________________
૧૫૪
સગ ૧૦ મો
તું તેને જોવાને ચાલ.” શાલિભદ્ર બે -“માતા ! તે બાબતમાં તમે સર્વ જાણે છે, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપ. મારે ત્યાં આવીને શું કરવું છે?” ભદ્રા બેલી-“પુત્ર! શ્રેણિક એ કાંઈ ખરીદવાને પદાર્થ નથી, પણ તે તો બધા લોકોને અને તારો પણ સ્વામી છે.” તે સાંભળી શાલિભદ્ર ખેદ પામ્યા છતાં ચિંતવ્યું કે, “મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારે પણ બીજો સ્વામી છે; માટે મારે સર્પની ફણુ જેવા આ ભેગથી હવે સયું. હવે તો હું શ્રી વીરપ્રભુના ચરણમાં જઈ સત્વર ત્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયે, તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આ ; અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત્ પોતાના ખોળામાં બેસાડયે. અને સનેહથી મસ્તક સુધી ક્ષણવાર હર્ષાશ્રુ મૂક્યા. પછી ભદ્રા બોલી કે હે દેવ ! હવે એને છોડી દ્યો, એ મનુષ્ય છે છતાં મનુષ્યના ગંધથી બધા પામે છે. તેના પિતા દેવતા થયા છે, તે સ્ત્રીઓ સહિત પિતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વિગેરે પ્રતિદિન આપે છે.” તે સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી એટલે તે સાતમી ભૂમિકાએ ગયા.
પછી ભદ્રાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “આજે તો અહીંજ ભોજન લેવા કૃપા કરો.” ભદ્રાના આગ્રહથી રાજાએ તે વાત સ્વીકારી, એટલે તત્કાળ ભદ્રાએ સર્વ રસોઈ તૈયાર કરાવી. “શ્રીમાનને શું સિદ્ધ ન થાય ?' પછી રાજાએ સ્નાનને યોગ્ય તેલ જલ અને ચૂર્ણ વડે સ્નાન કર્યું. સ્નાન કરતાં તેની આંગળીમાંથી એક મુદ્રિકા ગૃહવાપિકામાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગે, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા આપી કે, “વાપિનું જળ બીજી તરફ કાઢી નાખ.' તેમ કરતા તે વાપિકા માં દિવ્ય આભરણાની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયે. રાજાએ પૂછયું કે આ બધું શું છે?” દાસી બેલી કે-દરરોજ શાલિભદ્રના અને તેની સ્ત્રીઓના નિર્માલ્ય આભરણે કાઢી નાખવામાં આવે છે તે આ છે.' તે સાંભળી રાજાએ વિચાર્યું કે “સર્વથા આ શાલિભદ્રને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે, જેના રાજ્યમાં આવા ધનાઢય પુરૂષે પણ વસે છે, પછી રાજાઓના અગ્રેસર શ્રેણિક રાજાએ પરિવાર સહિત ભેજન કર્યું. જમ્યા પછી વિચિત્ર અલંકાર અને વસ્ત્રોથી અચિત થઈને રાજા પોતાના રાજમહેલમાં ગયે.
હવે શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચાર કરતો હતો, તેવામાં તેના ધર્મમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે-“ચતુર્કાનધારી અને સુર અસુરોએ નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ધર્મ શેષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.” તે સાંભળી શાલિભદ્ર હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યું. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠા. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન્! કેવા કર્મથી રાજા સ્વામી ન થાય?” મનિ બોલ્યા-જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બધા જગને પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, જે એમ છે તો તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે-“ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા ! આજે શ્રી ધર્મઘોષસૂરિના મુખકમળથી મેં ધર્મ સાંભળ્યો છે કે, જે ધર્મ આ સંસારના સર્વ દુઃખથી મૂકાવાના ઉપાય રૂપ છે.” ભદ્રા બેલી કે-વત્સ! તે ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ધમી પિતાને જ પુત્ર છું.”