________________
જો હું પરપદાર્થોની સ્પૃહા કરીશ, તો શંકા નથી કે આ પદાર્થો જેમની પાસે હશે તેમની ગુલામી કરવી પડશે. એમની આગળ દીન બનીને યાચના કરવી પડશે. પ્રાપ્ત થશે તો રાગ અને રતિ ઉત્પન્ન થશે. પ સદેવ નિસ્પૃહી આત્માઓનો પરિચય અધિકાધિકે કરવો જોઈએ. નિસ્પૃહી
આત્માઓનાં જીવનચરિત્રોનો અભ્યાસ પુનઃપુનઃ કરવો જોઈએ. . હા વિષલતા છે, એ જીવાત્માને દીન બનાવે છે, મૂચ્છિત કરે છે. તેને જ્ઞાનરૂપ
હથિયારથી કાપી નાખો. આચાર્ય બપ્પભટ્ટી અને રાજા આમઃ
આજે હું એવા નિસ્પૃહી, નિર્લેપ અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાઓથી ભાવિત એક મહાપુરુષની કથા સંભળાવું છું.
વિક્રમની નવમી શતાબ્દીની આ વાત છે - રાજા અને ઋષિની. ભોગી અને જગીની. રાગી અને ત્યાગીની. સંસારી અને સાધુની. એક સમર્થ સરસ્વતીપુત્ર જૈનાચાર્ય બપ્પભટ્ટી અને સમ્રાટ આમની વચ્ચેની મૈત્રી, બચપણની દોસ્તી, કેવી અજીબોગરીબ રીતે પસાર થાય છે? ક્યાંક ચઢાવ-ઉતાર, ક્યાંક તડકો-છાંયો... કેટલાં રૂપ લે છે? પરંતુ ભીતરી સંબંધોની શરણાઈ બેસુરી નથી બનતી. ન વાગે ત્યાં સુધી ન વાગે, પણ જ્યારે ગુંજી ઊઠે ત્યારે જિંદગીને ખુશીથી ભરીભરી બનાવી દે છે.
કોઈ કોઈ વાર વિષમ પરિસ્થિતિઓની પરીક્ષા અને અવહેલનાની આંધી છવાઈ જાય છે, વૈમનસ્યનાં વાદળો ઘેરાઈ જાય છે - સંબંધોના આકાશમાં! પરંતુ દિલની દોસ્તીનો દીપક બુઝાતો નથી. પ્રેમની જ્યોત ડગતી નથી. એની જ્યોત તો સદાય જલતી રહે છે. આ બધો ચમત્કાર હતો આચાર્ય બપ્પભટ્ટીની નિસ્પૃહતાનો, નિર્લેપતાનો અને ઉદાસીનભાવનો. હું આજે એમના જીવનના એક-બે પ્રસંગો જ કહીશ, જે ઉદાસીનભાવના માધ્યચ્ય ભાવનાના દ્યોતક છે. એમના ઉદાસીન, નિસ્પૃહી અને નિર્લેપભાવે જ મૈત્રીની ઉત્તમ ભાવનાને અખંડ રાખી હતી. આચાર્ય બપ્પભટ્ટી
જે દિવસે તેઓ આચાર્યપદ ઉપર આરુઢ થયા તે દિવસથી પ્રારંભીને તેમણે જિંદગીભર ઘી, દૂધ, દહી, તેલ, મીઠાઈ-ગોળ આદિવિગઈઓનો - જે માદક પદાર્થો કહેવાય છે - તે તમામનો તેમણે ત્યાગ કરી દીધો હતો. તેઓ ઈન્દ્રિયવિજેતા હતા, કામવિજેતા હતા. દેવી સરસ્વતીના માનસપુત્ર હતા, એમને યોગશક્તિ સિદ્ધ હતી. વિશિષ્ટ શક્તિઓ અને સિદ્ધિઓને તેમણે પચાવી દીધી હતી. જ્ઞાન, ગુણ અને શક્તિના ત્રિવેણી સંગમથી બપ્પભટ્ટસૂરિ હજારો શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન પુરુષો માટે તીર્થરૂપ બન્યા હતા.
LIST ૨૭૭
માધ્ય ભાવના