SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૭ મા ચલ્લણાને ચાગ્ય એકસ્ત’ભ પ્રાસાદનું નિર્માણ, આમ્રફળનું... હરણ, શ્રેણિકે કરેલુ' વિદ્યાગ્રહણ, દુંગધાની તથા આકુમારની કથા ચેલણાની સાથે જલક્રીડાર્દિકથી રમતો શ્રેણિક જાણે પ્રેમસૂત્રથી તેનું મન પરોવાયેલુ હાય તેવા દેખાતો હતો. તે પેાતાના કરની કાંચકી કરી પ્રતિદ્દિન એકાંતમાં ચલ્લણાદેવીના કેશપાશને આળતો હતો. પાતાને હાથે ગુંથેલી સુંદર પુષ્પમાળાઓથી વાળબંધક સેવકની જેમ તે તેના કેશપાશને ખાંધતો હતો; પોતે જ ઘસેલા કસ્તુરી દ્રવ્યથી તેના ગાલ ઉપર ચિત્રકારની જેમ વિચિત્ર પત્રવલ્લી આળેખતો હતો; અને હંમેશાં આસન પર બેસતાં, શયન કરતાં, ભાજન કરતાં કે બીજા કાઈ પણ કાર્ય વખતે એક નાજરની જેમ તેનુ પડખુ છેડતા નહતો. અન્યદા (દીન દુ:ખીને) ભયંકર શિશિરઋતુ આવી. હિમના ભારને વહન કરનાર વનદાહક ઉત્તરદિશાના પવન વાવા લાગ્યા. શ્રીમંત લેાકેા સઘડીએ પાસે રાખીને અને કેશરનુ વિલે પન કરીને ગર્ભ ગૃહમાં રહી કાળ નિમન કરવા લાગ્યા. તે વખતે ગરીબ લેાના ખાળક વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલ્લા હાથ કરી ધ્રુજતા ધ્રુજતા ગૃહદ્વાર ઉપર દેવીણા વગાડતા હતા. યુવાન પુરૂષા રાત્રે સ્વભાવે ઉષ્ણ એવા પ્રિયાના સ્તન ઉપરથી પાતાના કરકમળને દૂર કરતા નહેાતા; તે સમયે તે કર તુંબિકાપર રહેલા વીણાઇડ જેવા દેખાતો હતો. એવા સમયમાં સ` અતિશયે સપૂર્ણ અને સુર અસુરોએ સેવાતા સાતન દન૧ શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. તે ખખર સાંભળી શ્રેણિક રાજા અપરાન્ત કાળે ચેલ્લણાદેવીની સાથે શ્રી વીરપ્રભુને વાંઢવા આવ્યા. શ્રી વીરઅહં તને વાંદીને રાજદ પતી પાછા વળ્યા. માર્ગમાં કાઇ જળાશયની પાસે એક પ્રતિમાધારી મુનિને જોયા, ઉત્તરીયવસ્ત્ર રહિત શીત પરિસહને સહન કરતા તે મુનિને તેઓએ તરત વાહન ઉપરથી નીચે ઉતરીને વાંદ્યા. પછી ધર્મ સંબધી વાતો કરતો શ્રેણિકરાજા પત્ની સહિત તે મુનિને ભક્તિપૂર્વક વાંદીને પોતાના મહેલમાં આવ્યા. સાયકાળને ચાગ્ય બધી ક્રિયાએ કરીને રાજા અગરૂ કપૂરના ધૂપથી અંધકારિત એવા વાસગૃહમાં ગયા. ચેલ્લાદેવીએ જેની ભુજલતાનુ' ઓશીકું કર્યું' છે એવા તે તેની છાતીપર હાથ મૂકીને સુઈ ગયા. ચેલણાએ સ્તનને નીચા કરીને ગાઢ આલિંગન દેવાથી રાજાને નિદ્રા આવી ગઇ, તેમ જ રાજાના આલિગનથી રાણીને પણ નિદ્રા આવી ગઈ. ગાઢ નિદ્રા આવતાં ચલ્લણાના કરપલ્લવ આચ્છાદનમાંથી બહાર નીકળી ગયા. ઘૃણું કરીને નિદ્રા આલિ’ગનને છેડાવી દે છે.” વીછીના કાંટાની જેમ દુ:સહ શીતના તેના કરને સ્પર્શ થયા, તેની વેદનાથી ચેલ્લણા તરત જાગ્રત થઈ ગઈ. ટાઢની પીડાથી સીત્કાર કરતી તેણીએ રાજાના હૃદયમાં મનની જેમ પેાતાના હાથને આચ્છાદનની અંદર સ્થાપન કર્યા. તે વખતે પેલા ઉત્તરીય વસ્ત્ર રહિત પ્રતિમાધારી મુનિનું તેને સ્મરણું થયું, તેથી તે ખેલી કે ‘અહે ! ૧. જ્ઞાત એવું સિદ્ધાર્થ રાજાનું નામ છે તેમના પુત્ર તે જ્ઞાંતનંદન. ૨ બપોરે. ૩ ઓઢવાનુ` વસ.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy