SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સગ ૨ જો કરે છે. સ્ત્રીજન્મની સાથે જ રહેનારી માયાથી પણ અકલંકિત અને સ્વભાવે સરલા એવી તે રામા પૃથ્વીપર કૃતાર્થ નામવાળી છે. તે દેવી હાલ દૈવયેાગે ગર્ભિણી પણ છે, તેથી મારે તેના અને દેવાન દાના ગર્ભને અદલબદલ કરવા યાગ્ય છે.’' આ પ્રમાણે વિચાર કરી ઇ પેાતાના પાયદળ સેનાપતિ નૈગમેષી દેવને ખેલાવી તેમ કરવાને સત્વર આજ્ઞા આપી. નૈગમેષી દેવે પણ તરતજ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભ ને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સુતેલી દેવાના બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા ચૌદ મહા સ્વને પેાતાના મુખમાંથી પાછા નીકળતા દીઠા, તેથી તે તરત બેઠી થઈ, પણ શરીરે નિળ અને જવરથી જર્જરિત થઈ ગઈ અને છાતી કુટતી કોઈએ મારો ગર્ભ હરી લીધા, એમ વારવાર પેાકાર કરવા લાગી. આશ્વિન માસની કૃષ્ણ વયે દશીએ ચંદ્ર હસ્તેાત્તરા નક્ષત્રમાં આવતાં તે વે પ્રભુને ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા, તે વખતે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લક્ષ્મી, માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરેાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિમ અગ્નિ-એ ચૌદ સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતા જોયા. પછી ઈ કે, તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના કહેનારા નિમિત્તિઆઓએ તે સ્વપ્નાનુ' ફળ તીથંકરના જન્મરૂપ કહ્યું. તે સાંભળી દેવી ઘણા હ પામ્યા. હર્ષ પામેલા દેવીએ અદ્ભુત ગભ ધારણ કર્યાં, પછી ક્રીડાગૃહની ભૂમિમાં પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી. પ્રભુ ગર્ભમાં આવતાં શક્ર ઇંદ્રની આજ્ઞાથી 'ભક દેવતાએ એ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં વાર'વાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યાં. ગર્ભ માં અવતરેલા ભગવંતના પ્રભાવથી તેનું આખું કુળ ધન, ધાન્યની સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. જે રાજાએ ગવથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહાતા, તેએ હાથમાં ભેટો લઇ પાતાની મેળે ત્યાં આવી આવીને નમવા લાગ્યા. એકદા ‘મારા ફરકવાથી (હાલવા ચાલવાથી) મારી માતાને વેદના ન થાઓ' એવું ધારીને પ્રભુ ગર્ભ વાસમાં પણ ચગીની જેમ નિશ્ચળ રહ્યા, તે વખતે પ્રભુ માતાના ઉદરમાં સર્વ અ'ગના વ્યાપારને સ‘કાચીને એવી રીતે રહ્યા કે જેથી માતા ઉદરમાં ગર્ભ છે કે નહી તે સમજી શકયા નહીં. તેથી ત્રિશલાને ચિંતા થઈ કે, 'શુ' મારો ગભ ગળી ગયા, કે શું કોઈએ હરી લીધા, કે શું નાશ પામ્યા, કે સ્થભિત થયા ? જો એમાંથી કાંઈ પણ થયું હોય તે મારે હવે જીવવાનુ` કાંઈ કામ નથી. કારણ કે મૃત્યુનું દુઃખ સહન કરી શકાય તેમ છે, પણ આવા ગર્ભના વિયાગનું દુઃખ સહન કરી શકાય તેમ નથી.’ આ પ્રમાણે આર્ત્ત ધ્યાન કરતા દેવી કેશ છુટા મૂકી, અગરાગ છેડી દઈ અને કર ઉપર મુખકમલ રાખી રૂદન કરવા લાગ્યા. તેમ જ બધા આભૂષણા છેડી દીધા, નિ:શ્વાસથી અધરને વિધુર કરી દીધા, સખીઓ સાથે પણ મૌન ધરી રહ્યા અને સુવુ` કે જમવુ' તજી દીધું. આ ખબર જાણી સિદ્ધાર્થ રાજા ખેદ પામ્યા. તેમજ તેમના મોટા પુત્ર નવિન અને પુત્રી સુદ ના પણ ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાનવડે આ પ્રમાણે પેાતાના માતાપિતાને દુ:ખ ઉત્પન્ન થયેલ જાણીને ગજ્ઞાપન કરાવવાને માટે એક અ`ગુલિ ચલાયમાન કરી. જેથી તરત ‘મારા ગર્ભ હજુ અક્ષત છે' એમ જાણી દેવી હ પામ્યા અને ગભ સ્ફુરણની વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ઘણા ખુશી થયા. તે વખતે પ્રભુએ ચિંત છ્યું કે, ‘અહા ! હું હજી અદૃષ્ટ છું, તે છતાં મારા માતાપિતાના મારા પર કેટલા સ્નેહ છે ? તેથી જો તેએના જીવતાં હું દીક્ષા લઈશ તેા જરૂર સ્નેહના માહથી આર્ત્ત ધ્યાનવડે ઘણુ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy