રહિત પ્રભુમાં મમતા રાખવાથી
Page #228
--------------------------------------------------------------------------
________________
પર્વ ૧૦ મું
૨૧૩ મારે સર્યુંકેમકે મુનિઓને મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન પરાયણ થતાં ગૌતમ મુનિ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયા..તેથી તત્કાળ ઘાતિ કર્મને ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરી, અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓ વડે પૂજાતા ગૌતમ મુનિ પ્રાંતે રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભોપગ્રહી કમે ખપામી, અક્ષય સુખવાળા મોક્ષપદને પ્રાપ્ત થયા. ગૌતમસ્વામી મોક્ષે ગયા પછી પાંચમાં ગણધર સુધર્માસ્વામીએ પંચમ જ્ઞાનને પ્રાપ્ત કરી ઘણા કાળ પર્યત પૃથ્વી ઉપર વિચારીને લોકેને ધર્મદેશના આપી. પ્રાંતે તેઓ પણ રાજગૃહી નગરીએ પધાર્યા અને પિતાના નિર્દોષ સંઘને જે બૂસ્વામીને સ્વાધીન કરી દીધું. પછી સુધર્મા ગણધર પણ તે જ નગરમાં અશેષર્મા (અષ્ટ) કર્મોને ખપાવી શું ધ્યાન ધ્યાતા છતા અતિ સુખવાળા સ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ચરમ કેવળી શ્રી જ બૂસ્વાએ પણ શ્રી વીર ભગવંતના શાસનમાં અગ્રમણી થઈને ઘણા વર્ષો સુધી ભવ્ય જિનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા. - કર્તા કહે છે કે–“લયમાં પણ સાત્વિક પુરૂષમાં પરમ શ્રેષ્ઠ એવા અને જેમણે સર્વ પાપને નાશ કર્યો છે એવા શ્રી મહાવીર જિનેશ્વરનું પૂર્વ જન્મથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યત સમસ્ત ચરિત્ર કહેવાને કણ સમર્થ થાય? તથાપિ પ્રવચનરૂપ સમુદ્રમાંથી લવ માત્ર ગ્રહણ કરીને મેં સ્વપર ઉપકારની ઈચ્છા વડે અહીં કિંચિત્ કીર્તાના કરી છે.”
989 888888888888888888888888888888888888 B इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि महावीरनिर्वाण-गौतम. सुधर्माजबूमोक्ष
કામનાનો નામ ,
ત્રાડ સ છે. āg232353588 8888888888888888888888 BRI.
समाप्तमिदं दशम पर्व.
Page #229
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકર્તાની પ્રશસ્તિ
મહામુનિ જથ્થુસ્વામીના પ્રભવ નામે શિષ્ય થયા, તેમના શિષ્ય શ્રી શય્યંભવ નામે થયા, તેમના શિષ્ય યશોભદ્ર નામે થયા, તેમના સંભૂતિ અને ભદ્રબાહુ નામે બે ઉત્તમ શિષ્ય થયા. તેમાં જે સ‘ભૂતિમુનિ હતા, તેમના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. વંશપર પરાથી આવેલા ચૌદપૂર્વ રૂપી રત્નના ભંડાર જેવા તે સ્થૂલભદ્રના મહર્ષિ મહાગિરિનામે સ॰માં મોટા શિષ્ય થયા; જે સ્થિરતામાં મેરૂ સમાન અને વિષ્ટિ લબ્ધિઓથી યુક્ત હતા. બીજા શિષ્ય દશ પૂર્વ ધારી, મુનિએમાં શ્રેષ્ઠ સુહસ્તી નામે થયા; જેઓના ચરણકમળની સેવાથી પ્રોાધરૂપ ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સંપ્રતિ નામના રાજાએ આ ભરતામાં પ્રત્યેક નગરે, પ્રત્યેક ગ્રામે એક પ્રત્યેક આકરમાં ચોતરફ એમ બધા પૃથ્વીમ'ડળને જિનરૌત્યથી મ`ડિત કરી દીધું. તે આર્ય સુહસ્તી મહામુનિને સુસ્થિત સુપ્રતિબુદ્ધ નામે શિષ્ય થયા કે જે સમતારૂપ ધનવાળા, દશ પૂર્વ ધારી અને સંસારરૂપ મહાવૃક્ષને ભગ કરવામાં હસ્તી સમાન હતા. હિમાલય પર્વતમાંથી નીકળેલા ગગાના પ્રવાહની જેમ મહિષ એએ જેમના ચરણને સેવ્યા છે એવા તે મુનિથી કાટિક નામે એક મહાન્ ગણુ લવણુસમુદ્ર સુધી પ્રસાર પામ્યા. તે કેટિક ગણુમાં કેટલાએક ઉત્તમ સાધુએ થયા, પછી છેલ્લા દશ પૂર્વ ધારી લખ્ખિ સંબંધી ઋદ્ધિએ કરીને સહિત, તુયનપત્તનમાં જન્મેલા વાસમાન વસૂરિ થયા, તેમના સમયમાં જ્યારે પ્રલયકાળની જેવા ભયંકર (બાર વર્ષના) દુષ્કાળ પ્રાપ્ત થયા ત્યારે નિઃસીમતળવાળા નિધિરૂપ તે વજ્રાસૂરિ ચાતરફ ભય પામેલા સઘને વિદ્યાથી અભિમંત્રીત એવા વસ્ત્રપર બેસાડી પેાતાના કરકમળથી ઉપાડીને આકાશમાર્ગે સુભિક્ષના ધામરૂપ મહાપુરીમાં લઇ ગયા હતા. તે વસૂરિથી કોટિક ગણુરૂપ વૃક્ષની અંદરથી ઉચ્ચ નાગરિકા પ્રમુખ ત્રણ શાખાની જેવી વજી નામે એક ચાથી શાખા નીકળી. તે વા શાખામાંથી મુનિરૂપ ભ્રમરાએ જેમાં લીન થયેલા છે એવા ચદ્ર નામે એક પુષ્પના ગુચ્છ જેવા ગચ્છ પ્રવર્ત્યા, તે ગચ્છમાં ધર્મધ્યાનરૂપ આકાશમાં ચદ્ર સમાન, નિમ ળ ગ્રંથાના રત્નાકર, ભવ્યપ્રાણી રૂપ કમળમાં સૂર્ય સમાન, કામદેવરૂપ હસ્તીને મથન કરવામાં કેશરીસિંહરૂપ, સયમરૂપ ધનવાળા અને કરૂણાના રાશિરૂપ શ્રીયશેાભદ્ર નામે સૂરિવર થયા કે જેઆએ પેાતાના ઉજજવલ યશથી આ જગતને પૂરી દીધું હતું. તે સૂરિવરે, શ્રી નેમિપ્રભુએ જેનુ શિખર પવિત્ર કરેલુ છે એવા રૈવતગિરિ ઉપર સ‘લેખના કરીને અનશન ગ્રહણ કર્યું. તેમાં તેમણે શુભધ્યાનપૂર્વક તેર દિવસ સુધી શાંત મને રહેવાવડે સર્વને આશ્ચય ઉત્પન્ન કરી પૂર્વ મહર્ષિ નીસયમ કથાએને સત્ય કરી બતાવી હતી. તેમના શિષ્ય પ્રશ્નસૂરિ થયા. અનેક જીવાને પ્રતિબાધ કરનારા અને સ વિશ્વમાં પેાતાના ગુણગણુને પ્રખ્યાત કરનારા જે સૂરિવરે શ્રવણ વિષયમાં અમૃત સમાન એવા વીશ સ્થાનકના તપ કરી, પ્રવચનરૂપ સમુદ્રમાંથી કાઢેલા અરૂપ નીરવડે વર્ષાકાળના મેઘની જેમ સમગ્ર પૃથ્વીને પ્રસન્નકરી હતી. તે પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય ગુણુસેનસૂરિ થયા. તેએ સવ ગ્રંથના રહસ્યમાં રત્નમય દ્વણુરૂપ કલ્યાણુરૂપ વઢ્ઢીના વૃક્ષ જેવા, કરૂણામૃતના સાગર, પ્રવચનરૂપ આકાશમાં સૂર્ય સમાન, ચારિત્રાદિ રત્નાના રાહગિરિ, પૃથ્વીને પવિત્ર કરનાર અને ધ રાજાના સેનાપતિ હતા. તે ગુસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા કે જેઓ આ પૃથ્વીને પવિત્ર કરનાર જંગમતીરૂપ હતા, અને સ્યાદ્વાદ વાણીરૂપ ગંગાનદીને માટે
૧. ચદ્રગચ્છ એ નામ ચદ્રસૂરિથી પડેલુ છે એમ ગ્રંથાંતરમાં છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૧૦ મુ
૧૫
હિમાલયરૂપ હતા. ઘણા તપના પ્રભાવના સ્થાનરૂપ અને વિશ્વને પ્રોાધ કરવામાં સૂર્ય રૂપ એવા તે સૂરિ શ્રી શાંતિચરિત્ર તથા ઠાણા પ્રકરણની વૃત્તિ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે, તે દેવચંદ્રસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ હેમચંદ્ર નામે આચાય થયા, કે જેઓએ તે ગુરૂના પ્રસાદથી જ્ઞાનસપત્તિના મહાય પ્રાપ્ત કર્યાં,
ચેઢી, દશા, માલવ, મહારાષ્ટ્ર, કુરૂ, સિંધુ અને બીજા દુર્ગામ દેશેાને પેાતાના ભુજવીની શક્તિથી હરિની જેમ જિતનાર, પરમ આત, વિનયવાન્ અને ચૌલુકયકુળના શ્રી મૂલરાજના વંશમાં થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે તે શ્રી હેમચ‘દ્રસૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નક ગતિ સંબધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, દ્યુત અને મદિરા વિગેરે દુર્ગુણાને મારી પૃથ્વીમાંથી મેં નિષિદ્ધ કર્યા છે, તથા પુત્ર રાહત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મે' છેડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશાભિત કરી દીધી છે, તે હવે હુ‘સાંપ્રતકાળમાં સ’પ્રતિરાજા જેવા થયા છું. પૂર્વે મારા પૂર્વે જ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ)થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધ હેમચંદ્ર રચેલું છે, તેમ જ મારે માટે નિળ યોગશાસ્ત્ર રચેલુ' છે અને લેાકાને માટે દ્વાશ્રયકાવ્ય, છ દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાન ચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ ખીજા શાઓ પણ રચેલા છે. હે સ્વામી ! જો કે તમે સ્વયમેવ લાકોપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે, મારા જેવા મનુષ્યાને પ્રતિાધ થવાને માટે આપ ત્રિષિષ્ટિ શલાકા પુરૂષોના ચરિત્ર પ્રકાશ કરો.” આ પ્રમાણેના શ્રી કુમારપાળ રાજાના આગ્રહથી શ્રી હેમાચાર્ય ધર્મોપદેશ જેતુ' એક પ્રધાન ફળ છે એવુ' આ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યુ. અર્થાત્ રચ્યું.
જ્યાં સુધી સુવર્ણગિરિ (મેરૂ) આ જ ખૂદ્વીપરૂપ કમળમાં કણિકાનું રૂપ ધારણ કરે, ત્યાં સુધી સમુદ્ર પૃથ્વીની ફરતા ફરતા કરી વળેલા રહે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર આકાશમાર્ગોમાં જ્યાં પાંથ થઈને ભસ્યા કરે ત્યાં સુધી આ ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર મહાકાવ્ય જૈનશાસનરૂપ પૃથ્વી ઉપર જયવંતુ વો
|| ઇતિ પ્રશસ્તિ સમાપ્ત ।।
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સમાપ્ત.
Page #231
--------------------------------------------------------------------------
Page #232
--------------------------------------------------------------------------
_