________________
૨૦૪
સ ૧૩ મા
ખીજાએ હાંસી કરશે. હે રાજન્ ! આવી રીતે આગામી કાળે પ્રવચનના અજ્ઞાત પુરૂષા થશે. તે કપિના સ્વપ્નનુ ફળ તમારે જાણવું.
૩ જે ક્ષીરવૃક્ષનુ' સ્વપ્ન જોયું, તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક ક્ષીરવૃક્ષ તૂલ્ય શ્રાવકો હશે તેઓને ઠગારા એવા લિગધારીએ રૂધી દેશે. એવા પાસાઓની સ’ગતથી સિંહ જેવા સત્ત્વવાળા મહિષ એ પણ તેમને શ્વાનની જેવા સાર વગરના લાગશે. સુવિહિત મુનિની વિહારભૂમિમાં એવા લિંગધારીએ શૂળી જેવા થઈ ઉપદ્રવ કરશે. ક્ષૌરવૃક્ષ જેવા શ્રાવકાને એવા મુનિએની સંગત કરવા દેશે નહીં. આ પ્રમાણે ક્ષીરવૃક્ષના સ્વપ્નનું ફળ છે.
૪ હવે ચાથા સ્વપ્નનું ફળ આ પ્રમાણે-ધૃષ્ટ સ્વભાવી મુનિએ ધર્માથી છતાં કાકપક્ષી જેમ વિહારવાપિકામાં રમતા નથી તેમ પ્રાયઃ પોતાના ગચ્છમાં રહેશે નહી. તેથી ખીજા ગચ્છના સૂરિએ કે જે વાંચના કરતા તત્પર અને મૃગતૃષ્ણુિકા જેવા મિથ્યાભાવ દેખાડનારા હશે તેની સાથે જડાશયથી ચાલશે. ‘એમની સાથે ગમન કરવુ યુક્ત નથી.' એમ ઉપદેશ કરનારાને તેએ સામા થઈને ઉલટા ખાધા કરશે. આ પ્રમાણે કાકપક્ષીના સ્વપ્નનું ફળ છે.
૫ શ્રી જિનમત કે જે સિંહ જેવા છે તે જાતિસ્મરણ વિગેરેથી રહિત એવા ધન રહિત એવા આ ભરતક્ષેત્રરૂપી વનમાં જોવામાં આવશે. તેને પરતીથી રૂપી તિય ચા તા પરાભવ કરી શકશે નહી, પરંતુ સિ ંહના કલેવરમાં જેમ કીડા પડે અને તે ઉપદ્રવ કરે તેમ લિંગીએ કે જે કૃમિની જેમ પાતામાંથી જ ઉત્પન્ન થાય છે તેઓ ઉપદ્રવ કરશે અને શાસનની હીલા કરાવશે. કેટલાક લિંગધારીએ તે જૈનશાસનના પૂર્વના પ્રભાવને લીધે શ્વાપદોની જેવા અન્ય દ નીએથી કદિ પણ પરાભવ પામશે નહીં. આ પ્રમાણે સિંહના સ્વપ્નનુ ફળ છે.
૬ કમળાકરમાં જેમ કમળેા સુગંધી થાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓ ધાર્મિક શ્રવા જોઇએ, પણ હવે પછી તેમ નહીં થાય. ધ પરાયણ થઈને પણ પાછા તેઓ કુસ`ગથી ભ્રષ્ટ થશે; અને ઉકરડામાં કમળ ઉગવાની જેમ કુદેશ અને કુકુળમાં ઉત્પન્ન થયેલા કાઈ કાઈ પ્રાણીઓ ધમી થશે, તથાપિ તેઓ હીન જાતિના હોવાથી અનુપા દેય થશે. આ પ્રમાણે કમળના સ્વપ્નનું મૂળ છે.
૭ જેમ ફળપ્રાપ્તિને માટે ખીજ ઉપર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં સુપાત્ર બુદ્ધિથી અકલ્પ્ય વસ્તુએ વાવશે. અથવા જેમ કોઇ નિરાશય ખેડુત ઘુણાક્ષર ન્યાયથી ઉત્તમ ક્ષેત્રમાં અખીજની અ ંતર્ગત બીજ વાવે તેમ કોઇ શ્રાવક અકલ્પ્સની અંતર્ગત કમ્પ્યરૂપ પાત્રદાન કરશે. આ ખીજ સ્વપ્નનું ફળ છે.
૮ ક્ષમાદિ ગુણુરૂપ કમળાથી અંકિત અને સુચારિત્રરૂપ જળથી પૂતિ એવા એકાંતે રાખેલા કુંભની જેવા મહષિ એ કોઇક જ સ્થાનકે અને તે પણ બહુ ઘેાડા દેખાશે; અને મલીન કળશની જેવા શિથિલ આચાર અને ચારિત્રવાળા લિંગીએ જ્યાં ત્યાં ઘણા જોવામાં આવશે. તેઓ મત્સરભાવથી મહિષ એની સાથે કલહ કરશે અને તેઓ ખ'ને, લેાકેામાં સરખા ગણારો, ગીતા અને લિંગી નગરલાક ઘેલા થવાથી જેમ રાજા પણ ઘેલા થયા હતા તેમ વ્યવહારમાં ગીતાર્થો લીગીઓની સાથે રહેશે જેમ.