________________
હોવી જોઈએ. એટલે કે હર્ષ-શોક વગેરે વિકારોને લક્ષ્યમાં લેનારી ન હોવી જોઈએ. આનો અર્થ એ છે કે મૈત્ર્યાદિ ભાવનાઓના વિષયભૂત લોકો ભલે હર્ષ-શોક-વિષાદ આદિ વિકારોથી ગ્રસ્ત હોય, પરંતુ આ મહામનયુક્ત પુરુષ એમના વિકારોને અણદેખ્યા કરીને એમના પ્રત્યે ઉચિત ભાવના જ રાખશે.
ત્રીજી વાત છે - મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું ચિંતન કરનારો મનુષ્ય સમ્યગ્ માનુસારી હોવો જોઈએ. એટલે કે શુદ્ધ નિર્વાણપથ ઉપર ચાલનારો હોવો જોઈએ. બસ, આ ત્રણ વાતો મૈત્યાદિ ચાર ભાવનાઓનું ચિંતન કરવાની યોગ્યતા છે.
હવે ક્રમશઃ એક-એક યોગ્યતાની બાબતમાં હું તમને પૂછું છું, જેથી તમે તમારી જાતને માપી શકો. તમે જાણી શકો કે તમારી યોગ્યતા કેટલી છે ? ભાવનાઓ દ્વારા ધર્મધ્યાનને રસાયણ બનાવવાનું છે અને એ રસાયણથી આત્માને પુષ્ટ બનાવવાનો છે ને ? એટલા માટે ધર્મધ્યાન કરનારાઓની યોગ્યતા અને મૈત્ર્યાદિ ભાવનાઓનું ચિંતન કરનારાઓની યોગ્યતા સમજવી જ પડશે.
કેટલાક પ્રશ્નો - કંઈક વિચારવાનું છે :
પહેલો પ્રશ્ન ઃ શું તમે જિનેશ્વર પરમાત્માના બાર ગુણો જાણો છો ? એ ગુણોનું કીર્તન કરો છો ? ગુણગાન કરો છો? શું બીજાંની સામે તીર્થંકર પરમાત્માની પ્રશંસા કરો છો?
બીજો પ્રશ્ન ઃ મુનિજનોના ૩૬-૨૫-૨૭ ગુણોને જાણો છો ? એમના ગુણોનું કીર્તન કરો છો ? એમની પ્રશંસાનાં ગીતો ગાઓ છો ? અવસર પર એમનો વિનય કરો છો ? એમને ભાવપૂર્વક આહારપાણી વહોરાવો છો ? એમની ઉચિત સેવાચાકરી કરો છો ?
ત્રીજો પ્રશ્ન ઃ શું તમને શ્રુતજ્ઞાન પ્રિય છે ? શ્રુતજ્ઞાન પામવાનો પ્રયત્ન કરો છો ? પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાનું તમારું લક્ષ્ય છે ખરું ?
ચોથો પ્રશ્ન ઃ શીલ-સદાચાર તમને પ્રિય છે ને? એમનું પાલન દૃઢતાથી કરો છો ? દુરાચાર - વ્યભિચાર તરફ મન જતું તો નથી ને ?
પાંચમો પ્રશ્ન ઃ તમારી પાંચે ઇન્દ્રિયોને સંયમમાં રાખો છો ને ? તે અસંયમમાં જવા માટે લાલાયિત તો નથી થતી ને ? આ પાંચે પ્રશ્નો ઉપર આત્મસાક્ષીએ વિચારો.
પ્રશ્ન છઠ્ઠો : આત્મા, મોક્ષ આદિ પારમાર્થિક વિષયો ઉપર ચિંતન કરો છો ?
પ્રશ્ન સાતમો : આગમોમાં નિરૂપિત ભાવનાઓનો ક્રમ નભાવો છો ? એટલે કે તમારા મનમાં આ ચાર ભાવના - પરિણામ સિવાય બીજો કોઈ વિકલ્પ - વિચાર ઉદ્ભવતો નથી ને ? અર્થાત્ શત્રુતા, ઈર્ષ્યા, કઠોરતા, તિરસ્કાર જેવી તામસી
મૈત્રી ભાવના
૧૦૭