________________
પર્વતિથિમાં એ પૌષધદ્રત કરતા હતા અને અનશનવ્રત (ઉપવાસ) કરતા હતા.
સવાર-સાંજ મૌન ધારણ કરીને સામાયિક કરતા હતા. i ચાતુર્માસમાં પાટણની બહાર જતા ન હતા.
ચાતુર્માસમાં પાંચ વિગઈઓનો ત્યાગ કરતા હતા. v પ્રત્યેક નિર્ધન શ્રાવકને ૧૦૦ સોનામહોરો દાન કરતા હતા. શ્રેષ્ઠી જગડુશાહઃ
જ્યારે દાનધર્મની વાત કરીએ છીએ ત્યારે જગડુશાહને કેવી રીતે ભૂલી શકીએ? જગડુશાહ કચ્છમાં જન્મ્યા હતા. એ શ્રીમાળી કુળમાં દીપક સમાન હતા. એ ભદ્રેશ્વરમાં રહેતા હતા. એક મુનિરાજના પરિચયમાં એ આવ્યા. મુનિરાજ જ્ઞાની હતા. ભવિષ્ય જોતા હતા. એમને ભારતમાં દુકાળ દેખાયો. સં. ૧૨૧૫માં દુકાળ પડશે. એમણે શુભ દિવસ જોઈને જગડુશાહને મંત્ર આપ્યો અને જગડુશાને જમીનમાંથી સુવર્ણમુદ્રાઓથી ભરેલા ૨૧ કળશ મળ્યા.
ગુરુદેવે કહ્યું બની શકે તેટલું અનાજ એકત્ર કરો. દુકાળમાં પ્રજાને આપવાનું છે.” પછી તો પરદેશમાં જગડુશાહ કરોડો રૂપિયા કમાયા. એમણે ધાન્યના મોટામોટા ભંડારો ભય.
દુકાળનો સમય આવ્યો. જગડુશાહ દીન-હીન રંક સર્વને અન્નદાન આપવાની શરૂઆત કરી. | ગુજરાતના રાજા વિશલરાજને ૮ હજાર મૂડા (એ સમયનું એક મોટું માપ) ધાન્ય
દાનમાં આપ્યું. રાજા હમીરને ૧૨ હજાર મૂડા ધાન્ય આપ્યું. ગીઝનીના સુલતાનને ૨૧ હજાર મૂડા ધાન્ય આપ્યું.
માલવપતિને ૧૮ હજાર મૂડા ધાન્ય આપ્યું. i રાજા પ્રતાપને ૩૨ હજાર મૂડા ધાન્ય આપ્યું. I શત્રુંજય અને ગિરનારમાં દાનશાળાઓ શરૂ કરાવી. શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવઃ
દાનધર્મની આવી સુંદર અને શાસનપ્રભાવક આરાધના કરનારાઓની યાદી લાંબી છે. પરંતુ આજે આપણે શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરનારાઓને - શ્રાવક-શ્રાવિકાઓને યાદ કરવાના છે. દાનની તથા શીલરક્ષા કરવાની વાત કરે છું. સૌથી પહેલાં સાધ્વી રાજીમતીજીને યાદ કરીએ. [ પ્રમોદ ભાવના
]