________________
૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગોપાંત શ્રેણિક, અભય
કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ ગ્રંથમાં
ઉપલબ્ધ નથી.
આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેનું યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે.
આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ” એટલા માટે કહેવાય છે કે તેમના મોક્ષગમનનો ચોકકસ નિર્ણય થયેલ છે. ચોવીશ તીર્થ કરે તે તદ્દભવમોક્ષગામો હોય છે, ચક્રવર્તામાં જે તે ભાવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચોવીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનારા છે વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખૂચેલા હોય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી તેઓ જરૂર મોક્ષે જનારાં છે, નવ બળદેવ ઉત્તમ છવો હોવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને વર્ગો અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવ આગામી ભવે મોક્ષે જાય છે. - શ્રી કાળસિત્તરી પ્રકરણમાં 11 રૂદ્ર તથા ૯ નારદનો પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચોવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ’ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે.
' આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષોમાં જીવ ૫૯ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીનો જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હોવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ જીવ થાય છે. * છો અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તો અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યાર પછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુગળપરાવતનની અંદર તો સમકિત પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થકરને જે સમતિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનો જીવ ક્રોડાક્રોડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સંસારમાં રહ્યો છે, બીજા તીર્થ કરના જીવો તે બહુ થોડા કાળમાં થોડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારબીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે.
'દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે ( નિકાચીત કરે છે ) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકેના આરાધનથી બંધાય છે. એ વીશ સ્થાનકેનું વર્ણન પહેલા સંગમાં છેવટના ભાગમાં આપેલું છે.
આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાયેલી છે. છએ ઋતુનું વર્ણન, નાયક નાયિકાના રૂ૫ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પર્વમાં પૃથ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થોડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્રાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવાં હોવાથી આ ગ્રંથમાં કઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદા પ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે